Page #1
--------------------------------------------------------------------------
________________
asalace
లో
lovયભિrg
.
enoce
2000 000. CO.. 0000
0000
dain Education Internatio a
For Private
oma
se Only
Page #2
--------------------------------------------------------------------------
________________
श्री
ભ
સાહિત્ય
કલા સભ્ય
દ્રષ્ટ
વિક્રમાદિત્ય હેમુ
જયભિખ્ખુ
Page #3
--------------------------------------------------------------------------
________________
૮૯૧-૪૭૩
જયભિખુ
જયભિખુ, ઉ૫. (= બાલાભાઈ વેરચંદ દેસાઈ ૧૯૦૮–૧૯૬૯)
વિક્રમાદિત્ય હેમુ, આ. ૪, ૧૯૭૩
* પ્રકાશક :
© પ્રતિમા કે દેસાઈ કુમારપાળ દેસાઈ
ચોથી આવૃત્તિ માનદ મંત્રી : શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ ચંદ્રનગર સોસાયટી, પંકજ સોસાયટી પાછળ જયભિખુ માર્ગ, આનંદનગર,
અમદાવાદ-૭ * મુખ્ય વિતા
કિંમત : ૭–૭૫ અભિનવ પ્રકાશન C/o, આદર્શ પ્રકાશન
કુલ પૃષ્ઠસંખ્યા : ૩૯૨ ઈટાલિયન બેકરી આગળ, રાયખડ રોડ, ભદ્ર, અમદાવાદ–૧ મુદ્રક : દિનકરરાય અંબાશંકર ઓઝા શ્રી અંબિકા પ્રિન્ટરી આરટાડીઆ, ઢાળની પોળ, ઉપલી શેરી સામે.
અમદાવા૩-૧ * આવરણ : દીપક પ્રિન્ટરી, રાયપુર દરવાજા પાસે, અમદાવાદ-૧
Page #4
--------------------------------------------------------------------------
________________
નિવેદન
શ્રી જયભિખુની અત્યંત લોકપ્રિય નીવડેલી નવલકથા વિક્રમાદિત્ય હેમુ” એ શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટનું નવમું પ્રકાશન છે. પ્રથમ વર્ષાનાં પાંચ પુસ્તકોમાંથી “લેહ અને પારસ’ તથા “દષ્ટ અને સ્ત્રષ્ટા” અપ્રાપ્ય બની ગયાં છે તે બતાવે છે કે ટ્રસ્ટનાં પુસ્તકોને કેટલે મોટો કાદર મળેલ છે. શ્રી જયભિખુ ટ્રસ્ટનાં બીજા વર્ષના પુસ્તકોમાં “અખ નાની આંસુ મોટું” અને “ભગવાન મહાવીર ' તથા શ્રી કુમારપાળ દેસાઈનું સરકારી પારિતોષિક પામેલું ‘બિરાદરી” એમ ત્રણ પુસ્તક પ્રગટ થઈ ચૂક્યાં છે. “વિક્રમાદિત્ય હેમુ” એ શ્રેણીમાં ચોથું આવે છે.
ઇતિહાસમાંથી સત્યની કણીઓને ઉપાડી લઈ, કલ્પનાની છાપ ઉપર મઢી કથાનું આકર્ષણ જમાવવાની અનોખી શૈલી સ્વ. જ્યભિખુને સિદ્ધ હતી. તેનાં ઉત્તમ પરિણામરૂપે હેમુ અને દિલ્હીશ્વર
અકબરશાહનું તેમણે સર્જન કર્યું છે, જે આપણું સાહિત્યમાં તેમના નેધપાત્ર અર્પણરૂપ છે.
સાહિત્યરસિક વાચકોને આ પુસ્તક સુચશે એવી અમને શ્રદ્ધા છે.
ધીરુભાઈ ઠાકર
: દ્રસ્ટી : શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ
Page #5
--------------------------------------------------------------------------
________________
મમતાની મીઠી વીરડી સમાં ભાઈશ્રી રતિલાલ દીપચ દેસાઈને ભાભીશ્રી મૃગાવતી રતિલાલ દેસાઈ ને
સાદર સસ્નેહ
સમ`ણુ
ન
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
(પ્રથમ આવૃત્તિ)
"
વર્ષાની આકાંક્ષાની બહુ મેાડી મેડી પણ સિદ્ધિ થાય છે. એ એક આનંદને વિષય છે. એક તસવીર્~~અમારાં ન્યાયશાસ્ત્રનાં સહાધ્યાયી તે અ ંગ્રેજીનાં શિક્ષિકા જન વિદુષી ડૉ. શારલેાટે ક્રાઉઝેએ ( જેમને અમે • સુભદ્રાબહેન ' ના વહાલસાયા નામથી સ ંખેાધતા ) લીધેલી-જૂની ને જરિત થયેલી તસવીર—આજે મારા ચિત્રસ ંગ્રહમાં નજરે ચઢે છે, તે એ જૂનું–પુરાણું દૃશ્ય નજર સમક્ષ ખડુ' કરે છે. વીસ વીસ વર્ષ પહેલાં ગ્વાલિયર રાજ્યમાં આવેલ શિવપુરી ગામની એક પાઠશાળાના કિશારા કેટલાક સ`વાદ ભજવતા હતા. એમાં એક સવાદ હતા, હેમુરાજ ” તેા. હિંદી ભાષામાં ત્રણ બાળકા એ સંવાદ ભજવતા. એક હેમુ થતા (મારા મામા ચુનીલાલ શિવલાલ ગાંધી ), એક રજપૂત સરદાર થતા (મારા મેટા ભાઈ રતિલાલ દીપચંદ દેસાઇ), તે લેખક પેાતે હેમુજીને સમજાવનાર અનંતાનંદ સાધુ (આ ગ્ર ંથના જતિજી) થતા. આ સંવાદ પ્રશંસાને ભાગી અનેલા, ને અમારા પ્રવાસે। દરમિયાન મદ્રાસ, એગ્લાર ને મુંબઈમાં દ્વારા પ્રેક્ષકો સમક્ષ ભજવાયેલા. એ વખતના હેમુરાજના શબ્દો મૈં આટા રાજ લેખને વાહા ચનિયા ' વર્ષોથી કર્ણમાં ગુ ંજ્યા કરતા
'
.
"C
Page #7
--------------------------------------------------------------------------
________________
હતા. વાણિયા એટલે વેપારી, આટાદાળ જ વેચે, એ જગતૂતી માન્યતા ! પણ આ કાળવેપારી હેમુજી કાણુ હશે ને કેવા હશે, એ વિષે મનમાં કઈ કઈ ઊર્મિ એ એ કાળથી આવ્યા કરતી.
એ વેળા સ્વપ્ને પણ ખ્યાલ નહેાતા કે મા શારદા, મારા જેવાને કલમવી સર્જશે; પણ ન ધાયુ તે બન્યું, અને મને પદ્મન—પાઠનની પડિતાઈ છેડાવી, કલમને શરણે મૂકી, નમ્ર લેખક સર્જ્યોર્જ્યો. સુષુપ્ત ઊર્મિ'એ જાગ્રત બની. મતે હેમુજી યાદ આવ્યા. હું ઇતિહાસ ઉથલાવવા લાગ્યા, પણ જેમ જેમ શેાધ કરતેા ગયા, તેમ તેમ નિરાશા સાંપડતી ગઈ. ઇતિહાસમાં જાણે હેમુરાજ હતા જ નહીં, છત! મેં પ્રયાસ જારી રાખ્યા. મેાડી મેાડી પણ આખરે મારા યત્નને પરિમિત સિદ્ધિ સાંપડી.
ઇતિહાસના ગાઢ અરણ્યમાંથી વિક્રમાદિત્ય હેમુને હું શોધી લાવી શકયો. પણ સ્થિતિ વિચિત્ર હતી. કાઈ ઇતિહાસકાર પાંચ પ`ક્તિમાં એમનુ જીવન પતાવતા, કાઇ પદમાં, તે। ચાર પ ંક્તિથી વધુની જરૂર ન જોતા. કંઈ કેટલા વાદવિવાદ, કાંઈ કેટલા મતમતાંતર, ક કેટલાં હિંદી, અરખી, ફારસી ને અ ંગ્રેજી લેખકાનાં લખાણુ. કેટલેક સ્થળે તે। મજહબી લેખકેામાં શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી' જેવી સ્થિતિ ! એક મુસ્લિમ તવારીખકારથી વળી બીજો મુસ્લિમ ઇતિહાસનવેશ કઈક જુદુ' જ વિધાન કરે, અને તેવી જ રીતે હિંદુ તે અંગ્રેજ લેખકો પણ.
:
છતાંય એ જાળાંવાળાંમાંથી હેમુરાજને શોધતાં શોધતાં દિલદિલાવારીના ત્રણ નમૂના હાથ ચઢી આવ્યા; એક શેરશાહ, ખીજા હેમરાજ ને ત્રીજા અકબરશાહ ! એક જ માળાના જાણે ત્રણ મણકા ! એક અફધાન, બીજો જૈન વાણિયા, ત્રીજો મેાગલ; પણ ગુણેાના વારસામાં જાણે એક પરપરા જેવા લાગે. ત્રણેને નિખાલસ રીતે આદ હિન્દી રાજવી ગણી શકાય; નિઃસ ંકોચ રીતે ભૂતકાળના
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રતાપી રાજવીએ હુ કે ભોજની કક્ષામાં મૂકી શકાય. એમને હૈયે હિન્દનુ હિત, હિન્દી પ્રજાનેા ઉત્સ, ને અદલ ઈન્સામાં કાર્ય મજહબી પાગલપનને નિતાન્ત અભાવ! ન કાઈ વાદ, ન કોઈ ભેદ, ન કેાઈ દ્વેષ. એમણે પેાતાનુ સુચરિત વન અહીં ગુજાર્યું, અહીંના થઈ તે રહ્યા તે મર્યા પછી પણ આ ભૂમિની માટી પર જ સૂવા માટે પેાતાના પ્રખ્યાત મકબરા પેાતાના હાથે જ અહીં બાંધ્યા. સમન્વય, સહકાર, સહાનુભૂતિના જાણે એ યુગના પયગંબરા ! ક્રાણુ મુસ્લિમ, કાણુ હિંદુ, કાણુ ખ્રિસ્તી, જાણે સહુ એક જ મહાસાગરનાં મીન ઇતિહાસને મારા આપાતળા
અભ્યાસ મને તેા સ્પષ્ટ
કહી રહ્યો છે કે રાજકારણમાં ધર્માંતે સદા સગવડિયા ઉપયેગ થયેા છે. રાજકારણ પક્ષ માગે છે, ન કે ધ! ધર્માંથી પક્ષ ઊભા થતા હોય તે ભલે ધમ રહે! અને આનું જ કારણ છે કે મુસલમાતાએ હિન્દુઓ પર જેટલે કેર વર્તાવ્યેા છે તેટલા અથવા પ્રસંગ મળે તેથી પણ વધારે કેર, એક અધાન શાહે પ્રતિપક્ષી મેાગલ શાહ પર વર્તાવ્યા છે. એક જ માબાપનાં સંતાનેાએ પરસ્પર કત્લેઆમ રચી છે. ધર્મનું શરણુ ઘણાએ લીધું ખરું, પણ એ કેવળ સગવડને ખાતર જ ! એ ધી પૂતળાંએને ભાઈભાંડુ કે માબાપની કત્લ કરતાં શરમ નથી આવી! ત્યાં તેમના ધર્માં, મજહબ શરમાતા કે કરમાતા નથી. ભયકર કત્લેઆમેના આંકડાઓ મેળવવા એસીએ તે। કદાચ એક મુસ્લિમ વિજેતાએ ખીજા મુસ્લિમ બાદશાહના સૈન્યની જેટલી કત્લા કરી હશે, એથી એક મુસ્લિમ વિજેતાએ જિતાયેલી હિંદુ પ્રજાની આછી કલ કરી હશે.
રાજશેતરંજ ન્યારી ચીજ છે. મહમદ ગજનવી જેવા વિજયી સુલતાનના સેનાપતિ તિલક હિન્દુ હોય, હેમરાજના સેનાપતિ શાદીખાન મુસ્લિમ હાય, એ ઘટનાએ જ બતાવે છે કે આજે આપણે જેને નવી રાશની કહીએ છીએ તે સાચી રાશની નથી. વસ્તુપાલ તેજ
Page #9
--------------------------------------------------------------------------
________________
પાલ જેવા પ્રચંડ જૈન વીરા મસીદે બંધાવે, મક્કાની હજ માટે વ્યવસ્થા કરી આપે, કાશ્મીરના જૈનુલ આબિદીન જેવા સુલતાને હિંદુ મંદિરના પુનરુદ્ધાર કરાવે. એ ઘટનાઓ બીનાએ અપવાદ માત્ર નથી. એ પણ કંઈક આત્મવિમર્શ અવશ્ય માગે છે. ચુસ્ત મુસ્લિમ બાદશાહ મહમદ ગજવીના સિક્કા (રાજમુદા) પર સંસ્કૃતમાં નાગરી ભાષામાં લેખ હોય ને ચુસ્ત મુસ્લિમ શેરશાહના સિક્કા પર સ્વસ્તિકની છાપ હેય, એ જ બતાવે છે કે જેવા અણભરોસા ને અવિશ્વાસ આજે રખાય છે તેવા પહેલાં નહેતા. ઈદ ને દિવાળી હિન્દુ-મુસ્લિમ બંનેના તહેવાર હતા, એ તો હજી આપણી આંખે દેખી ગઈ કાલની વાત છે.
મારી નમ્ર માન્યતા છે કે, હિન્દુ-મુસ્લિમ મારામારીનું કારણ પાશ્ચાત્ય સંસ્કૃતિનું આપણને મળેલું કટુ ફળ છે; મગરિબી રોશનીની માયાનું એ સંતાન છે. સાચા ધર્મને વિસારી ધર્મઝનૂનમાં મત બનેલા આપણે, નાની નાની વાતોમાં અસહિષ્ણુ બન્યા છીએ, પાગલ બન્યા છીએ. એક જ ભૂમિ, એક જ હવા ને પાણી પર જીવવાનું હોવા છતાં જાણે એકબીજાને પરદેશી પરદેશી લાગીએ. જાણે આપણું ઘર આપણું નથી. આપણા પૂર્વજોની ભૂમિ જાણે આપણી નથી. એ માયાદેવીને જ પ્રતાપ છે, કે એકબીજાના સમાન સ્વાર્થની ભૂમિકા પર ખડા હોવા છતાં સમન્વયનાં સુંદર તોને આપણે એકઠાં થવા દેતા નથી. * આટલે માત્ર ઉલ્લેખ કરી બાકીની વાત નવલકથા કહે એ જ ઉચિત લેખાશે.
છેલ્લે છેલ્લે વિક્રમાદિત્ય હેમુ વિષે બે શબ્દો લખવા ઉચિત લેખાશે. ઈ. સ. એક હજારની સાલમાં બાદશાહ મહમૂદ ગજનવી ને શાહબુદ્દીન ગોરીના તેજીલા તોખારોએ આર્યાવર્તની ભૂમિ પર દાબડા
આ વિષયમાં વધુ સમજવા માટે લેખકની લખેલ “સોમનાથનાં કમાડ” નામની વાત “ માદરેવતન” નામના પુસ્તકમાંથી વાંચવા ભલામણ છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
'
દીધા. જે સિંહાસન પર યુધિષ્ઠિર, અનંગપાલ કે પૃથ્વીરાજ હતા, એ ઇંદ્રપ્રસ્થ—દિલ્હીના સિંહાસનેથી છેલ્લે હિન્દુ રાજા ગારી ખાદશાહના હાથે ખત્મ થયેા; એટલું જ નહિ, પણ રાજા પૃથ્વીરાજ તે રાઠાડવીર જયચંદ તેના સ્વદેશવાસભ્યના કરુણ અંત પછી, ભારતવર્ષને ભાગ્યેાદય આથમ્યા. પ્રવેશદ્વાર સમા પંજાબમાં વસતા ક્ષત્રિય વીરે પણ રાજે રાજના યુદ્ધથી થાકયા તે સલામતી શેાધતા પીછેહઠ આદરી રજપૂતાનામાં આવી વસ્યા. એમણે પરદેશીએ માટે પ્રવેશદ્વાર ખુલ્લાં મૂકવ્યાં.
શાહબુદ્દીન ગારી સામે મરણિયા જંગ ખેલનાર રાજા પૃથ્વીરાજ ને રાજા જયચંદ બને દેશભક્ત હતા. એકે રણુમાં આત્મસમર્પણ કર્યું, એકે ગંગાના અગાધ જળમાં સમાધિ લીધી. ગણેા તે બંને દેશભક્ત હતા, તે ન મા તે! ખ'ને દેશદ્રોહી હતા.× પ્રવેશદ્વાર પર જ્યારે દુશ્મનના ભય તેાળાઈ રહ્યો હતા ત્યારે બન્ને જણા ચક્રવતી પદની અસૂયામાં ચકચૂર પડવા હતા. ચૌહાણુકુલ સમ્રાટ બને કે રાઠોડકુલ એ જ કકાસે બંનેને એક ન કર્યાં, ને એમનું અનૈકષ ભારતવર્ષ પર ધા સમાન થયું. પછી તેા જાણે અગ્નિની જ્વાલા જેવા ક્ષત્રિયા તખા જેવા બન્યા. ન એ તણુખાથી તેજ વેરાયું કે ન આગ સળગી ! પાણીની પ્રચંડ રેલ સામે ક્ષણુસર ઝગીને મુઝાઈ ગયા.
રાજા પૃથ્વીરાજની સાથે દિલ્હીની ગાદી પરથી હિન્દવી રાજા ગયેા. અરખી તેાખારા હિન્દની ભૂમિને વધુ ને વધુ દાબતા ચાલ્યા. હિંદુ ચક્રવતી પદ જાણે સદાને માટે મેધાચ્છાદિત બન્યું. દિલ્હીનુ સિંહાસન ખાલી પડયુ.. લાગવાના દાનવીર્ સુચરિત બાદશાહ
"
× ઇતિહાસકારા જયચંદ્રના દ્રોહને ને સંયુક્તાના પ્રેમપ્રસંગને કવિકલ્પના તરીકે સ્વીકારે છે. સેાળમી સદીમાં રચાયેલ “ પૃથ્વીરાજરાસા’ ના કર્તાએ કાવ્યરસ જમાવવા આ પાત્રોને ઉપયોગ કરેલ છે. રાઢાડવીર જયદે રાજસૂય યજ્ઞ કર્યાં હતા ને તેણે કદી પણ દેશદ્રોહ કર્યાં નહેાતા.
Page #11
--------------------------------------------------------------------------
________________
કુતુબુદ્દીન ઐબકે હિંદમાં પ્રથમ મુસ્લિમ પાદશાહી સ્થાપી, ને તે કાળથી સાર્વભૌમ ચક્રવર્તી પદ હિદુરાજાઓના ભાગ્યમાંથી આથમ્યું. આ મેઘલી રાતમાં વીજળીનો એકાદ સળવળાટ થયો. મહારાજ વિક્રમાદિત્ય હેમુ દિલ્હીશ્વર બન્યા. મડેવરના જૈન શ્રાવકના પુત્ર, જેનપુરની નિશાળના શેરશાહના સહાધ્યાયી ને પાછળથી દિલ્હીના એક ઝવેરી; એમને એક જતિજીએ પ્રેરણાનાં અમૃત પાયાં. એ વેળા દરેક ધર્મના અગ્રગણ્ય પુરુષો રાજ્યાશ્રમ માટે ખૂબ પ્રયાસ કરતા, પિતાનાં વિદ્યા, તપ, આત્મબળ વગેરેથી રાજાઓને રીઝવી ધર્મને પ્રચાર કરવામાં કૃતકૃત્યતા માનતા. ઝવેરી હેમરાજજી જુદી માટીના માણસ હતા. બીજ–ભૂમિ બધું તૈયાર હતું. અમૃત સિંચાયું કે એ પૃથ્વી ફાડી ઊગી નીકળ્યું. વર્ષાને અનુભવ, રાજશેતરંજની મુસદ્દીવટ ને પ્રચંડ યુદ્ધકળાના એ નિષ્ણાત હતા. એમની ગજસેના સુખ્યાત હતી. પ્રચંડ વિધાતક બળોને નાથવાની–નમાવવાની મૃત્યુંજય શક્તિ એમને સ્વાધીન–વશવતી હતી.
સોળમી સદીના એ યુદ્ધદેવતા હતા. એમનાં સ્વપ્નાં મહાન હતાં, પણ ઈતિહાસમાં બનતું આવ્યું છે કે મહાન સ્વપ્નને સદા એક નાનાશા અકસ્માતે મિટાવી નાખ્યાં છે. અજાણી દિશામાંથી આવેલા એક તીરે બધી બાજી ઊંધી વાળી. અકબરશાહના હાથે બેભાન હેમુછ કલ્લ થયા. આદર્યા અધૂરાં રહ્યાં-ઘણાનાં રહ્યાં છે તેમ. પ્રારબ્ધ અવળું ન હેત તો પુરુષાર્થમાં બીજા ચક્રવત થવાનું સામર્થ્ય હેમરાજજીમાં હતું. એમ બન્યું હોત તો...
પણ એ વિચાર માનવી સીમાથી પાર છે. - કુદરતને જે મંજૂર હતું તે થયું. જે વેલ પર જે ફૂલ ખીલવાનું એને ગમ્યું તે ખીલવું, શેરશાહ-હેમરાજ જેવાં અમૂલખ પુષ્પો ખેરવીને અકબરશાહ જેવું એક સહસ્ત્ર પાંખડીવાળું વિવિધરંગી ફૂલ
Page #12
--------------------------------------------------------------------------
________________
એ જ ભૂમિકા પર ખડું કર્યું, એમ આ બધું આકસ્મિક પણ જાણે વિધિના કાઈ સ`ક્રુત જેવું લાગે છે. અસ્તુ
દિલ્હીપતિ અનનાર આ નરકેસરી હેમરાજનુ સળંગ જીવન દુષ્પ્રાપ્ય છે. કાઈક ગ્રંથમાં દશેક પ`ક્તિ, કાઈકમાં ચારેક ને કંઈકમાં તેા એકાદ પંક્તિથી પતાવી લેવાતુ હાય છે. કદાચ આપણા ઇતિહ્રાસકારાએ ‘યવન–મિત્ર' તરીકેની દુ છાથી તે પરદેશી ઇતિહાસકારાએ રાજવંશી ન હોવાને લીધે એમને વિસારી દીધા હશે. ભાગ્યનું નિર્માણ પણ એવુ હશે કે એમને ગાનાર કોઈ ચંદ બારેટ પણ ન મળ્યો, અને પરિણામે એક તેજસ્વી સિતારે। સદા વાદળછાયે। જ રહ્યો. આ ગ્રંથની રચનાનામાં અનેક જૈન, હિન્દુ, મુસ્લિમ પ્રથાના ઉપયાગ કર્યાં છે. અંગ્રેજ લેખકાને પશુ સાથ લીધા છે. સહુનું ઋણુ મારે અહીં સ્વીકારવું રહ્યું
આ ગ્રંથના પ્રારંભ શેરશાહની મહત્ત્વાકાંક્ષાથી હેમુના રાજ્યારેાહજી સુધી લાવી સમાપ્ત કર્યાં છે. સદા માં રહીને મિત્રને સહાય કરનાર હેમુનું જીવન પણ શેરશાહના જીવનની પાછળ માળાનાં ફૂલને જોડનાર દારાની જેમ અનુયૂત ચાલે છે, એટલે કેટલાકને નાયકપદ પર ઘણી વાર શેરશાહ આવતા લાગશે, પણ જેમ જયપરાજયમાં એ એ મિત્રએ કદી ભેદ નહેાતે કર્યાં, તેમ જે કાળે જે નાયક અને, તેમાં આપણે ભેદ ન પાડીએ, એ જ ઉચિત લેખાશે.
આ ગ્રંથની ભાષા મારા બીજા ગ્રંથા કરતાં કંઈક ભિન્ન લાગશે. હિન્દી તે ઉર્દૂ શબ્દને હળવા પ્રયાગ ને સ ંવાદોમાં ધણે ઠેકાણે શેખસાદી સાહેબ, મશહૂર સૂફી એમરખય્યામ ને મહાકવિ હાફ્રિઝની સુંદર પંક્તિઓને અનુસર્યાં છું. આજના સિનેમાના યુગમાં આ ભાષાના સામાન્ય શબ્દો, મને લાગે છે કે, કટાળેા નહીં જ ઉપજાવે, બલકે એક નવી લહેજત આપશે.
કર્યાં છે, તે અપ્રસિદ્ધિ
१-१
Page #13
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથની રચનામાં મારે ધણાના ઋણુસ્વીકાર કરવાના રહે છે. પણ મારી માંદગી નિમિત્તે મને શ્વસુરગૃહે નેાતરીને આ લખવામાં સગવડ આપનાર મારા સાળા શેઠ કસ્તૂરચંદ્ર મેાહનલાલ, મારા સદાના સ્નેહી શ્રી શાન્તિલાલ (ગાવાલાલ ) માતીચંદ દેશી અને જોઈતી તમામ સગવડ નિઃસ્વાર્થ પ્રેમથી પૂરી પાડનાર રાણપુરના જાહેરજીવનના એક જોદ્ધા શ્રી વાડીભાઈ (વાડીલાલ સાંકળચંદ વડાદરિયા )ના આભાર મારે માનવા જ રહ્યો.
પાત્રરચના વિષે ને બીજી કેટલીક બાબતેાની ચર્ચા વાચકા માટે શેષ રાખી મારી આ કૃતિ ગુજરાતને ચરણે ધરું છું.
~~~જયભિખ્ખુ
१२
Page #14
--------------------------------------------------------------------------
________________
૧
.
૧ સ્વપ્નદ્રષ્ટા ૨ ચક્રવર્તીનું રત્ન ૩ ભુલાયેલા ભેરુ ૪ જતિજી
૧૬
૨૨
૫ દિલ્હીના ઝવેરી
૩૧
૬ જતિજીએ કહેલી રાજકયા ૪૦
૭ જિન તે દીન
પર
} }
.
૮ પત્ર
૯ શેરખાંનુ શાહનામું ૧૦ વૈ।તિષી
૧૬ પ્રેમનાં પારખાં
અનુક્રમ
૨૦ ખુલપુલનું રુદન ૨૧ ચિંતામણિ
૯૫
૧૦૫
૧૨ દુસ્ત શર દુરત ગવદ ૧૩ પૂર્વ તૈયારી ૧’- વિજોગણ
૧૧૫
૧૨૩
૧૩૭
૧૫ મેાગલાના કાળ ૧૬ મધ્યયુગને મહાનુભાવ ૧૪૭ ૧૭ રાજા ભેાજની યાદ ૧૬૦ ૧૭ (અ) પડદા પાછળના
૧૭
પુરુષ ૧૮ પતિ-પત્ની
૧૯૬
૧૯ રજપૂતાઈના રજકણા ૨૧૨
૨૨૩
૨૩૫
e
૨૨ શેર ગયા
૨૪૭
૨૩ દીવા પાછળનું અધારું ૨૫૭
૨૪ રાજકીય ક્ષેત્રમાં
૨૦૧
૨૫ યુદ્ધદેવતા
२७८
૨૬ લાયક પિતાને લાયક પુત્ર ૨૯૨ ૨૭ નાયિકા
૨૯૯
૨૮ પંદર વર્ષના વનવાસી ૩૧૧ ૨૯ એક દ્રૌપદીના પાંચ પતિ ૩૨૧ ૩૦
એ હેતુ આવ્યા ?! ૩૨૯ ૩૧ આગ્રા-દિલ્હી ઝડપાયાં ૩૪૦ ૩૨ વિક્રમાદિત્ય
ઉપર
૩૩ એષણાઓ મહારાજ્યની ૩૬૩
९३
Page #15
--------------------------------------------------------------------------
________________
"Hemu a consummate general and statesman who displayed organising capacity and valour of a high order. Originally a petty shopkeeper of Rewari of Mewat... .Even Abul Fazal admits that he managed the affairs of state with rare ability and success. He was one of the greatest men of his day and among Akbar's opponent through out Hindustan there was none who could excel him in valour, enterprise and courage. He had earned himself unique military distinction by winning 22 pitched battles.
""
...હેમુ એક નિષ્ણાત સેનાધિપતિ અને રાજનીતિજ્ઞ હતા કે જેણે ઊંચા પ્રકારની બહાદુરી અને વ્યવસ્થાશકિત પ્રદશિત કરી હતી. એ જન્મે મેવાત પ્રદેશના રેવાડી ગામના એક સામાન્ય દુકાનદાર હતા......અબુલ જલ આ વાતને સ્વીકાર કરે છે કે તે અજોડ યાગ્યતા અને સફળતાપૂર્વક રાજકાજની વ્યવસ્થા કરતા હતા. તેના સમયના સૌથી મહાન પુરુષમાંને એ એક હતા અને આખા હિન્દુસ્થાનમાં અકબરના પ્રતિપક્ષીઓમાં એવા એક પ્રતિપક્ષી ન હતા કે જે બહાદુરી, સાહસ અને હિંમતમાં તેને (હેમુને) ટપી જાચ. તેણે બાવીસ વ્યૂહભરી લડાઈએમાં વિજય મેળવીને પેાતાના માટે અજોડ એવી લશ્કરી શ્રેષ્ઠતા મેળવી હતી.
વિન્સેન્ટ સ્મિથ
१४
در
Page #16
--------------------------------------------------------------------------
________________
કાળવેપારી હેમુ હિન્દુપતને બખ્તરીઓ બાવીસ જગાને વિજેતા મહારાજાધિરાજ વિક્રમાદિત્ય
ન્હાનાલાલ
અકબરની પહેલાં હિંદુઓને મોટી નેકરીઓ મુદલે મળતી નહીં. સુર સુલતાનને દીવાન હેમુ એકલે જ પહેલે માટે દરજે ચઢેલે જણાય છે.
શ્લોકમેન
હેમુએ કેવળ ઈમાનથી પોતાની નોકરી બજાવી, તેની જ અકકલાના બળથી સૂરવંશી પઠાણેથી આટલા દિવસ સુધી મોગલ સાથે લડી શકાયું હતું. તેની હોશિયારી ને રાજભક્તિના ગુણેને તેને વધુ સારો બદલે મળવો જોઈતો હતો. અકબરને આવી મોટી ફેજ સાથે લડવાને ફરીથી કદી પ્રસંગ આવ્યો નહીં.
ગે. સ. સરદેસાઈ
દિલ્હી એક વિલક્ષણું સ્થાન છે. એ તે કોણ છે, કે જે દિલ્હી પહોંચી સિંહાસન પર બેસવાની આકાંક્ષા ન કરે ? હેમુએ માત્ર આનંદેત્સવ અને “રાજામહારાજા ” ની ઉપાધિથી સંતોષ ન મા, પરંતુ તેણે તે પોતાના નામ સાથે વિક્રમાદિત્યની પદવી લગાવી દીધી. દરબારે અકબરી
આઝા
Page #17
--------------------------------------------------------------------------
________________
Page #18
--------------------------------------------------------------------------
________________
સ્વપનદ્રષ્ટા
૯૩૭ની હિજરી સન ચાલતી હતી. જિલહજને મહિનો હતો. પાનીપતના ખંખ્વાર મેદાન પર શિશિર ઋતુથી એક સંધ્યા, આછી મીઠી ઠંડી સાથે, આથમતી જતી હતી. જમુનારાણીનાં કાળાં ભમ્મર નીર એક વાર સોનેરી આભમાં શોભી ઊઠયાં હતાં.
કોણ જાણે કેટલાય કાળથી પાનીપતના મેદાનમાં આ છેડાને પરિગ્લાવિત કરતી જમુનારાણી વહી રહી હશે? એક વહાલસોયી બહેનીના હેતથી એણે આ લોહીતરસ્યા વીરાનાં પડખાં વર્ષોથી પંપાળે રાખ્યાં હતાં. કાળના વહેણ સાથે ઘસારો પામી આ મેદાનને કિનારે વાંકાચૂંકે થઈ ગયો હતો, પણ એની અમાપ લેહતૃષા કદી બુઝાણું નહતી.
આ વાંકાચૂંકા કિનારાની સહેજ છૂટી પડેલી ભેખડ પર બેસીને એક નવજવાન મગરેબની નમાજ પઢી રહ્યો હતો. એણે મોટો ખુલે નીલા રંગને પાયજામો ને તેવા જ રંગનું ઢીલું કુરતું પહેર્યું હતું. માથા પર જરીકામની પઠાણ પાઘડી હતી; ને ઠંડીથી
Page #19
--------------------------------------------------------------------------
________________
અચવા ડિલ પર કીમતી પે!સ્તીનને કાટ ચડાવ્યેા હતેા. આથમણા આભમાં સખ્યા. પોતાના સાનેરી સાળુ સમેટી રહી હતી. નવજુવાનની નમાજ પૂરી થઈ ચૂકી હતી, પણુ કાણુ જાણે કેમ, ઘૂટણીએ પડેલા એ જુવાન એમ તે એમ સ્તબ્ધ એસી રહ્યો હતા.
એ ધીરે ધીરે કઈક ગણગણી રહ્યો હતા.
હે અલ્લાહતાલા! ઇન્સાનનું તેકનામ અને ઇન્સાનની શરમ, ઇન્સાનની જિંદગી અને ઇન્સાનનુ મેાત; એ એનાં સારાં-નરસાં કામ જ છે. હું કાણુ ? અધાન બાપના ખેઠા. આજે હું શું કરું છું ? અાન કામને નાશ કરનાર, એક દિલેર જવાનની સરપરસ્તી, કદમએસી ! એક અફધાન કામના જ મેટા કુહાડાનેા હાથેા અની અનેક અધાન સ્ત્રીઓને માર્ચ, મા–બેટીને માથે જહન્નમની વર્ષા કરી રહ્યો છે.
"
• તીર એક જ, પણ તકદીર છે. એક તખ્તનશીન, ખીજો ખાકનશીન ! મગરૂર અધાન કામનુ ં નિક ંદન કાઢનાર એ ખુશનસીબ જુવાન જહીરૂદ્દીન મહંમદને દુનિયા બાબર-શેરના ઉપનામથી એળખે છે. અને સમશેરના એક ધાએ યમ જેવા વાધતે ઠાર કરનાર મને પણ દુનિયા શેરખાં કહે છે. બંને શેર, છતાં કેટલી ગમગીન બનાવનારી ીના! એક શેર ખીજા શેરની તામેદારી સ્વીકારે.
અને જુવાનની મેાટી મોટી ભૂરી આંખાના ખૂણા લાલચાળ બન્યા. જોનારને ક્ષણભર ભ્રમ થઈ જાય કે કદાચ અહીંથી લેહીને જ્વાલામુખી ભભૂકી ઊઠશે. જુવાનસ્મૃતિના ઊંડા ગતમાં ઊતરતા ચાલ્યે. ફક્ત ચાળીસ કાસનું બાપી રાજ્ય; ગામમાં ઘર નહિ, સીમમાં ખેતર નહિ, એવી સ્થિતિના એ જુવાન બાબરને મારા જ
'
*નુને રુહ છુ તરીનેં તે
तू तख्तनशीं, मैं खाकनशीं ।
.
૨ : સ્વપ્નદ્રષ્ટા
Page #20
--------------------------------------------------------------------------
________________
જાતભાઈ આએ હિંદમાં જમવા નાતાઁ. વાડુ રે કિસ્મત! મારા જ જાતભાઈ એનું નિમંત્રણ ને મારા જ જાતભાઈ એના સામના ! એક દહાડા આ જ પાનીપતનું મેદાન અને આ જ જમુનારાણીને કિનારે. મેગલ તે અફધાને વચ્ચે ધાર યુદ્ધ મંડાયું.'
જુવાન જરા ટટ્ટાર થયેા. એ ઉત્તેજનાની માદક અસરમાં દૂર દૂર જોઈ રહ્યો. ચંદ્રરેખને આ પ્રકાશ જળપ્રવાહ પર રમી રહ્યો હતા. એ પ્રકાશમાં કેાઈ માનવ આકૃતિ સરજાતી લાગી.
ભૂત, પ્રેત કે પિશાચ? ના, ના, આ પાક જવાનને એવાનેા જરાય ભય નહોતે. અસ્પષ્ટ આકૃતિ ધીરે ધીરે સ્મૃતિ પર અંકિત થઈ રહી હતી. અરે રે, કાઈ છાયા–માનવી !
એ છાયા-માનવીના શરીર પર અનેક ધાવ હતા. અને એ ધાવમાંથી ટપકતુ મૂન જલપ્રવાહ પર હિંદુસ્તાનનેા નકશા રચતું હતુ. ભયંકર દાંતિયાં કરતું છાયા-માનવી ધીરે ધીરે નજીક આવી રહ્યું હતું. જુવાનનાં નયને સ્થિર બન્યાં હતાં. છાયા-માનવી અત્યંત પીડિત છતાં મર્દાનગીભર્યા અવાજે માલવા લાગ્યુ :
*
ધાર યુદ્ધ ! માગલ અને અફધાને વચ્ચે ધેાર યુદ્ધ ! તામે કયામત સુધી ન ભુલાય તેવી ભયંકર લડાઈ ! પાનીપતનું મેદાન એક વાર અક્ષાનેાના લાહીથી તરબતર થઈ ગયું. જુવાન, તારા પગ નીચેની ઘેાડી માટી દૂર સરકાવી ઉમ્મીદ ને યુવાનીભર્યાં અધાન જુવાતેાની આહુ તારા કાન ફાડી દેશે.' એક ભયંકર હાસ્ય પડછંદા પાડી રહ્યું. પ્રવાહ પર લડાઈમાં મરાયેલા કેટલાક હાથીઓના દેડને જલસ્તંભ રચાતે લાગ્યા. માયાવી દુનિયાનું માનવી કૂદીને હાથીએના ઢગલા પર ચઢીને માલવા લાગ્યું:
અધાન કામના એ નબીરા ! મને પિછાણ્યા ! મારું નામ ઇબ્રાહિમ લેાદી. તારી જ કામને અને તારા ફિરકાને હિંદુતા પઠાણે પાદશાહ. યાદ છે પુરાણી તવારીખ ? આપણા પુરખા
સ્વપ્નદ્રષ્ટા ક ૩
*
Page #21
--------------------------------------------------------------------------
________________
હિંદના હાકેમ બન્યા ત્યારે દિલ્હીની સલતનત દિલ્હી શહેર અને ગંગા-જમુનાના બે પટ વચ્ચે પૂરી થતી હતી. દિલ્હીની ગાદી નધણિયાતી હતી. રાજખાનદાનના નોતર્યા અફઘાન વંશના અમે રાજા બન્યા. રાજા બનીને રાજ શોભાવ્યું. પણ ગૃહકલેશે અમને નબળા પાડ્યા. અમારા ઘરને અમે જ અમારા સગા હાથે આગ ચાંપી. આ જ પાનીપત, આ જ મેદાન ને અફઘાન કેમ બાબરની મેગલ સેના સામે બાખડી. એક હજાર હાથીનું જૂથ અને એક લાખ લશ્કરનું બળ મારી પાસે હતું, પણ ગૃહકલેશે અમારી જીતની ઇમારતને સુરંગ ચાંપી હતી. બહાદુર અફઘાનને ખુશનસીબ મોગલેએ ન હરાવ્યા, પણ અફઘાન અફઘાનથી જ હણાયા. એ જુવાન, કદાચ આ વાત તું નહીં કબૂલે, પણ એ આફતાબની રોશનીની જેમ સાચી છે. અફઘાન કેમને માથે બેવફાઈના શાપ ઊતરી રહ્યા છે, અને એમ ન હોય તો આજ એ જ દુશ્મનને ત્યાં અફઘાન કોમને એક સપૂત, દુશ્મનનો સિતારો બુલંદ કરવા મથી રહે ખરો?
ફરીથી એક ભયંકર આહ વાતાવરણમાં ગુંજી રહી. થોડે દૂર ચકલીનાં બચ્ચાંના માળાને પીંખતું ઘુવડ હર્ષાવેશમાં ઘેઘૂ કરી ઊઠયું. પાસે જ ઘોરખોદિયું પ્રાણી લડાઈમાં ભરાયેલા કે અનામી સૈનિકના શબને ચૂંથી રહ્યું હતું.
આમીન, આમીન, આમીન ! યા પાક પરવરદિગાર, તારી રહમ હો ! આ હું શું સાંભળી રહ્યો છું ?” જુવાનનો વિશાળ સને પહેળા થયે. એ ભાવાવેશમાં બેલી ઊઠ્યો : “એ આસમાની રૂહ, તું બતાવ કે હું શું કરી શકું?”
“દેત અને દુશ્મનને પિછાણુ! પઠાણ વંશને ફરીથી રાજા બનાવ ! આ પાનીપતેને હારનું નહીં, જીતનું મેદાન બનાવ. તારા હૈયામાં હામ છે, ભુજાઓમાં તાકાત છે, તારા દિમાગમાં ઊંચા ખ્યાલ છે. શેરખાં નામ છે, તો શેરખાં બની બતાવ! શહેનશાહ
૪ : સ્વપ્નદ્રષ્ટા
Page #22
--------------------------------------------------------------------------
________________
થા! ચક્રવતી બની જા !”
અવાજ આકાશના ગુંબજને ભેદતો લાગ્યો. એ અવાજને પડકારતો હોય તેમ જુવાન શેરખાં ગઈ ઊઠ્યો :
એ આસમાની રૂહ, અલખના પડદા પાછળ ગાયબ થાઓ ! આજથી શેરખાંની મુરાદે પલટાઈ ગઈ છે. એક દહાડાનો સામાન્ય જગીરદારને છોકરે, કેક દહાડાનો લૂંટારુ ટોળીને એક આસામી, -સાવકી માના સંતાપથી દરબદર ભટકતો, બઝ આજને એક નાચીજ સિપાહી, શપથ કરે છે–કસમ લે છે, ખુદાના નામ પર, કે શેરખાં શેરખાં બનશે; આ ભુજાઓથી સામ્રાજ્ય સર્જશે; આ તલવારથી તોતાજ તાણ લાવશે. એ આસમાનના ગુંબજને ઉજાળી રહેલા સિતારાઓ ! સહુ સાક્ષી રહેજે, શેરખાં પ્રતિજ્ઞા કરે છે કેઃ
મેગલેને હિંદમાંથી હાંકી કાઢી એ પોતાનું સામ્રાજ્ય સ્થાપશે. ગૃહકલેશને મિટાવી સુંદર કુટુંબ સર્જશે.
પુરખાઓની રૂહને ખાતર મક્કાની હજ માટે પચાસ જહાજ બાંધશે.
“...અને પાનીપતના આ મેદાનમાં સમરવિજયી બનીને, હિંદના ચક્રવર્તી થઈ ને, મરહૂમ શાહ ઈબ્રાહિમ લોદીની કબર ચણશે.
“યા મદદગાર !” ને સિંહની કેશવાળી સમી શોભતી નાની દાઢી પર શેર ખાંએ હાથ પંપાળ્યો. એનો ભાવોદ્રેક છેલ્લી સીમા પર હતો. છાતીના ધબકારાથી એનું લેહબખતર પણ જાણે શૂરવીરતાના શ્વાસ લેવા લાગ્યું હતું.
યા મદદગારના છેલ્લા શબ્દો ખુલ્લા મેદાન પર પડ પાડ્યા વિના વિલીન થઈ ગયા. જલપ્રવાહ પરનું છાયા-માનવી ધીરે ધીરે
અદશ્ય થતું જતું હતું. પણ “યા મદદગાર” શબ્દોએ જુવાનને ફરી વિચારોના કેઈ નવા વમળમાં ફેંકી દીધે!
સ્વપનદ્રા
:
૫
Page #23
--------------------------------------------------------------------------
________________
મગાર ? એકલા અલ્લાહતાલા સિવાય શેરખાં મદદગાર કાણુ ? હિંદની અમાપ ભૂમિ, નિદહાડે નવા નવા વિજેતાનાં ધાડાંએનાં આગમન, હિંદ્નના પ્રતિપ્રાંતના સૂબા ને સરદારા સ્વતંત્ર બનવાની અધીરાઈવાળા ! આ શાહી શેતર`જના દાવમાં આરત મરદની નહી”, મેટા બાપના નહીં, ભાઈ ભાઇના નહીં ! ચારે તરફ ફૂડકપટ, છળપ્રપંચ, ખૂનામરકી!
ત્યારે શેરખાંના મદગાર કાણુ? સગા આપ પણ એને નહીં.. વિમાતા ખૂનની પ્યાસી. નાની એવી ખેાખા સરખી જાગીર, એના જમીનદા। પણ એના નહી` ! કામમાં જીગરજી ભાવગરની. દરેક અહ્વાન સિપાહીને શહેનશાહીનાં સ્વપ્ન ! કયા બળ પર શેરખાં લડવા નીકળશે ? એક પઠાણુ બીજા પઠાણુનું ગળુ કાપવા હરકાઇ પળે તૈયાર હૈાય ત્યાં એ કાના સહારા ને ભાસે પામશે ?
જુવાન શેરખાંએ આસમાન સામે નજર ઠેરવી, સિતારાએના સમૂહમાંથી જાણે મદગારને શેાધી કાઢવા મથી રહ્યો. એકલવાયાની, દીનતાની વિષાદછાયા એના ભરાવદાર મુખ પર પથરાઈ ગઈ. નમાયા બાળકની જેમ એ ગરીબ બની ગયા.
સલ્તનતના સ્થાપનારને શુ ન જોઈ એ ? ચક્રવતી બનનારને શું ન ખપે? હિંદુએ કહેતા હતા કે ચક્રવર્તીને ચૌદ રત્ના જોઈ એ. ભરાસાદાર લશ્કરી જોઇ એ. સરકાશીની ભાવનાવાળા સરદારે જોઈ એ. ખુદારજીથી કાસા દૂર નાસતા પ્રધાન, મત્રીએ તે વજીરેઆઝમ જોઈએ. ધન જોઈ એ, દોલત જોઈ એ ! આમાંનું પેાતાની પાસે કેટલું' ?
ક્ષણવાર પહેલાંના બહાદુર શેરખાં બહાવરેા બની ગયેા. મારા જ ભાઈ એ મારા ધાત માટે શિકારી કૂતરાંની જેમ હવાને સૂંઘી રહ્યા છે. શેરખાં કાં જશે? પળવાર અને પેાતાનાં સ્વપ્ન સાચાં થાં અશકય લાગ્યાં. એને લાગ્યું કે આવી ના–ઉમ્મેદીનું જીવન
૬ : સ્વપ્નદ્રષ્ટા
Page #24
--------------------------------------------------------------------------
________________
ગુજારવા કરતાં આ જમુના રાણીની ગાદ અને પાનીપતનું કાળુ પડખું સદાને માટે શાંતિ માણવા માટે શે। ખાટુ ? હજાર ઝંઝટાનેા—લાખ મુસીબતાને આ એક ઉપાય શું ખાટા?
શેરખાં ભયંકર રીતે હસ્યા. બધી બાજુથી ઘેરાઈ ગયેલા વાધ ધ્રુવાટા કરી ઊઠે તેવુ એ હાસ્ય હતુ. એ હાસ્યથી ચમકીને પાસે ઊભેલા અનેા અખી ઘેાડા હણહણી ઊઠયો. શેરાએ એક વહાલભરી નજર નાખતાં કહ્યું :
ખુશરાજ ! બેટા ! તું ખરેખર ચક્રવર્તીનું રત્ન છે, પણ તારા ધણી મિસ્કીન* છે.'
'
અને ક્રીથી ખેદભરી નજર જલપ્રવાહ તરફ મ ડાઈ ગઈ. જેવી માની ગેાદ એવી મૈયા જમનાની ગાદ! અને જાણે પ્રવાહના અતલ ઊંડાણને માપી રહી હોય તેમ એની નજર સ્થિર થઈ ગઈ. શિશિર ઋતુની રાત વધુ ને વધુ ઠંડી થતી જતી હતી. હરણાં ખૂબ ઊંચે ચઢી ગર્યાં હતાં, તે વ્યાધના તારે પણ ઠીક ઊંચાઈ એ ઝળકી રહ્યો હતેા.
ઠીક
શેરખાંએ દૂર દૂર સુધી એક નજર નાખી. જાણે હવે ફરી નજર નાખવી જ નથી ! ઠંડી રાતનું આછું પાતળું પડે દૂર દૂર સુધી વીંટાયુ હતુ. અચાનક એ પડને વીંધીને આવતી એક નૌકાએ શેરખાંની દૃષ્ટિને પકડી લીધી.
ઝીણે! ઝીણા, ઝાંખા ઝાંખા નૌકાદીપ સડસડાટ નજીક તે નજીક આવી રહ્યો હતા. શેરખાંના નિરાશાના ધુમ્મસથી ઘેરાયેલા દિલમાં નવીન ઇંતેજારીને તારક એકાએક ચમકી ઊઠયો.
ક્રાણુ હશે એ નૌકામાં ? દાસ્ત કે દુશ્મન ? શેરખાં બધું ભૂલીને ઉત્સુકતાથી તે તરફ જોઈ રહ્યો.
* ગરીમ
સ્વપ્નદ્રષ્ટા : ૭
Page #25
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તીનું રત્ન ૨
સૌંદર્ય ભરી પ્રિયતમાની ભ્રકુટિ શો ચંદ્ર આકાશ
માં ઊચા તે ઊંચા ચઢતા જતા હતા. એના આ પ્રકાશ શિશિર ઋતુના ઝાંખા અંતરપટને ભેદી પૃથ્વી, પાણી તે પવન પર પથરાઈ રહ્યો હતા. દૂરથી સરી આવતી નૌકા હવે સ્પષ્ટ નીરખી શકાય તેટલી નજીક આવી હતી.
એ નાનીશી સુંદર વિહારનૌકા હતી. છ મજબૂત ગુલામે એને હલેસાં મારી રહ્યા હતા. આ નૌકાને આગળના ભાગ મયૂરાકાર હતા. ગાઢા વાદળી રંગની એની ડેાક હતી; અને એ ડાક પર સોનેરી છાંટણાં હતાં. સ્ફટિકની બનાવેલી એની ચાંચ પર મેાટી એવી ચિત્રવિચિત્ર કલગી હતી. આ કલગીમાં રહેલુ બસરાનું મેાતી કૂવાસ્ત ંભ પરના નૌકાદીપના પ્રકાશ પામીને આકાશના એકાદ સિતારાનું ભાન કરાવતું હતું.
નૌકાના અગ્ર ભાગ પર એક સશસ્ત્ર કદાવર ગુલામ એઠેલા હતા, તે નૌકાના અગ્ર ખંડમાંથી અશક્ત
Page #26
--------------------------------------------------------------------------
________________
આંધાની એક તાર્તાર સ્ત્રી વારે ઘડીએ પેલા ગુલામને કઈ પ્રશ્ન કરી રહી હતી. નૌકા ધડીમાં વેગ કરતી, ધડીમાં શાંતિથી સરતી આગળ વધી રહી હતી. અચાનક હલેસાં બંધ થયાં, એ ગુલામે પાણીમાં કૂદી પડયા ને મેટા વાંસની મદદથી તેને ધકેલવા લાગ્યા. નૌકા કિનારા તરફ લાંગરવા આવતી હતી.
સિપાહીજીવનના સતત અભ્યાસી શેરખાંએ તરત નક્કી કરી લીધું કે રાજકાજ માટે વપરાતી નૌકા જેવી આ નૌકા નહતી, છતાં સદા સાવધપણામાં ઇતબાર ધરાવતી સિપાહીગીરીના નિયમ મુજબ એ પાછા હઠચો. પાસે જ પ્રિય અશ્વ ખુશરાજ ઊભા હતા. એક હાથે એની લગામ પકડી, ખીજે હાથે એણે પેાતાની બંદૂકને ઊંચી કરી.
નૌકા તા નિરાંતે કિનારાની ભેખડને ભેટી રહી હતી. પાણીમાં પડેલા ગુલામે નીચે ઊતરી શકાય તે માટે આગળ આવીને કિનારા ની જમીન ઠીક કરતા હતા. ઘેાડી વારે નૌકામાંથી કાઈ ઊતર્યું. એણે નખથી તે શિખ સુધી કાશ્મીરી શાલ ઓઢી હતી. ઊતરીને એ વ્યક્તિ સીધી શેરખાં ભણી વળી. એને પાનીપત જેવા ભય કર સ્થળની, નિન વેરાન રાત્રિની, વાધ જેવા સામે ઊભેલા કાળદૂત જેવા નવજુવાનની કે છાતી સામે તેાળાઈ રહેલી યમ જેવી કાળમુખી બંદૂકની પરવાહ જ નહોતી.
ખબરદાર ! દાસ્ત કે દુશ્મન ? ’ શેરખાંએ મેટા અવાજે કહ્યુ.. ‘ દાસ્ત ! ’પ્રત્યુત્તરમાં મીઠે ઘટડી જેવો રણકા આવ્યા. શેરખાંએ ઝીણી અખિ જોયુ' તેા કાશ્મીરી શાલમાંથી એક રમણીય ચહેરા ડાક્રિયાં કરી રહ્યો હતા.
"
આરત અને તે આટલી રાતે? અને આવે ઠેકાણે ? કાઈ જલપરી તેા ભૂલી નહીં પડી હાય! કાઈ સુદર શાહજાદી રસ્તા તે ચૂકી નહીં હોય! સિપાહીબચ્ચા કઈ નિય કરી ન શકયો.
ચક્રવતીનુ રત્ન : હું
Page #27
--------------------------------------------------------------------------
________________
કાશ્મીરી સાલમાં લપેટાયેલે એ દેહ ધીરે ધીરે ખુલ્લો થતા જતો હતો! જેવો રમણીય ચહેરે હતા, એવો જ ઘાટીલો દેહ હતો. મેદાનનો પવન એની પાસેથી ઈત્રની સુગંધી લઈ આવી વાતાવરણને મઘમઘાવી રહ્યો હતો.
સરૂના ઝાડ જેવી એની સુંદર ઊંચી કાયા હતા. કાશ્મીરી કે ઈરાની સ્ત્રીનું સૂતું સૌંદર્ય એના દેહ પર ઝળકી રહ્યું હતું. એણે અંગ પર કીમતી મખમલની ઈજાર ને મછલીપટ્ટનની કુલભૂટાવાળી સોનેરી છીંટનું કુરતું પહેર્યું હતું. માથા પર આકાશની રંગબેરંગી વાદળી શું સપ્તરંગી ઓઢણું ઊડતું હતું. એ ઓઢણ નીચે લાંબો રેશમ જેવો કેશકલાપ એના પગને ચૂમતો શેષનાગની છટાથી પડવો હતા. કેશકલાપના છેડે મોતીને સુંદર ગુચ્છો ગૂંથેલે હતો, ગૌર મુખ પર કાળા સુરમાથી અંજાયેલ અણિયાળી આંખે ને જાડી પાંપણો કાતિલ કટાર જેવી અસર કરતી હતી. નાના સુંદર ચિબુક પર નાને શે વાદળી જખમ હતો ને મોટા લાલ ભાલ પર કવિઓને ભરવાનું મન થાય તેવી છુંદણુની ભાત હતી.
આવી ઠંડી રાતે અભિસાર કરવા નીકળેલી એ કાઈ અભિસારિકા હતી, કે સ્વૈરવિહાર કરવા નીકળેલી કેઈ અધીર યૌવના હતી ? એનું યૌવન છકી જતું હતું. લીંબુની ફાડ જેવી આંખમાં જાણે શરાબના હજારો શીશાઓની મસ્તી છલકાતી હતી. હીર ને સોનેરી ઝીકથી ભરેલી છીંટના કુરતામાંથી દેખાતી ગૌરવણ આંગળીઓ ચંપકકળીઓનું ભાન કરાવતી હતી.
ઓરત !' શેરખાં આ સૌંદર્યરાશિને જોઈ એટલું જ બોલી શક્યો ને લાંબો નિશ્વાસ નાખ્યો. એણે બંદૂક નીચે નમાવી ને ખુશરોજની લગામ છોડી દઈ એની પીઠ પંપાળવા લાગ્યો. “હા આરત, પિછાણી?” સામેથી મધુર અવાજ આવ્યો.
ઓરતોને પિછાણવાનું શું કામ? શેરખાં સિપાહીબો છે. ૧૦ : ચક્રવતીનું રત્ન
Page #28
--------------------------------------------------------------------------
________________
એની રાજશેતરંજમાં ઓરતને કદી સ્થાન નથી.”
આજ નવી શેતરંજ બિછાણું છે. બહાદુર સિપાહી, એક ઓરતે એમાં જગા મેળવવાને મક્કમ નિર્ણય કર્યો છે. જરા નજીક તો આવ ! એક વાર ટેસ્ટ અને દુશ્મનને તે પિછાણ!”
શેરખાં ચૂપચાપ ઊભો રહ્યો; એ ન આગળ વળે કે ન પાછળ હઠયો. એને આજને મનસંતાપ ભારે હતો. જિંદગીને બેજ જાણે એને કચરી નાખવા માગતો હતો. એ બેજ આજે જમુનારાણીની ગોદમાં બેસીને ઓછો કરવો હતો. એમાં વળી આ નવું તોફાન? અને તે પણ એક નાજુક સ્ત્રી લઈને આવી! વાધના પંજા સાથે પંજો મિલાવતાં એને ડર ન લાગે, શરાની સમશેર સામે સમશેરના ઘા કરતાં એને ભય ન લાગે, પણ એક સુંદરી, એક ઓરત એને માટે મુસીબતનો વિષય હતી.
અને મીઠી મુસીબત બનીને આવેલી પેલી સુંદરી પાસે ને પાસે સરકતી આવતી હતી. એકબીજાના શ્વાસ સ્પશે તેટલાં નજીક તેઓ આવી ગયાં.
હજીય ન પિછાણું ?” કેણ લાડુ મલિકા?”
હા, મારા બાદશાહ,” આવનાર સુંદરીએ એકદમ નજીક જઈને કટાક્ષ સાથે કહ્યું.
કેણુ બાદશાહ ? હું ?” ને શેરખાં જોરથી હસ્યો. વધુ ને વધુ નજીક આવી રહેલા એ મીઠા સ્પર્શ—સુખને ખાળતાં કંઈક ઉદાસીનતાથી એણે કહ્યું: “પણ મલિકા, તું તો ચુનારગઢ જેવા પ્રસિદ્ધ ગઢની મલિકા છે. શેરખાં તો ભેળે સિપાહી છે. એને ભરમાવવામાં તારો ઇરાદે ?”
ઇરાદો? ઇરાદો ફક્ત એક. દિલના પ્યારાને એક વાર બાદશાહ
ચક્રવર્તીનું રત્ન ઃ ૧૧
Page #29
--------------------------------------------------------------------------
________________
બનાવવાને. બાદશાહ બનાવીને એની પ્યારી બેગમ બનવાનો એક માત્ર નિખાલસ ઇરાદો.” શબ્દોમાં આતશ હતો, અવાજમાં વ્યાકુળતા હતી. ખુશરોજની મખમલી પીઠ પર ફરી રહેલી, નજીક આવવા મથતી છતાંય દૂર દૂર રહેતી, બંનેની આંગળીઓ જાણે એક નૃત્ય સરજી રહી હતી.
બાદશાહની બેગમ બનવાને ઈરાદે? ખૂબસૂરત મલિકા ! ઈરાની કહેવત છે કે સ્ત્રીના વાળ લાંબા હોય છે, પણ બુદ્ધિ ટૂંકી હોય છે. એક મર્દ ઓરતને પ્રેમ કરે, એક ઓરત મર્દને ચાહેઃ એટલામાત્રથી બાદશાહી સાંપડતી નથી. તું, ઈશ્કના કવિઓ જેને બાદશાહી કહે છે એની વાત તો નથી કરતી ને ? બાકી તો મુલકની બાદશાહી માટે તો જોઈએ વજ જેવા કિલ્લાઓ, વાલામુખી જેવાં લશ્કરે, ધનદેલતથી છલોછલ ખજાને, શાણ વછરા ને કુશળ ભરોસાદાર સેનાપતિઓ !”
બધુંય હાજર છે, જુવાન સિપાહી ! દુનિયાના રાહ વિચિત્ર છે. એક ઓરત, જેને ખુદાએ દાલત આપી છે, જોઈએ એટલી સત્તા આપી છે, દીવાના બનાવી શકાય તેટલી ખૂબસૂરતી આપી છે; એ જ્યારે એકલવાયા, એકાકી ને નિરાધાર જુવાનની પાછળ – જે જુવાનની પાસે કેડ પર લટકતી તલવાર સિવાય વિશેષ તાત નથી, ને શરીર પરનાં ઘરેણું સિવાય વધુ ખજાનો નથી : એની પાછળ પાછળ ચાલી આવે- ન્યોછાવર થવા તૈયાર થાય, એ પણ કોઈ સામાન્ય બીના નથી; કોઈ મહાન ખુદાઈ આદેશ જ છે.”
“મહમ્મતભરી મલિકા ! લયલા અને મજનૂને એ જમાને ગયો. એનું નાટક ભજવવા ચાહતી હે તે એટલી પણ નિરાંત આ શેરખાંના નસીબમાં નથી. આજે તે તીર, તલવાર ને તાત–
તીર, તલવાર ને તાકત ! અરે ! એ ત્રણે લઈને તારા પ્રેમની ભિખારણ બની લાડુ મલિકા અહીં આવી છે. એક વાર હા કહે, તારી ૧૨ : ચક્રવતીનું રત્ન
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રચંડ ભુજા એની ગરદન આસપાસ નાખી દે, એક વાર 25 એને તારી બનાવી લે, પછી જોઈ લે કે આપણે લયલા-મજનૂ નથી; એ પ્રચંડ તાકાતનાં ભેગાં મળેલાં સ્વરૂપ છીએ.' અશ્વની પીઠ પર ફરતી એની ચંપકકળીએ જેવી આંગળીએ શેરખાંની આંગળીએ ને અડી ગઈ. એ સ્પર્શમાં વીજળી હતી. સિપાહીબચ્ચા ક્ષણવાર એની કંપારી અનુભવી રહ્યો ! સુંદરીએ આગળ ચલાવ્યું :
ચાલ્યેા આવ મારી પાછળ! મારા ચુનારગઢ તારી વિજયપતાકા ફરકાવવા તૈયાર ઊભે છે. મારા વિશ્વાસુ સરદારા તારી કદમએસી કરવા તૈયાર છે. લશ્કર તેા તારા લલકારાની રાહ જુએ છે.. એક વાર લાડુ મલિકાના હૃદયસિંહાસન પર ચઢી જા. પછી રાજસિંહાસન પર ચઢતાં વાર નહી લાગે.’
મારાં ખ્વાબ મેટાં છે.'
.
<
• ભલે મેટાં હાય. એ ખ્વાબની પૂજારણ બનીને તે આવી છું. આ નાચીજ મલિકા તારી છાયા બનશે. તને ધીખતી રેતીમાં છાંયડે કરશે. જલતા રજ્જુના મેદાનમાં એ મીઠી વીરડી ખનશે. તારી અનંત તૃષાને મુઝાવશે. કાળી કપટમય રાત્રીઓમાં તું નિરાંતે ઊંધજે, હું જાગતી પહેરે। ભરીશ. તું થાકીશ ત્યારે ગાણાં ગાઈશ. તું લડીશ ત્યારે શસ્ત્ર તેજ કરી આપીશ.' સુંદરીનેા ભરાવદાર સીને ઊંચે થયા હતા. તારુણ્યની તણાઈ રહેલી અસ્પષ્ટ રેખાએ સ્પષ્ટ બની હતી.
• મલિકા ! ઈરાન તેા વિએની માતૃભૂમિ છે. અને હું જાણુ" હું કે ઈરાની સ્ત્રી સ્વયં કવિતારૂપ છે. એના ચેપ તેા નથી લાગ્યા ને? તું જાણે છે, આજે જ–મગરેબની નમાજ વેળાએ–મે આખી હિંદની ધરતીને જીતવાના શપથ લીધા છે, મેાગલ માત્રને હાંકી કાઢી એક સલ્તનત સ્થાપવાના કસમ ખાધા છે. એ ન અને તેા શેરાની જિંદગીના કઈ અર્થ નહી! આજની ઘડી ઇન્કલાબની છે. મારે ચક્રવર્તી બનવું છે, મલિકા ! ’
ચક્રવતી તુ" રત્ન : ૧૩
Page #31
--------------------------------------------------------------------------
________________
મલિકા ધીરી ધીરી ધ્રૂજી રહી હતી. જુવાન શેરખાં સ્વસ્થ હતા. સુંદરી સહકાર શે!ધી રહી હતી. વેલી વૃક્ષને વીંટાય એમ એ શેરખાંને ધીરેથી વીટાઈ રહી હતી.
· પ્યારા જુવાન, હવે વધુ વાતે પેલી નૌકામાં જઈ કરીશું. મારા ગુલામ ખુશરાજને લઈને આપણને આગળ આવી મળશે.’
.
• ખુશરાજ ? મલિકા, એ તે। મારુ ચક્રવર્તીનું રત્ન છે. હિંદની શહેનશાહતનું સ્વપ્ન એની પીઠ પર રચ્યું છે. તુ જાણે છે કે આજે મારા જાતભાઈ એકબીજાનું ગળું રહેસતાં લેશ પણ અચકાતા નથી. એવફાઈ, ખૂન, આંસુ અને જહેમતની દુનિયામાં એ મારે જોડીદાર છે.'
હુ" જાણું છું. એ ચક્રવર્તીનુ એક રત્ન છે, તેા હુ` બીજું રત્ન છું. હિંદુ શાસ્ત્રોમાં સ્ત્રીરત્નને પણ ખાસ મહત્ત્વનું લેખ્યુ છે, એ મારાથી કાં અજાણ્યું છે ? '
શેરખાં નિરુત્તર બન્યા; નિરુત્તર બનીને આ ચપળ સ્ત્રીને વશ થયા. કેટલાય દિવસે થયા એ ચુનારગઢની આ ચંચળ રાણીના જ મહેમાન હતેા, પણ એને ખબર નહાતી કે મહેમાની ને મિજબાની વચ્ચેથી મહાબ્બતના કાઈ એક છૂપેા તાર તેને એક સૂત્રે ગૂંથી રહ્યો હતા.
જેવા પાતે ઉચ્ચ ખ્યાલાતાના પૂજારી હતેા, તેવી જ આ મલિકા હતી, અને એ માટે કેટલાય દિવસેાથી પેાતે વિધવા બનવા છતાં, અનેક રૂપસુંદર ને શેરબહાદુરની માગણીએ આવવા છતાં, કાઈને ખાવિંદ તરીકે પસંદ કર્યાં નહોતા.
અચાનક દરબદર ભટકતા જુવાન શેરખાં એને મહેમાન અન્યા–પરવાનાને શમા લાધી ગઈ. એણે એની મેટી આંખામાં આદર્શની એક દુનિયા ઊલટતી જોઈ. દીન ઇમાનના પાકા આ જુવાનને એણે સુરાકટારીથી અસ્પશ્ય નિહાળ્યેા, સુંદરીઓનાં નાજનખરાંથી અલગ નીરખ્યા. એ સ્વયં બિસ્મિલ બની ગઈ.
૧૪ : ચક્રવતી ' રત્ન
Page #32
--------------------------------------------------------------------------
________________
થોડી વારમાં શેરખાં ને મલિકા–પાંખમાં પાંખ ભિડાવી ઊડતાં કબૂતર–કબૂતરી શાં, આંખમાં આંખ મિલાવી સ્નેહની સુગંધ વહાવતી ગુલ ને બુલબુલ શા–ધીરે ધીરે નૌકા તરફ જઈ રહ્યાં હતાં. એક વારના કવિતારસિયા જુવાનના મેંમાંથી અજાણ પંક્તિઓ સરી રહી હતી.
જિંદગી હૈ યા કેઈ તૂફાન હૈ, હમ તો મરને કે હાથ જ ચલે, *
૪ આ તો જિંદગી છે કે કોઈ તોફાન છે, મૃત્યુના હાથે જ અમે જીવી ગયાં.
ચક્રવર્તીનું રત્ન : ૧૫
Page #33
--------------------------------------------------------------------------
________________
ભુલાયેલા ભેરુ ૩
યમાં એક છૂપુ' તેાફાન અનુભવતાં બને જ્યારે નૌકા ઉપર પહેાંચ્યાં ત્યારે મધરાત થવા આવી હતી. દક્ષિણના મેદાની વાયુ ફરફરાટી ખેલાવી રહ્યો હતા. નૌકા-ખંડની બધી બારીઓના પડદા પાડી દેવામાં આવ્યા હતા; અને હવે દ્વાર પણ બંધ કરવામાં આવ્યાં હતાં.
નૌકા હંકારવાને આદેશ આપવામાં આવ્યે, તે ઠંડડીમાં યૂટિયાં વાળીને બેઠેલા ગુલામા થોડી વારમાં ગરમી અનુભવવા લાગ્યા. નૌકાના મુખ્ય ખડ ખૂબ કાળા હતા. જમીન પર સુંદર કાલીન બિછાવેલી હતી. મધ્યમાં દીવાલને અઢેલીને ઈરાની ગાલીચા પર મશરૂ તે કિનખાબના તક્રિયા મૂકેલા હતા. આ ખંડના સ્તંભ ચાંદીના હતા, તે છત ઉપર સુંદર વેલબુટ્ટા ચીતરવામાં આવ્યા હતા. છતની મધ્યમાં એક બિલેરી ફાનસ બળતું હતું. સામે જ મેાટા અરીસેા લટકાવેલે હતા. આ બંનેના પરસ્પર પ્રતિબિંબથી પેદા થતી એક નવી જ રાશની આખા ખંડને અજવાળી રહી હતી.
૧૬
Page #34
--------------------------------------------------------------------------
________________
ઇશાંની નમાજના વખત થઈ ચૂકયો હતેા. નૌકામાં પ્રવેશીને શેરખાંએ સ પ્રથમ પવિત્ર નમાજ પઢી લીધી. નમાજ પઢ્યા પછી એનું ગૂંચવાયેલું દિલ ક ંઈક હળવું થતું લાગ્યું. એણે નવી હિંમતનેા સંચાર થતા અનુભવ્યા, અને એના અંતઃકરણમાં સ્વાભાવિક જ ઊગી આવ્યું કે મને કાઈ અદશ્ય હાથ દારી રહ્યો છે. એના ડગુમગુ દિલને શાતા વળી. સ્વસ્થ ચિત્તે એ ગાલીચા પર બેઠે.
લાડુ મલિકા નૌકામાં એક ખૂણામાં લપાયેલા પેાતાના પ્યારા ચિત્તાને પાસે ખેંચી એની સાથે રમી રહી હતી. આ રમતમાં મસ્તક પરથી એનુ સપ્તરંગી એઢણું સરકી ગયું હતું; તે રૂપાળા ગૌર મુખ પરના કાળા કેશકલાપ ગજબ વરસાવી રહ્યો હતેા. નાના શા બે અધર પરના વાદળી જખમ ગમે તેવા ક્લિને જખમ કરે તેવા હતા. બારીના પડદા જબરદસ્તીથી હટાવીને આવતા ચાર જેવો પવન એની અલકલા સાથે રમત રમતા હતેા. આ અલકલટ સમી કરવા સુંદરીએ એક સુંદર રૂપેરી તારવાળા રૂમાલ બાંધ્યા હતા. શેરખાં સ્વસ્થચિત્ત હતેા. એણે માથેથી પાધડી કાઢી નાખી હતી. એના ગરદન સુધી પથરાઈ ગયેલા બંકા કેશ, સિ ંહની કેશવાળી જેવા શાલતા હતા.
મલિકા, તું મને બાદશાહ બનાવીશ ?'
<
શા માટે નહીં ? ચુનારગઢની મલિકાને ત્યાં કઈ વાતની ક્રમી છે? બાબરની તેાપેાના ગાળા એ કિલ્લાની એક કાંકરી પણ ખેરવી શકશે નહી.'
'
બાબર ? સુંદરી, તું એ શેરમ જુવાનને પિછાણતી નથી. એની તાપેાના ગેાળાએ આમુદરિયાથી આસામ સુધી ને શિયાલકોટથી રથ ભાર સુધી પેાતાનું રાજ જમાવ્યું છે. એનું લશ્કર નાનુ છે, પણ વફાદાર છે, એના મેાલ પર જાન આપનારું છે. ત્યારે મારી પાસે...!' શેરખાંએ એક નિરાશાભરી નજર ચારે તરફ ઘુમાવી.
ભુલાયેલા ભેરુ : ૧૭
*
Page #35
--------------------------------------------------------------------------
________________
.
