________________
અહિં નમિરાજ અનેક સુખમય સામગ્રીમાં વૃદ્ધિ પામ્યા. યુવાવસ્થાએ પહોંચતા તેમને એક હજાર સ્ત્રીઓ પરણાવવામાં આવી. કેટલાક સમય બાદ પમરથ રાજા નમિરાજને રાજ્યાસને સ્થાપી દીક્ષા લઈ ચાલી નીકળ્યા. એકવાર નમિરાજાનો સુભદ્ર નામનો હાથી મદોન્મત્ત થઈને નાસી ગયે. તે હાથીને સુદર્શન નગરના સૂર્યયશ રાજાના સુભટોએ પકડીને બાંધે. મિરાજાને આ વાતની ખબર પડી. એટલે પિતાનો હાથી પાછો મોકલવાનું સૂર્યાયશને તેણે કહેવડાવ્યું; પણ સૂર્યપશે તે માન્યું નહિ. પરિણામે બન્ને વચ્ચે યુદ્ધ શરૂ થયું. સૌ પોતપોતાનું લશ્કર લઈ લડવા માટે રણસંગ્રામમાં આવી પહોંચ્યા. આ વાતની મદનરેખાને ખબર પડી; બંને ભાઈઓને લડતા અટકાવવા માટે તે પ્રથમ નમિરાજની છાવણમાં ગઈ. નમિરાજે તેને દેખી વંદન કર્યું અને અગ્ય સમયે છાવણીમાં આવવાનું પ્રયોજન પૂછ્યું. જવાબમાં સાધ્વીએ કહ્યું. નમિરાજ, તને ખબર છે કે તું ની સાથે આ યુદ્ધ ખેલે છે?
હા. સુદર્શનના રાજા સૂર્યયશ સાથે.
પણ તે તારે સગો ભાઈ થાય છે. ભાઈ ભાઈની સાથે લડવું શું ઉચિત છે ?
જરૂર નહિ. સતીજી. ચાલે હું અત્યારે જ લડત બંધ કરી હારા ભાઈને મળવા આવું છું.
સબુર. હમણું નહિ. મહેને પ્રથમ જવા દે સૂર્યની છાવણમાં.
મદનરેખા સૂર્યચશની છાવણીમાં ગઈ સૂર્યવશે સાધ્વીને દેખી વંદન કર્યું. મદન રેખા બોલીઃ સૂર્યાયશ. હું હારી માતા મદનરેખા છું.
સૂર્યશ–તો હમારે ગર્ભ ક્યહાં? આ નમિરાજ, તેજ મહારે ગર્ભ અને ત્યારે ન્હાને ભાઈ!