________________
૬૩
તેને કાણુ લઈ જાય છે તે જોવા સારૂં તે ઝાડની એથે છુપાઈ ને ઉભી રહો. તેવામાં એક ચંડાળ ત્યાં આવ્યા અને આ બાળકને લઈ ગયા. છાની રીતે પદ્માવતી ચંડાળનું ઘર જોઈ આવી અને ત્યાંથી ઉપાશ્રયમાં આવી. તેણે સાધ્વીજીને કહ્યું કે બાળક મરેલું અવતર્યું, તેથી હું તેને સ્મશાન ભૂમિમાં મૂકી આવી છું. પુત્ર પ્રેમને વશ થઈ પદ્માવતી સાધ્વી રાજ પેલા ચંડાળને ત્યાં જાય અને પુત્રને રમતા જોઈ આનંદ પામે.
હવે આ પુત્ર દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા જાય છે. તેને ખરજવાનું દરદ થયું હતું, તેથી વારવાર તે પેાતાના શરીરને હાથથી ખણ્યા કરે, તેથી તેનું નામ કરકડુ પાડયું. કરકડું સ્મશાન રક્ષકનું કામ કરતા. એકવાર એ સાધુ તે રસ્તે થઈ ને જતા હતા, તેમાંના એક સાધુ જ્ઞાની હતા, તેમણે કહ્યું. જો કોઈ માણસ આ વાંસની ઝાડીમાંથી પેલા ઉભા વાંસને કાપી લે તે તે રાજા થાય, આ શબ્દો કરક ુએ સાંભળ્યા, તેમજ ચંપાનગરીનો એક બ્રાહ્મણ તે ઝાડીમાં એઠેલે, તેણે પણ સાંભળ્યું. કરક ુ એકદમ તે ઝાડી પાસે દોડી ગયેા પણ તે પહેલાં પેલા બ્રાહ્મણે તે વાંસ કાપી લીધા. કરક ુ આથી ગુસ્સે થયા. અને તેણે તે વાંસ બ્રાહ્મણ પાસેથી છીનવી લીધા. બ્રાહ્મણે ગામમાં જઈ પંચ ભેગું કરી ન્યાય માગ્યા. પચે કરક ુને એલાવી દંડ આપી દેવાનુ કહ્યું. કરક ુએ કહ્યું કે વાંસ નહિ મળે, કેમકે અમારી રખેવાળી છે. પંચે કહ્યું, તને લાકડી આપવામાં શે। વાંધા છે ? આ બિચારા બ્રાહ્મણ છે તે આપી દે ને? કરકડુ મેલ્યેઃ– આ જાદુઈ લાકડી છે, તે ન અપાય. કારણ કે આનાથી તે। મને રાજ્ય મળવાનું છે. આ સાંભળી સધળા બ્રાહ્મણેા હસીને મેલ્યાઃ એમ છે તે! ભલે તું રાખ, પણ તને રાજ્ય મળે તે આ બિચારાને એક ગામ આપજે હા.
અરે ! એકના બદલે એ ગામ આપીશ. ચિંતા શીદને કરેા છે। ?