મારી પાસે કાઈ નથી, મલિકા ! મારા શૂરવીર અક્ષાનેાને ઈરાની લેાકા ‘ગમાર ’ કહે છે, અને એ ઉપનામને અમે સાચું કરી દેખાડ્યું છે. આપસની ફૂટ અમને સતાવી રહી છે. અફધાન આજે કિશાખારી પાછળ ઘેલેા બન્યા છે. વેર અને જીવનમંત્ર બન્યા છે. મારા સિપાઈ તેકરીમાંથી શાદી માટે રજા ચાહતા નથી, પણ કાઈની ભૂલને બદલો લેવા–ખૂનના બદલે ખૂન માટે–રા માગે છે. એ માટા ખ્યાલાતને પસંદ કરતા નથી. એને તે દાંતના બદલે દાંત, આંખના બદલે આંખ, જાનના બદલે જાન જોઈએ. અને આ આપસના ઝઘડાઓમાંથી એ ઊંચે આવે ત્યારે ખીજો વિચાર કરે ને ? કાબુલ, ક ંદહાર તે ગિની; હરિરુદ નદી, આમુરિયા ને પવિત્ર પહાડ કાહબાબા ( હિન્દુકુશ ) અધાતાના ભાગ્યમાંથી તે આથમ્યાં. એની ધરતીને ઈરાનીએ શળે, ગજનીએ રેાળે, અરબ બલુચીએ રાબે, તુ ને મેાગલા પીંખે.’
*
*
મારા બાદશાહ, જુવાન દિલેરાને તેા ખાખમાંથી ઇમારત સર્જવાની હાય છે. બાબર શેરમર્દ છે, તે। મારા મહાબલી શેરખાં કાં એનાથી આા ઊતરે તેમ છે?'
ઈમારત સર્જવાની વાત આમ ન હોય. બિહારની કંગાલ ખેડૂત પ્રજાને મેં સુખી કરી, એમનાં માપતાલ નક્કી કર્યાં, એમને બેહાલ થતી બચાવી, તેા જમીનદારેા ગઈ ઊઠયા. બિહારના સૂબાએ, મારા જાતભાઈ એ જ મને કહેવડાવ્યું કે જમીનદારને વધુ નારાજ ન કરશે. જાલિમ વરૂએના હાથમાં ઘેટાં જેવી રાંક પ્રજા રહે સાઈ રહી છે. રૈયત-બાદશાહના જુગજૂના સંબંધની કાઈ તે પડી નથી. રૈયત ભૂખી અને બેહાલ હશે તેા રાજાને શું મળશે, એ વાતની જાણે કાઈને પરવા જ નથી.’
‘ પણ એમ હિંમત હાર્ય ચાલશે?'
•
હિંમત હારી ચૂકયો હેાત તેા સેાનાની મુરઘી જેવી ખાખર
.
૧૮ : ભુલાયેલા ભેરુ
Page #36
--------------------------------------------------------------------------
________________
ને હુમાયુની નોકરી ની છેડત. અફધાને આખરે તે મારા ભાઈ છે. એ સમજશે કે તેમના ફાયદા માટે મેં ઝંડે ઉઠાવ્યા છે, ત્યારે આપોઆપ આવી મળશે! મલિકા, મારા દોસ્ત હેમરાજ કહે છે કે હિન્દુસ્તાન તો આજે ખુલ્લું મેદાન છે. ન રાજપૂત, ન ચૌહાણું કે ન દીપઠાણું કે ન મેગલનું એ છે. જેની પાસે વીરતા હશે, એકદિલી અને દિલાવરી હશે, તાકાત ને તમન્ના હશે, એ રાજ્ય કરશે. એક વાર મેં મારે બાલ્સાહતને ઇરાદે જાહેર કર્યો ને એણે કોઈ ઉસ્તાદ ઈલમ આપે એમ મને કહ્યું:
“શેરખાં! બાબરથી અંજાવાની જરૂર નથી. એ રાજનીતિકુશળ જરૂર છે, પણ અહીંની રાજપદ્ધતિને અજાણ્યો છે. એના મંત્રીઓ ને વજીરો જ રાજય ચલાવે છે. બાદશાહ તે લડાઈઓમાં દીવાનો અન્યો છે. એણે બિચારે કદી એક ગામમાં બે રમજાન મહિના વિતાવ્યા નથી. રાજ્યના ભલા તરફ તેનું લક્ષ નથી, માટે રૈયત એને
યાર નહીં કરે! ઐક્ય જમાવો, એકદિલી કેળવો; અને પછી લશ્કર જમા. રજપૂતાઈ રાણા સંગની સાથે ગઈ. આજે તે અફઘાનની જેમ રાજપૂતો ખુદગરજી ને ખૂબસૂરતી પાછળ મરી રહ્યા છે. ચાહે તે ગયેલી રાજ્યલક્ષ્મી અફઘાનોને સાંપડવી મુશ્કેલ નથી. લશ્કર પર કાબૂ, રૈયત પર સમાન ભાવ, ને અદલ ઈન્સાફ વર્ષોથી જુલમ સહન કરતી આવેલી હિંદુસ્તાનની પ્રજા આજે કેઈ શાંતિના ફિરસ્તાની રાહમાં છે. મલિકા, મારા ઉસ્તાદના ઇલમની વાત તને કરી. બોલ, હવે તું મને બાદશાહ બનાવીશ ?”
“શા માટે નહીં ? આવતી કાલે આપણી શાદી થશે ને આવતી કાલે શેરખાં શહેનશાહીના પેગામ છેડશે. ચુનારગઢની મલિકાને ત્યાં કઈ વાતની ખોટ છે ?” મલિકા ચિત્તાના માં સાથે પોતાના સુંદર ગાલ ઘસી રહી હતી.
ખોટ ? એક જ બાબતની.” કઈ બાબતની?”
ભુલાયેલે ભેરુ : ૧૯
Page #37
--------------------------------------------------------------------------
________________
“હેમરાજ જેવા વઝીરેઆઝમની !” “હેમરાજ કેણું છે?” મેવાતનો એક શ્રેણી છે, વાણિયો છે.”
વાણિયાની ખોટ ? ચુનારગઢને ખજાનો છલે છલ છે. એવા હજાર વાણિયાની તે ચાકરી નોંધી શકે તેમ છે.'
ના, ના, એ ભોળી મલિકા ! એ વાણિયે એવો નથી. એ. તો આગનો તારો છે. એના એક દિમાગમાં હજાર લશ્કરોનું બળ છે. એના શબ્દોમાં મડદાંને સજીવન કરે તેવી તાકાત છે. એના બાહુમાં સતનતોને સરજવાની ને ભાંગવાની અજબ કરામત છે. આજે તો હિંદુસ્તાનમાં બીજે હેમરાજ નથી !'
“દિલેર શેરખાં જેવો જેના પર આફરીન બને, એ હેમરાજ કેવો હશે ? એક દીનદાર, ઈમાનદાર સિપાહી કાફર કેમના એક આદમીનાં વખાણ કરે, એ આદમી ખરેખર અજબ હે ઘટે.'
અજબ, મલિકા, અજબગજબ! એકવાર તું એને જુએ તે શેરખાને પણ ભૂલી જાય. એક જ હેમરાજ શેરખાંની બાંહ્ય પકડે, એને વઝીરેઆઝમ બને તો હિંદની સલ્તનત અમને નાની પડે !' એ કાફર નથી; શેરખાંને સગો ભાઈ છે, એનો લંગોટિયા દોસ્ત છે.”
“શેરખાંને લંગોટીઓ દેત? શેરખાંની શાદીમાં એને જરૂર તેડાવીશું.'
શાદીમાં એ નહીં આવે. જરૂરી કામ સિવાય એ ઘર છોડતો નથી, ને જરૂર પડતાં એ જહન્નમના દરવાજા પણ વધી શકે છે.'
“જહન્નમના નહીં, જન્નતના દરવાજા એ વીધશે. હવે ચુનારગઢની મલિકાના મહેલમાં જન્નતની જાહોજલાલી જામશે. આપણી શાદીની શરણાઈ આવતી કાલની શહેનશાહતની શરણાઈ બનશે.”
સુંદરી ! એ શરણાઈ તો મારે દેત જ બજાવી શકે.. ૨૦ : ભુલાયેલે ભેર
Page #38
--------------------------------------------------------------------------
________________
વર્ષોની યાદ ફરીથી તાજી બને છે, ઘણા વખતથી ભુલાયેલ દેરતા આજ ફરી યાદ આવે છે. મારે હેમરાજ !”
“રાત છેડી જ બાકી છે. આરામ લે !” મલિકાએ પોતાની કીમતી શાલ આપતાં કહ્યું, “ આવી રહેલી વસ્લની રાતો માટે
ડી વાતો ભલે બાકી રહે !” મલિકા હસી. એ હાસ્યમાં અજબ માદક્તા હતી. એ માદકતાની અસર થઈ
ઈરાદાને મજબૂત શેરખાં ફરીથી આ ખૂબસૂરત ઓરત પાસે નરમ પડી ગયો. એણે કમરબંધની કટાર ને બંદૂક સિવાય બીજાં શસ્ત્રો ઉતારીને અળગાં મૂક્યાં. હવા ભીની હતી; હૂંફાળી ગોદમાં લપાઈ જવાનું મન થાય તેવી હતી. શેરખાંએ એક વાર બારીને પડદે ઊંચે કરીને જોયું. પરોઢના સિતારાઓ ઊગવાની તૈયારીમાં હતા.
મલિકા, મારા દોસ્ત હેમરાજને આપણું શાદીમાં જરૂર તેડાવીશું. અરે! આ જમુના ને ગંગા તો અમારી રમતનાં મેદાન હતાં.”
ભુલાયેલ ભેરુ : ૨૧
Page #39
--------------------------------------------------------------------------
________________
જમુનારાણીનાં નીર જ બડભાગી હતાં. સ્વમ દ્રષ્ટાઓની એ જનેતા હતી, એનાં નીર જેને ખતાં એની મહત્ત્વાકાંક્ષાને કાઈ સીમા કે મર્યાદા ન સ્પર્શી શકતી.
તિજી
અરુણુ જ્યારે પૂર્વદિશાનું પ્રકાશલયુ દ્વાર હળવે હાથે ઉધાડી રહ્યો હતા ત્યારે જમનાના જળને આળંગીને એક જતિજી દ્દિલ્હીના રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. કદાવર એમને દેહ હતા. વિશાળ એવુ' ખુલ્લું મસ્તક હતું તે અડવાણા પગ હતા. શરીર પર કેવળ એ વસ્ત્રા ધારણ કરેલાં હતાં. માંસલ સ્નાયુઓવાળા હાથમાં એક મેાટા વાંસના દડા હતા, ને બગલમાં ઊનનુ રજોહરણું હતું. સ્કંધ પર આઢવા તે પાથરવા માટે માત્ર એક સાદી ગર્મ
અલ હતી.
લાંખે પ્રવાસ કરીને એ આવતા હતા. એમના પગ ખડતલ હતા. એ ચાલતાં કદી ન થાકતા. એ ચાલતા ને જાણે ધરતી ધ્રૂજતી. એ મિતભાષી હતા,,
૨૨
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રિય ને પરિમિત ભાષા બેલતા, ને બેલતા ત્યારે જાણે સ્વયં સરસ્વતીના અવતાર લાગતા. પગપાળા પ્રવાસ અને માધુકરીની ભિક્ષા એ એમનું જીવનવ્રત હતું. અને એટલે એમણે આર્યાવર્તની ભૂમિને પોતાના પાકમળથી પવિત્ર કરી હતી. ગામ-નગરોને પોતાના ક્ષણિક વાસસ્થાન બનાવી ચિરસ્મરણીય બનાવ્યાં હતાં. હજારોને પિતાના ઉપદેશામૃતથી સિંચ્યાં હતાં. અને આ કારણે જ એમને શહેર, ગામ કે જંગલના કોઈ માર્ગ અપરિચિત નહોતા. ઘેરઘેરથી માધુકરી લેનાર હોવાથી જનતાની આર્થિક ને સામાજિક સ્થિતિથી પૂરા વાકેફ હતા. આર્ય—અનાર્ય, હિંદુ-મુરિલમ, યવન કે શુદ્ર કોઈ એમને અજાણ્યા નહતા.
ભરૂભૂમિના એ બાશિંદા હતા. અસલ નાગોર કે જ્યાં કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચઢે આચાર્યપદ સ્વીકાર્યું હતું, ત્યાંના એ જતિજી હતા. તસતસતી જુવાની અને ઊછળતી મહત્ત્વાકાંક્ષા પર સંયમ સાધી કામિની અને કાંચનને તેમણે તૃણવત લેખ્યાં હતાં. મોક્ષ એમને ધ્રુવતારક હતો. અને એ તારકના સાધનરૂપ પોતાના શાસનના જય માટે–જૈનશાસનના જય માટે–એમણે જીવન સમપ્યું હતું.
“પંચ મહાવ્રત'ના એ પાલક હતા. શ્રુતજ્ઞાનના એ ઉપાસક હતા. યુગ(ધાંસરી)પ્રમાણ દૃષ્ટિ રાખી વસુધાતલ પર વિહરનારા હતા. વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવા રૂ૫ “સમિતિ ના એ ધારક હતા. મન, વચન ને કાયાને સંયમમાં લેવારૂપ “ગુપ્તિ'ના એ ગોપ્તા હતા. આઠ પ્રવચનમાતા”ના* એ પૂજારી હતા. સંયમની શુદ્ધતા ને * પાંચ મહાવ્રત · અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. જ આઠ પ્રવચનમાતા : (૧) જવા-આવવામાં વિવેક પ્રવૃત્તિ. તેવી રીતે, (૨) ભાષામાં, (૩) આહારપાન આદિમાં, (૪) વસ્તુ લેવા-મૂકવામાં, (૫) શૌચસબંધમાં, (૬) મતસંબંધી, (૭) વચનસંબંધી, (૮) કાયાસંબંધી.
જતિજી : ૨૩
Page #41
--------------------------------------------------------------------------
________________
તપનું તેજ તેમના ચહેરા પર ઊગતા ચંદ્રની આભાથી પ્રસરેલું હતું. એમનું ખુલ્લું મસ્તક કોઈ ઉત્તુંગ ગિરિશિખરની ભવ્યતાની યાદ આપતું.
જૈન સંઘના એ માનનીય હતા. “એક વાણિયે ને બીજે શાહ બાદશાહ” જેવા દાનવીરો એમના શબ્દ પાછળ અનર્ગળ સુવર્ણ ખર્ચવા તૈયાર હતા. સોનાને મેરુ રચવો એમના માટે દુષ્કર નહોતો, કારણ કે સુવર્ણના સંગના એ ત્યાગી હતા. અણિમા, ગરિમા, મહિમા, લધિમાં સિદ્ધિઓના એ સાધક કહેવાતા. કાવ્યકલાપ કરવામાં કુશળ હતા. લક્ષણશાસ્ત્રના એ પારંગત હતા. તર્ક, વિતર્ક ને વાદતવમાં એ વિચક્ષણ હતા. અક્ષરશાસ્ત્ર ને આરોગ્યશાસ્ત્રના એ અધિષ્ઠાતા હતા. જ્યોતિષના એ જાણકાર હતા.
આવા આ મહાન જતિજી છેલ્લાં કેટલાંક વર્ષોથી સંતપ્ત હતા. એમના હૈયે ચેન નહોતું. એમના મનને આરામ નહોતો. એમના મસ્તિષ્કમાં શાંતિ નહતી.
કારણ?
કારણ એક જ કે જે પોતાના પ્યારા જૈન શાસન પાછળ તેમણે જીવન અર્પણ કર્યું હતું, તે જૈનશાસન આજે ભયમાં હતું. પિતાના આત્મારામ તીર્થકરોની પૂજનીય પ્રતિમાઓ અત્યારે જોખમમાં હતી. ભવોભવ તરવાના નાવરૂપ પવિત્ર તીર્થો પર વિનાશનો દૈત્ય ડોળા ફાડીને જોઈ રહ્યો હતો. દેવવિમાન જેવા સૈારાષ્ટ્રમાં આવેલ શત્રુંજય પર, જીર્ણ દુર્ગના ગિરનાર પર, આબુ-તારંગા પર, સમેતશિખર ને બીજાં પ્રિય તીર્થો પર ભયંકર વાવંટોળ ચઢી આવતા દેખાતા હતા. મહાવીર પ્રભુની પ્યારી સાધુસંસ્થાને, તીર્થ માળને ભરખી જનારાં તો સજીવન થતાં હતાં.
કોણ હતાં એ અપ્રિય તો! ઇરલામીઓ, અમૂર્તિપૂજક ૨૪ : જતિજી
Page #42
--------------------------------------------------------------------------
________________
મુસલમાને? ના, જતિજી ઇતિહાસના જ્ઞાતા હતા. ધર્મ-ધર્મ વચ્ચેની જેહાદ તે મહાવીરના કાળથી ચાલી આવતી હતી. મજહબી જેશમાં પાગલ બનેલા, પછી તે બૌદ્ધ હોય, જેન હોય, શૈવ હોય, મહાભાગવત હોય કે વૈષ્ણવ હોય, શક હય, દૂણુ હોય કે મુસલમાન હેય; એકબીજાએ એકબીજાનાં ધર્મનાં પ્રતીકને ઉખેડી નાખવાના પ્રયાસ ક્યાં હતા.
પણ જતિજીને એ માટે વ્યથા નહોતી.
પિતાનું ઘર પાકું હોય તે પરધમ ઓ ને પરદેશીઓ બિચારા શું કરી શકવાના હતા? આર્યાવર્તના સમુદ્રમાં મોતી, પર્વતોમાં માણેક, વૃક્ષમાં સુવાસિત અગર અને પૃથ્વીમાં સેનું અભરે છલકાતું હતું. જલમાર્ગે ને સ્થળમાર્ગે અબજોને વ્યાપાર ખેડાતો હતો. ધર્મપ્રાણ ભારતની ત્રણ તરફ સમુદ્રનાં જળ ને એક તરફ નગાધિરાજ અનંત કાળથી ચેકીદાર બનીને પડયા હતા. આંધીની જેમ આવનાર ને બગલાની જેમ ચાલ્યો જનાર સિકંદર કે તેને સેનાપતિ સેલ્યુકસ હિંદમાંથી શું ખાટી ગયા? સમુદ્ર ફીણ જેવા શક કે દૂણે આર્યાવર્તને શું અધૂરું બનાવ્યું ? તેઓ કહેતા હતા કે શત્રુ સદાકાળ છે, એથી અમો સચિંત ને સાવધ રહીએ.
મેદાન તો જાગતું સારું. ઘર સલામત તો શત્રુની કોઈ ચિંતા નહિ. પણ આજે ઘરમાં જ ગાબડું પડ્યું હતું. એક શાસનના સેવકોમાં જ ગૃહકલેશ ભભૂકી ઉઠ્યો હતો. પરધર્મીઓ તીર્થોને નિષેધ કરે તે સહ્ય હતું, પ્રતિમાઓનું અપમાન કરે તે સ્વાભાવિક * जीवन्तु मे शत्रुगणाः सदैब, येषां प्रसादेन विचक्षणोऽहम् । यदा यदा मां भजते प्रमादस्तदा तदा ते प्रतिबोधयन्ति ॥ . મારા શત્રુઓ સદા જીવતા રહે, જેમની કૃપાથી હું વિચક્ષણ છું. જ્યારે જ્યારે હું પ્રમાદ કરું છું ત્યારે ત્યારે તેઓ મને જાગ્રત કરે છે. -
જતિજી : ૨૫
Page #43
--------------------------------------------------------------------------
________________
હતું; પણ આ તે જૈન શાસનના જ પૂજારીએ, એના જ ઉપાસકઃ વધીઓએ નિરભ્ર ધર્માંકાશમાં અકાળે વજ્રપાત કર્યાં હતા. તેઓ કહેતા હતા કે નપ્રતિમા જોઈ એ, ન સાધુ ખપે, ન ચાલુ સમાચારી કલ્પે ! શાસનના મહત્ત્વના તમામેતમામ સ્તંભો પર જ ધા!
શાસનના સેવક જ સગે હાથે શાસનને આગ ચાંપવા ખડા થયા હતા. અમદાવાદના એક પ્રતિભાશાળી ને લાગવગવાળા શાહે* જિનપ્રતિમા ને જિનપૂજાના નિષેધના પાકાર પાડ્યો હતા. ઇસ્લામીએની બુતપરસ્તીની જેહાદ ચાલુ જ હતી. ત્યાં આ પ્રતિમાનિષેધને પાકાર પાડયો. પાકાર પાડનારે શાસ્ત્રોના આધારે। ટાંકવા, આગમેાના ઉલ્લેખા બતાવ્યા ને સૈકાના કષ્ટથી પ્રતિમાપૂજન ટકાવી રહેલ જનતાના ઉત્સાહ પર કુઠારાધાત થયેા. ભલું થયું ભાંગી જંજાળ. હવે તે અશાંતિનાં નિમિત્ત બનેલાં આ તી ન જોઈ એ, ન મદિર જોઈ એ, ન પ્રતિમા કે ન દેવમૂર્તિ જોઈએ? ચિંતા માત્ર છૂટી!
ઘરમાં લાગેલી આગ કેમ મુઝાવવી ? તિજી આ વિમાસણુમાં હતા ત્યાં એક નહીં પણ અનેક જ્વાલામુખીએ ફ્રાય્યાના ઉપરાઉપરી સમાચાર તેમને સાંપડ્યા. મૂર્તિનિષેધાના પંથમાં વિદ્યાના ભળતા હતા. તેઓએ નવાં શાસ્ત્ર, નવા વાદેાપવાદ, નવા તર્કવિતર્ક રચ્યા તે આ વાદ ખૂબ પ્રચારમાં આવ્યેા. અને આટલાથી જાણે પૂરું ન હેાય તેમ એક વળી નવા · કડુવા ’ નામને વિદ્વાન પાકયો. એણે મૂર્તિપૂજાના નિષેધ ન કર્યાં, પણ સાધુસ ંસ્થાએ સામેજ બળવા ઉઠાવ્યેા. એણે કહ્યું : વર્તમાન કાળે સાધુએ છે નહીં, માટે સાધુ ન કરવા. શ્રાવકવેરો સંચરવું તે ઉપદેશ કરવા——એ એને મત હતા.
ધરને એ બાજુથી આગે ઝડપી લીધું. એટલામાં વળી ચાલુ શાસ્ત્રસમાચારી (આચારધમ)ના વિરાધ કરતા એક વધુ મત ખડી થયેા. હવે તેા કાઈ મા ન રહ્યો. અધૂરામાં પૂરું. આ વેળાએ * લાંકાશાહ (સ. ૧૫૦૮).
૨૬ : જતિજી
Page #44
--------------------------------------------------------------------------
________________
પુષ્ટિમાર્ગ નામના સંપ્રદાયે ગુજરાતમાં પ્રવેશ કર્યો. સંન્યાસી થવાની જરૂર નથી, પ્રભુભક્તિ જ ધર્મનું મુખ્ય સ્થાન છે એવો એનો સિદ્ધાંત હતો. જૈનશાસનના અંદરના વિખવાદથી થાકેલા કેટલાક જૈનો ભેગ–નવેદ્ય, કૂલ, હિંડોળાખાટ ને તેના રમણીય તરવજ્ઞાન તરફ આકર્ષાયા.
જૈન ધર્મ ચાળણીની જેમ ચળાવા લાગ્યું. ધર્મપ્રાણ જતિજી આ ટાણે દધીચિનું વ્રત લઈ બેઠા. તેઓ પોતાના અસ્થિથી શાસનરક્ષણ થતું હોય તો તે અર્પણ કરવા તૈયાર હતા, પણ સગી આંખે ગિરિશિખર પરની મંદિરમાળ, દેવવિમાન સમાં મનહર મંદિરે, ને તીર્થધામો ઉપાસકે વિના રઝળતાં–રવડતાં કલ્પવા તૈયાર નહોતા. જે શાસનમાં શ્રી. સિદ્ધસેન દિવાકર, મલવાદી, શ્રી. જિનભદ્રસૂરિ, શ્રી. હરિભદ્રસૂરિ, શ્રી. અભયદેવસૂરિ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, શ્રી. ચંદ્રપ્રભસૂરિ જેવાં સાધુરને પાક્યાં, એ સાધુરૂપી કલ્પવૃક્ષને ઉચ્છદ સ્વીકારવા કરતાં પોતાના જીવનને સહસ્ત્ર વાર ઉચડેદ સુકર કલ્પતા હતા. તીર્થકર–ભાખિત ને ગણધરરચિત આગમશાસ્ત્ર અપ્રામાણિક ઠરે, એના ઊંધા અર્થ થાય તો આ વિદ્વત્તાનો, આ કીર્તિને શું અર્થ?
ધર્મપ્રાણ જતિજીએ સહુને જાગ્રત કરવા, ઢઢળવા માંડયા, તો સુખશીલિયા સાધુઓએ ઠંડે પેટે એક જવાબ વાળ્યો :
જતિજી, તમારો પ્રલાપ વ્યર્થ છે. અત્યારે રાજ બીજાનું છે. નકામી માથાકૂટ શી ! ભગવાન મહાવીરે ભવિષ્ય ભાખતાં ગુરુ ગૌતમને કહ્યું છે, કે “એકવીશ હજાર વર્ષ સુધી મારું સાધુ, સાવી, શ્રાવક શ્રાવિકારૂપ તીર્થ અવિચ્છિન્ન રહેશે. માટે નિરાંતે પઠન પાઠન કરે, શાંત ચિત્તે સાધુધર્મનું પાલન કરો. જૈનશાસન
* गोयमा, जंबुद्दीवे दीवे भारहे वासे ममं इमीसे ओसप्पिणीए વિસવાસસહારું તિથે મજુનિસેફ –ભગવતીસૂત્ર
જતિજી : ૨૭
Page #45
--------------------------------------------------------------------------
________________
તે સદા જયવંતું જ છે. નકામા આપણુ સાધુને વળી ઉધામા શો ?” હાય, આ જવાબ પેાતાની કણેન્દ્રિયથી સાંભળવા કરતાં પૃથ્વી માગ આપે તે સમાઈ જવામાં આ શાસનસુભટને ખરેખર સુખ જ લાગત. પુરુષાર્થ ને પ્રારબ્ધ બંનેના ઉપાસક જૈતેની આ દુર્દશા! જતિજી દિવસા સુધી અશાંત રહ્યા. એમને આછું આછું આવવા લાગ્યું. જો શાસનને હીનતામાંથી ન બચાવી શકાય તે આ સંયમ, ત્યાગ ને તપ શા કામનાં ? પ્રભુનું શાસન હજાર વર્ષ ચાલે, પશુ આવી નિળતા ને પરાશ્રયીપણાથી ચાલે તે એના અર્થ શું? એની અસ્મિતા શી ? એની વિશેષતા શી ?
અને આ શાસનસુલટને યાદ આવ્યા—વિક્રમપ્રતિમાધક સિદ્ધસેન, અશાકપ્રતિખાધક ઉપગુપ્ત, પુષ્યમિત્રપ્રતિષેાધક પતંજલિ ને સિદ્ધરાજ-કુમારપાળપ્રતિાધક હેમચંદ્રાચાર્યે ! એમની સ્વીકૃત નૃપ-પ્રતિમાધની નીતિ તેમને યેાગ્ય તે ઉચિત ભાસી. શાણપણુ એકલું ન ચાલે, સાથે સત્તા પણ જોઈ એ !
સત્તા-રાજ્યાશ્રય—વિના ધર્મનું વિવિધરંગી ગુલાબ ન ખીલે ! રાજવી ગમે તે ધન! હાય, અને પ્રતિમાધવા-ઉપદેશ આપવા; યેન કેન પ્રકારેણ પેાતાને રાગી બનાવવા અને એ માટે પેાતાનાં વિદ્યા, વૈરાગ્ય કે વ્યક્તિત્વ ખવાં પડે તેા ખવાં, પણુ રાજ્યાશ્રય હાંસલ કરી ધર્માંના ઉદ્યાનને સેળે કળાએ ખીલવવું. જતિજીને નિન વેરાન રણમાં જાણે એક મીઠી વીરડી લાધી ગઈ. અંધારી રાતમાં એકાએક પૂર્ણચંદ્રના ઉદય થયા!
મારવિજય સાધવા નીકળેલા જતિજીએ હવે રાજ્યાશ્રય મેળવવા કમર કસી. આ માટે એમણે રાજકારણમાં ઝુકાવ્યું; દેશ, ધર્મો ને સમાજની સ્થિતિની ઊંડી અવગાહના કરવા માંડી. એમના જીવનમત્ર એક જ હતા; એમની સાધના, સહિષ્ણુતા ને વિદ્વત્તા એક જ કા પાછળ ખર્ચાતી હતી અને તે જૈનશાસનના જય માટે. સાચી
૨૮ : જતિજી
Page #46
--------------------------------------------------------------------------
________________
સાધનાને સિદ્ધિ વરવી અશકય નથી, એ વિજય પામતા ચાલ્યા. કેટલાય સુબાને, સામ ંતને, સુલતાનાને એમણે પેાતાન પ્રતિભા, વિદ્વત્તા, લાગવગ, ચમત્કારથી જૈન ધર્મ પ્રત્યે સહિષ્ણુ બનાવ્યા. પણ એ તેા હજી એમના કાર્યોનું પ્રથમ પગથિયું હતું. એમને તે! આખા આર્યાવર્ત પર જેની હાક વાગતી હોય એવા ચમરબંધી રાજવીને પેાતાના અનુયાયી બનાવવેા હતેા; સિદ્ધસેનની જેમ કેાઈ વમાનકાલીન મહા વિક્રમને પ્રતિભેાધવા હતા.
અને આ માટે ભારતવર્ષના ભાગ્યાકાશસમા દિલ્હી નગરમાં, મભૂમિના વાવટાળેા વટાવી, રાજકીય વાવટાળેામાં તેએ પ્રવેશતા હતા. એમની પાસે વિરતિ હતી, એટલે રાજક!જના લપસણા પ્રદેશમાં લપસી પડવાને એમને લેશમાત્ર ડર નહાતા. એમની પાસે વિદ્યા અને બુદ્ધિ હતી, એટલે રાજસભામાં ઝાંખા પડવાને સંભવ નહોતા. હૈયામાં હામ હતી તે પાસે દામ ખર્ચ તેવા દાનવીરા હતા. ગંગાજમનાને ખાળવાને સેાનારૂપાની પાળ બાંધવી પડે તે તે માટે એ સમર્થ હતા. એમની ઝોળી ભિક્ષાની હતી, પણ એમાં દેશના દેશને ઉદ્દારવાની શક્તિ હતી.
જરૂર હતી ફક્ત રાજ્યાશ્રયની, અને એ માટે રાજરમતના મહામેદાનસમા દિલ્હીના દરવાજાને તેએ એળંગતા હતા. મહાભારતના ઇંદ્રપ્રસ્થનાં ખંડેરેશને વીંધીને એ આગળ વધ્યા કે એમની નજર કુતુમિનાર પર મંડાઈ ગઈ. જૈન અને હિં...દુ મંદિરના અવશેષામાંથી સર્જાયેલા આ કુતુબમિનાર !
તે જતિની કલ્પના એકદમ ભલી ઊઠી.
દિલ્હીના આજના મેાગલ રાજવીને શા માટે નિર્દંશ ન બનાવી શકાય ? પણ દિલ્હીના રાજવીઓને મળવું, અને સ્વર્ગ ના રાજવીઓને મળવું સાધુ માટે એકસરખું હતું. છતાં હામ હાયે કઈ ચાલે!
.
જતિજી : ૨૯
Page #47
--------------------------------------------------------------------------
________________
શહેર માથે તો કોણ જાણે કેટલાય નવનવા વાવંટોળ વાયા કરે છે. એ વાવંટોળોમાં માર્ગ કરે સહેલ નહોતે, છતાં મુશ્કેલને સહેલ કરવાનું તો તેમનું વ્રત હતું, પહાડનાં પડ ભેદીને બહાર નીકળી આવતા નિર્મળ ઝરણાનું દૃષ્ટાંત તેમણે યાદ કર્યું. આત્મા સો પરમાત્માની ધૂન લગાવનારને શું કઠિન હતું ?
માલ–અસબાબ વગરના, સાધન–સામગ્રી વગરના, એકલહથ્થા નિષ્કચન જતિજી આજે દિલ્હીના દરવાજામાં પ્રવેશતા હતા. ઓળખાણમાં એક માત્ર પરિચયપત્ર હતો—જોધપુર પાસેના મંડોવર ગામના એક શ્રેષ્ઠીએ દિલ્હીના એક ઝવેરી પર લખી આપેલ.
કાગળને એક નિર્જીવ ટુકડો શું સધાવશે? પણ જતિજીને એની પરવા નહોતી. એ કાગળની ના તરનારા હતા. એમના મસ્તિષ્કમાં અનેક મહાન યોજનાઓ, એમની સ્મૃતિમાં અનેક રોમાંચક સમાચારો ને એમની ખાલી ઝોળીમાં જેને દાનવીરોની અઢળક લક્ષ્મી છલકતી હતી.
દિલ્હીનગરના ઉત્તર દરવાજામાં પ્રવેશ કરતાં તેમણે ધીરેથી ઉચ્ચાયું: ‘જેન શાસનને જય હો !”
છે'.dish
F,
III
૩૦ : જતિજી
WWW.jainelibrary.org
Page #48
--------------------------------------------------------------------------
________________
દિલ્હીના ઝવેરી પ
જતિજી જેના પર પરિચયપત્ર લઈ તે દિલ્હી આવ્યા હતા, એ દિલ્હીના ઝવેરીનું મકાન શોધતાં તેમને બહુ વિલંબ ન લાગ્યા. શ્રેષ્ઠી રાજપાળજી કે જેએ વર્ષોથી બંગાળના સૂબાના અંગત સલાહકાર હતા, તેમના પુત્ર દિલ્હીના સુવિખ્યાત ઝવેરી શ્રેષ્ઠી હેમરાજીને ઘણા પિછાણુતા : દિલ્હીના ઝવેરીઓમાં એ નામાંકિત ને પ્રતિષ્ઠાવાન હતા. બાદશાહી જનાન ખાનાઓમાં એ ઝવેરી તરીકે પસંદ થયેલા હતા. એકથી એક કોટિસહસ્ર દીનાર સુધીનું ઝવેરાત એ પૂરું પાડતા. લાગવગ, પ્રતિભા તે ખીજા ગુણૈાથી દિલ્હીમાં શ્રેષ્ઠી હેમરાજજી અપૂર્વ માનપાનના અધિકારી ગણાતા હતા.
આ શ્રેષ્ઠીના ઇતિહાસ કહેનારા બહુ રસથી કહેતા. તે વિક્રમ સંવત ૧૧૭૬થી વાત શરૂ કરતા તે કહેતા કે શ્રેષ્ઠી રાજપાળજી મૂળ રાજપૂતાનાના હાકેમ, કે।ઠારી એમની અટક. આજના જગપ્રસિદ્ જોધપુર શહેરને તે જન્મ પણ નહાતા થયા એ વેળાએ જોધપુરની પાસે મંડાવાર નામનું એક સુંદર ગામ આવેલુ છે ત્યાં, ઇંદા પડિહાર ગેાત્રના રાજા નાનુદેવજી રાજ્ય કરતા હતા.
૩૧
Page #49
--------------------------------------------------------------------------
________________
રાજા નાનુદેવજી એ જ શ્રેષ્ઠી રાજપાળજીના ને શ્રેણી હેમરાજજીના પૂર્વજ ! એક વેળા અચાનક શ્રી જિનવલ્લભસૂરિ નામના એક જૈન સાધુ ત્યાં કરતા ફરતા આવ્યા. ‘ ગણુધર સાર્ધશતક' જેવા ગ્રંથના એ વિદ્વાન રચયિતા હતા તે બાવન ગેાત્રોને જૈન બનાવનારા હતા. શું પ્રભાવી તે શું ચમત્કારી ! કાઈ એ રાળ નાનુદેવજીને આ સૂરિજીના આગમનની વાત કરી. તેઓ તે એવા જોગી જોગંદરની રાહમાં હતા જ. તરત ત્યાં ગયા તે ગુરુચરણે પડથા, ને આશીર્વાદ યાચ્યા. આશીર્વાદ યાચાં ગળગળા થઈ ગયા. કરુણાના અવતારનું દિલ પીગળી ગયું.
‘રાજા એક નહી. ચાર પુત્ર થાય, પણ એક શરત પાળીશ ?” સૂરિજીએ થાડી વાર શાંત રહી દયા હ્રદયે કહ્યું.
જરૂર પાળીશ, પ્રભુ !' રાજાના હૃદયમાં છૂપા આનાદ હતા. પ્રભુ શાખે ?’
<
‘પ્રભુ શાખે.’
પહેલે પુત્ર મને ભેખ માટે અણુ કરીશ ?” “અવશ્ય.' રાજાના મેલમાં છૂપી કંપારી હતી.
"
<
વિદ્વાન તે તપેાબળવાળા સૂરિજીએ રાજા તે રાણી તેના મસ્તક પર વાસક્ષેપ નાખ્યું. કુદરતનું કરવું તે જોગ ંદરના મેલે જાદુ કર્યું. રાજા નાનુદેવજીને ત્યાં ચાર ચાર પારણાં હીરાદારીએ હીંચવા લાગ્યાં. વાહ ગુરુ ! વાહુ કરામત ! આવા પ્રતાપી ગુરુ શ્રી જિનવલ્લભસૂરિજી વિ. સં. ૧૧૮૦માં પરલેાક પધાર્યાં, ને તેમની પાટે મહાપ્રભાવવત તે અચિંત્ય શક્તિધારક શ્રી. જિનદત્તસૂરિજી× આવ્યા. કાળનાં વહેણુ
* સુગધી પદાર્થ, જે આજે પણ મત્ર ભણીને નાખવામાં આવે છે. × દાદાસાહેબના નામથી પ્રખ્યાત સૂરિરાજ. આજે ગુજરાતમાં અને ખીજે ઘણાં ગામેામાં તેમનાં પગલાં દેરીઓમાં પધરાવેલાં જોવાય છે.
૩૨ : દિલ્હીના ઝવેરી
Page #50
--------------------------------------------------------------------------
________________
વહી ગયાં, ને રાજા નાનુદેવજી પણ વચન વીસરી ગયા. સગા પેટની ઓલાદને સન્યાસ કેમ અપાય ? રાજા ને રાણી ચૂપ રહ્યાં.
શ્રેષ્ઠી રાજપાળના પુત્ર, જેમતે જતિજી મળવા આવ્યા હતા, તે શ્રેષ્ઠી હેમરાજ! હેમરાજજી નેનપુરની પ્રસિદ્ધ શાળામાં ભગેલા તે નાની ઉંમરમાં સૂબાની કૃપા મેળવેલી. સૂબા તેમને પ્યારમાં હેમુજી કહીને ખેલાવતા. પિતાએ રાજકીય ખટપટાથી અળગા રાખવા પેાતાના આ પુત્રને ઝવેરીનેા ધેા શીખવ્યા, તે હેમરાજજીએ થાડા વખતમાં ભારે નાગના મેળવી. દિલ્હીમાં તેમની શાખ અજોડ હતી. નવાખે, સૂબાએ તે સુલતાનેા એમના પગથિયાં ધસતા. જતિજી રજપૂતાનાના આ રત્નની મદથી કંઈ કાર્ય સાધવાની
ભાવના ધરાવતા હતા.
દિલ્હીના રાનકદાર અારા વટાવી એક મેટા ચકલામાં આવીને જતિજી ઊભા રહ્યા ત્યારે રરતે જનારે તેમને આંગળી ચી ́ધીને હેમરાજજીનું મકાન બતાવી દીધું.
બહારથી એ સાદી કોતરણીવાળું તે કેવળ સફેદીથી મઢેલું હતું. કેટલેક ઠેકાણે લાલરંગની ઈંટનુ ને સાદા આછા રંગનું ચિત્રકામ હતું. બહારથી જોનારને અંદરના વૈભવની યયા કલ્પના આવી શકે તેમ નહેાતી.
મજબૂત દ્વારવાળી ને પિત્તળના ચાપડા જડેલી ખડકી વીધીને અંદર જનારને એક નાના સ્વચ્છ ચાક વીંધવે પડતા. આ ચાકની મધ્યમાં નાના એવા સંગેમરમરના હેાજ હતા, જેની મધ્યમાં ચાંદી ને સાનાના રસથી રસેલા નાજુક ફુવારા ઊડવા કરતા હતા. ચાકથી અંદર જવા માટે ખીજા એ સુશોભિત આરડા વીંધવા પડતા, જ્યાં સામાન્ય રીતે દાસદાસીએ કામ કરતાં નજરે પડતાં. તેએ આવનાર–જનારનું યથાયેગ્ય સન્માન કરતાં, અને આગન્તુકની ખબર અંદર આપતાં. આ મે એરડા પછી આવતા નાના ખુલ્લા ભાગ પછી, આગ
દિલ્હીના ઝવેરી : ૩૩
૩
Page #51
--------------------------------------------------------------------------
________________
તુકોને મળવા માટે એક વિશાળ ઓરડામાં દીવાનખાનું આવેલું હતું. આખું દીવાનખાનું મજબૂત પથ્થરોથી બનાવેલું હતું, ને ઊંચે રાતા કીમતી પથ્થરોની નકશીદાર જાળીઓ ગોઠવેલી હતી. જાળીઓની બાજુમાં કલાકારીગરીવાળા નાના ગોખ બનાવેલા હતા, જેમાં દૂર દૂર દેશથી આણેલાં હાથીદાંતનાં રમકડાં, બિલોરી કાચનાં પાત્રો, સોના-ચાંદીના જડાવદાર હથિયાર ને જડાવકામ કરેલી શીશીઓ હતી. દીવાનખાનાની છત સોનેરી ઢળથી ચીતરેલી વેલ ને પૂતળીઓથી સુશોભિત હતી. સાદાં ને ચમકદાર કીમતી ઝુમ્મરે ત્યાં લટક્તાં હતાં.
આખા દીવાનખાનાની ફર્શ ચાર આંગળ જાડી રૂની ગાદીથી મઢી લીધેલી હતી, ને મધ્યભાગમાં બે ચીકનના અને જરીભરતના કામથી શોભાયમાન ગાલીચા બિછાવ્યા હતા, ને ભીંતસરસે એક મેટા ઉમદા રેશમી કિનખાબનો તકિયે મૂક્યો હતો. ઉપરાંત અડખેપડખે કૂલબુટ્ટાવાળા મખમલના, મશરૂના, કિનખાબના નાના નાના ગલીચા ને તકિયા નાખેલા હતા. દીવાનખાનાની એક દીવાલને અઢેલીને એક મોટા પેટવાળા રોકડિયાજી બેઠા હતા, જેમની પાસે કેટલીક નાની મોટી મંજૂષાએ પડેલી હતી. આ મંજૂષાઓ અબનસના જાડા લાકડાની બનાવેલી હતી, ને ચાંદીનાં પતરાંઓથી મઢેલી હતી.
દીવાનખાનાની એક ભીંતમાં ધૂપદાની જડેલી હતી, અને એમાં બળતા અગરુ ને સુવાસિત દ્રવ્યની સુવાસ નાસિકાને તીવ્ર બનાવતી હતી. જતિજી આવ્યાની ખબર જ્યારે દાસે અંદરના ભાગમાં પહેચાડી ત્યારે માલૂમ પડયું કે ઝવેરી કાર્યપ્રસંગે બહાર ગયા હતા. પણ એક શ્રાવકશ્રેષ્ઠીને ત્યાં આવનાર સાધુપુંગવનું સન્માન તો થવું જ ઘટે એ જૂનો કુલધર્મ હતો. આ માટે અંદરના ઊંડા ઓરડામાંથી એક ઝીણે રણકાર સંભળાયો :
લવંગી, જતિજી ક્યાં છે?' ૩૪ : દિલહીને ઝવેરી
Page #52
--------------------------------------------------------------------------
________________
રાજી, બહાર છે.” રાજપૂતાનામાં ઊછરેલી દાસી શેઠાણીને રાણી કહીને સંબોધતી હતી.
“સન્માન સાથે એમને અંદર તેડી લાવ!” “તેમને શેઠજીને મળવું છે.”
એ બહાર ગયા છે. હવે આવવાનો સમય થતો જાય છે. તેમને અંદર લઈ આવ. હું પણ વંદન કરી ઉપદેશ સાંભળું.”
કોયલના ટહુકા જેવા અવાજથી બોલનારની કોમળતાની સહેજે કલ્પના આવી જતી હતી. હશે કઈ કમળ કેળ જેવી સુકોમળ સ્ત્રી ! લતા જેવી એની કાયા હશે ને હરણ જેવી એની આંખ હશે ! હવાથી કરમાઈ જનારી કઈ તવંગી હશે, પણ થોડી વારમાં, નજરે જોનારને ન માની શકાય તેવી, જાજરમાન સ્ત્રી બહાર આવતી દેખાઈ
પ્રચંડ એને દેહ હતો. પાતળી સરૂ જેવી કે કોમળ કેળ જેવી એ કાયા નહોતી. જેટલી ઊંચાઈ હતી, એટલી જ શરીરને શોભાવે તેવી સ્થૂળતા હતી. મોટું માથું, મોટી મોટી આંખો અને લાંબા સશક્ત બાહુ શરીરના સામર્થ્યને દર્શાવતાં હતાં. એણે મોટા ઘેરવાળા બુટ્ટાદાર ચણિયો પહેર્યો હતો, તે વિશાળ વક્ષસ્થળ પર લીલી કંચુકી કસીને બાંધી હતી. મસ્તક પર ગુલાબી સાથું ઓઢ્યો હતો. એની મેટી આંખમાં છલકાતું કાજળ ભર્યું હતું, ને હાથપગ પર તાજી મેંદીની લાલાશ ચમકતી હતી. હાથમાં હાથીદાંતના મોટા ચૂડા હતા, ને કમર પર પાની સુધી ઢળકતી સુવર્ણની કટિમેખલા ધારણ કરેલી હતી. સોળે અલંકાર ધારણ કરનાર સુંદરીની જેમ એના કપાળ પર રત્નજડિત દામણી, કાનમાં કર્ણફૂલ, નાકમાં મટી નકવેસર ને શંખાકાર કંઠમાં હાર, ત્રેઠિયું, મૂઠ વગેરે અનેક અલંકારો હતા. આટલો મોટો દેહ, આટઆટલા ભારે અલંકાર ધારણ કરીને આવતી સ્ત્રી જેનારને સ્વાભાવિક “ગજગામિની' લાગતી.
એની ગતિમાં ડોલન હતું. સૌંદર્યમાં કઈ રીતે ન ઊતરતી
દિલહીને ઝવેરી : ૩૫
Page #53
--------------------------------------------------------------------------
________________
એ નારીના માંસલ પગ પર, આંગળીઓ પર ને પગની વિશાળ ફણા પર સાંકળા, કાંબીઓ, અણવઠ, બિછવા, બિટલા વગેરે અનેક અલંકારો હતા, જે એની ગતિ સાથે અપૂર્વ સંગીતમય ઝંકાર કરતા. એણે બેઠા ઘાટને, વચ્ચે પાંથી પાડીને, કેશકલાપ ગૂ હતો, ને ફૂલહીન અંબોડામાં રંગીન ઊનની દોરીથી કારીગરી કરી હતી.
જાજરમાન સોંદર્યના સુરેખ નમૂનામી એ સુંદરીએ હમેશાં બહાર નીકળતી વખતે મુખ પર રાખવાનું આછાદન વસ્ત્ર પણ અત્યારે ધારણ કર્યું નહોતું, કારણ કે સાધુ–મુનિરાજોની આગળ કદી પડદો રાખવામાં આવતો નહોતો.
મથએણે વંદામિ, સુંદરીએ બે હાથ જોડી પંચાંગ નમસ્કાર કરતાં કહ્યું.
ધર્મલાભ, બહેન!” જતિજીએ સ્વસ્થતાથી ને ઉમળકાથી આશીર્વાદ આપ્યા.
સુખસાતામાં મહારાજ ?” હાથ જોડીને ઊભેલી દેવસુંદરી જેવી એ સુંદરીના બે આઠ વચ્ચેથી સોનાની રેખાવાળી દંતપંક્તિઓ ઝળકી ઊઠી. એ ધીમું મલકી. એ મલકાટમાં પણ ભલભલાને મુગ્ધ કરે તેવું આકર્ષણ હતું.
દેવગુરપસાય, જતિજીએ એટલી જ સ્વસ્થતાથી વ્યાવહારિકપ્રશ્નનો વ્યાવહારિક રીતે જવાબ આપે. પદ્મિનીના પ્રદેશથી સુપરિન્ટ ચિત જાતિજીએ આવી અનેક દેવાંગનાઓ નીરખી હતી. એમની દષ્ટિ નીચી નમેલી હતી.
શ્રેણીજી ક્યાં ગયા છે?” જતિજીએ પ્રશ્ન કર્યો.
“નગરમાં વ્યાપાર અર્થે ગયા છે. હમણાં આવતા હશે.” સુંદરીએ વિનયપૂર્વક પ્રત્યુત્તર વાળતાં દાસીને ત્રાસન લાવવા આજ્ઞા આપી. જતિજીએ આસન ન લેતાં, ખભા પરની કંબલ પાથરી આસન લીધું. ૩૬ : દિલહીને ઝવેરી
Page #54
--------------------------------------------------------------------------
________________
તમારું નામ 'ગમે તેવા સ્થળે આ વીતરાગી જતિ-મુનિઓને નામ-ઠામ પૂછવાનો સ્વતઃસિદ્ધ અધિકાર મળેલો હતો. પ્રત્યુત્તર આપનારને પણ એક વિરાગીને પોતાને માટે આટલી પૂછપરછ કરતા જોઈ આનંદ થતો.
કુંદનદેવી !' “ ક્યાંનાં છો ?'
લાહેરનાં,” પાસે ઊભેલી દાસી વચ્ચે બોલી ઊઠી ને એણે આગળ ચલાવ્યું, “સુરતીંગજી શ્રેષ્ઠીનાં પુત્રી છે ને અમારાં રાણીજી
‘વારુ, ભાગ્યશાળી છેબંને પક્ષે––પિતૃપક્ષે ને શ્વશુરપક્ષે.”
“દેવગુરુની કૃપા છે ને મહારાજ !' કુંદનદેવીએ હાથ જોડી નમ્રતા બતાવી. એટલામાં થોડે દૂરથી ઘંટારવ થતો હોય તેવો અવાજ સંભળાયે.
તેઓ આવતા લાગે છે,' કુંદનદેવીએ કહ્યું. “આજ કંઈક વહેલા છે.”
જતિજીની આંખો દરવાજા તરફ ખેંચાઈ. ઘંટારવ ધીરે ધીરે પાસે આવી રહ્યો હતો. તક્ષણ ક૯૫ના આવી ગઈ કે આ અવાજ ગજઘંટાનો હતો.
મલી...મલી...' હાથીને નીચે બેસવાના સૂચક શબ્દો કાને પડયા, ને હૈડી વારમાં દરવાજને ભરી દેતી એક વ્યક્તિ નજરે પડી. પડછંદ એની કાયા હતી. એણે ચુસ્ત ચૂડીદાર સુરવાલ ને મેટી ઘરવાળી અચકન પહેર્યા હતાં. કમર પર રેશમી શેલાની ભેટ બાંધી હતી. માથા પર મેવાતી સોનેરી પટાવાળા પાઘ મૂકી હતી, ને કાનમાં બહુમૂલ્ય મોતીનાં કુંડળ પહેર્યા હતાં. ડેકમાં એક મોટો
દિલહીને ઝવેરી : ૩૭
Page #55
--------------------------------------------------------------------------
________________
હાર પડ્યો હતો, પણ જેનારને એ એકલે જ પહેરનારની સમૃદ્ધિનું તરત જ ભાન કરાવી દે તેટલો કીમતી હતો.
આવનારનું લલાટ વિશાળ હતું, ને સુંદર તિલકથી જોનારને આંજી નાખતું હતું. પગમાં ભારતભરેલી સુંદર મોજડીઓ હતી. અંદર પ્રવેશ કરતાં જ એક દાસે એ મોજડીઓ ઉતારી લીધી. તેજ ને તાકાતથી ઝળહળતો પુરુષ આગળ વધ્યો. એની પાછળ એની નાની આવૃત્તિ શો કુમાર આવતો હતો. એ શ્રેછી હેમરાજજીને પુત્ર જુગરાજજી હતો. બંનેએ જતિજીને જોયા, ને દૂરથી હાથ જોડ્યા..
જતિને ઓળખતાં વાર ન લાગી કે નક્કી આ શ્રેષ્ઠીવર્ય હેમરાજજી ! જેમના પર પિતે ઓળખાણપત્ર લઈને આવ્યા હતા એ કઈ સાધારણુ–મામૂલી માણસ નથી તેની એમને પ્રથમ દર્શને જ ખાતરી થઈ ગઈ
“મFણ વંદામિ ! શ્રેષ્ઠીવર્ય હેમરાજજીએ નમસ્કાર કર્યા, ને બે હાથ જોડ્યા. એમની લાંબી પુષ્ટ આંગળીઓ પરની હીરાજડિત મુદ્રાઓ તેજકણ વેરી રહી, પણ એથીય વધુ તેજકણ એ શ્રેણીની આંખે વેરી રહી હતી.
ધર્મલાભ!' જતિજીએ આશીર્વાદસૂચક હાથ લાંબે કર્યો.
મહારાજશ્રી ક્યારના તમારી રાહ જોઈ રહ્યા છે.” વચમાં કુંદનદેવીએ જતિજીને આગમનકાળ સૂચવી દીધો.
વિલંબ માટે ક્ષમા ! ગુરુદેવ, બાદશાહી જમાનામાં થોડું ઝવેરાત આપવાનું હતું, તેમાં પસંદગી કરવામાં વિલંબ થયો.”
ઝવેરાત ? હેમરાજજી, હું પણ દિલ્હીમાં ઝવેરાતની પસંદગી કરવા આવે છું.” જતિજીએ કમર પર છુપાવેલો એક પત્ર કાઢીને હેમરાજજીને આપે. હેમરાજાએ વિનયપૂર્વક લઈને વાંચવા માંડ્યો.
મહારાજશ્રી, પરિચય પત્ર વાંચે. ફરમાવ કામકાજ !' ૩૮ : દિલ્હીને ઝવેરી
Page #56
--------------------------------------------------------------------------
________________
કામકાજ તેા શાસનસેવાનું છે. શ્રેષ્ઠીરાજ, આજે તે શેષનાગ
ખળભળ્યા લાગે છે. થાડી રાજકયા લાવ્યેા છું, કઈ કામ આવે તે ? '
‘ અવશ્ય, પણ એ માટે એકાંત જરૂરી છે.’
<
શ્રેષ્ઠી હેમરાજજી અને જતિજી ઊઠીને દીવાનખાનાની બાજુમાં આવેલા એક એરડામાં ગયા.
---
દિલ્હીના ઝવેરી : ૩૯
Page #57
--------------------------------------------------------------------------
________________
તિજીએ કહેલી રાજસ્થા
૬
આ આરા દીવાનખાનાની પાછળ છેક છેવાડે આવેલે હતા. ત્યાંની નીરવતા તે એકાંત પરથી એમ લાગતું કે ભાગ્યે જ આ ખંડ વપરાશમાં રહેતા હશે. આરાના અગ્ર દ્વાર પર લગાડેલુ` માટું તાળુ પણ એ વાતની ગવાહી આપતું હતું. રાજા નાનુદેવજીના વંશજ, પરાક્રમી પૂજ ઇંદા પડિહારાના અનુગામી, શ્રેષ્ઠી હેમરાજજી જેવા વિચક્ષણ માનવીનું આ વિરામસ્થળ હતું.
જતિજી પ્રથમ પરિચયે જ આ વિચક્ષણ પુરુષને પામી ગયા. એક શ્રેષ્ઠીની આંખમાં ઝળહળતા તેજ કરતાં હેમરાજજીની આંખેાનું નૂર અજબ હતુ. સૌમ્ય સુખમુદ્રાવાળા શ્રેષ્ઠીની વિસ્ફારિત આંખેામાં એક સાથે હજાર દીવાઓનુ` તેજ ભભૂકતું લાગતું. નિમીલિત નેત્રામાં એમની મુખમુદ્રા કોઈ હયેાગીના અફર નિણૅયની યાદ આપતી. મુખમુદ્રા પરથી માનવને પારખનાર જતિજીને કેવળ એ એ આંખા જ અધા ઇતિહાસ કહી રહી હતી.
એમને પેાતાનુ જ્યાતિષ પણુ અજબ વાત કહેવા લાગ્યું. જો આ માનવી મારા ચાય ા મારા પ્રયાસ
૪૦
Page #58
--------------------------------------------------------------------------
________________
સફળ થાય એવા નિણૅય પણ કરી લીધેા. ખંભાતના ઉપાશ્રયમાં આશા માગવા આવનાર દીનહીન કુમારપાળને જોઈ શ્રી. હેમચંદ્રાચાનું જ્ઞાન જેમ એકાએક એટલી ઊર્યુ કે આ લટકતા પુરુષ રાજાધિરાજ થશે. એવી ભવિષ્યવાણી કરવાની આપણા જતિજીને પણ ઉકઠા થઈ આવી. તેઓનુ અનુભવજ્ઞાન તેમને કહી રહ્યુ હતું કે એક શ્રેષ્ઠીમાં, એક ઝવેરીમાં, કેવળ દ્ગમ્મના પૂજારીમાં ખુમારી, આ મસ્તી, આ નિયતા ન હેાય!
આ
ગુપ્ત ખડમાં પ્રવેશ કરતાંની સાથે જ જતિજીને તે કરેલી કલ્પનાએ વાસ્તવિકતાની દીવાલ પર રચાયેલી લાગી. ઘરના વાતાવણુને અહી લેશ પણ અંશ નહાતા. જોનારને તરત જ ખાતરી થઈ જતી કે હેમરાજી એકલા ઝવેરી નથી, કંઈ વિશેષ છે. એમને સાદી આંખે સમજવા સહેલ નથી.
આખા ઓરડે એક શૂરવીર સેનાપતિની યુદ્ધકચેરી જેવા લાગતા હતા. એરડાની દીવાલે આછા રંગાથી રગેલી હતી તે તેના પર હાથીઓની સાઠમારીનાં, નૌકાયુદ્ધનાં, મહાભારતનાં, રાજા ચેટક તે ચંડપ્રદ્યોતની ચડાઈનાં, શસ્ત્રધારિણી ને નરમુડ ધરાવનારી જયા, ત્રિજયા, ચક્રા, અપ્રતિચક્રા* દેવીઓનાં દૃશ્યા દારેલાં હતાં. વચ્ચે વચ્ચે ખાલી જગાએ છ ફૂટ લાંબાં ધનુષ્ય તે નવ ફૂટ લાંબાં તીર ભેરવેલાં હતાં. અને એ ધનુષ્યની વચ્ચે મેટી ઢાલ અને લાંબી સિરાહીની તલવારાની ત્રિકાળુશાલા આલેખી હતી.
ખાંડના એક છેડે નાની ઘેાડી પર કાગળ પર આલેખેલા આર્યાંવના ત્રણચાર નકશાએ પડેલા હતા. એ. નકશાએ પર ઠેર ઠેર કઈ કાળે થયેલી નજરે પડતી હતી. પાસે એક નાની જડાવકામવાળી આલમારી હતી. એમાં રાજનીતિના વિષયના કેટલાક ગ્રંથ હતા. મનુની મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કલ્પની યાજ્ઞવલ્કયસ્મૃતિ, કૌટિલ્યનું * જૈનેાની દેવીએ.
જતિજીએ કહેલી રાજકથા : ૪૧
Page #59
--------------------------------------------------------------------------
________________
અર્થશાસ્ત્ર, સોમદેવસૂરિનું નીતિવાક્યામૃત, હેમચંદ્રાચાર્યનું અહંનીતિશાસ્ત્ર તથા રાજા ભોજનું સમરાંગણત્રધાર વગેરે ઘણા ગ્રંથ હતા. મહાભારતના શાંતિપર્વને ખાસ ભાગ પણ ત્યાં જાળવવામાં આવ્યો હતો. આ સાથે મુસ્લિમ રાજનીતિનાં–શરિયતન–એની ચડતી પડતીનાં ઘણું પુસ્તકે ત્યાં હતાં. ખૂણામાં એક બે વેંત નાની બંદૂક ને એક સોનાચાંદીના નકશીકામવાળી બે ગજ લાંબી, વગર ઈગાર ચપે ફૂટનારી બંદૂક ટીંગાડેલ હતી. આ સિવાય નેજા, બરછી, સાંગ, કટારી, ખંજર, ગુપ્તી વગેરે હથિયારો ત્યાં પડવાં હતાં, ને તેના પર આછી ધૂળ ચડેલી હતી.
આ ખંડના મધ્ય ભાગમાં લાકડાનું સિંહાસન ગોઠવેલું હતું. તેની આગળ સુંદર વ્યાઘ્રચર્મ બિછાવેલું હતું. બેઠકની બરાબર. પછવાડે નાના એવા બાળ હાથીનું બે બાળકો સાથેનું ચિત્ર કોઈ કુશળ ચિતારાએ ચીતરેલું હતું. કાષ્ઠના એક આસન પર જતિજીને બેસવાનો સંકેત કરી હેમરાજજી તેમની સામે વ્યાઘ્રચર્મ પર બેઠા. જતિજીની આંખે આખા ખંડના શણગાર પર ચેટી રહી હતી. એમના કુતૂહલને પાર નહોતે.
“હેમરાજજી!' જાતિજીએ થોડી વારે દષ્ટિ સંકેરતાં કહ્યું“આ ઓરડો તમારા ગૃહના વાતાવરણથી ભિન્ન પડતો લાગે છે. શું સાચું? આ કે તે ?” રાજર્ષિ જનકની જેમ જતિજીએ પ્રશ્ન કર્યો. “મહારાજ, આ પણ સાચું ને તે પણ સાચું !”
એટલે ઝવેરી પણ ખરા ને યોદ્ધા પણ ખરા. એક શ્રાવકશ્રેષ્ટ થઈને આ બધું શી રીતે...
મહારાજ! શ્રાવક શ્રેષ્ઠ થયો એટલે તો આ બધું એક ઓરડામાં પૂર્યું. પિતાજી તે આટલુંય રાખવાનો વિરોધ કરે છે.'
“હું કંઈ ન સમજ્યો.” ૪૨ : જતિજીએ કહેલી રાજકથા
Page #60
--------------------------------------------------------------------------
________________
આપમેળે સમજાશે. પિતાજી શાન્ત જીવનના સાહસિક જીવનના પૂજારી છું. વખત આવશે એટલે વા અત્યારે એટલું જાણી લે કે હેમરાજ કેવળ દિલ્હીના ઝવેરી નથી.’
ચાહક છે. હું વાતે લાવશે.
C
'એટલે ? ’
6
.
' એટલે એટલુ જ કે આજને! હેમરાજ ઝવેરી છે, ગઈ કાલને યેાદ્યો પણ હતેા. એ આજે જેમ હીરામાણેક મૂલવી જાણે છે, એમ કાક દહાડા તીરતલવાર પણ કેળવી જાણુતા; અને આવતી કાલે...’ હેમરાજી થાળ્યા. પુનઃ ચૈાડી ભારે મેલ્યા : - પણ મહારાજ, પિતાજી નથી ચાહતા કે હું આ લેઢિયાળ માગે` જાઉં. તે હું નથી ચાહતા કે......’ હેમરાજજીએ એક ઊંડા નિશ્વાસ નાખ્યા, તે તરત જ પેાતાના મનેાભાવ દબાવતાં કહ્યુંઃ
C
' હાં, મહારાજ ! આપના વર્તમાન કહેા. પૂર્વજીવનની ધેલછા કેટલીક વાર ઊપડી આવે છે. હું તેા ધેલે! માણસ છું. આપની
વાત કરા.’
હેમરાજ, તમને કોઈ ધેલા ન કહી શકે. તમારી વાર્તામાં મને રસ આવે છે.’
'
મહારાજ, શાસ્ત્રમાં તેા રાજકથા, દેશકથા કરવાને નિષેધ છે.’ રાજકયા ? દેશકથા ? હેમરાજજી ! એ કથા કરવા માટે તે હું આટલા શ્રમ વેઠી અહી આવ્યે છું.'
*
રાજકથા કરવા માટે આટલે દૂર ?'
"
હા, આટલે દૂર, પશુ મૂંઝાશે। મા! સ્વાર્થ માટે આવ્યા નથી. મારા ને તમારા શાસનના જય માટે આવ્યેા છું. હેમરાજજી, આજ તમારા ને મારા પ્યારા જૈન શાસનને માથે ભયંકર આકૃત આવીને ખડી રહી છે. જૈન પ્રતિમા, પૂજનીય સાધુએ, માનનીય ધગ્રંથાના નાશની નેાબતે નજીકમાં જ ગડગડી રહી છે.'
"
નાશની નાખતા ? ' હેમરાજજી ધીરેથી હસ્યા.
"
<
જતિજીએ કહેલી રાજકથા : ૪૩
Page #61
--------------------------------------------------------------------------
________________
· હા હેમરાજજી, જેવા તમે કાઈ વાતમાં ઘેલા છે, એવા આ વાતમાં હું ધેલે! છું. મારી કલ્પનાચક્ષુમાં જૈનની અમુલખ પ્રતિમાઓ પર હથેાડા ઉગામાતા જોઉં છું, તે મારી નીદું હરામ થઈ જાય છે. કામધેનુસમાં શાસ્ત્રોમાંથી અમૃતના ખદલે વિષ વલે વાતું પેખું છું, તે ક્ષુધાતૃષા ભૂલી જવાય છે. મારું કવિત્વ આજે સુકાઈ ગયુ છે, પાંડિત્ય પશુ ભાસે છે. જેનાથી જૈન શાસનને ઉદ્યોત ન થાય એ મારે કાંઈ ખપતું નથી—પછી વિદ્વત્તા હાય, વૈભવ હાય કે ખુદ વન હોય! શું આટઆટલા શાસનસુભટેના જીવતાં નિ થ ભગવાન મહાવીરની પ્યારી સાધુસંસ્થા નષ્ટ થશે ? હેમરાજજી, મને માફ કરશે!, એટલા માટે મે–સાધુએ આજે ઉપાશ્રયની શાંત ને સ્વસ્થ જિંદગી છોડી સંતપ્ત જિંદગી હાથે કરીને વહેારી લીધી છે.' જતિજી ઘેાડી વાર શ્વાસ ખાવા થાભ્યા ને ફરીથી પાછા ખેાલવા લાગ્યા :
હેમરાજી, આજ તે। હું શાસનને માટે તન, મન, ધન
..
<
કુરબાન કરે તેવા લાખેણા નરેની શોધમાં નીકળ્યા છું; કાયાની માયા વિસરાવીને દેહું પાતયામિ વા કાર્ય સાધયામિ 'ની ભીષ્મ પ્રતિજ્ઞા કરીને નીકળ્યા છું. એક લાખેણા નર મને શાસનદેવની કૃપાથી તરત જ સાંપડી ગયા. મારું અડધું કામ તેમ પડ્યુ છે.’
કાણુ છે એ લાખેણે! નર ? ’ હેમરાજે જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યાં.
એ જ કહેવા આવ્યેા છુ. તમને મારા માનીને આવ્યે છું, તેા ધીરે ધીરે બધું કહી દઈશ. હેમરાજજી, હિન્દુપત પાદશાહીના પમ ઇચ્છુક મહારાણા સાંગાના પરમ મિત્ર તેાલાશાહના એ પુત્ર થાય.’
古
"
- કાણુ કર્માંશાહ ? ધન્ય એ જીવન ! મેં એમનું પુણ્યનામ અનેકાનાં મુખે સાંભળ્યું છે.'
• એ જ વીર ધીર કર્માંશાહ. કાપડના એ મહા વેપારીએ
૪૪ : જતિજીએ કહેલી રાજકથા
Page #62
--------------------------------------------------------------------------
________________
આજે તેા ચિતાડમાં અને ગુજરાતમાં જૈન શાસનની જયપતાકા ડા છે. હેમરાજ, ચિતાડ તેા આપણું એટલે ગમે તે કરી શકીએ, પણ ગુજરાત તેા ઇસ્લામીએતુ. પણ કર્માશાહની ભારે દીદૃષ્ટિ એક વાર એક શાહજાદા રખડતે હાલે ચિતેાડમાં આવ્યેા. વરુએના પંજામાંથી ઘેટુ નાસી છૂટે એમ એ બિચારે નાસીને આવ્યેા હતેા. સગાંવહાલાં એના શત્રુ બન્યાં હતાં. શાહી હત્યારાએ શિકારી કૂતરાની જેમ એની ગંધે ગધે આવતા હતા. કાઈ ના ભરેસે ને આશ્રય નહાતા. એટલે એણે મેવાડપતિ રાણા સાંગાનું આશ્રિતપદ સ્વીકાર્યું. રાજપૂત તે। આશ્રિતધના પૂજારી, રાજમાતા તે। એને બહાદુર મેટા' તે નામે મેલાવતાં.
<
આ શાહજાદો બહાદુર એક વાર મારી નજરે ચડી ગયા. તગતગતું એનું લલાટ તે લાંબી લાંબી એની ભુજાઓ ! મે' ભવિષ્ય વાણી ભાખી કે થાડા વખતમાં એનેા ભાગ્યસૂર્યાં ચમકશે, એ બાદશાહી મેળવશે. કર્માંશાહે ઉદાર દિલ રાખી શાહજાદાને મદદ કરવા માંડી, જોઈએ એટલું કાપડ આપવા માંડયુ. ખપોગી ચીજ-વસ્તુએ પહોંચાડવા માંડી. બંને મિત્ર બન્યા. રાણા સાંગા પછી રાણા રત્નસિંહ સિંહાસનપતિ બન્યા. એમણે પણ આ શાહજાદાને પુત્રની જેમ પાળ્યા.
.
હેમરાજજી, આખરે મારી વાણી ફળી. એક દહાડે ગુજરાતના શાહીસવારા તેને બહુમાનપૂર્વક તેડવા આવી પહોંચ્યા. શાહાદાએ દર્દભરી સહુની વિદાય લીધી. કર્માંશાહ ને શાહજાદે ભેટી પડયા. પશુ અચાનક શાહજાદા ગળગળા થઈ ગયેા. એણે કહ્યું : · કર્માંશાહ, મારી પાસે પૂરતી વાટખી પણ નથી.' કર્માંશાહ કશુંય ન ખેલ્યા, ને તરત એક લાખ રૂપિયા ગણી આપ્યા. ન કર્યું" લખત કે ન કર્યુ” પતર!
C
• હેમરાજજી, શાસ્ત્ર કહે છે, કે સારા ક્ષેત્રમાં વાવેલાં ખી કદી નિષ્ફળ જતાં નથી, શાહજાદાના પુણ્યાય જાગ્યેા હતેા. એ ગુજરાતના
જતિજીએ કહેલી રાજકથા : ૪૫
Page #63
--------------------------------------------------------------------------
________________
સુલતાન મુઝફરશાહની ગાદીએ આવ્યો. બહાદુરશાહ નામ ધારણ કરી એણે શાહી દરબાર ભર્યો, ને શાહી ફરમાન જાહેર કર્યા*
“એક શાહી ફરમાન છૂટયું-પોતાના પ્યારા મિત્ર કર્મશાહને માનપાન સાથે અમદાવાદ તેડી લાવવા. સેનાની પાલખી ને અરબી તોખારે રવાના થયાં. ચિતોડ પહોંચી કર્મશાહને શાહી સન્માનથી તેડી લાવ્યા. ગુજરાતનો બાદશાહ દેડીને એ જૈન વીરને ભેટી પડવો, ને આખી સભાના દેખતાં પેલી જૂની કહેવત કહીઃ “એક શાહ વાણિયો ને બીજે શાહ બાદશાહ' ઉપરાંત વ્યાજ સાથે લાખ રૂપિયા પાછા આપ્યા ને ઉપરથી કહ્યું : “કમાંશાહ, કંઈ માગે !”
શું માગું? તમારી કૃપાથી મારે કઈ વાતની કમીના નથી.”
“શેઠ, કંઈ પણ માગો ! પ્યારા શાહ, આ બંદે તાબે– જિંદગી તમારે અહેસાનમંદ છે.”
શું માગું, મારા સુલતાન ?” કર્ભાશાહ વિચારમાં પડી ગગ્રા. અચાનક એમને યાદ આવ્યું પોતાનું પવિત્ર તીર્થ શત્રુંજય! વીર સમરશાહે સ્થાપેલ જિનપ્રતિમાનું મસ્તક કાઈક ખંડિત કરેલ. હેમરાજજી, મારે પ્રયન સફળ થયા. શાસનદેવે મારી પુકાર સાંભળી. શ્રેઝી કમશાહે સુલતાનને કહ્યું :
તીર્થાધિરાજ શત્રુંજય પર હું મારી કુલદેવીની મહત્સવપૂર્વક સ્થાપના કરવા ઈચ્છું છું. તેમ કરવા આજ્ઞા કરે અને બંદોબસ્ત આપો.”
સુલતાન બહાદુરશાહે તરત વઝીરેઆઝમને તેડાવ્યા. મુનશી પાસે ફરમાન લખાવવા હુકમ કર્યો ને તરત શાહી મહેર–સિક્કા તેના પર મારવામાં આવ્યા. રૂક્કો તૈયાર કરી, એને કિનખાબની થેલીમાં મૂકી સુલતાને સ્વહસ્તે કમશાહને આપે. બસ, શાસનદેવે
મક ઈ. સ. ૧૫૨૬.
