________________
૨૮૨
૧૬ રહિણી ચોર,
રાજગૃહ નગરની પાસે આવેલા વૈભારગીરી પર્વતની ગુફામાં રોહિણીયો નામનો પુરૂષ ચોરીને ધંધો કરતો હતો. એકવાર તેના બાપે તેને કહેલું કે, મહાવીર નામનો એક માણસ છે તેનો ઉપદેશ કદી સાંભળતો નહિ, તેમજ મહાવીર જ્યાં હોય તે રસ્તે પણ ન જતો, કારણ કે તેથી આપણું ધંધાને ઘણું હાનિ પહોંચશે. પુત્રે પિતાની આ શિક્ષા બરાબર મનમાં ધારણ કરી રાખી. જ્યાં મહાવીરનું નામ સાંભળે ત્યાંથી તે દૂર નાસી જતો. કેઈ એકવાર ઉદ્યાનમાં બેસી પ્રભુ મહાવીર ધર્મોપદેશ આપી રહ્યા હતા, તેજ સ્થળે રોહિણીયાને અચાનક આવવું પડયું. રોહિણીયા માટે આ સિવાય પસાર થવા માટે બીજો એક રસ્તો ન હતો, તેથી તેણે કાનમાં આંગળીઓ ઘાલી દીધી કે રખેને મહાવીરનો ઉપદેશ પોતાના કાનમાં પ્રવેશ કરી દે. દૈવયોગે રોહિણીયાના પગમાં કાંટો વાગ્યો, તે કાઢવા તેણે કાને દીધેલે હાથ પગ આગળ લાવી કાંટે કાઢવાનો પ્રયત્ન કર્યો. એજ વખતે પ્રભુના ઉપદેશમાંના નીચેના શબ્દો તેની શ્રવણેન્દ્રિયમાં પડ્યા:-(૧) દેવ પૃથ્વીથી અદ્ધર ચાલે તેમજ તેઓ આંખોનું પલડું મારે નહિ. આ શબ્દો રોહિણીયે સાંભળ્યા. કેટલાક વખત પછી ચોરી કરતાં તે પકડાયો. તે વખતે તેણે પોતાનું નામ ઠામ ખોટું આપ્યું, તેમજ તેની પાસેથી ચોરીની વસ્તુઓ કાંઈ નીકળી નહિ, આથી તેને ચોર ઠરાવવા સંબંધમાં શ્રેણિક રાજા સંશયમાં પડ્યો. આ કામ તેણે અભયકુમારને સોંપ્યું. અભયકુમારે એક યુક્તિ રચી. તેણે રોહિણીયાને ઘેનવાળો કેફી પદાર્થ ખવરાવ્યા એટલે તે બેભાન બન્યું. પછી તેને ઉંચકીને એક વિમાન જેવા રાજમહેલમાં સૂવાડ્યો. ત્યાં બે સ્ત્રીઓ દેવીઓ તરીકે રાખી. ઘેન ઉતર્યા પછી પેલી બે સ્ત્રીઓ બોલી –અહો ! નાથ, હમે એવાં શાં દાન પુણ્ય કર્યા કે આ દેવલોકમાં અમારા સ્વામી તરીકે ઉત્પન્ન થયા ! રેહિણી વિચારમાં