________________
૧૫૭
અને સદાકાળ અંતઃપુરમાં જ પડી રહેતા, વળી તેને પુત્ર ઉપર અભાવ હતા. એટલે કાઈપણ પુત્રના જન્મ તેને ત્યાં થાય, તે તે તેના હાથ અગર પગની આંગળીએ કાપી નાખે અગર તેા અંગુઠ કાપે, અગર નાક કાપે, અગર કાન કાપે. એકાદ અંગ તે એછું કરેજ કે જેથી તે રાજ્યને માટે લાયક રહે નહિ. એકદા તેની પ ્ માવતી રાણીને એવા વિચાર થયા કે રાજા, પુત્ર થાય તે તેના અગાપાંગનું છેદન કરે છે, માટે મારે પુત્ર કદાપિ થાય તેા અગાઉથી તેના પ્રબંધ કરવા ોએ, તેમ ધારી તેતલીપુત્ર પ્રધાનને ખેલાવી બાબસ્ત કર્યાં. હવે પાટ્ટીલાને (પ્રધાનની સ્ત્રી ) તથા પદ્માવતી એ અનેને સાથેજ ગર્ભ રહેલા. પાટ્ટીલાએ મૃત પુત્રીને જન્મ આપ્યા. અને પદ્માવતીએ જીવિત પુત્રને જન્મ આપ્યા. પદ્માવતીએ પુત્ર જન્મતાંની સાથેજ દાસી દ્વારા તેતલીપુત્રને લાવી પુત્રને સોંપ્યા. તેતલીપુત્ર ખાનગી રીતે પુત્રને લઈ ગયા અને પેાતાને ત્યાં જન્મેલી મૃતપુત્રી પદ્માવતીને સોંપી ઞયેા. રાજાને મૃતપુત્રી જન્મ્યાની ખબર આપી અને તેની નિવારણ ક્રિયા કરી. તેતલીપુત્રે રાજાનાં પુત્રને પેાતાને ઘેર લઈ જઈ પાટ્ટીલાને સોંપ્યા, અને સત્ય હકીકત કહીને ઉછેરવા કહ્યું. તે કુમારનું નામ ‘ કનકધ્વજ’ પાડવામાં આવ્યું. કુમાર બાલ્યાવસ્થા વીતાવી, ૭૨ કળા શીખી યૌવનાવસ્થાને પામ્યા અને આનંદ કરવા લાગ્યા.
કાળાન્તરે તેતલીપુત્રને પાટ્ટીલા સ્ત્રી પર અભાવ થયા. પાટીલા આત ધ્યાન ધ્યાતી શેાકમાં દીવસેા વીતાવવા લાગી. એકદા સુત્રતા નામના સાધ્વીજી પેટ્ટીલાને ઘેર વહારવા પધાર્યાં. પાટ્ટીલાએ નમસ્કાર કરી આનંદપૂર્વક દાન દીધું અને પૂછ્યું! અહીઁ આર્યજી, આપ કાઈ વશીકરણ મંત્ર મ્હને આપશેા કે જેથી મહારા પર કાપેલા સ્વામી મારા સ્વીકાર કરે ! આર્યાજીએ કહ્યું, હે દેવાણુપ્રિય! અમે વ્રતધારી આર્યાં છીએ; અમારે તે સંબંધી કંઈ પણ કહી શકાય