________________
પ્રભના ૧૮ મા વનું ચારિત્ર અને ૨૬ મા વર્ષે મેાક્ષગમનથી આશ્ચય પામી તેને ધન્યવાદ આપ્યા. આ વાચિત પવનજયે ગુપ્ત રીતે સાંભળી, પેાતાની પત્નિને પેાતાના ખલે ખીજાની પ્રશંસા કરતી સાંભળી, તેને અજના પર તિરસ્કાર થયા, અને લગ્ન કર્યાં ખદ તેના સહવાસથી અલગ રહેવાનો પવનજચે નિશ્ચય કર્યાં.
નિયત સમયે બંનેના લગ્ન થઈ ગયા. નવદંપતી અને પ્રહ્લાદ રાજા ચતુરંગી સેના સાથે રત્નપુરીમાં પાછા ફર્યાં. લગ્નસુખનો લ્હાવા લેવા ઈચ્છતી અંજના તે રાત્રિયે પતિ આગમનની રાહ જોતી બેડી, પરન્તુ વનજયે તેણીના મહેલમાં પ્રવેશ કર્યો નહિ. આમ એક એ ત્રણ ચાર એમ દિવસેા વિતતા ગયા, પણ પવનજયે અંજનાના મહેલમાં દિવસે કે રાત્રિયે પગ સરખાયે ન મૂક્યા. અજના ચિંતામગ્ન હતી. તેણી પવનજયના રાષનું કારણ જાણતી ન હતી.
એકવાર અંજનાના પિતાએ વસ્ત્ર, ઘરેણાં, મેવા મિઠાઈ આદિ વસ્તુ મેાકલી. અંજનાએ તે વસ્તુ દાસી દ્વારા પવનજયને મેાકલાવી; પરન્તુ પવનજયે તે જ ક્ષણે મેવા–મિઠાઈ ગાનાર ગવૈયાને આપી દીધી, ધરેણાં ચડાળને આપ્યાં અને વસ્ત્રના ચૂરેચૂરા કરી નાખ્યા. આ જોઈ દાસી અંજના પાસે આવી અને બધી વાત વિદિત કરી. અંજનાના શાકનો પાર ન રહ્યો. પેાતે પાતાના ભાગ્યને દોષ દેવા લાગી અને પતિદેવનું હંમેશ શુભ ચિંત્વન કરતી ધર્મધ્યાનમાં વખત વ્યતિત કરવા લાગી.
પતિ વિચાગમાં આ રીતે ખાર વર્ષના વહાણા વાઈ ગયા. એકવાર લકાના રાજા રાવણના દૂત રત્નપુરીની રાજસભામાં આવ્યા અને પ્રહ્લાદ રાજાને કહ્યું, કે દુષ્ટ બુદ્ધિ વરુણ અમારા રાજાને તાખે ન થતાં, યુદ્ધ કરવા માગે છે, તે આપ લશ્કર લઈ વેળાસર મદદે પધારા. પ્રહ્લાદ રાજાએ કબુલ કર્યું અને લશ્કર એકઠું કરવા માંડયું.