________________
૧૮
કે મહારાજા ! આ તો એક મહાન પુરૂષ છે, વળી તે અવધિજ્ઞાની છે અને જીવ શરીરને જુદાં માને છે. આ સાંભળી રાજાને તેની પાસે જવાનો ભાવ થયો. ચિત્ત અને પરદેશી શ્રી કેશી સ્વામી પાસે આવ્યા. પરદેશી રાજાએ સામે ઉભા રહીને કેશી સ્વામીને પૂછયું:
શું તમે અવધિજ્ઞાની છે? અને શરીર તથા જીવને જુદા જુદા ભાન છો ? કેશી–હે પ્રદેશી રાજા, કોઈ વેપારી દાણની ચોરી કરે તેની માફક
તું વિનય ભક્તિ કર્યા વગર પ્રશ્ન પૂછે છે તે ઉચિત નથી. હે રાજા, મને દેખી તને એવો વિચાર થયો હતો કે આ જડ માણસ છે અને સાંભળનારા પણ જડ છે. તેમજ આ
મારો બગીચો રોકીને બેઠે છે? પ્રદેશી–હા, સત્ય છે. આપની પાસે એવું કયું જ્ઞાન છે કે જેથી આપે
મારા મનને ભાવ જાણે? કેશી–અમારા જેવા સાધુને પાંચ જ્ઞાન હોય છે, પણ મને ચાર
જ્ઞાન છે. તેથી તમારા મનનો ભાવ મેં જાણ્યો. પાંચમું કેવળ
જ્ઞાન શ્રી અરિહંત ભગવાનને હોય. પ્રદેશી–ભગવાન, હું અહિં બેસું ? કેશી–આ તમારી ઉદ્યાન ભૂમિ છે. તેથી તમે જાણે. પ્રદેશી–તમારી પાસે એવું પ્રમાણ છે કે જેથી તમે જીવ અને
શરીર જુદા ભાન છો ? કેશી–હા, મારી પાસે પ્રમાણ છે. પ્રદેશી–મારા દાદા હતા. તે મારા પર બહૂજ પ્રીતિ રાખતા. તે
ઘણુજ અધર્મી અને માંસાહારી હતા, તેથી તમારા કહેવા