* વિ. સ. ૧૫૩૯ લગભગ પહેલા દુષ્કાળ વખતે આખી પ્રજાનું પાલન કરનાર જૈન શેઠ એમા હડાળિયાને મહમૂદ બેગડાએ આ બિરુદથી નવાયા હતા. ૪૬ : જતિજીએ કહેલી રાજકથા
Page #64
--------------------------------------------------------------------------
________________
મારી ઈચ્છા પૂરી કરી. મેં વીર કર્મશાહને તેની શાસનભક્તિ માટે અનેકશઃ ધન્યવાદ આપ્યા.”
મહારાજ, સુંદર એવી શાસનપ્રભાવના ! વંદન છે આપને ! ધન્ય છે કર્માશાહને !”
એમ ધન્યવાદ આપે નહીં ચાલે, હેમરાજ! સાબદા થાઓ. હું તો બીજા કર્મશાહ મેળવવા આશાભર્યો દિહી આવ્યો છું.'
બીજે કર્ભાશાહ દિલ્હીની બજારોમાં નહીં મળે. મહારાજ! દિલ્હી તો અજબ છે.'
કહ્યું, હેમરાજજી? દિલ્હીની બજારમાં મને કશાહ નહીં મળે ? મેં આજીવન તપ કર્યું છે. પવિત્રતાને મેં સદા સંગિની લેખી છે. જ્ઞાનોપાસના મારું નિત્ય કર્તવ્ય છે. આ બધાંને પરિબળે હું તે આજ દિલ્હીના બજારોમાં બીજે કર્માશાહ તો શું, બીજે વિક્રમાદિત્ય ફરતો નિહાળી રહ્યો છું.”
મહારાજ, આપ કવિ છો. કવિને કલ્પનાચક્ષુ હાય ! એ તો મૃગજળમાં મહાસાગર પેખે, ચંદ્રમામાં ચાર્વેદના વિલોકે, આકાશમાં આકાશગ ગા આલેખી અપ્સરાઓને ક્રીડા કરતી કલ્પે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ”
“હેમરાજ, સામર્થ્ય વિના હું શબ્દો કાઢતો નથી. મારી આશા અવંધ્ય છે. એ આશાની ઈમારતને જમીનદોસ્ત કરશે મા ! ઝવેરી છે, તો ઝવેરાતની પરીક્ષા કરતાં શીખે. શા માટે તમે રાજકાજમાં ભાગ ન લઈ શકો ? હું કવિ નથી. કવિ હોત તો ક્યારનો ઠેકાણે પડી ગયો હતો. પરિસ્થિતિની પારાશીશીને પેખનાર છું, તમે શા માટે વિક્રમાદિત્ય ન બની શકે ?”
હું વિક્રમાદિત્ય બની શકું?” રાજા નાનુદેવજીના વંશજનેસિંહના બચ્ચાને–શું સિંહ બના
જતિજીએ કહેલી રાજકથા : ૪૭
Page #65
--------------------------------------------------------------------------
________________
વવા પડશે? પડિહારોના એ પરાક્રમી રક્તને કેમ ભૂલી જાઓ છે ? જેન બનીને પુરુષાર્થના પરમ આદેશને કેમ વિસારી મૂકે છે ? વધે, આગળ વધે! આકાશ સંતપ્ત બન્યું છે ! મેઘ બનીને વરસી પડો ! સહુ તમારું સ્વાગત કરશે. રૈયત જુલમથી ત્રાસી છે. પ્રજા નિતનિતનાં તોફાનેથી કંટાળી છે. જમીનના રસકસ હણતા ચાલ્યા છે. જમીનદારો ભૂખ્યા ડાંસની જેમ ખેડૂતોને ચૂસી રહ્યા છે. રાજાએ સ્વાથ ને પ્રમાદી બન્યા છે. મુસલમાનોમાં પરસ્પર ભેદભાવ ભરાણે છે. કોઈ કોઈનું નથી. સમરાંગણમાં શરે પણ સામ્રાજ્યની રચનામાં પારકાને આધીન રહેનાર બીમાર બાબરશાહ આજકાલને મહેમાન છે. દિલ્હીનું તખ્ત કેઈ સારો રાજવી માગે છે. ગુપ્ત કથા કહું છું, હેમરાજજી ! મેવાડમાં નવા રાણા વિક્રમાજિ તે સ્વજનો સાથે હોળી સળગાવી છે. શરા મેવાડીઓએ સુલતાન બહાદુરશાહને ગુજરાતથી તેડવ્યો છે. કેવી સેનેરી પળ !”
ડી વાર થંભી જાઓ, મહારાજ! આ શબ્દ આપ બોલે છે કે મારું દિલ બોલે છે, તે મને વિચારી જેવા દે ! મારો જરિ યાની જામો ફાટ ફાટ થાય છે. મહારાજ, પિંજરામાં પુરાયેલું પંખી તક મળતાં જેમ એકાએક બહાર ધસી આવે એમ મારા હૃદયતરંગ આજ કબજે નથી રહેતા. વર્ષોથી દિલમાં વાળી રાખેલાં વહેણ આજ બંધન સ્વીકારતા નથી. ખરી વાત છે, મહારાજ! હેમરાજ ઝવેરી રહેવા નથી સરજાયે–એવા પોકાર અનેક વાર મારા દિલમાં ઊઠેલા. પિતૃઆજ્ઞાપાલક હૃદયે એ દાબવામાં જ ડહાપણ માનેલું. પણ આજ છડેચોક કહું છું કે હેમરાજ ઝવેરી નથી, નથી ને સાત વાર નથી.” હેમરાજ જતિજીના પ્રોત્સાહનથી ભાવાવેશમાં આવી ગયા. મસ્ત ચિત્તો પોતાની બખોલમાં જેમ આંટા મારે તેમ હેમરાજજી નવનવા વિચારવમળમાં અટવાતા ઊભા થઈને ખંડમાં આંટા મારવા લાગ્યા. થંડી વારે એમણે ફરીથી આગળ ચલાવ્યું : ૪૮ : જતિજીએ કહેલી રાજકથા
Page #66
--------------------------------------------------------------------------
________________
મહારાજ, આ ધનુષ્યબાણુ જોયાં ? જોનપુરની નિશાળમાં એને પ્રચંડ ટ કાર કરનાર કાક જ મારે! સમેાડિયે હતેા. અંધારી રાતનાં નિશાન પાડવાં મારે મન સહેલ વાત હતી. તે જોઈ આ મોટી સિરાહી સમશેર ! પટાબાજીમાં મને પછાડે એવા નર તા કાકની માએ જ જગ્યા હશે. શું તુ, શું માગલ, શું અહ્વાન કે શું રાજપૂત; મારી પટાબાજીને કાઇ પહેાંચી વળ્યું નથી. તે મારી બંદૂકની તેમ? પ`ખી પેાતાના માળા ચૂકે તે। મારી બંદૂક એની તેમ ચૂકે.
*
મહારાજ, ગજસેનાના તેા મને બાળપણથી જ શાખ. એના નાદર નમૂનારૂપ મારે। પ્રિય હાથી · હવા' આપે જોયા? બંદૂક તે તેાપાના બારને તેા એ વૃક્ષ પરથી ઝરતાં ફૂલ-પાંદડાં લેખે છે. સળગતી ખાઈમાં ધકેલા તે એ નિર્ભયપણે ચાલ્યેા જાય છે. એક નાગી સમશેર એની સૂંઢમાં મૂકી શત્રુદળમાં છૂટા મૂકેા, તા જોઈ લે એનું પરાક્રમ ! માર માર કરતા શત્રુસૈન્યની પ્રચંડ કિલ્લેખ ધીમાં તત્ક્ષણ મા કરી દે. ભલભલા કિલ્લાનાં દ્વાર તેાડવા માટે એના ગોંડસ્થલના એ પ્રદ્વારમાત્ર પૂરતા છે. પહાડાનાં પહાડા વીધી શત્રુસેના પર પથ્થરાની ભયંકર વર્ષા કરવામાં પણ એ શૂરાપૂરા છે. ગજસેના કેળવવાને મને ખાસ શાખ છે. યુદ્ધસંચાલનના મારા વ્યૂહ ભેવા સહેલ વાત નથી. પણે નકશા જોયા? ' હેમરાજજીએ નકશાઓ હાથમાં લેતાં કહ્યું:
.
×
"
મહારાજ, આ નકશાઓની સામે મીટ માંડીને મેરાતાની રાતેા એમ ને એમ વીતાવી દીધી છે. સિક દરથી લઈ ને મહમદ બિન કાસમ, મહમદ ગજનવી, બ્રાહ્મણ રાજા આનંદપાલ, રાજા પૃથ્વીરાજ, શાહબુદ્દીન ગારી વગેરેએ શી શી ભૂલેા કરી, વ્યૂહની અણુઆવડતને લીધે લશ્કરની મેટી એવી ખુવારીથી નાના એવા વિજય કેમ સાધ્યા, શૂરા રાજપૂતા કઈ ચાલ ન સમજ્યા, તે તેાપા ને બહૂકા સામે
જતિજીએ કહેલી રાજકથા : ૪૯
.
Page #67
--------------------------------------------------------------------------
________________
કેવા મરચા લેવા તે કેમ ન શીખ્યાઃ એ બધું વિચારું છું, ત્યારે મને એ બધા પર હસવું આવે છે. ને નવનવા યૂહની આવડત, ન સામ, દામ, દંડ, ભેદની હૈયાઉકલત. મહારાજા શાસ્ત્રકારો કંઈ મૂખ નહોતા કે વૃથા રાજનીતિઓ રચે ! તેઓએ આ નીતિથી ઓછા સહારે મોટા વિજય મેળવવાની ચાવી શીખવી છે. આ વિજેતાઓ ગાડરના ટોળાની જેમ કેમ લડતા હશે? કેટલીક વાર કેઈના વિજય પર હું હસું છે ને કેઈના પરાજય પર હું ગમગીન થાઉં છું.” હેમરાજની આંખમાં અગ્નિ ભભૂકી ઊઠળ્યો હતો. જેવો તેવો તેની સામે મીટ માંડી શકે તેમ નહોતું.
ધન્ય, ધન્ય, હેમરાજજી ! મારી વિદ્યા જૂઠી ન હોય; મારું જ્યોતિષ જૂઠ ન ભાખે. તમારી મુખમુદ્રા પરથી મેં જે કલ્પના કરી હતી એ સત્ય ઠરે છે. હું તો વિક્રમાદિત્યને સજીવ થતો નીરખું છું.
“હેમરાજજી, તમારા રાજકીય જ્ઞાનથી આશ્ચર્યાન્વિત થાઉં છું. જેમ જેમ તમને સાંભળું છું તેમ તેમ મારું મંતવ્ય દઢ થતું જાય છે. તમે નિરધાર કરે તો કશું અશક્ય નથી.” જતિજીએ કહ્યું.
‘એ અશક્ય છે. બે રીતે મહારાજ ! એક તે આજની રજપૂતાઈને કૂપમંડૂક્તાનો રોગ લાગ્યો છે. આપસમાં કલેશ કરવા, પ્રમાદી જીવન ગાળવું ને છેક છેલ્લી ઘડીએ કેસરિયાં કરવાં; આ સિવાય તેમને કંઈ સૂઝતું નથી. મોગલે, પઠાણ ને તુર્કો જેટલી સમરવીરતા ને શાસનધીરતા આજે બીજે નથી. યેન કેન પ્રકારેણ મરી જાણવામાં બહાદુરી સમજનારાઓને સારી રીતે જીવવામાં વધુ બહાદુરી છે તે શીખવવું દુષ્કર છે.” હેમરાજજીએ ઊંડા નિશ્વાસ સાથે વાત પૂરી કરી નીચે શ્વાસ લીધો.
“એક કારણ સાંભળ્યું, અને હવે બીજું કારણ?” જતિજીએ એક જ કારણ બતાવી મૌન રહેનાર હેમરાજજીને પ્રશ્ન કર્યો.
બીજું કારણ, એક મિત્રને આપેલે કોલ.” ૫૦ : જતિજીએ કહેલી કથા
Page #68
--------------------------------------------------------------------------
________________
‘કાણમિત્ર ? ’
"
એક અધાનપુત્ર, જોનપુરની નિશાળને મારા લગેટિયા દોસ્ત. મહારાજ, મેં એ લાયક મને એક વાર વાતવાતમાં વચન આપેલું કે હું તને બાદશાહ બનાવીશ. મહારાજ, છે તેા જેને તમે મ્લેચ્છ કહે છે! એ જાતિને, પણ દીન-ઇમાનને પાક પુરુષ છે. ધાળે દહાડે દીવા લઈ ને દુનિયાની નગરીએ ફેંદી વળીએ તે પણ એવા નર ન સાંપડે. રેતીના રણમાં જેમ લીલેાતરી ઊગે એમ એ ઊગ્યા છે તે આગળ આવ્યા છે.'
>
‘એક અફધાનપુત્ર શુ એક શ્રેષ્ઠીપુત્રના મિત્ર ?
‘હા મહારાજ, અમારી એ બાળપણની પ્રીત અજબ હતી. કેવું સુંદર સભર જીવન ! એવી એક નાની જિંદગી જીવવા આવી દશ જિ ંદગી કુરબાન કુરુ, મહારાજ ! ' હેમરાજજીનું મન જાણે મસ્ત બની ગયું.
· મને કહેશે। એ મૈત્રીકથા ? રાજકીય પુરુષાના જીવનપ્રસ ંગે જાણવા હૂમાં મારું દિલ ઇંતેજાર રહે છે. આજની કાવાદાવાથી ગંધાતી રાજકુળાની ઝેરી જિંદગીમાં મૈત્રીની આવી અમૃતવીરડી ખરેખર અજબ કહેવાય.'
(
અવશ્ય, મને કહેતાં પણ મેાજ આવશે, મહારાજ ! થેાડા
વિશ્રામ લઈ લે, પછી નિરાંતે એકથની કરીશું.’
તે અપ વિશ્રામ માટે છૂટા પડ્યા.
ほう
જતિજીએ કહેલી રાજકથા : ૫૧
Page #69
--------------------------------------------------------------------------
________________
જિન ને દોન
એક માળાનાં બે પરદેશી પંખીની વાત છે. એક જંગલનાં બે હરણની આ સ્મૃતિ છે. થોડાંએક વર્ષ .. પહેલાંની આ વાત છે. સુખદ દિવાસ્વપ્ન જેવા સુંદર એ દિવસો હતા.
માતા ભાગીરથીનાં નીર જેનાં ચરણને રોજ પખાળે છે એ કાશી શહેરથી ૪૦ કેસ દૂર આવેલી એ નગરી છે. પંડિતો એને યવનપુર કહે છે. મુસ્લિમ એને જેનપુર કહે છે. જેનપુર એટલે જાણે તોફાનની નગરી. કાચ પાર પચાવવો ને જેનપુર જીરવવું સરખું.
આ સુપ્રસિદ્ધ જેનપુરની મસામાં બે નિશાળિયા ભણે. ધમેં ભિન્ન છતાં હૃદયે અભિન્ન. એક જિનને ઉપાસક શ્રાવક–વાણિયો, બીજે દીને ઇસ્લામનો આરાધક પઠાણપુત્ર. શરદની વરસેલી વાદળીઓ જેવું ચંચળ એમનું જીવન હતું. બંસીના સ્વરડેલન જેવી એમની જીવનમાધુરી હતી. પંખીના માળા જેવી ટૂંકી પણ હેતાળ એમની જિંદગી હતી.
જેનપુરની નિશાળ અને મસાઓમાં જાણીતા
પર
Page #70
--------------------------------------------------------------------------
________________
પતિ ને ઉલેમાઓ પાસે અને ભણતા. શાસ્ત્રની તે શસ્ત્રની, કુરાનની ને તલવારની, આ લેાક જીતવાની ને પલાક હાંસલ કરવાની : અને વિદ્યાકળાએ ત્યાં અપાતી. કુરાન ને વેદના ત્યાં પાઠે થતા. શિલ્પશાસ્ત્ર, નાટયશાસ્ત્ર ને સ ંગીતશાસ્ત્ર ત્યાં શિખવાડાતાં. અવિદ્યા, વિદ્યા, માત ંગવિદ્યા ત્યાં સમાવાતી. ધનુવિદ્યા, ખડૂવિદ્યા તે ગાલ દાજી ત્યાં ગમ્ય કરાતી.
ધૂધવતા ખાળવાધ જેવું બન્નેનું બાળપણ હતું. કિશાર કુ ંજરપતિ જેવી મસ્તી અનેને સદાકાળ છાયેલી રહેતી. સંસારની કાઈ વચના એમને બતી નહી.
હતા તેા અંતે અમલદારનાં સંતાન. એકના પિતા બંગાળના સૂબાને અંગત સલાહકાર હતા, બીજો હતા બિહારના સૂબાને પચહારી. એકના પિતા કે રજપૂતાનાથી ધરબાર છેાડી આજીવિકા માટે અગાળ આવ્યા હતા, બીજાનાં માબાપ ઠેઠ અફધાનિસ્તાનથી કિસ્મત અજમાવવા હિંદમાં ઊતર્યાં હતાં. બંનેના પિતા ઉદાર, સરકારી ને સજ્જન હતા. અને એથી જ જૂના ઋષિઆશ્રમ જેવા જોનપુરમાં એમને વિદ્યાભ્યાસ કરવા મૂકી હતા.
પૂર્વ ને પશ્ચિમ જેવા આ એ કિશારાને કાણે એક કર્યાં–મિત્રતાના દારે બાંધ્યા, તે કંઈ કહેવાય તેમ નથી. અનાયાસે અને અનભિજ્ઞપણે બંને પાસે આવ્યા, પ્રેમથી વર્ત્યા, સ્નેહે સધાયા તે એક દહાડા એકતાની ગાંઠે ગૂંથાઈ ગયા. અંકુરિત કળીઓ જેવું તેનું વ્રત હતું, ને વિકાસ તરફ બંનેના રાગ હતા. કોઈ અકળ ખુશમે એકબીજાને સદા આકર્ષતી રહેતી.
વર્ષાના નવા અણુસમું નવચેતનવંતું ખમીર તેની નસેામાં વહેતું. વાતવાતમાં અને હાડે ચડતા, હરીફાઈ એ માંડતા. લડતા, વઢતા ને આખરે એક થઈ ને ઊભા રહેતા. એકબીજાની સરસાઈ ના બન્નેને શાખ હતા. એબ ઊતરવામાં બંને નાનમ સમજતા. કાણુ
જિન ને દીન ઃ ૫૩
Page #71
--------------------------------------------------------------------------
________________
કાનાથી ચઢે, એવા ઉગ્ર વાદ સરજાતા; ને સાહસકર્મ પાછળ બંને ઘેલા રહેતા. - કવિતા જેવું એમનું જીવન હતું, એટલે બંને કવિતારસિયા હતા. એક હતો શેખ સાદી ને ફિરદોસીને આશક, બીજો હતા કાલિદાસ, ભવભૂતિ ને હેમચંદ્રને ઉપાસક. આકાશમાં કેવળ તારલિયા ઝબૂકતા ને જંગલમાં એકલા આગિયા ચમકતા, ત્યારે પુપોની સુગંધથી મસ્ત બનેલા આ બે કિશોરો રેલાતી ચાંદનીમાં પંખીની જેમ કલરવ કરી રહેતા.
એક ફિરદોસી ની શાયરી છેડતો, ગુલાબ, નરગીસ ને બુલ-. બુલને બિરદાવતે.
- બીજો કાલિદાસની કાવ્ય રજૂ કરતો. કમળ, પદ્મ ને કોકિલાનો ગુંજારવ કરતો. એક લયલા-મજનને યાદ કરતો, બીજો વિશ્વામિત્ર–મેનકાને સંભારતો.
એક ઉદારભાવે કહેતોઃ સાદી યા! ગ૨ વસ્લ ખ્યાહી
સુહ કુન બા ખાસ એ આમ બા મુસલમાં અલ્લાહ,
બા હનદાં રામરામ 1 બીજે એવા જ પડઘા પાડતો કહેતો :
भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य ।
ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥२ ૧. શેખ સાદી કહે છે કે, હે ભાઈ, જે તારે નાના-મોટા બધા સાથે પ્રેમ રાખવો હોય તો મુસલમાનને અલ્લાહ અલ્લાહ કહે ને હિંદુને રામરામ કહે.
૨. શ્રી. હેમચંદ્રાચાર્ય કહે છે કે, જેણે ભવાટવિમાં ભટકવાનાં નિમિત્તરૂપ રાગ, દ્વેષ, ઈર્ષ્યા, મેહ આદિ તજ્યાં હોય તેને નમસ્કાર કર, પછી ભલે તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોથ કે જિન હોય. ૨૪ : જિન ને દીન
Page #72
--------------------------------------------------------------------------
________________
ડી વારમાં તેઓ સમાન ભૂમિકા પર આવી ખડા રહી જતા, કારણ કે બંનેને ધર્મ એક જ રાહ તરફ જતો દેખાતો. એક અલ્લાહને માનતો, બીજે ઈશ્વરને એક અલ્લાહના પેગામ લાવનાર પયંગબરને સ્વીકારતો, બીજો શાસને જતિ કરનાર તીર્થકરને માનતો. એક ઇસ્લામને કલમો પઢનાર અને ઈમાન ધરાવનારને અનુયાયી તરીકે સ્વીકારતો, બીજો નવકારમંત્ર ભણનાર ને સમ્યક્ત્વ સ્વીકારનારને શાસનસેવક માનતો. સારું-નરસું, પાક–નાપાક બંને ત્યાં હતાં. સારાને સ્વર્ગ, પાકને જન્નત; નરસાને નરક, નાપાકને જહન્નમ બંને સ્વીકારતા. - કવિતાના રસિયા ને સાદી ધર્મચર્ચાના સંતોષી આ બે કિશોરો યુદ્ધચર્ચાના મેદાનમાં ખૂબ જ જુદા પડતા, પણ એ જુદાઈમાં
જીવંત જ્ઞાન હતું, ઝેરર નહોતાં. ઇતિહાસ તો બંને બાળકેએ વાંચો હતો, પણ જીવંત ઈતિહાસબોધ સુવિખ્યાત શહેનશાહ બાબર પરથી તારવ્યો હતો. સમર્થ પંડિત, સમર્થ સંગીતશાસ્ત્રી ને મોટો કવિ હોવા છતાં મોગલકુળતિલક બાબર કલ્પનાજગતને વસનારો નહોતો. એ શૂરવીર સમરવિજેતા હતો; અજબ સાહસી, પરમ તેજસ્વી ને પ્રતિભાશાળી પુરુષ હતો. પ્રજાની આઝાદી એને પસંદ હતી. શરીરબળમાં એ અસામાન્ય હતો. ચાળીસ કેસની ઘોડાની મુસાફરી તો એ જવાંમર્દને મન રમત હતી. ગમે તેવી નદીઓ તરીને ઊતરવી એ એને સહજ આનંદ હતો. પિતાના કુટુંબને એ અજબ પ્રેમી હતો. એ મેગલકુળતિલકના જીવનની પ્રેરણા આ બે બાળકોને મળી.
બંને કિશોરે જ આ ચર્ચા કર્યા કરતા, પણ તરત જ બંનેના સાહસકર્મના ભિન્ન પ્રકાર જણાઈ આવતા. પેલે શ્રાવપુત્ર કહેતોઃ
“ બળ અને કળથી શત્રુને જીત. જે કળથી જિતાતો હોય તો બળ ન વાપરવું. સમશેરના સપાટાથી બહુ બહુ તે એકથી સો
જિન ને દીન : પપ
Page #73
--------------------------------------------------------------------------
________________
સમાધાન થતું
ર થતી આવી લાવ, ખી
જણને સંહારી શકાય, પણ યુક્તિ-પ્રયુક્તિથી આખા સૈન્યને હંફાવીહરાવી શકાય. લડાઈમાં ઓછામાં ઓછું લેહી વહેવડાવે એ લાયક સેનાપતિ, ને આ માટે જ શાસ્ત્રમાં સામ, દામ, દંડ ને ભેદને રાજનીતિ ગણવામાં આવ્યાં છે. યુદ્ધમાં છલપ્રપંચ તે સ્વીકાર્ય ને ધર્યા છે.”
બીજે કહે : “અમારા બાપદાદાએ ખૂનનો બદલો ખૂન ને શિરને બદલે શિરથી લેવાની હિમાયત કરી છે. જે માથું તલવારને લાયક હેય એને હીરાને હાર પહેરાવવો અયોગ્ય જ છે, દુષ્ટો, જોડે ભલાઈ એ ભલા જોડે દુષ્ટતા કરવા જેવું છે. રૈયતનું સુખ એ રાજાની પ્રથમ ફરજ છે.”
બંને વચ્ચે અનેક ઉગ્ર ચર્ચાઓ જામતી, ને તરત મીઠું સમાધાન થતું, અને પટાબાજીની, ધનુર્વિદ્યાની, બરકંદાજીની ગરમાગરમ હરીફાઈઓ શરૂ થતી. આવી હરીફાઈમાંથી તેઓનો રવૈરવિહાર રચાતો. દિવસના દિવસે સુધી જંગલે, વને, ખીણો, ટેકરીઓ અને નદીનાળાં ખૂંદીને તેઓ શ્રમિત દેહે ને સશક્ત મને પાછા ફરતા.
જેવી મીઠી એ બાલ્યાવસ્થા હતી, તેવી મીઠી એક ગ્રીષ્મની સંધ્યા ખીલતી હતી. દક્ષિણાયનનો વાયુ હતો. સવારે જ ધનુર્વિદ્યાના ઉસ્તાદ બંનેનું શબ્દવેધનું શિક્ષણ સમાપ્ત કર્યું હતું. એકાએક આ બંને સ્વૈરવિહારી કુમારોએ જંગલમાં જઈને સ્વતંત્ર પરીક્ષા આપી પ્રમાણપત્ર મેળવવાનો નિર્ણય કર્યો. નિશાળની છૂટી બાદ પરબારા પ્રયાણ કરવાને કાર્યક્રમ પણ યોજાઈ ગયો. સહાધ્યાયીઓ ન જોઈ જાય તેમ સરકી જવાની યોજના પણ થઈ ચૂકી.
નિશાળ છૂટી.
એક જ ક્ષણ ને હાથમાં હાથ મિલાવી ફરીદ અને હેમરાજ –એક પઠાણુપુત્ર ને બીજે વણિકપુત્ર–બંને કુમારે, શહેરની દિશા તરફ ન જતાં, જગલ તરફ દોડી ગયા.
આકાશપટલ વધુ ને વધુ શ્યામ થતું હતું. ખાડાખડિયાવાળા, પદ : જિન ને દીન
Page #74
--------------------------------------------------------------------------
________________
રતા લગભગ દેખાતા જ નહોતા. નગર પાસેનું બિયાબાન જંગલ અંધકારમાં ભળીને એક થઈ ગયું હતું. અને કુમારા દોડતા જતા હતા, ખાડાખડિયા એમને હેરાન કરી શકતા નહોતા.
થાડેએક પંથ કાપી તેઓ એક વિશાળ તળાવને કાંઠે આવીને ઊભા રહ્યા. આજુબાજુની જગા ટેકરીÀાવાળી હતી, અને આ જગામાં જરા નીચાણુ હતુ. એટલે ગંગાનું પાણી બારે માસ ભરાઈ રહેતું. અને કુમાર એના કાંઠે પહેાંચતાં જ કપડાં ઉતારી પાણીમાં પડવા. ડાબા હાથમાં કપડાં ને જમણે હાથે તરતા જાય.
આકાશમાંથી કેવળ તારલિયા પ્રકાશ વેરી રહ્યા હતા, છતાંય આ કુમારીને પ્રકાશ કે છાયાને ખાસ ભેદ નહાતા. ઘેાડી વારમાં તે તેએ સામે કિનારે પહેાંચી ગયા, અને એએક ક્ષણ થાભી કપડાં પહેરી પાસેના એક વૃક્ષ પાસે પહેાંચ્યા.
વૃક્ષ પીપળાનુ હતુ તે તેની ડાળા ફેલાવાને બદલે ઊઁચી ગઈ હતી. અને કુમારે તેના પર ચડી ગયા, તે ઠેઠ ઊંચે પહોંચી એક ડાળની વચ્ચે છુપાવી રાખેલાં તીર-કમાન કાઢ્યાં.
હેમરાજ, વખત થતા જાય છે. હવે મુગ્નુ અવાજ સભળાશે.' અને કુમારેશ શાંત બેસી રહ્યા, પણ કંઈ અવાજ ન સંભળાયા.
.
ફરીદ, આમ ને આમ રાત તેા વીતી નહિ જાય? તે વળી પાછું કાલે આવવું પડશે. પણ તે ફરીદ, મેં સાંભળ્યું છે કે આસામના જંગલમાં હાથીએ આવી રીતે પાણી પીવા આવે છે. ભલા, એના શિકારમાં કેવી મઝા આવે !'
.
· હેમરાજ, તારા વડવાઓએ તા માંસાહારતું નીમ લીધુ' છે. અને શેઠ રાજપાળજી જ મને કહેતા હતા કે હેમરાજને દિલ્હીમાં મેટી દુકાન કરી આપવી છે! હેમરાજ, તારા આ શાખ ખાટા છે. આકી એટલું ધ્યાનમાં રાખજે કે જો હું બાદશાહ થયા તે તને જરૂર વજીર બનાવીશ.' કરીદે હેમરાજને ફરીથી સ્કુ
' +,
જિન ને ટ્વીન ઃ ૫૭
Page #75
--------------------------------------------------------------------------
________________
એટલે ફરીદ, તમને જ બાદશાહ થવાને ઇજારે લખી આપે છે? વીરો ગ્યા વસુંધરા ! જેના હાથમાં તીર ને તલવાર હેય. જેના મગજમાં હિકમત હોય ને સહુથી વધુ તો જેના હૈયામાં હિંમત હોય એ બાદશાહ બની જાય ! ફરીદ, એક દહાડો તું બાદશાહ થઈશ તો હું પણ છત્રપતિ થઈશ. કઈ વાતે તારાથી ઊતરતો છું ? શિકાર તે શસ્ત્રવિદ્યા માટે ખેલું છું, રણમેદાન સર કરવા માટે ખેલું છું” હેમરાજના શબ્દોમાં આત્મવિશ્વાસ ગુંજતો હતો. સાથે ફરીદનાં વચનોથી માઠું લાગ્યા પણ ભાસ થતો હતો.
હેમરાજ, ખોટું લાગ્યું? મિત્રની મજાકથી બેટું લાગ્યું ? ભૂલી ગયો તે દિવસની વાત કે આપણે બંનેએ નિર્ણય કર્યો તો કે બંને જણા સાથે બાદશાહ બનીશું.' ફરીદે મિત્રને શાંત પાડવો, પણ હેમરાજ કાબેલ હતો. એણે વાત બદલી નાખતાં કહ્યું :
એ મારા ફરીદખાં બાદશાહ, જરા થોડી વાર આપ નામદાર જીભ બંધ કરી કાનને કામ સોંપો. બધી મહેનત એળે ન જાય !”
બંને પાછા ચૂપ થઈ ગયા. આખા પ્રદેશ ઉપર રાત્રિની નિર્જ. નતા છવાયેલી હતી. તમરઓના અવાજ વગર કશોય અવાજ સંભનાતો નહોતો. લગભગ મધરાત થવા આવી. એવામાં તળાવને સામે કિનારે કંઈક ભડકા થવા લાગ્યા.
પણ બન્ને આ ભડકાથી પરિચિત હોય તેમ શાંત ઊભા. એ સ્થળે રમશાન હતું. કુમારોની ધીરજ ખૂટવાની અણી પર હતી, ત્યાં તો પશ્ચિમ કાંઠેથી અવાજ સંભળાયો : બુ, બુ, બુડું !”
“હેમરાજ, બસ, બરાબર એ જ આવ્યું. અને સણસણાટ કરતું ફરીનું તીર એ દિશાએ ચાલ્યું ગયું. તીર ગયા પછી પાછી શાતિ વ્યાપી રહી. - પાછા બન્ને કુમાર વનમાં થતા અવાજ ઉપર કાન ઠેરવી શાન્ત બેઠા. પ્ર૮ઃ જિન ને દીન
Page #76
--------------------------------------------------------------------------
________________
*
મુ, ખુ, મુ!' બીજો અવાજ સંભળાયેા. હેમરાજે વીજળીની ઝડપે એ દિશામાં તીર ચલાવ્યું. તીર સણસણાટ કરતું ચાલ્યું ગયું.
પુનઃ શાન્તિ! થેડી વારે બન્ને રાજકુમારે નચે ઊતર્યાં તે એ દિશામાં ચાલ્યા. કિનારે કિનારે ત્યાં જઈ શકાય તેમ ન હતું, એક માટે પ્રવાહ માને વીધીને વહેતેા હતેા. ઉનાળે તેા એ સુકાયેલે રહેતા, પણ આજે તેા ચામાસાનાં જળ ઝીલી ખૂબ ફેલાયેલા પડચો હતા. એ પાણીના થોડા ભાગ વીંધવા પડે તેમ હતેા. બન્ને જણા હિમ જેવા જળમાં છબછબિયાં ખેલાવતા ચાલ્યા. અડધે ગયા કે એકાએક પાણીમાં થાડા ખળભળાટ જણાયે.
તારાઓના પ્રકાશમાં જોયું તે એક લાંમા પ્રચંડ સાપ પાણી વી ધતા ચાલ્યે! આવતા હતા. એના મેાં પાસેથી કેટલીક વાર વીજળીના તણુખા જેવું ઝરતું હતું.
હેમરાજ, વીજળિયે નાગ ! ડયેા તેા ખેલ ખલાસ !’ ફરીદના મેલવામાં વ્યગ્રતા હતી.
‘ ધિર ચારે। ચરવા નીકળ્યા હશે ! ’હેમરાજે શાન્તિથી જવાબ વાળ્યો.
*
સાપ યમરાજની છટાથી ચાલ્યે! આવતા હતા.
વીજળિયા નાગ અંધારામાં પણ સહેલાઈથી પરખાઈ જતા. કેટલીક વાર એના પાતળા ને લાંબા મેાં પાસેથી એવી ચિનગારીઆ ઝરતી કે પાણીમાં દેડકાં ચીસે નાખીને ભાગતાં. સમુદ્રને રહેનારા આ મહાસ પાણીના વહેણ સાથે અહીં આવી ભરાયા હશે.
ફરીદે કમર ઉપરથી મેટ છા કાઢી હાથમાં પકડી લીધે. હેમરાજે સૂચના કરી કે ઉતાવળ ન કરીશ. કદાચ વાર ખાલી ગયે અને એકાદ વાર શત્રુ સપાટે ચલાવી ગયે તા, એમાંથી એકાદને * આવા મણિધર સાપ આજે પણ બંગાળની નદીઓમાં જોવાય છે.
જિન ને ટ્વીન ઃ ૫૯
Page #77
--------------------------------------------------------------------------
________________
તો લેતા જશે જ. આ દુશ્મન બળ નહિ પણ કળનો છે.
હેમરાજે પાણીમાં શાનિતથી ઊભા રહી સાપના આગમનની પ્રતીક્ષા કરવા માંડી. ફરીદ સિપાઈ હતી. એ દુશ્મનને વધારે વાર રમાડવામાં નહોતો માનતે, પણ સાથે સાથે એને હેમરાજની વિચક્ષણ બુદ્ધિ માટે પણ માન હતું. તે ખુલ્લા છરા સાથે શાતિથી ઊભો ઊભે, તક આવતાં પહોંચી વળાય તેવી તૈયારી સાથે જોઈ રહ્યો.
સાપ બિલકુલ નજીક આવી પહોંચે. કેઈ હાલતું ચાલતું નહોતું. એટલે સાપે પણ પોતાની વેગીલી ગતિને જરા નરમ કરી; લગભગ નજીક આવી પહોંચે એટલે હેમરાજે ધનુષની પણછ માં પાસે ધરી, મજબૂત અને કૂણું આંતરડાંની બનાવેલી પણછ મેં પાસે આવતાં સાપે શિકાર ધારી એના પર હલ્લો કર્યો. ઝડપથી પણછ માં લઈ સાપ ગૂંચળું વળી ગયો. એ તો નાગચૂડ!
હેમરાજ રજ પણ ગભરાયા વગર બાણને પકડીને ઊભો હતો. મતને અને એને બે હાથનું જ છેટું હતું. ફરીદ પણ ગાંજ્યો જાય તેમ નહોતો, છતાં હેમરાજની વચ્ચે પડવા માગતો નહોતો. સાથે પણ૭ને મોંમાં લીધી કે તરત હેમરાજે ધીમે ધીમે ધનુષ ઊંચું કરી લીધું.
આ સાપ ધનુષ પર ટી ગાઈ ગયો. હવે હેમરાજે હાથ બરાબર સ્થિર રાખી, ધીરેથી કિનારા તરફ પગલાં ભરવા માંડ્યાં. સાપ તો અવ્યક્ત રીતે પણછને લટકી રહ્યો હતો.
બંને કિનારે આવી પહોંચ્યા. કિનારે આવતાંની સાથે હેમરાજે ઝડપથી કમર પરને છરે ખેંચ્યો ને પોતાના હાથ પાસેની પણ એવી યુક્તિથી કાપી નાખી કે ધનુષ ટંકાર કરતું પોતાની પણછમાં સાપને લપેટી કેટલાય કદમ દૂર જઈ પડ્યું.
હેમરાજ, એક વાર, વન ગાજી ઊઠે એવી રીતે, ખડખડાટ હસી પડ્યો. ફરીદે પણ જંગલને મુક્ત હાસ્યથી ગજવી મૂકયું. ૬૦ : જિન ને દીન
Page #78
--------------------------------------------------------------------------
________________
ફરીદ, સાપ–બહાદુર કાણુ જાણે કાંય પડયા હશે ! ને પડયા હશે ત્યાં કૈડા એવી ભાંગી ગઈ હશે કે હાલવા-ચાલવાની શક્તિય નહિ રહી હૈાય. મારા મત મુજબ દુષ્ટ માણસને મારવા કરતાં એને નસિયત-શિક્ષા કરવી વધુ સારી.’
પશુ કરીદે કઈ પણ જવાબ ન આપ્યા. આ સંકટમાંથી મુક્ત થતાંની સાથે અને પેાતાની વિદ્યાનું પરિણામ જાણવા આગળ વધ્યા.
F
આકાશનું અંધારું આ અને કુમારેાની આંખેાને નડતર કરી શકતું નહિ. તે કિનારે કિનારે આગળ વધ્યા. થાડે દૂર જતાં જોયું તેા એ જનાવરા બરાબર માંમાંથી જ વીધાઇ ને પડયાં હતાં. શાબાશ હેમરાજ ! ' મેઢા મનના ફરીદે હેમરાજને પહેલાં શાબાશી આપી.
*
"
શાબાશ ફરીદ ! પણુ મારા દોસ્ત, હજી આપણી પરીક્ષા અધૂરી છે. કાઈ મદમસ્ત હાથી કે કાઈ ભયંકર કાળા વાધને હરાવીએ ત્યારે આપણને શાબાશી શાભે!' હેમરાજે ફરીદને પાનેા ચઢાવ્યા.
‘ એ પણ કરશું.' અને બંને કુમારા આંકડા ભીડી પાછા ફર્યાં. એ જંગલે, એ ટેકરા, એ તળાવ બધુય પસાર કરતા તેએ જ્યારે જોનપુરને પાદર નિશાળ પાસેથી નીકળ્યા ત્યારે આકાશ ઠંડી હિમ જેવા શ્વાસ છેાડી રહ્યું હતું.
આમ હેતપ્રીતભર્યાં. આ એ હૈયાં, ઉલ્લાસ ને હુની જિંદગી વ્યતીત કરતાં હતાં. બંનેએ એક વાર સૂબા પાસે જઈ પેાતાની બહાદુરી બતાવી. સૂબાએ બંનેનુ સરખું સન્માન કર્યું, પણ એમને ભાળ નહાતી કે એ રીતે તેમની હસીખુશીના દિવસે પૂરા થવા
આવ્યા હતા.
મિત્ર ફરીને ઘરનું દુઃખ હતું. એની વિમાતા એને સદા સંતાપ્યા કરતી. એનેા પિતા હુસેનશાહ ભલેા હતેા, પણુ અધાન
જિન ને ટ્વીન ઃ ૬૧
Page #79
--------------------------------------------------------------------------
________________
પત્નીના એ પુત્ર અને નવી પત્નીના છ પુત્ર વચ્ચે એકજ કેમ જાળવવું, તે જાણતા નહેાતા. પિતા ચાહતા કે ફરીદ પેાતાને મળેલી જાગીર જાળવે. વિમાતા ચાહતી કે પેાતાના છ પુત્રામના વડેરા સુલેમાન એના માલિક અનેે.
પિતા હુસેનશાહે એકવાર ફરીદને જાગીરમાં તેડાવ્યેા. પિતૃભક્ત ને કુટુંબપ્રેમી ફરીદ જાણતા હતા કે એ ધેર જશે તે ગૃકલેશ ભભૂકી ઊઠશે. એણે વધુ વિદ્યાભ્યાસનું બહાનુ કાઢી એ આમંત્રણનેા ઇન્કાર ભણ્યા. સાચી વાત તેા એ હતી કે એ મિત્રાને વિખૂટા પડવાની કલ્પના પણ સહ્ય નહેાતી.
અંતે જણા પેાતાના ઉલ્લાસના દિવસે વિતાવતા હતા. ફરીદ અશ્વને બહુ શોખીન હતા. એણે શુદ્ધ અરબ આલાદના એક વછેરા આણ્યા. હેમરાજને તેા હાથીની ઘેલછા હતી. પેાતાના પિતાની લાગ વગથી કે લંકા—સીલેાનનાં જંગલામાંથી એક હાથીનું બચ્ચું આપ્યું. ફરીદના વછેરાનું નામ ‘ ખુશરેાજ.’
.
હેમરાજના બાળહાથીનું નામ હવા.'
માણસનું જેવું જુએ તેવુ જાનવર પણ શીખે છે. જેવા ખે કિશારા વચ્ચે પ્રેમ એવા આ બંને જાનવરે વચ્ચે સ્નેહ. સ્વર્ગીય એ જિંદગી હતી.
પણુ કર્મની અકળ કળાને કાણુ જાણી શક્યુ છે ? હેમરાજને એના પિતાનાં ઉપરાઉપરી તેડાં આવ્યાં. પુત્રને પરણાવવાના માબાપતે એરતા થતા હતા; પરણાવીને દિલ્હીમાં ઝવેરાતની દુકાન કરાવવાને આગ્રહુ હતા. જ્વાળામુખી જેવા રાજકાજમાં પુત્રને ઢામવાની રાજકાજમાં પડેલા હેમરાજના પિતાની સંપૂર્ણ અનિચ્છા હતી. બીજી તરફ હેમરાજને સિપાહી–જીવનનાં સ્વપ્ન આવતાં હતાં. સામ્રાજ્યનાં સર્જન તે વિનાશને એ સતત અભ્યાસ કરતા હતા;
૬૨ : જિન ને દીન
Page #80
--------------------------------------------------------------------------
________________
ઝવેરીની શાંત જિંદગી કરતાં સિપાહીના ગરમાગરમ જીવનમાં એને કાઈ જીવનને વિલસાવતા જીવંત ઉલ્લાસ લાગતા.
પણ આખરે એ અપ્રિય દિવસ આવીને ઊભો રહ્યો. પિતાની જાગીરમાં જવા માટે ક્રીદને અને દિલ્હીના ઝવેરી બનવા હેમરાજને એક દહાડા જુદા જુદા રાહ લેવા પડયા. માથી વિખૂટાં પડતાં બાળકા જેમ રડે, ભાઈથી જુદા પડતાં ભાઈ રડે, પતિથી જુદી પડતી પત્ની રહે એમ એ મિત્ર! રડયા. અરે, એ એનાં પ્રિય જાનવર પણ અમેલ રીતે આંસુ વહાવતાં રહ્યાં.
એક ગયે। પિતાની જાગીરમાં.
ખીજો જઈ તે, પરણીને બેઠે દિલ્હીની બારામાં. છતાં એમાંથી કાઈ કાઈ તે ભૂલ્યુ નહીં. રથાખડયા કાઈ ૫થી પ્રવાસી સાથે તેના સ ંદેશા આવતા જતા. એક હાડે કાઈ સ ંદેશવાહકે સમાચાર આપ્યા કે ફરીદ ફરીથી વિમાતાના ત્રાસે ઘેરથી નાસી છૂટયો. પણુ સાથે સાથે સંદેશ આપનાર કહેતા ગયે કે ભાઈ, ભાઈ, કઈ આદમી છે એ ક્રીદાં! બાપની જાગીરને એવી સુધારી કે ન પૂછો વાત! ખેડૂતે બિચારા જમીનદારના ત્રાસમાંથી ખરેખરા છૂટવા ! એ ગરીબેાની આંતરડી એને દુઆ દે છે. શું અદલ ઇન્સાફ ! શું પ્રાપ્રેમ !
હેમરાજ આ સમાચાર સાંભળતા ને એને પારસ ચઢતે, શેરશેર લેાહી ચઢતું. એ એટલી ઊઠતા ઃ કેમ ન હોય એવા મ! મિત્ર કાતા છે ? એ પછી હેમરાજ એનાં ખબરઅંતર મેળવવા મથતા, પણ કશી ભાળ ન મળતી. ઘડીમાં બાબરની સેનામાં સંભળાતા, ઘડીમાં બાબરથી ડરીને ભાગતા સંભળાતા. કાકવાર જૂનાગઢમાં આશ્રય લઈ રહેલેા સંભળાતા.
એકાએક એને સ ંદેશા મળ્યોઃ બિહારના રાજા મહેમદશાહ લેાહાની સાથે વાધના શિકાર ખેલતાં ફરીદ ધવાયા છે. પણ ખરેખરી
જિન ને ટીન : ૬૩
Page #81
--------------------------------------------------------------------------
________________
મર્દ ફરીદ! એણે જે મર્દાનગી ન દાખવી હેત તો બિહારના શાહન બધાં વર્ષ ત્યાં પૂરાં હતાં ! એક જે તલવારને ઝાટકે ને પહાડ જેવા વાઘના બે કટકા કર્યા. બિહારના શાહે એને ૫૦૦ સવારોની સરદારી આપી, ને ફરીદખાને બદલે શેરખાંનું ઉપનામ આપ્યું ! ઘાયલ શેરખાં પડદે પડડ્યો છે.
રંગ છે ફરીદખાં–ના, ના, શેરખાં તને! અને પેલે ઘેલ હેમરાજ તે “હવાની પીઠે ચઢી જઈ પહોંચ્યા ત્યાં. ફરીથી ચાર દિનની ચાંદની જેવા તેઓના થોડા દિવસ આનંદમાં વીત્યા. હેમરાજે એની માતા કે પત્નીની જેમ સેવાશુશ્રષા કરી, ને જ્યારે ફરીદખાં–શેરખાંને માથે પાણી નાખ્યું ત્યારે મિત્રઘેલે પેલે હેમરાજ મટી ધમણ જેવી છાતી ફુલાવી સહુને કહેવા લાગ્યા :
મારે ફરીદ, મારે શેર, મારે બાદશાહ! તમે સહુ જોશે કે આ એકલહ લડવે હિંદનો બાદશાહ બનશે.
ના, ના, હેમરાજ ! આપણે બેય બાદશાહ બનીશું. તું કઈ વાતે મારાથી કમ છે?” શેરખાંએ મિત્રને કહ્યું.
ના, ના, એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે. હું ભલે ને મારું ઝવેરાત ભલું.”
તો તું મને બારશાહ બનાવશે?”
હું બનાવીશ.” હેમરાજે ગર્વભેર કહ્યું, “પણ, વહાલા દસ્ત, શું શેરને જંગલનો તાજ કઈ પહેરાવે છે ?'
પૂરવભવની કઈ પ્રીત જ હશે, કે આમ આ બે બાળકોને વિધાતાએ એક જ નિર્માણ કર્યા. ન એમને ધર્મે છેતર્યા, કે ન એમને રીતરિવાજે રિસાવ્યા. પછી તો એક દિલ્હીનો ઝવેરી બન્યા, બીજે સમરાંગણને સિપાહી બન્યા.
કોઈ દીવાન શાયરની ટાથી કથા કહેનાર અટક્યો, અને ૬૪ : જિન ને દીન
Page #82
--------------------------------------------------------------------------
________________
જ્યારે તે અટક્યો ત્યારે આકાશમાં તારલિયા ઝબૂકી રહ્યા હતા.
“પૂજ્ય જતિજી મહારાજ ! આપ સમજી જ ગયા હશે કે પેલે દિલ્હીને ઝવેરી બનનાર હેમરાજ તે હું પોતે; ને જેને મેં કોલ આપે તે આજે બાદશાહ બાબરને પગલે રાજશતરંજને ખેલાડી બનેલે શેરખાં પોતે ! આજે તો તે વિપત્તિનાં વાદળ વચ્ચે ઘેરાયેલું છે.”
હેમરાજજી, તમે જૈન વીર કમશાહને પગલે ચાલે, રાજનીતિમાં પ્રવેશો. ભલે શેરખાં બાદશાહ બને.”
સાચું ભાડું મહારાજ! વેળાએ વેળાએ સાવધાન કરવા જરૂર પધારજો, કારણ કે રાજનીતિની કાળી કાટડીમાં પેસનારને કાળા રંગે રંગાવાનો સદાને ભય છે. એ જુવાન અફધાન, બાદશાહીને બરાબર યોગ્ય જ છે. તમે હૈયું ખોલીને વાત કરી એમ હું પણ કરું છું, કે આજે જ મને એક સમાચાર સાંપડ્યા છે. સવારે જ જનાનખાનામાં ગયો ત્યારે ઘણું ઘણું ઝવેરાત મારી પાસેથી ખરીદાયું ને આગ્રા ગયું. ખરીદનાર બેગમના ચહેરા પર ખુશી નહોતી દેખાતી. મારી કલ્પના ઠગાતી ન હોય તો હું નક્કી માનું કે બાદશાહ બાબર ગુજરી ગયે. મહારાજ, બાદશાહી મેળવવાની નવી તક લીધી. મારા મિત્રને ચેતવું છું. કાર્યના શ્રીગણેશ હવે કરવા જ ઘટે. આપના આશીર્વાદ ?”
“ અવશ્ય હેમરાજજી, મારા સાધુના આશીર્વાદ છે, પણ તમારા મિત્ર પાસેથી કોલ લેજે કે એ ભલે અમૂર્તિપૂજક રહે. પણ, મૂર્તિભંજક ન બને !”
ભલે, એવો કોલ લઈશ. પણ મહારાજ, ગુપ્ત ખંડની વાર્તા ગુપ્ત રહે, ને ગુજરાતના સમાચાર મળતા રહે!”
તારલિયાથી છલછલ આકાશ નીચે જતિજી જ્યારે પોતાના આશ્રયસ્થાન તરફ જવા નીકળ્યા ચ્યારે મધરાત થવા આવી હતી, અને મોડી રાત્રે જ્યારે દિલ્હીના ચેકીદાર તાપણું તાપી ટાઢ ઓછી કરતા હતા, ત્યારે કેઈ ફકીર ગામ બહાર જતો હતો.
- જિન ને દીન : ૬પ
Page #83
--------------------------------------------------------------------------
________________
પર્યંત્ર
ચિત્તાની અને ચતુરાનનાની સુંવાળી સુંવાળી સોડમાં સૂતેલ આપણે સ્વમદ્રષ્ટા શેરખાં આજે નિરાંતની નીંદ માણી રહ્યો હતો. આશરાની ને ભરોસાની શોધમાં પહાડ–પર્વત, નદી-નાળાંના રોજના રઝળપાટથી સદા સંતપ્ત એનું હૈયું, આજે આ નૌકાના હૂંફાળા ખંડમાં આશાયેશ પામ્યું હતું. સતનત સ્થાપવાનું શોખીન, અફઘાના આફતાબને ચમકાવવાનું હોંશીલું એનું મન કોઈ સુંદર ખ્યાબી દુનિયામાં સરી રહ્યું હતું.
બહારના ભાગમાં શીળા વાવંટોળ વાઈ રહ્યા હતા, ને નૌકાને બાથ ભાગ તુષારબિંદુથી ભીંજાઈ ગયો હતો. પણ તેથી નૌકાના અંતર ભાગમાં સૂનારને કશી ખલેલ પહોંચતી નહોતી. છતાં જેના નસીબમાં નિરાંતની નીંદ લખી ન હોય, એ લાખ કોશિશ કરે પણ ક્યાંથી પામી શકે ? એને તો વહેતી હવા પણ વિષનું વમન કરતી હોય છે. ઝાકળનું એક એક બિંદુ એની ઊર્મિઓ પર તેજાબ છાંટતું હોય છે.
જમુનાના શાંત પ્રવાહ પર સરતી આ નૈયા પર,
Page #84
--------------------------------------------------------------------------
________________
આકાશમાંથી એકાએક મૂશળધાર વર્ષ તૂટી પડે એમ, કિનારા પરથી તીરની વર્ષા થઈ રહી. ઝબકીને જાગીને સહુ જુઓ ત્યાં તે વાતવાતમાં નૌકા ઘેરાઈ ગઈ હલેસાં મારી રહેલા ગુલામ મોતને નજર સામે નીરખી ખરગોસની જેમ નીચું માથું ઘાલી ગયા. નૌકાના અગ્ર ભાગ પર બેઠેલે ગુલામ સરદાર સાવધ થઈ એલે હાથે તીરેનો સામનો કરી રહ્યો. યુનાગઢનો એ ચુનંદે લડવૈયો હતો. મલિકાના મરહૂમ માલિક તાજખાનનો આપભરોસાનો આદમી હતો.
એની તીરવર્ષાએ આવતા દળને ખાળી લીધું. પણ અફસોસ ! કિનારા પરથી હવે સળગતાં બાણોને મારે ચાલુ થયો ! સર્ચ કરતું એક સળગતું તીર આવ્યું; અને થોડી વારમાં નૌકાના કૂવાથંભને આગે ઝડપી લીધો.
નિરાંતની નીંદમાં પોઢેલે શેરખાં ક્ષણભરમાં બેબાકળો બગી ઊડ્યો. એણે આંખના પલકારામાં પરિસ્થિતિ પારખી લીધી. વીજળીની ઝડપે પોતાની બંદૂક સમાલી લીધી. અજોડ નિશાનબાજે પોતાની અજબ કરામત દેખાડવા માંડી. દુશ્મને ગોળીએથી બચવા વૃક્ષોની પાછળ છુપાઈને તીરોને વરસાદ વરસાવવા લાગ્યા.
સન્...એક, બે કે ત્રણ! જમુનાના કિનારાનાં કાતરો આ ગોળીબારથી ધણધણું ઊડ્યાં. ભળભાંખળું થતું હતું. પરોઢનાં પંખી હજી છેલ્લી નીંદમાં હતાં, ત્યાં આ ભયંકર કોલાહલે પંખેરેને જાગ્રત
ર્યા; સાથે પ્રેમનું પંખેરું બનીને સૂતેલી ચુનારગઢની મદભરી મલિકા પણ જાગી ગઈ. ઝોલે ચઢેલી તાર બાંદી પણ સાવધ થઈ ગઈ
પણ મોડું-અતિ મોડું થયું હતું. ગુલામ સરદાર તીરની બછારથી ચાળણીની જેમ ચળાઈને જીવનહીન બની નીચે ઢળી પડ્યો. એક શેરખાં મર્દ બનીને સામનો કરી રહ્યો હતો. નૌકા ભડકે બળી રહી હતી. એ ભડકામાં શેરખાંને દુશ્મનો સ્પષ્ટ દેખાઈ આવતા હતા. એક જલદી ન કળી શકાય તેવા પ્રચંડ કાવતરાની જાળમાં
જયંત્ર : ૬૭
Page #85
--------------------------------------------------------------------------
________________
મૃમલાની જેમ સહુ ફસાઈ ગયાં હતાં. કિનારા પરના દુશ્મનોનું જૂથ મોટું લાગતું હતું. રાજ શેતરંજની રમનારી મલિકા આજે ગભરાઈ ગઈ અને એથીય વધુ એને ચિત્તો ગભરાઈ ઘુઘવાટ કરવા લાગ્યો
“ખામોશી” કિનારા પર એક અવાજ ગાજ્યો. એકદમ એ અવાજની સાથે તીરોનો વરસાદ બંધ થઈ ગયો, હિલચાલ શાંત થઈ ગઈ. સહુ જાણે જમનાના હૈયા પર પ્રગટેલ આ હેળીમાં સુંદસ સ્ત્રી અને પુરુષને સ્વાહા થતાં જેવા શાંત થઈને બેઠા. ગરુડના જેવી દીર્ધદષ્ટિવાળા શેરખાંએ વખત પારખે. આ તો જીવતાં શેકી. નાખવાનું કાવતરું !
મલિકા !”
યારા !” મલિકા ગળગળી થઈ. આજ પિતાને કારણે જ શેરખાં યમરાજની દાઢમાં જીવતો ચવાવાને હતા.
તે બોલનારને અવાજ ઓળખ્યો?”
“ના !' મલિકા એનાં લાલઘૂમ નયને ચમકાવતી બેલી. નૌકા ભડભડાટ બળી રહી રતી, ને એની લાલાશ મલિકાના સુંદર ચહેરાને અજબ લાલી આપી રહી હતી. એનું સૌંદર્ય પણ જાણે ભડકે બળી રહ્યું હતું. સૌંદર્ય પણ આગ કરતાં ક્યાં કમ હતું !
એ અવાજ સુલેમાનનો ! ગળાની આવી બુલંદી શેરખાંના ભાઈ સિવાય કોને મળે !”
“કેશુ? તમારા ભાઈ સુલેમાન ? અને તે તમારે જાન લેવા ?”
હા. અફઘાન કોમની તો એ આજની ખૂબી છે ! પણ કંઈ પરવા નહીં. મલિકા, આપણી આ મીઠી રાત ભલે ફનાની રાતમાં પલટાઈ જાય. આમ સાથે લયલા-મજનૂ બનીને મારવાનો પ્રસંગ ક્યાંથી સાંપડત ? આપણી કેવી ખુશનસીબી !”
“ખુશનસીબી? હા, હા, ખુશકિસ્મતી મારા દેતને હવાલે !'
૬૮ : જયંત્ર
Page #86
--------------------------------------------------------------------------
________________
જલપ્રવાહ પરથી તરતો તરતો કોઈને અવાજ આવ્યો. તાર બાંદી ચમકી ઊઠી. એણે જલપ્રવાહ પરથી આવતા માનવીને ખાળવા કટાર ખેંચી.
સબૂર, બાંદી ભાવ તારા હાથ! દોસ્ત છું.”
કેશુ?” શેરખાંઓ લાલઘૂમ આંખોથી દસ્તીને દાવો કરીને આવતી નવી આફતને નિહાળી અને પડકાર કર્યો.
“કઈ નહિ! દરમાં પડેલા ઊંદર સિંહ બનીને બહાર ધસી આવ્યા હોય ત્યારે તેમને ભક્ષ કરનાર એક મહાન અજગર !”
કોણ......હે...”
ચૂપ રહે!” નાક પર આંગળી મૂકતો, ફકીર જેવો લાગતો એક આદમી નિમિષ માત્રમાં નૌકા પર ચડી ગયો.
આજ સુલેમાન શત્રુ બનીને આવ્યા છે.'
એટલું જ હોત, તો મને ભરોસો હતા, એને માટે મારે શેર કાફી હતો, પણ વાત એમ નથી. તારો ભાઈ સુલેમાન જ તારી સામે આવ્યો છે એમ નથી; આજ તો તને અને તારી મહેમાનગતિ કરનાર મલિકાને નષ્ટભ્રષ્ટ કરી નાખવાનું જબરદસ્ત કાવતરું રચાયું છે.' આગંતુક પુરુષ સામે કિનારે ઊભેલા જોઈ ન શકે તેવી રીતે બ જુમાં ઊભો રહ્યો. એ સીધે સોટા જેવો, પણ ઊંચે પડછંદ કવાયતી નર હતો. એની આંખો અત્યારે ઝેરી સાપની આંખો જેવી તગતગતી હતી.
સુલેમાનને ભાઈ ગણુને મેં બાપીકી જાગીર બક્ષી. કુટુંબ માટે તો શેરખાંએ શું શું રહ્યું નથી ? હજી કંઈ ઓછું હતું તો માગણી કરવી હતી, પણ આ રસ્તો ? સુલેમાનની સાથે શાગિર્દ બનીને આવનાર બીજા કોણ કોણ છે?”
“જેને બચાવવા તે શેરેબબરના (વાઘના) મોંમાં માથું મૂકવું
વયંત્ર = ૬૯
Page #87
--------------------------------------------------------------------------
________________
હતું, એ મહમ્મદશાહ લેાહાનીના શાગિĚ અને સાથે ચુનારગઢની મલિકાના છુપા હિતશત્રુઓ !’
‘મારા હિતશત્રુઓ ?' મલિકા વચ્ચે ગર્જી ઊઠી.
·
હા, બાનુ, તમારા હિતશત્રુએ. તેઓએ પેાતાના માના કટકને સદાને માટે ઉખેડી નાખવાને નિરધાર કર્યાં છે, પણ પરવા નહિ. આજે અક્સાસ કરવાની વેળા નથી. ગણુતરીનેા વખત આપણી પાસે છે ને બધું બરાબર ગાઠવાઈ ગયું છે. મર્દ શેરખાં ! ગાંગાજમનાનાં માછલાં થવાન કળા શું વીસરી ગયા ? સામે કિનારે હવા રાહ જુએ છે.’
'
‘હું નાસી છૂટું??
"
હા, ભૂખ મરઘાંની જેમ ઝમ્સે થવામાં શેા લાભ ? કેટલીકવાર સામે માંએ લડવા કરતાં નાસી છૂટવામાં વધુ બહાદુરી રહેલી છે.’
‘અને તું?’
આજ અમે તેા ઢાળીના ઘેરૈયા બનીને આવ્યા છીએ. હાળી રમશું ને રમાડીશું.' આવનારના ભરાવદાર માં પર હાસ્ય હતુ. એ હાસ્યમાંય ભયંકરતા છુપાયેલી દેખાતી હતી. પરિણામ માટે જાણે એ સાવ એપરવા હતા.
<
<
· સહુ સાથે જ હાળી ખેલશું. શેરખાં મ છે. દાસ્તને જલતી આગમાં ભૂજાવા મૂકીને એ નાસી ન છૂટે '
‘ નાસી છૂટવું પડશે. ચુનારગઢના દરવાજા તારી રાહ જુએ છે. તે દિવસનાં ધડેલાં બાદશાહીનાં સ્વપ્ન શેખચલ્લીના તુક્કા નહેાતા; મર્દાના મનસૂબા હતા, શેરખાં ! ચાલ્યેા જા ! બગડેલી બાજી સુધારી લે.’ નહિ જાઉં, આજ શેરખાંની કરામત દેખાડવી છે.’
C
"
કરામત પછી દેખાડાશે. રજપૂતાના જેવા ઘેલા ન થા. ભૂલી ઞયે। પેલું સૂત્ર ! સારી રીતે મરી જાણવામાં બહાદુરી ભલે હાય,,
૭૦ ઃ ષડ્યત્ર
Page #88
--------------------------------------------------------------------------
________________
પણ સારી રીતે જીવવામાં એથીય વધુ બહાદુરી છે. વખત ટુંકે છે, લઈ લે મલિકાને હાથ પર! પ્રવેશી જા જમનાના હૈયામાં ! ભલે દુશ્મને બેઠા બેઠા વા ખાધા કરે.' આગંતુકે શેરખાને ધક્કો માર્યો.
પણ તારું શું ?”
“મને ઊની આંચ નહીં આવે. મારી ગણતરીમાં મીનમેખ ફેર ન થાય. આજ તારા ઘરના દુશ્મનો છેલ્લે ફેંસલો કરવો છે.” બેલનારના અવાજમાં અભુત સ્વસ્થતા હતી. તેના મુખ પર ભલભલાને થરથરાવે તેવી દઢતા હતી.
સ્મશાનચિતાની જેમ નૌકા ભડભડાટ બળી રહી હતી. કિનારા પરના દુશ્મને આડમાં છુપાયા હતા. તેઓ જાણતા હતા, કે જે આછા પ્રકાશમાંય-ઝાડપાન વચ્ચેથી પણ કોઈનું અંગ-પ્રત્યંગ શેરખાં ભાળી ગયે તો, એની બંદૂકની ગોળી કોઈની સગી નહીં થાય.
બિસિમલ્લાહ! યા અલ્લાહ તારી મરજી!' ને શેરખાં હેડીના ઊંચા ભાગ ઉપરથી નીચે સરકી ગયો. મદમસ્ત હાથી રમતમાત્રમાં કમળને સુંઢમાં ઊંચકી લે એમ એણે મલિકાને લઈ લીધી. અને જાણે સાગરને મત્ય સાગરમાં અલેપ થયા.
શેરખાં ને મલિકાનું ખાલી પડેલું સ્થાન આવનાર આગંતુકે અને તાતંર બાંદીએ લઈ લીધું. દુશ્મને ભડભડ બળતી નૌકા સાફ થઈ જાય તેની રાહમાં હતા. અગ્નિ પિતાની સર્વભક્ષી સહસ્ત્ર જ્વાળાઓ સાથે આગળ વધી રહ્યો હતો; પણ હેમરાજને જાણે એની ચિંતા જ નહોતી. એ શાંત સ્વસ્થ ચિત્તે દૂર દૂર આસમાનમાં કંઈ નજર નાખી રહ્યો હતો. અજબ સબૂરી એના હૈયે હતી. અગ્નિ પાસે ને પાસે આવતો જોઈ વીરતાના અવતારસમી બદી પણ ગભરાઈ રહી હતી. પણ આવનાર કંઈ બીજી રાહમાં હતો.
....ને એ રાહ પૂરી થઈ. એની ગણતરીના સમયે જમનાનાં ઊંડાં કેતરે વચ્ચે ભયંકર ગર્જના સંભળાઈ. કિનારા પર બેસીને
વયંત્ર ઃ ૭૧.?
Page #89
--------------------------------------------------------------------------
________________
આ
નિશ્ચિંત મને આ હુતાશની પેખી રહેલા દુશ્મના એકાએક ધડાકાઓથી ચમકી ઊઠયા. એ સાવધ થાય તેટલામાં તેા કેટલાએક ઘેાડેસવારા પવનવેગે નજીક આવી ગયા. નાનું સરખું તુમુલ યુદ્ધ મચી ગયું. બંદૂકોના ધડાકાથી ગિરિમાળ ગાજી ઊઠી. તીરાના વરસાદથી જમીન વાઈ રહી. નૌકાના અચી ગયેલા ભાગ પર ઊભે ઊભે આગંતુક પ્રસન્ન વદને પેાતાની કફનીનેા લીલા અંચળા ફરકાવતા એ જોઈ રહ્યો.
ફતેહ, ફતેહના નાદ ગાજી ઊઠયા. બધા સરદારા નાસતાને નાસવા દર્દ નૌકાને બચાવવા પાણી તરફ્ ધસ્યા. એક પ્રચંડ અફધાન સહુથી આગળ ધસમસતે આવતા હતા.
કાણુ ખવાસખાન ? '
હજૂર, પણુ મલિકા કર્યાં? મલિકા ક્યાં?
‘હવાની પીઠ પર ! ખવાસખાન, તારી મદદને કદાચ વિલંબ થાય ને શત્રુઓની હિકમત ફતેહમંદ થાય એ ડરે બાદશાહ અને લિકા હવાને હવાલે કર્યા.’
હેમરાજ શેરખાંતે કેટલીક વાર
બાદશાહના લાડીલા નામે
'
મેલાવતા.
પાછળ જાઉં. કદાચ ખીજી કોઈ આફત ! ’
અશકય. હવાને માર્ગ સાફ છે. પણ ખવાસખાન, મારે કેટલીક બાતમી આપવાની બાકી છે. ચાલે! કિનારે !'
"
C
સહુ તરતા તરતા કિનારે પહોંચ્યા. કિનારા પર તાજા મૃત્યુ પામેલા દુશ્મનાની લાશે। ચારે તરફ પડી હતી. કાંક કપાયેલા હાથ, કયાંક કપાયેલા પગ ને કયાંક ફૂટેલાં તાજા નરમુડ, એમ માનવઅંગાનુ જાણું ઉપવન રચાયું હતું.
ધાયલેાના દેહમાંથી વડેના લેાહીના એક વાંકળેા રચાયા હતા.
૭૨ : ષડ્યંત્ર
સર પાણી ના સોનલ માં આ
Page #90
--------------------------------------------------------------------------
________________
ચાડે દૂર કાઈ એક વ્યક્તિ છટપટાતી જણાઈ. એને જાન નીકળવા તરફડતા હતા. સહુની નજર તે તરફ ખેચાઈ.
ખવાસખાન, સુલેમાન પાણી માગે છે! પાણીના પ્યાસે લાગે છે. દગાબાજ, ભાઈનું ખૂન પીવા આવ્યેા હતેા.' અને ખેલનાર ક્રોધાયમાન બની ગયેા. પણ ઘેાડી વારમાં એને કઈક વિચાર આવ્યા. એણે સિપાહીઓની કમર પર લટકતી સુરાહી લીધી, ને પાણી લઈ સુલેમાન પાસે ગયા.
'
દગાબાજ, ભાઈની ભલાઈ તે આખરેય ન પિછાણી ! આખીય બાપીકી મિલકત તારે હવાલે કર્યા છતાંય તને સતાષન થયા. મેાત તે! તને કૂતરા-કાગડાનું મળવું ઘટે, પણ શેરખાં સાંભળે તે એની પ્રેમાળ આંતરડી કકળે. લે આ પાણી, અહ્વાહનુ નામ યાદ કર ! કયામતને સંભાર ! તારા ગુનાહની તાખા પાકાર !'
.
સુલેમાનની મૃત્યુક્ષણ પાર્ક કરવા આગંતુક મથી રહ્યો. એણે પાણી પાણી ઝંખતા એના મે ંમાં પાણીની ધાર કરી.
તેાબા...તાબા...' ખેાલતા ખેલતા સુલેમાન આ જહાન પરથી કૂચ કરી ગયેા.
.
ખવાસખાન, લે આ કીમતી શૈલાનું કફન એને ઓઢાડ ! સિપાહીઓને કહે કે કબર તૈયાર કરે. એને દફ્નાવીને રસ્તે પડીએ. શેરખાંના સગપણથી ભલે એ કાગડા-કૂતરાના મેાંથી બચે.’
ખવાસખાને સિપાહીઓને કબર ખાદવા હુકમ કર્યાં. આ દરમિયાન આગ ંતુક અને તે જરા એકાંતમાં ગયા. આગંતુકે પેાતાના સંદેશ પૂરા કરવા માંડયો :
ખવાસખાન, તને આશ્ચર્ય થશે કે દિવસે બાદ હું એકાએક કાંથી ફૂટી નીકળ્યો! મારે એક જરૂરી પેગામ પહેાંચાડવે હતા. કીરવેશે દિલ્હીથી નીકળ્યા ત્યારે જાણ્યું હતું, કે તારા માલિક
પચત્ર : ૭૩
4
Page #91
--------------------------------------------------------------------------
________________
ચુનારગઢમાં મહેમાન છે! પણ ચુનારગઢ પહોંચ્યા ત્યાં કઈ નવી ગધ આવી. હું ચમકી ઊઠયો તે તને ખબર આપી. ખવાસખાન,. તારા માલિક શેરખાને કહેજે કે જંગલમાંથી એ શેરની સાઠમારી,વે પૂરી થઈ છે. એક શેરબાદશાહ બાબર–મૃત્યુ પામ્યા છે. એને પચીસ વરસના જુવાન પુત્ર હુમાયુ દુનિયાના બિનઅનુભવી છે, જ્યાતિષીએ અને ગ્રહનક્ષત્રાના રસિયા છે. શૂરવીર છે, પણ ભેળા છે. એના ચાર ભાઈ આ ચાર દિશાઓ જેવા જુદા છે. બાદશાહી મેળવવાની સુવર્ણ તક પાસે છે. ગુજરાતમાં બહાદુરશાહ જાગ્યા છે. બંગાળમાં મહમ્મદશાહ પુરબિયા ખડા છે. માળવાના સરદારા તે સમસમી રહ્યા છે. બીજે પણ આગ સળગી ઊઠી છે. તારા માલિકને કહેજે કે બિહારને તું સળગાવી મૂકે ! '
>
કબરના ખાડા તૈયાર થઈ ગયા હતા. બંને જણા ત્યાં ગયા. ખવાસખાને ઇસ્લામ ધર્મોની આજ્ઞા મુજબ માનપૂર્વક શબને આરામગાહમાં મૂકયું, ને એના પર સહુ સિપાહીએએ ઇજ્જતની માટી નાખી. ખવાસખાન ! આગંતુકે કંઈક હસતાં હસતાં કહ્યું, · આજે શેરખાંના દુશ્મનેાને કશ્રમાં સુવાડવાની શરૂઆત કરીએ છીએ. લિકા અને શેરખાંના લગ્નની રાતે મારા તરફથી મુબારકબાદ દેજે, ને કહેજે કે શેરખાંની માશૂકા ચુનારગઢની ખૂબસૂરત મલિકા ભલે હેય, પણ સાચી માશૂકા તે! સલ્તનત છે, એ ન ભૂલે !' આગ તુક મેાલતાં થંભ્યા. દનની ક્રિયા પૂરી થઈ ચૂકી હતી. તેણે રજા માગી.. વારુ. ખાનબહાદુર, સલામ માલેકુમ.'
