________________
અનેક મુનિઓ વારંવાર લઘુનીતિ વગેરેના કાર્ય નિમિત્તે જતાં આવતાં દ્વાર પાસે સૂતેલા તે નવદીક્ષિત મુનિના શરીરની બરાબર વૈયાવચ્ચ થવા લાગી. એટલે જતાં આવતાં બંને વખત મુનિઓના પગનો સ્પર્શ મેઘકુમારને થતો. તેથી મેઘકુમારને બહુ દુઃખ થતું. નિરાંતે ઊંઘી શકાય નહિ, ઉંધ આવવા લાગે કે તરત એકાદ મુનિના પગ મેઘકમારના પગ સાથે અથડાય જ; તેથી તેમણે આખી રાત્રી ઉંઘ વિના દુઃખમાં જ પસાર કરી. પરિણામે અશુભ વિચારેએ તેમના હૃદયમાં સ્થાન લીધું. મેઘકુમારથી આ પરિષહ સહન ન થયો. તેમને ગૃહસ્થાવાસના સુખ સાંભર્યા, અને કઠિન સાધુ માર્ગથી નિવૃત્ત થવાની આકાંક્ષા ઉત્પન્ન થઈ
પ્રભાતે તેઓ પ્રભુ મહાવીરને વંદન કરવા આવ્યા. તક્ષણ તે સર્વજ્ઞ પ્રભુએ મેઘકુમારે રાત્રિમાં કરેલાં અશુભ વિચારો કહી દીધાં. મેઘકુમારે તે કબુલ કર્યું. પ્રભુ મહાવીરે તેનો પૂર્વ ભવ વર્ણવતાં કહ્યું, હે મેઘકુમાર, તું પૂર્વભવમાં એક સર્વોપરિ હાથી હતા. અનેક હાથી અને હાથણીઓના સમૂહ વચ્ચે તું અભિમાન સહિત વસતે હતે. ગ્રીષ્મ રૂસ્તુને સમય હતો. એક વખત વનમાં દાવાનળ સળગ્યો. હાથી, હાથણીઓ અને અનેક પશુ પંખીયો ભયભ્રાંત થઈને આમતેમ નાસવા લાગ્યાં. ત્યારે ત્રીજા ભાવમાં પણ આવી જ સ્થિતિ થયેલી હોવાથી તે તને યાદ આવી, અને હારી વિશુદ્ધ લેસ્યાના શુભ પરિણામથી તને જાતિ સ્મરણ જ્ઞાન થયું. ત્યારબાદ ત્યાંથી નાસીને એક જગ્યામાં આસપાસના તમામ વૃક્ષો તેં મૂળમાંથી ઉખેડી નાખ્યાં અને ઝાડ પાન વગરનું એક મેદાન તેં બનાવ્યું કે જ્યાં અગ્નિ પ્રસરી શકે નહિ. ત્યાં તે મેદાનમાં તું નિર્ભય રીતે રહ્યો. તે મેદાનમાં હાથી, સિંહ, વાઘ, શિયાળ વગેરે અનેક પ્રાણીઓએ આશ્રય લીધે. તે વખતે હે મેઘ, તારું શરીર ખણવા માટે તે એક પગ ઉપાડે. અનેક પ્રાણિયોની ગીચોગીચમાં અને જગ્યા માટે હલન ચલન થતાં, તારા પગ મૂકવાની જગ્યા નીચે એક સસલો આવી રહયે. શરીર ખણુને