________________
અધ્યાપક હતા. તેમને “મેક્ષ છે કે નહિ એ બાબતને સંશય હતો. તે ભગવાન મહાવીરે નિવાર્યો. એટલે તેમણે ૧૬ વર્ષની હાની વયે દીક્ષા લીધી. તેઓ પ્રભુ મહાવીરના ૧૧ મા ગણધર પદે આવ્યા. ૮ વર્ષ છમસ્થાવસ્થામાં રહ્યા. તે પછી ૨૫મા વર્ષે તેમને કૈવલ્યજ્ઞાન થયું. ૧૬ વર્ષ કેવલ્ય પ્રવજ્યમાં વિચર્યા, એકંદર ૪૦ વર્ષનું આયુષ્ય ભોગવી તેઓ મેક્ષમાં ગયા.
૧૫૬ પ્રદેશી રાજા શ્વેતાંબિકા નામની નગરી હતી. ત્યાં પરદેશી નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજા ઘણોજ અધર્મી હતો, લાંચ રૂશ્વત લે, તેમજ રૈયત પાસેથી જુલ્મ કરી ખૂબ કર ઉઘરાવતે. તેને પરલકને લેશ માત્ર ડર ન હતો, તે કેવળ નાસ્તિક હતો. પરલોકને માનતો નહી. શુભાશુભ કર્મના ફળને પણ માનતો નહિ. જીવ હિંસાઓ. કરીને, માંસ દારૂ ખાઈને, મોજશોખમાં આ પ્રદેશ રાજા પોતાનું જીવન વિતાવતો હતો. તેને સૂરિકાન્તા નામની રાણી હતી અને સૂર્યકાન્ત નામનો પુત્ર હતો, અને ચિત્ત સારથી નામે એક બુદ્ધિશાળી મંત્રી હતા. આ રાજાને કુણાલ દેશના શ્રાવસ્તિ નગરીના જીતશત્રુ રાજા સાથે સારો સંબંધ હતો. એકવાર પરદેશી રાજાએ ચિત્ત સારથી સાથે મહા મૂલ્યવાન નજરાણું છતશત્રુ રાજાને ભેટ
આપવા સારું મોકલાવ્યું. ચિત્તારથી પ્રધાન કેટલાક માણસ • લઈને અશ્વરથમાં બેસીને શ્રાવસ્તિ નગરીમાં ગયો. રાજા પાસે
જઈને તેણે નજરાણું ભેટ મૂક્યું. છતશત્રુ રાજા ઘણે જ સંતોષ પામ્યો. અને ચિત્ત પ્રધાનને સત્કાર સન્માન કરીને તેને ડેક વખત રહેવા માટે એક સુંદર મહેલ આપે, જેમાં ચિત્ત સારથી આનંદપૂર્વક રહેવા લાગ્યો.
એકવાર પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય ચાર જ્ઞાન અને ચૌદ