________________
૨૮૯
૮૯ હજાર સાધ્વીએ * ર૯૦ હજાર શ્રાવકો અને ૩૮૩ હજાર શ્રાવિકાઓ હતા. ૨૫ હજાર વર્ષનું ચારિત્ર પાળી, એક માસના અનશને, સમેતશિખર પર ૯૦૦ મુનિઓ સાથે જેઠ વદિ તેરસે પ્રભુ મેક્ષમાં ગયા.
૨૦૬ શાળીભદ્ર.
રાજગૃહિમાં ગભદ્ર નામના વિપુલ સંપત્તિશાળી શેઠ હતા. તેમને ભદ્રા નામની સુશીલ પત્ની હતી. તેમને એક પુત્ર થયો. નામ પાડ્યું શાળીભદ્ર. તેઓ મહા પ્રજ્ઞાવંત અને બુદ્ધિશાળી હેઈ છેડા વખતમાં ૭૨ કળાઓ શીખી પ્રવિણ બન્યા. યુવાવસ્થા પામતા પિતાએ તેમનું ૩૨ સ્વરૂપવાન કન્યાઓ સાથે લગ્ન કર્યું. સ્ત્રીઓ સાથે સાંસારિક સુખ ભોગવતાં દિવસ કે રાત્રિ કેવી રીતે પસાર થાય છે, તે પણ તેઓ જાણતા ન હતા; અથાત તેમને ત્યાં દુઃખ જેવી વસ્તુનું નામ નિશાન ન હતું. કેટલેક કાળે ગભદ્ર શેઠ દીક્ષા લઈ મૃત્યુ પામ્યા અને દેવલોકમાં ગયા. તેમને પુત્ર પર અતિશય નેહ હોવાથી શાળીભદ્ર અને તેની પત્નીઓના ભોગપભોગ માટે હમેશાં તેઓ વસ્ત્ર, ઘરેણું અને મીઠાઈ ઓથી ભરેલી ૯૯ પેટીઓ મોકલાવતા. શાળીભદ્ર દેવ જેવું સુખ ભોગવતા, અને લાવવા લઈ જવા વગેરેનું સર્વ ગૃહકાર્ય ભદ્રામાતા કરતાં.
એક દિવસ કોઈ એક વેપારી રત્નની કાંબળે લઈને રાજગૃહમાં વેચવા આવ્યા. તે કાંબળે બહુમૂલ્યવાન હોવાથી શહેરને ધનિક વર્ગ તો ન ખરીદી શક્યો, એટલું જ નહિ પણ રાજગૃહના રાજા શ્રેણિકે પણ તે રત્ન કાંબળો ખરીદી નહિ. વેપારી નિરાશ
* બીજા એક પુસ્તકમાં ૬૧ હજાર છસે સાધ્વીઓ અને ૩ લાખ ૯૩ હજાર શ્રાવિકાઓ લખેલ છે.
૧૯