________________
૧૦૦
ચેતરફ નજર કરી, પણ સર્વત્ર શૂન્યકાર. મોડી રાત્રીએ સ્મશાનમાં કોણ હોય? તે આનંદ પામે. તરતજ આસપાસથી લાકડા વીણું લાવી અગ્નિ સળગાવ્યો. નજીકના એક તળાવ પાસે જઈ પલળેલી ભાટી લાવ્યું અને તે માટીથી ગજસુકુમારના માથા પર ગોળ ફરતી પાળ બાંધી. ત્યારપછી તેણે સળગેલાં લાકડામાંથી ધગધગતા અંગારા લાવી તે પાળની વચ્ચે મૂક્યાં. આ ભયંકર કામ કરી સોમિલ ત્યાંથી ભયભિત બની નાસી ગયો, અને ઘેર પહોંચી ગયો.
જેમ જેમ અંગારા બળતા જાય છે, તેમ તેમ વધુને વધુ વેદના ગજસુકુમારને થતી જાય છે. માથામાં મોટા મોટા ખાડાઓ પડતા જાય છે, તેમ તેમ ઉગ્ર વેદના મુનિને થતી જાય છે ! પણ મુનિને ક્યાં હાલવું ચાલવું છે? તે તો અદ્ભુત ક્ષમાની મૂતિ! માથાની ખોપરી તુટતી જાય છે, અને તડતડ અવાજ સંભળાય છે, તેમ તેમ ગજસુકુમાર પિતાના સોમિલ સસરાને ધન્યવાદ આપતા જાય છે, અને શુકલ ધ્યાનની અપૂર્વ ભાવના ભાવતા જાય છે; આમ અપૂર્વ ક્ષમાની અદ્દભુત જ્યોતિથી ગજસુકુમારના કર્મ બળીને ખાક થઈ ગયા અને અપૂર્વ કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત થયું. દેવોએ તે જાણીને ત્યાં પુષ્પોની વૃષ્ટિ કરી, દિવ્યગાનને નાદ કર્યો.
પ્રાતઃકાળ થયું. સૂર્યનારાયણે તે પિતાના અવિચળ નિયમ મુજબ સોનેરી કિરણે જગતપર પ્રસારી દીધાં. શ્રીકૃષ્ણ મહારાજા ચતુરંગી સેના સાથે પ્રભુને વંદન કરવા નીકળ્યા. રસ્તામાં એક વૃદ્ધ માણસને જે. જે એક ચણાતાં મકાનમાં એક પછી એક ઈટ લઈ જતો અને થાકથી નિરાશાને ઉગારો કાઢતો. આ વૃદ્ધ ડોસાને જોઈ શ્રીકૃષ્ણને દયા આવી. તેથી હાથીના હોદ્દા ઉપરથી ઉતરી શ્રીકૃષ્ણ એક ઈટ ઉપાડીને મકાનમાં મૂકી. તરત જ આખી સેનાએ એકેક ઈટ ઉપાડી મકાનમાં મૂકી, અને ડોસાનું કામ પૂરું