________________
૧૦૫
લેવી. પારણાના દિવસે મુઠી અડદના બાકળાને આહાર કર. ગોશાળે તે મુજબ કર્યું તેથી તેને તેજુલેશ્યા પ્રાપ્ત થઈ.
તેજુવેશ્યાનો તે દુરુપયોગ કરવા લાગ્યો. એકવાર પ્રભુને તેણે પૂછ્યું, ભગવાન ! આજે હું શેનો આહાર કરીશ ? ભગવાને કહ્યું, માંસનો ! પ્રભુનું વચન મિથ્યા કરવાને ગોશાળો એક ધનવાન શ્રાવકને ત્યાં ગયો. તેની સ્ત્રીને બાળક જીવતું ન હતું, તેથી કેઈએ તેને કહેલું કે માંસની ખીર બનાવીને કેઈ સાધુને વહોરાવે તે તારા પુત્રો જીવતા રહે. તેથી તે શેઠની સ્ત્રીએ તે જ દહાડે માંસની ખીર બનાવેલી. ગોશાળાનું આગમન થતાં તે ખીર તેણે વહોરાવી. ગોશાળા તે હસ્ત સંપટમાં લઈ ત્યાંજ ખાઈ ગયો. તે પછી તેણે પ્રભુ પાસે આવીને કહ્યું, ભગવાન, મેં તો ખીરનો આહાર કર્યો. ભગવાને કહ્યું, ખીરનો નહિં, પણ માંસને ! ગોશાળ ઉલ્ટી કરી તો માંહેથી માંસના કકડા નીકળ્યા. આથી ગોશાળા પેલા શેઠને ત્યાં ગયે.શેઠની સ્ત્રીએ સાધુના શાપના ભયથી મકાનનું બારણું બદલી નાખેલું. ગોશાળે ત્યાં ઘણું તપાસ કરી. પણ ઘરને પત્તો લાગ્યો નહિ. તેથી તે વધારે ક્રોધાયમાન બન્યા અને તેજુલેસ્યા મૂકીને તેણે આખો મહોલ્લો બાળી નાખે.
ગશાળાના આ દુષ્કૃત્યથી સર્વાનુભૂતિ અણગારને ખૂબ લાગી આવ્યું. તેથી તેમણે ગોશાળાને ઠપકો આપ્યો. ગોશાળાને ક્રોધ ચડ્યો અને અણગારને પણ તેજુલેસ્યાથી બન્યા. એકવાર પાર્શ્વનાથ પ્રભુના શિષ્યો ગોશાળાને મળ્યા. વાદવિવાદ થયો. ગોશાળે તેમના પર તેજુલેશ્યા છોડી; પણ તેમને તે સ્પર્શી શકી નહી. ગોશાળો ઠંડે થઈ ગયે. તેણે પ્રભુને પૂછયું, પ્રભુએ કહ્યું કે તેમનું તપોબળ ભારે છે. હારી તેજુલેસ્યાનો તું દુરુપયોગ કરે છે માટે તે ટકી શકશે નહી. ગોશાળાને આથી પ્રભુ પર રીસ ચડી. તેણે પ્રભુને કહ્યું કે તું છે માસમાં મરી જઈશ. પ્રભુએ જવાબ આપ્યો. હે ગશાલક, હું છ માસમાં નહિ ભરું પણ બીજાં સોળ વર્ષ સુધી જીવીશ. પણ તું સાત દિવસમાં પિત્તજ્વરથી પીડાઈને