________________
૨૬૦
૧૮૩ મૃગાવતી. તે વિશાળા નગરીના ચેટક રાજાની પુત્રી હતી. તેને કૌશાંબી નગરીના રાજા શતાનિક સાથે પરણાવી હતી. સતીઓની પ્રશસ્તિમાં તેમનું નામ મુખ્ય છે. એકવાર કઈ એક ચિત્રકારે મૃગાવતીના સુશોભિત દેહનું સ્વરુપ ચીતરીને ઉજયિનીના રાજા ચંડપ્રદ્યોતને બતાવ્યું, આથી કામમાં હમેશાં અંધ છે એવા ઉજજયિની પતિએ કૌશાંબી ઉપર ચડાઈ કરી, તે વખતે શતાનિક રાજા ભયને માર્યો અતિસાર રોગથી મૃત્યુ પામ્યો. મૃગાવતીએ સમયસૂચકતા વાપરી ચંડ પ્રદ્યોતને કહેવરાવ્યું કે હું તમારી સાથે જરુર લગ્ન કરીશ. કારણ કે ઉજજયિની જેવી મહાનગરીની હું પટ્ટરાણી બનું એ અપૂર્વ લાભ કે ગૂમાવે ? પરંતુ મારો બાળપુત્ર ન્હાને છે, જેથી તેને માટે કૌશાંબીને કિલ્લો મજબૂત બનાવો, તેમજ ધન, ધાન્ય તથા હથિયારોથી શહેરને સમૃદ્ધ કરે, કે જેથી મારા પુત્રને કઈ દુશ્મનો હરાવી ન શકે. પ્રદ્યોત્ રાજા મૃગાવતીના આ પ્રપંચમાં લોભાય; અને શહેર બહારથી બધી તૈયારીઓ કરવા લાગ્યો. તે વખતે મૃગાવતીએ નગરીના દ્વાર બંધ કરાવી દીધા. ચંડ પ્રદ્યોત પિતે છેતરાયો છે, એમ સમજી તે કૌશાંબીને ઘેરો ઘાલી પડ્યો.
આ સ્થિતિમાં મૃગાવતીએ હવે શું કરવું તેનો નિર્ણય કર્યો. મૂળથી જ તે સંસ્કારી અને ધાર્મિક હોવાથી તેનામાં વેરાગ્ય ભાવનાના આંદલને ખડા થયા. તેણીએ ભ. મહાવીર પાસે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. એ જ અરસામાં પ્રભુ મહાવીર રામાનુગ્રામ વિહાર કરતાં કૌશાંબીના ઉદ્યાનમાં આવી સમોસર્યા. વાયુવેગે પ્રભુ પધાર્યાની વાત શહેરમાં પ્રસરી ગઈ. આ વાત જાણુ મૃગાવતીને અનહદ આનંદ થયો. તેણે નગરીના દ્વાર તરત જ ઉઘડાવી નાખ્યા અને તે પ્રભુ મહાવીરના દર્શને નીકળી. બીજી તરફ ચંડપ્રદ્યોત પણ પ્રભુની દેશનામાં આવ્યું. ભ. મહાવીરની અમૃત સરખી