________________
૨૧૯ પ્રમાણે તે નારકીમાં હશે. તે મને આવીને તે એમ કેમ નથી કહેતા કે તું અધર્મ કરીશ નહિ. નહિત નારકીમાં જઈશ.
જો તે આવીને મને કહે, તો હું છવ શરીર જુદા માને. કેશી–હે રાજન, તારી મૂરિકાના નામની રાણી કોઈ બીજા પુરુષ
સાથે કામગ સેવે તે તું શું કરે? પ્રદેશી હું તે પુરૂષના હાથ પગ કાપી તેને શૂળી પર ચઢાવી દઉં. કેશી–જે તે પુરૂષ તને કહે કે મને થોડોક વખત જીવતો રાખો,
હું મારા સગા સંબંધીઓને કહી આવું કે વ્યભિચાર કઈ કરશે નહિ. નહિતો મારા જેવી દુર્દશા થશે. તો હે રાજન, તું તેને
થોડાક વખત માટે પણ છૂટે કરે ખરો ? પ્રદેશી–જરા પણ નહિ. કેશીતારા દાદા અહિં આવવાની ઈચ્છા કરે છે, પણ પરમાધામી
લોકે તેને ખૂબ માર મારે છે, એક ક્ષણ પણ તેને છૂટે કરતા.
નથી, તો તે અહિં કેવી રીતે આવે ? પ્રદેશી–ભગવાન! તમે કહે છે કે નરકમાંથી આવી શકે નહિ, તે
મારી દાદી ઘણી જ ધર્મિષ્ટ હતી. તે દેવલોકમાંથી આવીને
મને ધર્મ કરવાનું કેમ કહેતી નથી ? કેશી–હે રાજન ! તમે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્ર પહેરી, દેવમંદિરમાં
જતા હે, તે વખતે કોઈ માણસ પાયખાનામાં ઉભા રહીને
તમને ત્યાં બોલાવી બેસવાનું કહે તે જાવ ખરા ? પ્રદેશ–નહિ, સાહેબ. તે તો અશચિ સ્થાનક છે તેથી હું ત્યાં
જાઉં જ નહિ. કેશી–તેવી રીતે તારી દાદી મનુષ્યલોકમાં આવવાની ઈચ્છા કરે