________________
૧૭૪
સાધ્વીજીએ બહાર એકલા નહિ રહેતા, સમુદાયમાં રહી તપ કરવાનું કહ્યું. પરંતુ તે નહિ માનતા સુકુમારીકા સાધ્વીજી બહાર ઉદ્યાન પાસે જઈ તપ કરવા લાગ્યા.
એકવાર તે ઉદ્યાનની પાસે પાંચ પુરૂષો દેવદત્તા નામની ગણિકાને લઈ ક્રીડા કરતા હતા, અને તે પાંચેય પુરૂષા વિકાર વશ બની દેવદત્તાની સાથે પ્રેમવિનાદ કરતા હતા અને મનુષ્ય સંબંધીના ભાગ ભાગવતા હતા. આ દ્રશ્ય પેલી સુકુમારીકા આર્યાંના જોવામાં આવ્યું. તેથી તેણે સંકલ્પ કર્યો કેમારા તપ સયમ બ્રહ્મચર્યનું ફળ હોય તે આવતા ભવમાં હું પાંચ પુરૂષા સાથે ભાગ ભાગવતી વિચરૂં. સંકલ્પ પુરા કરી તે આતાપના ભૂમિમાંથી સ્વસ્થાનકે ઉપાશ્રયમાં આવી. ત્યાં તે ચારિત્રની વિરાધના કરવા લાગી. વારંવાર હાથ પગ ધાવે, મસ્તક ધેાવે, મ્હાડુ ધોવે. તેથી ગાવાલિકા આર્યજીએ કહ્યું કે આપણને શરીરની દુગા કરવાનું કલ્પે નહિ. છતાં તે નહિ માનતાં સ્વચ્છ ંદપણે રહેવા લાગી. કાળાન્તરે તે મૃત્યુ પામીને ખીજા દેવલાકમાં ગઈ.
પાંચાળદેશ, ક`પીલપુર નગર, ત્યાં દ્રૌપદ રાજા રાજ્ય કરતા હતા. તેને ચુલણી નામની રાણી હતી. તેને ત્યાં આ સુકુમાર દેવી પુત્રીપણે અવતરી, અને તેનું નામ દ્રૌપદી રાખવામાં આવ્યું. અપૂ સુખ સામગ્રીમાં અને અનેક દાસદાસીઓનાં લાલન પાલનથી બાલ્યાવસ્થા વીતાવી તે યૌવનાવસ્થાને પામો. દ્રુપદરાજાએ પુત્રીની યૌવનાવસ્થા અને સૌંદય જોઈ ને સ્વયંવરથી લગ્ન કરવાની ઈચ્છા બતાવી. રાજાએ સ્વયંવર બનાવ્યા, અને કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજય, બળદેવ. ઉગ્રસેન આદિ અનેક રાજાઓને દૂતદ્વારા કુમકુમપત્રિકા માકલી સ્વયંવરમાં નેતર્યાં. પરિણામે ઘણા રાજાએ ત્યાં આવ્યા. પાંચ પાંડવા પણ આવ્યા. દ્રૌપદી પોતાની દાસીએ સાથે અશ્વરથ પર બેસીને સભામડપમાં આવી અને કૃષ્ણવાસુદેવ પ્રમુખ અનેક રાજાને