.
4
માલેકુમ સલામ,' ખવાસખાન એક ઘેાડા લઈ હાજર થયા.. સાથે જવા માટે એ સશસ્ત્ર પઠાણુ સૈનિકા પણ તૈયાર ઊભા હતા.. પેાતાના માલિક પ્રત્યેની આટલી દિલાવરી નીરખીને તેઓનુ હૈયું ફૂલી રહ્યું. હતું. સિપાહી તે! સ્વયં શૂરવીરતાના પૂજારી હોય.
"
હજૂર, આ અરબી તે।ખાર આપની સવારી માટે, અને
<
૭૪ : ષડ્યંત્ર
Page #92
--------------------------------------------------------------------------
________________
આ બે ચુનંદા સિપાહીએ.’
બંદોબસ્ત માટે મારા
દેાખત ? અરે, વાણિયાને વળી બંદોબસ્ત શા’ ‘ કાણુ બનિયા ?’અદબથી પાસે ઊભેલા પઠાણુ સૈનિકાનાં માંમાંથી અચાનક નીકળી પડ્યું, અને તેઓને તે કેવી ગુસ્તાખી કરી તેનું તરત ભાન આવ્યું. હેમરાજે હસતાં હસતાં લીલુડે અચળા ઉતારતાં જવાબ વાળ્યો :
અનિયા ! ખાનબહાદુર, હમ વેપારી વાણિયા ! ખવાસખાન, તુ નણે છે કે ધેાડેસવારી મને બહુ પસંદ નથી, ન છૂટકે કરુ એ વાત જુદી. મને તે। કાં ઊંટ ગમે કાં હાથી ! વિચાર છે કે થાડે દૂર જઈ પાલખી ભાડે કરી લઈશ. મારું નામ બહાર ન પડે તેને ખ્યાલ રાખજે.' અને ખવાસખાનના પ્રચંડ પંજા સાથે પેાતાને પ'જો મિલાવતા એ એક લગે કદાવર અર્ી તેાખાર પર સવાર થઈ ગયા. પહાડ જેવા ઊંચા અધ પણ ઘડીભર આ સવારની લંબાઈ પાસે હી મુજી લાગવા માંડયો.
<
"
અને હવા...' આગંતુકે પ્રસ્થાન કરતાં કહ્યું, ‘તારા દુલ્હા રાજાને કહેજે કે મારા બલે હવાની મહેમાનગતિ કરે. બહુ રેકીશ મા, નહિ તેા અકળાઈ જશે. અચ્છા, ખુદા હાફિઝ !' આગ તુકે અશ્વને ઊપડવાના સંકેત કર્યાં. લગામ ખેચાઈ ન ખેચાઈ તે અરબી તે।ખાર ઘડીભરમાં પવન સાથે હેાડ કરવા લાગ્યા. પાછળના પાણ સૈનિકો પણ ઘેાડાને એડ પર એડ લગાવી રહ્યા હતા.
આકાશમાં સેનેરી ચંદરવેશ બધાતેા હતેા. જનારાએ દેખાતા અદૃશ્ય થયા, ત્યારે ખવાસખાન પેાતાના સિપાહીએ સાથે પેલી નૌકા પાસે ગયા.
નોકાં ખાખ થઈ ચૂકી હતી, તે અડધી બળ્યા બાદ એક ખેથી નમીને જળમાં ગ થવાની તૈયારીમાં હતી. અગ્નિથી
ષડ્યંત્ર ઃ ૭પ
Page #93
--------------------------------------------------------------------------
________________
ભકીને નાઠેલે એક ચિત્તો મહામહેનતે કિનારે આવી ઘુરક્ષા કરતે હતો. નૌકામાંથી કંઈ બચાવી શકાય તેવું નહોતું–બચાવવાની ચાહના પણ નહતી. ખવાસખાનને હવે જલદી ચુનારગઢ જઈ પહોંચવું હતું. એની પાસે મહત્ત્વને સંદેશ હતો. એણે કૂચ શરૂ કરી. *
એક તસ્ક પેલે અરબી તોખારને અસવાર પવનવેગે દિલ્હીના પંથ કાપતો હતો ને બીજી તરફ જ્યારે ખવાસખાન દુશ્મનનાં દળ સાફ કરીને જલદી ચુનારગઢ પહોંચવા મથતો હતો, ત્યારે પેલાં આશક ને માકના હાલ તો નીરખીએ.
સાગરનાં મત્સ્ય બનીને જલમાર્ગ કાપતાં એ જુવાન ને જુવતી કિનારે પહોંચ્યાં ત્યારે લથબથ થઈ ગયાં હતાં. મોટા મોટા વામ ભરતા શેરખાંની કેટે વળગીને મલિક નિશ્ચિતતાથી તરતી ચાલી આવતી હતી. પાણી પર તરતો આવતો એને લાંબા કેશકલાપ કઈ કાળા નાગની યાદ આપતો હતો. પ્રેમીજનના આવા ગાઢ પ્રેમાલેષમાં મતની કઈ વિસાત નહોતી. આજે તો ચુનારગઢ પણ ભુલાયે હતો ને શહેનશાહતનાં સ્વપ્ન પણ વીસરાયાં હતાં.
કાંઠે આવીને શેરખાંએ એક વાર ભડભડ બળતી નૌકા તરફ નજર નાખી. નજર નાખતાં જ, પાંજરું ઊઘડતાં કબૂતરે કે કલબલાટ કરી મૂકે એમ એની કલ્પના ધમધમી ઊઠી. પોતાના દોસ્તને અગ્નિસ્નાન કરવા ત્યાં રાખીને પોતે કેવો નાસી છૂટયો ! નામર્દ! પઠાણની માતા આવા બાળકને કદી જન્મ ન આપે! અરે, મા લજવી ! બાપ લજા ! ખાનદાન લજવ્યું! ઘડીભર શેરખાં ઊર્મિવશ થઈ ગયો. એને થઈ આવ્યું કે પાછો ત્યાં ચાલ્યો જાઉં અને હાથોહાથ હિસાબ પતાવી લઉં.
“મલિકા, દિલ તોફાન કરે છે. પાછો ફરી જાઉં ? મારો હેમને ફૂપ ઘડી-બેઘડીમાં હતો ન હતો થઈ જશે.”
હેમને કૃપ?' મલિકા ન સમજ. એ પોતાની કેડ પર
૭૬ : જયંત્ર
Page #94
--------------------------------------------------------------------------
________________
વી ટેલા સાળમાંથી નીર નીચવી રહી હતી. એનાં ઈજાર ને કુરતું ભીના થઈને એની ભરી ભરી દેહને ચોંટી ગયાં હતાં. રમણીય ગાત્રે ખૂની સૌંદર્ય સરછ બેઠાં હતાં.
હેમરાજ એકલે ને સામે કેટલા બધા?” મા “કાણ? જે બનિયાની તમે વાત કરતા એ જ આ હેમરાજા તેબા, ગજબને આદમી ! અજબ જવાંમર્દ ! મારા દિલદાર ! એની સલાહ કેમ ઉથાપાય ? યાદ છે, એણે શું કહ્યું હતું ? બાદશાહ બનનાર આ નામર્દ ન હોય. પોતાનાં મારાંની ખાખ પર જ પાદશાહત રચાય. ચાલે, એકના મયે કામ સરતું હોય તો એના મરવાથી શો લાભ?' સુંદરીએ બેપરવાઈથી કહ્યું.
કેણ, હેમરાજ મરે ? અને સુંદરી, પછી આ શેરખાં જીવે ?” “અવશ્ય. હેમરાજની ઈરછલી બાદશાહી સરજવા એ જરૂર છે.”
બંને જણ ધીરે વાદવિવાદ કરી રહ્યાં, ત્યાં કાંઠાના ઉપર વાસની ઝાડીમાં કંઈક સંચાર થયે. એક ગજરાજ સૂડથી સુસવાટા મારી રહ્યો હતો.
મલિકા, જે પેલો રહ્યો અમારો હવા.”
શેરખાં દેડીને એની પાસે પહોંચી ગયે, સામે કિનારેથી ન જોઈ શકાય તેમ ઝાડીમાં એ છુપાયેલો હતો. પાસેની વડવાઈ પર એને માવત બેઠો હતો. એ કૂદીને હાથી પર આવ્યો. શેરખાને જોતાંની સાથે હવાએ હર્ષની કિકિયારી નાખી.
હવા બેટા !' પ્રેમાળ શેરખાં એક વાર મમતાના સાગરમાં ભાન ભૂલી વહેવા લાગ્યું. “મલિકા, આમ આવ. આ અમારો દોસ્ત. અમારા રઝળપાટનો સાથી! લંકોથી એને લાવ્યા ત્યારે કેવો નાનો હતે ! અમે એને વાંસનાં કુમળાં પાન ખવડાવતા. અમને એ ઊંચી ઊંચી નાળિયેરી પરથી ફળ તોડીને મીઠાં અમૃત પાતો. હેમરાજનો લાડકવાયો છે.'
ષડયંત્ર : ૭૭
Page #95
--------------------------------------------------------------------------
________________
હવા સૂંઢ નીચી નમાવી શેરખાંના શરીરની આસપાસ વીંટળી રહ્યો હતા. વનના આ પ્રાણીને પણ જાણે કૈાઈ મમતા સ્પર્શી રહી હતી. એની મેાટા દેહમાંની નાનીશી આંખા હ્રની રાશની પ્રગટ કરતી હતી. શેરખાં એને વધુ ને વધુ હેત કરી રહ્યો.
મહારાજ, આપને જલદી ચુનારગઢ પહેાંચાડવા એવે... હુકમ છે,' માવતે જરા ઊંચા અવાજે કહ્યું.
• બહુ સારુ, જે હુકમ ! અમે તૈયાર છીએ.'
"
જોતજોતામાં આ મહાન પ્રાણી પેાતાની વિશાળ પીઠ પર આશમાશૂકના જોડલાને લઈ પથે પડ્યું. માવત કસાયેલા, ભરેાસાપાત્ર ને ઢાશિયાર આદમી હતેા. અને એથી પણ વધુ કસાયેલે તે ભરાસાદાર હતા ગજરાજ હવા.
ભાગ માં આવતાં ઝાડપાનના ખુરદે કરતા હાથી હવા આડેરસ્તે જંગલમાં ઊતરી ગયે।. એ તીરની ગતિથી સરકતા હતા. એની ચકાર આંખ ખાડા ટેકરા ને ઝાડપાનને વીંધતી જતી હતી. વચમાં એ ઝીણી ચીસ નાખતા વાતાવરણને ભેદી દેતા. વાંસનાં સુંદર વૃક્ષા બાજુ પર જ હતાં, ને કુમળાં પત્તાંને તેા પાર નહાતા; પણ હવાને આજે એક જ હુકમ મળેલા હતા—જલદી ચુનારગઢ પહોંચવુ.
ખવાસખાનને પણુ એક જ હુકમ મળ્યા હતા, કે જલદી ચુનારગઢ પહોંચવુ
ખુશરાજને લઈ ને આવતા ગુલામને પણ જલદી ગઢ ભેળા થવુ હતુ.
સહુના વેગની દિશા આજે ચુનારગઢ હતી.
કેટલાએક કલાકો બાદ ચુનારગઢની ઊંચી મસ્જિદના મિનારાએ દેખાયા. મલિકાની અનારકલી જેવી દંતપંક્તિ હાસ્યમાં સ્ફુરી રહી. શેરખાંએ આસમાનના પડદા સામે આભારભરી નજરે જોયું. એની નજર એ ગેબના પડદા પાછળ રહેલ કાઈ શક્તિને વંદન કરી રહી.
૭૮ : ષડયંત્ર
Page #96
--------------------------------------------------------------------------
________________
આસ્માનને વંદન કરી રહેલી એ દષ્ટિએ, જ્યારે જમીન પર જોયું ત્યારે આઘેથી પવનવેગે કોઈ આવતું દેખાયું. એ પ્રિય અશ્વ ખુશરેજ હતો. હાથી પર બેઠેલા માલિકને નિહાળી આ વફાદાર પ્રાણુએ હણહણાટી દીધી.
મલિકા, ખુશરોજ તો આવ્યો.”
અને પેલી આઘે ધૂળ ઊડે તે ?” મલિકાએ દૂર દૂર ચડતી ડમરી તરફ નજર નેધી. એ ડમરી આંધીના વેગે નજીક આવતી હતી. એકદમ શેરખાં બૂમ પાડી ઊઠ્યો :
મલિકા, એ તો મારે વફાદાર સેનાપતિ ખવાસખાન ! કંઈ બાતમી સાથે આવતો લાગે છે. અને તે હાથી પરથી એકદમ નીચે ઊતરી આવ્યા. ખવાસખાન પણ નજીક પહોંચ્યો હતો. એણે ઘોડાથી નીચે ઊતરી શેરખાંની કદમબાસી લીધી.
“ખવાસખાન, તું ક્યાંથી ?”
એ જ યુદ્ધના મેદાન પરથી. વરવર હેમરાજે મને બાતમી આપી કે તારા માલિક એક જાળમાં ફસાયા છે. હજૂર, સિપાહીઓ આડાઅવળા હતા. હેમરાજ અગ્રેસર થયા ને હું પાછળ આવ્યો. કામ તમામ થયું છે. ફતેહ, ફતેહ!' ખવાસખાન હર્ષના આવેશમાં પૂરે બોલી શકતો ન હતો. એણે શેરખાને થડે દૂર લઈ જઈ હેમરાજને સંદેશે કહ્યો. સંદેશાને એકએક લફઝ શેરખાંના સીનાને ઊંચે ઉઠાવી રહ્યો હતો.
મલિકા, અલ્લાહના શુકર ગુજારે બાબર ગયે, બાદશાહી રચવાની ઘડી આવી. ચાલે, એની હસીખુશીમાં આપણું શાદી ચાવો, જલસા ઉડા, મહેફિલ જમાવો! મસ્જિદમાં ખુતબા પઢાવો ને મંદિરમાં ઘંટા વગડા ! આવતી કાલે આ ચુનારગઢને સિંહાસનેથી શેરખાં બિહારનો શાહ બનશે.”
હર્ષના સાગરમાં નાહતા સહુ ચુનાગઢના તેકિંગ દરવાજામાં પ્રવેશી ગયા.
વયંત્ર : ૭૯
Page #97
--------------------------------------------------------------------------
________________
શેરખાંનુ શાહનામું
આજ શાદીની સુંદર રાત હતી. ચુનારગઢને પથ્થરેપથ્થર દીપકાના તેજથી ઝળાંહળાં થઈ રહ્યો હતા. એને પુરજેપુરજ તેાપેાના પ્રચંડ નાદથી ગાજી રહ્યો હતા. જગેમ શેરખાં અને પરીસૂરત મલિકાની આજ શાદી રચાતી હતી. શાદીની એ દિલખુશ રાત હતી.
→
અને ફક્ત શાદીની રાત હતી એટલું જ નહતું, પણ ચુનારગઢના સિંહાસને શેરખાંની વરણી થઈ હતી; અને માત્ર આટલું જ કારણ પણ નહતું. શેરખાંએ એ સિહાસને ચઢી પેાતાને બિહારને શાહુ પણ જાહેર કર્યાં હતા.
એક નહિ પણ ત્રણ ત્રણ ખુશીના સમાચારે પ્રજાને સાંપડ્યા હતા.
એટલે જ આજે સહુની હસીખુશીને સીમા નહોતી. ઊંચે ઊંચે આસમાનમાં સિતારાઓ ગાઈ રહ્યા હતા, ને વેગભર્યાં વહ્યો આવતા પહાડી પવન બંસી બજાવતા હતા. ચુનારગઢની મેાટી મસ્જિદમાં અને બિહારની મુખ્ય મસ્જિદમાં શેરશાહના નામના ખુતબા પઢવામાં આવતા હતા. ચાંદી અને સાનાનાં શમાદાનામાં ત્ર
८०
Page #98
--------------------------------------------------------------------------
________________
ભર્યાં તેલ છાંટવામાં આવ્યાં હતાં, તે મસ્જિદમાંની ઊંચી છત, બુટ્ટાદાર મહેરાખ ને ગગનચુખી મિનારા પર દીપકે પેટાવવામાં આવ્યા હતા. નગારખાનાને। તુમુલ ધેાષ કાનને બહેરા કરી નાખતે હતા, અને રાજગવૈયાઓએ પેાતાનાં ગળાં વહેતાં મૂકળ્યાં હતાં. શાહી મહેલની શાલા આજે અવર્ણનીય બની હતી. એના આલેશાન દરવાજા, કાતરકામવાળી છતા, ઝરુખાએ તે નાજુક બારીઓને ખૂબ ખૂબ શણગારવામાં આવ્યાં હતાં. શાહી મહેલના ઉપરના ભાગમાં આવેલ દીવાનખાનામાં શેરશાહ અને મલિકા દૂર દૂર ફૂટતી આતશબાજી નિહાળી રહ્યાં હતાં. શેરશાહે અત્યારે હીર ને સેતેરી ઝીથી ભરેલા સાટીનના જામા પહેર્યાં હતા. માથા પર સોનેરી પાધડી મૂકી હતી. પાધડીના છેડે માટા હીરાતે રેશમી ગુચ્છે! લટકતા હતા.
મલિકાએ પણ અત્યંત કીમતી વસ્ત્રો પહેર્યાં હતાં, તે ઉપર સેાનાના મુટ્ટાવાળું હિંદના વિખ્યાત કારીગરાએ સેાયાથી ગૂંથીને તૈયાર કરેલું અમૂલખ આઢણું* એયું હતું. એણે પેાતાના લાંબા કેશતે કલાભરી રીતે એળીને એમાં ત્ર છાંટયું હતું; ને નરગીસ તે ગુલાબ ગૂંથ્યાં હતાં. આંખમાં કીમતી સુરમે આંજ્યા હતા, ને પગની પાનીએ મેદીના રંગ લગાડયો હતેા.
દીવાનખાનાના મધ્યભાગમાં મીનાકામ તે જડાવકામવાળી એક ઘેાડી પડી હતી. તેના પર તાજા ગુલદસ્તાએ ગેાઠવ્યા હતા. બાજુમાં હાથીદાંતની એક મેટી તાસકમાં રંગરંગનાં ખુશમેાદાર શરબતાથી લેાલ સુરાહીએ અને ખિલેરી પ્યાલાએ પડયા હતા. એક ખૂબસૂરત ઈરાની બાંદી દીવાનખાનાના એક ખૂણામાં અલઉદ–વીણા, તંબૂર, કતારાહ, રુબાબ, શાહરુદ, ચંગ, નપદેશજ્ઞાબ વગેરે વાજિત્રા લઈ તે બેઠી હતી. તે આ એકાંત એરડામાં ખીજી કાઈ પણુ * આ વસ્ત્ર બહુ કીમતી થતું ને તે કેવળ ૨૪ કલાક જ પહેરી શકાતું.
શેરખાંનુ' શાહનામું' : ૮૧
Page #99
--------------------------------------------------------------------------
________________
બાંદીને આવવાની મનાઈ હોવાથી એને ફાવે તે વાઘ લઈ ગઝલ, રૂબાઈચોપાઈ, કઆ કે કસીધા ધીરે ધીરે સ્વરે ગાતી.
આકાશને અને અંધકારને ઉજાળતી આતશબાજી પૂરભપકામાં હતી. ઉત્તરને મીઠે વાયુ ચુનારગઢના ગુલશનમાં મુશ્કેહીનાને પમરાટ ને ગુલાબ તથા નારંગીની ખુશબે લાવતો હતો. આ ખુશબોનું ઘેન બંનેને ધીરે ધીરે વ્યાપી રહ્યું હતું.
ડી વારે મલિકાએ સુંદર સરોદવાદન કરી રહેલી બદીને ઇશારે કર્યો. તરત જ મોટા રત્નજડિત થાળમાં સેનાના બે પ્યાલા લઈને એ હાજર થઈ. ઠઠ્ઠા ને જેનપુરના અનારનાં મીઠાં શરબતોથી છલે છલ ભરેલા એ પ્યાલા હતા. મલિકાએ પોતાના નાજુક હાથે એક પ્યાલો શેરશાહ સમક્ષ ધર્યો.
શેરશાહે યા લેવા હાથ ન લંબાવ્યો. એ કેવળ નજાકતની પૂતળી બનેલી મલિકાના ખૂબસૂરત ચહેરા સામે મીટ માંડીને બેસી રહ્યો. ખંજરની ધાર જેવાં બંનેનાં નયને એકબીજાને ભેટી રહ્યાં, ને છલકાતા ફુવારા જેવા બનેલા લાલઘૂમ એક મીઠી રીતે મરકી રહ્યા.
મલિકા, અજબ મંઝવણ થાય છે. દિલ વારે વારે કહે છે, શેરખાં કોને ચૂમીશ? સુવર્ણના મીઠા જામ ને કે આબેયાત જેવા મીઠી માશુકાના લબને. એ ભોળા સિપાહી, શરબતના પ્યાલાને પીશ કે શરબતી આંખોના નૂરને !”
ચુનારગઢની મલિકા ધીરેથી હસી પડી. ગુલાબના ફૂલ જેવા એના ગાલ જાણે સેળે કળાએ ખીલી ઊઠડ્યા. એણે શેરશાહના હોઠને પ્યાલો અડાડતાં કહ્યું :
* લબ-એઝ. ૮૨ : શેરખાંનું શાહનામું
Page #100
--------------------------------------------------------------------------
________________
6 ભતત્ ભુતા ચરમે તેા એ તીર મસ્ત સ્ કર્ કે એ તીરે થમે મસ્તે તા નખત્
.
• મલિકા,' આવેશમાં કેમલાંગી મલિકાને પાસે ખેચતાં તે તેના એષ્ઠ પર પ્યાલું ધરતાં શેરશાહે કહ્યું, ‘ જન્નતની જાહેાજલાલી આજે સાંપડી છે. આ સુખસાહ્યખી નીરખી તારા શેરને કઈ કઈ યાદ આવી જાય છે! કેવળ અકસ્માતથી બનેલી આ જિંગી માટે મારે કાની શુકરગુજારી કરવી ! '
તમારા દાસ્ત હેમરાજની !’
..C
'
મલિકા, હેમરાજ તે। મારી જિંદગીનું નૂર છે. પણ મારી બદશાહતનું સહુથી પહેલું માન પામેલા આ ચુનારગઢ× વર્ષાં પહેલાંની તવારીખ યાદ આપે છે. પઠાણુવ’શની પહેલી પાદશાહીને મહાન ડૈ। આ જ ચુનારગઢ ફરકાવેલા. અફધાને હિંદુમાં આવ્યા ત્યારે આ ચુનારગઢ કનેાજના રાઠોડ વીર, રાજસૂય યજ્ઞના કર્તા રાજ જયચંદ્રના હાથમાં હતા. એ જયચંદ્રના વિજેતા શાહબુદ્દીન ગારીએ પેાતાના તુ સરદાર મહમદ અખતિયાર ખિલજીને અહીં જ મૂકેલા. મા ચુનારગઢ પરથી જ એણે મગધને છતી આજનુ બિહાર બનાવ્યું. લિકા! કેવી ખુશકિસ્મતની વાત છે કે આજ કેટલેય વર્ષે ક્રી ચુનારગઢ એક નવજુવાન પઠાણની પાદશાહીના પેગામ છેડે છે.' શેરશાહ ફરી જૂની વાતા યાદ કરતા લાગ્યા. એણે આગળ ચલાવ્યું :
J*
જેને આજે મેં ઝડા ક્રૂકાવ્યા, એ પઠાણુ પાદશાહીના ઋતિહાસ બહુ પુરાણા છે, ખૂબ અજાયખીથી ભરેલા છે. આજ મને એ ખુલ દેહિંમત પુરખાએની યાદ તાજી થાય છે. એમની તવારીખને નકશા મારી સામે બદું ખેંચાય છે.’
*એ પૂતળા ! તીર જેવી તારી આંખામાં શી ખુમારી ભરી છે ? આ તારી મસ્ત આંખેાથી કાણુ નહીં જખમ પામે ?– ફિરદોસી ૪ ઈ. સ. ૧૧૯૭.
શેરખાંનુ શાહનામું : ૮૩
Page #101
--------------------------------------------------------------------------
________________
આજની આ મહેબતભરી રાતે એ તવારીખ બહુ જ મીઠી લાગશે,” મલિકાએ પાસે સરકતાં કહ્યું. બંનેએ શરબતને જામ પૂરા કર્યા હતા. લચી પડેલી લતાની જેમ મલિકા શેરશાહના શરીરને વલ્ભી રહી હતી.
અહા, આ શરબતના જેવી જ માઠી એ અમારી પુરાણી તવારીખ છે. પણ સુંદરી, આ શરબતને તૈયાર કરતાં એ બાપડા અનારની કેવી સ્થિતિ થઈ હશે, એને ખ્યાલ આવે છે ? એને ભાઈભાઈથી જુદા થવું પડ્યું હશે, તાપમાં એકલા શેકાવું પડ્યું હશે, ને ચક્કીના પડ વચ્ચે પિસાવું પડ્યું હશે, ત્યારે જ આ આબેહયાત જેવું મીઠું શરબત બન્યું હશે ને ?”
“શાયર થઈ ગયા લાગો છે !” મલિકાએ વચ્ચે હાસ્ય કરતાં કહ્યું.
હતો, મલિકા. એક દહાડો આ તારે શેર શાયર થવાનો શેખીન હતો. શેખ સાદીનો એ પરમ ઉપાસક હતો. પણ એ વાત જુદી છે.
મલિકા, આજના મોગલકુલતિલક બાબરને હિંદમાં નેતરનાર રજપૂત અને અફઘાન બંને! બંનેને મન હિંદુસ્થાન પોતાનો દેશ હતો. બંનેને અહીં આવવા-મરવાનું હતું. બંને હિંદુસ્થાનને પિતાનું સમજતા હતા, પણ તેઓએ ઘરનો ઝઘડો ઘરમાંથી ન પતાવ્યો. એને માટે બહારના માણસોને નોતર્યા. બહાર આવેલ બીજુ શું કરે ? એણે ભાગ પાડવાને બદલે આખે માલ હજમ કર્યો.
“પણ મલિકા, અલ્લાહે ફરીથી અફઘાનોને નવી તક આપી છે. હવે હિંદમાં બે બાબર–શેર નથી; એક જ તારે શેર છે, અને એણે પિતાની સલતનતની આજ શરૂઆત કરી છે.”
મારા શેર ! ચાંદ ચમકે ને સૂરજ રોશની આપે ત્યાં સુધી મારા શેરની સલ્તનત કાયમ રહેશે.” ૮૪ : શેરખાંનું શાહનામું
Page #102
--------------------------------------------------------------------------
________________
અને મદભરી રીતે મલિકાએ શેરશાહની ઐાદમાં માથું મૂક્યું. ઈરાની ખાંદીના સ્વરમાં એ મસ્તક ને એ સલ્તનત સલામત રહે, એવી દુઆએ ગુંજી રહી હતી. રાત ધીરે ધીરે જુવાન થતી જતી હતી, તે એણે આ બે દીવાનાઓને જુવાનીના જામ પાવા શરૂ કર્યાં હતા.
આકાશના ગુંબજને ઉનળી રહેલ આતશબાજી પૂરલલકા
માં હતી.
શેરખાંન' શાહનામુ : ૮૫
Page #103
--------------------------------------------------------------------------
________________
જ્યાતિષી
૧૦
ખુશીના દિવસે અને હંસીની રાતે! ટૂંકી ઢાય
છે. પ્રીતમની સેાડમાં, પ્યારની વાતામાં અને સુખદ પ્રમાદવિહારામાં દિવસે ક્ષણ જેવડા, મહિના દિવસે જેવડા તે વર્ષે અઠવાડિયા જેવડાં લાગે છે. નૃત્ય કરતા દિવસેા, ગાતી રાતેા અને સુખદ સંદેશ સાથે ઊગતાં સવારસાંજ, ઊગીને જાણે ઊગ્યાં જ નહાતાં એમ આથમી જાય છે.
દિલ્હીના વિચક્ષણુ ઝવેરીએ જીવતદાન આપીને નારગઢ ભેળાં કરેલ પ્રેમીખ ખીડાં આજે તે માશાહીનાં અનેરાં ગુલ ગૂથી રહ્યાં હતાં. ઊંચા ઊંચા ભુજ પર ફરકતા શાહી તેજો જાણે આકાશના હૈયાને પેાતાના ઉત્સાહથી મુખરિત કરી રહ્યો હતેા. રાત ઊગતી ને અનેક નાચ—જલસા, અનેક ચાંદનીવિહારે. ને ગુલશન પ્રવાસેા લઈને આવતી. દિવસ આવતા તે ભપકાદાર દરખારા, પ્રવીણ કવિ-શાયરાના મુશાયરાઓ કે શિકારસહેલગાહ લઈને આવતા.
એવા આજના એક સુખદ દિવસે શાહી મડળી
૮૬
Page #104
--------------------------------------------------------------------------
________________
શિકારે નીકળી હતી. બે સુંદર અશ્વ પર મલિકા ને શેરશાહ સવાર થયાં હતાં. મલિકાની ગોરી ગોરી આંગળીઓ પર એક શિકારી બાજ નખરા કરતું બેઠું હતું. શિકારી ચિત્તાઓથી શણગારેલી ગાડીઓ પાછળ આવતી હતી.
ચુનારગઢની વનશ્રી અનેરી શેભા ધરી બેઠી હતી. એ શોભાને પીતું ને પાતું એક હરણુંનું વૃંદ આ મંડળીની નજરે પડયું. તરત જ મલિકાના પ્યારા ચિત્તા બહાદુરને એના પર છોડવામાં આવ્યો. ચિત્તો હવામાં સુસવાટા કરતો અદશ્ય થયો, પણ નિર્દોષ હરણને પણ ભયની ભાળ થઈ ગઈ હતી. એ ઘેરી ઊંડી ઝાડીમાં સરવા માંડયાં. શિકારી ચિત્તો કૂદ્યો. એક છલાંગ, સાથે બીજી છલાંગ ! હરણએ વધુ ઝડપ કરી. બીજી છલાંગ ને ફરીથી એવી જ ક્લાંગ, પણ વ્યર્થ ! નિર્દોષ હરણ અદશ્ય થઈ ગયાં. હાંફત ને હિંમત હારેલો ચિત્તો જમીન સાથે નાક રગડતો પાછો ફર્યો.
ઓર એક દફા !” મંડળીએ બૂમ પાડી.
બેટા, ફરી એક વાર !” મલિકાએ પ્રોત્સાહન આપ્યું, પણ નિરાશ જાનવર ફરીથી ઉત્સાહી ન બન્યું.
ફરી ફરીને પંપાળ્યા છતાં, જવાંમર્દીના શબ્દો ફરી ફરીને કહ્યા છતાં, લાલપીળી આંખો કરતો નિરાશ ચિત્તો પોતાના બે પગ વચ્ચે મોં વધુ ને વધુ દાબતો ચાલે. શિકારી પોષાકમાં સજજ થયેલાં પુરુષ ને સ્ત્રી એના ગળાની કિનખાબી વાળને પ્રેમથી પંપાળવા લાગ્યાં, પણ ચિત્તો શરમનો માર્યો જમીનમાં વધુ ને વધુ મેં ઘાલતો ચાલ્યો. ફરીથી હવા સૂંઘીને શિકારની શોધ કરવાની એણે અનિચ્છા દર્શાવી.
- બહાદુર, એક વાર ફરી ઝડપ કર ! ઊઠ, બેટા! જે પેલો રહ્યો તારે શિકાર!” મલિકાએ એક વારના પ્રયત્નમાં હારેલા ને નિરાશ થયેલા ચિત્તાની પીઠ જેરથી થાબડી. '
તિષીઃ ૮૭
Page #105
--------------------------------------------------------------------------
________________
છતાંય ચિત્તો ઊભો ન થયો; શિકાર કરવામાં સદા કુશળ એ ગિરેબાજ જાનવર એક વાર પિતાને પાછા પાડનાર કાર્યમાં ફરી પડવા માગતે નહતો. માનહાનિના માર્ગમાં તો એ જવાનો જ નહોતો.
પણ આ જ એને ઉત્સાહી કરવાનો મલિકાએ નિર્ણય કર્યો હતો. પોતાને પ્યારે ચિત્તો ને આટલા કમજોર દિલને ! એણે ફરીથી એની પીઠ થાબડી, હિંમતના શબ્દો કહ્યા.
એ મહામહેનતે ઊભો થયો. પણ ધીરે ધીરે, દબાતે પગલે ! અને સહુની નજર ચુકાવી એ બળદગાડીમાં રહેલા એના પાંજરામાં પ્રવેશ કરવા ધસ્ય.
“મલિકા, બિચારે અફધાન વીરેનાં પાસાં સેવ્યાં, પણ અફઘાન વીરોની તાસીર ન શીખે. શુદ્ધ અફઘાન હારને હાર તરીકે કદી ન કબૂલે ! એની હાર જીતમાં ન પલટાય ત્યાં સુધી એ જંગમાં ઝૂઝતો રહે! હારની નામોશી એને ન મૂંઝવે !' શિકારે નીકળેલા શેરશાહે મશ્કરી કરતાં કહ્યું. ચુનારગઢના અજોડ શિકારખાનાની જાણે એ હાંસી કરી રહ્યો હતો.
મલિકા ઝડપથી પાંજરાના દરવાજા આગળ જઈને આડી ઊભી રહી. અંદર પ્રવેશ કરવા તલપાપડ થતો ચિતો મલિકાની રેશમી ઇજાર સાથે જોરથી માથું ઘસવા લાગે; જાણે કહેતો હોય કે મને માર્ગ આપો !
યારી મલિકા, રહેવા દે એ બહાદુરને! જે, એનું નિશાન મારી બે–જાન બંદૂક તોડશે.”
ને શેરખાંઓ દૂર દૂર નાસતા હરણના ટોળા પર નિશાન સાધ્યું.
નામઈ નાલાયક!” મલિકાએ રોષથી ચિત્તાને લાત મારી, અને એના ગળાની સુવર્ણ જંજીર ખેંચતાં સિપાઈઓને બૂમ પાડી કાઢી લે આ જંજીર ને લાત મારીને તગડી મૂકે એ નાલાયકને ! ૮૮: જતિષી
Page #106
--------------------------------------------------------------------------
________________
એ ીકણુ બીજાને બગાડશે.’
મલિકાના રાષભર્યા અવાજ સાથે નિરાશ ચિત્તો અણુઝણી ઊઠયો. વિજયના ઝંડા જેવુ એનું પૂછડું હવામાં ટટ્ટાર થયું. એણે હવા સૂંઘી. ફાળ ભરી.
ગયેા ! હવામાં ભળી ગયા! બંદૂકની ગોળીની ઝડપે ચિત્તો અદૃશ્ય થયા.
શિકારના સહેલાણીઓની નજર એના વેગ પર મંડાઈ રહી. પહેાંચ્યા ! હરણફાળ ભરતા ચિત્તો શિકારની નજીક જઈ પહોંચ્યા. વાહ રે મુત્સદી ! જમીનની ધૂળમાં મળીને કેવા ચાલવા લાગ્યા ! જોતજોતામાં બેફામ હરણુંના ટાળાને આંતર્યું !
તે કમાલ કરી ! એક તરાપે ત્રણ જીવતાં હરણાંને એણે પંજાાં દાખી દીધાં. શિકારીઓએ એમની પાછળ ઘેાડા વહેતા મૂક્યા.
મલિકા, બહાદુર આખરે બહાદુર નીકળ્યા. એક જ તરાપે ત્રણ શિકાર દાઢમાં લીધા !'
'
તમારી જેમ, પ્યારા શેર ! તમારી દાઢમાં પણ ત્રણ શિકાર જ છે ને?'
C
કયા ? ' શેરશાહે હુસતાં હસતાં કહ્યું.
- બિહાર, અંગાળ ને જોનપુર !'
નહીં, નહીં, સુંદરી, મારા દિલમાં તે એક જ શિકાર છે, તે
એ માગલ બાદશાહ હુમાયુ ! એના શિકાર કર્યા વગર મને જ પ નથી ! ' શિકાર ! યા અલ્લાહ !' અચાનક ઝાડીની અંદરથી એક
કરુણુ અવાજ આવ્યા. વેગભર્યાં જતા ઘેાડેસવારે એ અવાજમાં રહેલી કરુણાથી પીગળી ગયા. સહુ એકદમ ઊભા થઈ ગયા. અવાજની દિશામાંથી એક આદમી કરુણ રીતે ચીસ પાડતા,
જ્યાતિષી : ૮૯
'
"
Page #107
--------------------------------------------------------------------------
________________
શરીરને ધસડતા ઝાડીમાંથી બહાર આવતા હતા. એના શરીર પર મેટા ધા હતા, તે એમાંથી, કાઈ પહાડમાંથી પાણી ટપકવા કરે એમ, લેાહીનાં ખુદ ટપકતાં હતાં. શરીરની ચામડીના તેા જીણું વસ્ત્રની જેમ ફાટીને ચિરાડા ઊડી ગયા હતા, તે અંદરનું માંસ બહાર ધસી આવ્યું હતું.
ભયંકર જુલમ ! માનવીના લેખડી દિલને પણ પીગળાવી નાખે તેવું ભયાનક ! એની આંખેાના ડેાળા સૂજી ગયા હતા. બહાર નીકળી આવેલું માંસ દુધની એક દુનિયા સરજતું હતું.
<
એ બિહારના શાહ! આ ગુલામ તારી પનાહ માગે છે!”
પનાહ-આશ્રય જરૂર મળશે. એક્ ! મારા રાજ્યમાં આ જુલમ ? ' અદલ ઇન્સાફી બનવાના ઉત્સાહી શેરશાહે બૂમ પાડી, સિપાહીએ એને અહીં લાવે. હું આવા જુલમગારે ને મારા રાજ્યમાં જીવવા નહીં દઉં ! '
..
<
જુલમગાર ? જહાંપનાહ, જુલમગારને આપ કશુ નહી કરી શકે! ! ?
'
ગુસ્તાખી (અવિનય) માફ. એ
· કેમ? હું એને આસમાનમાંથી પણ ખેંચી આણીશ.'
C
ના, મારા રાજા! એ નહીં બને. આજ એના પર અલ્લાહની પૂરી મહેર છે.’
· રૈયતને રંજાડનાર પર અલ્લાહની મહેર હાઈ શકે નહી. ગુલામ, અમને તારી હકીકત સાફ સાફ શબ્દેમાં બયાન કર !' આ રહેદિલ રાજા, હું જાતના યહૂદી છું. મારું—આ નાચીજ અંદાનું નામ———કિલાત ! હુમાયુના દરબારના મશહૂર ઇજનેર રૂમીખાંને હું તેાકર ધ્રુ; કિલ્લાએ, રણમેદાના ને દારૂગોળાની
* એ જમાનામાં તેાય ફાડનાર બહુધા રૂમ ( યુરાપી તુર્કસ્તાન )થી! આવતા. ને તેથી રૂમખાં કહેવાતા. તેપ ને ખંદૂક અસલ યુરેપથી દક્ષિણ હિંદમાં ને પછી ઉત્તર હિંદ્ગમાં આવેલાં.
૯૦ : જ્ગ્યાતિષી
Page #108
--------------------------------------------------------------------------
________________
રચનાને ઉતાદ છું. પણ માલિક, એક જ મારો ગુને, મામૂલી એવો ગુને ને મને આ દશાએ પહોંચાડો. અરેરે! જાણે કયામતનખુદાના ઇન્સાફનો કોઈને ડર નથી.” કાળી રાત્રિના જેવું રૂપ ધરાવનાર યહૂદીની મેટી મોટી આંખોમાંથી ધોળાં ધોળાં આંસુ ટપકતાં હતાં.
ગુલામ, તને અમારા દરબારમાં રક્ષણ મળશે. વારુ, શું હુમાયુ આવો સંગદિલ આદમી છે ?”
જરૂર, એનું પ્રત્યક્ષ પ્રમાણ આ મારો દેહ હાજર છે. વિચિત્ર છે એ બાદશાહ ! એના રંગઢંગ કંઈ બાદશાહત કરવાના છે ? ક્યાં બાદશાહ બાબર ને ક્યાં આ ગધાપચીસીમાં ભટકતું છોકરું! એ તો જ્યોતિષી થવાને લાયક છે.”
“જ્યોતિષી થવાને લાયક?” શિકારના સહેલાણુઓને રસ પડતો લાગ્યા.
વેદનાની ધીરી ધીરી પુકાર પાડતો, દર્દની આછી ચીસો નાખતો, બઝળ્યો ગુલામ સહેજ મલકા ને બોલ્યો :
“મારા શાહ, આ ઘાસમાં મારા દેહને જરા આસાયેશ મળવા દે. હાય દુઃખની કરવત મારા અંગને ધીરે ધીરે વહેરી રહી છે. સાંભળે, એ બેહયા બાદશાહની વાતો. અજબ જેવી હસવાને લાયક્ર એની ખાસિયત છે. નાનપણથી જ્યોતિષનો ભારે શોખીન છે. બાપની બહાદુરી પર તાગડધિન્ના કરનાર એ તલવાર ને બંદૂકને બદલે રમલ ને પાસા, ખડિયે ને કલમ લઈને બેસે છે. કલાક સુધી આડાઅવળા લીટા દોરે છે, ને કહે છે કે હું જન્મકુંડલી, લગ્નકુંડલી કાઢું છું. અરે, કેટલીક વાર તો કુંડલી બનાવતો બનાવતો ઊભો થાય છે, ઓરડીનું બારણું બંધ કરે છે, ને પછી કૂદે છે, તાળીઓ વગાડે છે ને આનંદમાં ગાયા કરે છે. ' આખી મંડળી જોરથી હસી પડી. શાહી શેતરંજના ખેલાડી
જ્યોતિષી : ૧
Page #109
--------------------------------------------------------------------------
________________
શેરશાહને પણ પેાતાના આ લાગવા માંડી.
‘ તેા પછી રાજકાજ શી રીતે ચલાવે છે ? ’
"
એ જ રીતે, મહાન જ્યેાતિષી થઈ તે. આજે પહેલાંનું હિંદુ
સ્તાન હૈાત તે ખબર પડત કે કેવી રીતે તે કેમ રાજ થાય છે ?
એટલે ? ’
<
એટલે શું? મારા માલિક, એને આખે રજદરબાર જી તા જાણે જ્યાતિષીને દરબાર. એણે સાત વારનાં નામ પરથી સાત દરબારગૃહ તૈયાર કરાવ્યાં છે. દરેક ખંડના સામાન, તેાકરચાકર, પેષાક ને છમી--સામાન બધા એ વારના રંગને ! સૂર્યગ્રહને રંગ સેતેરી, સામ (ચંદ્ર)ગ્રહના રંગરૂપેરી, શનિશ્રદ્ધા રંગ કાળા, શુક્રગ્રહના રંગ પીળેા, ગુરુગ્રહ-બૃહસ્પતિને! રંગ આસમાની, મંગળને રંગ લાલ વગેરે રંગરૂપ નક્કી કર્યાં છે. જે દિવસે જે ગ્રહનુ જોર હાય તે દિવસે તે ગ્રહના ખંડમાં દરબાર ભરાય. વળી મુલાકાતે આવનાર શખસમાં જે ગુણુ આગળ પડતે હેાય તે ગુણુની વિશિષ્ટતાવાળા ગ્રહના ખંડમાં જ પાશાહ સલામત મુલાકાત આપે; જેમકે કાઈ કવિશાયર, મુસાફર કે રાજદૂત આવે તે પાદશાહ એને સેમગ્રહમાં મળે. પંડિત-ઉલેમા, શાસ્ત્રી કે અમલદાર આવે તે અને બુધગ્રહમાં મળે, તે સૈનિક વગેરેને બૃહસ્પતિગ્રહમાં મળે !'
શાખાશ કે જ્યાતિષી મહારાજ !' મંડળી હસી પડી.
"
અને આ જ્યાતિષી મહારાજ એટલેથી પતાવતા હૅત તેા તે સારું જ ને! પણ રાજકાજનાં ખાતાંમાં પણ એમ જ કહે છે કે માનવી તેા પંચમહાભૂતનું પૂતળું છે. આ ઉપરથી એણે રાજના વહીવટ માટે પણ એવાં ખાતાં બનાવ્યાં છે. જેમકે :
- પહેલું ખાતું મતસી-અગ્નિનું. યુદ્ધસામગ્રી, સંચાકામ ૯૨ : જ્યાતિષી
*
"
મહાન દુશ્મનની વિગતે રસભરી
Page #110
--------------------------------------------------------------------------
________________
વગેરે જે પદાર્થાંમાં અગ્નિની જરૂર હોય તેના બંદોબસ્ત આ ખાત તરફથી થાય.
ખીજું ખાતું હવાઈ વાયુનું. પેાષાક, પાઠશાળા, હયશાળા, ગશાળા વગેરેનું કામ હવાઈ ખાતામાં થાય.
*
‘ ત્રીજું ખાતું આખી—જળખાતું. બાગબગીચા, નદીનહેર, નાવજહાજ, શમતખાતાનું કામ આ વિભાગમાં થાય.
ચેાથું ખાતું ખાકી—પૃથ્વીનું. બાંધકામ, નવાણુ, ખેતીવાડી, રસ્તા વગેરેનું આ વિભાગમાં કામ ચાલે, મારા માલિક, આ ગુલામ આતસીખાતામાં પણ કામ કરતે ને આખીખાતામાં પશુ. દારૂગાળા તે શાહી કિલ્લાઓની રચના મેં જ કરેલી, અને બાદશાહ બાબરે મારી અનેકવાર તારીફ કરેલી. પણ આ જ્યાતિષીએ તેા ગજખ્ કર્યાં. મારી વફાદારીનું મને આ ઇનામ આપ્યું. ખરેખર, પેલી કહેવત છે ને કે કયાં રાજા ભેાજ ને કાં ગાંગા તેલી ! ' કર્યાં જગેમ' બાબર તે કયાં યેતિષી હુમાયુ!' યહૂદી ગુવામે પેાતાનું અયાન રસભરી ને દર્દભરી રીતે રજૂ કર્યું. મ`ડળી આ ગુલામની જખાન પર ખુશ થઈ ગઈ હતી.
<
香
• ગુલામ, નિરાધારાને આધાર શેરશાહ છે. ચાલ, ચુનારગઢમાં તને આશ્રય મળશે.’
મને આશ્રય ? ના, ના, તમારા જેવા દયાવાનની જિંદગી હું આતમાં મૂકવા માગતે નથી. મને આશ્રય આપ્યાની ખબર આગ્રા પહેાંચશે કે મારા માલિક રૂમીખાં ક્રોધથી પાગલ બની જશે. એ બાદશાહ હુમાયુને અરજ કરશે ને પછી...'
રૂમીખાંના ક્રોધની ચુનારગઢના પથ્થરને પણ પરવા નથી, અને પેલે જયાતિષી ભલે આવે. અમે પણ જોશ જોવરાવીશું. હોશિયાર ગુલામ, તારી વાતેાએ અમને ખુશ કર્યા છે. ચાલ, શાહી હકીમ તે શાહી નેકરી તારે માટે તૈયાર છે.’
ન્યાતિષી : ૯૩
Page #111
--------------------------------------------------------------------------
________________
શાહી નોકરીમાંથી ગુલામને કદી જાકારે તો નહીં મળે ને ? જે એમ બનવાનું હોય તો મને અહીં જ મરવા દે ! બે દિવસને અહીં પડવ્યો છું. જુઓ, મારું માંસ સડવા લાગ્યું છે. કીડાઓ સળવળતા લાગે છે. ભલે આ નાચી જ દેહ કેટલાએક કીડાઓને ભક્ષ બને !' ગુલામ પોતાની વાતને કરુણાનું મેણુ આપી રહ્યો હતો.
એમ નહિ થાય; ન થઈ શકે. શેરશાહ અદલ ઇન્સાફી છે. ગુલામ, ચુનાગઢ જેવા ગઢને તારા જેવા ઈજનેરની ખાસ જરૂર છે. હુમાયુને પરાજય, મેગલેને સર્વનાશ એ તો મારા જીવનનું ધ્યેય છે. કદાચ તારા નિમિત્તે એ કામ વહેલું આવે તો આવવા દે! એને કંઈ અફસેસ નથી. અફઘાનની તાતી તલવારો તૈયાર છે.'
ગુલામે જવાબ આપવાને બદલે ધીરેથી મસ્તક જમીન સરસું મૂકી એક ચુંબન લીધું, ને આકાશ સામે હાથ જોડવ્યા. પારકા જીવને રાહત આપવામાં પણ એક નશો છે, માનવીને એમાં સહજ દિલદિલાવરી લાધે છે. આ દિલદિલાવરીથી ગુલામને ચુનારગઢમાં આશ્રય મળ્યો.
ચાર ધીંગા ધોરીઓથી ખેંચાતા એક ગાડામાંથી ચિત્તાના પાંજરાને નીચે ઉતારવામાં આવ્યું. એક સવારે પોતાના ઘડાનું બોગીર તેમાં પાથરી આપ્યું. ગુલામને ઊંચકીને તેમાં સુવાડવામાં આવ્યો.
સવારના સૂર્યના પ્રકાશમાં નાહતી મંડળી, જ્યારે ચુનાગઢ તરફ પાછી ફરી, ત્યારે દરબારી નોબત ગડગડતી હતી. ઊંચા ઊંચા બુરજ પર ફરકતો લીલો ને હવામાં ફડાકા બેલાવતો હતો.
ખુશરેજને અસવાર એ તરફ જોઈ મનમાં કંઈ ને કંઈ વિચારી રહ્યો હતો.
બિચારો જ્યોતિષી! એ શું જાણે કે અદલ ઇન્સાફ એ જ શેરખાંનું રાજસૂત્ર છે ! નબળાં–પોચાંને પીડી તથા જુલમગારની પીઠ થાબડી હું કદી ન્યાયભ્રષ્ટ ન બનું !”
સૂરજ વધુ ઉગ્ર થતો જતો હતો, ને લીલી ઝંડે વધુ ફડાકા બોલાવતો હતો. ૪ તિષી
Page #112
--------------------------------------------------------------------------
________________
ચુનારગઢના શાહી કબૂતરખાનામાં છેલ્લા કેટલા
એક દિવસથી મેાટા ખળભળાટ જાણ્યેા હતેા. એમની જમાતમાં ખબર મળ્યાં હતાં, કે આ ગામમાં એ નવાં આવેલાં પારેવાં, શાહી ભુરજની દાઢી પર બેઠાં રાજ ગટર...ગૂ...ગટર...ગૂ કર્યા કરે છે.
પ્રેમનાં પારેવાં ૧૧
નર અને માદાનું સુંદર એ જોડુ છે. નર ખડે ફાંબાજ અને માદા રૂપરૂપની ર્ભા છે. માદા એની મસ્ત ડેાક ફુલાવીને મુરજ પરથી સુંદર ટહુકા કરતી નવજુવાનેાની શાનભાન ભુલાવી રહી છે. એના મેહમાં સીને કાસક્રિયા, ગિરેખાજ ને ભટ્ટ જેવા શિરાજી, જુગિયા, કામરી ને લેટન જેવી મહાન કામનાં કબ્રૂતરાએ પણ પેાતાનાં કબ્ય વિસારી મૂકાં છે. આવી સુંદર છેલખીલી માશુકા એમણે હજી સુધી નીરખી નહેાતી! શું એની કાતિલ ભૂરી આંખા! શું એની મસ્ત નજર ! પગ તેા જાણે કકુના! એના કામળ કઠ પણ કેવા માહક !
૫
Page #113
--------------------------------------------------------------------------
________________
નવજવાન કબૂતરો એક મોહમયી દુનિયામાં ફસાઈ ગયા. વયોવૃદ્ધ કબૂતરોએ એક વાર ઉપદેશ આપવો શરૂ કર્યો, તો તરત જ એમની સભા સૂની બની ગઈ આંતરકલહ પ્રગટશે એવી ભીતિ સહુને લાગવા માંડી. અને અત્યારે આંતરકલહ પ્રગટે તો પોતાની જાતનું સર્વનાશ જ સમજવું, કારણ કે હમણુના વાતાવરણમાં રાત-દિવસ તેમને સંગઠનથી રહેવાની આવશ્યકતા હતી.
ચુનારગઢમાં થોડા દિવસથી મોટો શંભુમેળો જામ્યો હતો. રોજ રોજ પ્રાંતે પ્રાંતમાંથી નવી ભરતી આવ્યા કરતી હતી. અફઘાન વીર શેરશાહે પોતાની જાતના તમામ માણસોને નિમંત્રણ આપ્યું હતું. અફઘાન-ઐક્યની સુંદર શરણાઈ બજી રહી હતી. અને એ શરણાઈના સૂર જેને જેને કાને પહોંચતા, એ અફઘાન જવાંમર્દો એકદમ બોલી ઊઠતા : “ અફઘાનને એક થવાની ઘડી આવી પહોંચી. ત્રણ સે–સાડાત્રણ વર્ષથી હિંદને ઘર માનીને બેઠેલા અફઘાનો કંઈ ગુલામી કરવા નથી આવ્યા ! એ તો સતનતના શોખીન છે.”
આ અફઘાન-ઐક્યને બુલંદ અવાજ ઠેઠ રોહ–અફઘાનિસ્તાન સુધી પહોંચ્યો, ને દિન દિન ઉજજડ બનતા પોતાના વતનને છોડી છેડીને તેઓ હિંદ તરફ આવવા નીકળ્યા. એારતો પણ સાથે થતી. નાના કુમારો પણ પહેલા કૂદીને ઘોડા પર ચડી બેસતા. શેરશાહ સુરના રાજ્યમાં શી શી સમૃદ્ધિ ન સાંપડે ! શાં શાં સુખ ન લાધે ! ક્ષિતિજ લાંઘતી ઊંટની વણઝાર, ઘોડેસવારનાં દળો પૈબરઘાટી વધીને કીડીનાં ધણની જેમ ચાલ્યાં આવતાં હતાં.
વગડાઓ વીંધીને આવતા એ નવી ભરતીનાં માણસોથી ચુનારગઢ ખીચોખીચ ભરાતો જતો હતો. એમની સાથે લડાયક બાજ ને સિતમ ખેર શકરાએ પણ આ ગઢના મહેમાન બન્યા હતા, ને શિકારની શોધમાં આકાશમાં સદા ચક્કર લગાવતા રહેતા હતા.
આ પરદેશી શકરા–બાજના ઉપદ્રવે ઘર ઘાલ્યું હતું. કબૂતરોની ૬ : પ્રેમનાં પારેવાં
WWW.jainelibrary.org
Page #114
--------------------------------------------------------------------------
________________
દુનિયામાં વિનિપાતની નાબતો ગડગડવા લાગી. એકલદોકલ કબૂતર માટે તો હરવું ફરવું દુષ્કર થઈ ગયું. સંગઠન જમાવવાની–એકષ કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી, જ્યારે બીજી તરફ પેલી રૂપાળી–રઢિયાળી પારેવા પોતાના પ્રેમનું ખંજર અનેકના દિલમાં બેકી રહી હતી. પ્રેમ અને ભયની દુનિયામાં કબૂતર-સૃષ્ટિ ગરકાવ થઈ ગઈ.
કુશળ વૃદ્ધ કબૂતરોએ એ વાતનો પત્તો પણ મેળવ્યું કે આ બે પારેવાં કોની માલિકીનાં છે. તેમને તરત જ માલૂમ પડી ગયું કે રાજા શેરશાહે જીવતદાન આપેલ ગુલામ કિલાફતના એ પ્યારાં, પંખી છે. અને ગુલામ કિલાફત તો આજે ચુનારગઢના કેટવાલને સાથીદાર બન્યો હતો. શાહી આજ્ઞા હતી, કે આ ચુનારગઢ એ કુશળ કિલાફતને બતાવો ને તેની સૂચના મુજબ સુધારકામ ને સમારકામ ચલાવવું
એ ગુલામનાં આ બે પ્યારાં પંખી ! એ ગુલામ કેણુ? ક્યાં ? મનુકુળના કુશળ વંશજોને જે વાતની ગંધ નહતી આવી, એ ગંધ આ કુશળ પંખીકુળમાં આવી. આડે દિવસે સહેલગાહે જતા પેલા નર કબૂતરની પાછળ પાછળ ગુપ્તચરો ચાલ્યા. ગંગાને પ્રવાહ ઓળંગી એમણે એનો પીછો ચાલુ રાખ્યો. ગ્વાલિયરના ઊંચા બુરજ વીંધી, ચંબલનાં કેતરમાં સંતાકૂકડી રમતા તેઓ પાછળ ને પાછળ અનુસર્યા. આખરે જમનાને પ્રવાહ દેખાયો. એ નર ક્ષણવાર પ્રવાહની સપાટી પર ઊડયો, નાના નાના ચંચુપાત કરીને પાણી પીધું ન પીધું ને સીધા આગ્રાના એક ઊંચા બુરજ પર બેસી ગટર-ગૂ, ગટર–ગૂ કરવા લાગ્યો.
- ચાંદની રાત હતી, એટલે ગુપ્તચરોથી પેલે નર દેખી શકાતે હતો. થોડી વારે કઈ બારીમાંથી ડોકાયું. એણે પેલા કબૂતરના જેવા ચાળા પાડ્યા, ને બારી બંધ થઈ ગઈ. ન કોઈ એની પાસે આવ્યું, ન કેઈએ એની પાંખને સ્પર્શ કર્યો, ને ન કોઈએ એની પાંખમાં
પ્રેમનાં પારેવાં : ૯૭
Page #115
--------------------------------------------------------------------------
________________
છુપાવેલ કાગળ શો . જે સંદેશવાહક હેત તો એની રીત જુદી હતી. કબૂતર ત્યાંથી ઊડળો. આકાશમાં ઘુવડ, શકરાબાજ જેવા દુશ્મને ઘૂમતા જ હતા. શહેરની પરબડીઓમાં બિલાડીઓ અને સાપ–નોળિયાને ભય હતો. એ ફકબાજ નરે આખી રાત કિલ્લાના બુરજેમાં બેસીને, તોપના નાળચામાં પેસીને વીતાવી; ને વહેલી પર એણે પાછી પગરણ કર્યા, તે વહેલું આવે ચુનારગઢ !
શંકાસ્થાન ટળી ગયું. ભલા શંકાસ્થાન જેવું હેત તો પેલાં પ્રેમનાં પારેવા સમાં શેરશાહ ને મલિકા એક દુશ્મનના ગુલામ તરફ આટલે વિશ્વાસ કેમ દેખાડત ! ગઢને અનાજભંડારે, છૂપાં જલનવાણો, ભેદી દારૂગૃહ––બધાંય એને હાથે સમારકામ પામી રહ્યાં હતાં. આગ્રાના એ શાહ હુમાયુએ કેવી રીતે બિચારા ગુલામને માર્યો ? ભલા, એવા બાદશાહ માટે કંઈ કોઈને કશી લાગણી હોય ખરી ? આવા ગુલામ પારકા હોય તો પણ પોતાના કરી લેવા ઘટે!
કબૂતરની જમાતે પણ નિર્ણય કર્યો, કે પેલાં બે પરદેશી પંખીઓને પણ પોતાનાં કરી લેવાં, ને વિધિસર હવે પોતાની જમાતમાં ભેળવી લેવાં. નવજુવાનને આ માટે બહુ ઉત્સાહ હતો. વૃદ્ધ કબૂતર જરા મંદોત્સાહ હતા. પણ એમનું શું ચાલે ? પેલા જુવાનો તો કહેતા હતા કે ભલે એ બીજાની તાબેદારી ઉઠાવનારાં રહ્યાં, બીજા દેશનાં રહ્યાં, પણ આખરે તો આપણી જાતનાં ને ! આ આકાશના ગુંબજમાં ઘુઘવાટા કરતા આપણા દુશ્મને જોયા ? અરે, એવે વખતે આપણે જાતભાઈ ક્યાંથી ? ધન્ય ઘડી ! ધન્ય ભાગ !
બીજે જ દિવસે આ શુભ કાર્યને પ્રારંભ થવાનો હતો, પણ આકાશમાં વાદળ દેખાય, વાવાઝોડાં થયાં, વરસાદની હેલી મંડાણી ! ત્રણ દિવસે ઉઘાડ નીકળે, તાકડે પેલો નર ગેરહાજર ! અને પછી તો જાણે એવું જ થાય કે નર હાજર હોય ત્યારે વરસાદ, હેલી ને અધી હોય, ને સોનેરી સૂરજ પ્રકાશતો હોય ત્યારે પેલે નર ૯૮ : પ્રેમનાં પારેવાં
Page #116
--------------------------------------------------------------------------
________________
ગાયબ હાય.
થાક્યા ભાઈ ! જુવાનની ધીરજ ખૂટી. તેઓએ નક્કી કર્યું કે સદા ઘેર રહેતી પેલી મહારાણીને આપણામાં ભેળવી લેવી ! કેવી સુંદર ઋતુ છે ! ભૂમિ હરિયાળી છે. ધાન પાકતાં જાય છે. ફૂલ ખીલતાં જાય છે. સોહાગણને કામવર પીડી રહે તો આ તો બિચારી વારંવારની વિજોગણુ! અરેરે, એ દીન અબળાનું દુઃખ હવે અમ જુવાનથી જોયું જતું નથી !
હમેશનાં ચગાં વૃદ્ધ કબૂતરોએ જરા આનાકાની કરવા માંડી; તો જુવાન કબૂતરોએ ચુનારગઢની મલિકાનું દષ્ટાંત આપી તેમને બોલતા બંધ કરી દીધા. તેઓએ તો હિંમત સાથે એમ પણ કહી દીધું, કે રોજ રોજ તોપ–બંદૂકના ધડાકાથી હવે આ ગઢ રહેવા લાયક રહ્યો પણ નથી. સિપાહીઓ પણ જુઓને કેવા જંગલી જેવા ભરાતા જાય છે ! બિચારી એકલી મળે તો મૂંછને ઓહિયાં કરી જાય; એટલે એને હવે આપણી સાથે જ લઈ જઈને રાખીશું. રોજ રોજ આગ્રા-દિલ્હીનો ભટકનારો ધણી ને આવું ભયભરેલું વાસસ્થાન ! કેવી દુઃખી ને દયા ખાધા જેવી પારેવડી !
હવે તો ઋતુ પણ નિર્મળ થતી ચાલી. ખેતરો ધાન્યથી લચી રહ્યાં, નદીનવાણ પાણીથી છલકાઈ રહ્યાં. નર અને માદા પણ હાજર છે. કાલના સુપ્રભાતે ઐકથના શુભ કાર્યને આરંભ થશે. કાલે બંને જણ પોતાની વચ્ચે વસવા આવશે. નવજુવાન કબૂતરેએ આખી રાત સુંદર સ્વપનામાં વિતાવી.
બીજા દિવસનું પ્રભાત બહુ ઉત્સાહભર્યું હતું. વહેલી સવારથી ધમાલ શરૂ થઈ હતી. સહુ જલદી જલદી પેલા પરદેશીઓને લેવા દેવાં, પણ મોટા આશ્ચર્ય વચ્ચે જણાયું કે નર કે માદા બંનેમાંથી એકે ત્યાં નહોતું. કેવળ પેલે ન આવેલ ગુલામ કિલાફત ત્યાં આંટાફેરા મારતો હતો. સુવર્ણનું પિંજર ખાલી હતું. ઉત્સાહી કબૂતરના
પ્રેમનાં પારેવાં : ૯
Page #117
--------------------------------------------------------------------------
________________
દિલ પર કારી ઘા થયા. હવે જીવન જ એમને ભારે લાગ્યું. અરે, પ્રેમની એ પારેવડી ક્યા સુભાગી નર સાથે ક્યા આંબાવાડિયામાં ટહુકતી હશે ? અથવા ઘણે દહાડે જરા સહેલગાહ કરવા ગયેલી, ભૂલી પડેલી, થાકેલી, પ્રેમભરી એ ધીરે ધીરે પાછી ફરતી હશે!
એ આવે, પેલી આવે! વાદળનું હૈયું ચીરીને ટહુકા કરતી એ આવે ! વીજઝબુકતી એ આવે! કેટલાય નર શાહી બુરજ પર પ્રતીક્ષા કરતા બેસી રહ્યા. ન ખાવાની સુધ, ન પીવાની સુધ! એમની તો સેનાની દુનિયા વેરાન બનતી હતી.
ઊંચે ઊંચે જોઈને ડોક દુખવા આવી, પણ પેલી પ્રેમની પારેવડી તો ન આવી તે ન આવી! દૂર દૂર આકાશમાં વાદળના ગોટેગોટ ચઢવા લાગ્યા. એ ગોટા ધીમે ધીમે નજીક આવતા જણાયા. ગાજવીજના ધડાકા પણ સંભળાયા, પણ આ વાદળ ને આ ગાજવીજ તેઓને કંઈક વિચિત્ર ભાસ્યાં. હવા કંઈ ગૂંગળાવે તેવી ગંધ લઈને વહેતી આવવા લાગી.
ક્ષિતિજ ઉપર ઊમટતાં વાદળ હવે તે પાણીનાં નહિ, પણ ધૂળનાં છે; ને ઋતુનાં જન્માવેલાં નહિ, પણ માનવસમૂહના ચાલવાથી જન્મેલાં હતાં, એમ આ ચાલાક કબૂતરેએ નક્કી કર્યું. આ ગાજવીજ વાદળોના ટકરાવાથી જન્મેલી નથી, પણ તેપ ને બંદૂકના ધડાકાથી જન્મેલી છે, એમ પણ નિર્ણય કર્યો.
એકદમ ભયંકર શોરબકોર થઈ રહ્યો. ગઢના દરવાજા મોટે ચિત્કાર કરતા જોરથી બંધ થઈ ગયા. જવાબમાં શસ્ત્રોના ખણખણુટ ને તોપના ધણધણાટ ચાલુ થયા.
પ્રેમના પારેવાં જીવ લઈને નાઠાં. મોટો બુંગીઓ ઢેલ કાયાની છાતીને ધ્રુજાવતો ને વીરોનાં દિલને ઉશ્કેરત વાતાવરણમાં ગાજી રહ્યો. માનવીના દેહને કેાઈ અજગર ભરડો લઈ લે, એમ
૧૦૦ પ્રેમનાં પારેવાં
Page #118
--------------------------------------------------------------------------
________________
હારબંધ ફૂચ કરતા સૈનિકાથી ચુનારગઢ ઘેરાઈ ગયા. તબૂએ ઠેકાવા લાગ્યા તે છાવણીએ રચાવા લાગી. યુદ્ધેરા, સાવધાન ! ચુનારગઢનાં પંખીડાંએ ખળભળી ઊઠવ્યાં. દગા, એવાઈ,
કારસ્તાન !
ચુનારગઢના છેતરાયેલા મુત્સદ્દી ગભરાઈ ઊઠયા. તેમણે તીરાની વર્ષા વચ્ચેથી મા કરતા તે માને કાપીને સામે દુશ્મનેની છાવણીમાં ભળી જતા પેલા ગુલામ કિલાત જોયેા. ગુલામ કિલાફત એટલે ચુનારગઢની રજેરજ વિગતેને જાણકાર! જેમ જેમ એ સમાચાર પ્રસરતા ગયા તેમ તેમ પ્રજાના ઉત્સાહ ઓસરતા ચાયેા. મેટી ઇજારવાળા ને મેાટી દાઢીવાળા સૈનિકા પણુ આવેલા દુશ્મન સામે લડવાને બદલે, કિલાતને આશ્રય આપનાર રાજવી પર ચીડે બળવા લાગ્યા. નવી ભરતી થનાર જોદ્ધાઓ કઈ લડાઈ જીતવા નહેાતા આવ્યા; રણા, પતા ને ધાટીએ વીંધી, ખીમીબચ્ચાંઓને મૂકી, વાડીવા છેાડી, એશઆરામ તે અમનચમનની આશાએ
આવ્યા હતા.
નિરાશાનાં આ મેાળ એમાં આશાને દેર ન ચૂકનાર પશુ ચેાડા હતા ખરા. ખુલ દેહિ ંમત શેરશાહ, તેના વિશ્વાસુ સેનાપતિ ખવાસખાન, એને આજ્ઞાંકિત પુત્ર કુતુબખાન તે દુઃખના દહાડાના સાથી ઘેાડા ગણ્યાગાંઠથા સૈનિકા હતા. તેઓએ જોયું કે પેાતાનુ લશ્કર સખ્યામાં તે ઠીક છે, પણ બિનકેળવાયેલ છે. સંખ્યા માત્ર યુદ્ધના મેદાન માટે ઉપયેાગી નથી. થાડુ' પણુ કવાયતી અને કસાયેલું સૈન્ય લડાઈનું મેદાન મારી જાય છે. આખરે ગઢના દ્વાર મજબૂત રીતે બંધ રાખી, ધેરશ ટકાવી રાખવાના નિğય થયેા.
અને એમ દિવસેા પર દિવસેા વીતવા લાગ્યા : એક મહિના, મહિના, ત્રણ મહિના !
ચેાથે સહિત ગઢમાં રહેનારાઓને ફક્ત એક ટુક ભોજન મળે
પ્રેમનાં પારેવાં : ૧૦૧
Page #119
--------------------------------------------------------------------------
________________
તેવી સ્થિતિ આવીને ઊભી રહી. પીવાના પાણી પર પણ માપનથી આવીને ખડી રહી. દારૂગેાળાની તેા તાણુ હતી જ. હવે તેા મારીને મરવું, કેસરિયાં કરવાં ! એ સિવાય ખીને માર્ગ નહેાતે.
મર્દ શેરશાહ કઈ નિર્ણય ન કરી શકયો. પ્રેમના પારેવા સમી લાડુ મલિકાના પ્રેમયે ખેાળા એને હવે આસાયેશ આપતા નહેાતે. એનાં કમળ અગ એના દિલને હવે શાતા પહાંચાડતાં નહાતાં. એ વિચારતા હતેા, કે જમુનારાણીના હૈયા પર શેકાઈ તે ભૂંજાઈ ગયા હોત તે આ નામના દહાડા જોવા ન પડત! કઈ નહીં, હવે બાદશાહત તેા ન મળી, પણ સિપાહીનું મેાત તે વાંહવું રહ્યું. લયલા--મજનૂના ખેલ ભારે પડો, સુંદરીના સુવાળા પડખામાં સિપાહીનુ જીવન ભુલાયુ, આ એની સજા !
૬ ખવાસખાત ! '
<
જી હજૂર, મેાલાવી લાવું છું.' પહેરેગીર નમન કરીને ખવાસ-ખાનને મેલાવવા ગયા, પણ એને દૂર જવું ન પડ્યું. ખવાસખાન પેાતે જ ચાલ્યેા આવતા હતા. કિલ્લાના કાચા દ્વાર પર હલ્લા શરૂ થયેા હતેા. ગુલામ કિલાતની આગેવાની હતી.
મારા માલિક, ચુનારગઢના પતનની ઘડીઓ ગણાય છે. હુમાયુના સિપાહીઓ તેહ પામતા લાગે છે.'
s
લાવ મારી તલવાર. સાવ ખુશરાજને. ભરી દે મારી પ્રાણપ્રિયા બંદૂકને !'
.
પણ મારા માલિક, કેવળ મરી ખૂટે શું હાંસલ થશે ! એક
કબર વધારવા સિવાય વધુ કાઈ લાભ આપણે મેળવી શકીશું નહિ.’
<
'
તેા ખવાસખાન, શુ' કરીશું?’
· હિકમત. હેમજીનુ પેલું સૂત્ર તેા યાદ છે ને ? તલવારથી સેખસાને હણી શકાય, હિકમતથી હારેાને હાવી શકાય.'
૧૦૨ : પ્રેમનાં પારેવાં
Page #120
--------------------------------------------------------------------------
________________
હિકમત !’
'હા, હિકમત ! સુલેહ કરી લે !,
શેરશાહ વિચારમાં પડી ગયા; ઘેાડી વારે મેલી ઊઠયો, ‘ બહુ સારું', ખવાસખાન ! ગઢ પર સુલેહના વાવટા કકાવે. હું સુલેહને મુસદ્દો ઘડી કાઢું છું.... ભૂલ્યા ત્યાંથી ક્રી ગણીએ.’
'
ચુનારગઢના ઊંચા બુરજ પર સુલેહતેા વાવટા ફરી રહ્યો. થેાડી વારમાં એક કુશળ તીરંદાજે ખુરજ પરથી શાહી છાવણીમાં સ ંદેશાના ટુક્કા સાથેનું તીર મેકહ્યું,
બાદશાહ હુમાયુની સામે ઝુક્કો ખાલીને વાંચવામાં આવ્યેા. શેરશાહ લખતા હતા :
શાહેાના શાહ નાસીરુદ્દીન મહમદની જય હે !
‘ તાબેદાર ગુલામ શેરખાં ચુનારગઢ શહેનશાહતને કદમપેશ કરે છે, તે માગે છે ગુનાઓની માફી સાથે ઇજ્જતભરી શાહી ચાકરી ! ‘ચુનારગઢની રાણી લાડુ મલિકા ભરણપોષણુ માટે એ પરગણાં ઋચ્છે છે, તે આ બધાની સચ્ચાઈ ખાતર શેરશાહ પેાતાની પ્યારી ઓલાદને—પુત્ર કુતુબખાનને શાહી સરકારમાં પેશ કરે છે.’
