________________
૧૬૭ રાજા આશ્ચર્ય પામી મન સાથે બોલી ઉઠયો. પેલાં ભવ્ય અને સુંદર સ્તંભની આખરે આ દશા? શું ત્યારે તે માત્ર વસ્ત્ર અને અલંકારોથી જ સુંદર લાગતો ? ખરેખર મારું શરીર પણ એક વખત આ દશાને પામશે ! અત્યારે સુશોભિત દેખાતાં મહારા. આ શરીરની પણ આખરે આ લાકડાનાં ઠુંઠા જેવી દુર્દશા થવાની જ ! તો પછી આજેજ, અરે અત્યારે જ શા માટે આ શરીર પરથી મમતા ન ઉતારવી ? કાળનો કયાં ભરૂસો છે? ખરેખર પર વસ્તુઓ જ માત્ર આ જીવને મુંઝવે છે, પૌગલિક વસ્તુઓના મોહમાં અંધ બની ખરેખર મેં આત્મકલ્યાણ સાધ્યું નહિ.
(એક મુમુક્ષુએ ખરૂંજ કહ્યું છે કે – પર વસ્તુમાં નહિ મુંઝવો, એની દયા મુજને રહી; એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહી. હું કેણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સબંધે વળગણ છે? રાખું કે એ પરિહરું ?
હા. ખરેખર એ બધી વળગણાઓ ત્યાગવા ચગ્ય છે.) એમ કહી દ્વિમુખ રાજાએ ત્યાં જ પોતાના સઘળાં વસ્ત્રાલંકારે ઉતારી નાખ્યા, અને પંચમુષ્ટિ લોન્ચ કરી સ્વયંમેવ દીક્ષા લઈ ચાલતા થયા. ખૂબ તપ, જપ, સંવર કરી કૈવલ્યજ્ઞાનને પામી દિમુખ પ્રત્યેકબુદ્ધ મોક્ષપદને પામ્યા.
૧૨૭ દેવદત્તા, સુપ્રતિષ્ઠિત નામનું નગર હતું. મહાસેન નામે રાજા હતો. તેને ધારિણી પ્રમુખ એક હજાર રાણીઓ હતી. ધારિણીને એક પુત્ર થયો હતો. તેનું નામ સિંહસેન, કુમાર યુવાવસ્થા પામતાં તેને ૫૦૦ રાજકન્યાઓ પરણાવી, પાંચસો સુંદર મહેલો બંધાવી આપ્યા, પાંચસો ક્રોડ સોનૈયાં, પાંચસો હાથી, એમ દરેક પાંચસો પાંચસે