________________
૭૪
નામના બે સગા ભાઈઓ હતા. તેઓને રાજ્યમાંથી ભાગ આપે ન હતા, પણ શ્રેણિકે તેમને સિંચાનક નામને ગંધ હસ્તિ અને અઢારસરે વંકહાર આપેલ હતું. વિહલકુમાર વંકહાર પહેરી, હાથી પર બેસી ગંગામાં જળક્રીડા કરવા જતો. તે જોઈ કેણિકની
સ્ત્રી પદ્માવતીએ તે હાર અને હાથી તેઓની પાસેથી લઈ લેવાનું પિતાના સ્વામીને કહ્યું. પ્રથમ તો કેણિક તેમ કરવા કબુલ ન થયો, પણ સ્ત્રી હઠને વશ બની, કેણિકે વિહલકુમાર પાસે હાર અને હાથી ભાગ્યા. વિહલ્લે કહ્યું – કાળકુમારાદિ ૧૦ ભાઈઓને તમે રાજ્યમાં ભાગ આપે છે, તે ભાગ મને પણ રાજ્યમાંથી આપો, એટલે મને આ હાર અને હાથી તમને આપી દેવામાં હરકત નથી. કેણિકે રાજ્યમાંથી ભાગ આપવાનું કબુલ ન કર્યું, અને બળાત્કારે તે હાર અને હાથી લઈ લેવા માટે તેને ધમકી આપી. આથી વિહલ્લકુમાર છાનોમાનો પોતાના દાદા (ભાનાબાપ ) ચેડારાજા (ચેટકરાજા ) પાસે વિશાળા નગરીમાં જતો રહ્યો. આ વાતની ખબર પડતાં કેણિકે તે હાર અને હાથી મોકલી આપવાનું અને જે તે પ્રમાણે ન બને તો યુદ્ધ કરવા તૈયાર થવાનું કહેણ મોકલાવ્યું. ચેડા રાજા યુદ્ધ કરવા તૈયાર થયા. કેણિકે પોતાના દશે ભાઈઓની મદદથી ચેડા રાજા પર ચડાઈ કરી. કોણિક પાસે અગીયારે જણનું થઈ ૩૩ હજાર ઘેડા, ૩૩ હજાર હાથી, ૩૩ હજાર રથ અને ૩૩ કરોડ પાયદળ જેટલું લશ્કર હતું.
ચેડા રાજાએ પણ કાશી અને કેશલ (અધ્યા) દેશના ૧૮ રાજાઓને કહેવડાવ્યું કે વિહલકુમારને તેના હાર હાથી સાથે ચંપાનગરીમાં પાછો મોકલી દેવો કે કેમ? જવાબમાં આ અઢારે દેશના રાજાઓએ હાર હાથી વગેરે પાછાં ન આપતાં, યુદ્ધ કરવાની સલાહ આપી, તે સાથે તેઓ પોતપોતાનું સૈન્ય લઈ લડવા માટે ચેડા રાજાની મદદે આવ્યા. આ વખતે ચેડારાજા પાસે પ૭ હજાર