.
શહેનશાહ હુમાયુએ જવાબ લખ્યા, ને તીર જવાબ સાથે પાછુ ફ્યુ.... એમાં જવાબ હતાઃ
કબૂલ. દરવાન ખાલે !'
*
દરવાન ઊઘડવા. શાહી નાખતા ગડગડી ઊઠી. ચુનારગઢના સિંહાસન પર શહેનશાહ હુમાયુ બિરાજમાન થયા. મહાન યાતિષી તરીકે જાણીતા આ ખાદ્શાહને આજે પ્રજાએ આંખભરીને નીરખ્યા : વીરતાને અવતાર ! માણસાઈ ને નમૂને. એ મેલે તે જાણે એની જબાનમાંથી ફૂલ ઝરે ! બાદશાહ બાબરા ખાનદાન મેટા !
પ્રેમનાં પારેવાં : ૧૦૩
Page #121
--------------------------------------------------------------------------
________________
ત્રણ દિવસની મહેમાનગતી બાદ પાછા ફરતા શહેનશાહે મેટા મનથી શેરશાહને નવાજ્યેા, પેાતાની પાસે પ્રેમથી બેસાડયો ને ઉદાર દિલે ચુનારગઢ ફરીને સુપ્રત કર્યાં.
એ દિવસ બાદ ગઢ સૂનેા હતેા. પ્રેમનાં પારેવાં આ બિયાબાન ગઢને મૂકી ઊડી ગયાં હતાં. લાડુ મલિકાને તેને અપાયેલા પર. ગણામાં મેકલવામાં આવી હતી.
કબૂતરખાનામાં થયેલા ખળભળાટ શમી ગયા હતા, પણ બહુ
ગમગીન રીતે.
૧૦૪ : પ્રેમનાં પારેવાં
Page #122
--------------------------------------------------------------------------
________________
દુસ્ત શર દુસ્ત ગવદ*
‘શેરખાંની માશુકા ખૂબસૂરત મલિકા ભલે હાય, પણ સાચી માથકા સલ્તનત છે, એ ન ભૂલે !'
હેમરાજનો અમૂલ્ય બોધપાઠ! રે શેરખાં, થોડા એક સુર્વણના મોહમાં, ગઢ ને સિંહાસનના ઝળહળાટમાં મખમલી ગાત્રોની કુમાશમાં બધુંય ભૂલ્યો! દસ્ત અને દુશ્મન પણ પિછાણી ન શક્યો ! સિપાહી આખરે સિપાહી જ રહ્યો. બાપગોતરમાં બાદશાહી ભાળી હેય તો ને ! રાજશેતરંજના દાવ તને ન આવડવ્યા. ન ગમતા દુશ્મનની તાબેદારી જ તારા નસીબે જડાયેલી રહી!
રે, રજપૂતોની જેમ મરતાં પણ ન આવડવું ! કેસરિયાં કર્યા હતા તે આ રંજ, આ ગમ, આ ગમગીની કથાથી હેત ! જીવનનું સ્વપ્ન શું આમ અકાળે નષ્ટ થવાનું ? બાદશાહી ન સરજી શકે તે શેરખાં ક્યાં જઈને રહેશે ? એના શપથ, એના કસમ, એની
• જે મિત્ર એ મિત્ર જ રહે તે ભલે આ લોક-પરલેક દુમનના હાથમાં નય.
૧૦૫
Page #123
--------------------------------------------------------------------------
________________
પ્રતિજ્ઞાઓ વ્યર્થ થશે? શું બાદશાહ હુમાયુને ચિરસેવક બની એ પેટ ભરશે ?
મનોવેદનાની આવી કાળી બળતરા શેરશાહના ચિત્તને દમી રહી. ન ખાવાની સૂઝ, ન પીવાની સુધ. રાતદહાડે એ ચુનારગઢના વિશાળ બુરજ પર આંટા માર્યા કરતો. આજ ભલે ચુનારગઢ એને સોંપાયે, પણ વહીવટ ચલાવવા માટે તો હુમાયુનો વફાદાર સેનાપતિ રૂમી ખાં ત્યાં મોજૂદ જ હતા. શેર પાંજરામાં નહોતો, પણ નજરકેદ બન્યો હતો.
ગમગીનીમાં ગરકાવ થયેલે શેર માં કઈ વાતે હળવે જીવ ન કરી શક્યો. એની ઊંઘ ગઈ, ભૂખ ગઈ, આરામ ગો; મલિકા સાથે એ છૂટથી વાત કરી શકતો નહિ. જાણે પ્રેમની ને ઈશ્કની વાતોમાં હવે એનું દિલ જ રહ્યું નહોતું. ચક્રવાક ને ચક્રવાકીતી દશાને તેઓ પામ્યાં હતાં. એને જેતે કે શેરખાં પશ્ચાત્તાપથી સળગી ઊઠતો અને ન જોતો તો વ્યાકુળ બની બેસતો. આખરે મલિકાને સમજાવીને થોડા વખત પછી હુમાયુએ આપેલાં પરગણમાં મોકલી આપી. પણ મલિકાના જવાથીય શેરખાને શાન્તિ ન લાધી.
એ મસ્જિદના ઊંચા મિનારા જેતો ને વિચારમાં પડી જતોઃ હજી તે ગઈ કાલે જ મારા ખુબ પઢાયા છે ને આજે કોના ખુલ્લા પઢાય છે? મહેલેની ઊંચી મહેરાબો પર દીવાઓ ઝળહળતા જોતો ને એને કંઈનું કંઈ થઈ જતું. અરે, દીવાનું એક પતંગિયું બની આ કલંકિત જીવનની સમાપ્તિ કરી દેવી શી ખોટી ?
પરેશાનીની તો કોઈ સીમા હતી? પોતાના પાપે પોતાના પ્યારા પુત્રને હુમાયુના દરબારમાં રાખવો પડયો. પોતાની જીવાદોરીય. દુશ્મનના હાથમાં. શેરખાં જરા પણ વિરોધી હિલચાલ કરે કે પુત્રની ગરદન પર જલાદોની છૂરી ચમકી રહી ! રે રાજનીતિ! વાહ રે શેરખાં! અફઘાન પાદશાહી આમ સ્થપાતી હશે ? સૂરવંશને શહેન શાહી તાજ આમ પહેરાવાતો હશે ?
૧૦૬ : દુસ્ત શર દુસ્ત ગવદા
Page #124
--------------------------------------------------------------------------
________________
શેરખાંએ લજજાના ભારથી અવનત થયેલા ચહેરે આકાશ સામે જોયું, પણ વધુ વાર એ જોઈ ન શક્યો. આકાશના સિતારાઓ જાણે આંખ મીંચકારતા એની મશ્કરી કરી રહ્યા હતા. શેરખાં સાંઈ થઈ જા! ફકીર બની જા ! મરી જા ! બાદશાહત તું કરી ચૂક્યો !
અદલ ઈન્સાફ તે કર્યો, પણ તારો જ ઇન્સાફ કે તોળાય ? થેડીય મુત્સદ્દીવટ ન આવડી ?”
, મર્દ શેરખાને એને મનસંતાપ પડવા લાગ્યો. તે દિવસે જમનાની ગોદમાં ડૂબી મરતો બચાવવા બદલ એ મલિકા પર ચિડાઈ રહ્યો. અરે, પેલી બળતી નૌકામાંથી હેમરાજે ન બચાવ્યો હોત તો જીવનભરનો આ હૈયાક એ ક્યાંથી પામત !
શેરખાં કવિ હતો, ફિલસૂફ હતો, સારાખોટાને સમજનાર હતો. સદા હિંમતે બુલંદ રહેનાર એ જવાનને એના વિચારો જ આજે બહાવરો બનાવવા લાગ્યા. હારને કદી હાર ન સમજવી, એવો ઉપદેશ ઘણાને આપે. પણ આજે પોતાની આ દશા ? એ રોષમાં ને રોષમાં મોટા પગલે કિલ્લા પર ફરવા લાગ્યો. એના પગલાના અવાજમાં પણ ભયંકર રોષ ગાજતો હતો.
અચાનક એક ઘેરો અવાજ એવા કાન પર અથડાયો. કઈ સાંઈ ભીખ માગતો બોલતો હતો :
અલ્લાહ નામકા પૈસા નબી નામકી રિટી
હસન નામકા કપડા, દેવે દિલાવે છે પાએગા, દુનિયામેં દસ દફા, આકેબતમેં સો દફા; દેવે વો સખી, ના દેવે વો મૂંછ: સખીકે નજીક અલ્લાહઃ સખી વ હબીબુલ્લાહ !
દુસ્ત શર કુસ્ત ગવદ : ૧૦૭
Page #125
--------------------------------------------------------------------------
________________
ઘેરા, શંખસ્વર જેવા અવાજ ! કઈક પરિચિત ખરે ! ભીખની રાટીના ટુકડા પર ગુજરાન ચલાવનારતું ગળું આવુ ન હૈ!ય. કાઈ જાસૂસ ! કાઈ છદ્મવેશી ! ઘેટાનું ચામડું એઢીને ઘૂસી આવેલુ કાઈ વરુ ! દૂધથી ડઘાયેલા એ છાશ ફૂંકીને પીવાના નિણૅય પર આવ્યેા, આજે ચુનારગઢ એના તાબામાં નહેતા, પણુ વધુ ને વધુ દુશ્મનેાથી ઘેરાતા જાય એ પણુ ઇચ્છનીય તે। નહાતું જ. આખું વાતાવરણ ઝેરીલુ હતુ. એક રહેમ માગી, ઇન્સાફની તમન્નાથી રહેમ બક્ષી, આશા આપ્યા, તેા દેરડાને સાપ અન્યા. એ સાપ પેાતાને જ ડસ્યા. રાજનીતિ જ ખૂરી! એમાં કાણું કાનુ` ? દયાવાન પહેલે મરાય ! વિશ્વાસુ પહેલા હ્રષ્ણાય !
શેરખાંને પણ પેાતાની વિચક્ષણ દૃષ્ટિએ આ સાંઈ ભેદભરમવાળા ભાસ્યા, સાંઈ તગડા, હષ્ટપુષ્ટ હતા. એની આંખેા તે એના અવાજમાં સત્તાવાહીપણું હતું. ઇલમના જાણુકાર, મંત્રતંત્રને વિધાતા હૈાય એવા એના ચાળા હતા.
‘સાં, કયાંથી આવે છે!?' શેરખાએ નીચે આવીને જરા કડક અવાજે પૂછ્યું. ટાળાએ શેરશાહને જોઈ મા કર્યાં.
.
સાંઈ એના દેશમાંથી! જ્યાં શેરનાં સામ્રાજ્ય હાય, ગીદડનાં ન હોય ત્યાંથી. આ ભલા ઇન્સાન, સાંઇ એને વળી આવવાનુ` કયાંથી ને જવાનુ` કાંથી ?’
‘કાની બાદશાહી છે, એ જાણા છે?'
બાદશાહી કાની? ઉપર બેઠા છે એ એક માત્ર અલ્લાહની. હા, આકી એટલુંયે જાણું છું, પહેલાં એક આરતની, પછી એક દીવાનાની, પછી બાદશાહ હુમાયુની આજે શમશેરબહાદુર રૂમીર્ખાની, તે કાલે, શમશેરબહાદુરના એક નાચીજ ગુલામની ! ધેટાંના ટાળાને તે દેારનાર એક ભરવાડ જ ખપે તે! પછી સારા-ખાટા, નાના—મેટા, લાયકનાલાયક કર્યા જોવાનુ? આરતને ખાવિંદ પસંદ્ કરવાની છૂટ, પણ ગુલામને માલિક પસંદ કરવાની નહિ ! અરે, ભલા આદમી!
૧૦૮ : કુસ્ત શર દુસ્ત ગવદ
"
Page #126
--------------------------------------------------------------------------
________________
અલ્લાહ અલ્લાહ કરે ! અમારે સાંઈ તે આ બધું શું ? અમારે બાદશાહ કેવા ? સારી જહાંકે બાદશાહ, મુહરે મેરી શતર જકે !'
- સાંઈ ને પણ શેતરંજ ? ’
"
ખાન
શા માટે નહીં ? ઇલાહી શેતરંજના રમનારા અમે, ગેબના ગબારા ઉડાવનારા અમે, અલખના લેખના લખનારા અમે. બહાદુર, ખુદાની યાદમાં મસ્ત રહેનારા અમે છીએ. ખુલબુલના સૂર ને આગના ગુલની સાથે ગાનારા તે નૃત્ય કરનારા અમે છીએ. મલેિ મકસદના રાહગીર છીએ. એ શમશેરજગ, અમારી જહાં ન્યારી છે. અમે તે યારને શેાધનારા છીએ.
અને સાંઈ ખિલખિલાટ હસી પડયો. સામાન્ય આદમીનું આટલું પ્રચંડ હાસ્ય હાઈ ન શકે. હેાશિયાર શેરખાનાં નયને સાંઈ પર વેધક રીતે મંડાઈ રહ્યાં. સાંઈની આસપાસ મેાટુ ટાળું એકઠું થયું હતું. ધીરેથી સાંઈ ઊઠયો ને ગઢના એક ખૂણા તરફ વળ્યેા.
' યાર્ કા હુમને જા અજા દેખા, કહા જાહિર કહીં છુપા દેખા.
શેરખાં એને જતા ઝીણી નજરથી નીરખી રહ્યો. એણે એ મસ્ત ચાલ તરત પારખી લીધી. એ પાછળ પાછળ ચાહ્યા ને વળાંકમાં આવતાં આયેા :
.
' સાંઈબવા, આદાબ અર્જ ! '
.
મસ્ત રહી, ખાનસાહેબ! અલખના ભેદ પણ ભાખું છું હા.
અલખના ભેદ ? જ્યેાતિષી લાગે છે ?'
<
"
બેશક, જ્યાતિષી પાદશાહની પ્રજા પણ જ્યાતિષી હાય ને
અલ્લાહ, અલ્લાહ કરેા, ખાનસાહેબ! સારી જહાં કે બાદશાહ, મુહરે મેરી શેતર ંજકે ! '
× અંતિમ ધ્યેય.
દુસ્ત શર ક્રુસ્ત ગવદ : ૧૦૯
Page #127
--------------------------------------------------------------------------
________________
સંધ્યાનો પ્રકાશ ઓસરતો જતો હતો. આકાશમાં અંધકાર લીંપાતો હતો. ગઢના ખાંચા ને ગલીઓ અત્યારથી અંધારાં બની રહ્યાં હતાં.
ખાનસાહેબ, અલખના ભેદ કળવા છે? પાછળ ચાલ્યા આવો.”
શેરખાં પાછળ પાછળ ચાલ્યો. અંધારું થતું આવતું હતું. એક વળાંકમાં આવતાં સાંઈએ કહ્યું : “મારા શાહ, જુઓ અલખના ભેદ ભાખું છું: રૂમખાં ગયે.”
ક્યાં, આગ્રા કે દિલ્હી ?' ના, અલાહના દરબારમાં.” “અલ્લાહના દરબારમાં ? હજી બપોરે તો મને મળ્યો છે.”
એ તારે ને એને છેલ્લો મેળાપ હતો. ટૂંકામાં સાંભળી લેઃ ચુનારગઢની ગાદી પર રૂમખાંએ એક ગુલામની પસંદગી કરી, સરદારે નારાજ થયા. એમણે બંડ જગાવ્યું. તેમણે રૂમખાંનો આખરી ફેંસલો કર્યો. આજે હમણું જ છેલ્લે શરબતનો જામ એ પી ચૂક્યો હશે! અને એ જામ એની જિંદગીને છેલ્લે જામ હશે.”
“સાચું નથી માની શકતો.” “સાચું જ છે.”
ઈન્શાલ્લાહ, મારી તોપ કે તલવારે જે હાંસલ ન કર્યું, એ તમારી એક ચાલાકીએ હાંસલ કર્યું! દોસ્ત, હું તારો શો અહેસાન માનું?” શેરખાં આશ્ચર્યમાં ડૂબી ગયે. થોડી મિનિટ પહેલાં જેનું હૈયું નિરાશામાં ડૂબી ગયું હતું, જેની ઉન્નતિનાં બારે વહાણ નષ્ટભ્રષ્ટ થયેલાં લાગતાં હતાં, એને લાગ્યું કે પોતાનો બેડો પાર થઈ ગયો. એ એકદમ ઉત્સાહી થઈ ગયે.
બંને ચાલતા ચાલતા એક એકાંત સ્થળે આવી પહોંચ્યા.
૧૧૦ : દુસ્ત શર દુસ્ત ગવદ
Page #128
--------------------------------------------------------------------------
________________
આજુબાજુમાં કોઈની અવરજવર જોવાતી નહોતી.
પ્યારા દેત !” શેરખાંએ નજીક જઈ કહ્યું.
કોણ દોસ્ત ! ના, ના, અરે બંદે, આ દુનિયામાં કોણ દોસ્ત, કેણ દુશ્મન ! અમે તો સાંઈબાવા” ને સાંઈબાવા હસી પડવા, શેરખાં પણ હસી પડ્યો. બંને જણ ક્ષણભર જાણે જેનપુરની નિશાળના નિશાળિયા બની ગયા.
ઉતાવળ થઈ ગઈ પાણીમાં રહીને મગર સાથે વેર બાંધી લીધું. વેર બાંધ્યું તો ઠીક, પણ પૂરતી તૈયારી વગર મેં ખવાસખાન સાથે સંદેશ મોકલ્યો, ને મને જ લાગ્યું કે જલદી થઈ. મારી ભૂલ ભારે સુધારવી પડી. દિલ્હીમાં રહી આટલું જ કામ કર્યું. પ્યારા ખાન, કુપાત્રે ઠાલવેલી દયા દયાવાનને ડાકણ બનીને ભરખે છે. દુનિયામાં દયાને પણ બજાર ચાલે છે. બેટી દયાથી દુનિયાની મોટી મોટી બાદશાહી નાશ પામી છે. વળી સમર્થની દયાની કંઈ કિંમત હોઈ શકે! તારા સૈન્યનું જ ક્યાં ઠેકાણું છે? શંભુમેળા જેવું સૈન્ય તે સૈન્ય કહેવાય. જે સજા આપણને થવી ઘટતી હતી, તે થઈ હવે તો હુમાયુના નામે ચરી ખાવું! રાજ એના નામથી ચલાવવું, તૈયારી થયે મેદાનમાં નેતર ! ઝેરનું ઔષધ ઝેર, વિશ્વાસઘાતનો બદલે વિશ્વાસઘાતથી,' સાંઈબાવા મંત્રની જેમ શબ્દો ઉચ્ચારતા હતા.
દોસ્ત, હવે હું તને નહીં છોડું !”
કઈ ચિંતા નહીં. હું જ તને નહીં છોડું. પણ હજી વાર છે. સત્ય જમાવે, એકદિલી કેળ, ત્રસ્ત પ્રજાને તમારી બના, બિહારનો કિસાન લડાઈઓનાં ધાડાં નીચે કચડાઈ રહ્યો છે. મહિનાઓથી હું તે એ વીર નરેને નીરખી રહ્યો છું. કેવી વીર પ્રજા! એમના ચહેરા જોયા ? ઘોડે થાકે પણ એ ન થાકે! પંખી જ્યાં પ્રવેશ ન પામી શકે ત્યાં એ જઈ પહોંચે! નદી, નાળાં, ગરમી, વરસાદની પરવા જ નહીં. એમનું સૈન્ય એકઠું કર! એક તરફ અફઘાનોને એક
દુસ્ત શર દુસ્ત ગવદ : ૧૧૧
Page #129
--------------------------------------------------------------------------
________________
કર, ખીજી તરફ આ બકસરિયા બહાદુરને એકઠા કરી. તેને એ ભાગમાં રાખા, એકથી એકને શાસિત કરા ! શેરખાં, એમને હથિયાર આપે, ખાવા ધાન આપે ! પહેરવા વસ્ત્ર તે રહેવા મકાન આપે. જ્યાં તારા અક્ક્ષાન ચાકે ત્યાં બકસરિયાને કામ આપે.
ઘેાડેસવારને કેળવેા, રવિદ્યાના જાણકારાને ઉત્સાહ આપે. તીર દાજોને અંધારામાં ઊભા રાખી નિશાન સધાવા. ગજસેના કેળવે. જબરદરત સૈન્યશક્તિ ઊભી કરા. શત્રુનાં દિલ કમકમી ઊઠે તેવા ઠાઠ જમાવા! અને સાંઈબાબાનું વચન છે, કે લેાહીનું ટીપુ` પાડયા વિના પાદશાહી મળશે.'
'
<
પશુ મેગલ હુમાયુ કેમ વશ થશે?' શેરખાંએ જરા નિકટ જઈ પ્રશ્ન કર્યાં.
અને વખત સમજી લેશે. મીરલા કામના આપણા ચતુર જાસેની જાળ સર્વત્ર પાથરી દે ! હુમાયુ ને એના ચારે ભાઈ આ ચાર દિશા જેવા જુદા છે. એ જુદાઈ ને જાળવી રાખેા. એક ખીજા ભાઈની પ્રવૃત્તિના સમાચાર મેળવતા રહે. આજે હુમાયુને છંછેડવા જતાં, રાજનીતિ કહે છે કે, દુશ્મનના દુશ્મન સહેજે મિત્ર! કદાચ ચારે ભાઈ એકત્ર થઈ જાય તા ભારે પડે. છૂટા છૂટા ચાર ભાઈ ખાદ્શાહ બાબરના સામ્રાજ્યને છિન્નભિન્ન કરી નાખશે ! કામરાનને પંજાબ, કાબુલ તે કંદહાર મળ્યાં. હિંદાલ મેવાતને ધણી બન્યા. મીરઝાં અસ્કરીને ચખલના ભાગ આપ્યા. વિશાળ રાજ્યના ટુકડા કરી નાખ્યા. વિચાર કરીને જુએ તે હુમાયુ પાસે પછી રહ્યું શું?
"
- પ્યારા શેર, હુમાયુ બહાદુર છે, પણ ખાહેાશ નથી. એણે પેાતાને એસવાની ડાળને જ કાપી. એ ભલીભાંતે જાણતા હતા કે કામરાનને આપેલા પ્રાંતામાંથી જ લશ્કરની નવી ભરતી આવતી. કામરાનને પણ બાદશાહીનાં સ્વપ્ન છે. એ સૈન્ય નહીં જમાવે ? રાજનીતિમાં કાણુ કાનુ` ? હિંદાલના ક્લિમાંય શયતાની લાલસા છે.
૧૧૨ : કુસ્ત શર દુસ્ત ગવદ
Page #130
--------------------------------------------------------------------------
________________
મીરઝા અસ્કરી તો આખરે પૈસાને પૂજારી છે. એને અત્યારે છંછેડશે નહિ. “જિસકે તમેં લડુ ઉસકે તડમેં હમ' એ ભાવનાવાળો એ છે! મને લાગે છે કે જરૂર પડતાં તેમના બળે એને આપણે બનાવતાં વાર નહિ લાગવાની. આ ચારે ભાઈઓને આપણે સમય વર્તાને સહાય આપ્યા કરવી. લેઢાથી લેઢાને કાપવાનો નિયમ રાખવો. ગુજરાતને બહાદુરશાહ પણ હમણું ઠીક ખીલ્યા છે. એને હિન્દુસ્થાનના રાજસિંહાસનની ચાવી સમાન જેતપુર જીતવાની લાલચ આપી છે. અલબત્ત, આજના હિંદમાં હુમાયુ સારે માણસ છે. એથી વધીને સારો જોદ્ધો છે, પણ શહેનશાહ થવાને ગ્ય નથી. એના દિલમાં બંધુ પ્રેમને સાગર છલકાય છે, જ્યારે ભાઈએના દિલમાં ઈષને અગ્નિ ભભૂકે છે. આપણે તો અગ્નિ અને સાગર બંનેને કામમાં લેવાનાં છે. રાજનીતિમાં એકબીજાને એકબીજાથી બુઝાવવાનાં ને બાળવાનાં હેય. ગલફતની નિદ્રાને વશ થશે નહિ. દુશ્મનની દરેક પળની માહિતી રાખે !'
શેરખાં ઉત્સાહપૂર્વક સાંભળી રહ્યો હતો. કોઈ ઘનઘોર વેરાનમાં ચંદ્રનું બિંબ ઊતરી આવે ને જેમ અંધારઘેર રસ્તો સ્પષ્ટ થઈ જાય, એમ એ મુક્તહૃદયે એની સામે જોઈ રહ્યો.
“ખાનબહાદુર, સાંઈબાબાનો આ મંત્ર! અલખને આ જ માત્ર ભેદ !”
“અહેસાન, સાંઈબાવા, પણ ગજસેના તૈયાર કરવા વહેલા પધારજે ! અને પેલા બરિયા જોદ્ધાઓની કેળવણી તમારે હવાલે.”
સમયનું કામ સમયે થઈ જશે. માઁનાં ઉપાડેલાં કામ અટકતાં નથી. અલ્લાહ, અલ્લાહ કરે!”
ને સાંઈબાવાએ છેલ્લા શબ્દો સાથે ચારે તરફ ઝીણી નજર ફેરવી. આસપાસ કેઈ નહતું.
દુસ્ત શર દુસ્ત ગવદ : ૧૧૩
Page #131
--------------------------------------------------------------------------
________________
દૂર દૂરથી ઊંચા અવાજે આવી રહ્યા હતા. ચુનારગઢના દીવાઓ ઝડપથી બુઝાતા જતા હતા.
રૂમખાંના જનાજાની-સ્મશાનયાત્રાની તૈયારી લાગે છે, બંદે!' સાંઈબાવા, તમે કેટલા દિવસથી અહીં છે?”
ત્રણ દિવસથી. દિલ્હીથી મોગલ સરદારો સાથે જ અહીં આવ્યો હતો, આ જનાજાની તૈયારી માટે.” અને સાંઈબાવા કાતિલ રીતે હસ્યા.
આ અહેસાન ક્યારે પૂરો કરીશ?” બાદશાહ બનશે ત્યારે, બંદે !'
ને સાંઈબાવાએ ફરીથી પોતાના બુલંદ અવાજથી બેલવા માંડ્યું :
અલ્લાહ નામકા પૈસા નબી નામકી રિટી હસન નામકા કપડા,
દેવે દિલાવે વે સખી... શેરખાં અંધકારમાં ભળી અદશ્ય થઈ ગયા. સાંઈબાવાના બુલંદ અવાજેના પડઘા ચુનારગઢના પથ્થરો પાડી રહ્યા હતા. શાહી મહેલમાંથી તલવારેના ને દીવાઓના ઝગઝગાટ વચ્ચે થોડી વાર અશાંતિ ભડકી અને પાછી શાંતિ પથરાતી જતી હતી.
શેરખાં ધીરે ધીરે જતા સાંઈની પીઠ તરફ જોઈ બોલી ઊઠયોઃ
દુસ્ત શર દુસ્ત ગવદ.” જે મિત્ર એ મિત્ર જ રહે, તો ભલે આ લેક-પરલેક દુશ્મનના હાથમાં જાય !”
૧૧૪.૬ દુસ્ત શર દુસ્ત ગવદ
Page #132
--------------------------------------------------------------------------
________________
પર્વ તૈયારી
13
યુનાગઢના દરબારમાં શાહી સંદેશ લઈને આવેલ કાસદ જયારે એક અવાજે પોતાનો સંદેશ કહી સંભળાવતો હતો, ત્યારે સેય પડે તો અવાજ થાય તેવી શાંતિ પ્રવર્તતી હતી.
કાસદ કહી રહ્યો હતોઃ “હિંદુસ્થાનના શહેનશાહ હુમાયુ, મેગલ ઉમરાવએ અંગત વેરઝેરમાં રૂમી ખાને ઝેર આપવાનું છે. કામ કર્યું, તે તરફ સખત નફરત જાહેર કરે છે. ચુનાગઢના ભવિષ્ય માટે તે અંદેશાની નજર સાથે નિહાળે છે, અને મોગલ માં પરસ્પર શાંતિ જળવાય તે માટે ફરીથી શેરખાંને તેની સત્તા સેપે છે. બાદશાહી દરબાર ચાહે છે, કે મોગલ શહેનશાહતને શોભતી વફાદારીથી શેરખાં તેનો અમલ બજાવશે.”
આ સંદેશાને ખૂબ આનંદ અને હોંશથી વધાવી લેવામાં આવ્યો, ને શહેનશાહ હુમાયુ તરફથી આવેલ તલવાર, પોષાક ને બખ્તરની જ્યારે શેરખાને નવાજેશ કરવામાં આવી ત્યારે તાળીઓથી દરબાર ગાજી રહ્યો.
૧૧૫
Page #133
--------------------------------------------------------------------------
________________
·
શેરખાંએ દરબારમાં ખડા થઈ, અદબપૂર્વક ખેલતાં જણાવ્યું : મીરઝા સાહેબ, શહેનશાહને મારા દુજાર વાર કુરનિસ પહેાંચાડજો ને કહેજો કે સેવકના ભૂતકાળ તરફ નજર ન કરતાં એને જે માન બઢ્યું છે, તે માટે એ જીવનભર અહેસાનમાં છે.'
આ અહેસાનની જાહેરાત રાજદરવાજાની નાખતે એ તરત કરી દીધી. ગામમાં ગરીબરખાંઓને અન્નપાણી શરૂ કરવામાં આવ્યાં. આ તેાખતા તે આ અન્નપાણી આટલેથી ન અટકમાં; આજુબાજુનાં ગામામાં ને બિહારના પ્રદેશામાં ફેલાઈ ગયાં. બધે જાહેરાત કરવામાં આવી કે ભૂખ્યાંને અન્ન, નાગાંને વજ્ર અને યાદ્દાને શસ્ત્ર મળશે, શેરખાંના દરબારમાં. બાદશાહ બહાદુરા રસિયેા છે, મર્દાનગીને પૂજારી છે.
ગામડે ગામડે, દેશેદેશ ખેડાલ બનીને જીવન ગુજારતા મ સળવળ્યા. ઘણા દિવસથી શાહી નેકરીઓથી તેઓ બરતરફ હતા. કેટલાકને નાકરીએ મળતી, તે એમનાં માન-સન્માન નહાતાં. આ મરજીવા કિસાન મેાતને સાંખી શકતા, અપમાનને નહી.
આ સહુને શેરશાહે માનપાન આપ્યાં. શૂરવીરતાને તે એ પૂજારી હતેા. શું હિંદુ કે શું મુસલમાન, સૈન્યની સેવામાં કઈ ભેદ નહેાતા; કારણ કે એના વિજયામાં મદિરાને નાબૂદ કરવાનાં નહોતાં, ચેારા ને ચબૂતરા ઉખેડી નાખવાના નહેાતા, જુલમ ને જહાંગીરી ચલાવવાની નહેાતી. અને ત્યાં સુધી કોઈના પણ ધર્મને સ્પર્ષ્યા વગર ચાલનારા એ ઇન્સાન હતા.
એક જબરદરત સૈન્યસમૂહ હિલેાળા લેવા લાગ્યા. એમાં તુર્કસ્તાન તે અરબસ્તાનથી આવનારા શેખ તે સૈયદ હતા, પઠાણુ ને અર્ખ હતા, સીદી ને ગુલામ હતા, ઈરાની તે બલૂચી હતા, મારવાડમેવાડથી આવેલા રાજસ્થાની ને મેવાડી વીર્ય હતા, વીરતાના ૧૧૬ : પૂર્વ તૈયારી
Page #134
--------------------------------------------------------------------------
________________
અવતાર સમા જાટ ને રજપૂત હતા. ભયંકર લેખાતા મેવાતી તે મર્દાઈના ટુકડા પુરબિયા હતા.
આ સૈન્યાને પૂરા પડે તેટલા દારૂગાળા પહેાંચાડવા ઠેર ઠેર સલાપાસ ' ખેાલવામાં આવ્યા હતા, જયાં બંદૂક, તાપા, તલવારે। ને બરછીએ. વગેરે શસ્રો તૈયાર થતાં હતાં. સૈન્યાને જવા-આવવા માટે મેટા મોટા રસ્તાએ પણ બની રહ્યા હતા. રસ્તાએ ઠંડા રહે તે માટે બંને બાજુ ઝાડ પણુ રાપવામાં આવતાં હતાં. જળનાં નવાણુ ખેાદાતાં હતાં. નિર્જન વગડામાં ધર્મશાળા નેસરાઈ પણ બનાવવામાં આવતી હતી.
અને આ બધું એટલી સહજ રીતે થતું કે એની ગ ંધ કાઈ તે નહેતી આવતી, કારણ કે આ જ સન્યા શહેનશાહ હુમાયુની આજ્ઞા થતાં એના બળવાખેાર ભાઈ એની સાન ઠેકાણે આણુતાં; નાના—મેટા વિહામાં શેરખાંની હુમાયુને પૂર્ણ મદદ મળતી.
શેરખાંનુ સૈન્ય ઠંડી તાકાત ધરાવતું જતું હતું. તેમાં પણુ અકસરિયા કિસાનને જ્યારે બંદૂકચી બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું ત્યારે એક નવી તાકાતને જન્મ થતેા લાગ્યા ! કેવળ લંગોટી શેર ખેતરામાં કામ કરતી આ જાતિને જયારે લશ્કરી હલકા પેશાક આપવામાં આવ્યા ને કમર પર એક છરી ને હાથમાં એક બંદૂક આપવામાં આવી ત્યારે તેમને સીને પલટાઈ ગયા. ચાંદમારીમાં કુશળ અનેલા આ બકસરિયા બંદૂકચી, સેનાપતિની એક જ હાકલની સાથે હવાની જેમ અદૃશ્ય થઈ જતા. પહાડ, પર્વત, નદીનાળાં એમના પગપાળા પ્રવાસને ન રેાકી શકતાં, તે રણમેદાન જીતી મહાન તેહ હાંસલ કરતા. ન અખ્તરાની ધમાલ, ન ધેાડાઓની આળપંપાળ, ન બીજા શસ્ત્રોની ઝંઝાટ! સાદા ને શૂરા અંકરિયા બંદૂચી અજોડ
પૂર્વ તૈયારી : ૧૧૭
Page #135
--------------------------------------------------------------------------
________________
તાકાત ધરાવતા.
તાપેાના સળગતા મે સામે તેએ હસતા હસતા દોડ્યા જતા, ને તેાપેાના કાનમાં ખીલા ઠેકી દેતા; રાતા રાતમાં ગમે તે રસ્તે કિલ્લા પર ચઢી, અંદર ઊતરી કિલ્લાનાં અજેય દ્વાર ઉધાડી દેતા.
અહ્વાન સૈન્યને શેરશાહ પાતે ફેળવતા હતા. ઉપરથી મેગલ વફાદારી બતાવી, તેમનામાં અધાનસત્તાનાં ખીજ વાવી રહ્યો હતેા. વાધના જેવા સ્વચ્છંદી, ચિત્તાના જેવા ખૂની, ઝઘડાળુ, ઈર્ષ્યાળુ,, શિસ્તમાં ન માનનાર અધાન સૈનિકાને એ નવી જ પ્રેરણા પાઈ રહ્યો હતા. એ વારે વારે અફધાન સૈનિકાને તેમનુ શાહનામુ કહી સંભળાવતા, તે એક બેનમૂન શાસન સવાની પ્રેરણા પાઈ રહ્યો હતા.
એક પરાજયમાંથી કેવી અભૂતપૂર્વ રચના! પેાતાના મિત્રના હાથે ગજસેના કેળવાતી જતી હતી. મસ્ત, શેરગીર, સાદા, મઝેલા, કઢા, દરક્રિયા ને મૂકેલી—–સાત જાતના પ્રસિદ્ધ હાથીઓની ભરતી થઈ રહી હતી. આ બધાના કાર્યના જુદા જુદા વિભાગા કરવામાં આવતા. કેટલાકને કિલ્લાનાં દ્વાર તેાડવાનું, કેટલાકને લશ્કરામાં તાપાના મારા સામે ઊભા રહેવાનું, કેટલાકને માલઅસબાબ લાદીને પહાડ, ઝાડી કે રણ વીંધવાનુ, તેા કેટલાકને કમાનમાંથી તીર છેડવાનુ શીખવવામાં આવતું હતું. હેમરાજજી ઝવેરીના ‘હવા ’ આમાં અગ્રગણ્ય ભાગ લેતેા હતેા. આ બધા હાથીએને એક સ્થળે ખડા કરી જ’ગલમાં મેાટી આગ સળગાવવામાં આવતી. સાથે સાથે તાપ તે બંદુકોના અવાજો કરવામાં આવતા. આ અગ્નિ વચ્ચે,
*શેરશાહના આ અકસરિયા અટ્રૅકચી ૧૮મી સદી સુધી એક જબરદસ્ત તાકત તરીકે વખણાતા. અને આ જ વેરવિખેર લડવૈયાઓનું સંગઠન સાધી અંગ્રેજોએ સમસ્ત ભારત જીતી લીધું. આ સૈનિકા · મેાજપુરિયા ’ અથવા • પુરબિયા ’ તરીકે પણ ઓળખાય છે.
"
૧૧૮ : પૂર્વ તૈયારી
Page #136
--------------------------------------------------------------------------
________________
તાપબંદૂકના ધડાકાથી લેશ માત્ર ડગ્યા વગર શાંતિથી ખડા રહેનારને યુદ્ધહસ્તીના ખિતાબ મળતા. તે એ પછી ક્રમવાર ખીજાં કામેાની નિમણૂક થતી.
આખી ગુજસેનામાં ‘હવા’ જુદા તરી આવતા. એ સેાનારૂપાની સાંકળેાથી શાલતા, મખમલ તે કિનખાબની અંધેરીથી દીપતેા, મેધાડખર નામની અંબાડી સાથે મેદાનમાં આવતા ત્યારે સવારીને શેાભારૂપ હાથી લાગતા. બધા એને ઐરાવતનું ઉપનામ આપતા, પણ એની પીઠ પર બેઠેલ મહાવતને બલે જ્યારે એને માલિક હેમરાજ ગંડસ્થળ પર આપીને બિરાજમાન થતેા, ว જરાક રણશિંગાના નાદ થતા ત્યારે ‘હવા’ પૂરબહારમાં આવી જતા.
સળગાવેલાં ગાળ ચક્કરા વચ્ચેથી એ શાંતિથી નીકળી જતા. એના બે પગ વચ્ચે થતા ગોળીબારમાં એ લેશ પણ થરથરતા નહીં. ક્ષક્ષ્ણભર માટે એની સૂંઢમાં એ નાગી તલવારા અપાતી, અને એ કાઈ શમશેરબહાદુરના જેવી પટાબાજી બતાવતા માણસેાની ભીડ ચીરીને ચાલ્યેા જતેા. કેટલીક વાર એની ઝડપી પરીક્ષા કરવામાં આવતી. એ ચાર પગે દોડતા તે એના ઉપર સવાર થઈ ને બેઠેલ હેમરાજજી પીઠ પર સરી જઈ, ‘પીછવા’માં પગ ચૂકી, તીરદાજીના અચૂક પ્રયાગા કરતા, ને એ દરમ્યાન હવાની જેમ ‘હવા' સડસડાટ દાથે જતેા. ઉપરથી તીરેાની વર્ષા, મેટા પર્યંત જેવા જાનવરનું સૂંઢમાં તલવાર લઈને દેાડતા જવુ, જાણે સાક્ષાત્ કાળ આવ્યે ! ભલભલા શૂરવીરાના હાથમાંથી હથિયાર સરી જતાં. ઘેાડા ચિત્કાર કરતા પાછા હઠતા. ભલભલાના છક્કા છૂટી જતા.
આખી અશ્ર્વાન–સેના આ ગજ અને આગજઅસવારનું પરાક્રમ જોઈ ખુશ થઈ જતી. સહુને એ ગજ—અસવાર માટે માન પેદા થતું. આ રીતે એક પ્રચંડ ગજસેના તૈયાર થવા લાગી.
પૂર્વ તૈયારી : ૧૧૯
Page #137
--------------------------------------------------------------------------
________________
ગજસેના પછી અશ્વસેનાની પરીક્ષા કરવામાં આવતી. દોડતા અધે તીરથી નિશાન તાકવાની, નદી તરવાની, પટાબાજીમાં સવારના ઈશારાથી હલનચલન કરવાની કવાયત શીખવવામાં આવતી. નવા અશ્વની પસંદગી પણ આ વેળા થતી, ને જેના કાન, કમર, જાલી, ગળું નાનાં હોય; ગરદન, પગના નળા, યાળ ને આંખ લાંબી હોય તેવા ખાસ પસંદ કરાતા. આમાં ખાસ કરીને અરબી, ઇરાકી, મુજસ, તુર્ક, આબુ તથા કચ્છ, કાઠિયાવાડ, કાશ્મીર ને પંજાબના ઘોડા પસંદ થતા.
તોપખાનાની રચના પણ કાળજીપૂર્વક થતી. નાના દશ શેરિયાથી લઈ બાર બાર મણના ગોળા ફેંકી શકાય, તેવી તોપ તૈયાર થતી. એક જ જામગરીથી સત્તર તોપો સાથે ફાડી શકાય તેવી રચના પણ થતી. આ તોપોમાંથી કેટલીક નાની જંજાળો, જે ઊંટ પર રાખીને ફેડવામાં આવતી, તે પિત્તળની બનાવવામાં આવતી. ગાડામાં મૂકીને બળદથી ખેંચાતી તોપ મટી, ભયંકર અને સહેલાઈથી ન ફરી શકે તેવી હતી, માણસ લઈ જઈ શકે તેવી “નરનાલા” તોપ પણ બનતી. બરછી, ભાલા, સાંગ, ગુર્જ, નેધા, જઘનેલ, ગુપ્તી, કમાન, કારહા, કટાર, જબિયા, છૂરી, ગોફણ વગેરે નાનાં મોટાં શસ્ત્રોના વપરાશની પણ કવાયત રાખવામાં આવતી. એ કાળનાં ઘણાં નાનાં મોટાં શસ્ત્રો, સળગતાં તીરોની તીરંદાજી, હાથે ફેંકી શકાય તેવા બેબ વાપરવાની કુનેહ વગેરે પણ શીખવવામાં આવતું. ગોફણધારીના કેવળ છેડા બળથી પથ્થરની અમાપ વષ કેમ થાય તે પણ શિખવાતું. દિનદહાડે ઉજજડ બનતા બેરોજગાર બિહાર પ્રાંતમાં ને ચુનારગઢમાં ઉદ્યમશીલતાનું એક મેજું પ્રસરી રહ્યું. ભૂખે મારી રહેલી નિષ્કર્મયતા જાણે દૂર થતી ચાલી. | કિલાઓ તોડવા માટે સુરંગ ચાંપનારાઓ પણ ખાસ કેળવવામાં આવતા. એ કાળના સુરંગકામમાં સુપ્રસિદ્ધ ડચ લોકોની દેખરેખ ૧૨૦ : પૂર્વ તૈયારી
Page #138
--------------------------------------------------------------------------
________________
નીચે આખું લશ્કર કેળવાતુ હતુ.
આ પછી વ્યૂહરચનાઓના આર ંભ થતેા. ગમે તેવાં કસાયેલાં લશ્કરા સારા સેનાપતિ વગર નાશ પામતાં. સેનાપતિ વ્યૂહનેા અજબ જાણકાર રહેતા. પરિસ્થિતિ પ્રમાણે એ રચના કરતા. શેખાં ને હેમરાજ ઝવેરીએ માગલકુલ-તિલક બાબરની બધી વ્યૂહકળાએ જાણી હતી; એટલે ભારે તાપેાના ઉપયેગ, નાની જંજાળાના ઉપયેાગ, પાયદળ બંદૂકચીએની કાર્યક્ષમતા, ઘેાડેસવારેાની જરૂરિયાતના પ્રસંગે વિષે એ ખુબ સમજતા. ઉપરાંત ખાઈ ખેાદનારા સૈનિકા, ભાગવાને ડાળ કરીને શત્રુ સાઈ જાય તે રીતે દુશ્મનાને ખેંચી જનારા ચાલાક લડવૈયાઓ, તે છેવટે અનામત કુમકી લશ્કરની રચના પણ થતી. આ લશ્કર ચુનંદા યાહ્યાએનુ ખનેલું રહેતું, જે કેટલીક વાર હારના મેદાનતે જીતમાં પલટી દેતું. ઋતુના જાણકાર પણ સાથે રહેતા. જલમા પાર કરવાની વ્યવસ્થા કરનારા પણ કાબેલ ચેાદાએના જેવી તાકાત ધરાવતા, ને કેટલીક વાર જલયુદ્ધ થતું તે તેમાં તે પાછા ન પડતા.
કવાયત કરતાં કે મદદ માટે મેાકલાતાં સૈન્યા આવતાં જતાં, પણ એ મા` અબાધિત તે ભર્યાં રહેતા. આજ સુધી જે જે રસ્તેથી શાહી સૈન્યા પસાર થવાના સમાચાર મળતા, ત્યાં ત્યાંના ગ્રામવાસીઓ કીમતી વસ્તુએ લઈ આવે આધે જંગલમાં જઈ તે ભરાઈ રહેતા. તાડફાડ ને વિનાશનું રૂપ લઈ બેઠેલું સૈન્ય ત્યાં આવતું, વેરાનને વધુ વેરાન બનાવતું` ચાલ્યું જતું. સ્ત્રીના શિયળની, મદિર મસ્જિદના બચાવની, ઘરડાં-મૂઢાંનાં રક્ષણુની કાઈ જવાબદારી નહેતી રહેતી. આ અંગે શેરશાહના સૈન્યમાં અજોડ શિસ્ત રાખવામાં આવી હતી. ખેતરના એક દાણાને પણ નિરક નુકસાન ન પઢાંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું. બલકે જ્યાંથી સૈન્ય પસાર થતું ત્યાં રસ્તા થઈ જતા. નવાણા ગળાઈ જતાં તે મજૂરાને, માદીને, શાક અકાલાવાળાને વદહાડાની રાજ મળી જતી. જુવાન દીકરીએ તે
પૂર્વ તૈયારી : ૧૨૧
Page #139
--------------------------------------------------------------------------
________________
સૂતર કાંતતી ડોશીઓ પણ મોતના મેદાનમાં માથાના ગેડીદડે રમવા નીકળનાર આ બંકાઓને નિહાળવા આવતી, તેમનાં ઓવારણું લેતી ને તેમને આશીર્વાદ આપતી.
શેરખાંનું સૈન્ય ધીરે ધીરે ભાવિ દિવિજ માટે કસાતું જતું હતું. આમ ને આમ દિવસે નહીં, મહિના નહીં, વર્ષો વીતતાં ચાલ્યાં.. હવે તો જામગરી ઝગી ચૂકી હતી, માત્ર ચંપાવાની વાર હતી.
sssssssssss
ല
૧૨૨ ઃ પૂર્વ તૈયારી
Page #140
--------------------------------------------------------------------------
________________
વિજોગણુ १४
જઠ મહિનાની એક સાંજ નમતી હતી. ઊકળેલી પૃથ્વી ઊના નિસાસા નાખતી હતી, ને આવા જ નિસાસા કાઢતી એક પરમ રૂપવતી સ્ત્રી ઊંચા ઊંચા ગોખ પર તકિયાને અઢેલીને પડી હતી. કેઈ કંજૂસનાં રત્નોને દાબડો અચાનક ઊઘડી જાય ને જેમ રત્નોનું તેજ વેરાઈ રહે એમ એ સ્ત્રીનું રૂ૫ એના અસ્તવ્યસ્ત ઓઢણમાંથી વેરાઈ રહ્યું હતું.
અધૂરી રખાયેલી શેતરંજ સામે અધૂરી જ પડી હતી.
સિતારા, હવે શેતરંજ રમવી મને પસંદ નથી. આ શેતરંજે જ મને હૈયાળી આપી. તને ક્યાંથી ખ્યાલ હોય કે એ બિચારે કહેતો કે હું તો અબૂઝ સિપાહી બચ્ચે, મારી શેતરંજમાં ઓરતને વળી સ્થાન કેવું? પણ મેં જબરદસ્તીથી એની શેતરંજમાં રમત શરૂ કરી. રમત રમવાની હુ જ હેશીલી હતી. અજેય એવો મારે ચુનારગઢ, અજોડ એવો મારો ખજાનોઃ મેં જ ભારે સગે હાથે દાવમાં મૂક્યા. મૂકીને હું હારી–મેં
૧૨૩
Page #141
--------------------------------------------------------------------------
________________
એને અણુ કર્યાં.’
મલિકા, એમ ન કહેા. ગઢ અને ખજાનાને ભુલાવે એવાએથીય વધુ કીમતી આપને દેહ આપે ન્યાછાવર કર્યાં. માંદીની ગુસ્તાખી માફ થાય. લાડુ મલિકાના એક માત્ર ચરણ ચૂમવા માટે હજારે શાહબદા તે સિપેઠુસાલારે। આખી જિંગી કુરબાન કરવા તૈયાર હતા. શેરખાં જેવા એક સિપાહી માટે તેા મારી મલિકાનાં દર્શોન જીવતાં જીવ હિસ્તની પરી જેટલાં દુલ ભ હતાં,' સિતારા નામની બાંદીએ મલિકાની મહત્તા દર્શાવતાં કહ્યું.
"
· સિતારા, તું ભૂલ ખાય છે. તારી મલિકા સ્વય' બિસ્મિલ ઘાયલ બની હતી. ધાયલની દુનિયામાં હકીમની જરૂરત છે, ન કે હુક કે ઇન્સાફની ! બીમાર જેટલી વ્યાકુળતાથી વૈદને શેાધે એટલી વ્યાકુળતાથી મેં એને શેાધ્યે. સિતારા, કૅવે। આદમી ! પેલા શાયરે કહ્યું છે કે, - હા ફરિશ્તે ભી ફિદા જિન પર, યહુ વા ઇન્સાન હૈ.'× મલિકાની મેટી મેટી મૃગબાળના જેવી આંખા કઈક ભીની હતી. નિરાધાર મૃગલીની જેમ એ અખા ચકળવકળ થઈ રહી હતી.
મલિકા, ફિસ્તાએ ફિદા થાય એવા એ ઇન્સાન ભલે હાય, પણ મારી લાડુ મલિકા કઈ વાતે કમ છે! ખુદાની અજબ કરામત છે કે, આદૃમી પેાતાનું રૂપ પેાતે પૂરી રીતે જોઈ શકતા નથી, ને હૈયાફૂટ અરીસે। તે શું વધારે કહી શકે? નહિ તેા, જો મલિકા પેાતાનુ’ રૂપ પાતે નીરખી શકતી હોત તેા, દુનિયામાં એ કાઈ તૈય પ્યાર ન કરી શકત!'
.
સિતારા, રૂપને અને પ્યારને કઈ સંબંધ નથી. રૂપથી પ્યાર થતે નથી, દિલથી ચાય છે. બધાં તાકાતનું મૂળ આ બદમાશ દિલ જ છે. પહેલાં દિલને પ્યાર જાગે છે. દિલ દેંડ કરતાં અંદરના રૂપને વધુ
× દેવતાએ પણુ જેના પર મુગ્ધ થઈ જાય એવે એ માનવી છે.
૧૨૪ : વિજોગણ
'
Page #142
--------------------------------------------------------------------------
________________
નીરખે છે. અંદરનુ અદ્ભુત રૂપ નીરખ્યા પછી જ પ્યાર જાગે છે તે પ્યાર જાગ્યા પછી ગમે તેવું કમસૂરત હાય, પણ રૂપાળું જ લાગે છે.’
C
‘ સાચું છે, મારી મલિકા !' સિતારાએ મલિકાની વાતને અનુમેદન આપતાં કહ્યું. · વિ.ના કહે છે કે લયલા રાતના રંગવાળી— શ્યામળી હતી, છતાં મજનૂ એની પાછળ પાગલ બન્યા હતા.’ અને રાધા અને કૃષ્ણનુ જે જોડુ કહેવાય છે, તેમાં પણ સિતારા, કૃષ્ણ કાળા હતા તે રાધા ગેરી ગોરી હતી. સિતારા, તેં તા હિંદુ કિતાએ કર્યાંથી પઢી હોય, પણ મેં તે વાંચી ને સાંભળી છે. બરાબર રાધા જેવું જ મારું નસીબ છે. એ બિચારી ડેાંશે હેશિ કૃષ્ણને વરવા ગઈ. એ વેળા કૃષ્ણે તેા જંગલેામાં ક્રે, બંસી બજાવે તે બધાનાં મન લેાભાવે. રાધાએ કૃષ્ણને ભાગ્યે તે બિચારી મારી માફક ધાયલ થઈ ગઈ. થાડા દિવસે એનચેનના વીત્યા, ને કૃષ્ણ તેા પછી પડ્યો શાહી દાવપેચમાં. બિચારી રાધા જીવનભર રાહ જોતી ખેસી રહી, અને વિયેાગનું દુ: ખ ભૂલવા બિચારી ગાતી રહી ઃ
સાંવરા અજહું ન આયા
વ્રજવનિતા સમ છેડી સાવર, મધુશ્મન જાય અસાયા, દાસી કરી પટરાણી સાંવરે, નાથકા નામ લાયા; કથ કુબજા કે। કહાયા.'
.
કાંચ કુબજાનેા કડાયા એટલે ? શું શેરશાહે બીજી મલિકા શોધી ?”
સિતારા, આ તે પુરાણી વાત પૂછી. મલિકા કંઈ શેરશાહની માશૂકા નથી. એની માશૂકા તેા ખીજી છે, જેને રાધા કુબજા કહે
છે એ?’
:
કુબજા ? કાણી કૂબડી માશૂકા ? માશૂકા, ને વળી કાણીકૂબડી ! કાણુ પસંદ કરે એને!'
વિજોગણ : ૧૨૫
"
Page #143
--------------------------------------------------------------------------
________________
કાકૂબડી જ ! ન એના સંગમાં સુખ ને ન એના નામમાં શાંતિ ! એને ચહેરે જુઓ તો કાળો મેશ! દગાપ્રપંચ તો રોજના ચાલુ! છતાં ઈન્સાન એના પર મરવાના ! ન જાને એ કુબજાએ કેટલીય સુંદરીઓની જિંદગી નષ્ટભ્રષ્ટ કરી હશે.”
એ કુબજાને ન ઓળખી, મલિકા !”
એનું નામ સલ્તનત ! જે એના સંગમાં પડવો, એની સૂધબૂધ ગઈ. પણ શી એની ચાહના ! એના દીવાનાને જેમ એ તરછોડતી જાય એમ સહુ એને વધુ ને વધુ વળગતા જાય. જેને એ મળી, એનું સુખ ગયું, સુધા ગઈ, નીંદ ગઈ, નેકી ગઈ, ન્યામત ગઈ. ખંજરોની દુનિયામાં, વિષપાનની ગલીઓમાં, સાપ-વીંછીની પથારીએમાં એને હરવા-ફરવાનું. જીવતાં સુખ નહીં, ભારત ચેન નહીં ! જેમ કુબજા કૃષ્ણને હરી ગઈ, એવી આ કુબા મારા શેરને મારાથી દૂર દૂર લઈ ગઈ! સિતારા, પાંચ વર્ષમાં તો બહુ મોટી મોટી ઊથલપાથલ થઈ ગઈ છે. કહે છે કે ચુનારગઢ પહેલાંને ચુનાગઢ જ નથી. વારુ? રોશનને આવી પહોંચવાને હવે કેટલી વાર હશે ?”
તૈયારીમાં, સવારમાં ચુનારગઢથી નીકળેલ રથ સાંજે તે અહીં આવી જ પહોંચે! એટલી વારમાં શેતરંજ પૂરી કરી લઈશું?”
શું શેતરંજ પૂરી થશે ? મારા દાવ ફતેહ થશે? મારી કુરબાની મંજૂર થશે ?”
કુરબાની કદી નામંજૂર થતી નથી ! આપના દાવ ફતેહ થશે. શેતરંજ જરૂર પૂરી થશે.'
“ભરોસો નથી. મલિકાએ શેતરંજના દાવ ઘણું ખેલ્યા છે. એને ખાતરી છે, કે રાજકાજની કાળી કુબજાના પંજામાં પડેલા ભાગ્યે જ પાછા ફરે છે. સાંઈ બનેલે પ્રીતમ પાછો આવે, ખવાયેલ, ૧૨૬: વિજોગણ
Page #144
--------------------------------------------------------------------------
________________
ગૂમ થયેલે, અરે, મરી ગયેલા કદાચ પાછા ફરે, પણ આ રાજશેતરંજનો ખેલાડી બનેલો પ્રીતમ કદી પાછા ફરી શકતો નથી. આવી એ નખરાળી કુબજા નારનાં નખરાં છે.'
જરૂર પાછો ફરશે. હું દુઆ કરીશ !”
સિતારા, દુઆ કરજે ને માગજે ! ગગનને દાબતું કાળું વાદળ કદાચ વરસી પડે ! આજે મલિકાના નસીબમાં એ સિવાય કંઈ વિશેષ નથી. વારુ શેતરંજ ચલાવ! ”
મલિકા ને સિતારા ફરીથી શેતરંજમાં મશગૂલ થઈ ગયાં. જેઠનો અકળાયેલ વાયુ આછાદનોમાં ફફડાટા બોલાવતો હતો. પાંજરામાં પુરાયેલા બુલબુલે અને દૂર દૂરના ઉદ્યાનમાં બેઠેલી કોકિલાઓએ કૂજન કરવા માંડ્યું હતું. આછી આછાં વસ્ત્રોમાં સજજ થયેલી સૌંદર્યલતા જેવી મલિકા એકાએક ઉશ્કેરાઈ ગઈ. એણે શેતરંજ દૂર ફગાવી દીધી.
અરેરે, તમારી જીતની બાજી હાથે કરીને તમે બગાડી ! ” સિતારા બોલી.
ભલે બગડી ! મારે તને જીતવી નથી, ઓરત ઓરતને જીતે એમાં શી મજા, શું લુફ! સાકરની સુંદરીને પતાસાંની પદ્મિની મળે એમાં શી મજા !”
સિતારા જોઈ રહી હતી, કે મલિકાને અંતરનું જોશ બેચેન બનાવી રહ્યું હતું. અને બેચેન કેમ ન બનાવે ? અરે, એક મામૂલી સિપાહી જેવા પુરુષને પામવા એણે કેટલે મહામૂલે ભોગ આપે હતો ! ચુનારગઢની અખૂટ સમૃદ્ધિ ને સુવર્ણ માટે લોકો દંતકથા કહેતાં. અને એથીય વધુ દંતકથા તો ખુદ એના રૂપ માટે હતી. રૈયત, જમીનદારો ને ખુદ ચુનારગઢની એ માનવંતી નારી હતી. મલિકાને મરહૂમ પતિ તાજખાન પણ, મલિકાને એની શેષોના
વિજોગણ : ૧૨૭
Page #145
--------------------------------------------------------------------------
________________
કાવતરામાંથી બચાવવા જતાં, પાતે જ કતલ થયેા હતા. ગઢના જમીનદારાએ તાજખાનની પાછળ હેાશિયાર ને કામેલ લાડુ મલિકાને વહીવટકર્તા બનાવી. જનાનખાનાની આરત મટી એ રાજની માલિકા બની. અને લાડુ મલિકા, એક દહાડે ભૂલી ગઈ કે એ મામૂલી આરત નહેાતી. એક દહાડા એનાથી ભૂલ થઈ ગઈ. એક અહ્વાન સિપાહીને રાતવાસે રેાકયો.
શું મસ્ત સિપાહી ! એવા પુરુષ પામવે જાણે સ્ત્રીજીવનનેા સ લહાવ પામવા જેવુ' એને લાગ્યું; તે એને ચરણે એણે સર્વસ્વ ન્યાછાવર કર્યું. ચુનારગઢ એની શાદી પછી ખૂબ શાન પામ્યા; પણ અચાનક હુમાયુના ગુલામ કિલાતે દગાથી સહુને છેતર્યાં. પરાજય થયા. પરિણામે મલિકાને ચુનારગઢથી વિદાય લેવી પડી. રસાયણ જેવાં તેને ભેગાં રાખવામાં કાઈ એ સલામતી ન ભાળી. પેાતાના પ્યારા શેરથી એ જુદી પડી અને આજે એ વાત પર પાંચ પાંચ ને સાત સાત વિયેાગનાં કાતિલ વર્ષો વીતી ગયાં. વાયદા તે કાલ તેા ધણા આવ્યા, પણ સાથો આવ્યા તે ન આવ્યે રાહ જોઈ જોઈ ને હવે મલિકા બેલી બની હતી.
સિતારા,’ ' મક્ષિકા પાછી ભાવાવેશમાં ખેલવા લાગી, ‘ આ હીરદારી જેવા વાળ તે ઘણી વાર ગૂંથ્યા છે, પણ એક જ વાર કેશપાશ પર હાથ ફેરવી જેટલી મા એણે આપી, તેટલી તારાથી નથી આવી આ રૂપેરી ગરદન આસપાસ તે' ઘણીવાર આભૂષણ પહેરાવવા હાથ નાખ્યા હશે, પણ એના હાથ એક વાર ફરતા તે જાણે દિલ કતલ થવા તૈયાર થઈ જતું. તે મારા શરીરને જ્યારે જ્યારે સ્પ કર્યાં છે ત્યારે ત્યારે મને કંટાળેા ચડયો છે, પણ એને ક્ષણભરને સ્પર્શી મને જીવતા જીવે જન્નતમાં ખેંચી ગયેા છે. એક એરત ને સામે બીજી આરત : અને નકામાં ! એક આરત તે એક મ બન્ને સવા લાખનાં !'
૧૨૮ : વિજોગણ
.
Page #146
--------------------------------------------------------------------------
________________
બા, રોશન આવી.”
રોશન આવી? સિતારા, મારા ઘરમાં, મારા દિલમાં શું રોશની આવી?”
આકાશમાં અંધકાર ઊભરાતો જતો હતો. પૃથ્વીપટ પર બચેલા થોડા ઘણું પ્રકાશને રાત્રિને દેવ લૂછતો જતો હતો. એની પિતાની કાળી માટી પર સફેદ ડાઘ સહ્ય નહોતા.
રોશન, આમ આવ !'
ઊંચી ઊંચી, ગોરી ગોરી, મદભર નયનાંવાળી રોશન ચુનારગઢની મક્ષિકાની પાસે આવી કુરનિસ બજાવી રહી. એણે ઊંચો બાંધેલે અંડે જાણે કામદેવના શરટંકારની તૈયારી દર્શાવતો હતો. ચુનારગઢના કુશળ જાસૂસમાંની રોશન હતી. ઈરાની માતાના પેટે મીરાં* કોમમાં એ જન્મી હતી. ઈરાની માતાનું કવિત્વ ને મીરાં કામની કુનેહ એને વરી હતી. જૂના માલિકના જમાનામાં રોશનની બોલબાલા હતી.
“રોશન, કહે મારા શિરતાજ કુશળ તો છે ને ?”
હા” રોશને ટૂંકમાં જવાબ વાળ્યો, પણ તે તરફ મલિકાનું લક્ષ નહેતું.
“ત્યારે હવે તારી વાત ચલાવ. પણ જે, તું બહુ લકી છે. આડીઅવળી વાતોમાં કલાકો કાઢી નાખે છે. હું જે કહું, તે પછીની વાત કહે. રૂમખાંને ઝેર અપાયું તે હું જાણું છું. હુમાયુ બાદશાહની છત્રછાયા નીચે ચુનારગઢની વ્યવસ્થા મારા શેરને સોંપાણી તે યાદ છે. એણે ફરીથી સન્યની રચના આદરી તેની ખબર છે. કાળા નાગને નાથનાર મુરલીધરની જેમ એ ભયંકર અફઘાનેને અધિદેવ બન્યો છે, એ પણ સાંભળ્યું છે. પેલા દિલ્હીના ઝવેરીએ ગજ સેના
* આ કેમ એ વેળા જાસૂસી માટે પ્રસિદ્ધ હતી.
વિજોગણ : ૧
Page #147
--------------------------------------------------------------------------
________________
કેળવી છે, એ પણ જાણ્યું છે. બકસરિયા બંદૂકચીઓની ફોજ પણ જમા કરી છે, એ પણ ખબર પડી. પ્રચંડ ગજસેના, ભયંકર તીરંદાજે, કુશળ તોપચીઓ ને બીજું ઘણું જાણ્યું છે. છેલ્લે છેલ્લે એણે બિહારના ધણ લહાનીને હરાવ્યા એ પણ ખબર છે.”
હરાવ્ય એટલું જ ન કહો, મલિકા! વારી જાઉં એ તમારા શેર પર! આ નાચીજ બાંદીની ગુસ્તાખી માફ. હિકમત કેવી કરી એ જાણી ? બંગાળના સુલતાન મહમૂદ અને હાજીપુરના સૂબા વચ્ચે કંઈ અણબનાવ હતો. શેરશાહે હાજીપુરના સૂબાને મદદ આપી, ને આગ ભડકાવી. સુલતાનનું સૈન્ય હાર્યું. આ પછી બિહારને બચેલે નામમાત્રને રાજા લેવાની બંગાળના સુલતાન પાસે મદદ યાચવા દેડવો. એણે કહ્યું, બિહારના તમામ જમીનદારોને શેરખાંએ ભીખ માગતા કર્યા છે, ને બે બદામના ખેડૂતોને માથે ચડાવ્યા છે. પ્રજા માટે ભલે એ રામરાજ્ય હોય, અમારા માટે તો રાવણરાજ્ય છે, માટે મદદ કરે !'
“મહમદશાહ બંગાળીએ લેહાનીને મદદ આપી. ચઢાઈ શરૂ થઈ. બંને સન્ય સામસામાં ભેટયાં. કિલ નદીના કિનારે સૂરજગઢ પર, હાથી મચ્છરને રોળી નાખે એમ બંગાળી સૈન્યનાં ને બિહારના રાવણનાં માથાં કાપી નાખ્યાં. પણ મલિકા, વાહ રે શેર ! એણે વિજય પછી મરિજદોમાં બાદશાહ હુમાયુના નામના ખુબ પઢાવ્યા ને જયજયકાર પણ એના નામને વર્તાવ્યો.”
રેશન, તું લશ્કરમાં ખૂબ હળભળી ગઈ લાગે છે, નહિ તો આવા સમાચાર ક્યાંથી લાવી શકે ? તારું રૂપ ને તારી મસ્તી તો જે. અલી, તને કેઈને જરાય ડર ન લાગ્યો !” મલિકા પિતાના 4 યારા શેરનાં વખાણ સાંભળી હર્ષોન્મત્ત બની હતી.
ડર! અરે, શેરશાહના રાજ્યમાં ડર કેવો? સૈન્યનો તો સાગર હિલેળા મારે છે. રાક્ષસ જેવા, દેખીએ તે ડરી જઈએ એવા, ૧૪ : વિજોગણ
Page #148
--------------------------------------------------------------------------
________________
કાળા ભૂત જેવા, રાતે મળે તો ફાટી પડીએ એવા વિકરાળ સિપાહીઓ ભેળા થયા છે, પણ કેની મજાલ છે કે કોઈ મા–બેટી સામે નજર ઉઠાવીને નીરખેકઈ આંધળી ડોશી માથે સવા શેર સોનું લઈને જાય તોય લૂંટાવાને ભો નહીં! ને કઈ સોળ વર્ષની નખરાળી નાર ચાલી જાય, તોય ઈજાને અવકાશ નહીં. પણ મલિકા, મારી વાત લાંબી છે, વળી હું બહુ બેલકી છું ને!” રોશને બોલકી શબ્દ પર ભાર દેતાં ચાળો કર્યો.
હા, હા. બોલકી, સાત વાર બોલકી !” ને મલિકાએ રોશનને હાથ પકડીને પાસે ખેંચી, ને એના ગોળમટોળ ગાલ બે હાથમાં પકડીને ચાળીને લાલઘૂમ કરી નાખ્યા. મલિકાના જીવનમાં જાણે નવો પ્રાણ પુરાતો હતો,
ઓ જહાંપનાહ, નાચીજ બાંદીના ગાલ ઊખડી પડશે, ખુશીના સમાચારનું આ ખૂબ સારું ઈનામ આપ્યું. હાં, મલિકા, સાંભળો ત્યારે મારી વાત! શેરની બોડમાં હાથ નાખી કોઈ સલામત પાછો ફર્યો છે? બંગાળના સુલતાને શેરની બોડમાં હાથ નાખે, એટલે વેર લેવા તમારા શેરે જોતજોતામાં બંગાળના પાટનગર ગૌડ પર ચઢાઈ કરી દીધી. બિચારો બંગાળી ! અફઘાનોને પ્રચંડ તાપ ન જીરવી શક્યો. એણે તેર લાખ અશરફ આપીને શેરને મનાવી પાછો વા !”
શાબાશ, મારા શેર!' મલિકાના નિરાશાથી વૃદ્ધ બનતા જતા દિલમાં જવાનીના અંકુર ફૂટવા લાગ્યા. “પણ ભલા, શું શેર હજીય બીજાના નામની જયજયકાર બોલાવે છે?”
મલિકા, હજી તો મારી કહાણુની શરૂઆત છે. તમે એને છેડે પહેલેથી જાણશે તો રસ મા જશે. વાત કહેતી આવું છું. ગુજરાતના સુલતાન બહાદુરશાહને તે જાણે છે. શેરશાહના મિત્ર પેલા દિલ્હીના ઝવેરી પાસે એના બધા સમાચાર આવે છે. બડે બુલંદેહિંમત છે. મેવાડમાં એ મોટો થયો છે. જૈન શ્રેષ્ઠીઓના બળે
વિજોગણ હું ૧૩૧
Page #149
--------------------------------------------------------------------------
________________
એ આગળ આવ્યો છે. મલિકા, શેરે જ્યારે ચુનારગઢની ગાદી સંભાળી ત્યારે તે જ વર્ષમાં એણે માળવા લીધું. માળવા લઈને ખાનદેશના સુલતાનને નમાવ્યો; ત્યાં તો મેવાડી વીરાએ જ એને તેડવો. બહાદુરશાહે ચિતોડ પર સવારી કરી. દંતકથા છે, કે ચિતોડની રાજમાતાએ શહેનશાહ હુમાયુને રાખડી મોકલી મદદે બોલાવ્યો. હુમાયુ તૈયાર થયો ત્યાં તો બહાદુરશાહે લખી મોકલ્યું, કે કાફિરોની સાથે લડવામાં આપે મને હેરાન કરવો ન જોઈએ. બહાદુરશાહે ચિતોડ જીત્યું ને એ આગળ વધ્યો. થોડીવારમાં હુમાયુને ખબર પડી ગઈ કે કાફરોના નામનું તે બહાનું હતું. રાજનીતિમાં ભાઈ ભાઈ નહીં ને બાપ બાપ નહિ, તો વળી કોણ કાફર ને કોણ મુસલમાન ! વધારામાં એને ખબર પડી કે અફઘાનેએ એને જોનપુરનો સુલતાન બનાવવાનું વચન આપ્યું છે. હુમાયુના ગુસ્સાનો પાર ન રહ્યો” રોશન થોડીવાર થોભી.
બિચારો તિષી! રોશન, એના જોશમાં પહેલાં એ વાત નહીં આવી હોય!” મલિકા ખડખડ હસી પડી.
“ મલિકા હસવા જેવો એ આદમી નથી. વીરતાને તો અવતાર છે. દયાનો તો દરિયે છે. કૂડ-કપટ તો જાણતો જ નથી. ભલા રાજાનો અછો નમૂન છે. બાકી એ વાત ખરી કે ભલાઈને અને રાજનીતિને કોઈ સંબંધ નથી. એ તો બહાદુરશાહની ચાલ હતી. હુમાયુ ગુજરાત તરફ ઊતર્યો કે આ તરફ શેરે પિતાનો પંજો ઉગામે.
પહેલી તરાપ બંગાળના પેલા મહમદશાહ પર. એના પૈસાથી ઊભું કરેલું લશ્કર એને માટે કામ આવ્યું. બિચારા બંગાળીએ ગવાના પોર્ટુગીઝ૪ ગવર્નર પાસે મદદ માગી, પણ એ મદદ અડધે રસ્તે રહી ને બિચારા મહમદ બંગાળીને અગિયારા ગણવા પડયા.” રાશન ખડખડાટ હસી પડી. એની ખૂલતી કળી જેવા મોટા મોલ
* પોર્ટુગીઝ લોક સહુ પ્રથમ ૧૫૩૩માં ચટગાંવમાં ઊતર્યા હતા.. ૧૩૨ ઃ વિજોગણ
Page #150
--------------------------------------------------------------------------
________________
હેઠ મરકી રહ્યા હતા. કમળનાળ જેવી નાકની દાંડી પર આવેલ પસીને લૂછતાં એણે આગળ ચલાવ્યું.
મલિકા, બસ, વખત આવી પહોંચ્યો કે સિંહે ઓઢેલું ઘેટાનું ચામડું ફગાવી દીધું. બંગાળ અને બિહારમાં શેરશાહના નામના ખુબા પઢાયા. મજિદોમાં રોશની થઈ. મંદિરમાં ઘંટા બજ્યા, ફકીર–બાવાઓને અન્ન અપાયું.”
પણ હુમાયુ શું ગુજરાતમાં ગૂમ થઈ ગયો ?”
