Book Title: Jainagam Katha Kosh
Author(s): Jivanlal Chaganlal Sanghvi
Publisher: Jivanlal Chaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 339
________________ ३२० ૨૩૦ સુભદ્રા. વ્યાખ્યાન વસંતપુર નગરમાં જિનદાસ નામે શ્રાવક હતા. તેને જિનમતી નામની સ્ત્રી હતી. તેનાથી તેમને એક પુત્રી થઈ હતી. તે પુત્રીનું નામ સુભદ્રા. સુભદ્રા રાજ ઉપાશ્રયમાં જાય, સાંભળે, સામાયક કરે, ધાર્મિક પુસ્તકો વાંચે, અને ખૂબ ભણે. તે સામાયક શીખી, પ્રતિક્રમણ શીખી, જીવાજીવનું સ્વરૂપ જાણ્યું, નવતત્વ જાણ્યાં, કમપ્રકૃતિ જાણી, એટલું જ નહિ પણ તે સદાચાર શીખી, ગૃહજીવનની ઉન્નતિ શીખી. તેને સ્વભાવ મીઠ અને મધુરા. વખત જતાં તે ઉંમર લાયક થઈ; એટલે તેના પિતાએ તેને માટે લાયક પતિની તપાસ કરવા માંડી. એકવાર ચંપાનગરીના મુદ્દદાસ નામનાં એક બૌદ્ધમાર્ગી ગૃહસ્થે, સુભદ્રાને સુશીલ અને સ્વરૂપવાન જાણીને તેનું માગું કર્યું. જિનદાસે પરધમ માં તેને આપવા ના પાડી. તેથી મુદ્દદાસ શ્રાવક થયા. જિનદાસે સુભદ્રાનું તેની સાથે લગ્ન કર્યું. સુભદ્રા સાસરે આવી. તેની નણુંદ સાસુ વગેરે બૌદ્ધધર્મી, અને સુભદ્રા જૈનધર્મી, તેથી તેનો મેળ મળ્યા નહિ. પરિણામે સાસુ નણંદ રાજ કંકાસ કરવા લાગી અને સુભદ્રાને સતાવવા લાગી. તેમજ સાચા ખોટા વાંક કાઢી સુભદ્રાને ઠપકા અપાવવાના પ્રયત્ન કરવા લાગી. છતાં ખુદ્દદાસને તેના પતિવ્રતપણાની તથા તેની સરળતાની ખાત્રી હતી. તેથી તે સુભદ્રાને કંઈ કહેતા નહિ. સાસુ નણંદનું જોર વધ્યુંજ જતું. સુભદ્રા બધું સમભાવે સહન કરતી. અને સાસુ વગેરેના વિશેષ કંકાસથી સુભદ્રા નિત્ય નિયમ સાચવી પેાતાના કર્મના જ દાષ કહાડતી દિવસેા પસાર કરવા લાગી. એકવાર કાઈ જૈન સાધુ સુભદ્રાને ઘેર વહેારવા પધાર્યાં. સુભદ્રા એ મુનિને પ્રેમપૂર્વક વંદન કર્યું. તેવામાં વટાળીયા થયેા. ખૂબ પવનના વાવાથી મુનિની આંખમાં એક તણખલું પડયું જેથી મિનેને

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372