________________
૧૦૯ તેને ઘણું જ તૃષા લાગી. તેને વિચાર થયો કે ઘણું પરોપકારી પુરૂષ રાજરાજેશ્વરો રાજગૃહ નગરની બહાર વાવ, તળાવો બંધાવે છે. જેમાં ઘણું લોકો સ્નાન કરે છે અને પાણી પીએ છે. તેથી હું પણ શ્રેણિક રાજાને પૂછીને એક સુંદર વાવ બંધાવું. એમ ચીંતવતાં તેણે બાકીને દિવસ અને રાત્રી પૂરી કરી. બીજા દિવસનું પ્રભાત થયું. નંદમણિયાર પૌષધ પારીને ઘેર ગયો. દંતમંજન આદિ ક્રિયાએથી પરવારી, સુંદર વસ્ત્રાલંકારો પહેરી તથા મુલ્યવાન ભેટ લઈને તે શ્રેણિક મહારાજા પાસે ગયો. ભેટ મૂકી. રાજા પ્રસન્ન થયા. નંદમણિયારે શહેરની બહાર વાવ બંધાવવાનો પોતાનો વિચાર શ્રેણિક રાજા પ્રત્યે જાહેર કર્યો. રાજાએ પરવાનગી આપી. નંદમણિયારે એક સુંદર વાવ બંધાવી. તેને ફરતી ચારે દિશામાં અનુક્રમે ચિત્રશાળા, ભેજનશાળા, ચિકિત્સા કરવાની શાળા, અને અલંકારશાળા બનાવરાવી. આને લાભ લઈ ઘણું લોકે નંદમણિયારના વખાણ કરવા લાગ્યા. આ સાંભળી નંદમણિયારના આનંદનો પાર રહ્યો નહિ.
એક વખત નંદમણિયારના શરીરમાં સોળ પ્રકારના રોગ ઉત્પન્ન થયા. આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે નંદમણિયારના સોળ રોગમાંથી એક પણ રોગ કેઈ મટાડશે તે તેને પુષ્કળ ધન આપવામાં આવશે. ઘણું વૈદ દાકતરે આવ્યા, ઘણા ઉપચારો કર્યા પણ તેમાંના કઈ તેનો એકપણ રોગ મટાડી શકયા નહિ. વેદનાની મહા પીડાથી નંદમણિયાર મૃત્યુ પામે અને નંદપુષ્કરણ નામની વાવમાં મૂર્જિત બન્યો હોવાથી, તે મરીને તેજ વાવમાં દેડકાપણે ઉત્પન્ન થયો. આ દેડકે ગર્ભ મુક્ત થઈ, બાલ્યાવસ્થા વીતાવી યુવાવસ્થા પ્રાપ્ત થવાથી વાવમાં ફરવા લાગ્યો. તે વાવમાં સ્નાન કરતાં, પાણી પીતાં ઘણું લોકો શાંતિ પામી બોલતા કે નંદમણિયારને ધન્ય છે કે તેણે આવી સુંદર વાવ બંધાવી. ઘણા માણસો પાસેથી આવું સાંભળીને દેડકાને વિચાર થયો કે આવા શબ્દો મેં પૂર્વે કયાંક સાંભળ્યા છે. એમ