ના, ક્યાં બાદશાહ હુમાયુ ને ક્યાં બહાદુરશાહ ગુજરાતી ! એને બિચારાને કોઈ ચાલબાજોએ ફલાવ્યો હતો. એ તો મંદસોરના મેદાનમાં નાસી છૂટયો. હુમાયુ આગળ વધે, એણે ગુજરાત લીધું. પાવાગઢને મજબૂત કિલ્લો લીધો, ને ત્યાં છુપાયેલે સુલતાનનો મોટો ખજાનો આ વિચક્ષણ બાદશાહે એક જબરી કરામતથી હાથ કર્યો. થોડે વધુ વખત એ ગુજરાતમાં રહ્યો હેત તે ઘણું નુકસાન થાત, પણ ત્યાં તો તેના ભાઈ કામરાનના બંડના અને શેરશાહના બળવાના સમાચાર પહોંચ્યા. એ તાબડતોબ પાછો ફર્યો. મલિકા, એ પાછો ફર્યો ને બહાદુરશાહ ગુજરાતીએ ધીરે ધીરે પાછું હતું તેવું ને તેવું કરી લીધું.”
મારા શેરનું શું થયું, રેશન?”
સો ચૂહા મારી બિલ્લીબાઈ પાટે બેઠા. શેરને ખ્યાલ હતો કે કામરાન અને હુમાયુ વચ્ચે આગ સળગશે, પણ અજબ રીતે એ ભાઈ સમજી ગયા. હુમાયુએ ચુનાર તરફ કૂચ કરી. મલિકા, તમારો શેર આ વખતે ગૌડનગરમાં હતો. એ તરત ચુનારગઢ પાછો આવ્યા ને હુમાયુને રેકી બેઠે. હુમાયુ પૂરી તાકાતથી આવ્યો હતો. પણ વાહ રે મારા શેર! એણે કમાલ કરી. ઝાડખંડને તે તમે જાણો છો ? માને ખાળો ને ઝાડખંડની ભૂમિ સરખી! આના પાસે રેહતા નામનો વિકટ પહાડી ગઢ છે. મલિકા, આપણું
વિજોગણ ઃ ૧૩૩
Page #151
--------------------------------------------------------------------------
________________
ચુનારગઢથી પણ મજબૂત. શેરશાહે રોહતાસના રાજા પાસે પોતાને આશ્રય આપવા કહેણ મોકલ્યું. બિર–છોકરાંને સાચવવા આજીજી કરી. રોહતાસનો રાજા રહ્યો મૂર્ખ ! એણે હા કહી, પણ એના ગઢમાં જે પાલખીઓ પ્રવેશી એ કંઈ અફઘાન ઓરતોની નહતી, એમાં તો મૂછાળા મર્દ હતા. તેઓ અંદર પ્રવેશતાંની સાથે બહાર કૂદી આવ્યા. તલવારની તાળી બજી રહી. રોહતાસને હિંદુ રાજા બહાદુરીથી ભરાય. શેરે રેહતાસ સર કર્યો. બધી સંપત્તિ ત્યાં લાવીને ચુનારગઢ ખાલી કરી દીધે.
“ખરી સંતાકૂકડી હવે શરૂ થઈ હુમાયુ ચુનારગઢમાં છે કે, એટલે શેર ગૌડ ચાલ્યો ગયો. હુમાયુ ગૌડ જીતવા આગળ વધે એટલે શેર જંગલને રસ્તે રોહતાસ ચાલ્યો ગયો. થાકેલા હુમાયુએ ગૌડ સહેલાઈથી જીતી લીધું ને ત્યાં આરામ કરવા રોકાયો. તમારા શેરે ગૌડનગરની ને બંગાળની ઘણી લક્ષ્મી લૂંટી હતી, પણ સૌંદર્યની અને એશઆરામની બધી સામગ્રી ત્યાં મૂકતો આવ્યો હતો. શોખીન મોગલ બાદશાહને એ ભાવી ગયું. સુજલા, સુફલા, શસ્યશ્યામલા બંગાળની પૃથ્વી પર એ સ્વર્ગની લહેજત લૂંટી રહ્યો.”
“ત્યારે મારો શેર શું કરી રહ્યો છે ?'
તમારા શેરને આરામની ચાહના જ ક્યાં છે? એ તો બેઠે બેઠે બધે દોરીસંચાર કરી રહ્યો છે. કોને ક્યાં મૂકો, કોને ક્યાં જવા દે એની યોજના કરી રહ્યો છે. મેં સાંભળ્યું છે, કે એ પાછો ચુનાર આવે છે. એને સેનાપતિ ખવાસખાન કર્મનાશા નદીનાં નીર ને બસરનાં મેદાનોમાં સાફસૂફ્ટ કરી રહ્યો છે. હુમાયુએ મહામહેનતે સમજાવીને સાથે લીધેલ હિંદાલ છટકીને આગ્રા આવ્યો છે, ને પાછું પોતાનું પિત પ્રકાશવા માંડયું છે. અમનચમનના મહેલમાં એશઆરામ કરતો મોગલ બાદશાહ તમારા શેર સાથે સુલેહના સંદેશા ચલાવી રહ્યો છે.” ૧૩૪ : વિજોગણ
Page #152
--------------------------------------------------------------------------
________________
સુલેહના સંદેશા ? રોશન, ત્યારે તે લડાઈ પતી જશે ? મારે શેર મને મળશે ?'
નામુમકિન-અસંભવ, મલિકા. મારું જ્ઞાન કહે છે કે આ વખતે શેરશાહ સંધિ ન કરે. એ કંઈ કાચા ગુરુના ચેલા છે ?”
“મારો શેર તલવાર ખેંચી જાણે, બાકી દાવપેચ રમી ન જાણે. એ ભોળા સિપાહી છે. ચુનારગઢની કહાણું તો તું જાણે છે !'
એ વેળા રાજકાજની નિશાળે બેઠ હજી થોડા દહાડા વીત્યા હતા. આજે તો એ રાજનીતિનિપુણ બન્યા છે. એમને ગુરુનો મંત્ર છે કે ઓછા સંહારે, છળકપટથી જે મોટી લડાઈ જીતે તે ખરો. લડવૈયે.”
એ ગુરુ કેણ?”
કોઈ ઝવેરી છે. શેરને લંગોટિ દેસ્ત છે! મલિકા, જેમ કાળા પ્રચંડ સાપ સાથે કુરતી ખેલતો બહાદુર નેળિયા વારેઘડીએ દરમાં જઈ જડીબુટ્ટી સંથી આવે છે, એમ તમારા શેરનું પણ છે. કંઈ મુશ્કેલી ઊભી થઈ કે તરત બને મળે છે, કલાકે વાતચીત ચલાવે છે ને છૂટા પડે છે. બિલાડીના જેવા એના પંજા છે. આ છે જ્યારે, જાય છે જ્યારે, કઈ જાણતું નથી. થોડાક સિવાય, ઘણુએ એને જોયો નથી. એના નામને જ જાદુ છે. અફઘાન સૈનિકો શેરની પછી આ પુરુષની જ પ્રશાંસા કરે છે.'
જા એ પુરુષ! એનું નામ હેમરાજ. ગમે તેવો એ સારો હોય, પણ મને એનું નામ નથી ગમતું. એણે જ મારા શેરને આ રાજનીતિમાં ઊંડે ઉતાર્યો. એણે જ કહ્યું હતું, કે “ખૂબસૂરત મલિકા ભલે શેરની માશૂકા હોય, પણ ખરી માશકા તો સલ્તનત છે.” મારી ભાસે એનું નામ લઈશ મા! હા, પછી સુલેહનું શું થયું ?”
વિજોગણ = ૧૩૫
WWW.jainelibrary.org
Page #153
--------------------------------------------------------------------------
________________
સુલેહ ને સંધિ કેવી! એ તો રાજનીતિની ચાલ. ભરપૂર લડાઈની તૈયારીઓ ચાલી રહી છે. સેનાપતિ ખવાસખાન ગૌડનગરથી આવતી રાજમહાલની ખીણ રોકી બેઠા છે. આદિલ ખાન ને જલાલખાન* કર્મનાશા પર મોરચા બાંધી રહ્યા છે. શેર પોતાના ચુનંદા સૈન્ય સાથે ઊપડવાની તૈયારીમાં છે.”
રેશન પિતાની વાત કરતાં થોભી. તે મારા શેરનાં દર્શન કર્યા?”
મલિકા, સ્વર્ગના દેવનાં દર્શન કરવાં ને તમારા શેરનાં દર્શન કરવાં સરખાં છે. હવે તો જ્યારે દિલ્હીને શાહ બનીને એ અમારી મલિકા પાસે આવશે, ત્યારે વાત છે! એની પ્રાણપ્રિયતમાને જ ક્યાંક છુપાવી દઈશું. ભલેને ખોળાખળ કરે. આખરે થાકીને અમને પૂછશે, કળ્યાં છે મારી પ્યારી મલિકા! અમે બેજબાન બની જઈશું. પછી કેવી મજ, કેવી લહેર આવશે !”
ઘેલી રોશનઆરાની વાત ઉપર વર્ષોની વિગી મલિકા હસી પડી. આકાશમાં વાદળો હસી પડ્યાં. થોડીવારમાં મુશળધાર વર્ષ મલિકાના મુક્ત હાસ્યની જેમ રેલી રહી.
- શેરશાહના પુત્ર. ૧૩૬: વિજોગણ
Page #154
--------------------------------------------------------------------------
________________
મેાગલાના કાળ ૧૫
નાશા ગંગા નદીનાં પૂર વીંધીને કિનારે આવેલા ધેાડેસવારે જ્યારે ફરી વાર અલ્લાહનું પાક નામ લીધુ, ત્યારે પૂર્વમાં ઉષાસુ દરી ભૂમિને ચુંબતી
ઊભી હતી.
આખી રાત આકાશ ગડગડતું રહ્યું હતું તે વાદળા વરસતાં રહ્યાં હતાં. આ જવાંમર્દ મેગલ અસવાર પાસે શાહી સ ંદેશ હતા. તે તે જલદી પહેોંચાડવા એણે જાનનું જોખમ ખેડી, દરિયા જેવી બનેલી કનાશા નદીને આળગી હતી.
જરની નમાજના વખત હતા. ભી જાયેલાં વસ્ત્રો બદલી, એણે પશ્ચિમ ભણી માં કરી શાન્તિથી ધર્મક્રિયા પતાવી. ઊઠીને પાસે ઊભેલા અશ્વને થાખવો અને આગળ વધ્યેા. એ થાડે દૂર ગયા હશે કે કેટલાક અસવારેા અને વીટળાઈ વળ્યા. આવનાર અસવારે પેાતાની પાસે રહેલા શાહી રુક્કો ખતાબ્યા, તે શેરશાહને મળવાની તાકીદ દર્શાવી.
શાહી કાસદનું સન્માન થાય, તે નિયમ મુજબ
૧૩૭
Page #155
--------------------------------------------------------------------------
________________
સહુએ એને છૂટ મૂક્યો, કેવળ એની પાસે રહેલાં શસ્ત્રો માગી. લીધાં, જે નિયમ મુજબ પાછા ફરતી વેળા પાછાં સેપિવાનાં હતાં. અસવારોની ટોળી થોડે દૂર પહેચી કે તંબૂઓ ને રાવટીઓની બનેલી નગરી તેમની નજરે પડી. નાની મોટી અનેક ધજાઓ હવામાં ફરફરતી હતી, ને તંબૂની કનાતો ભેદીને ઊંચે ઊંચે ચઢતો ધુમાડે નજરે પડતે હતો.
શાહી કાસદને સીધે રસ્તે લઈ જવાનો હતો. મોટા નોબતખાનાના તંબૂને વીંધીને તેઓ શાહી તંબૂ પાસે પહોંચ્યા, ત્યારે ખબર, મળ્યા કે શેરશાહ બીજા તંબૂમાં છે. મેગલ કાસદને તાકીદનું કામ હતું, તેથી તેને ત્યાં લઈ જવામાં આવ્યો.
એ તંબૂ એક નાને તંબૂ હતો, તેમાં કેટલાક સિપાહીઓ પાવડે લઈને સુરંગો મૂકવા માટે જમીન ખોદી રહ્યા હતા. બધાના હાથમાં પાવડા હતા. સહુ સાદા પોશાકમાં હતા. ન કંઈ ભપકો કે ન કંઈ ઠાઠ ! મોગલ કાસદની આંખો આ બધામાં પેલા વીરનરને શોધી રહી હતી. એણે ઘણી ઘણી વાતો એને વિષે સાંભળી હતી. કેઈએને બહાદુર કહેતું, કોઈ એને શેતાન વર્ણવતું.
કાસદને અંદર આવતો જોઈ સિપાહીઓએ પોતાનું કામ રોકી દીધું. એક મજબૂત, ઊંચે, તગડો સિપાહી આગળ આવ્યો.
ક્યાંથી આવે છે? ક્યાં છે રુક્કો ?”
બાદશાહ હુમાયુને કાસદ છું, ને શમશેરપંગ શેરશાહને રુક્કો આપવાનો છે.”
લાવે રક્કો.” પેલા સિપાહીએ ત્યાં જ જમીન પર બેસતાં કહ્યું. એનું મોટું માથું ને ભરાવદાર બાંધેલી દાઢી નજરમાં ખંતી જાય તેવાં હતાં. એનું નાયુબદ્ધ લાલઘૂમ શરીર કઈ પહેલવાનને શરમાવે તેવું હતુ.
૧૩૮ : મોગલેનો કાળ
Page #156
--------------------------------------------------------------------------
________________
માલિક સિવાય બીજાને આપવાનો હુકમ નથી.”
“મીરઝા સાહેબ, આપના બાદશાહે જેના પર કૃપા વરસાવી છે, તે નાચીજ સેવક હું પોતે છું.” સિપાહી કે જે શેરશાહ પોતે હતો, એ ખડખડાટ હસી પડશો
“આપ પોતે !” મોગલ કાસદ છોભીલે પડી ગયે. જેનું નામ આજે ચારે તરફ પ્રખ્યાત થઈ રહ્યું છે, એ ભયંકર બળવાખેર અફઘાન સરદાર આ પિતે જ? શું સિપાહીઓની જેમ પાવડે લઈને એ પણ કામ કરે ? એ ક્ષણવાર ભભૂકતી રોશની જેવી એની બે આંખ સામે જોયું ને તરત રૂ ધરી દીધો.
મીરઝા સાહેબ! થાક્યા ન હ તો થોડીવાર અહીં જ બેસે, કામનો નિકાલ થઈ જાય.” શેરશાહે રુકકો વાંચતાં વાંચતાં કહ્યું. સિપાહીઓ બહાર નીકળી ગયા. કાસદ ત્યાં બાજુમાં જમીન પર બેસી ગયો. એ તો બીજું બધું ભૂલી આ મસ્ત સિપાહીને નીરખી રહ્યો હતો. ચહેરા પર અજબ વ્યક્તિત્વ દીપી રહ્યું હતું. મોગલ કાસદે બાદશાહ બાબરને જોયો હતો. એને લાગ્યું કે આ બળવાખેર એના જેવું જ છે.
રક્કો વાંચીને શેરશાહે જવાબ આપતાં કહ્યું : “મીરઝા સાહેબ, આપના બાદશાહને કહેજો કે શેરશાહ હમેશાં સુલેહ માટે તૈયાર છે.”
પણ શહેનશાહને ભરોસો પડતો નથી, એનું શું ?'
“શહેનશાહને કહેજો કે બાળકે મોટાં થાય ત્યારે માબાપ તેને વહીવટ સોંપી દે, એમાં જ માબાપની શોભા છે.'
“માબાપની ફરજ માબાપ સમજશે. પહેલાં બાળકોએ વફાદારીના પાઠ પઢવા રહ્યા. આપ જાણો છો કે શહેનશાહ પાસે બાદશાહ બાબરનું કસાયેલું અજેય લશ્કર છે. આપ સુલેહનું ખત લખી આપો એમાં જ શહેનશાહ આપની સલામતી માને છે.”
મેગલેને કાળ : ૧૩૯
Page #157
--------------------------------------------------------------------------
________________
સુલેહનું ખત કે ગુલાúનુ` ખત ? મીરઝા સાહેબ, આવા ખત લખવાની શેરશાહે કદી ઉતાવળ કરી નથી. મને ખબર છે, કે હિંદાલે આગ્રામાં તેાાન મચાવ્યું છે. બંગાળનું ચે!મારું મેગલ લશ્કરને ખરાબર માર્ક આવ્યું નથી. બાદશાહ આગળ વધવા માગે છે, પણ એણે અમારા જેવા સેવકાને પણ કંઈ ખુશ કરવા ધટે ને !' સેવક કેણુ ? સેવક બનેલા આપે અયેાધ્યા સુધી પ્રાંત કબજે કર્યાં છે, એ શહેનશાહ જાણે છે. સુલેહના કાનૂનને તિલાંજલિ આપી રાહતાસ ગઢમાં દાગાળેા ને લશ્કર ભરવામાં આવ્યું છે એ પણ એ જાણે છે. હવે શહેનશાહ ઇચ્છે છે કે નવી નવી ગલતીએ ન થાય તે! સારું, તે થયેલી ગલતીએ માટે જલદી માફી માગેા એમાં જ તમારી ભલાઈ છે.’
'
"
‘ કુશળ કાસદ, સાંજે મારે રૂક્કો મળી જશે. એમાં મારા આખરી નિર્ણય હશે. એ પછી શહેનશાહને જે નિર્ણય કરવા ઘટે તે કરે.’
શાહી કાસદ ન સમજી શકયો કે આ તેા બળવાનું ખુલ્લું આવાહન છે કે વાદારીનું પ્રદર્શન !
‘અને મીરઝા સાહેબ, આપ અમારા મહેમાન છે. સિપાહી ! ’ શેરશાહે બહાર ઊભેલા સિપાહીઓમાંથી એકને માલાન્ગેા. સિપાહી હાજર થઈ કુરનિસ બજાવી ઊભો રહ્યો.
દ
જુઓ, મીરઝા સાહેબ આપણા મહેમાન છે. ખૂબ ખાતરઅરદાસ્ત કા.’
કાસદ ખેલનારની છટા, વારે વારે શબ્દો સાથે થતી ભાવભગી જોઈ સુગ્ધ થયા હતા. કેવી અદમભરી વાતચીત. કાસદને એક સુંદર મજબૂત તંબૂમાં લઈ જવામાં આવ્યે. ખૂબ ખૂબ મહેમાનગતી કરવામાં આવી.
૧૪૦ : માગલાના કાળ
Page #158
--------------------------------------------------------------------------
________________
સાંજ પટ્ટુ પડુ થતી હતી. કાસદને તુક્કો મળી ગયેા. એણે વિદાય થવું જ જોઈ એ. એ ચારે તરફ નજર ફેરવતા વિદાય થયે।. સહુ પેતપેાતાના કામમાં મશગૂલ હતા. આટલુ મેટું લશ્કર, આટલા હાથીઘેાડા, તાય કેટલી શાંતિ ! કાસદ રવાના થયા. પણ એણે ભાગ્યે જ ગંગા નદી એળંગી હશે, કે આખા દિવસ શાંત લાગતી શેરશાહની છાવણી એકદમ પ્રવૃત્તિમય બની ગઈ.
કંઇ નવાજૂની અવશ્ય થવાની હતી, પણ જેમ ભીતર ભીતર સળગતી આગની આભા વધુ લાગે તે વાતાવરણ ભયભરી રીતે શાંત લાગે તેમ દેખાતું હતું. ચોકીદારાનાં તાપણું નિત્ય નિયમ મુજબ સળગતાં હતાં, તેમાં કંઈ નવીનતા નહેાતી; પણ કેટલીક મશાલાને પ્રકાશ ઝબકી ઝબકીને બુઝાઈ જતેા હતેા.
રાત યુવાન બનતી ચાલી. મધરાતને શાળા પવન સુસવાટા કરવા લાગ્યા. આકાશમાં વાદળાના ગંજ ખડકાયેલા હતા. છાવણીની આજુબાજુના પ્રદેશ નિર્જન હતા.
એ નિર્જનતામાં જાણે કંઈક શાંત પ્રવૃત્તિ થતી જણાઈ. ભૂતપ્રેતનાં વૃંદ વગડામાં ફરવા નીકળ્યાં હોય તેમ નિઃશબ્દ, નીરવ તે નાજુક રીતે માનવીઓનાં ઝુંડ ગંગાના તટ તરફ જતાં જણાયાં. કાઈની પાસે પ્રકાશનું એકે સાધન નહાતું. હૈયાથી તૈયુ ખાય, તેાય એળખી શકાય તેમ નહેાતું. રસ્તે જનારે। તે આ ભૂતાવળને જતી જોઈ તે ફાટી પડે.
આ ભૂત કે પ્રેત કે પિશાચનાં ઝુંડ ધીરે ધીરે જમીન પર સાપ ચાલ્યે। જાય એમ ચાલ્યું જતાં હતાં. કાઈ બેકાર દુનિયાનાં એ પ્રાણી લાગતાં હતાં.
ગંગાના કિનારે આવીને આ માયાવી સૃષ્ટિ થંભી ગઈ. ગાંગા ભરયૌવનમાં મસ્તીએ ચઢી હતી. એનું યૌવન ફાટ ફાટ થતું એ કાંઠામાંય સમાતું નહાતું. આ સૃષ્ટિના સહુ જીવ શાંત હતા. મસ્તીએ
માગલાના કાળ : ૧૪૧૪
Page #159
--------------------------------------------------------------------------
________________
ચઢેલી ગંગા મેટા હડ્ડડાટ કરતી હતી, પણ સામેથી જાણે કાઈ અવાજ જ નહી !
સામે કાંઠે ઘેાડે દૂર ઝાંખા ઝાંખા થાડા દીવાઓ દેખાતા. ધનધાર આકાશમાં એ તારલિયા જેવા લાગતા હતા. ગંગાના કિનારા ધીરે ધીરે આ માયાવી સૃષ્ટિના સભ્યોથી ઊભરાઈ ગયા. મંત્રમુગ્ધ પૂતળાંઓની જેમ સહુ વ્યવસ્થિત ગેાઠવાઈ તે ઊભા હતા. અચાનક આ સૃષ્ટિની અગ્રગણ્ય ૫ક્તિમાં ઊભેલ પુરુષે ધીરેથી પાણીમાં ઝંપ લાગ્યું. માથેાડાં માથેાડાં પાણીનાં મેાજામાં એ આગળ વધવા લાગ્યા. ધીરે ધીરે પાછળ રહેલાએ પણ ધેટાંનાં ટાળાંની જેમ એનુ અનુકરણ કરવા લાગ્યા. ઘેાડીવારમાં મનુષ્યાકાર મત્સ્યાથી ગંગા ખદખદ થવા લાગી. પૃથ્વીના પટ પર જેવી નીરવતાથી આ માયાવી સૃષ્ટિ સરકતી હતી એ જ રીતે જળમાં પણ આગળ વધવા લાગી.
સામે કિનારે આ ભૂતસેના પહોંચી ત્યારે મધરાત પૂરી થવા આવી હતી. કિનારે થાડાં થોડાં તાપણાં બળતાં હતાં. અજબ રીતે એ તાપણાં મુઝાઈ ગયાં, ને તાપણાં પાસે ખેઠેલા બિચારા ચેકીદારા અલ્લાહનુ નામ લેવા ન પામે એટલી ત્વરાથી તલવારની ધારે ઊતરી કપાઈ ગયા. જરાક જેટલા ખળભળાટ, ને પુનઃ અભેદ્ય શાન્તિ !
માયાવી સૃષ્ટિ ધીરે ધીરે અનેક ભાગમાં વહેંચાવા લાગી. ખે ભાગ એ દિશામાં દૂર દૂર ચાલી ગયા. તેઓ દૂર દૂર પહોંચ્યા ત્યારે ગંગાના પ્રવાહમાં તરતા તરતા મોટા કાળા પહાડા કિનારે આવતા દેખાયા. અરે,
આ તે છે મેટા મેાટા હાથી ! એય માયાવી સૃષ્ટિના જીવ જેવા લાગતા હતા. એમના સૂપડા જેવા કાન હાલતા હતા, માટી ભારિંગ જેવી સૂઢા હવામાં હિલેાળા લેતી હતી, પણ લેશમાત્ર અવાજ વગર 1 કાઈ ગેબને દેવતા આજે છડી સવારીએ પૃથ્વીની પરકમાએ નીકળ્યા હતા.
અંધારામાં પહાડ જેવા લાગતા હાથીઓના સમૂહના અગ્રભાગ પર એક પ્રચંડ આદમી ધનુષ્ય તીર સાથે ઊભા હતા. સાગરના
૧૪૨ : માગલાના કાળ
.
Page #160
--------------------------------------------------------------------------
________________
એમ
પેટાળમાં પ્રવેશેલા મેાતીમારી જેમ માથું હલાવી માગ શેાધે, અંધકારના સમૂહમાં ઊભેલે! એ આદમી ચારે તરફ નજર નાંખી કાંઈ શેાધી રહ્યો હતા.
અચાનક હવામાં એક સુસવાટા થયેા. કેાઈ બાજ પક્ષીના ઊડવાના ફફડાટ જેવા એ અવાજ હતેા. તરત એક તીર દૂર દૂર દેખાતા આકાશદીપ તરફ ચાલ્યું ગયું. તે પાછી જાણે ઉપરાઉપરી બાજપક્ષીની પાંખાના ફફડાટ સંભળાવા લાગ્યા.
દૂર દૂર આગના ભડકા દેખાયા. અને જાણે કાઈ બુઝાયેલું મહારમશાન હોય, તે એકાએક ત્યાંની રાખમાંથી અગ્નિની જવાળાઓ ભભૂકી ઊઠે તેમ ધીરે ધીરે થાડે થોડે દૂર ભડકા દેખાવા લાગ્યા. અંધારી રાતમાં ભડકાઓની જાણે આતશબાજી જામી. એ આતશખાજીના પ્રકાશમાં જોયું તેા કેટલાય રંગબેર`ગી તબૂએની હારમાળા ત્યાં રચાયેલી હતી.
ભડકા પ્રભાતના ઠંડા પવનની લહેરામાં એકદમ વધ્યા. તંબૂમાં સૂતેલા સળવળી ઊઠે તે પહેલાં તા ગંગાના કિનારા પર ઊભેલું પેલુ` માયાવી દુનિયાનું ઝુંડ ધસી આવ્યું. બંદૂકાના અવાજો, તીરેાના વરસાદ, સળગતી હવાઈએ તે ભભૂકતા ભંભોટિયાથી મેદાન ગાજી ઊઠયુ. ધસી આવનારા સળગતા તીરેાના વરસાદ વરસાવતા, અંદૂકેામાંથી ધાણીની જેમ ગાળીએ છાડતા ઝનૂનથી ધસ્યા આવતા હતા. માગ માં જે આવ્યું તે સાફ થઈ જતુ
· હૈાશિયાર, દુશ્મના છાવણીમાં આવી પહેોંચ્યા છે' ના પાકારા થવા લાગ્યા. પણ નિરાંતની નીંદમાં પાઢેલા સિપાહીએ અખ્તર ચઢાવી તલવાર લેવા જતા ને એમને હાથ દેહથી અલગ થઈ જતેા. કાઈ બંદૂક લઈ ખખ્તર વિના બહાર આવતા કે એક જ ગાળી એની ખાપરીને મસ્તકથી જુદી કરી નાખતી. કેટલાક બિચારા બધું સજીને બહાર પડતા તે। ગાળીનું સાધન ખાવાઈ ગયેલુ માલૂમ
માગલાના કાળ : ૧૪૩
Page #161
--------------------------------------------------------------------------
________________
પડતું. કેઈ ઉઘાડા દેહે, કોઈ અડધા હથિયારે, કેઈ માથાના બખ્તરને ડિલે ને ડિલના બખ્તરને માથે મૂકી બહાર આવવા લાગ્યા.
પણ દુશ્મનો જાણે રાહ જોઈને બેઠા હતા. માળામાંથી બહાર પડતું એકેએક પંખી જેમ કુશળ પારધી ઝડપી લે એમ એ ઝડપાઈ જતા. બીજી તરફ તંબૂઓમાં આગ વધુ ને વધુ ફેલાતી જતી હતી.
અચાનક એક તંબૂમાંથી પડકારો સંભળાયો :
બહાદુર મોગલોજરા પણ પીછેહઠ કરેશે મા! દગાર દુશ્મનને બરાબર હાથ બતાવો.”
અવાજ પહાડી હતો. એક ઊંચા અરબી તોખાર પર બેઠેલા પડછંદ પુરુષના એ શબ્દો હતા. મડદામાં પ્રાણ પૂરે તેવી એ શબ્દોમાં સંજીવની હતી. એણે ગભરાયેલા મેગલ સૈનિકોને હિંમત આપી. થોડા ઘણું એકઠા થયા ને લડી રહેલા દુમને સામે મોરચો માંડવા. કેટલાએક માર્ગ કરતા તોપોને દાગવા પહોંચ્યા તો તોપોનાં મેં જ ઊંધાં ? મહામહેનતે મોં ફેરવી દાગવા જાય છે, તો એના કાનમાં જ ખીલા ! આજે કમનસીબી જાગી ઊઠી હતી.
પેલે નો બહાર આવેલે અસવાર પ્રચંડ પરાક્રમ દર્શાવી રહ્યો હતો. થોડીવાર તુમુલ યુદ્ધ મચી રહ્યું. દગાખોર દુશ્મનના પગ ઊખડતા લાગ્યા. ત્યાં તો છાવણની બે બાજુ ભયંકર શોરબકેર સંભળાયા. ત્રાહિ ત્રાહિ પોકાર કરતા અર્ધનગ્ન મેગલ સૈનિકે નાસતા જણાયા. ઊંટ પાગલ બનીને તાંડવ નૃત્ય આદરતાં જણાયાં, ને ઘોડા તો વાડામાં પુરાયેલા વાછરડાની જેમ કનાતની પાયગાને ચીરી બહાર કૂદી આવતા હતા.
શું કારણ બન્યું આટલા ગભરાટનું? પણ કોણ કોને સમજાવે?
૧૪૪ : મેગલેને કાળ
Page #162
--------------------------------------------------------------------------
________________
ખીણ વચ્ચે વસેલી વસતિને ચગદી નાખવા બે દિશામાંથી બે પહાડ ધસી આવે, એમ હાથીઓનાં પ્રચંડ ટોળાં વિનાશ જમાવતાં ધસી આવતાં હતાં. એમની સુંઢના સપાટા તંબૂઓના તંબૂઓ ગબડાવી પાડતા હતા. એમના પગ નીચે આવેલા રોટલાના જેવો આકાર પામી જતા. મહામહેનતે ધીરજ ધરીને સજજ થયેલ મોગલ સેનાના પગ ઊખડી ગયા. હિંમતને હૈયાદીપ ગુલ થઈ ગયો, ને એ હૈયાદીપ ગુલ થયો એટલે ગમે તેવા પ્રચંડ સન્યની પણ ખાનાખરાબી!
એમણે પીછેહઠ આદરી, પણ એ પીછેહઠ તે આગેક્સ કરતાંય ભયંકર હતી. નવું તાજુ અસૈન્ય ત્યાં દાંત કચકચાવતું ખડું હતું. થોડું એક તોપખાનું પણ સ્વાગત માટે સજજ હતું. પીછેહઠ કરીને આવતા મોગલ સૈનિકોને જઈ એ ભયંકર રીતે સળગી ઊઠયું.
- ત્રણ બાજુની ત્રણે દિશા શત્રુઓથી ઘેરાઈ ગઈ. નાસનારાઓ નિરાશ બન્યા. લડનારા ખૂટતા ચાલ્યા. મહામહેનતે હિંમત જાળવીને લડતા સૈનિકોના પગ ઊખડવા. ને સન્યમાં એકને પગ ઊખળ્યો એટલે અનેકના ઊખડી જવાના.
મોગલ સેનામાં ભારે અવ્યવસ્થા પ્રસરી. જેને જયાં માર્ગ મળે ત્યાં નાસવા માંડયું; પણ ગંગાના ભરપૂર ૫ટ સિવાય બીજો કોઈ નાસવાને મોકળો માર્ગ નહે. યોદ્ધાઓએ તેમાં ઝંપલાવ્યું. કેટલાક ગભરાયેલા હતા, કેટલાક ઘવાયેલા હતા. તેઓ થોડીવારમાં જલશરણું બન્યા. બચેલાઓનું સ્વાગત કરવા માટે ગંગાને પેલે પાર દુશ્મનો તીરકમાન સાથે સજજ ઊભા હતા.
પરોઢનો પ્રકાશ ઊગતો હતો. આવી જબરદસ્ત, હિંદની અજોડ મોગલ સેના નાસભાગ, ધમાધમી ને ભાગાભાગમાં પડી હતી. દુશ્મનો અજબ યૂહથી મારો ચલાવી રહ્યા હતા. પણ આ બધા સામે પેલો અરબી તોખાર પર આવેલા મોગલ યાદો અજબ શૂરાતન દાખવી રહ્યો હતો. એની બંદૂકની એકેએક ગોળી આબાદ નેમ લેતી જતી
મેગલેને કાળ : ૧૪૫
૧
૦
Page #163
--------------------------------------------------------------------------
________________
હતી. વીજળીના વેગે એનો અશ્વ ફરે જતો હતો, પણ એકલાનું શૂરાતન શા કામનું ? આભ ફાટયું ત્યાં થીગડું શું કરી શકે?
“જહાંપનાહ, નાસી છૂટ ! સેના મરઘાંની જેમ ઝબ્ધ થઈ
ચૂકી છે.”
શત્રુને આજે પૂરો કરવો છે. દગાખોર શેરખાં !”
ગરીબ પરવર, અત્યારે શુરાતનથી નહીં, શાણપણથી કામ લે. બાકી બચેલા મૂઠીભર બહાદુર મેગલે ખતમ ન થઈ જાય, ને શત્રુઓ આપને પિછાણું ન લે, તે પહેલાં આપ ગીગા તરી જાઓ! જાન હશે તો જહાન ઘણું છે! દગાખોર શેરખાંના હાથ મજબૂત બન્યા છે, ને હજારો મંગલ સિપાહીઓનાં મડદાં ગંગામાં તરી રહ્યાં છે.'
બિસ્મિલ્લાહ–અલ્લાહ! જેવી તારી મરજી!” ને એ પડછંદ પુરુષે અશ્વને મારી મૂક્યો—જોતજોતામાં ગંગાના પૂરમાં !
એ ગયા–એ ગયા, પ્રભાતનાં ગુલાબી કિરણમાં અદશ્ય થઈ ગયે ! ભયંકર ખાનાખરાબી ! કાબુલ, કંદહાર ને તુર્કરતાનના અજોડ યોદ્ધાઓના કબ્રસ્તાન સમા બનેલા એ રણમેદાનને મૂકીને તે આગળ ને આગળ વધી ગયો.
પાણીનાં પૂરનાં મેજાં પહાડ પહાડ ઊછળતાં હતાં.
૧૪૬: મેગલોને કાળ
Page #164
--------------------------------------------------------------------------
________________
મધ્યયુગના મહાનુભાવ ૧૬
પ્રભાતનાં પખેરુ જાગ્યાં ત્યારે ગ ંગા નદીના વિશાળ પટમાં દાઢીવાળાએનું પૂર આવ્યું હતું. હજાર એ હાર નહિ, પણુ વીસ વીસ હજાર મેાગલ સિપાહીએનાં મડદાંથી ગંગા નદી એક વાર એજાર બની ઊઠી હતી.
આ ગંગા નદીના પટમાં એક ઘેાડેસવાર તરતા ચાલ્યેા જતા હતા. પડછંદ એની કાયા હતી, તે પહાડી એને અશ્વ હતેા. ઊછળતાં માાં મોટાં માજા, પાણી પીને ઢમઢાલ બનેલાં સિપાહીઓનાં વારે વારે અથડાતાં મડદાં, તે પીઠ પર પ્રચંડ અસવારના મેાજ: આ બધાંથી ઘેાડે! અકળાયા હતા, થાકયો હતા, છતાં એ અરબમાતાના દૂધને ધાવેલા હતા. જીવતાંવ માનું દૂધ કેમ લજવાય ? તનતેાડ મહેનતે અસવારને લઈ તે એ પંથ કાપ્યું જતા હતા,
અસવારની દશા વિચિત્ર હતી. એના સુંદર લબગાળ ચહેરા વેદનાથી ભરેલા હતા, દાઢી અસ્તવ્યસ્ત હતી, માથાના થાડા વાળ, પાધડીથી બહાર નીકળેલા
૧૪૭
Page #165
--------------------------------------------------------------------------
________________
હતા, ને દેહ પર ધારણ કરેલી લાંબી કીમતી અચકન ચૂંથાઈ ગઈ હતી. એના શરીર પર નાના એવા થોડા ઘા હતા, ને એથી વધુ દિલમાં રણમેદાન પરથી ભાગી આવ્યાનું દર્દ હતું. એ પાણીમાં તરતાં મડદાંને જોઈ વિહવળ બની જતો, ને વિચારતો :
આહ ઇન્શાલ્લાહ, કેવી ખરાબી ! પિતાજીના વખતના મર્દાનગીના અવતાર સમા આ મારા સિપાહીઓનું કમોત ! ઈજજતની માટી ને કબ્રની શાંતિ પણ એમને નસીબે નહીં ! દગાબાજ શેરખાં! તેં મારી સરસ ચાકરી કરી ! મારા નામના ખુબા ભલા પલ્યા. અરે કાયર, મર્દાનગીના ખેલ ન આવડવ્યા, તે પીઠ પર ઘા ક્યાં ? પણ એ ભવિષ્ય જલદીમાં જ આવવાનું છે કે તારી કરણીનાં ફળ તું ચાખીશ ! હિંદના મેગલેના કાળ ! તારા કૃત્યની સજા નજીકમાં જ છે.”
સૂરજ ક્ષિતિજની બહાર ડોકિયાં કરતો હતો. અસવારે એ તરફ જે ફરી વાર અલ્લાહનું નામ લીધું. અચાનક ઘેડો ડૂબકાં ખાતો જણ, ને જેમ જેમ ડૂબકાં ખાતો ગયો તેમ તેમ પાણી પર રહેવા મથતો હોય તેમ લાગ્યું. બે વાર તો અસવારની સાથે ઠેઠ તળિયે જઈને ઉપર આવ્યા. પણ વફાદાર પ્રાણી તાકાત હારી ચૂકયું હતું. જીવનની શક્તિનું છેલ્લું બુંદ એ ખચી ચૂક્યો હતો. ગંગાના ઊંડા પેટાળમાં એ છેલ્લી વાર ઊતરી ગયો. અસવાર પણ સાથે જ હતો. એ પણ બેત્રણ વાર પાણી પી ચૂક્યો હતો.
ગંગા પાર કરવાનું એક માત્ર સાધન ગયું. થાકેલે હારેલ અસવાર પણ પાણીનાં વમળોમાં ગડથોલાં ખાવા લાગ્યો. હજારોનાં જીવનધારક ગંગાનાં જળ પણ આ બેહાલ પુરુષની લાજ શરમ છેડતાં હોય તેમ લાગ્યું. ઊંડાં જળ ઘૂમરી લેતાં જાણે ડોળા કાઢીને ભરખી જવા ધસી આવતાં હતાં.
બેએક ક્ષણ વધુ ને અસવાર પિતાના અશ્વની ગતિને પામે
૧૪૮ : મધ્યયુગને મહાનુભાવ
Page #166
--------------------------------------------------------------------------
________________
જ હેત, ત્યાં અલ્લાહના નામ સાથે જીવનના છેલ્લા શ્વાસ ઘૂંટતા નરને બચાવવા, જાણે અલ્લાહને કઈ ફિરસ્તો મદદે આવી પહોંચ્યો. એણે આખો ને આખો એને ઊંચે ઉઠાવી લીધો. પોતે જે ચામડાની મશકના સહારે જળપંથ કાપી રહ્યો હતો, એ મશક પર એણે એને લઈ લીધો. ડૂબતે નર સાનભાન ગુમાવવાની અણી પર હતો, છતાં ડૂબતો તણખલાને પકડે એ રીતે મશકને મડાગાંઠ વાળીને વળગી રહ્યો. જેના કિનારાને પહોંચવા એ કલાકોથી મથી રહ્યો હતો, એ કિનારે એણે મશકની મદદથી થોડીવારમાં જોયો. પેલા મદદગારે એને કિનારે ઉતાર્યો, પાસે બેસી સારવાર કરી, ને પૂરા ભાનમાં આપ્યું.
ભલા આદમી, તમે ક્યાંથી આવો છો? કોઈ મોટા ખાનદાનના નબીરા જણાઓ છે.”
“હા, મોટા ખાનદાનના નબીરા ! એને જ લીધે આ દશા થઈ, ભલા ભાઈ, મને તારું નામ બતાવીશ?”
મારું નામ નિજામુદ્દીન ભિરતી ! પાણી પાવાનું મારું કામ! મારા નામનું ને મારા કામનું તારે શું કામ છે ?”
ભિસ્તી–બહિસ્તી–સ્વર્ગનો આદમી! ખરેખર, તે ભિસ્તીનું– બહિસ્તીનું નામ શોભાવ્યું. ભલા ઈન્સાન, તું જાણી લે કે મારું નામ હુમાયુ.”
હુમાયુ તે હિંદના શહેનશાહનું નામ છે.”
એ જ . નિજામ, મુકદ્દરની વાત મોટી છે. આજે તે દુશ્મનના દગાનો ભેગા થઈને, હારીને, મેદાન છોડી જાઉં છું, પણ મારા ગ્રહ મને પોકારીને કહે છે, કે મારું શહેનશાહપદ કેઈ ખૂંચવી શકશે નહિ. કાલે હું ફરી ગાદીપતિ બનીશ. નિજામ, કંઈ
મુસલમાન ધર્મમાં પાણી પાવાનું કામ પુણ્ય લેખાય છે, એટલે પાણી પાનારને તેઓ બહિસ્ત–સ્વર્ગને આદમી કહે છે. બહિસ્તને અપભ્રંશ ભિસ્તી.
મધ્યયુગને મહાનુભાવ : ૧૪૯
Page #167
--------------------------------------------------------------------------
________________
માગી લે ! હિંદના શહેનશાહને બચાવવાનું કંઈ ઇનામ માગી લે!’ ‘ઇનામ શું માગું ? ભરપૂર રાજી મળી રહે છે, મારા બાદશાહ ! સદા સંતાષી જીવનવાળા ભિસ્તીને શું માગવુ તેની સૂઝ ન પડી. રાથી પેટ ભરાય. કંઈ તાલેવંત થવાય ? પેઢી-પાંચ પેઢી સુખે ખાય-પીએ તેવું માગી લે! અમે પેાતે તેા સુખી થઈ એ કે નહિ, પણ બીજાને તે! સુખી કરી શકીએ. અરે, હીરા માગ, જમીન માગ, ધન માગ, દેાલત માગ, શાહી ચાકરી માગ !'
(
<
ના રે બાબા, ચાકરી આપણાથી ન થાય. એમાં વળી શાહી ચાકરી માગું તે તે ભાગ લાગ્યા. ન ખાવાના, ન પીવાના ! એ તે સારાં કપડાં પહેરવાના, મનમાં લમુક્ષુ થવાના, ખાવા-પીવાની ખેરસલા ને સવારથી સાંજ દેડવાના. ટાંટિયા તેાડ ને માથા ફોડ !” ‘ અરે ભલા માણસ, રાજપાટ માગી લે !' શહેનશાહ ભિસ્તીની નિખાલસતા પર મુગ્ધ થઈ ગયા હતા.
રાજપાટ !' કઈ સૂઝી આવતું ઢાય
喔
એમ ભિસ્તી મેલો. એના લહેરી દિલમાં એક તુક્કો ઊગી આવ્યા : ગરીબપરવર, જો સેવકની ગુસ્તાખી ન લાગે તે-મરજી થાય તે મને આપની બાદશાહી એ કલાક માટે આપો ! એ સિંહાસનેના, એ છત્રયામરે, કઈ કઈ ભપકાએ જોઉ તેા ખરા કે એમાં મજા છે કે નહીં !'
<
હુમાયુ આ ભેળા આદમીની માગણી સાંભળી ખુશ ખુશ થઈ ગયેા. એણે ઉદાર દિલે કહ્યું : જરૂર આવજે. શહેનશાહનુ વચન છે કે તને બાદશાહ બનાવીશ.'
<
૬ જેવા હુકમ, મારા બાદશાહ! મેલા, હવે તમારે કયાં જવું છે, તે શી શી જરૂર છે ?'
*
થાડું અફીણ, થેાડી મીઠ.ઈ. એક સારા ઘેાડા!'
શહેનશાહ હુમાયુએ જોઈતી સામગ્રી આણુવા કહ્યુ`. ઘેાડીવારમાં
૧૫૦ : મધ્યયુગના મહાનુભાવ
Page #168
--------------------------------------------------------------------------
________________
નવો તાજ ઘોડે અને ડોએક નાસ્તો હાજર થયો. રત્નજડિત થાળમાં જમનારા શહેનશાહે અફીણની નાની કાંકરી મેંમાં નાખી લીધી ને ત્યાં જમીન પર બેસી ગેડું ખાઈ લીધું. નાક પર બંને આંગળીઓ મૂકી. સૂર્યનાલિકામાં શ્વાસ ચાલુ થતાં શુભ શુકન જોતાં આગ્રાની વાટ પકડી.
અસવાર દિશાઓ સુંધતો જતો હતો. દુશ્મનના જાસૂસ, એના દગાર મારા પીછે તો કરી રહ્યા નથી ને ? પણ જેમ જેમ એ આગળ વધતો ગયો, તેમ તેમ વાતાવરણમાં શાંતિ મેળવતો ગયો. નાસેલા, ભાગેલા, જખમી સિપાહીઓ પણ ધીરે ધીરે ભેટતા ચાલ્યા. શહેનશાહ તેમની પાસેથી વિગતો એકઠી કરવા લાગ્યા.
“જહાંપનાહ, દુશ્મને આપણે લેશમાત્ર પીછો પકડ્યો નહતો. એનો એક પણ સિપાહી ચુનારગઢ ને જોનપુરથી આગળ મળ્યો નથી. સાંભળ્યું છે કે એ બંગાળ, બિહાર ને જેનપુરનો રાજા બનશે એવી ડાંડી પિટાતી પણ સાંભળી છે.”
આજે નહીં તો કાલે, આગળ નહીં વધે એની શી ખાતરી શહેનશાહે ઊલટતપાસ લેવા માંડી.
“ગરીબ પરવર, દુશ્મન હવા જેવું છે. એને અનેક છૂપા મદદગાર છે. આપણું સૈન્યમાંય એના જાસૂસે છે. એની તાકાત અજબ છે. આપણું સન્મ આ ફટકાથી એટલું તો નાહિંમત બન્યું છે કે ન પૂછો વાત. એ ક્યારે ક્યાં પસી જઈ, શું તરખાટ મચાવશે, તે કઈ કહી શકાય નહીં. અને વળી એક નવી વાત સાંભળી છે. કહેનાર વધુ પાસે ગયે. એણે કાનમાં ધીરેથી કહ્યું: “આપના ભાઈ કામરાન કાબુલથી લશ્કર લઈ આપના પર ચઢી આવે છે.”
મારા પર મારો ભાઈ ચઢાઈ લઈને આવે ? ન બને! હા, કામરાન ઉતાવળિયે છે. કદાચ ઉતાવળમાં કંઈ પગલું ભરે, પણ હું એનો મોટો ભાઈ તો બેઠે છું ને ! એક ઇશારામાં સમજાવી દઈશ !”
મધ્યયુગને મહાનુભાવ : ૧૫૧
Page #169
--------------------------------------------------------------------------
________________
· એ તેા ઠીક, મીરઝા અસ્કરી પણ અમને તે ભરેાસાલાયક લાગતા નથી, જહાંપનાહ !'
‘ એક બાપના બેટામાં ભરેસા નહી ? નામુમકિન ! દુનિયા ગમે તે કહે, મને મારા ભાઈ એમાં કાફી ભરેાસે છે. અલબત્ત, ખુદાએ બધાને બધી વાતે પૂરા પેદા કર્યા નથી. કાઈમાં કંઈ એબ, કાકમાં વળી કઈ એખ. તકસીર વગરના તે એક માત્ર અલ્લાહ ! હું જાણું છું કે અસ્કરી કઈક પૈસાનેા લેાભી છે.'
'
પણ માલિક, ‘ હું જાણું છું.' એના ફાયદા । ?’
' હું જાણું છું એ મારા બહાદુર સરદારા, તમને કથાંથી એ ખ્યાલ હોય કે એટાના દીર્ધાયુ માટે જે બાપે પેાતાની જિંદગી ! આપી દેવાની ખુદા પાસે બંદગી કરી; અરે, એમ તેા બંદગી ધણા કરે છે, પણ બંદગી સાચી જોઈએ. સાચી હોય તે। મજૂર થયા વગર કદી ન રહે. ખુદાએ ખેટાના બન્ને બાપની જિંદગી લેવાની મંજૂર કરી. મેટા સાજો થયેા. બહાદુર બાપ સદાની શાંતિ માટે આરામગાહમાં પાઢયો. એ બાપના છેલ્લા અલ્ફાઝ, આખરી શબ્દ
શું હતા જાણા છે ? ‘ હુમાયુ ! તારા ભાઈ એની સંભાળ રાખજે. એમના ગુના દરગુજર કરજે ! ' મારા વાદાર અમીરેશ, આજે મારા એ અજમેાગજબ વાલિદ (બાપુ)ના શબ્દો મને યાદ છે. સલ્તનત તેા આજ છે ને કાલે નથી. મારા ભાઈ મારી છાતીમાં ખંજર મારે તે પણ હું તેા હસવાને ! હું કયા બાપનેા બેટા ! મારા સમર્જંગ સરદારા, દુનિયા ઢૂંઢશે તેાય આવા બાપ નહિ મળે ! એની શૈાભા હું ન રાખું તેા ખીજો કાણુ રાખે? ’
.
શિખામણુ આપનારા સરદારા શાંત થઈ ગયા. એમની પાસે આથી આગળ દલીલે! નહોતી.
ચમકતા સિતારાઓ !'
'
માઢું તે। લાગતું નથી તે મારા
૧૫૨ : મધ્યયુગના મહાનુભાવ
Page #170
--------------------------------------------------------------------------
________________
હુમાયુ બીજી ક્ષણે પાછો પોતાના સરદારને થાબડવા લાગ્યા. એ પિતાના બાપના જમાનાના રણજંગ ખેલનારા હતા. “તમે મારા મુરબ્બીઓ છે. તમને મારા રંજ ને ગમ સાથે સંબંધ છે. મારી સાથે સાચી મહોબ્બત છે, એટલે તમારું દિલ દાઝતું હશે. તમારા શબ્દો સાચા હશે. તમે મોગલ સલતનત માટે માથાને લીલા નાળિયેરની જેમ વધેરનારા છે, પણ મારી દશા હું જાણું છું. મારી જન્મકુંડલી મેં જાણું છે, જોઈ છે; વાંચી છે. આકાશના ચાંદની જેમ હું મારું ભવિષ્ય જોઈ શક્યો છું. જંગીસખાન, તૈમૂરશાહ ને બાબરશાહના વંશજોએ કદી હાર જાણી નથી. છેલ્લી પળ સુધી હું લડીશ.”
જમનાનાં જળ હવે દેખાતાં હતાં. આગળ મોકલેલા ઘોડેસવારે આગ્રામાં જઈ હિંદાલને ખબર આપ્યા હતા, કે શહેનશાહ હુમાયુ આવી રહ્યા છે.
હમણું ભાઈ આવશે ! બંને ભેટી પડશે! સુખદુઃખ પૂછશે. દુશ્મનની દગાખોરી સામે રોષ પ્રગટ કરશે; એવા એવા તર્કવિતર્ક કરતો ભલે બાદશાહ દૂરદૂરની ક્ષિતિજને વીંધતો નજર નાખી રહ્યો હતો. ક્ષિતિજમાં બેચાર મેઘખંડ સિવાય કંઈ નજરે પડતું નહોતું.
કિલ્લાના બુરજ દેખાયા. અરે, ઉતાવળા સ્વભાવનો હિંદાલ ત્યાં દરવાજે શાહી સન્માન કરવા ખડો હશે. પણ આ શું ? સ્વાગતની ગરમ લાગણીને બદલે દરવાજા પર ઊચક મનવાળા પહેરેગીરે પહેરા ભરતા હતા !
બાદશાહ કંઈ પ્રશ્ન કરતો તો કઈ કંઈ સરખો જવાબ પણ ન આપતું, જાણે બધાંય દિલની ચોરી રાખતાં હતાં.
જહાંપનાહ, બધું બદલાયેલું લાગે છે!” મને પણ એવું જ લાગે છે. પણ અમારી ચાર આંખે
મધ્યયુગને મહાનુભાવ : ૧૫૩
Page #171
--------------------------------------------------------------------------
________________
મળી એટલે તમે જોઈ લેજે ! મારા ભાઈને તમે વધારે પિછાણે. કે હું ?” બંધુપ્રેમનો દીવાને આ દુખિયારો બાદશાહ પિતાના ભાઈઓને વિષે લેશમાત્ર ઘસાતું સાંભળવા તૈયાર નહોતો. અમીર ચૂપ થઈ ગયા.
“હિંદાલ ક્યાં છે? શું સૂતો છે? શરીર બેચેન છે ? કંઈ ખોટું લાગ્યું છે? અરે, મેટાભાઈથી ખોટું લાગવાનું શું ?” પ્રશ્ન પૂછતો પૂછતો મહાનુભાવ શહેનશાહ દરબારે ખાસમાં, મજલિસે આમમાં, રંગભવનમાં, શીશઘરમાં, ચૌરંગીમાં, બારાદરીમાં, જનાનખાનામાં બધે ફરી વળ્યો.
આખરે નદીકિનારે ગજશાળામાં હિંદાલ મળ્યો. મળીને પણ મન મૂકીને એણે વાત ન કરી. બકસરની લડાઈના, પોતાને થયેલી જફાના, સરદારોની વફાના, કંઈ સમાચાર એ પૂછી ન શક્યો !
“હિંદાલ, પ્યારા ભાઈ! મન મૂકીને કેમ વાત કરતો નથી ? કંઈ ખોટું લાગ્યું ? કંઈ વહેમ ?'
“ના, ના.” હિંદાલે બનાવટી હાસ્ય કર્યું.
હિંદાલ! મારા સામું તો જો !”
“શું છે?” હિંદાલ હુમાયુની વેધક આંખો સામે આંખે માંડી ન શક્યો..
હિંદાલ, તારા મનની ચોરી હું સમજ્યો. તારે બાદશાહ થવું છે ? શા માટે દિલ ખોલીને વાત કરતો નથી ? તું બાદશાહ થજે. પણ પહેલાં એ વાત તો જાણી લે, કે આજ આપણા બાપદાદાનું રાજ જોખમમાં છે. મોગલેની હસ્તી મિટાવવાની ઝુંબેશ ખડી થઈ છે. શું એવે વખતે પણ તું મારાથી દિલચોરી રાખીશ?”
હિંદાલ ચૂપ હતો. હુમાયુ આગળ બેલવા લાગે?
હિંદાલ, પૂજનીય પિતા તરફ લક્ષ આપ. કેટલી અથાગ ૧૫૪ : મધ્યયુગને મહાનુભાવ
Page #172
--------------------------------------------------------------------------
________________
જહેમતથી એમણે આ રાજ જમાવ્યું હતું ! એ રાજના નાશ માટે ગુજરાતના સુલતાન બહાદુરશાહ ને અફઘાન સરદાર શેરશાહ મેદાને પડયા છે. એ વેળા આપણે ચાર ભાઈ જુદા પડશું ? શું એમ કરીને આપણું દુશ્મનોના ઘરમાં દિવાળીના દીવા સળગાવી શું ? યાદ રાખજે, એક સિપાહી કંઈ ચીજ નથી, જ્યારે ચાર સિપાહી એક લશ્કર છે.'
મીરઝા અસ્કરી પણ ધીરે ધીરે આવીને અદબથી પાછળ ઊભો હતો.
અસ્કરી, તારે ખજાનો જોઈએ છે? હિંદાલ તારે તખ્ત જોઈએ છે? મારા પર ભરોસો રાખો ! માથા પર ચમકી રહેલી વીજળીઓને વેરાઈ જવા દે ! હુમાયુને કશાયનો મોહ નથી. એને તો અલ્લાહનું આપેલું આ આસમાન છે, સુંદર સિતારાઓથી ખીચોખીચ આ રાત્રિ છે. ને એના ખગોળના ગ્રંથો છે. હું ભલે ને મારું આકાશી ગણિત ભલું. બાબરને કઈ બેટ સલતનત ચલાવે, એ સામે હુમાયુને વિરોધ નથી. પણ આજે...એક બનો ! દુશ્મન મજબૂત બને એ પહેલાં એના પગ ઉખેડી નાખે !”
આપણું લશ્કર નાહિંમત બન્યું છે, હિંદાલે વચ્ચે કહ્યું.
“લશ્કર નાહિંમત બને, જે આપણે નામર્દ બનીએ તો. બેલાવો અમીર-ઉમરાવોને, સૂબા–સરદારોને ! હું એમને પૂછવા માગું છું. એમના દિલ ઢઢળવા માગું છું. એમના ઘા રૂઝવવા ચાહું છું. આજથી જ નવા જંગની તૈયારી કરવી છે.'
થેડી વારમાં ગજશાળાનું સાઠમારીનું મોટું મેદાન ભરચક થઈ ગયું. મોટા મોટા શમશેરજંગ માં બેઠા હતા. પણ સહુના મેં પર નિરાશાની આછી ઝલક પથરાયેલી હતી. શહેનશાહે બલવું શરૂ કર્યું?
મધ્યયુગને મહાનુભાવ ઃ ૧૫૫
Page #173
--------------------------------------------------------------------------
________________
મેગલ સામ્રાજ્યના ચમકતા સિતારાઓ ! તમારા ચહેરા પર ઉદાસી કેમ પથરાયેલી છે? જાણી લે કે તમારો આ બાદશાહ મોતના મુખમાંથી પાછો ફર્યો છે. મોત મળ્યું હોત તો – અલ્લાહને જિંદગી મંજૂર ન હોત તો – મને એક લિસ્તીને હાથે એણે બચાવ્યા ન હેત ! અલ્લાહને મારી જિંદગી મંજૂર હતી. એણે મને બચાવ્યા. ને બચાવ્યો તો સમજવું જોઈએ કે અલ્લાહે કંઈ કામયાબી માટે બચાવ્યો છે. થવાનું બધું તેની મરજી પર છે, ચકલીને બાજ બનાવવાની ને બાજને ચકલી બનાવવાની કિમત એના હાથમાં છે. એની હિકમત સામે થનારા હું ને તમે કોણ? રાણા સંગના પ્રચંડ લશ્કરની સામે બાદશાહ બાબરના સૈન્યની શી વિસાત હતી ? ગણ તરીની દષ્ટિએ મેગલેની હાર નક્કી હતી. પણ અલ્લાહની મરજી બીજી હોય ત્યાં શું ? એટલે મોગલોને નસીબે ફતેહ મળી. માટે દુખ, રંજ, ગમ, શોક, હાર, છત બધું એકમાત્ર અલ્લાહની મરજી પર છેડી એક તમન્નાથી કામ કરવાની આપણી ફરજ આવીને ખડી રહી છે! ઈસ્લામને બુલંદ બનાવનારા બહાદુર કદી હાર્યા નથી, ને હારશે નહિ, એ ખુદાઈ કોલ છે. તમારું લક્ષ હું એક ખાસ વાત પર ખેંચવા માગું છું. આજે જે નવી જેહાદ માટે હું તમારી સામે દરખાસ્ત પેશ કરું છું...”
દરખાસ્ત નહીં, હુકમ ! અમે મોગલ શહેનશાહના ગુલામ છીએ.” ઉદાર દિલના રાજવીના શબ્દોએ થોડીવારમાં બધા અમીર ઉપર જાદુ જમાવવા માંડ્યું.
શાબાશ, મારા જવાંમર્દો ! પણ તમે જે મોગલ સલતનતની વાત કરે છે, એની જ વાત હું કરું છું. તમે જાણતા હશો કે બળવાખોર શેરખાં મોગલેના નાશના શપથ લઈને બેઠે છે. એ જાહિર–આહિર મોગલનું નિકંદન કાઢવાના પડકારા કરે છે. ગુજરાતના બહાદુરશાહે પણ પિતાની હિંમત બુલંદ બનાવી શેરખાંના શબ્દ ૧૫૬ : મધ્યયુગને મહાનુભાવ
Page #174
--------------------------------------------------------------------------
________________
એવડયા છે. મેાગલ શહેનશાહતને નાથ ! મેાગલ શહેનશાહતને નાશ એટલે મેગલેના નાશ ! માગલેનાં ખીખી-બચ્ચાંના નાશ ! મેાગલ ખાનદાનને નાશ !
પથ્થર કદાચ સાનાને
બહાદુરી, હલકી જાતના પ્યાલે ભાંગી નાખે, પણુ તેથી તમે મને કહી શકશે! કે શું સાનાની ઝીમત ધરે છે, તે પથ્થરની કીમત વધે છે? એક વાર દગાથી ખાટ્ટુર મેાગલા શિકસ્ત પામ્યા, તેથી શું સદાને માટે દાખારાની આબરૂ વધી ? શુ' એમના હાથ બળવાન બન્યા ? હજી ગઈ કાલ સુધી મેલેના દરબારમાં ચાકરી કરી પેટ ભરનાર એક હલકા સિપાહી શું તમારી બહાદુરીને, તમારા હેાસલાને, તમારી હસરતને નાશ કરશે, અને શરમભરેલી જિંદગી તમારે હવાલે કરશે ?
'
‘ બહાદુરે, જે જિંદગીથી ચહેરા પર શરમ છવાઈ રહે, એ જિંૠગી જીવવા કરતાં મેાત શું ભૂ...? કયામતને દિવસે કઈ રીતે ખડા રહી શકશે! ? તમારાં સંતાને તમને યાદ કરવામાં મગરૂરી શી રીતે લેશે ? ઊઠે ! કમર કસે ! આજને હિંમતથી વધાવી લે ! આવતી કાલ તમારી જ છે. એક એક મેાગલ બચ્ચા પેાતાના ખાનદાન માટે, પેાતાના શહેનશાહુ માટે, અરે ભુજબળથી મેળવેલ હિંદુસ્તાન માટે, પેાતાનાં ધરબાર ને ખીખી-બચ્ચાંની સલામતી માટે લડશે. ફતેહ મેગલાના મુકદ્દમાં લખાયેલી છે. ખેાલે અલ્લાહા
અકબર !'
અલ્લાહે! અકબર ! શહેનશાહ હુમાયુનેા જય ! ' કિલ્લાની દીવાલે પ્રચંડ પેકાર પાડી રહી. જમનાનાં જળ ખળખળ નાદે વહેતાં પડધેા પાડી ઊમ્યાં. બાગનું ગુલ તે પિ ંજરનું
ખુલમુલ પણુ
નવી Rsિ'મતથી જાગી ઊઠેર્યું,
*
આ મુલદ પડકારા નભામંડળને ભરી દેતા દૂર દૂર પ્રસરી ગયા.
મધ્યયુગના મહાનુભાવ : ૧૫૭
Page #175
--------------------------------------------------------------------------
________________
દૂરદૂરથી આગ્રા ભણી તેાફાન લઈ તે ધસી આવતા કામૂલ–કદહારના માલિક કામરાનના કાન પર આ પડધા અથડાયા.
હાથીની સુશાભિત અંબાડી પર મેઠેલ માગલ શાહજાદા કામરાન એકદમ ચમકી ઊઠયો :
શું મળેલી ખબર ગલત છે? લડાઈમાંથી બાદશાહ હુમાયુ જીવતા પાછા ફર્યાં છે?' કામરાનને ભાઈની કુશળતાના સમાચારે નગ્ન બનાવ્યા.
મેાટા ભાઈના મૃત્યુના સમાચારથી આગ્રાની ગાદી સર કરી, ભાઈ ના મૃત્યુમહોત્સવ ઊજવવા આવતા કામરાનના દિલમાં જાણે આ સમાચારથી કોઈ એ ભાલે માર્યાં. એણે સ્વસ્થતા જાળવી કાસદને હુકમ કર્યાં :
આગળ જઈ વાતાવરણને તપાસેા, સાચી વાત જલદી જાહેર કા ! '
હેશિયાર કાસદે આગ્રાના કિલ્લાના દરવાજે આવી તપાસ શરૂ કરી, બાદશાહને નજરે જોનાર અમીરઉમરાવને મળી ખાતરી કરી. એની ચકાર આંખે બધું વાતાવરણ માપી લીધું. એ ધસમસ્યા આવતા કામરાનને ચેતવવા વીજળીની ઝડપે પાા કર્યાં.
કામરાને બધા સમાચાર સાંભળ્યા, તે એણે વાની દિશામાં વાકૂકડા કરે તેમ એકાએક બધા રંગ પલટી નાખ્યા. યુદ્ધની નેાબતે ખામેાશ કરવામાં આવી. વખત જોઈ તે વહેણુ બદલવામાં કુશળ શાહજાદો કામરાન, ભાઈને આવીને ભેટ્યો. સુ ઍની આંખમાંથી વહી રહ્યાં હતાં.
નાં
વહાલા બાદ
• મેદાનની આખરી ફતેહ મેાગલેાની છે. મારા શાહની સેવામાં મારા ચુનંદા હજાર સૈનિકાની અત્યારે બેટ કરું છું. આકી વખત આવે સેવક તૈયાર જ છે.'
૧૫૮ : મધ્યયુગના મહાનુભાવ
Page #176
--------------------------------------------------------------------------
________________
આખરમાં ભાઈ તે ભાઈ! હુમાયુ ખોટું ન કહે!” ભેળા દિલને મહાનુભાવ મનમાં ને મનમાં મલકી રહ્યો.
દૂર દૂર લશ્કરી મેદાનમાં મેગલ સિપાહીઓ કવાયત કરી રહ્યા હતા. મદઝરતા માતંગે જમનાની રૂપેરી વેળમાં રેતીનાન કરી રહ્યા હતા ને રાજદરવાજે નાબતો ગડગડી રહી હતી.
મધ્યયુગને મહાનુભાવ : ૧૫૯
Page #177
--------------------------------------------------------------------------
________________
રાજા ભેજની યાદ
શેરશાહ સૂરી સુલતાન ચાર ખંડ તપે જસ ભાનુ, સિંહ-ગાય ગહિ ઇક બાટા
દોને પાનિ પિઅહીં ઇક ઘાટા, શાહી નાબતો દિવસોથી થંભ્યા વગર બજી રહી હતી. હિંદી અને ઈરાની, તૂરાની ને અરબી શરણાઈઓ વિધવિધ જાતના સૂરથી વાતાવરણને ભરી રહી હતી. દમામા (ડફ), ગારકા, નગારાં ને મૃદંગ, રણશિંગડા, ઝાંઝને નફીર જેવાં રણવાદ્યોએ આસમાનને ગજાવી મૂકયું હતું.
અમીર-ઉમરાવોના વિજલ્લાસ ને પ્રજાના હર્ષોબ્રાસને આજે કોઈ સીમા નહોતી, કારણ કે સહુનો યાર, રૈયતનાં રંજ-ગમ પિછાણનારો, કિસાનોનો તારણહાર શેરશાહ આજ બંગાળ, બિહાર ને જોનપુરની ગાદી પર બિરાજમાન થતો હતો.
ગલીઓ છાંટવામાં આવી હતી. રસ્તાઓ શણગારવામાં આવ્યા હતા. આખા નગરમાં આસોપાલવનાં
૧૬૦
Page #178
--------------------------------------------------------------------------
________________
તોરણે ને જુદાં જુદાં પુના ઠાઠ કરવામાં આવ્યા હતા. મંદિરોમાં, મજિદોમાં, મહેલોમાં ને ઝુંપડીઓમાં બધે એકસરખો આનંદ પ્રવર્તતો હતો.
અફઘાન યુવાનોનાં જૂથનાં જૂથ સુંદર સુંદર વસ્ત્રો ધારણ કરીને નાચતાં નાચતાં ચાલ્યાં આવતાં હતાં. ગોખે ને ઝરૂખે ચડેલી નગરનારીઓ કેસર, કસ્તૂરી ને અંબરથી મિશ્રિત ગુલાબજળનો છંટકાવ કરતી હતી. દિશાઓ મઘમઘી ઊઠી હતી.
કાશીથી આણેલાં કુંકુમ પગલે પગલે ઢોળાતાં હતાં. કાશ્મીરમાં કેશર ને મલયગિરિની ચંદનશલાકાઓના કાળાં ભરરંગ જમાવતાં હતા. રજતધોળાં કપૂર, હીનાનાં પમરાટભર્યાં પુષ્પો, ગુલશન, ગુલ, ઈશ્ક ને સંગીતના સરાદોથી જાણે આ દુનિયા મદહોશ બની ગઈ હતી. ગુલાબજળ ને અત્તરના છંટકાવને તો જાણે અષાઢી મેઘ વરસતો હતો.
જરીકામવાળી ઝળહળતી ઝૂલથી સુશોભિત, સુવર્ણશૃંખલાથી શોભાયમાન મોટી અંબાડીઓ સાથે ગજસેના ચાલતી આવતી હતી. એની પાછળ રણુશરા યોદ્ધાઓથી શોભતી અશ્વસેના ચાલી આવતી હતી. પાયદળની પલટણે, અફઘાન સેનાઓ, બકસરિયા બંદૂચીઓ ધરતી ધ્રુજાવતા ચાલતા હતા.'
અમીરે, ઉમરાવો, કારીગરો, શિલ્પીઓ, સાહિત્યકારે, ઝવેરીઓ, વેપારીઓ ને નૃત્ય કરનારી સુંદર રમણુઓને જાણે પ્રવાહ વહી નીકળ્યો હતો. ચંચળ ઘોડા પર બેઠેલા, આગળ પાછળ હજુરિયાઓથી શોભતા, સુગધી પાનનાં બીડાં ચાવતા શાહસોદાગરો નજરને બાંધી લે એવા ઠાઠમાઠથી આવતા હતા. સુંદર રત્નજડિત પાલખીએમાં છટભરી રીતે બેઠેલા ઉમરાવ જ્યારે સુગંધી પાંદડાના પંખાથી હવા ખાતા, ને મયૂરપીંછના વીંજણથી માખો ઉડાડતા ને પડખે રૂપાની પીકદાનીઓમાં તાંબૂલની પિચકારી મારતા, ત્યારે
રાજા ભેજની યાદ : ૧૬૧
Page #179
--------------------------------------------------------------------------
________________
ભૂતકાળના મહાન વૈભવની ઝાંખી થઈ આવતી. એમની આગળ ને પાછળ દેશદેશથી આવેલા પ્રચંડકાય ગુલામો ચાલતા હતા.
શાહી દરબારના સમયની જાહેરાત કરતી તોપો ગડગડાટ કરતી કૂટતી હતી. સાંઈ–સંન્યાસીઓ, ફકીર–બાવાઓ રસ્તે રસ્તે દુહાઈ એ દેતા ફરતા હતા. ઉમરા બંને તરફ અદબથી ખડા રહી ગયા હતા. છડીદારોએ નેકી પોકારવી શરૂ કરી હતી, ને ચાબદાર પિતાની ચતુરાઈનું માપ ચકાસી રહ્યા હતા.
પુરાતન ગૌડનગર આજે ફરી એક વાર જુવાનીના સૌદર્યથી જાગી ઊઠયું હતું. એનું સુવર્ણ સિંહાસન ને અમૂલખ છત્ર (છત્રી) ફરીથી સનાથ બન્યાં હતાં. શાહી નજરાણુની જાણે રેલ ચાલી હતી. પવનવેગી અરબી તોખાર, મદઝરતા માતંગો, કાશ્મીરી લાલ, પાઘડી, જામ, રેશમી જરિયન દુપટ્ટા, બુટ્ટાદાર લપેટાના તાકા,સેના-રૂપાની ચોકડીઓવાળા મશરૂના ગંજ, જવાહરમંડિત સમશેરે, સુંદર કીમતી ઢાલ, પાણીદાર રત્ન, માણેક, હીરા, પરવાળાં, ઈરાની ગાલીચાઓ, સોના-રૂપાનાં ઢોળ ચડાવેલાં રણશિંગડાં, રૂપાના ઢાલ, ગુલાબજળથી ભરેલા શીશાઓ, અત્તરની શીશીઓ, મીનાકામ ને જડાવકામનાં વાસણો નજડિત કલમદાન, હાથીદાંત, અબનૂસ, અરઅર, છીપ, બિલેરને ને મીનાકારી વસ્તુઓને પહાડ ખડકાયો હતો.
શાહી મહેલ હકડેઠઠ ભરાયો હતો. થોડીવારે શાહજાદાએ આવ્યા. સેનાપતિ ખવાસ ખાન આવ્યા. દિલ્હીને પેલે અજબ ઝવેરી આવ્યું.
સહુથી છેલ્લે સિંહની છટાથી ચાલતો આજના આ નાટકને સૂત્રધાર શેરશાહ આવ્ય, વાજિંત્રો ખૂબ જોરથી વાગવા લાગ્યાં. તોએ પણ ગરવ કરી મૂક્યો. છડીદારો અને બંદીજનેએ ગળાં વહેતાં મૂક્યાં. સલામી માટે સહુના હાથ ઊંચા ને મસ્તક નીચા થયાં. મુખ પર એક સુંદર સ્મિત સાથે શેરશાહે સિંહાસન પર સ્થાન લીધું, ને બધું શાંત થઈ ગયું.
