________________
૧૩
અહિં અંજનાને એક મુનિનાં દૃન થયાં. તે આનંદ પામી. મુનિ તેનો ભાગ્ય રવિ થાડા વખતમાં પ્રકાશશે એમ કહી હિંમત આપી વિદાય થયા. સાથે વસંતતિલકા દાસી હતી, તેણે પિયરમાં જવાનું અંજનાને કહ્યું, પણ એવી કલંકિત દશામાં પિયરના આશ્રય લેવાનું અંજનાને ચેાગ્ય ન લાગ્યું. પણ વસંતતિલકાના આગ્રહથી તેઓ કષ્ટ સહન કરતાં કરતાં મહેન્દ્રગઢમાં આવ્યા અને દ્વાર રક્ષક મારફત પાતાના આગમનના સમાચાર કહેવડાવ્યા. કાળાં વસ્ત્ર પરિધાન કરીને આવેલી અંજનાના સમાચાર સાંભળી મહેન્દ્ર રાજાને અંજના વ્યભિચારિણી હાવાની શંકા આવી. તે સાથે રાણીએ પણ અંજનાના દુર્ભાગ્યે સાક્ષી પૂરી કે એમજ હશે, નહિ તે આજે ખરખર વર્ષથી પવનજય તેનો ત્યાગ શા માટે કરે ? પિતા અને માતાએ એકની એક પુત્રી અંજનાને આશ્રય ન આપ્યા. તેમણે કહાવ્યું કે એવી કલક્તિ પુત્રીનું મ્હારે કામ નથી. ’અંજના ખેદ પામી ત્યાંથી ભાઈ ભાજાઈ આને દ્વારે ગઈ, ત્યાં પણ તેણીને કોઈએ સંધરી નહિ, અ ંતે તે દાસી સાથે ભાગ્યને દોષ દેતી પુનઃ જંગલમાં આવી, અને એક ગુફાનો આશ્રય લઈ ધર્મ ધ્યાનમાં સમય વીતાવવા લાગી. અજનાએ અહિં એક તેજસ્વી પુત્ર રત્નનો જન્મ આપ્યા. ઘેાડાક વખત બાદ પ્રતિસૂ` નામનો હનુરૂહ નગરનો રાજા, જે અજનાનો મામા થતા હતા, તે ફરતા ફરતા અહિં આવી ચડયા. તેણે અંજનાને ઓળખી, અને પેાતાને ત્યાં લઈ ગયા. કુમાર હનુરૂહમાં ઉૌ એટલે તેનું હનુમાન એવું નામ પાડયું.
"
અરાબર બાર માસ યુદ્ધ ચાલ્યું તેમાં પવનજયે વરૂણને પરાજય આપ્યા. ધેર આવી અંજનાને ન દેખતાં તેણે માતાપિતાને પૂછ્યું. અંજનાના દુઃખદ સમાચાર મળતાં તેના શાકનો પાર ન રહ્યો. ચેાતાના પૂર્વાંગમનની વાત કહી, માતા પિતાને ઠપકો આપ્યો અને અંજના ન મળે ત્યાં સુધી તેણે ખાવા પીવાની પ્રતિજ્ઞા કરી. ચારે