________________
સર્વ હકીકત કહી, તે સાંભળી તેમની માતાએ કહ્યું. હે પુત્ર, કેઈએ હારા પુત્રોને ઘેરથી લઈ જઈને માર્યા નથી. પણ કઈ પુરૂષે તને ઉપસર્ગ આપ્યો છે અથવા કેઈ ભાયાવી દેવે તારી પરીક્ષા કરવા આમ કર્યું લાગે છે. માટે હે પુત્ર, હાર વ્રતનો આ રીતે ભંગ થયો છે; માટે પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થાઓ. ચુઘણું પીતાએ માતાનું વચન માનીને પ્રાયશ્ચિત લીધું. પછી તેમણે ૧૧ પ્રતિભા ધારણ કરી, કાળાતે સંથારે કરી, ચુલ્લણપીતા શ્રાવક કાળધર્મ પામીને સૌધર્મ દેવલોકમાં ગયા અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી, સર્વ દુઃખનો અંત કરી મેક્ષ ગતિને પામશે.
૯૦ ચુલ્લ શતક આલંબિકાનગરી, ચુઘણીશતક ગાથાપતી, બકુલા નામે તેમની સ્ત્રી. રિદ્ધિસિદ્ધિ કામદેવ શ્રાવક જેટલી જ. પ્રભુ મહાવીર પધાર્યા. ચુલણશતક વંદન કરવા ગયા. પ્રભુના ઉપદેશથી બુઝળ્યા અને બાર વ્રતધારી શ્રાવક થયા. મોટા પુત્રને ઘરનો કારભાર સોંપી ધર્મધ્યાન કરવા લાગ્યા. મધ્ય રાત્રે તેમને ધર્મથી ચળાવવા ભયંકર રૂપ ધારણ કરીને એક દેવ આવ્યો, અને ચુલ્લણપીતાની માફક તેના પુત્રને તેની સમીપ લાવી મારી નાંખ્યા, અને તેનું માંસ તળીને કકડા તથા લેહી તેના શરીર પર છાંટયું. છતાં ચુલ્લણીશતક જરા પણ ડગ્યા નહિ. આખરે દેવે તેનું તમામ ધન હરણ કરીને આલંભિકા નગરી ની ચોતરફ ફેંકી દેવાને ભય બતાવ્યો, તેથી યુદ્ધશતક ક્ષોભ પામ્યા અને દેવને પકડવા દોડયા. દેવ નાસી ગયો. કોલાહલ સાંભળી તેમની સ્ત્રી બહુલા દોડી આવી અને કેલાહલનું કારણ પૂછયું. ચુલ્લશતકે વાત જણાવી. તેની સ્ત્રીએ દેવતાનો ઉપસર્ગ છે, એમ કહેવાથી ચુલ્લણશતકે પ્રાયશ્ચિત્ત કર્યું. ચુઘણુશતકે ત્યારબાદ ૧૧ પ્રતિમા ધારણ કરી. અંતિમ સમયે સંથારે કર્યો અને એક ભાસને સંથારો ભોગવી કાળ કરીને તે પહેલા દેવલોકમાં ગયા, અને ત્યાંથી થવી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ જશે.