________________
૬૩ કસવ ગાયાપતિ. રાજગૃહ નગરમાં કાસવ નામને ગૃહસ્થપતિ રહે. તેણે ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. સોળ વર્ષ પર્યત શુદ્ધ ચારિત્રનું આરાધન કર્યું. ગુણ સંવત્સરાદિ મહા તપ કર્યો. અને છેવટે વિપુલ પર્વત પર અનશન કરી, કૈવલ્ય જ્ઞાન પામી મોક્ષમાં ગયા.
૬૪ કીતિવીર્ય. ભરત ચક્રવર્તી પછી અયોધ્યાની રાજગાદી પર છઠ્ઠો રાજા થયો તે કીર્તિવીર્ય. તેમના પિતાનું નામ બળવાય. કીતિવીર્યને ભરત મહારાજાની જેમ અરિસાભુવનમાં જ આત્માની અપૂર્વ શ્રેણિમાં પ્રવેશતાં કેવલ્ય જ્ઞાન થયું હતું. દેએ સાધુવેશ અર્પણ કર્યો અને પછી તેઓ ચારિત્ર અંગીકાર કરી મેક્ષમાં ગયા.
૬૫ કૃષ્ણરાણી. તે શ્રેણિક મહારાજાની રાણી હતી. તેનો પુત્ર, ચેડારાજા અને કોણિક વચ્ચેના યુદ્ધ સંગ્રામમાં ભરાયે, એ જાણું તેણે કાળી રાણીની માફક ભગવાન મહાવીરની દેશના સાંભળી દીક્ષા અંગીકાર કરી. તપમાં વડાસિંહની ક્રિયાને તપ કર્યો. ૧૧ વર્ષની સંયમ પર્યાયને અંતે તે કૈવલ્યજ્ઞાન પામી મેક્ષમાં ગયા.
૬૬ કૃષ્ણ વાસુદેવ. વસુદેવ રાજાની દેવકી નામક રાણુના તે પુત્ર હતા. તેમનો જન્મ તેમના મામા કંસને ત્યાં મથુરામાં થયો હતો. કંસને અતિમુક્ત મુનિએ કહેલું કે આ તમારી બેન દેવકીને જે સાતમે બાળક થશે, તે તને મારશે. આથી યુક્તિપૂર્વક વસુદેવને સમજાવી, દેવકીની