________________
७८
પ્રસુતિક્રિયા પેાતાને ત્યાં કરાવવાની માગણી કરી. વસુદેવે તે કબુલ રાખી. ત્યારબાદ દેવકીએ પ્રસવેલાં છ બાળકો દેવની માયાથી સુલસાને ત્યાં ગયા, અને સુલસાને જન્મેલાં મૃત બાળકો દેવકીને ત્યાં આવ્યા. હવે સાતમા પુત્રપ્રસવની કંસ રાહ જોવા લાગ્યા. તેણે ચાકીદારાને સખ્ત ચેતવણી આપી. પરન્તુ જેનું પુણ્ય પ્રબળ હોય અને ભાવિ નિર્માણ હોય તે કોણ મિથ્યા કરી શકે. યાગ એવા બન્યા કે ખરાખર સાતમે મહિને દેવકીએ સાતમા બાળક શ્રી કૃષ્ણને જન્મ આપ્યા. દેવાના પ્રભાવે ચાકીદારેા ઉંધમાં ધારતા હતા. દેવાએ તે કૃષ્ણ આળકને સાવધાનીથી ઉંચકી લીધા અને તેને લઈ જઈને ગોકુલ નામક ગ્રામમાં નંદ નામક ગાવાળને ત્યાં મૂકયા. ત્યાં કૃષ્ણ મેટા થયા અને કંસને વધ કર્યાં. પરન્તુ શ્રી કૃષ્ણ તે વખતે જરાસંઘની કથી પશ્ચિમ ભણી ચાલ્યા ગયા. ત્યાં દેવતાઓએ તેને માટે દ્વારિકાનગરી વસાવી આપી. સર્વ યાદવાએ તેમને રાજ્યાસને મેસાડી રાજા તરીકે સ્વીકાર્યાં. આ વાતની ખબર પડતાં પ્રતિવાસુદેવ જરાસંઘે કૃષ્ણ વાસુદેવ પર ચડાઈ કરી, પરન્તુ તેમાં જરાસંધ મરાયા. પછી બીજા દેશેા શ્રીકૃષ્ણે જીત્યા અને એ રીતે તે છ ખંડના અધિપતિ થયા. તે વખતે પાંડવા તેમના નિકટના સગા અને
સ્નેહીઓ હતા. તેમના વખતમાં શ્રી કૃષ્ણના કાકા સમુદ્રવિજય રાજાના પુત્ર શ્રી નેમનાથ તીર્થંકર થયા. શ્રી કૃષ્ણ પ્રભુ તેમનાથના અનન્ય ભક્ત હતા. શ્રીકૃષ્ણને રૂક્ષ્મણી, સત્યભામા, રાધા, પદ્માવતી આદિ ઘણી રાણીઓ હતી. તેમના નાનાભાઈ ગજસુકુમારે સગપણ કરેલી કન્યાને છેાડી, પ્રવાઁ લઈ, તપ કરવા સ્મશાનમાં વાસ કર્યાં હતા, ત્યાં તેમના સસરા સામિલ બ્રાહ્મણના ઉપસર્ગથી શ્રી ગજસુકુમારે મેાક્ષમાં વાસ કર્યાં. આ ખબરથી ભાઇના આ વેદનાજનક મૃત્યુથી શ્રી કૃષ્ણને ધણું લાગી આવ્યું. પેાતાનું મૃત્યુ કેવી રીતે થશે એ બાબત શ્રી તેમનાથને પૂછતાં પ્રભુએ શ્રી કૃષ્ણને કહ્યું કે–તારી દ્વારકાનગરી દેવના કોપે મળશે અને જરાકુવરના હાથે તારી મૃત્યુ થશે.