________________
૨૯૬ તેમણે શાસનની ભક્તિથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું હતું, તેથી તેઓ આવતી ચોવિસીમાં પદ્મનાભ નામના પહેલા તીર્થંકર થશે.
૨૧૩ શંખરાજા તે કાશદેશની વારાણસી નગરીના રાજા હતા. પૂર્વભવમાં મહાબલના પુરણ નામના તે મિત્ર હતા; અને સંયમ પાળી જયંત વિમાનમાં ગયા હતા. ત્યાંથી ચ્યવી અહિં ઉત્પન્ન થયા હતા. એકવાર અહંન્નક નામના વેપારીએ મિથિલાના કુંભરાજાને મલીકુંવરી માટે બે દિવ્ય કુંડલો ભેટ આપ્યા હતા, તેમાંના એક કંડલની સાંધ તૂટી જવાથી કુંભરાજાએ તે સાંધી આપવા માટે મિથિલાના સોનીઓને બોલાવ્યા, પણ તેમાંના કોઈ આ સાંધ સાંધી શક્યા નહિ, આથી રાજાએ ગુસ્સે થઈને સોનીઓને દેશનિકાલ કર્યો. તેઓ ફરતા ફરતા વારાણસી નગરીમાં આવ્યા અને ત્યાં રહેવા માટે રાજાની આજ્ઞા માગી. રાજાએ કારણ પૂછતાં તેમણે સર્વ હકીકત કહીને મલ્લીકુંવરીના રૂપનું વર્ણન કર્યું. આથી તે કુંવરીને પરણવા માટે શંખ રાજાએ દૂત મોકલી કુંભરાજાને કહેણ મોકલ્યું. રાજાએ ન માન્યું, એટલે શંખે, જિતશત્રુ વગેરે રાજાઓ સાથે સંધી કરીને મિથિલાને ઘેરો ઘાલ્યો. આખરે મલીકુંવરીની યુક્તિથી તેઓ બેધ પામ્યા અને દીક્ષા લઈ, સખ તપશ્ચર્યા કરી મોક્ષમાં ગયા.
૨૧૪ શંખ અને પોખલી શ્રાવસ્તિ નગરીમાં શંખ અને પખલી નામના બે ધનાઢય શ્રાવકે વસતા હતા. તેઓ જીવ અજીવ આદિ નવતત્વના જાણ તથા ધમિષ્ટ અને ક્ષમાની મૂર્તિસભા હતા; તેઓ બંને ભ. મહાવીરના અનન્ય ઉપાસક હતા.
એકવાર પ્રભુ મહાવીર તે શ્રાવસ્તિમાં પધાર્યા. પરિષદ્ વંદન