Book Title: Jainagam Katha Kosh
Author(s): Jivanlal Chaganlal Sanghvi
Publisher: Jivanlal Chaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 340
________________ ૩૨૧ પીડા થવા લાગી. આ મનિ જિનકલ્પિત સાધુ હતા, એટલે તેઓ શરીરના સંસ્કારથી વિમુખ હતા. સુભદ્રાને દયા આવી. તેથી સુભદ્રાએ પિતાની જીભના ટેરવાથી મુનિની આંખ માંહેનું પેલું તણખલું ઉપાડી લીધું; પણ સુભદ્રાનું કપાળ અચાનક મુનિના કપાળ સાથે અડી ગયું. તેથી સુભદ્રાએ કરેલા કંકુના ચાંલાની છાપ મુનિના કપાળમાં પડી. મુનિ ત્યાંથી ભિક્ષા લઈને બહાર નીકળ્યા. એવામાં જ સુભદ્રાની સાસુ તથા નણંદે મુનિના કપાળમાં ચાંલ્લો જે. તેઓ તે સુભદ્રાના છિદ્રો શોધતી જ હતી. તેથી સુભદ્રાના પ્રમાદનો લાભ આ રીતે તેઓએ મેળવ્યો. તરત જ તેમણે આ દશ્ય બુદ્ધદાસને બતાવ્યું, અને કહ્યું કે અમે હેતા કહેતા કે સુભદ્રા કેવી પતિવ્રતા છે ? બુદ્ધદાસને વહેમ સાચો ઠર્યો. સરળ સન્નારી પર સંકટ આવ્યું. તે પતિની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગી. કાચા કાનના બુદ્ધદાસે તેને ત્યાગ કર્યો. સુભદ્રાના દુઃખને પાર ન રહ્યો, તે કર્મને જ દોષ દેવા લાગી અને કોઈ રીતે માથે આવેલું કલંક દૂર કરવાના વિચાર કરવા લાગી. તેણે અઠમ તપ આદર્યો, અને શાસન દેવીનું આરાધન કર્યું. છેલ્લી રાત્રિએ દેવીએ આવીને કહ્યું. ફિકર ન કર. બહેન, સવારે સઘળું સારું થશે. સવાર થતાં જ ચંપાનગરીના દરવાજા ઉઘડ્યા નહિ. લોકોને જવા આવવાની હરક્ત પડી. રાજાએ પણ વાત જાણી. સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયાં. ઘણું મંત્ર-ઉપચાર કર્યો, પણ ફેકટ. બધાએ દેવતાઓનું સ્મરણ કર્યું. ત્યારે આકાશવાણું થઈ કે કોઈ મહાસતી કાચા સુતરના તાંતણાથી ચારણને બાંધી કૂવામાંથી પાણી કાઢે; અને તે પાણી દરવાજાને છાંટે તો દરવાજા ઉઘડે.

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372