________________
દાસી દ્વારા રાજા શ્રેણિકને ખબર પડી. રાજા શ્રેણિક દેહદ+ પૂર્ણ કરવાનું ધારિણી રાણીને વચન આપીને પિતાના આવાસમાં ચિંતામગ્ન બેઠે હતો. પિતાને આશ્વાસન આપ્યા બાદ અભયકુમાર વિચારમાં પડ્યો. દેવતાની સહાય વગર માનવજાતિની મગદૂર નથી કે અકાળે મેઘ પૃથ્વી ઉપર વરસાવી શકે. અભયકુમારે પોતાના પૂર્વ પરિચયવાળા પહેલા દેવલોકના સુધર્મ નામના દેવનું સ્મરણ કરવા પૌષધ શાળામાં જઈ અઠમ ભક્ત પૌષધ કર્યો. તપના પ્રભાવથી દેવનું આસન ચલિત થયું. દેવ આવ્યો અને પોતાને બોલાવવાનું કારણ પૂછયું. અભયકુમારે સર્વવાત નિવેદન કરી. વચન આપી દેવ ગયે અને ધારિણું દેવીની ઈચ્છા મુજબ અકાળે મેઘની વૃષ્ટિ થઈ. ધારિણું રાણું શ્રેણિક રાજા સાથે નગર-ઉદ્યાન વગેરે સ્થળે ફરી, અને વરસાદથી ઉગેલી વનસ્પતિ વગેરેનું અનુપમ સૌંદર્ય નિહાળી સંતોષ પામી. દોહદ પૂર્ણ થયો અને તે આનંદથી ગર્ભનું રક્ષણ કરવા લાગી. સવા નવ માસે પુત્રનો જન્મ થયો. રાજ્યમાં સર્વત્ર આનંદ છવાઈ રહ્યો. ગર્ભમાં મેઘને દેહદ ઉત્પન્ન થયો હતો, તેથી તેનું નામ
મેઘકુમાર પાડવામાં આવ્યું. પાંચ ધાવમાતાએ અને અનેક દાસીઓના લાલનપાલન વડે કુમાર વિધવા લાગ્યા. નવ વર્ષે કળાચાર્ય પાસે ભણવા મૂકયા અને ૭૨ કળામાં પ્રવીણ થયા. અનુક્રમે યૌવનાવસ્થા પામ્યા, ત્યારે તેમને અત્યંત સૈાંદર્યવાન, વનરસ ભરપુર
એવી આઠ સ્ત્રીઓ પરણાવવામાં આવી. એક દેદિપ્યમાન, સુશોભિત રાજ્યભુવનમાં કુમાર તે સંદર્યમુગ્ધા રમણિઓના વિલાસમાં આનંદ ઉપભેગ કરવા લાગ્યા.
એકદા પ્રસ્તાવે શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુ રામાનુગ્રામ વિહાર કરતા રાજગૃહી નગરીના ઉદ્યાનમાં પધાર્યા. નગરજનના ટોળેટોળાં પ્રભુ મહાવીરના દર્શન કરવાને હર્ષાતુર વદને ઉદ્યાન તરફ
+ ડહોળે, ઈચ્છા.