________________
તેણે નાટક બતાવ્યું. નાટકના મેહમાં ગુરૂ લેભાયા, અને એ રીતે નાટક જોવામાં છ માસ વીતી ગયા, પણ ગુરુને કાંઈ જ્ઞાન થયું નહિ. દેવે વિચાર કર્યો કે મારા પૂર્વ ગુમાં દયાને અંશ છે કે નહિ ? એ મારે જોવું જોઈએ. એમ વિચારી તેણે નાટક પૂરું કર્યું. ગુરૂ પિતાના ઘર તરફ આગળ વધ્યા. ત્યારે દેવે ધરેણાથી લાદેલાં એવાં છ બાળકે વિકુવ્ય અને ગુરૂની સામે મોકલ્યાં. બાળકનાં શરીર પરનાં ઘરેણાં દેખી ગુરૂ લોભાયા; અને તેમને એકાંતમાં લઈ જઈ નામ પૂછયાં. છએ બાળકેએ “પૃથ્વી, અપ, તેલ, વાયુ, વનસ્પતિ અને કાય” એમ અનુક્રમે પિતાના નામ કહ્યાં. મુનિએ વિચાર્યું કે મેં છકાયની દયા ઘણી પાળી, પણ કાંઈ દીઠું નહિ. એમ કહી ગુરૂએ તે છએ બાળકને મારી નાખ્યા અને તેમનાં શરીર પરનાં ઘરેણાં ઉતારી, ગેળીમાં મૂક્યાં. આ જોઈ શિષ્યદેવે વિચાર્યું કે ગુરૂમાં દયાને અંશ પણ રહ્યો લાગતો નથી. માટે હવે તેમનામાં શરમ રહી છે કે કેમ, એ મારે જોવું જોઈએ. એમ ધારી તે દેવે એક શ્રાવક સંધ ઉત્પન્ન કર્યો. બે ચાર અગ્રેસર શ્રાવકે અષાડભૂતિ પાસે આવ્યા અને તેમને
મFએણું વંદામિ' કહી નમી પડયા અને બેલ્યા કે—ગુરૂદેવ, ભિક્ષાની વેળા થઈ છે, માટે કૃપા કરી અમારા ઉતારે પધારે, કેમકે અમારે મુનિને વહરાવ્યા પછી જ જમવાને નિયમ છે. પાત્રમાં ઘરેણાં ભરેલાં હતાં તે બીકથી ગુરૂએ સહેજ ભયભીત થતાં કહ્યું કે મારે ભિક્ષા જોઈતી નથી. શ્રાવકેએ ઘણે આગ્રહ કર્યો, પરંતુ ગુર માન્યા નહિ, એટલે શ્રાવકોએ ગુરૂની ઝેળી પકડી, રકઝક કરતાં અનાયાસે ઝોળી છુટી ગઈ, અંદરના ઘરેણાં ઉઘાડાં થયાં. ગુરૂ શરમિંદા બન્યા. એટલે શ્રાવકે એક પછી એક કહેવા લાગ્યા કે આ તે મારા પૃથ્વી નામના બાળકનાં ઘરેણાં છે, બીજે કહે, આત મારા “અપ” નામનાં બાળકનાં છે. એમ કહી ગુરૂને ધમકાવતાં કહેવા લાગ્યા કે મહારાજ ! આટલા બધા નિર્દય કેમ બન્યા? બતાવે, અમારાં બાળકે ક્યાં છે ? ગુરૂને આથી ઘણે ખેદ થયે. દેવે જોયું