________________
૨૦૬
પાપની આલોચના કરી. અને શુદ્ધ ચારિત્ર પાળી નંદીષેણ કાળધર્મ પામી દેવલોકમાં ગયા.
૧૪૮ પ્રતિબુદ્ધ. તે કેશલ દેશની સાંકેતપુરી નગરીને રાજા હતો. પૂર્વભવમાં મહાબળ કુમારનો તે મિત્ર હતા. ત્યાં સંયમ પાળી, ઘણે તપ કરવાથી તે જયંત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો હતો. ત્યાંથી ચ્યવી અહિંયા તે રાજા થયો હતો. તેને પદ્મા નામની રાણું હતી. તે સાકેતપુરમાં નાગદેવનું એક દેવળ હતું, રાજા અને રાણી એકદા તે નાગદેવના પૂજન અર્થે ગયાં. ત્યાં દેવળમાં શોભાયમાન એવો એક દામકાંડ ( સ્ત્રીઓની આકૃતિવાળો ચિલો વિભાગ) હતો. તે જોઈ રાજાએ પ્રધાનને પૂછયું કે હમે આવો દામકાંડ કયાંય જોયે છે? પ્રધાને કહ્યું હતું. મિથિલા નગરીમાં મલ્લીકુંવરીની વર્ષગાંઠ વખતે જોવામાં આવેલા દામકાંડ આગળ આ કાંઈ હિસાબમાં નથી, એમ કહી સાથે સાથે સુબુદ્ધિ પ્રધાને મલ્લીકુંવરીનાં રૂપ, ગુણની પ્રશંસા કરી. તે સાંભળી રાજાને તે ભલીકુંવરી પરણવાની ઈચ્છા થઈ. આથી તેણે કુંભરાજા પાસે દૂત મોકલી મલ્લીકુંવરીનું માગું કર્યું. રાજાએ ના કહેવાથી પ્રતિબુદ્દે જિતશત્રુ વગેરે રાજાઓ સાથે સંધી કરીને મિથિલા પર ચડાઈ કરી. તેમાં મલીકુંવરીએ સોનાની બનાવેલ પ્રતિમાથી પ્રતિબદ્ધ રાજાને બુઝવ્યો અને તેણે દીક્ષા લીધી. સખ્ત તપ, સંયમ પાળી અંત સમયે સમેતશિખર પર સંથારે કરી પ્રતિબુદ્ધ મેક્ષ પામ્યા.
૧૪૯ પકુમાર શ્રેણિક રાજાના પુત્ર કાલીકુમારની પદ્માવતી રાણીની કુક્ષિથી પદ્મકુમારનો જન્મ થયો. માતાએ સિંહનું સ્વપ્ન જોયું. સ્વપ્ન પાઠકે મહાભાગ્યવાન પુત્ર અવતરશે એવું તે સ્વપ્નનું ફળ કહ્યું.