૧૬૨ : રાજા ભોજની યાદ
Page #180
--------------------------------------------------------------------------
________________
શેરશાહે સાદો છતાં કીમતી પોશાક ધારણ કર્યો હતો. માથા પર જવાહરમંડિત પઠાણી પાઘ પર હીરાને તોરો લટકાવ્યો હતો. ઉપર હુમા નામના પક્ષીનાં શુકનવંતાં પીંછાંવાળી કલગી એણે મૂકી હતી. હીરા ને સોનેરી ઝીકથી ભરેલે મોતીને જામ ને પગમાં ઈરાનના ઉત્તમ કારીગરે બનાવેલા ઉપાનહ (જોડા) ધારણ કર્યા હતા.
રાજ્યાભિષેકની વિધિઓ દબદબાભરી રીતે શરૂ થઈને એવી જ રીતે સમાપ્ત થઈ. અત્યાર સુધી સુખદુઃખના દિવસોમાં મદદ કરનારાઓને ખિલઅત (પાક) ઇનામ આપવામાં આવ્યા.
આ પછી દરબારના મેટા વિદ્વાને અને ઉમરાવોએ શેરશાહને “અલ સુલતાન ઉલ આદિલ’ના બિરુદથી નવાજતાં સભાએ હર્ષના પિકારોથી એને વધાવી લીધો.
આ હર્ષના પોકારોને શાંત પાડતે શેરશાહને મોટો ને રૂઆબભર્યો અવાજ ગુંજી રહ્યો. એ બોલતો હતોઃ
હું ઈમાન લાવું છું એક માત્ર અલ્લાહ પર, અને તેના ફિરસ્તાઓ પર, અને તેની ધાર્મિક કિતાબ પર, અને તેના પયગંબર પર, અને છેવટે કયામત આવવાની છે તે પર, અને માણસને ભલાબૂરા પર અલ્લાહતાલાને કુલ મુખત્યાર છે તે ઉપર, અને મરણ પછી કયામતને રોજ ઈન્સાફ સારુ ઊઠવાનું છે તે પર ઈમાન લાવું છું. હું એ પર ઈમાન લાવું છું, કે ફિરસ્તાઓને પ્રકાશમાંથી, જિનને અગ્નિમાંથી ને માણસજાતિને ખુદાએ માટીમાંથી સરળ છે. એક ચુસ્ત ઈસ્લામ ધર્મના પૂજારી તરીકે હું ઇસ્લામમાં યકીન ધરાવનારે છું.
પણ તેથી એમ માની નથી લેવાનું કે હું હિન્દુઓને વિરોધી છું. “અલ સુલતાન ઉલ આદિલ'નું આજે મેં સ્વીકારેલું મારું બિરુદ એક ઇન્સાફપ્રિય બાદશાહનું છે. બિન-ઇસ્લામી પ્રજાને મારી હકૂમતમાં
રાજા ભોજની યાદઃ ૧૬૩
Page #181
--------------------------------------------------------------------------
________________
પૂરેપૂરો ન્યાય ને ઇન્સાફ મળશે. એક બાદશાહની ફરજ-એક રાજાને ધર્મ છે કે સહુ વફાદાર રૈયતને એકસરખી રાખવી. કોઈ મુસલમાન હિં દુને જાનમાલનું નુકસાન કરે, કે કોઈ હિંદુ મુસલમાનને હાનિ પહોંચાડે : બંનેને માટે શેરશાહના શાસનમાં શિક્ષા છે. કોઈ જાતને ધર્મને નામે જુલમ મારા રાજ્યમાં ચાલી શકશે નહિ. કાફિરોની કતલને નામે કોઈ હત્યાકાંડ મારે ત્યાં રચી શકાશે નહીં. કેઈ ઈમામ કે મૌલવી પણ આવી હિંમત ભીડશે, રાજદંડ તેને પણ શિક્ષા કરતાં અચકાશે નહીં. સહુ સહુને ધર્મ શાંતિથી પાળે, જબરદસ્તીથી ઇલામમાં લાવવાની પ્રથા અનિષ્ટ છે, ને તે બંધ કરવામાં આવે છે. હિંદુ તિથિ ને તહેવારો છૂટથી ઊજવાય. હેલી–દિવાળીની ઉજવણી ઇસ્લામી તહેવારના જેવી જ થાય.
“હિંદુઓ બુતપરસ્ત કેમ છે, ઈસ્લામ બુતપરસ્તીને સપ્ત વિરોધી છે. પણ મારી વફાદાર રેયતના દરજજાથી તેઓ તીર્થયાત્રા કરી શકશે, પાલખીમાં બેસી શકશે. એમનાં મંદિર તરફ આંગળી પણ ઊંચી કરવામાં નહિ આવે. મુસલમાન અને હિંદુ બંનેને શાહી ચાકરી બક્ષવામાં આવશે. આ બે પ્રજા શેરશાહની બે આંખ સમાન છે. જકાત એક ચુસ્ત મુરિલમ માટે ફર્જ છે. દાનધર્મ હિંદુઓમાં મોટો છે. આ માટે શાહી ખજાનામાંથી પ્રત્યેક વર્ષે ૧ લાખ ૮૦ હજાર મહેરો ગરીબોને ભેદભાવ વગર વહેંચવામાં આવશે.”
હર્ષની કિકિયારીઓથી દરબાર ગાજી ઊઠ્યો. શેરશાહે પોતાનું . વ્યક્તવ્ય ફરી જારી કર્યું?
“ગાય અને વાઘ એક આરે પાણી પીએ, એ મારા ખ્યાલાત, છે. બખેડા નહિ લૂંટફાટ નહિ, જોરજુલમ નહિ, અત્યાચાર–અનાચાર નહિ. સવાશેર સેનું માથું મૂકીને જતી અપંગ ડેસીને પણ કોઈ લૂંટી ન શકે–લૂંટવાની હિંમત ન કરી શકે એવા બંદોબસ્તને હું હિમાયતી છું. ગુનેગાર–પછી ભલે એ મારો પુત્ર હોય તે પણ ૧૬૪ : રાજા ભેજની યાદ
Page #182
--------------------------------------------------------------------------
________________
ગુનાની માફી હું સમજ્યેા નથી. ગુનાની સજા એવી ભયંકર થશે કે ગુનેગાર નામ સાંભળીને કાંપી ઊઠશે. સર્જાના વિધાનમાં મને મારા ઉલેમાએ તે શેખ, માફ કરે કે મેં શરીઅતનાં બંધનાથી મારી રાજકાજની કિતાબને મુક્ત કરી છે. રન્નુમાર્કનાં નવાં ધારણે મેં કાનૂન અને આઈન બનાવ્યાં છે. કારણ સ્પષ્ટ છે. મારી નજરે અદ્દલ ઇન્સાફ એ જ રાજરક્ષાના ઉત્તમ ઉપાય છે. નિર્દોષ, નબળાં–પેાાંત પીડીતે તથા અત્યાચારી સબળેાની પીઠ થાબડી હું કદી પણ ન્યાયભ્રષ્ટ નહિ થા.
‘મારું તમામ રાજ્ય જુદાં જુદાં પરગણાંએમાં (ખાએમાં) વહેંચી નાખવાને મેં ઇરાદા ર્યાં છે. દરેક પરગણામાં (પ્રાંતમાં ) એ અમલદાર રહેશે. આ અમલદારેાને માથે એમના પરગણાના વહીવટનેા ભાર રહેશે. દીવાની મામલાએ મુન્સફ પતાવશે, ફે।જદારી મામલા શિકદાર પતાવશે. ગામડાંની પંચાયતાને કાયમ રાખવામાં આવે છે. તેએ તેમનુ ધરમેળે પતાવટનું કામ કર્યાં કરે. આવાં અનેક પરગણાંની એક સરકાર બનશે. આ સરકારમાં વડા શિકદાર ને વડા મુન્સ રહેશે.
આ બધા અમલદારાએ રાજા અને પ્રજા વચ્ચેના સબધા સારા અને એખલાસભર્યાં કરવાના રહેશે. આ બધા અમલદારાની એ એ વર્ષે બદલી થશે. તેમણે રૈયતની ખબરગીરી, અનાથ-અપંગ વિધવાઓની મદદ, વિદ્વાનને ઉત્તેજન આપવાનાં કામ પણ કરવાનાં રહેશે. આ દુનિયામાં ભલું નામ અને પેલી દુનિયામાં સવાબ ને સારા બદલે મળે એવું કૃત્ય તેમણે તેમના માટે ને તેમના સુલતાન માટે કરવાનું છે. મહેસૂલ તે માલગુજારીમાં હું ચાક્કસ નિયમન મૂકવા માગું *શરીઅત અર્થાત્ કુરાને શરીફમાં રાજકાજની બતાવવામાં આવેલ પદ્ધતિ. આ શરીઅતથી વિરુદ્ધ જનાર તરીકે શેરશાહ આગળ પડતા ગણાય છે, પણ તેના પહેલાં અલ્લાઉદ્દીન ખીલજીએ પણ શરીઅતથી છૂટ લીધી હતી, એમ ઇતિહાસ કહે છે.
(
રાજા ભાજની યાદ : ૧૬૫
Page #183
--------------------------------------------------------------------------
________________
છું. મારી રૈયત ખેાટી રીતે હેરાન ન થાય, મારા રાજ્યના કિસા એની જમીન છોડી ન દે તે ખેતી બંધ ન કરે તે માટે આ બાબતમાં તમારા બાદશાહ ખાસ રસ ધરાવે છે. સૈનિકાને પગારને બદલે અપાતુ મહેસૂલ, સેનાનાયકાને પગારને બદલે અપાતી જાગીર -આ તમામ પ્રયાએ રૈયતનું લેાહી ચૂસે જાય છે. મહેસૂલ માટે ન્યાય-અન્યાયનું ધારણ સચવાતું નથી; જોરજુલમ પણ થાય છે. આ માટે દર સાલ જમીનની માપ'ધી કરવામાં આવશે. એના ઉપરથી માલગુજારી નક્કી થશે. સરકાર ચેાથે ભાગ લેશે, છતાં દુષ્કાળ કે ભાન વર્ષે વખતે રાહત પણ અપાશે. મહેસૂલ રેાકડામાં કે ભાગબટાઈ-જિન્સીમાં આપી શકાશે. આ બાબતમાં સીધા સબંધ બાદશાહ સાથે પણ પ્રજા
રાખી શકશે.
· વેપારને ખાસ ઉત્તેજન અપાશે. અફધાન સરહદના ધાટા દ્વારા મુખારા અને સમરકંદ, ખખ અને ખુરાસાન, ખ્વારિઝ, ઈરાન તે હિંદુ એ સહુ વચ્ચે વેપારી વિનિમય વધારવામાં આવશે. દરિયામાર્ગના દરવાજાએ પણ ધીરે ધીરે ઊધડશે. સત્તા વેપારીઓને મદદ કરશે. વેપારીએ સત્તાને મદદ કરે. રાજ્યનાં તમામ જકાતખાતાં આજથી રદ થશે, કેવળ વેચાણ ને સીમાપ્રદેશ પર જ જકાત લેવામાં આવશે. વેપારીઓની આવજાવની સગવડ માટે ચેકીએ, રસ્તા, ધર્મશાળાઓ, વાવકૂવાએ બંધાવવામાં આવશે. બધી ધર્મશાળાઓમાં હિંદુ તેમ જ મુસ્લિમેા માટે ખાવાપીવાની અલગ અલગ વ્યવસ્થા રહેશે. સિક્કાઓમાં પણ ફેરફાર કરીને એક જ સરખું ધેારણ રાખવામાં આવશે. એ ટંકશાળેા મુકરર માપના રૂપિયા ને ચલણી નાણાં બનાવશે, રાજ્યના સધળે સ્થળે ચાલશે. આ રૂપિયાની એક બાજુ વસ્તિકની છાપ તે બીજી બાજુ અમારું નામ રહેશે.*
× એ યાદ રાખવાની જરૂર છે, કે આજના અંગ્રેજ સરકારને રૂપિયા એ શેરશાહી રૂપિયાનુ સાદું અનુકરણ માત્ર છે.
૧૬૬ : રાજા ભાજની યાદ
'
Page #184
--------------------------------------------------------------------------
________________
મારા વહાલા પ્રજાજના, એક કહેવત છે કે
તે
તને સહાય કરે, તેને આખી પૃથ્વી આપી કે મારી વિજયી સેનાની નિમણૂકા મારા હસ્તક જ રાકડ વેતન અપાશે. ઇતિહાસમાં અજોડ એવી મારી અફધાન સેના, મારા રજપૂત સૈનિકો, મારું તાપખાનું, મારા બદૂકચીએ આજે નામાંકિત બન્યા છે. શિસ્તના હું પૂજારી છું. સેનાને પ્રત્યેક આદમી વિવેકી ને ઇન્સાનિયતવાળા રહે ! એ જ્યાંથી પસાર થાય ત્યાં પ્રજા આબાદ થવી ટે! સારી સુસજ્જ સેના કાઈ પણુ શહેનશાહના ભાઈચારાને ચેાગ્ય છે. કુરબાન થવાની તમન્ના, જેહાદ કરવાની તાકાત, ઇબાદત કરવાની તાલાવેલી તે ભાઈચારાની તીઇ ઇચ્છા-આ સારી સલ્તનતનાં ને સુગઠિત સૈન્યનાં લક્ષણા છે.
*
'
મારી સમસ્ત રૈયતને તાલીમ મળે તેવી મારી ઇચ્છા છે. આ માટે મદ્રેસાએ અને નિશાળેા ઠેરઠેર ખાલવામાં આવશે. સારા વિદ્યાથી એને વફા* પણ આપવામાં આવશે.
(
યુદ્ધને દિવસે જે પણ એછી છે.'
થશે. ને તેઓને
શિલ્પીઓ ને હુન્નરીઓના તા અમે શોખીન છીએ. ઈરાનખુરાસાનના હુન્નર્મદ કારીગરાને તેમાં મેાકલ્યાં છે. હિંદુના પ્રસિદ્ધ શિલ્પીએને આમ જ્ગ્યા છે. ઇમારતા, બાગબગીચા, મસીદ, મકબરાઆ, મહેલા, ફુવારા, જળાશયેા વગેરેની રચનાએ ચાલુ કરવાની છે. ખડેરાને સજીવન કરવાનાં છે. આજે તાપેાની દુનિયામાં હિંદુસ્તાનના કિલ્લાએ નાકામયાબ હર્યાં છે. એને નવેસરથી પેાલાદ જેવા બનાવવાના છે. એક સાચી શહેનશાહત-આદર્શો રાષ્ટ્ર સર્જવાની આજની આપણી નેક હિમાયત છે. એમાં તમારા સહુના સાથ મળશે, એવા ભરેાસે રાખું છું. બાકી રાજ્યની નિત્યતા અને શાશ્વત ચક્રવતી પણું કાઈ ને કદી પ્રાપ્ત થયું નથી, તે થશે નહીં. હંમેશ સુધીનું રાજ્યપદ અને સદા ટકે એવી બાદશાહી તેા એક
*સ્કોલરશિપ, છાત્રવૃત્તિ.
રાજા ભેાજની ચાદ : ૧૬૭
Page #185
--------------------------------------------------------------------------
________________
માત્ર અલ્લાહની છે.'
બંગાળના શાહે પેાતાનું વકતવ્ય પૂરું કર્યું”. આ પછી બધા અમીર-ઉમરાવાએ પેાતાની વફાદારીના સેાગન લીધા. આખી સભા એક વાતે અમે પામતી હતી કે પેાતાના સુલતાનનું મુખ માલતાં ખેલતાં વારંવાર પેલા દિલ્હીના ઝવેરી પ્રત્યે ખેંચાતું હતું. ઝવેરીની મુખમુદ્રા પર અત્યંત પ્રસન્નતા છવાયેલી હતી અને વારે વારે સુલતાન સામે જોઈ ને સહેજ મલકાતા કે જરા જરા હસતે।. પશુ સહુથી વધુ તાળુખી એ ” વાતની હતી કે સુલતાનના સંપૂર્ણ વક્તવ્યમાં એની બહાદુરી વિષે લેશમાત્ર ઉલ્લેખ નહતેા. લાક વાત કરતા કે આ મિત્રાની જોડી અજબ છે. પ્રકાશ અને પડછાયાના જેવા બંનેના સ ંબંધ છે. વગર કહે, વગર પૂછે, કઈ કઈ દંતકથાઓ એ વિષે પ્રચલિત હતી.
મધ્યાહ્નને દરબાર ભપકાભરી રીતે પૂર્ણ થયેા. સાંજ ઠેરઠેર મહેફિલ અને મિજલસા, નાચગાનતાનના જલસાઓમાં આથમી. રાતે રાશની અને આતશબાજીએ આખા શહેરની રેશનક પલટી નાખી. ગલીએ ગલી, મહાલ્લે મહાલ્લે, ખાગે બાગ, મદિર મંદિર, મસ્જિદે મસ્જિદ, ધરેધર હર્ષોંના પાકારેાથી ગાજી ઊઠવ્યાં. છેલ્લાં કેટલાંય વર્ષોથી પ્રજાએ આવા રાા નીરખ્યો નહોતા. પહેલે જ પગલે કેટલી દિલદિલાવરી !
આજ સહુને સહેજે રાજા ભેાજની યાદ ઊગી આવતી હતી. ભેાજ જેવી જ કદરદાની ને એના જેવી જ શૂરવીરતા !
મેડી માડી રાત સુધી ડેાંશીલા પ્રાજના હજી આતશબાજી તે મહેફિલે જમાવી રહ્યા હતા, ત્યારે કિલ્લાના મુરજ પર ફરતા ત્રણુ પુરુષો આ બધું ભરી નજરે નીરખી રહ્યા હતા. સહુથી આગળ ચાલનાર સુલતાન શેરશાહ ને દિલ્હીના ઝવેરી હતા, પાછળ વીર સેનાપતિ ખવાસખાન હતા. શાહજાદા આદિલશાહ ને જલાલખાન
૧૬૮ : રાજા ભેાજની યાદ
Page #186
--------------------------------------------------------------------------
________________
હમણું જ આરામ લેવા ગયા હતા.
આકાશી તારાઓ એમ પર કંઈ કંઈ ભરતકામ કરી રહ્યા હતા. ઠંડા વાયુ સહુના દેહને સુખસ્પર્શ પહોંચાડી રહ્યો હતો. ધીરે ધીરે રાત વધતી ચાલી, ને કૃષ્ણ પક્ષની રાત પાછલા પહોરે ઊગનાર ચંદ્રમા પણ આકાશમાં ચમકી ઊઠડ્યો.
ચંદ્રના પ્રકાશમાં નાહતી ત્રિપુટી ડી વારે વીખરાઈ સુલતાન શેરશાહ પિતાના શયનખંડ તરફ ચાલ્યો. આજે રાજમહેલની શોભા અવર્ણનીય હતી. એનો ગોખે ગોખ, મહેરાએ મહેરાબ નવી રૂપશભા ધરી બેઠાં હતાં. ગુંબજે તો જાણે આકાશનું પરાળ તોડવા ઊંચે ઊડ્યા હતા. આકાશદીપકો સિતારાની જેમ ચમકતા હતા.
અનેક બદીઓ, ખાજેસરાઓ, તાતંર કુંડીઓ ચારે તરફ બંદોબસ્ત જાળવતાં હતાં. દક્ષિણની બારીઓવાળો હવામાનભર્યો ઓરડે શયનખંડ તરીકે સુસજજ કરવામાં આવ્યો હતો. દૂર દૂર સુધીનાં મેદાન, ખેતર ને સરિતાનાં વહેતાં રૂપેરી જળ દષ્ટિગોચર થતાં હતાં. બારી ઉપર પડેલા જરીકામના પડદા વાટે અંદર પ્રવેશતો તોફાની પવન, અનેક દીપકેના તેજથી ઝળાંહળાં હાંડી-ઝુમ્મરને ડોલાવતો હતો. એની પાછળ ચૂપકે ચૂપકે આવતાં ચંદ્રકિરણે કવિહૃદયને જાણે-અજાણે ડોલાવતાં હતાં. છત્રના દીપકો, કપૂરનાં જલતાં શભાદાને, ધૂપની અગરદાનીઓ ને શરબતના જામ મનને મસ્ત બનાવતા હતા.
સુલતાને ક્ષણભર ખંડમાં આંટા માર્યા. મસ્તકને દુખાવો તાજ અને શરીરને થકવી રહેલે જરિયાની જામો ઉતારી અળગાં કર્યા. દક્ષિણના તોફાની વાયુ સાથે એના વાંકડિયા વાળ ગેલ કરી રહ્યા. સુલતાન બારી વાટે દૂર દૂર સુધી નજર નાખી રહ્યો. ફરી વાર વિચારમાં ઊતરી ગયો. સ્વપ્નસિદ્ધિને આ સ્રષ્ટા ન જાણે ક્યા ક્યા મનસૂબા ઘડી રહ્યો હશે!
રાજા ભેજ ની યાદ : ૧૬૯
Page #187
--------------------------------------------------------------------------
________________
ખંડનું દ્વાર ઊધડવાના અવાજે એની વિચારનિદ્રા તાડી. કાઈ રેશમી મુરખામાં છુપાયેલ આ, એ મજબૂત દાસીએ સાથે આવતી હતી. આવનાર એક સુઉંદર સ્ત્રી હતી, છતાં એના નમણા ચહેરા પર ગ્લાનિ સ્પષ્ટ દીસી આવતી હતી. છતાંય કલકી ચંદ્રની જેમ એના સહેજ મુરઝાયેલા ચહેરે! રૂપટ્ટાથી ચમકી રહ્યો હતા.
જહાંપનાહ, તાજપેાશીની મુબારક રાતની એક સુંદર ભેટ !” સુલતાન ક્ષણભર કંઈ ન મેલ્યે. એ એકીટશે આવનાર સ્ત્રી સામે નિહાળી રહ્યો. મનમાં મેાહ જન્માવે એવું સૌંદર્ય ત્યાં છલકાતુ હતું. એમાંય સુલતાન તેા એક વારતા શાયર-કવિ હતા. અનાર જેવા હાર્ટ, આસમાનના તારા જેવા નયનતારા, મદભરી કાળી કાળી ચિતવન ! કાઈ તૃષાતુર શરાખી, જેમ શરાબના લેાલ જામને એકીટશે જોઈ રહે, એમ ક્ષણભર એ રૂપરાશ સામે જોઈ રહ્યો..
ખીજી ક્ષણે સાવધ થઈ એણે ધીરેથી કહ્યુંઃ
<
6
.
બાંદી, ખૂબસૂરતીના આ ખજાને કયાંથી આણ્યે ’
ગરીબપરવર, બકસરના રણમેદાન પરથી.’
કાઈ મેાગલની આરત છે ?”
<
હા જી, આગ્રાના બાદશાહ હુમાયુની બેગમ છે. આપના અમીર-ઉમરાવાએ આ ભેટ બહુ જતનથી આણી છે.'
'
શાબાશ, ખાંદી, મારા શૂરા અમીરેાએ રણમેદાન પરથી અજબ વસ્તુ હાંસલ કરી. એ અમીર–ઉમરાવાને ખેલાવી લાવ !'
કરવા
બન્ને ખાંદીએ કંઈ ન સમજી. એ હુકમનેા અમલ ઝડપથી બહાર ચાલી ગઈ. ખંડ નિર્જન બન્યા. ચંદ્રકિરણા બારી વાટે ગેલ કરતાં હતાં, તે સુંદર પવન લહેરિયાં ખાતા હતા. એવા ખંડમાં એક જ સ્ત્રી તે એક જ પુરુષ! સ્વ પૃથ્વી પર ઊતરી આવે પણ શ્રી ધ્રૂજી રહી હતી.
૧૭૦ : રાજા ભેાજની યાદ
Page #188
--------------------------------------------------------------------------
________________
બહેન, ધૂછશ નહિ! શેરશાહ શરાબની જેમ પરાયી એરતોને પણ સ્પર્શ કરવા માટે નાલાયક સમજે છે ! હું જાણું છું, ખૂબસૂરતી બહુ બૂરી બલા બને છે, જ્યારે એ કઈ જાલિમને ભેટે છે. સુંદરી, તને કેઈએ સતાવી તો નથી ને ?” શબ્દમાં ભરોસો આવે એવી આદ્રતા હતી.
ધ્રુજતી સ્ત્રી કંઈ વિશ્વાસ કરી શકી નહીં. જાસુદના કુમળા ફૂલની જેમ એ ભયથી ધેળી પડતી જતી હતી.
બાદશાહ હુમાયુ ભલે મારે દુશ્મન હોય, પણ એનાં બીબીબચ્ચાં મારાં દુશ્મન નથી. ઓરત–એક નિરાધાર સ્ત્રી, શેરશાહનું પહેલું સંરક્ષણ પામે છે ! ગાય ને બકરી એક આરે પાણી પીએ, એ તો મારે આદર્શ છે. પછી શું ગાયની કતલ મારે જ હાથે હું જ કરીશ ? બેગમસાહેબા, આ ઘર તમારા ભાઈનું સમજજે. કાલે શાહી સવારે તમને આગ્રા પહોંચાડશે.”
બાંદીઓ ખંડના દરવાજે આવી પ્રવેશ માટે આજ્ઞા માગતી હતી. અમીર-ઉમરાવો સાથે જ હતા. પ્રવેશની આજ્ઞા આપતાં બાદશાહે જરા હસીને કહ્યું :
આવો મારા વફાદાર મિત્રો! આ સુંદર ભેટ માટે શેરશાહ તમારો આભારી છે. શહેનશાહ એટલે વિલાસી, બાદશાહ એટલે બે જાતને આદમી. એની હાથીના દાંત જેવી બહાર દેખાડવાની ને જીવવાની બંને જિંદગી જુદી! એક તરફ એને સલ્તનત અપાવે, બીજી તરફ આ મદહોશ કરનારી સૌદર્યાલતાઓ એશ ઉડાવવા આપો ! એક તરફ એને જિંદગી આપે, બીજી તરફ એની કયામત લૂંટી લો !'
સુલતાનનો અવાજ ભારે થયો. અમીર-ઉમરા મનમાં મલકાતા મોટી આશાએ આવ્યા હતા. તેઓ તો જુવાની ને રૂપના પ્યાલા ચડાવવામાં ચકચૂર સુલતાનને જોવા ઇચ્છતા હતા. એકાદ જાગીરની
રાજા ભેજની યાદ ઃ ૧૭૧
Page #189
--------------------------------------------------------------------------
________________
'
અક્ષિસની ગલીપચી કરતી આશા સાથે તેઓ આવ્યા હતા. પણ જોયું તેા સુંવાળા સુલતાનને બદલે ત્યાં એક ફિલસૂફ ઊભા હતા. આ રાજકાજના પહાડ પહેલેથી કાળેા હતેા, તમારા જેવા ધુમ્મસેાથી વધારે કાળેા બનશે. એરત, સાંઈ, બ્રાહ્મણુ, બાળક તે રાજાનાં વગર પૂછે આશ્રિત. વાડ પાસે વેલા ગળાવશેા, મારા બહાદુર દેરતા ? જાએ અબડી જાએ, તે સમરત આલમને જાહેર કરા કે શેરશાહ હરેક આરતને એક નજરથી નીરખે છે. એની જવાની જવાની છે, ન કે માખણ, જે સહેજ તાપ લાગતાં ઓગળવા લાગે !
'
‘ અને મારા પ્યારા દાસ્તા, ધડી પહેલાં તમારા શેર તેા મેાતના વિચાર કરતા હતા. જે બાદશાહ થયા એનું મેાત કારમું સમજવાનું. કઈ ઘડીએ કાઈ કાતિલ એને હુલાલ કરશે, તેના લરાસા જ નહીં. એણે તેા ચેતતા રહેવાનું. પેલી અફધાન કહેવત છે કે ‘ મૃત્યુ અવશ્ય છે, પણ કાન માટે શક છે !' આજે જો તમારા બતાવેલા માર્ગે ગયે હોત તેા, મને પણ મારા કાન માટે સ ંદેહ થાત ! છતાં તમે મારા હિતૈષીએ છે. સજા કરવાનું દિલ થતું નથી. સા એટલી કે કાલે સહસરામ ખાતે, મારી બાપીકી જાગીરમાં, મારા શબને દફન કરવા એક સુંદર મકબરા રચવેા શરૂ કરાવે. આ પાપનું એ જ એક પ્રાયશ્ચિત્ત ! એના થાડા પાણા તમે પણ ઊંંચકો, જે શાહી ઇનામની આશા હતી તે જરૂર મળશે.'
ફિલસૂફ બનેલે સુલતાન ખંડમાં આંટા મારવા લાગ્યા. બાંદીએ સ્તબ્ધ બની ખડી હતી. તે જાણતી હતી કે આ જ ખંડમાં ક્રાણુ જાણે કેટલીયે સૌંદ ભરી નારીએ, સુહાગા, કુમારિકાઓનાં શિયળ છડેચોક લૂંટાયાં હતાં. આ પથ્થરાને જો વાચા આવે તેા, પ્રજા જો ઇન્સાફ કરવાની તાકત મેળવે તેા, કાણુ જાણે કેટલાંય શાહી કુટુમે જલ્લાદાને હવાલે થાય. પણ એ અબળાઓની પુકારા, એમનાં આક્રંદા, જરિયાની જામાએ, વિજયાન્મત્ત જયજયકારા, તાપાના
૧૦૨ : રાજા ભેાજની યાદ
Page #190
--------------------------------------------------------------------------
________________
ધડાકા તે સિપાહીઓનાં સગીના છુપાવી દેતાં હતાં.
એ જ બાંદીએ આજે કાઈ જોગી જતિનેા અવતાર જોતી હતી, જૂની આંખે નવા તમાશા ભાળતી હતી.
(
ખાંદી, સેનાપતિ ખવાસખાનને મારા તરફથી કહેજે કે આ મેગમસાહેબને માનપાન સાથે આગ્રા મેકલી આપે. શેરશાહને દુશ્મન હુમાયુ છે, હુમાયુની એગમ નહિ ! મને દુશ્મન મ જ હાય ! મેગમસાહેબા, પધારો! કંઈ તકલીફ પડી હોય તે ખ’ગાળના સુલતાન માફી ચાહે છે !'
સુંદર બેગમ સ્તબ્ધ ખડી હતી. અચાનક એના હાથમાંથી ક સરી પડયુ. એને એ પગ નીચે દબાવવા પ્રયત્ન કરવા લાગી, પણ સિપાહી શેરશાહની વેધક નજર એ ચુકાવી ન શકી ! સુલતાને આગળ વધી ઝડપથી એ વસ્તુ લઈ લીધી.
નાની, સુંદર, રમકડા જેવી એ કટાર હતી. આ સૌંદયભરી સ્ત્રી એને કમર પર છુપાવીને અહીં આવી હતી. જ્યારે પુરુષ માત્રે બેશરમ બની એને કસાઈના હાથમાં ઝબ્બે થવા સોંપી, ત્યારે આ અનાથ અબળાએ આવડી નાનકડી કઢાર પર ખૂબ મેટા ઇતબાર રાખ્યા હતા.
શાબાશ, ખૂબસૂરત આરતી ડરીશ નહિ. હું શાબાશી આપું છું. દરેક ઓરત જો પેાતાના સૌંદર્યની છટા સાથે આટલી નાની એવી કાતિલ કટાર રાખે તેા, અડધી દુનિયા પાપમાંથી ઊગરી જાય, દુનિયાને એરતનું રૂપ આકડા પરનુ મધ ન લાગે ! રસ્તે જનારે એને છંછેડવાની દી હિંમત ન કરે !'
સુલતાન, એ તમારા ખૂન માટે નહતી, મારા નાશ માટે મે રાખી હતી. મારી અસ્મતઆબરૂ બચાવવાના ખીજો કોઈ રસ્તે ન દેખાત, તે। આનાથી...'
ફિકર નહિ. જાલિમાના નાશ માટે અગર ખરગાશ (સસલુ)
રાજા ભાજની યાદ : ૧૭૩
'
-6
Page #191
--------------------------------------------------------------------------
________________
શીગડું ઉગાડે તે। એ એને ગુને નથી, જાલિમના ગુના છે. અને એ માટે ખરગેશ શિક્ષાને યાગ્ય નથી, જાલિમ જ છે. બેગમસાહેબા ! મને તમારા તરફ્ માન પેદા થાય છે. બાદશાહ બાબરના વંશને આજે તમે ઊજળા કર્યાં. એ વંશની જ એક સુંદર કહાણી તમને સ ંભળાવું. બાદશાહ બાબરનાં નાની (માની મા ) ઇસાનદૌલત બેગમને તમે ન જાણેા. જેમ કાઈ મેાટા ચક્રને એક નાની એવી ખીલી જાળવે છે તે ચલાવે છે તેમ બાદશાહેા ને સુલતાનેાના જયકારની પાછળ એવી કાઈ અજાણી વ્યક્તિનું સમણુ ખડું હોય છે. મેાર પીછાંથી ઊજળા છે, પી મેરથી ઊજળાં છે. બાદશાહ બાબરને મહાન સ્થિતિએ લઈ જનાર, પ્રેરણાનાં અમી પાનાર આ ઇસાનદૌલત બેગમનું વૃત્તાંત મે બાદશાહ બાબરના મુખેથી અનેક વાર સાંભળ્યું છે. એક વાર તમારી જેમ એને પણ બન્યું. વિજેતાએ રણમેદાનમાંથી ધસડી લાવી એને પેતાને ત્યાં કેદ કરી. રંગભરી રાતે પેાતાના મંત્રીને અણુ કરી.
(
• પણ ઈસાનૌાલત બેગમ અલ્લાહે બક્ષેલા એરતાના ગુણાથી વિભૂષિત હતી. એણે પણ એ રાતે રંગ રાખ્યા. પેાતાની ઇજ્જત લૂંટવા આવેલ એ મત્રીને ગળે ચીપ દઈને મારી નાખ્યા, ને એનું મડદુ` રાજમાર્ગ પર ફેકયું ! સાથે સાથે વિજેતા બાદશાહને કહેવરાવ્યું : મારા શિયળના રક્ષણ માટે મેં આ પુરુષની હત્યા કરી છે. હવે તમારી ઇચ્છા હોય તે! તમે મારી હત્યા કરી શકે! ! ! ' બેગમસાહેબ, આવી પાક ઓરતા હોય તેા બાદશાહ બામર જેવાં વીર નરે। દુનિયાને મળે ! આવી એરતા હોય તેા આજે હિંમાં આ ખાતના હલકા લેખાતા, ભરસાપાત્ર ન મનાતા મુસલમાન બાદશાહે। સહુ કાઈ ને પ્યારા લાગે.
3
દુશ્મનના બાપની ને એના વંશની આટલી પ્રશંસા ! ' બેગમ આ અદ્ભુત નર પર આફ્રીન થતી હતી.
બીજાના ગુણાની પ્રશંસા, બીજા કરતાં પેાતાનું ભલું કરે છે.
*
(
૧૭૪ : રાજા ભાજની યાદ
Page #192
--------------------------------------------------------------------------
________________
એગમસાહેબા, હવે સુખેથી પધારે! બીજું કામ હોય તેા જરૂર કરમાવજો !'
મેગમ સ્તબ્ધ ખડી રહી. એણે આવા મઈ પુરુષ આજે જ નિહાળ્યા હતા.
ઇતિહાસના આ અજોડ કિસ્સાને જ્યારે આસમાનના સિતારા પેાતાના દફ્તરમાં સદાને માટે અમર બનાવી રહ્યા હતા, ત્યારે દુશ્મનને કત્લ કરવાના ઇરાદે આવેલી બાદશાહ હુમાયુની બેગમ સ્વયં કલ થઈ ગઈ હતી. બાંદીએ તેા સ્તબ્ધ બની ગઈ હતી, ને અમીર ઉમરાવે તે ખરેખર કાપેા તાય છાંટા લેાહી ન નીકળે તેવા-રૂની ધાળી પૂણી જેવા બની ગયા હતા.
અને ધાળી પૂણી જેવા ચદ્ર નગરને માથે અમીવર્ષા કરી રહ્યો હતા.
રાજા ભેાજની યાદ : ૧૯૫
Page #193
--------------------------------------------------------------------------
________________
‘કસ્તૂરીના ચાર લાખ કોશિશ કરે, પશુ પકડાઈ જવાને. જવાંમર્દ હેમરાજની આજ કાણુ પ્રશ ંસા કરતું નથી ? એના વ્યૂહ, એની રાજશેતરંજ, એની ગસેના સામે આજે દુનિયાના મુત્સદ્દી હાર કબૂલી ગયા છે. ’સવારના પ્રકાશમાં, ગજશાળાના મહાન દ્વારને આવરી લેતા એ માટા પડછાયા ધીરે ધીરે વાતા કરતા ફરતા હતા.
પડદા પાછળના પુરુષ ૧૭
“ માટીના ઢગલાને ગમે તેટલે મેટે હુ ગર બનાવેા, પણ આખરે તેા માટી જ ને! પાણીના કુંજાને હીરાના ઘેરથી મઢી લેા, પણ આખર કુંજો જ તે! જાતને માથે તે ભાત પડે! વાણિયા તે વાણિયા ! ×
વાણિયાના નામથી તેા ધરતી ધ્રૂજે છે. આજ મારી આખી અધાન સેના અનિયાના નામ પર પાગલ થઈ નાચી ઊઠે છે. અરે, એની સાથે કામ કરવામાં માન સમજે છે. હેમરાજ, પાણીના રેલાને સહુ કોઈ એળગી શકે છે, પણ પાણીના પૂરને ઓળંગવાની
૧૭૬
*
Page #194
--------------------------------------------------------------------------
________________
હિંમત કોણ કરી શકે છે? ન કોઈ ખિતાબ, ન કોઈ શાહી દરજજો ! દરજજા વગરનો માનવી આટલું માન પામી શકે * ખરેખર, જેને ખુદાએ તમામ ખૂબીઓ આપી, એને વળી ઉપાધિ કે અલંકારની શી જરૂર? હેમરાજ, જૂઠું ન માને તો તુર્કતાનને અફઘાનિસ્તાનથી આવતા સિપાહીએ મારા કરતાં “બનિયા’ના. પરાક્રમની અદૂભુત કથાઓ કરે છે, લેકજબાન શેરશાહ કરતાં એના છૂપા મિત્રને વધુ માનની નવાજેશ કરે છે.” વાત કરનાર બાદશાહ હતો.
આ નવાજેશ કદાચ મારો નવો માર્ગ મુકરર કરશે. પિતાજીનો આજે પત્ર છે. મારાં ચાર પગલાં એમણે પારખી લીધાં છે. મને ઉત્સાહ આપનાર પેલા જતિજીને એમણે રોકડું પરખાવી દીધું છે. અરે ! તેઓ કહે છે, કે બંગાળના નાના ગામડાની પનિહારીઓ શેરશાહના છૂપા મિત્રના શરાતનની વાતો કરે છે, ને હું ચમકી ઊઠું છું. અરેરે ! મારો પુત્ર દુનિયાના ફેરામાં પડી ગયે, ખૂની રાજદ્વારી શેતરંજનો ખેલાડી થઈ ગયા ! ને એમ થયું તો આશાભર્યો બાપ પોતાના બુઢાપાના આધાર સમો બેટો ખેશે, એક હસરતભરી સ્ત્રી પોતાના પતિને ગુમાવશે, એક ખોલતી કળી જે પુત્ર પિતાને નજરે નહિ નીરખે ! માટે બેટા, એ રાહથી પાછો ફર ! એ દરબારેમાં આપણું બેસણું ન હોય. એ કાંટાળા તાજ આપણને ન શોભે! કઈ વાતની કમીને શ્રેષ્ઠી રાજપાળજીને ત્યાં છે, કે એને પુત્ર આવી રીતે જાનને જોખમમાં નાખતો ફરે !” વાત કરતાં હેમરાજે કહ્યું.
પેલી કહેવત છે ને કે “કાગડાએ મુલક વેરાન કર્યો, ચંડુલ બદનામ થયું.' શેરશાહે બધો દોષ પોતાના પર લઈ લીધે.
બદનામીને સવાલ નથી. જે કામને આપણો નિરધાર * નહીં માત્ર નેવર, ઉનસે તૂવી વહુને રીં
પડદા પાછળને પુરુષ : ૧૭૭
૧૨
'
Page #195
--------------------------------------------------------------------------
________________
હતા એ પૂરા થયા, સાપના અકાડા તૂટી ગયા. આજે નહીં તે કાલે એ બાકી રહેલા મા માંથી દૂર થશે જ. આ બનિયાની દુશ્મ છે કે આ તખ્ત તે તાજ નિદિન તપેા. મારા સુલતાન, કુંદનદેવી ને યુગરાજ દિલ્હીથી નીકળી ચૂકાં છે. ઝવેરાતને ધંધા સમેટી લીધે છે. પિત્તાજી પાસે બંગાળમાં જાય છે. ત્યાંથી વૈવારી ” નામના રજપૂતાનાના ગામમાં જવાની ઇચ્છા છે! તેઓના આવવાની ધડીએ ગણાય છે. મારે જવુ પડશે, હવા પણ
.
:
'
તૈયાર થઈ રહ્યો છે.
જવું પડશે, પછી આ
<
હવા તૈયાર થઇ રહ્યો છે, તે તમારે
આદશાહી કાણુ કરશે ? ’
ગાવા
‘મારા શેર ! હિંદુસ્તાનની પાદશાહી તારા જેવા શેરાને જ વરી છે. મે હુમાયુની ભેગમની વાત સાંભળી છે, ત્યારથી મારુ દિલ ફૂલીફૂલીને ઢોલ બની ગયું છે. દિનરાત આવી અમર ગાથા નિર્જીવ ઢાલ બનવું પડે તેાય મને મજૂર છે. સ્ત્રીઓની બાબતમાં મુસલમાન બાદશાહોની કેટકેટલી અપ્રતિષ્ઠા ! અને હિંદુએ સ્ત્રીઓની બાબતમાં કેટલા ચુસ્ત ? એકખીજાને એકબીજા પર ભરેાસે જ નહીં. હારતા રજપૂત રાજા આખા કુલની કતલ કરીને કેસરિયાં કરે ! હિંદી સ્ત્રીની ઈજ્જતને પેાતાના જીવથી રક્ષે ! મને તે એ જ સમજાતું નથી કે શું ઈરાની સ્ત્રીએ સાંદર્યના એછે અવતાર છે, શું તુ-અધાન રમણી કમ રૂપવતી છે; કે આ બાદશાહે સ્વચ્છંદતાતે પેાતાની બનાવતા હશે ! ચાર ચાર એરતા કરવાની છૂટ મેળવનારાએ અધના મા સામે કેમ જોતા હશે? મારા શાહ, આરત-સ્ત્રી એ તેા હિંદની ધરતીને અજબ કાયડે છે. ગરીબ ગાય જેવી પ્રજા અધુ'ય સડે છે, મારે-કાપા તેાય એ નમતી રહે છે, પણ સ્ત્રીની બાબતમાં સહેજ પણ નમતું તેાળતી નથી. હિંદુ દેવ હાય કે ન હોય, હિંદુ સ્ત્રી · દેવી ' નું બિરુદ વરી છે. એ દેવીઆને તે નિલય કરી. આજે તેા બંગાળ—બિહારની નવાઢાએ ‘શેર’ના
*
૧૭૮ : પડદા પાછળના પુરુષ
Page #196
--------------------------------------------------------------------------
________________
રાસડા લઈ રહી છે.”
- “અને શેર કના રાસડા લેશે? દુનિયાની તવારીખમાં ન થયેલી દસ્તીને કયો કવિ–કો શાયર બિરદાવશે ?”
“ઊજળી કીર્તિને બિરદાવનારની જરૂર નથી. સારા ગવૈયાને સૂર આપોઆપ આવી મળે છે, એમ સારા રાજકર્તાને કુદરત બધી સગવડ આપે છે. આજે હિંદના રજપૂત રાજાઓ અંતઃપુરની ગૂંચમાં જ ગૂંચવાઈ રહ્યા છે. મોટાં મોટાં અંતઃપુરો જ્યારે એમને દેહ પર થયેલ ખરજવાની જેમ પહેલાં ખણવાની મજા ને પછી સદાની મુસીબત આપી રહ્યા છે, ત્યારે એક મુસલમાન બાદશાહ આટલી દિલાવરી બતાવે તો હિંદુ પ્રજા એને યાર જ કરે ! જેણે સ્ત્રીના આકર્ષણ પર વિજય મેળવ્યો, એણે અડધી બાદશાહી પર વિજય મેળવ્યો.”
અચાનક બહાર ઘોડાના હણહણવાને ને પાલખી ઊતરવાનો અવાજ આવ્યો.
યુગરાજ અને કુંદન આવી પહોંચ્યાં લાગે છે !'
બંને જણું દ્વાર તરફ જઈ રહ્યા, પણ આવનારાંઓને આવતાં વિલંબ લાગ્યો.
હવાની સાથે વાતો કરતાં લાગે છે. જુઓને હવા હર્ષની કિકિચારીઓ નાખી રહ્યો છે. કુંદન અને યુગરાજ પર એ અદ્દભુત પ્યાર ધરાવે છે.
થોડી વારમાં યુગરાજ આવ્યો. એના ચહેરા પર અપાર શ્રમનાં ચિહ્ન હતાં. કુંદનદેવી બાજુના ખંડમાં ચાલી ગઈ હતી. એણે સદા શેરશાહની અદબ જાળવી હતી. “યુગરાજજી, કુશળ છે ને?' સુલતાન શેરશાહે પ્રશ્ન કર્યો.
આપની દયા, પણ સુલતાન સાહેબ, પ્રવાસને ખૂબ ત્રાસ છે. હુમાયુ ફરીથી સજજ થયો લાગે છે. આ માર્ગ લશ્કરી અવર
પડદા પાછળને પુરુષ : ૧૭૯
Page #197
--------------------------------------------------------------------------
________________
જવરથી ખીચેાખીચ છે. '
ન પથ્થર નરમ થશે, ન દુશ્મન દેત થશે. યુગરાજ ! અમે તમારા મુખેથી આ સમાચાર સાંભળવાની રાહમાં જ હતા.
.
પિતાજી, ત્રણે ભાઈ એકત્ર થવાતુ સભળાય છે. દેશદેશના મેગલ સૈનિકે આગ્રામાં એકઠા થઈ રહ્યા છે, તેાપખાનુ હુમાયુના મસિયાઈ ભાઈ મીરઝા હૈદર જેવા નિષ્ણાતના હાથ નીચે મુકાયુ' છે લડાઈ જબરદસ્ત થશે એમ લાગે છે. ' યુગરાજે પેાતાને અભિપ્રાય આપ્યા.
>
'
>
જબરદસ્ત, યુગરાજજી. બંગાળાને સુલતાન પણ પેાતે કરેલી પ્રતિજ્ઞા પૂરી કરશે. મેગલાના સત્યાનાશ વાળશે. એક દહાટા સાફ કરેલા ઘઉંમાં કાંકરા શેાધી શકશે!, પણ હિંદમાં મેાગલખચ્ચે શેાધ્યે. નહી મળે. સુલતાન બનેલા શેરશાહ એકદમ ઉશ્કેરાઈ ગયેા. અને યુગરાજી, લડાઈ પૂરી ન થાય ત્યાં સુધી તમારે અહીં જ રહેવાનુ છે. મારે તમારી મદદની જરૂર રહેશે.' સુલતાને વગર માર્ગ નિમંત્રણ આપી દીધુ.
<
8
શેરને સાથ કેવા? એકલા શેર એક પડકાર સાથે હાર હરણાંને હરાવી દેશે. ' હેમરાજે આમ ત્રણને! બીજી રીતે ઇન્કાર કરતાં કહ્યું.
>
<
‘ શેરના કાતિલ નખ હાજર ન હોય તે શેર શું કરશે ? પિતાજીને હું સદેશે। મેકલી આપું છું.’
'
• પિતાજી નારાજ થશે. કહેશે કે કાજળની કેાટડીમાં પ્રવેશેલે પુત્ર ભાગ્યે જ બહાર નીકળશે. વારુ, જેવી વિધાતાની મરજી! બૂડવા ઉપર એ વાંસ ! આજથી જ શરૂ કરે. આ ફતેહની શરણાઈઓ હવે કૂચની શરણાઈ એમાં પલટાવી નાખેા. જાસૂસેાને તાજા સમાચારા પહેોંચાડવાના હુક્રમ આપે ! એક વાર ફરી ફતેહના મેદાનમાં કમાલ
૧૮૦ : પડદા પાછળના પુરુષ
Page #198
--------------------------------------------------------------------------
________________
કરી બતાવીએ. ’
અને જાસેાના જાસૂસ–મહાન ગુપ્તચર ફાણુ બનશે ? ' જેના નસીબમાં લખ્યું હશે તે, પણ આજે આપણી સ્થિતિ જુદી છે. શાસ્ત્રમાં કહ્યુ છે કે,
.
पूर्वार्जिता यदा शक्तिर्बलहीना प्रजायते । सामदामभिदोयुक्तस्तदासीत प्रयत्नतः ॥ *
જે સેનાએ પૂર્વની લડાઈમાં બળ ખચ્યું... હાય, અને તે શક્તિહીન જણાતી હાય તા, તેણે લડાઈની રણભેરી ન બજાવતાં સામ, દામ, ભેદથી શત્રુને વશ કરવા. નીતિશાસ્ત્રના વાકય કરતાં આપણી સ્થિતિ કંઈક ભિન્ન છે. સામને પ્રયાગ આપણે કરી ચૂક્યા છીએ. આદરસત્કારભર્યા પ્રીતિવચને તે વ્ય મેટાઈ આપીને આપણે હુમાયુને હરાવી શકયા છીએ. હવે એ રીતે તે છેતરાય તેમ નથી. દામથી–સાના, રૂપા તે અલંકારથી પાછા ફરે એવા આ દુશ્મન નથી. એકબીજાની હસ્તી મિટાવવાના શપથ સાથે મેદાને આવે છે. કામ કરી શકે તેવી નીતિ ‘ ભેદનીતિ ' બાકી છે× તે એ નીતિ જ કદાચ હુમાયુના નાશનું કારણુ ખનશે! આ ભેદનીતિ જ આપણી યુદ્ધનીતિને વિજય અપાવશે. વહાલા સુલતાન, હું આજે આગ્રા તરફ જાઉ છું. યુગરાજ તમારી સાથે છે. સેના તૈયાર રાખજો.’
>
<
આગ્રા તરફ ? વાધની એડમાં માથુ નાખતાં સાવધ રહેજો.' ૮ વાધની ખેડ તે। હવે જોઈ લીધી. આજે તે આગ્રાની પ્રજા શેરશાહ જેવા સુલતાન વાંચ્છે છે. શેરશાહની ઉદારતા, એને બદલ ઇન્સાફ, એને પ્રજાપ્રેમ, એની કિસાના પ્રત્યેની વર્તણૂક; આટલું * અનીતિ
x कार्यसिद्धिः प्रियालापैः साम दानेन दाम च ।
भिन्नताकरण भेदो मिथो राज्याधिकारिषु ॥ - अर्हन्नीति |
પડદા પાછળના પુરુષ : ૧૮૧
Page #199
--------------------------------------------------------------------------
________________
જ મારે તે દરેક ઠેકાણે દર્શાવતા જવાનું છે. એના પ્રચ’ડ લશ્કરનાં પરાક્રમ, શેરખાંતે વરેલી માંત્રસિદ્ધિઓ, એને વશ રહેલા જબર ફિરસ્તાએ—આ બધું જગેજગ જાહેર કરવું છે.'
શેરશાહને પક્ષે રહેલા ફિરસ્તા ! લેાકેાને એવું કહેશે ? શેરશાહનાં વખાણ કરીને એને સાતમે આસમાન ચડાવશે! મા!' શા માટે નહીં! હિંદુ રાજાને દેવ ગણે છે! મુસલમાને ઈશ્વરા પડછાયેા લેખે છે. રાજાને પ્રાના દેવ બનાવવા આવે ઝળહળાટ પેદા કરવા જ રહ્યો. વળી, આજ હિન્દુ પ્રજા શેરને જોઈ રાજા ભાજને યાદ કરે છે. એ રાજા બાજની ગુણગાથાઓ જ માત્ર ગાવી છે. યુદ્ધમાં-જયપરાજયમાં મનેાવિજ્ઞાન પણ ખૂબ કામ કરે છે. પ્રશ્નને શત્રુરાજાની શાંતિ, ઇન્સાફ તે આબાદીનેા નકશેા ખેંચીને ચાલુ રાજ્યથી ઉદાસીન બનાવવી. એવી પ્રજા પેાતાના રાાતી વિપત્તિવેળાએ શાંતચિત્ત બેસી રહેવાની. લશ્કરના હૃદયને શત્રુસેનાની પ્રચંડતા, સૈનિકા પ્રત્યેની શત્રુરાજાની કદરદાની તે અદ્ભુત ચમકારાની વાતેાથી નિસ્તેજ ને કાયર બનાવી દેવું. મનથી હારેલું લશ્કર તનથી જલદી હારી જાય છે. '
<
‘ અરે, એક બનિયાના ભેજાથી તે મેટાં મેટાં લશ્કર ધ્રૂજે છે.’
'
‘લશ્કર તેા ધ્રૂજશે સુલતાન શેરશાહની વ્યૂહકળાથી. ઘણી વ્યૂહરચનાએ જાણી છે, બાકી રહેલી હિંદુ યાદ્દાઓના અજેય એવા વ્યૂહની થેાડી વાતેા કહી દઉં! પછી તેા શેઠની શિખામણુ ઝાંપા સુધી. મેદાનમાં તે પેાતાને સૂઝે એ રીતે વર્તાવાનું. સુલતાન, શાસ્ત્રમાં કહ્યું છે કે જો ચારે તરફ ભય દેખાતા હાય તેા રાજાએ પેાતાનું સૈન્ય દંડવ્યૂહાકારે રાખી આગળ ચાલવું. ૬ ડબ્લ્યૂહમાં આગળના ભાગ માં તેજસ્વી અમલદારાએ રહેવુ, વચ્ચે રાજાએ અને પછવાડે સેનાધિપતિએ ગમે તે ઘડીએ આગળ વધવા સજ્જ થઈને રહેવું. લશ્કરના બંને પડખે હાથી, ધેાડા ને પાયદળ દંડની જેમ પથરાયેલાં
૧૮૨ : પડદા પાછળના પુરુષ
Page #200
--------------------------------------------------------------------------
________________
રાખવાં. દંડવ્યૂહ પછી ખીજો વ્યૂહ શકટવ્યૂહ ગણાય છે. આ વ્યૂહ જો પાછળથી શત્રુને ભય હાય તે! યેાજવા. આમાં અગ્રભાગમાં ચેાડી સેના ને પૃષ્ઠ ભાગમાં વધુ રાખવી. આ સેના યંત્રના માનવીની જેમ ફરી શકનારી હાવી જોઈ એ. એ પડખાં તરફ શત્રુના ભય હાય તેા તાઢ્ય ને શૂકર વ્યૂહ યેાજવા. આગળ-પાછળ ઘેરાવાને ડર લાગે તે મકરવ્યૂહ ખૂબ કામ આપે છે. ફક્ત આગળ ભય હાય તે। સૂચીવ્યૂહગેઠવવા. દારામાં પરાવેલાં મેાતીની માળા જેમ લશ્કરાના આ વ્યૂહ ચેાજવા જોઇ એ. રાજા આપત્તિમાં ડ્રાય તા પદ્મબ્યૂડ ’ગોઠવવા.
<
સુલતાન, જૂના ઋષિમુનિએ આ બાબતમાં ઘણા ઊંડા ઊતરેલા છે. તેઓ સમજતા કે આ જગત દ્વથી ભરપૂર છે. એમાં રાગદ્વેષ, વેરઝેર ચાલ્યાં જ કરવાનાં. એ રહેશે ત્યાં સુધી લડાઈ એ થયા જ કરવાની ! આ લડાઇઓમાં મનુષ્યક્ષય કેમ આપ્યું થાય તે વિજય કેમ સુલભ થાય એ માટે જ આ બધી યાજનાએ કરેલી છે. તેએ તે સ્પષ્ટ કહે છે કે સામ, દામ ને ભેદથી શત્રુ જીતી શકાતા હાય, ત્યાં સુધી યુદ્ધ ન કરવું, કારણ કે યુદ્ધમાં વિજય અનિશ્ચિત છે, સૈન્યને નાશ નિશ્ચિત છે.× માટે કાઈ પણ ઉપાયથી લડાઈ દૂર રાખવી ને લડાઈ કરવી પડે તે। આ રીતે વ્યૂહથી કરવી.
<
આ વ્યૂહ માટે નવ હાથી, નવ રથ, સત્તાવીશ ઘેાડા, પિસ્તાળીસ પાયદળનાં એક એક ‘ ગુલ્મ ' અર્થાત્ જથ્થા રાખવાનું કહ્યું છે. આ ગુક્ષ્માને શંખ, ભેરી ને નાખતના અવાજોથી વાર વાર સેનામાં ગાડવાવાની તે વીખરાવાની ક્રિયા શીખવવામાં આવે છે.'
>
साम्ना दाम्ना च भेदेन जेतुं शक्याः यदारयः । तदा युद्ध न कर्तव्य, भूपालेन कदाचन ॥ संदिग्धों विजयो युद्धेऽसंदिग्धः पुरुषक्षयः । सत्स्वन्येष्वित्युपायेषु भूपो युद्ध विवर्जयेत् ॥ अहन्नीति
પડદા પાછળને પુરુષ : ૧૮૩
Page #201
--------------------------------------------------------------------------
________________
' આ
આજ ઝવેરી હેમરાજ યુદ્ધનીતિનું જ્ઞાન પ્રગટ કરી રહ્યા હતા. એની વાતેામાં સ્વસ્થતા, ગંભીરતા તે તલસ્પર્શી પશુ હતુ.... કાક કાકવાર જ આ રીતે એ પેાતાના અભ્યાસનું પ્રદર્શન કરતા. સિવાય પણ ચક્ર, સાગર, વજ્ર આદિ કેટલાક વ્યૂહ બતાવેલા છે. આ વ્યૂહમાં પણ દરેક સેનાપતિએ ખ્યાલ રાખવાને છે, કે તેણે કત્યારે તે કેવી રીતે લડવું ? નિરર્થક શક્તિને વ્યય તે બિનઉપયાગી ખર્ચાતી યુદ્ધસામગ્રી, મહાન સૈન્યને પણ પરાજય આપે છે. સપાટ પ્રદેશ પર તરવાર–ભાલાવાળા સૈનિકાએ લડવું એવા નિયમ છે. જળસ્થાનમાં વહાણુ, હાથી વગેરેથી લડાઈ ચલાવવી. સમાન પૃથ્વીમાં રથ તથા ઘેાડા પર બેસી લડવું ને ઝાડપાનવાળાં સ્થળામાં તીર વગેરે દૂર ફેંકી શકાય તેવાં શસ્ત્રોથી લડવું. આમાં આપણા જૂના લેાકેાને તેપાના ઉપયેાગ લક્ષમાં નહોતા. બાદશાહ બાબરે જ સૌપ્રથમ તેના ઉપયેગ કર્યાં. માસથી ઊંચકાતી નરનાલા, ઊંટ પર વપરાતી જંજાળ, હાથી પર લઈ જવાતી ગજનાલા, ગાડામાં ખેંચાતી તાપ–આ બધી તાપાને વ્યૂહરચના સાથે સ ંગત કરવી. મારા શેર, કૈક વાર આવી રીતે ખેાલવાનું મન થઈ જાય છે. હું જાણું છું કે મારા શેર ગમે તેવાં સમરાંગણામાં ફતેહ પામવાનું સાહસ કરે તેવા છે, છતાં દિલ છે, કહી દેવાય છે.'
"
- કાણુ જાણે છે કે એ ઇલમભર્યાં દ્વિલથી જ શેરશાહના આ સૂતા દિલમાં કેટકેટલી તમન્નાએ જાગી છે! શત્રુ પાસેથી પણ વ્યૂહરચના જાણવાના આપણે શૈાખીન છીએ, તેા આ તા મિત્ર કહે છે. હુ આ બધું જોઉં હ્યું, વિચારું છુ. અત્યારે સમય વિચિત્ર છે. દુશ્મન દડમજલ આગળ ધપતા આવે છે. આપ આપના કામે સિધાવેા. હું આજે જ બધી આજ્ઞા આપી ' ', અને પિતાજીને પણ લખી મેાકલુ છુ.’
‘ લખવાની આવશ્યકતા નથી. હવે તે તે વખતે તેમના ક્લિની
૧૮૪ : પડદા પાછળના પુરુષ
Page #202
--------------------------------------------------------------------------
________________
શાન્તિ કરી લેવાશે. રાજતંત્ર ચલાવનારનું ધરતત્ર એમ જ ચાલે. હું પ્રસ્થાનની તૈયારીઓ કરી લઉં. કેટલાક જાણીતા જાસૂસે। મારી સાથે આવશે.’
સુલતાન થાડી આડીઅવળી વાર્તા પછી પાલખીમાં શાહીમહેલ તરફ રવાના થયેા. હેમરાજ ઘણે દિવસે આવેલ કુંદનદેવીને મળવા અંદરના ખંડમાં ગયા. ચાર આંખા મળતાં બંને જણાં હસી રહ્યાં. ‘કુશળ છે ને ?” કુંદનદેવીએ અણિયાળાં નયના નચાવતાં કહ્યું.
કેમ લાગે છે?’
"
બહુ જ સારું. તમારે કઈ વાતની કમીના રહી છે? ગુપ્ત ખંડના છૂપા સૈનિકને હવે તે માટું મેદાન મળ્યું. હવે તે ન ધરતી, ન ખાની, ન સ્ત્રીની, ન પુત્રની ચિંતા !”
*
કુંદન, એમ શા માટે કહે છે ?' હેમરાજ આ પવિત્ર સ્ત્રીના શબ્દો પાસે ઢીલેા પડી ગયે..
.
“ શા માટે ન કહું ? બાપુજી ખરું કહે છે કે બેટા કુંદન, તારે તે હવે વગર શાક૨ે શાકભ આવી. ઘેર તુ` રાહ જોઈ ને બેસી રહેજે. તારી આંખનાં કાડિયાં રાહ જોઈ જોઇને મુઝાઈ જશે, તેાય તારા સાથએ નહીં આવવાના ! પણ મારા જીવતાં જીવત હું એમ નહીં
થવા દઉં.’
પિતાજીને તે જ ચડાવ્યા લાગે છે. આખરે ગુનેગાર પકડાઈ ગયેા.’ હેમરાજજીએ કૃત્રિમ રીતે ગુસ્સા કરતાં કહ્યું.
6
‘ગુનેગાર? હવેતા રાજમત્રી બન્યા છે ને? આખરે ગુનેગાર કાણુ એ શેાધી કાઢો. ધરના ખૂણે પેાતાના લાલ ચૂંડા સામે જોઈને પતિના નામની માળા ફેરવતી એસી રહેનાર રાંક અબળા ગુનેગાર કે એ દહાડાના વાયદાએ જનાર ને બબ્બે માસ સુધી ન આવનાર ગુનેગાર?’
· કુંદન, હું ગુનેગાર છું! કરી લે જે સજા કરવી હોય તે !’
પડદા પાછળને પુરુષ ઃ ૧૮૫
Page #203
--------------------------------------------------------------------------
________________
મારા નાથ, મારી સજા ! મારી સજો કહા કે પ્રાર્થોના કહા, એક જ વાત કહું છું કે પાછા ઘેર ચાલે. તમારા વિષે કંઈ કંઈ અવાએ ચાલે છે. કેાઈ રાજપૂતાણી હાત તે। આવી વાતાથી એને પારસ ચડત, પણ આપણા એ મા નહીં. એ પાપે તે! લ્હિી છેાડવુ, ચાલે ! હવે તેા પિતાજીની પાસે ચાલ્યા જઈએ. આપણા ગામમાં, આપણા ધરમાં શાન્તિના સૂકા રાટલા મળશે તે। તે ખાઈ ને પણ પડયા રહીશું. 'કુંદનદેવીનાં મેટાં લીંબુની ફાડ જેવાં નેત્રાના ખૂણા લાલ બન્યા હતા, જાણે રૂપાળી કંકાવટીમાં કેસર ધેાળાતાં હતાં.
‘કુંદન, તું સાચી છે. મેં આજે જ પ્રસ્થાનની તૈયારી કરી હતી, પણ અધૂરા રહેલા મારા મિત્રધર્મો બજાવી લેવા સુલતાને ખૂબ આગ્રહ કર્યાં. દુનિયામાં દાસ્તી કરી તેા નિભાવી જાણવી. હવે થોડા વખત ધીરજ ધરી જા ! પછી ચાલી નીકળશુ’
જા, મારા શક્તિના ભંડારને જતાં હું કયાં કઈ દિવસ શકું છું. હું જાણું છું કે તમને જોઈ એ એવી દુનિયા નથી મળી. તમારા સાગર—હૈયાને કેટલા વિશાળ પટ જોઈ એ, એ પણ હું . જાણુ છું. પણ મારા નાથ, ગાય તે ચારે માગે, મેાતી ન માગે! મેાતી ગમે તેવાં સારાં હોય, પણ એનાથી ગાયનું પેટ ન ભરાય. કૃપા કરીને એટલું ધ્યાનમાં રાખજો કે ગાયને ખાવા ધાસ જોઈએ છે, મેતી
નહિ.' સમજી સ્ત્રીએ પતિને ઠપકા આપીને રીઝવવા માંડયો.
:
મારી કુંદન !
મારે હેમ!'
ને આ સશક્ત દંપતી અનેક દિવસેાની વાતેા ને અનેક રાતેાને વિયેાગ જાણે ચેડાએક કલાકમાં પૂરા કરવા હોય તેમ, એકબીજામાં મશગૂલ બની ગયાં. અનેક રાતેાની અતૃપ્તિ સાથે આવેલી એ એક રાત, સ્વપ્નની જેમ ખતમ થઈ. સવારે સાહ્યા ચાલી નીકળ્યો.
૧૮૬ : પડદા પાછળના પુરુષ
有
.
'
Page #204
--------------------------------------------------------------------------
________________
સુહાગણ નારી વિMનિવારણ માટે ઇષ્ટદેવને પ્રાર્થી રહી.
એ સરવા કાન રાખીને ફરતી અને લોકવાણી ઝીલતી.
લેકે વાત કરતા, કે આ વખતે બાદશાહ હુમાયુ ચારગણું સૈન્ય લઈને ધસ્યો આવે છે.
બાર બાર મણના ગોળા ફેંકનારી તોપો એની સાથે છે. યમદૂત જે મીરઝા હૈદર સાથે છે.
હુમાયુના કુશળ સેનાપતિ બહેરામખાંએ બૂહરચના કરી છે. બાબરના જમાનાના કુશળ દ્ધા તારદીબેગે સેનાના બે પડખાં સંભાળ્યાં છે.
નાની જંજાળો ને બંદૂકે તે કંઈ પાર નથી, અને ઘોડા ? ઘોડા તે કેટલા? એમની ખરીઓની ધૂળથી દિશાઓ ઢંકાઈ જાય છે.
જબરદસ્ત સેનાપતિ હિંદાલ પાયદળ લશ્કરને વડો બન્યો છે. મીરઝા અસ્કરીએ જીવના જોખમે શેરશાહને કચડી નાખવાના પાક અલ્લાહના નામે આકરા કસમ ખાધા છે. મીરઝા સુલતાને--તમુર વંશના નામાંકિત દ્ધાએ પોતાનું અજેય લશ્કર આગળ રાખ્યું છે.' ખુદ રાજાધિરાજ હુમાયુ પણ હાથીએ ચડી ડંકાનિશાન ગગડાવતો આવી રહ્યો છે. પંજાબમાં બેઠે બેઠે અફઘાનને કાળ કામરાન પણ મદદ મોકલી રહ્યો છે.
ત્રાહિ મામ, ત્રાહિમામ. દેશદેશ ત્રાસી ઠક્યો છે. કૂવાનાં પાણી ખૂટયાં છે, ખેતરનાં ધાન્ય પૂર્યા છે, ગામનાં ગામ ઉજજડ બન્યાં છે. શું ધૂમધડાકા ને તાપભડાકા !
આ તરફથી બંગાળમાંથી શેર પણ બહાર નીકળે છે. હવે ખરી મૂઠભેડ થશે. પણ આ તે શેર કે શિયાળ ? એણે પોતાની જબરદસ્ત સેનાની વાતો તો ઘણી કરી, પણ અત્યારે તે ઠરી ગયો લાગે છે ! એ અફઘાન સેનાનીઓ, એ પુરબિયા બંદૂચીઓ, જાત
પડદા પાછળ પુરુષ : ૧૮૭
Page #205
--------------------------------------------------------------------------
________________
જાતની તોપો ને ભાતભાતનાં શસ્ત્રો કંઈક ઠંડી રીતે આગળ વધી રહ્યાં છે. નથી જોશ દેખાતું નથી ઝનૂન જણાતું.
અરેરે ! ભલે આદમી, હુમાયુના ઝપાટે ચડી જશે ! ચાર દહાડાનું એનું રામરાજ્ય એક સ્વપ્ન બની જશે અને પાછા એ રામ એના એ !
કળ અને બળને મેદાનમાં મુકાબલે થતો હતો. - કુંદન આ લકવાણું સાંભળતી, પણ એમાં પિતાના પતિના કંઈ સમાચાર નહતા. અદશ્ય થયેલા પોતાના પતિની કુશળતા માટે એ રોજ પૂજા ને પ્રાર્થના કરતી, યાદ આવે એટલા દેવની બાધા રાખતી. વ્રત, નિયમ ને ઉપવાસ આદરતી. સદાવ્રત કરતી ને સાદાં વસ્ત્ર ધારણ કરતી. સૌભાગ્યસૂચક અલંકારો સિવાય એણે બધાં ઘરેણુને ત્યાગ કર્યો હતો.
જમણું અંગ ફરકતું ને કંઈક ચિંતામાં પડી જતી, ડાબું અંગ ફરકતું ને કંઈક શુભ સમાચારની રાહમાં રહેતી, પણ ગયેલાના સમાચાર આવતા જ નહતા. જે વાત આવતી એ ચિંતાજનક હતી. લોકો શેરશાહના લશ્કરની ને હુમાયુના લશ્કરની સમાલોચના કરતા, ને કુંદનનું દિલ ધડકી ઊઠતું.
રાજધાનીમાં આજે સમાચાર હતા કે હુમાયુએ ગંગા પાર કરવા પુલ બંધાવવા માંડયો છે. કીડિયારુનાં જેટલો માણસે કામે લાગ્યા છે. પહેલાંની જેમ હવે દગો કરી શકાય તેમ ન હતું. બાદશાહ સાવચેતીથી એક એક ડગ આગળ વધી રહ્યો હતો.
1 હુમાયુએ ગંગા પાર કરી! આ સમાચાર ઊગતા પ્રભાતે કુંદન દેવીને મળ્યા. વાત કહેનાર ચેખા આંકડા આપતો કે મોગલસેના ૪૦,૦૦૦ ની છે, જ્યારે શેરશાહનું લશ્કર ૧૦,૦૦૦નું છે. રણજંગ જામ્યો કે શેરશાહ એની સેના સાથે ચપટીમાં ચળાઈ જશે.
૧૮૮ : પડદા પાછળનો પુરુષ
Page #206
--------------------------------------------------------------------------
________________
કુંદનદેવીનું ડાબું અંગ જોરથી ફરકતું હતું. અરે, આ વાતમાં ક્યાંથી શુભ હોય ! બપોર થતાં વળી સમાચાર આવ્યા કે હુમાયુને એક વફાદાર ઉમરાવ સુલતાન મીરઝા કૂટીને શેરશાહના પક્ષમાં ભળી ગયો, પણ હુમાયુ તે લેશ પણ પરવા વિના આગળ વધે જાય છે. કાનખજૂરાનો એક પગ ભાંગે તોય શું ને ન ભાંગે તોય શું ?
હાશ. મારા શુકન ફળ્યા !” કુંદનદેવીએ આ સમાચાર સાંભળી મેં મલકાવ્યું. વાત કહેનાર ન સમજ્યો કે કુંદદેવી કેમ હસી? એના પતિને તો આમાં કંઈ વર્તમાન નહોતા. ગમે તેમ પણ કુંદનદેવી આજ હર્ષમાં હતી, પણ પિતાના હર્ષ એ કેની પાસે કહે ?
પિતાને પુત્ર યુગરાજ યુદ્ધમાં ગયો હતો. પિતાનો પ્રિય હવા પણુ યુદ્ધક્ષેત્રે સંચર્યો હતો.
હતી એક ઘરડી દાસી, પણ એ બહેરી હતી. બહેરી તો બહેરી સહી. બહેરીને સમાચાર આપવામાં ઓર મજા જામે ! એકની એક વાત ત્રણ વાર કહેવાય અને તે ઊંચા અવાજે સાંભળનાર સમજે કે ન સમજે, બોલનારને તો પિતાની પ્રિય વાત બહુ વાર કહેવાની મીઠાશ મળે ને !
