________________
૩૩૯૦૦૦ શ્રાવિકાઓ હતા. સાધુઓમાં ૪૦૦ ચૌદપૂર્વધારીઓ, ૧૫૦૦ અવધિજ્ઞાની અને ૧૫૦૦ કેવળી હતા. પ્રભુએ પર૬ સાધુઓ સાથે ગીરનાર પર અનશન કર્યું અને અશાડ શુદિ ૮ના રોજ તેઓ નિર્વાણ પામ્યા. શ્રી નેમિનાથ ૩૦૦ વર્ષ કુમારપણે રહ્યા. ૭૦૦ વર્ષની દીક્ષા પાળી, એકંદર એક હજાર વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું.
૨૮ અક્ષોભ એ અંધક વિનું અને ધારિણીના પુત્ર હતા. તેઓ આઠ સ્ત્રીઓ પરણ્યા હતા. શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી અને સ્થવર પાસે ૧૧ અંગ ભણ્યા. બાર વર્ષ ચારિત્ર્ય પાળ્યું. ૧ માસનું અનશન કરી તેઓ શત્રુંજય પર સિદ્ધ થયા. (અંતકૃત)
૨૯ અહંન્નક શ્રી મહિનાથના સમયમાં ચંપાનગરીના કેાઈ ધનશ્રેષ્ઠિને તે જૈનધર્મી શ્રાવકપુત્ર હતા, જીવ, અછવાદિ નવતત્ત્વને જાણ હતો. તે અહંન્નક એક વાર ચાર પ્રકારનાં કરિયાણું (૧ ગણત્રી બંધ વેચાય તેવાં ૨ તળીને વેચાય તેવાં, ૩ ભરીને–માપીને વેચાય તેવાં, ૪ પરખ કરીને વેચાય તેવા) ભરી, સ્વજન કુટુંબને જમાડી-રજા લઈ દેશાવર જવા નીકળ્યો. લવણ સમુદ્રમાં ઘણે દૂર ગયા પછી એકાએક વાવાઝોડાંનું તોફાન થયું. તેમાં એક મિથ્યાત્વી દેવ, પિશાચનું રૂપ ધરી વહાણ તરફ ધસી આવ્યો. આ જોઈ અહંન્નક સિવાયના બાકીના બધા લેકે ભયભીત બન્યા. અહંસક નિર્ભય બની વહાણુના એકાંત ભાગમાં જઈ બેઠે, અને અરિહંત તથા સિદ્ધની સ્તુતિ કરી નિશ્ચયપૂર્વક મને ગત બે -કે જે હું આ ઉપસર્ગથી બચું, તે મારે કાયેત્સર્ગ પાળ, નહિ તે મારે જીવનપર્યત ચારે આહારના પ્રત્યાખ્યાન, એ રીતે એણે ત્યાં સાગારી સંથારે કર્યો. અને પંચ પરમેષ્ટિના