________________
૨૫૬
બદલે ધગધગતા ત્રાંબા સીસાના રસ પીને, આહારને બદલે મહારા શરીરનું માંસ ખાઈને, મેં અનંતી વેદના ભોગવી છે. એ અપાર દુઃખનું વર્ણન શું કરું માતા ? હારા આત્માનું તમે ભલું ઇચ્છતા હો, મહેને એવા દુઃખોમાંથી બચાવવા માગતા હે, તો હે માતાપિતા, મહેને આનંદપૂર્વક દીક્ષિત થવા દ્યો.
મૃગાપુત્રને અપૂર્વ વૈરાગ્ય, હેના અંતરની સંસારભયની ઉગતા, તેના ચારિત્રની હિંમત એ વગેરેથી તેના માતા પિતા ખુશ થયા અને દીક્ષાની રજા આપી. - મૃગાપુત્ર દીક્ષિત થયા, સર્વ સુખ વૈભવને તેમણે ત્યાગ કર્યો અને આત્મ ધ્યાનમાં વિચારવા લાગ્યા. ઉગ્ર તપશ્ચર્યા, અખંડ સંયમ સાધના, વિશુદ્ધ ક્રિયાઓ વડે જીવનનું શ્રેય સાધતાં સાધતાં, ક્ષપક શ્રેણિમાં પ્રવેશી મૃગાપુત્ર કૈવલ્યજ્ઞાન, કૈવલ્ય દર્શનને પામ્યા અને લોકાગ્રે સિદ્ધ થયા.
૧૮૨ મૃગલેઢીઓ (મૃગાપુત્ર ૨)
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શતકાર નામની નગરી હતી. તે નગરીને સે દરવાજા હતા. તેમાં ધનપતિ નામે રાજા રાજ્ય કરતો. હતું. તે નગરના અગ્નિ ખૂણામાં વિજય વર્ધમાન નામનું ગામ હતું. તે ગામમાં એકાઈ રાઠોડ નામે ઠાર હતા. તેના નીચે બીજા પાંચસો ગામ હતા. એકાઈ રાઠોડ ઘણું ક્રર, જુલ્મ અને અધર્મી હતા. તે પાપ કે પુણ્યને ગણતો જ નહિ. તે રૈયતને નીચોવી, અન્યાયથી કર ઉઘરાવી પૈસા એકઠા કરવાનું જ માત્ર શીખે.