________________
૧૦૨
૮૨. ગ ભાળી મુનિ
Ο
ગભાળી નામના એક મહા સમર્થ આચાય હતા. એકવાર તેઓ પાંચાલ દેશના કપિલપુર નગરના કેસરી નામના ઉદ્યાનમાં ધ્યાન ધરીને બેઠા છે, તેવામાં તેજ વનપ્રદેશમાં સતિ નામને રાજા શિકાર અર્થે આવી ચડયો. રાજાએ એક મૃગને બાણ મારી વીંધી નાખ્યું, પાસે જ મુનિ ધ્યાનસ્થ બેઠા હતા. તરફડીયા ખાતું તે મૃગ મુનિના ખેાળામાં જઈ પડયું', સતિ રાજાની દિષ્ટ મને પર પડતાં તે ગભરાયા અને સ્વગત વિચારવા લાગ્યા:–અહા ! હું કેવા પાપી કે આમહાત્માના મૃગને મેં માર્યું ! આ મૃગ મુનિનું જ હોવું જોઇએ અને જો મુનિ મારા પર કોપાયમાન થશે તે। મારી દુર્દશા કરશે, માટે મારે મુનિની ક્ષમા માગવી જોઇએ. એવા વિચાર કરી ભયથી કંપતા સતિ રાજા મુનિ પાસે આવ્યા અને વિવેકપૂર્વક બે હાથ જોડી કહેવા લાગ્યાઃ–મહાત્મન! મારા અપરાધ ક્ષમા કરા, મ્હને ન્હાતી ખબર કે આ મૃગ આપનું હશે. સમયના જાણુ અને જેણે પેાતાના કષાયેા ઉપશમાવ્યા છે એવા તે ગભાળી મુનિએ ધ્યાન પારીને કહ્યું:–રાજન, ગભરાઓ નિહ. હમને અભય છે, અને હમે પણ મ્હારી જેમ અભયદાનના દાતાર થા. દરેક પ્રાણીને સુખ વહાલું છે અને દુ:ખ અળખામણું છે. જેમ હમને હમારા પ્રાણ વહાલે છે, તેવા જ દરેક જીવને પેાતાના પ્રાણ વહાલો છે, માટે પોતાના આત્મા સમાન દરેક જીવને ગણવા; કોઈ જીવને મનથી વચનથી કે શરીરથી હાનિ પહેાંચાડવી એ મહા અધર્મનું કારણ છે.
આ રીતે અહિંસા ધર્મનું સ્થૂલ અને સૂક્ષ્મ એવું તે અદ્ભુત સ્વરૂપ મુનિએ સમજાવ્યું કે સંયતિ રાજા વૈરાગ્ય પામ્યા અને મુનિ પાસે ચારિત્ર લઈ ચાલી નીકળ્યાઃ મુનિ પણ ચારિત્ર ધર્મનું ઉત્કૃષ્ટ પાલન ફરી મેાક્ષમાં ગયા.