________________
૩૦૬
૨૧૯ સમુદ્રપાળ મુનિ
ચંપાનગરીના પાલિત નામના વણિક સાર્થવાહના તેઓ પુત્ર હતા અને ભ. મહાવીરના પરમ ભકત હતા. એકવાર આ પાલિત શેઠ કરિયાણાના કેટલાક વહાણો લઈ વ્યાપારાર્થે પિહુડ નગરમાં ગયા. ત્યાંના એક વણિક શેઠે પાલિત શેઠને પિતાની દીકરી પરણાવી; તે ગર્ભવતી થઈ ત્યારે પાલિત તેણીને લઈને પોતાના દેશમાં આવતા હતા, તે વખતે સમુદ્રમાં પુત્રને પ્રસવ થયો, આથી તેનું સમુદ્રપાળ એવું નામ પાડયું. બાલ્યકાળ વિતાવી, ૭૨ કળામાં પ્રવિણ થઈ સમુદ્રપાળ યુવાન થયા ત્યારે તેમને રૂપિની નામે સ્ત્રી પરણવવામાં આવી. સમુદ્રપાળ તેની સાથે દેવ જેવાં સુખ ભોગવવા લાગ્યા. એક પ્રસંગે સમુદ્રપાળ ગેખમાં બેઠા છે, તે વખતે તેમણે કોઈ એક ચોરને બાંધીને લઈ જવામાં આવતો જોયે, આથી તેમને વિચાર થયો કે એ ચોર પોતાના કર્મનું ફળ ભોગવે છે, તેવી જ રીતે મારે પણ કર્મને ઉદય આવતાં તેવાં ફળ ભોગવવા પડશે. આમ વિચારતાં તેમને જાતિ સ્મરણ જ્ઞાન થયું; જેથી તેમણે માતા પિતાની રજા લઈ ચારિત્ર ગ્રહણ કર્યું, ને સિંહની પેરે ચારિત્ર પાળવામાં દઢ થયા. અનુક્રમે ચારિત્રની વિશુદ્ધ આરાધના કરી, સર્વ કર્મોને ક્ષય કરી તેઓ કૈવલ્ય જ્ઞાન પામ્યા અને મેક્ષમાં ગયા.
૨૨૦ સ્વયંભૂ
તેઓ દ્વારિકાના ભદ્રરાજાની પૃથ્વી દેવીના પુત્ર હતા. મેરક નામના પ્રતિવાસુદેવને મારી, ત્રીજા વાસુદેવ તરિકે તેઓ પ્રસિદ્ધ થયા. ૬૦ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી, ભ. વિમળનાથના સમયમાં તેઓ મૃત્યુ પામીને છઠ્ઠી નરકે ગયા.