હુમાયુનો એક વફાદાર ઉમરાવ સુલતાન મીરઝા ફૂટીને શત્રુપક્ષમાં ભળી ગયે, સાંભળ્યું કે ?”
ઘરડીખ દાસી શું સમજે ? એ તે બિચારી પૂરા સમાચાર સાંભળી મેટો નિસાસો નાખીને બોલી :
અરેરે, આ વારેઘડીએ ફૂટતાં હશે, તે પાણી કેમ કરીને રહેતું હશે? કૂટેલા ઘડા કંઈ સંધાય છે?”
કુંદનદેવી હસી પડી. એને શુભ સમાચાર મળ્યા હતા. અલબત્ત એને શેરશાહના જય-પરાજયની વિશેષ ખેવના નહોતી, પણ પિતાના પતિનો સંબંધ જાણ્યા પછી એ એનું શુભ વાંછતી હતી,
પડદા પાછળને પુરુષ : ૧૮૯
Page #207
--------------------------------------------------------------------------
________________
કારણ કે હવે એના શુભ સાથે પિતાનું શુભ જોડાયું હતું.
પણ ફરી શુભ વાંછના પર પાણી ફરતું લાગ્યું. સમરાંગણના સમાચાર જ બંધ થઈ ગયા, પૂરા બે દિવસ ને બે રાત્રિ વ્યતીત થઈ ગઈ, છતાં કઈ કશી ખબર જ લાગ્યું નહીં ! શું થયું હશે ? કેમ થયું હશે? કુદનદેવી ઊંઘી ન શકી. એના સશક્ત દેહમાં છુપાયેલું મૂઠીભરનું હૃદય કંઈને કંઈ ઉલ્કાપાત મચાવવા લાગ્યું. ઈષ્ટદેવને સ્મરી સ્મરી કંઈ બાધા-માનતા માનવા લાગી.
અને ઇષ્ટદેવે એની બાધા-માનતા જાણે એકદમ કબૂલ કરી. દરવાજા પરથી રણશીંગાનો અવાજ કર્ણપટ પર અથડાયો. પાછલી રાતના અંધકારમાં મશાલોનો પ્રકાશ ઝગમગી ઊઠયો. તોપો ફૂટવા લાગી, શાહી મહેલના બુરજ પર દીવાઓ ઝળહળી ઊઠયા. મંદિરોના ઘંટ ને મસ્જિદમાંથી બાંગ સંભળાવા લાગી. નગરીના રાજમાર્ગો પર હોકારા ને પડકારા ગાજી રહ્યા.
આદિલ ઉલ સુલતાન શેરશાહની ફતેહ! ' શેરશાહની ફતેહ ?”
હા, શેઠાણી સાહેબા ! અજબ ફતેહ, ગજબ ફતેહ! પાણપત ને ખાનવાનાં મેદાનની બાજુમાં, કનોજ શહેરની પાસે, બરાબર બીલીગ્રામ પાસે બંને સૈન્ય વચ્ચે ચકમક ઝરી ઊઠી ! વાદળથી વાદળ, પહાડથી પહાડ જાણે ટકરાયા. શું શહેનશાહ હુમાયુનો ભારે ઠાઠ! મોટી મોટી મૂછોવાળો મીરઝા હૈદર વચ્ચેવચ ઊભે હતે; જાણે ખાધા કે ખાશે એ એને ચહેરો મહારે! આ કાળા મેની તોપોની બે બાજુ મોટા મોટા અરબી ઘોડા પર મોગલ સૈનિકે. હમણું માર્યા કે મારશે, એવી એમની હાલચાલ !
ક્યાં સાગર જેવું હિલેળા દેતું મેગલ લશ્કર ને ક્યાં તૂબડીમાં કાંકરા જેટલું અફધાન લશ્કર ! મીરઝા હેદર ભારે ચીવટથી ૧૯૦ : પડદા પાછળને પુરુષ
Page #208
--------------------------------------------------------------------------
________________
ધી
તાપેા ગાઠવતા હતા. શહેનશાહ હુમાયુ દુશ્મનની હિલચાલ જાણી રહ્યા હતા, ત્યાં તેા એકાએક લશ્કરની બાજુની એ દિશામાં ચડી, તે વટાળિયાની જેમ અહ્વાન અસવારે। મેગલ સેનાનાં એ પડખાં પર ધસી આવ્યા. બાજ ચકલી પર ઝડપે એમ ઝડપ્યા ઃ મેધની જેમ ગર્જના કરતા, વીજળીની જેમ તલવાર ચલાવતા તૂટી પડ્યા. એમણે તે જાણે ખેાડી બામણીનુ ખેતર સમજી કાપવા માંડયું ! મેાગલે ધાસની જેમ કપાવા લાગ્યા.
ભાગે, મારા બાપ માર્યાં' એમ કહેતા મેગલે ભાગ્યા. પણ ભાગીને જાય કાં? મે પડખે અફધાને કિલ્લેબંધી કરી, વ્યૂહ રચી બેઠા હતા. મેગલે પાસે નાસવા માટે એક જ રસ્તે, ને તે પેાતાના તાપખાના પાસેથી. સમરવીર્ મીરઝા હૈદરે પ્રસંગ ઓળખ્યા ને તેાપેા દાગવાના હુકમ કર્યાં.
'
* પશુ કેાના ઉપર દાગે? નાસતા મેાગલે જ એની આગળ આવી આવીને પડતા હતા. તાપને ગાળેા ફૂટે તેા મેગલ સૈનિકે તે જ વીંધી નાખે ! મીરઝા હૈદરે તાપેાનાં માં ફેરવવા હુકમ કર્યાં, પણ અસાસ! મહામહેનતે એકઠા કરેલા, લાખાપુ કરીને ‘· ચઢ જા એટા શૂળી પર, અલ્લા અચ્છા કરેગા' એવી રીતે આવી મળેલા સૈનિકા મૂઠીઓ વાળીને નાસતા હતા. નાસા, ભાગાના પાકાર પડયો. પછી સહુ નસાય એમ નાઠા.
"
પછી નાઠા સમરબહાદુર મીરઝા હૈદર ! તે પેને ઠેકાણે રહી તે મિયાં રફુચક્ક ! પછી આવ્યેા તાતી તલવાર ઘુમાવતે તારદીખેગ. પણ એ બિચારેાય શું કરે? એણેય વજો માપ્યા. પછી આવ્યા હિંમતેષુલંદ અહેરામખાન ! એણે નાસતા સિપાઈઓના બહેરા કાન પર બહાદુરીની ઘણી શાનદાર વાતેા ઝીંકી, પણ ઘેટાં ઘેટાં જ રહ્યાં! આમતેમ જોઈ ને એય રવાના ! શાહજાદા હિંદાલ, મીરઝા અકરી તે શહેનશાહ હુમાયુ તા હતા જ નહીં! વતે
પડદા પાછળના પુરુષ : ૧૯૧
Page #209
--------------------------------------------------------------------------
________________
નર ભદ્રા પામે, એમ સમજી એય મેદાન છોડી ચાલ્યા ગયા હતા.
“મોટી મોટી તિંગ તો બિચારી મેં વકાસીને જોઈ રહી. સમ ખાવા એક ગાય ન ફેડો. સુલતાન શેરશાહની ફતેહથી મેદાન ગાજી ઊઠયું. શેઠાણી સાહેબા ! ઈન્સાફને જય છે.”
* “અને વિજયી પુરુષો કયાં રહ્યા ?' કુંદનદેવીને આ બધા કરતાં આ વાત પ્રથમ જાણવી હતી.
એમનું શું થયું એ ખબર નથી. સૈન્ય હજી પાછું ફર્યું નથી.”
ત્યારે તે હજી એની એ ચિંતા ! વિજય તો મળે, પણ એટલા સમાચારથી કંઈ સંપૂર્ણ આનંદોત્સવ ન ઊજવાય! કઈ માતાને બેટે, કઈ પ્રિયતમાને પ્રીતમ, કઈ બહેનીને વરે, કયા બાપને આધાર સમરાંગણમાં સૂતે, એ તે જ્યારે બધા પાછા આવે ત્યારે સમજાય.”
એ પણ આવશે.”
જરૂર આવશે!” આ શબ્દો બોલતાં કુંદનદેવીને મીઠે અવાજ કંઈક ભારે બની ગયે.
રાજધાનીમાં હર્ષની નોબતો ગડગડી રહી હતી, પણ કુંદદેવી તે હજી એના એ સમાચાર સાંભળવા કાન સરવા કરીને બેઠી હતી. ભૂતના પગ જેવી લાંબી લાંબી રાતો ને લાંબા લાંબા દિવસે મહામહેનતે પસાર થતા ચાલ્યા.
ત્યાં તો વળી સમાચાર આવ્યા. કહેનાર કહેતે હતો?
અરે! ફતેહના મેદાનમાં ખરી કમાલ તો એ થઈ છે કે સુલતાન શેરશાહના પક્ષનો એક પણ માણસ મરાયો નથી. વાત શી કરવી ? આ વખતે તો સુલતાન શેરશાહે મોગલને હિંદ બહાર તગડી મૂકવાનો નિર્ણય કર્યો છે. એ રણમેદાનમાંથી જ મેગલની પાછળ પડવો છે. અરે ! બિચારા મેગલ શહેનશાહ હુમાયુની દુર્દશાની ૧૯૯૨ : પડદા પાછળને પુરુષ
Page #210
--------------------------------------------------------------------------
________________
તો શી વાત કરું ! ભાગ્ય તો ભૂસેટીને, પણ માર્ગમાં જખમી ઘોડે જમીન પર પડી તરફડીને મરી ગયો. પાસેથી એક મહાવત હાથી હાંકી જતો હતો. બાદશાહે એને પોતાને હાથી પર લેવા વિનંતી કરી. વખતની બલિહારી છે. પેલાએ ઘસીને ના પાડી.
સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન ” વાળી વાત જેવું થયું. બાદશાહને ક્રોધ ચઢયો. એણે ભાલાથી મહાવતને વીંધી નાખે. પાસેથી જ એક હીજડા નાસતો જતો હતો, એને મહાવતની જગ્યાએ બેસાડશે, ને આગળ વધ્યા. થોડે દૂર જતાં નદી આવી. હાથી તરીને પેલે પાર ગયે, પણ કિનારાનું ચઢાણુ બહુ જ ભારે. હીજડાને તે કંઈ હાંકતા આવડે ? હાથી લપસ્ય. ગરીબનું નસીબ ગરીબ. દુર્ભાગી બાદશાહ પાણીમાં ગળોચિયાં ખાવા લાગ્યો, પણ જેને રામ રાખનાર તેને કેણ ચાખનાર ? અચાનક બે મોગલ સિપાહીઓની નજર પડી. એમણે પાણીમાં પાઘડી નાખીને બાદશાહને ખેંચી લીધો. અહીંથી બાદશાહ આગ્રા તરફ દેડક્યો. રસ્તામાં હિંદાલ ને અસ્કરી મળ્યા. ત્રણે ભાઈઓ આગ્રાના ખજાનામાંથી લેવાય તેટલી ધનદોલત લઈ લાહોર તરફ નાઠા. આશા હતી કે ત્યાં બેઠેલો ભાઈ કામરાન કંઈક મદદ કરશે,
પણ શેરશાહ કંઈ કાચો નહોતો. એણે પંજાબ સુધી તેઓનો પીછો પકડો. પંજાબને શાહ કામરાન પહેલાં તો બાંધવત્રિપુટીને જોઈ ભડકી ઊઠયો. હજી બધાની સાથે વાતચીત કરે છે, ત્યાં તે શેરશાહ સૂરના ડંકાનિશાન ગગડ્યા. કામરાનના મોગલ સૈનિકો હિંમત હારી ગયા હતા. કામરાને પંજાબ શેરશાહને ચરણે ધરી સંધિ કરી, કાબુલને માર્ગ લીધો. પંજાબ તો પ્રવેશદ્વાર, એટલે શેરશાહને તો કબજે કરવું જ હતું. એક પણ મેગલ બચે હિંદમાં ન પ્રવેશી શકે તેવી યેજના કરવાની હતી. લાહોર કબજે થયું એટલે ત્યાં છુપાયેલા બધા નાસવા લાગ્યા. મીરઝા હૈદર કાશ્મીરમાં
પડદા પાછળનો પુરુષ : ૧૯૩
૧૩
Page #211
--------------------------------------------------------------------------
________________
ક્ષે છે.
ઘૂસી ગયો. હિંદાલ ને અસ્કરી તો ક્યાં ભાગ્યા તેનો કંઈ પત્તો જ નહીં.
“પણ આટલાથી શેર કંઈ જપે તેમ નહોતો. એણે પંજાબનું એકે એક નાનું મોગલે માટે બંધ કર્યું છે. લાહોરમાં તો એણે છડેચોક કહ્યું છે કે, આ શહેર દુશ્મનોને ખૂબ મદદર્તા છે. હવે કઈ દુશ્મનોને સાથ આપશે, તે આખું શહેર વેરાન બનાવી દઈશ. ઉપરાંત કાશ્મીર ને કાબુલથી પંજાબમાં આવતા રસ્તાઓ નમકની પહાડીઓને જ્યાં મળે છે, ત્યાં તોફાની ગજ્જર જાતિ વસે છે. અહીં જ આ ગજ્જરને વશ કરતાં શહાબુદીન ઘોરી શહીદ થયેલો. આ ભાગને કાબૂમાં રાખવા બરાબર કેંદ્રમાં “રોહતાસનો કિલ્લે મજબૂત બનાવો શરૂ કર્યો છે. ટોડરમલ ખત્રી * નામના બાહેશ લાહોરવાસીની એના પર નિમણૂક કરી છે. આવતાં આવતાં ગ્વાલિયરમાં ભરાઈ રહેલી મોગલસેનાને વશ કરવા ઘેરો નાખ્યો છે. મૂઠીભર મોગલો ક્યાં સુધી ટકશે ?
“અને આજે તો દિલ્હીના રાજદરવાજે શહેનશાહ શેરશાહનાં ઘડિયાં ગાજી રહ્યા છે. ધામધૂમને કંઈ પાર નથી.”
સહુ સલામત છે ને?” કુંદનદેવીએ પ્રશ્ન કર્યો.
“હાજી! અહીં આવવાની ઘડીઓ ગણાય છે. રાજ્યાભિષેકની ક્રિયા પૂરી થયા પછી તરત અહીં આવશે.”
“તરત જ અહીં આવે, હે મારા દેવ!' કુંદનદેવીએ એક છુટકારાના મોટા નિસાસા સાથે કહ્યું, “અરેરે! અકળ રહેલું સ્ત્રીનું દિલ કણ પારખી શકયું છે ? –પરાજયને પણ પોતાના માપતોલથી ભાપનાર માનુનીને સંસાર જુદો જ છે!”
આવતા લાશ લાહોરવાસન
* અકબરના દરબારનું એક રત્ન રાજા ટેડરમલ તે આ જ. એ સાહ પ્રથમ શેરશાહની નોકરીમાં રહેલે. એ કાયસ્થ હતા.
૧૯૪ : પડદા પાછળનો પુરુષ
Page #212
--------------------------------------------------------------------------
________________
સુલતાન શેરશાહે તે જાણે અશ્વમેધના ધાડા છૂટા મૂકયો. એણે પ્રાંત પ્રાંત, રાજ્યે રાજ્ય, શહેરે શહેર ખબર આપી છે, કે હુમાયુને સંધરનારને શેરશાહ માફ નહી" કરે ! કાણુ બાંધે આવા ઉત્પાતી ઘેાડાને ધરઆંગણે ! અને બાંધે તેા શેરશાહની વિવિજયી સેના પાછળ કમ અ કદમ ઉઠાવતી આવી જ રહી છે! જલતી આગમાં હાથે કરીને કાણુ હાથ નાખે ! હુમાયુ કાં તે શેરશાહને શરણે આવે, કાં તા હિંદને છેલ્લી સલામ કરે, એ એ સિવાય ત્રીજો મા એના ભાગ્યમાં હવે રહ્યો નથી.
TET
1
પડદા પાછળના પુરુષ : ૧૯૫
Page #213
--------------------------------------------------------------------------
________________
પતિ-પત્ની
લહીશ્વર શેરશાહના રાજ્ય પર પ્રભાતનો તપસ્વી હજી હમણાં જ ઊગ્યો હતો. શરદનું ડું ભૂરું આકાશ ચાંદીની છીપ જેવી વાદળીઓથી શોભી રહ્યું હતું. સરોવરનાં કમળો અને જળાશયનાં પોયણુંઓએ હજી હમણું જ ઉધાડ–મીંચ આરંભી હતી. લીલી વરિયાળી જેવું તાજું ઘાસ મનને આલાદ આપતું હતું.
આવે સમયે શહેરના વિશાળ લશ્કરી પ્રાંગણને વટાવી એક ગજરાજ આગળ વધી રહ્યો હતો. એની પીઠ પર સુવર્ણજડિત અંબાડી હતા, ને અંબાડીમાં દેવ-દેવીની યાદ જગાડે એવું સશક્ત, સુંદર ને શોભતું સ્ત્રીપુરુષનું જોડું બેઠેલું હતું. કુદરતે રચેલી અજોડ જોડી જેવાં તેઓ લાગતાં હતાં. જુવાનીને તાજો રંગ બંને પર ઘેરો બન્યો હતો, ને વનવગડાને સ્વછંદ વાયુ
જ્યારે જ્યારે સુંદરીની કેસરિયા સાડીને ઉડાવવા યત્ન કરતો ત્યારે એક અવર્ણનીય રૂપશોભા જમી જતી. પુરુષનો ગૌર લાંબો ચહેરે, તીરની ફર્ણ જેવાં કાતિલ નયનો, વિશાળ છાતી, આજન બાહુ ને કબૂતરની જેમ
૧૯૬
Page #214
--------------------------------------------------------------------------
________________
કુલેલું ગળું જેનારના દિલમાં ઘર કરી જાય તેવાં હતાં.
સ્ત્રી અને પુરુષ વનશ્રી જોવામાં મશગૂલ હતાં, પણ હવાની સાથે નૃત્ય કરતો કેસરિયા સાડીનો પાલવ વારંવાર પુરુષના મુખને આચ્છાદી દેતો હતો. પાલવ લેવાને બહાને શ્રી વારંવાર પુરુષના દેહને સ્પર્શ કરતી મલકાતી હતી. અને એ વેળા બંનેની આંખો કોઈ સંગેમરમરના હેજમાં તરતી નાની નાની ચપળ માછલીઓની જેમ નૃત્ય કરી રહેતી.
કોમળ એવી પૃથ્વીને પોતાના ચતુષ્પાદ નીચે દાબતો જતો ગજરાજ પણ સવારના શીળા પ્રકાશમાં કંઈક લહેરે ચડયો હતો. મોટા દેહમાં રહેલી નાનીશી આંખો બંધ કરીને એ ઘણું વાર પ્રવાસ ચાલુ રાખતો. લાંબા લાંબો માર્ગ, દૂર દૂર સુધી નિરુદ્યમી અજગરની જેમ વહ્યો જતો હતો. માર્ગો તાજા જ બનેલા, સ્વચ્છ ને નિષ્કટક હતા એટલે ગજરાજની ગતિને લેશમાત્ર ખલેલ નહતી.
માર્ગની બંને બાજુ દૂર ક્ષિતિજ સુધી વિસ્તરતાં ખેતર, બાગ ને બગીચાઓ હતા. માર્ગની પડખે પડખે આમ્રત, આસોપાલવ ને લીંબડાપીંપળાનાં તાજાં વાવેલાં વૃક્ષ હતાં. વચ્ચે વચ્ચે બોરસલી, ચંપા ને કદંબનાં ફૂલઝાડો નાસિકાને તરબતર કરી નાખતાં ખડાં હતાં.
શેરશાહ દિલ્હીશ્વરની આ સીમાભૂમિ હતી. બાદશાહ તો બાગબગીચાને શોખીન હતો. વાવ-કૂવાને, નાના નાના હેજને, નાનાં નાનાં રમણીય વાસસ્થાનોને, વિહારસ્થાનોનો રસિયો હતો. એના રાજ્યમાં હોંશે હોંશે ખેડૂતો ખેતી કરતા, માળી બગીચા રપતા. હવે એ બંગાળ–બિહારને સુલતાન નહોતો. આજ તો એ ભરતખંડને ભૂપ બન્યો હતો. એના રાજ્યમાં વાઘબકરી, હિંદુ-મુસલમાન એક આરે પાણી પીતાં. કેઈને કોઈનો ભય નહતો.
નવયૌવનાઓ મધરાતે વનપ્રમોદ માણીને નૂપુરઝંકાર કરતી નિર્ભય રીતે પાછી ફરતી. નવનિધિના માલિક વ્યવહારિયાઓ તેનું
- પતિ-પત્ની : ૧૯૭
Page #215
--------------------------------------------------------------------------
________________
ઉછાળતા દેશ દેશ કતા. રાષ એને પ્રતિસ્પી રાજાઓથી હતેા. વફાદાર રૈયત પર તેા પ્યાર સિવાય એ કઈ શીખ્યા નહાતા.
એ રૈયત આજે ઠેર ઠેર ખાગ લગાવતી હતી. ઉદ્યાન બનાવતી હતી, વાઢ રચતી હતી. માર્ગ પરનાં વાંસનાં ઝુંડ, કેળનાં જૂથ, ઊંચાં તાડ ને નાળિયેરી દૂર દૂરથી ડાકિયાં કરી જાણે સહુને આમંત્રી રહ્યાં હતાં. દૂર દૂર ઝરણાંને કિનારે બેસી ઘેટાંબકરાં ચારતા ગેપખાળા નિય પાવે। અત્યારના વાતાવરણમાં સુધારસ પૂરી રહ્યો હતા, ને હળ હાંકતા જુવાને ઉપાડેલું વિરહગીત આકાશની રમતી-નાસતી વાદળીઓની જેમ વાતાવરણને ભરી રહ્યું હતું. નવા લગાડેલાં આંબાવાડિયામાં ટહુકતી શરમાળ કાયલા સ્વરમાધુરીથી ઉઘાડી પડી જતી હતી.
ગજરાજ આગળ વધે જતા હતા.
મામાં આવતાં વિરામાસને,નિર્ઝરગૃહે, લતામ’ડપેા, કુંજવતા, સુંદર વાવ-તળાવા એ વટાવતે જતેા હતેા. સાથે સાથે બબ્બે માઈલ પર આવેલી ધ શાળાએ ને સરાઈના પ્રવાસીઓનુ પેાતાની સવ - ઘંટાના ધેાથી ધ્યાન ખેંચતે જતા હતા. ધર્મશાળાના પ્રાંગણમાં રમતા નાના નાના મેાર ને સરાઈનાં આંગણામાં પેાતાની સુવર્ણ - ચંચુથી કણુ ચણુતા રાતી માંજરવાળા ફૂંકડા આ મેટા પ્રાણીને જોઈ પાંખ ફફડાવી જયજયકાર સૂચવતા.
મુસાફીએ રસાઈ માટે સળગાવેલા અગ્નિને ધુમાડા ગૂંચળાં વળતે ઊંચે ચડતા હતા. એ જોઈ તે દૂર દૂરથી આવતા મુસાક્ વિરામસ્થાન નજીક આવ્યું સમજી, થાકેલા પગ જોરથી ઉપાડતા હતા. ડાકિચે ! ટપાલ લઈ ધૂધરા ધમકાવતે આગળ વધતા હતા. સ ંસારના સુખદુઃખના પેટલે માથે લીધે એટલે જાણે એના જીવનમાં નિરાંત જ નહોતી ! મા માર્ગોની ડાકચેાકીના ચાકીદાર પ્રવાસીઓને માર્ગોની સલામતીના સમાચાર પૂછ્યા બેઠા રહેતા.
૧૯૮ : પતિ-પત્ની
Page #216
--------------------------------------------------------------------------
________________
સુંદર સમય, સુંદર વાતાવરણુ, સુંદર હવા ને સુંદર પ્રકાશ, જળ—સ્થળ સાંસરવું જાણે કેાઈ સરસતાનું મેાજી' લહેરિયાં ખાઈ રહ્યુ હતુ. કાક નવાઢાનું વેલડું, કેાઈ અમીર-ઉમરાવની સુવર્ણ પાલખી, કાઈ શાહસાદાગરની વણુઝાર ધીરેધીરે વાતાવરણને અનુષંગ થઈ આગળ વધી રહી હતી.
<
કેવી વનશ્રી ! આ પેખીને મૂગા મૂંગા કેમ બેસી રહેવાય છે ?' આંખના ઇશારાથી વાતા. કરી રહેલી સ્ત્રી આખરે હારી. એણે સહુથી પહેલાં મૌનના ભંગ કર્યો.
પુરુષ માત્ર હયેા. એ હાસ્યમાંય સુંદર ઉત્તર ભરેલા હતેા. ‘શું રાજ હાડવું ગમતું નથી ? કોઇ યાદ આવી રહ્યું હશે ?” સ્ત્રીના સદાનેા કટાક્ષ થયા.
‘હા કુંદન, ખરેખર, એ યાદ આવી રહી છે!' પુરુષે સ્વસ્થતાથી જવાબ વાળ્યા.
‘ કોણ ?’
‘ ખીલ્ડ કા વળી, એ ખૂબ સુંદર ! વાહ, ખરેખર યાદ આવી રહી છે !'
“ ખૂબ સુંદર કાણુ ? કાણુ યાદ આવી રહી છે ?' રાજકાજમાં પડેલા પુરુષ પ્રત્યે અવિશ્વાસથી જોનાર સ્ત્રી ચમકી ઊઠી.
કાવ્યપ‘ક્તિ !’
“ કઈ કાવ્યપંક્તિ યાદ આવી રહી છે ? પુરુષ માત્ર લુચ્ચા !' સ્ત્રી હસી પડી.
• ભલે. હિંદુ સંસારમાં તે। લુચ્ચા પુરુષની પત્ની પશુ લુચ્ચી જ કહેવાયને ! વારુ, યાદ આવી રહી છે એક સુંદર કાવ્યપંક્તિ ! તારા કરતાં પણ સુંદર ! દેવસુંદરીનું વણૅન કરતાં જૂના પ્રાકૃત કવિએ ખરેખર ખૂબ સુંદર વસ્તુ કહી નાખી છે.'
પતિ-પત્ની : ૧૯૯
Page #217
--------------------------------------------------------------------------
________________
શું કહી છે?” અદભુત ! કવિ કહે છે કે એ દેવસુંદરી કેવી છે? સહુ સાંભળો. આકાશના અંતરાળે વિચરનારી, મનોહર રાજહંસીની ચાલે ચાલનારી, મસ્ત કટિપ્રદેશ ને પધરથી શોભાયમાન, ‘પૂર્ણ વિકસિત પ જેવાં નયનોવાળા, “ભરાવદાર સ્તનભારથી લચકાયેલી કમરવાળી,
સુવર્ણમણિની લટકતી કટિમેખલાથી કાંતિમાન, રૂમઝૂમતી ઘૂઘરીઓ, સુંદર તિલક ને વલય વડે વિભૂષિત, “પ્રીતિ કરનારું ને ચતુર જનના મનને હરનારું દર્શન છે એવી, “નેત્ર વિષે કાજળની સુંદર રચનાવાળી, કસ્તૂરી વગેરેની કપોલ સ્થળ પર કરેલી પત્રલેખાવાળી,
એવી એ દેવસુંદરી છે!' પુરુષે પિતાનું સૌદર્યપારાયણ પૂરું કર્યું.
અત્યારે અચાનક દેવસુંદરીની યાદ ક્યાંથી આવી?” દેવસુંદરી પાસે હોય ત્યારે કેની યાદ આવે ?” કોણ હું, દેવસુંદરી ?” નહિ બીજું કોણ?” પુરુષે મુક્ત હાસ્ય કર્યું.
હા, હા, પુરુષાની આ તો પુરાણી ચાલાકી છે. પુરુષ દેવ બનવા માટે સ્ત્રીઓને દેવસુંદરી બનાવે છે. સુંદરી પછી દેવની હોય. રાજની હોય કે સેનાપતિની હાય ! એની બિચારીનું મહાભાગ્ય તે કેટલું ? રાતે આકાશના તારા ગણવાનું, દિવસના પ્રહર ગણવાનું ને વર્ષના અંતે વિરહના મહિના ગાવાનું !” ૨૦૦ : પતિ-પત્ની
Page #218
--------------------------------------------------------------------------
________________
કુંદન, તું કેમ નાખુશ છે? કંઈ મારે ગુને ?”
ગુનો માત્ર એટલે જ. રાજકાજ છોડી દે ! ફરીથી વેપારી બનો ! એક વાર માનવીનું લોહી ચાખી ગયેલે વાઘ હાથબહાર થઈ જાય છે. મારે સ્વામી જોઈએ છે, મને શહેનશાહને ખપ નથી. બીજી સ્ત્રી હોત તો તમારા અલંકાર, જરઝવેરાત, સત્તામર્યાદા જોઈને ખુશ થઈ જાત, ઘરેણાંના પટારા જોઈ મેં બંધ કરીને બેસી રહેત, પણ હું તેવી નથી. મેં તો રણક્ષેત્રના રસિયા પુરૂષોની અનેક રજપૂતાણુઓ જોઈ છે. બિચારી સવામણ સોને શણગારાય, પણ અંતરમાં જુઓ તો ઊકળતો લાવા રસ ખદબદતો હોય ! એ બિચારી સીતાવનવાસ વાંચે, દ્રૌપદીહરણ વાંચે, નળદમયંતીનું આખ્યાન વચે, ને દહાડા કાઢે. દાસદાસી હાજરાહજૂર હોય, પાણી માગતાં દૂધ મળે, ચીર માગતાં હીર મળે, એક માગતાં અનેક હાજર થાય; પણ ગાંડા લેકે નથી જાણતા કે સ્ત્રીને મન એની કશી કિંમત નહીં. અંતરને સાહ્યબો આંગણે હેાય તો એને તો રૌરવ નરક પણ સ્વર્ગ થઈને ઊભું રહે! મહાભારતમાં પોતાના પિતા માટે મત્સ્યગંધાનું માગું કરવા ગયેલ ભીમને પેલા માછીમારે શું કહ્યું હતું ? તમે તો જાણો છો. ભીષ્મ એને રાજકુલના આડંબરની, એની સુખસાહ્યબીની, એનાં સ્વર્ગતુલ્ય સુખોની વાત કહી, ત્યારે એ કુદરતના બાળ મછીમારે ચોખું મોં પર ચેપડાવતાં કહ્યું કે મહારાજ, શેખી કરશો મા ! શાસ્ત્રમાં કહ્યું છે કેઃ
ચ્છાથી પ્રાણીઓને ઘાત કરનાર ટૂર માણસ ને કારાગારના અધિપતિઓ સુપાત્રમાં દાન કરવા થકી ભરીને રાજાની રાણી થાય છે. આ તો જરા લાંબી-પહેલી વાત થઈ. હું અને પિતાજી એકજ
* બાળસ્વેચ્છાછિ: કૂન: मृत्वा सत्पात्रदानेन
રાજનિજિન : . जायन्ते नृपयोषितः ॥
પતિ-પત્ની ૨૦૧ :
Page #219
--------------------------------------------------------------------------
________________
વાત કહીએ છીએ : સ્વધર્મ પાળે ! વૈશ્યને વશ્યને તે ક્ષત્રિયને ક્ષત્રિયને ધર્મ અદા કરવા દે ! '
એમ હોત તેા શુ જોઈતુ હતું ? આ સાચા ક્ષત્રિયેા કાં છે ? છે એ ક્ષત્રિયધમ ભૂલ્યા છે. વૈશ્ય પણ કયાં છે ? છે એ વૈશ્યધ ભૂલ્યા છે. દેવી, પાળે તેને ધર્મ. આજે સાચા ક્ષત્રિયા જ કયાં છે? એ હેાત તે આ પરદેશીએ જય મેળવી જાત ? કુંદન, તું સ્ત્રી છે, પુરુષના દિલમાં સૂતેલા પૌરુષના દેવને તું શું સમજે? તમારી દુનિયા ઘરની ચાર દીવાલો વચ્ચેની. પુરુષાર્થી ને તેા આખી પૃથ્વી આછી પડે. હું હિંદુસ્તાન પર નજર નાખું છું તે મારું દિલ બળી જાય છે. અરે, એક હુમાયુ જેટલી, એક શેરશાહ જેટલીય સમરવીરતા આટલા બધા ક્ષત્રિયકુલાવત સેામાં નથી. રામ અને કૃષ્ણના પૂજારીઓની શી હાલત છે ? તેમની મૂર્તિને દિવસમાં દશ દશ વાર નમસ્કાર કરીને, રામાયણ તે મહાભારતનું પારાયણ કરીનેય એમનામાં પૌરુષને
દેવ જાગતા નથી.
.
Ο
અને ધરતી તે કુંવારી કન્યા છે. કુંવારી કન્યાના સેા વર. કાઇ તે કેાઈ વર તેા પસંદ થવાના જ. રજપૂતે એ સ્વયંવરમાં જીતી શકે તેટલા સમરવીર રહ્યા નથી. કાક પરદેશી જ સ્વયંવરમાં વરમાળા પહેરશે, પછી એ પરદેશીમાંય મહમદ ગજનવી, શાહબુદ્દીન ગારી, અલાઉદ્દીન ખિલજી કે સિકંદર લેાદી ન પેસી જાય, એટલી તકેદારી રાખવી શી ખોટી? આ પરદેશીએના હાથે શાસ્ત્ર જળવાય, સ્ત્રીનાં શિયળ જળવાય, ધર્મ તે કર્માં જળવાય, મદિરાને મૂર્તિ સ્ત્રેા જળવાય, એટલુ થાય તેાય ગંગા નાહ્યા. આપણા આ પુરાણપાડીએ તે વેદપાઠી, આ ચદ્રવશીએ તે સૂર્યવંશીએ ગજનીના બજારમાં ખે રૂપિયે ન વેચાય, એટલું થાય તેય ધણુ' છે. આપણા ચૌહાણ, રાઠોડ, ચાલુકય, ચંદેલ, સેન, કચ્છવાહ, પરમાર ને ગાહિલે જે ન કરી શકયા, એ કુતુષુદ્દીન જેવાએ એક પચીસીમાં કરી બતાવ્યું. એટલે ૨૦૨ : પતિ-પત્ની
'
Page #220
--------------------------------------------------------------------------
________________
આજે તે સ્ત્રીનાં શીલ રહે, માનવાને ધર્મ રહે, દેશનુ ધન દેશમાં રહે, એટલું કરવું એ જ ધણું કર્યા બરાબર છે. કુંદન, તું તારા હેમને નીરસ, નઠાર માને છે? આવી દેવસુ ંદરી જેવી સ્ત્રી, ધીકતા વેપાર, આસાપાલવની ઘેરગંભીર છાયા જેવા પિતાજી, યુગરાજ જેવા હાનહાર પુત્ર, આવુ સ્વર્ગીય કૌટુંબિક સુખ છેડીને દિવસે। સુધી બહાર રખડવાનુ-રઝળવાનું કાને ગમે ? પણ મેં જુદાં પાણી પીધાં છે. હું મરજીવાઓ વચ્ચે મેટા થયા છું. મને ઘણી વાર અંતરમાં પાકાર પડે છે. મને ઝવેરીને જાણે કેાઈ મનુ મહારાજના વાકચી પડકાર કરે છે કે—
'
ધર્મનું રુંધન થાય ત્યારે જિાતિએ શસ્ત્ર પકડવાં. આજ ધનુ રુંધન થયું છે માટે વૈશ્યને બ્રાહ્મણે શસ્ર ગ્રહણ કરવાં જોઈ એ. ’ હેમરાજજીએ દિલની બળતરા ખુલ્લી મૂકી હતી. પતિ-પત્ની ઘણે દિવસે એકલાં મળ્યાં હતાં, ને હૈયાં ખુલ્લાં કર્યાં હતાં. ગજરાજ સુવર્ણ ધંટા વગાડતા, માનીતાં માલિકોને લઈને આગળ ને આગળ વધે જતા હતા. બાલસૂ` તેજસ્વી થતા આવતા હતે. કુ દનદેવીના વિશાળ ભાલ પર બાંધેલી દામણીના હીરા સૂર્યકિરણ સાથે સ્પર્ધા કરી રહ્યા હતા.
' शस्त्र द्विजातिभिर्ग्राह्य यत्रोपरुध्यते । '
धर्मो
• પણ એક હિંદુ ઊઠીને મુસલમાનની મૈત્રી કરે ? એના જય– પરાજયમાં મદદ કરે ? જેઓ તમને છૂપી રીતે આ જાતના કામકાજમાં પડેલા જાણે છે, તેએ ઘણી વાર આવી ટીકા કરે છે. શેરશાહ ગમે તેવા તાય પઠાણને ! મિયા તે મહાદેવને કેમ બનશે ?’
<
કુંદન, સાચી વાત છે. પણ વાત કરનારા નથી જાણતા કે અમારી મૈત્રી દિલની છે, પૂર્વજન્મના ઋણાનુબંધની છે. હું એને
પતિ-પત્ની ઃ ૨૦૩
Page #221
--------------------------------------------------------------------------
________________
નીરખું છું, ને મને રાજા ભોજ યાદ આવે છે, સગો માજો ભાઈ યાદ આવે છે. એને જોઉં છું, ને હિંદુ-મુસલમાનના ભેદ વીસરી જાઉં છું. એના જેટલે ઉદ્યમી, ખંતવાન, ચારિત્ર્યશીલ બહાદુર બીજો એક પણ રાજા આજે મારી નજરે ચડતો નથી. અને સુંદરી, ઇતિહાસ તો તેં ક્યાંથી વાંચે હાય! મેં તો દિવસો સુધી ધર્મશાસ્ત્રની જેમ એને ગોખે છે. મહમદ ગજનવી ને શાહબુદ્દીન ગોરીએ જે દિવસે હિંદના રાજાઓને પછાડ્યા – તે પછી આજ સૈકાઓ વીતી ગયા. એકે બહાદુર હિંદુ બહાર આવ્યો ? કેઈને સાર્વભૌમ સત્તા સ્થાપવાનાં સ્વપ્ન આવ્યાં? સહુએ પોતાનાં નાનાં નાનાં રાજ્ય સંભાળ્યાં; ને કહ્યું કે વગર કહ્યું પરદેશીઓના હાથ મજબૂત ક્ય. પ્રજામાં પ્રાણ હોય તો પરદેશીઓય દેશી બની જાય. ઋષિક, તુખાર, શક, હૂણ, કુશાન પદેશીઓ જ હતા. એમણે હિંદુસ્થાન છે, પણ જીવંત હિંદુ પ્રજાએ એમને જીત્યા. તેઓએ તેમને હિંદી બનાવી દીધા. તમારામાં પ્રાણ હોય તો તમે મુસલમાનોનેય શકકુશાનની જેમ તમારામાં મેળવી શકો છો. દૂધમાં પડતી સાકર પરદેશી તત્ત્વ નથી. અને હોય તો પણ એ તરવથી તો એર મીઠાશ જામે. એમનાથી છૂણું કરે હિંદુસ્તાન જીતી નહીં શકાય. જે અનિવાર્ય બન્યું છે, સમયસૂચક પ્રજાએ એનાથી હાથ મિલાવી આબાદી માટે યત્ન કરવો ઘટે. કુંદન, મારો શેર એવો છે, કે હિંદના સિંહાસને એવો કોઈ પરદેશી આવ્યો નહીં હોય ને આવશે નહીં!”
પણું ધર્મ તો જુદો ને! ” કુંદનદેવી દિવસથી મનમાં જામેલા શંકા-કુશંકાનાં જાળાં તોડતી હતી.
ધર્મ જુદો હોય તેથી થયું ? શૈવથી વૈષ્ણવ ધર્મ જુદો નથી ? વૈષ્ણવથી બૌદ્ધ ધર્મ જુદો નથી ? બૌદ્ધથી જૈન ધર્મ જુદા નથી ? એક ધર્મવાળાએ બીજા ધર્મવાળાઓ પર ક્યાં ઓછા અત્યાચાર ક્ય છે? શ–વૈષ્ણના, બૌદ્ધ-જૈનોના રક્તપાતોથી તો ઈતિહાસનાં ૨૦૪ : પતિ-પત્ની
Page #222
--------------------------------------------------------------------------
________________
પાનાંનાં પાનાં ભર્યા છે. શતાબ્દીઓ સુધી તેઓ ઝઘડવા, પછી ઠંડા પડવા ને સમજ્યા કે ધર્મને ઝઘડાનું કારણ ન બનાવવું આપણું હિત ધર્મભેદ હોવા છતાં મનભેદ રાખવામાં નથી, ને એક બન્યા. એક દહાડો હિંદુ-મુસલમાનનું પણ એમ જ બનવું અનિવાર્ય છે. બાકી કુંદનદેવી ! રાજકાજમાં તો ધર્મનું બહાનું છે. એમાં તો બાપ બેટાનો નથી, બેટો બાપનો નથી; ને જે ધર્મ એક જ હોવાથી ઉન્નતિ થતી હોત તો, આ આપણું અસંખ્ય રાજવીઓ એક થઈને દેશના દુશ્મનો સામે ઊભા રહ્યા હતા. ધર્મથી એકતા થતી હેત તો ચંદ્રવંશી ને સૂર્યવંશી, રાઠોડ ને ચૌહાણ, કચ્છવાહ ને પરમાર અને તેવી રીતે ગજનવી અને ગોરી, ખિલજી ને ગુલામ, મોગલ ને અફઘાન, સામાની ને તાર એકબીજા સાથે લડતા ન હોત.”
અમને સ્ત્રીઓને લાંબી સમજણ ન પડે. જે મંદિર તથા મૂર્તિઓ તોડે, માણસોને વટલાવે, સ્ત્રીઓનું શિયળ ભ્રષ્ટ કરે એને આપણે સાથ ન હોય.'
સાચું કહ્યું અને સુંદરી, એ વખત આવશે ત્યારે આ હેમરાજ ત્યાં ઊભો નહીં હોય! બાકી તો દરેક વિજેતાએ વત્તીઓછી રીતે જિતાયેલી પ્રજા પર જુલમ કર્યા જ છે. અલબત્ત, જુલમના પ્રકારમાં ફેર હશે. પણ મારી દૃષ્ટિએ જુલમ કરનાર કરતાં જુલમ સહનાર પ્રજા જ એ માટે વધુ ગુનેગાર છે. પ્રજા જુલમ સહન ક્ય જતી હોય તો જાલિમને જુલમ કરવાની મજા આવવાની જ. હું તો પ્રજાના પ્રાણ વિકસાવવા માગું છું.'
વિધાતાના લેખ મિથ્યા કરનાર તમે ને હું કોણ? એ તો એણે જેમ ધાર્યું હશે તેમ થશે. એ જેને રાજા બનાવવા ધારશે એ રાજા બનશે, રંક બનાવવા ધારશે તે રંક બનશે,' કુંદને ત્રિીસહજ વાત કરી. એના દિલમાં ઘર કરી રહેલા પોતાના પ્રિયતમ માટેના સંદોનું સમાધાન થયું હતું.
પતિ-પત્ની : ૨૦૫
Page #223
--------------------------------------------------------------------------
________________
.
જો એમ હોય તે। દુનિયામાં કાઈ એકનિષ્ઠાથી કામ કરે નહીં. સહુ વિધાતાના મેમાં સામે જોઈ ને બેસી રહે. કુંદન, વિધાતા પણ નમાલાએને મદદ કરતી નથી. વિધાતાનું સ્થાન માનવયત્નના ઉત્તરામાં છે. પૂર્વમાં તા સદા પુરુષાર્થીની જ પૂજા થાય છે.’
‘ પુરુષાર્થીનાં પાપ તેા કેટલીવાર ભારે બની જાય છે, અને તેમાં પણ ખાસ કરીને રાજકાજમાં પ્રવેશેલાનાં !'
કુંદન, તું સાચું કહે છે; એટલે જ કહ્યું છે તે, રાજા કાં તે નરકેસરી કે કાં તા નરકેશ્વરી ! પણ એટલુ યાદ રાખ કે રાજપદનાં પાપ જેમ એઠું નથી, એમ પુણ્ય પણ આછાં નથી. રાજા જેટલા પ્રજાનું કલ્યાણ કરનાર પણ કાઈ નથી, તેમ અકલ્યાણુ કરનાર પણ કાઈ નથી. કુંદન, જો. મારેા ઠંડા મિજાજને આ ‘હવા’ પણ વાતવાતમાં ફૂંફાડા મારે છે! એને તે મેં આગનેા તણુખે બનાવેલ છે. બંગાળ—બિહારની ગજસેનામાં બીજો ‘હવા' નથી. એને તારા ઘરનું શાન્ત વાતાવરણ ગમશે ?' હેમરાજજીએ વાત બદલી. નહિ ગમે. મને તેા સ ંદેહ છે કે આ યુગરાજને કે યુગરાજના આપને પણ ગમશે કે નહિ ?'
:
‘ દેવી, યુગરાજ કે હવાને ગમે કે ન ગમે, એ વિષેના તારા સદેહ સાચા હશે, પણ હેમરાજને તે ગમશે જ.
""
.
'કેમ ?'
એનું કારણ છે.
‘શું કારણ છે? ’
6
હેમરાજની પાસે કુંદન છે.’ તે હેમરાજે કુદનદેવીના પગ પર અજાણી રીતે ચૂંટી ખણી લીધી. સુંદરી હસી પડી. એ હાસ્ય પણ પ્રેમનાં અમુલખ મેાતી વેરી રહ્યું.
૨૦૬ : પતિ-પત્ની
"
Page #224
--------------------------------------------------------------------------
________________
રાજકારણમાં પડેલાને શું પિતા ને શું પુત્ર, તે શું
પત્ની !
જવા દે એ વાત. યુગરાજના લગ્ન માટે પિતાજી ઉતાવળ કરે જ છે, પણ મેં ના પાડી છે. દીકરા ઘેર રહી ઘરના ધધા ચલાવે તા જ એનાં લગ્ન કરવા કહ્યું છે. મારે કાઈની દીકરીને
કૂવે
6
નાખવી નથી.'
એમાં દીકરીને કૂવે નાખવા જેવું શું? આ જમાનામાં યુગરાજ જેવા વર કયાંથી મળે?'
"
• રાજકાજમાં રઝળતા ફરતા સેાનાના વરને પણ શું પૂજવાને ? મારે કાઈ બિચારી પારેવડીના ઊના નિસાસા નથી લેવા ! એ તેા હું જ...'
• તું...જ ગાંડી !...કુંદન... પગલી ! ' હેમરાજે મુક્તહાસ્ય કર્યું..
‘ હસવું જ આવે તે ! પારકાની દીકરીનેા ભવ બળે એમાં તમને હસવુ જ આવે ને! તમારે દીકરી હોત તેા ધી સમજ પડત!' “ તે! મારે દીકરી કેમ નથી ? મને એ જ અસેસ છે. એને હું કાઈ સમરવીર શેાધીને વરાવત. કુંદન, હું પૂછુ કે મારે દીકરી કેમ નથી ? ” મુસદ્દીવીર પ્રેમાળ પત્ની પાસે ધેલા કાઢવા લાગ્યા.
કુંદન કંઈ જવાબ આપવાને બલે શરમથી લાલચેાળ બની ગઈ. એ મૃદુમૃદુ હસી પડી. એણે ધીરેથી હેમરાજજીના મોં પર થપાટ મારી. હાથનાં કંકણા સુંદર સગીત સર્જી મેઠાં.
આસપાસ એકાન્ત હતું તે હાથીના હાદ્દામાં એઠેલાંના આ વિશ્રભાલાપમાં ખલેલ કરવાનું પાપ વહેારનાર કાઈ ત્યાં નહોતુ. ગજરાજને વેગ કઈક ધીમે પડયો એક ટાળું નજરે પડતું હતું. સાથે ગાડાં, હારમાળા હતી. હેમરાજજીએ હાથનુ તેજી
હતા. ઘેાડે દૂર રસ્તા પર ઊંટ, હાથી ને મજૂરાની કરીને એ તરફ જોયું.
પતિ-પત્ની : ૨૦૭
Page #225
--------------------------------------------------------------------------
________________
.
કોઈ લૂંટફાટ કરનાર તેા નથી ને ?' કુદનદેવીએ હેમરાજજીને તાકીને તે તરફ જોઈ કહ્યુ .
દિલ્હીશ્વર શેરશાહના રાજ્યમાં એ અશકય છે, ' હેમરાજજીએ કહ્યું. ‘હવા’એ પણ ઉત્સુકતાથી વેગ વધાર્યાં. જોતજોતામાં તેઓ નજીક પહેાંચી ગયાં, ને તરત જ સમજાઈ ગયું', કે બાદશાહ શેરશાહની બાપીકી જાગીર સહસરામમાં એક મકબરે ( કબરગાહ ) બંધાય છે, તેની સામગ્રી લઈ જનારી એ મંડળી છે.
.
· કુંદન, તને તેા મારા શેર માટે કઈક પૂર્વાગ્રહ છે, પણ તને શી ખબર કે એ કેવા અદ્ભુત આદમી છે! તાજપેાશીની જ રાતે એની પાસે રજૂ થયેલી હુમાયુની રૂપરૂપની રંભા જેવી બંદીવાન એગમને એણે મેન કહીને સ ંએધી; તે એ નીચ કૃત્ય કરનાર સેવકાને કહ્યું કે ‘શેરશાહને મેાતને તે ખુદાના ખેાફ છે. મારા રાજયારાહણુની યાદગીરી આ રીતે નહીં પણ મારા મકબરા બનાવીને રાખે; જેથી હરહમેશ મને કાઈ પણુ કૃત્ય કરતાં યાદ આવ્યા કરે કે મારે પણ એક દહાડા પાક-પરવરદિગારના દરબારમાં જવાનુ છે તે એને જવાબ દેવાના છે. '
.
સુંદર. આવી જ ભાવના આપણે ત્યાં છે. કહ્યુ છે તે કે નૃદ્દીત ન રોપુ મૃત્યુના ધર્મ મારેત્ । મૃત્યુ હાથવે તમાં છે, એમ સમજી ધર્મનું આરાધન કરવું! વહાલા, મને તમારા શેર માટે પહેલાંના જેવા પૂર્વાંગ્રહ હવે રહ્યો નથી.
C
· દેવી, જેવા અદ્ભુત એ શેર છે, એવા અદ્ભુત આ મકારેશ બનશે. શિલ્પ-સ્થાપત્યને તે એ ઉપાસક છે. મુસલમાન ધર્મના નિયમ પ્રમાણે એણે આ જમીન યાગ્ય બદલે આપીને મેળવી છે. જાગીર તેા એની જ, પણુ આવા કામ માટે અન્યાયથી મેળવેલી ભૂમિ ન ચાલે એવા આપણા શાસ્ત્રની જેમ એમના શાસ્ત્રમાં પણ * ઘણા સાસારામ’ કહે છે.
૨૦૮ : પતિ-પત્ની
Page #226
--------------------------------------------------------------------------
________________
નિયમ છે. ચારે તરફ સુદર ખાઇ ખેાાવી છે, તે અંદર મકારેશ ખડા કર્યાં છે. એટલે બહાર મુસલમાની સ્થાપત્ય તે અંદર હિંદુ બાંધણીનું મિશ્રણ કર્યુ છે. દિલ્હી, બગદાદને મુલતાનના કડિયાકારીગરો એમાં કામ કરે છે; સમરક ંદ, એશિયાઈ તુર્કસ્તાનથી ઘૂમટ બાંધનારા તેડાવ્યા છે. કનેાજ–બગદાદના જડતર કામ કરનારા આવ્યા છે, શીરાઝથી લહિયા આવ્યા છે.
C
· શિલ્પ-સ્થાપત્યને એ અજબ શાખીન છે. કારીગરાનાં ટાંકણાં સુંદર ભાત પાડી ઊઠે, એ માટે એણે ગુજરાત ને જયપુરથી આરસ મંગાવ્યા છે. પંજાબની ખાણામાંથી સૂકાન્ત પથ્થર માં માગ્યાં મૂલ આપીને આણ્યા છે. ઉપરાંત આગ્રા નજીકના રાતા પથ્થર મગાવ્યેા છે. ગેાવળકાંડાથી હીરા, બુંદેલખ`ડથી પન્ના, ખંભાતથી અકીક, ઈરાનથી અબરખ ગામેદ મગાવ્યાં છે. સાનાનાં કમાડા, રૂપાના રવેશેા ને સુખડના કઠેડાઓ રચાયા છે. દેશદેશથી સામગ્રી આવતી જ જાય છે, નિષ્ણાત કારીગરેાની ભરતી થયા જ કરે છે. સરુનાં ઝાડ, ભાતભાતનાં ફૂલઝાડ ને સુગ ંધી ફૂલછોડ, સંગેમરમરના હોજ તે ચારે તરફ સુ ંદર પ્રભાત તે સંખ્યાની સુરખીમાં તરંગાવલિએ જન્માવતી રિખા ખરેખર દર્શનીય છે.' હેમરાજે મકબરાનાં બાંધકામને ખ્યાલ આપ્યા.
‘ સુંદર કલ્પના છે. નિરાંતની નીદ ન લેનારા બાદશાહેાને જીવતાં નહિ તે મર્યા પછી આરામ તેા જોઈશે જ ને !'
નિરાંત ? કુ ંદન, નિરાંત માનવીને નકામા બનાવે છે. નિરાંતે તે! ભારતવનું તખ્ખાદ વાળ્યુ છે, મારું ચાલે તે સે! વર્ષ સુધી હું કાઈ ને નિરાંતની નીદથી સૂવા ન દઉં, નિરાંતના પેટથી ખાવા ન દઉં! નિરાંત સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત કે અશે!ક ને હર્ષ સાથે ગઈ !'
'
* અંગ્રેજ ઇતિહાસકાર કનિ ગહામ, વિન્સેન્ટ સ્મિથ ને હેાવલ આ મકબરાને તાજમહેલથી લેશ પણ ઊતરતા લેખતા નથી.
પતિ-પત્ની ઃ ૨૦૯
૧૪
Page #227
--------------------------------------------------------------------------
________________
વારુ, તે તમારી આ વાત બંધ કરે ! જુઓ, દૂરદૂરથી આપણું વિરામસ્થળ આવ્યાનાં ચિહ્ન દેખાય છે.”
હવાની ગતિ ધીરી પડી હતી. અત્યાર સુધી કેવળ પંથ કાપવામાં સમજનાર આ પ્રાણ હવે કંઈક ગર્વભેર ચાલવા લાગ્યું.
માટીના સુંદર આડરતે અહીં જવાતું હતું. વગડાઉ ફૂલે ને જંગલનાં હરિયાળાં ગૌચરે મનને આનંદ આપતાં હતાં.
કુંદન, જાણે હું સાધુ થવા જતો હોઉં એમ લાગે છે.”
“તમને રાજસંન્યાસી બનાવવા છે. હજી રાજકાજના ડાઘણું ઝેરી જંતુઓ તમને ઘેરી રહ્યા છે. ટૂંક સમયમાં એ પણ નાશ પામશે.”
બંગાળનું આ એક સુંદર ગામડું હતું. બંગાળના સૂબાની નોકરી છોડવા પછી શ્રેષ્ઠી રાજપાલજી આ સુંદર–વનશ્રીથી ભરેલા ગામમાં આવીને વસ્યા હતા. નિવૃત્તિ, આત્માની શોધ ને તવચિંતન એમનાં પ્રિય કાર્ય બન્યાં હતાં. એ નાની એવી હવેલી જેવા મકાનના આગળના, નાના એવા ઉદ્યાનના અગ્ર દ્વાર પર ઊભા ઊભા પુત્રના આવવાની રાહ જોઈ રહ્યા હતા. યુગરાજ ને બીજાં દાસદાસીઓ તો ગઈકાલે જ આવી ગયાં હતાં. દ્વાર ઉપર લટકતી જાઈ, જૂઈ, માલતીની વેલીઓ ધીરા ધીરાં પુષ્પ વેરતી શ્રેષ્ઠીરાજનું સન્માન કરતી હતી.
શાહી રૂઆબથી આવતો “હવા” હવે સ્પષ્ટ દેખાતો હતો. ગામના શ્વાનસમુદાયના ભસવા સામે એ અજબ સ્વાસ્થ દાખવી રહ્યો હતો.
વાહ રે રાજરંગ! ગરીબ ગાય જેવો આ હવા પણ રાજરંગમાં પડી બદલાઈ ગયો ! જુઓ તો ખરા એની મસ્તી ! જનાવરની આ દશા થાય તો માનવીનું શું?” પુત્રનું સ્વાગત કરવા શ્રેણી રાજપાલજી દરવાજો ખડા હતા. એમણે હવાને શાહી રૂઆબ જોઈ મશ્કરી કરી. - હવા દ્વાર પર આવી નીચે બેસી ગયો. હેમરાજે એક છલાંગે ૨૧૦ : પતિ-પત્ની
Page #228
--------------------------------------------------------------------------
________________
નીચે ઊતરી પિતાજીના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા.
ચિરંજીવ પુત્ર!'
કુંદનદેવી શરમાતી ધીરેથી મુખ નીચું કરી હાથ જોડતી અંદર ચાલી ગઈ.
અષ્ટપુત્રા ભવ!” વૃદ્ધ અંતરથી આશીર્વાદ આપ્યો. વંશવેલીનાં અનંત ફૂલડાંની ફેરમને એ વૃદ્ધ શ્રેણી રસિયો હતો.
:00
૪૦૪જરા
doe
પતિ-પત્ની : ૨૧૧
Page #229
--------------------------------------------------------------------------
________________
રજપૂતાઈના રજકા ૧૯
દિલ્હીના શાંત આકાશમાં ફ્રરીથી પવનવેગી ઘેાડા હણહણવા લાગ્યા હતા. વીજળીના ચમકારા તે વાદળની ગર્જનાઓ કાન ફાડી નાખવા લાગી હતી. ધાડા પર જીન, હાથી ઉપર અંબાડી, અને ઊટ પર ખેાગીરા મંડાવા લાગ્યાં હતાં.
આકાશની ખલાએ ફરીથી પૃથ્વી પર ખેંચાઈ આવવાની હતી, કારણ કે હું દરવાની શેરશાહ રજપૂતાઈ ને નાથવા મેદાનેજંગમાં ઝુકાવતા હતા. એની રાજનીતિ પેાકારી પેાકારીને કહેતી હતી, કે ઉધાડું રહી ગયેલુ એક દ્વાર ખીન્ન દેશ દ્વાર ઉધાડી દેશે. મેાગલાને હિંદમાંથી હાંકી કાઢવા, પણ હજી એક પ્રચંડ શક્તિ હિંદમાં વેરાયેલ પડી હતી, અને તે રજપૂતાઈ, મેાગલા કરતાં એના ડર ભારે હતા.
જો કે હિંદની ધરતી પર પ્રસરેલાં રજપૂત રાજ્યેનું ઝીણવટથી અવલેાકન કરનાર તે તરત કહી શકે તેમ હતુ કે શહેનશાહુ શેરશાહના આ સંદે માત્ર હતેા. મરુભૂમિના અનંત રજકણા જેવી રજપૂત-શક્તિના
૨૧૨
Page #230
--------------------------------------------------------------------------
________________
આજ કાઈ ઢગ રચી દીવાલેા ખડી કરી શકે તેમ નહોતું. અલબત્ત, લશ્કરની કાઈ કાળે વણુઝારાની વણુઝારા, સેનાની સેનાને ભરખી જવાની ધરખમ તાકાત ધરાવનાર એ રજકણા પ્રલયનાં નાનાં નાનાં રૂપ હતાં. એ એકઠાં મળે તે ? એકસ`પની બત્તી ચેતાવે તે ? એ જિન્દાદિલી, એ પૌરુષ, એ સમર્પણ ભાવના એક અને તા? જગેમ શેરશાહના અનુભવ કહેતા હતા, કે તેા સંસારવિજયી સૈન્યાના છક્કા છૂટી જાય ! ગજનવી, ગારી કે બાબર જેવાને ભારે પડી જાય ! એક રજપૂત એક કિલ્લા જેવા બળવાન તે એક રજપૂતાણી આગના ભડકા જેટલી તાકાતવાન હતી.
પણ આ રજકણાને ઢગ રચી શકાય ? છૂટા, સ્વચ્છ ંદ, મનસ્વી રીતે વતા આ રજકણામાં એકત્ર થઈ શકે તેવી સ્નિગ્ધતા આણી શકાય ? પણ એ પ્રશ્ન આજે વર્ષોથી બ્ય હતા. નહિ તે એ રેતીના કણસમૂહના ઢગ માત્ર રચાયા હોત તેાય દુશ્મનાના દારૂગાળા નિરક થાત !
એ વ્યર્થ લાગતા પ્રશ્ન શ ંકાનું સ્વરૂપ લઈ તે દૂરદેશ શહેનશાહના દિલમાં આવી વસ્યા હતા. એના વિશાળ સામ્રાજ્યના દક્ષિણ પાલવ પરનાં રજપૂતાના, માલવા, બુંદેલખંડ કાબૂ બહારનાં રાજ્ય હતાં. મારવાડના રાજા માલદેવ પશ્ચિમ હિંદની મહાન શક્તિ બનતા જતા હતા. ખીજી તરફ માળવાને રાજા પૂરણમલ શોના નમૂના તરીકે વખણાતા હતા.
માળવાને રાજા પૂરણમલ ને મારવાડના રાજા માલદેવ; આ એ એકસપ થઈ એક અને તા?
દૂરદેશી શેરશાહને લાગ્યું` કે એમ બને તેા, રાણા સાંગા અને રાજા મેદનીરાયને કિસ્સા ફરીથી ઊભા થાય, તે બાદશાહ બાબરની જેમ એ કિસ્સા ખતમ કરતાં તેવાં પાણી માથે ચઢે ! દુશ્મન તે દર્દ અને જાગતાં દાખ્યાં સારાં !
રજપૂતાઈના રજકણા : ૨૧૩
Page #231
--------------------------------------------------------------------------
________________
હુમાયુને હિંદની બહાર ધકેલીને એનાં સૈન્ય પાછાં ફરતાં હતાં. ગ્વાલિયર–થ ભારના કિલ્લા ફતેહ કરીને સેનાપતિએ દિલ્હી ભણી આવતા હતા. સેનાપતિ ખવાસખાન બંગાળના રાહતાસ કિલ્લામાં હેઝ છૂપા છૂપા સળવળતા શત્રુઓના સંહાર માટે સજ્જ મેઠા હતા; ત્યાં ખુદ શહેનશાહના નાના પુત્ર જલાલખાનના સેનાપતિત્વ નીચે લશ્કરે મધ્ય હિંદુના પ્રદેશો ખૂંદવા લાગ્યાં.
' એકાએક રાયસેનના કિલ્લાને ઘેરા, ધાલવામાં આવ્યો, પશુ કદી વીંછીના આંકડા નમે તે રજપૂત વીર નમે ! બહાદુર જલાલખાન હાર અનુભવી પાહેા ફર્યાં. મેટાની જગા બાપે લીધી. આખરે મર્દાની મૂછેાનાં પાણી ઉતારનાર શેરશાહ ભયંકર કાપ સાથે મેદાનમાં આવ્યા. ‘ કંઈ વાક ! કઇ ગુને!' માલવરાજ ઠાકોર પૂરણમલે દૂત માકલી પુછાવ્યું .
૮ અવશ્ય ! ઠાકારને માથે તહેમત છે. એણે નિર્દોષ મુસલમાન એરતાને કેદ રાખી છે. ઠાકાર પાતે ગુનાની સફાઈ માટે
હાજર થાય.
.
એક રજપૂત રાજા સામે પગલે હાજર થાય એ કેમ બને? અસંભવ ! છતાં ઠાકારને સિદ્ધ છંછેડવા નહાતા. એણે પેાતાની નિર્દેષિતા સાબિત કરવા માટે સેા હાથી ભેટ મેાકલી આપ્યા ! પણ આથી તે। શહેનશાહના ક્રોધમાં વધારે થયા, અને સૈન્યને હલે કરવાને હુકમ આપ્યા.
જબરદસ્ત હુલ્લા શરૂ થયા પણ સામેથી એટલા જ વીરત્વથી જવાબ મળવા લાગ્યા. અફધાન સૈન્ય રજપૂતાની જવાંમર્દી સામે પાછા ડગ ભરવા માંડયું, પણ શેરશાહના વિજયેા એકલી સૈન્યશક્તિ પર નિર્ભર નહોતા, મુત્સદ્દીવટ પણ એમાં હાજર જ રહેતી. ઘેરા લખાયા. શત્રુને ભૂખે મારી કબજે લાવવાની તરકીા શરૂ થઈ.
૨૧૪ : રજપૂતાઈના રજકણા
Page #232
--------------------------------------------------------------------------
________________
એક, બે, પાંચ, સાત મહિના વ્યતીત થઈ ગયા. નાકાઓ ને રસ્તાઓ બંધ હતા. રાયસેનના ભંડારમાં અન્ન ખૂટયું. નવાણનાં પાણું પાતાળ ગયાં. બંદુક-તોપને દારૂગોળો ખૂટયો. દુશ્મનને દુશ્મન મિત્ર બનીને મદદે આવે એમ નહતું. સહુ સમાચાર સાંભળીને સમસમી રહેતા. એક જ ધર્મ, એક જ દેશ, એક જ જાતિ, આટઆટલા સંબંધે, પણ એ સંબંધો પણ કઈ રજપૂત રાજાઓમાં જેશ ન લાવી શક્યા. પારકી ઉપાધિ પિતાના ઘરમાં શા માટે ઘાલવી, એમ સમજી સહુ શાન્ત રહ્યા.
ધીરે ધીરે રાત ભયંકર અને દિવસે પ્રાણઘાતક બન્યા. રિબાઈ રિબાઈને મરવાની ઘડી આવી પહોંચી. નિરુપાયે ઠાકોરે સંધિ માટે કહેણ મોકલવું; પોતાનો ખજાનો, પોતાનું અંતઃપુર ને પોતાનું સૈન્ય લઈને કિલે ખાલી કરી દેવાનું કબૂલ કર્યું.
દિલ્હીશ્વર શેરશાહ તો તૈયાર હતો. સંધિના વાવટા ચઢાવવામાં આવ્યા. રજપૂતોએ કિલ્લે ખાલી કરવાનું આરંવ્યું. માતાના સ્તન પરથી ધાવતા બાળકને વછોડતાં કેવું કશું દશ્ય જમે! એવું જ દશ્ય આ શૂરાતનના અવતારોના ચહેરા પર અંકિત થયું હતું. શિરને માટે સત સાચવનાર વિશ્વવિજયી વીરોની એ સંતાન હતી !
રૂપરૂપના અંબાર સમું અંતઃપુર માળો છોડતી કાબરો જેમ કળકળાટ કરતું હતું. એક તરફ હિલોળા દેતું અફઘાન સૈન્ય ને બીજી બાજુ મૂઠીભર રજપૂતો ! આ જક્કી રજપૂતોએ જ મહિનાઓથી હેરાનગતી ઊભી કરેલી ! અને આજે કેવો સરસ શિકાર હાથમાંથી વહ્યો જાય છે ! અફઘાન સૈનિકોને જૂનો સ્વભાવ જાગવા લાગ્યો. સાત સાત મહિનાથી પોતાની નીંદ હરામ કરાવનાર આ નાલાયક મગતરાંઓને એમની મગરૂબીનાં માઠાં ફળ જરૂર ચખાડવાં ઘટે.
કિલ્લો છોડતાં પહેલાં ઠાકોર પૂરણમલ શાહની મુલાકાતે આવતો
રજપૂતાઈના રજકણે ઃ ૨૧૫
Page #233
--------------------------------------------------------------------------
________________
હતા. આહ, ખૂન પીવાની કેવી સુ ંદર તક ! વાધતા ઝનૂની સ્વભાવ ઉછાળા મારવા લાગ્યા.
"
આ તે। આકડે મધ ! શેખ સાહેબ, સાપ-વીંછીને જીવતા જવા દેવાય ? ' અહ્વાન સૈન્યમાંથી પડકાર ઊઠ્યો.
હરગિજ નહીં!' સૈન્ય સાથે રહેલા મુસલમાન શેખ–કીરાએ જવાબ વાળ્યો. આ જવાબ આપતી વખતે તેએની આંખેા પવિત્ર કિતાબ તરફ નહોતી. ખૂન ને જુલમ માટે તૈયાર થઈ બેઠેલા, લૂટના જુલમ વરસાવવા સજ્જ થયેલા અધાન સિપાહીઓના ભયંકર ચહેરા તરફ હતી.
·
<
ા શું વિશ્વાસધાત કરવા?' ` શહેનશાહે વચ્ચે પ્રશ્ન કર્યાં.
અવશ્ય. રાજનીતિમાં એ તે બનતું આવ્યું છે. વળી કાફીને આપેલું વચન પાર પાડવાની કોઈ જરૂર નથી. પવિત્ર કિતાબ કહે છે કે એમની સાથે વિશ્વાસધાત એ પાપ નથી.'
*
અલ્લાના હર્ષ્યાન્મત્ત બની ગયા. જોઈતું'તુ ને વૈદ્યે કહ્યું. એમણે કિકિયારી પાડી એકાએક હલ્લો શરૂ કર્યાં. બહાદુર રાજ પૂરણમલ વખત પારખી ગયેા. રજપૂતા માટે બકરાની જેમ રહેંસાઈ જવાની વેળા આવી ઊભી હતી. શાહને મળવા જતા રાજા કુનેહથી પા ફરી ગયા. એણે દોડીને સૈન્યને સાવધ કર્યું ને કહ્યુંઃ
.
બહાદુરા, દુશ્મનેાએ દગા કર્યાં છે. તેઓ ભૂખ્યા વાધની જેમ ધસ્યા આવે છે. સાવધ બને! આજે પૂરેપૂરો હિસાબ ચુકાવજો. રજપૂત છે, રજપૂતાનીનું દૂધ ધાવ્યા છે, માતાનું દૂધ ઉજાળો ! જીવતા નહી તે। મરીતે પણ માળવા લેજો.'
"
રાજાજીની શરણે થવાની આજ્ઞાને તામે થઈ, ક્ષણુ પહેલાં પૃથ્વીમાં માં ઘાલીને ચાલતા રજપૂતા સાવધ થઈ ગયા. એમના ટટ્ટાર મસ્તકામાં શંકરના પ્રલયધેાષ ગાજી ઊઠયો. અફધાન સૈન્યનાં
૨૧૬ : રજપૂતાઈના રજકણા
Page #234
--------------------------------------------------------------------------
________________
ધાડાં ઊમટી પડ્યાં. રાઈના દાણા જેવા રજપૂત જાણે પહાડથી ટક્કર લેવા લાગ્યા.
રાજા પૂરણમલ છેલ્લી તૈયારી માટે અંતપુરમાં દોડી ગયો.
ડોલરના ફૂલ જેવી, ચંપાની કળી જેવી પ્રિય રાણી રત્નાવલીને પ્રેમથી પાસે બેલાવી ?
વહાલી, દુશ્મન દગો રમ્યા. રજપૂતોએ કેસરિયાં કર્યા છે, હું જાઉં છું. હવે સ્વર્ગમાં મળીશું. તૈયાર છે ને?”
“તૈયાર છું, વહાલા. રજપૂતાણને વળી પૂછવાનું હોય ?” રત્નાવલી પ્રિય પતિને ગાઢ રીતે આલિંગી રહી.
પતિના હાથનું રત્નજડિત ખંજર એના વક્ષસ્થળની આરપાર નીકળી ગયું. રજપૂતાણી મરતાં મરતાં બોલીઃ “જય અંબે !”
જય અંબે!” કહી ઠાકરે ખેંચ્યું, ને પત્નીના નીચે પડતા નિર્જીવ દેહને એક વાર છાતી સાથે દાબી નીચે મૂક્યો; ને યુદ્ધના મેદાનમાં કૂદી પડયો.
અફઘાને જેને રમત સમજતા હતા, આકડા પરથી મધ ઉતારી લેવાને ખેલ માનતા હતા, તેઓને આટલા નાના સૈન્ય સામે પણ ટકતાં ય ભારે પડી. રાઈ ને એક એક દાણે મોટા પહાડોને પણ ખસેડી નાખે તેટલે તાકાતવાન બન્યો હતો.
તુમુલ યુદ્ધ મચી રહ્યું. શહેનશાહે રંગ પલટાતો નિહાળી પિતાનું અનામત લશ્કર છોડી મૂક્યું. ભયંકર ખાનાખરાબી મચી રહી ! એકેએક રજપૂતે પોતાના લેહીના છેલ્લા બુંદ સુધીને હિસાબ પતાવ્યો.
ન લડી શકે તેવી ભીરુ સ્ત્રીઓ અને બાળકે સિવાય જ્યારે કઈ જીવતું ન રહ્યું, ત્યારે લડાઈ શાંત થઈ. પણ સામાન્ય મૂઈમાં અફઘાને એ જમ્બર હાનિ ઉઠાવી હતી. શહેનશાહના ગુર જવાલાની
રજપૂતાઈના રજકણે ઃ ૨૧૭
Page #235
--------------------------------------------------------------------------
________________
જેમ ભભૂકી ઊડો. બંદીવાન બનીને ઊભેલા ઠાકર પૂરણમલના નાના ત્રણ કુમારો અને કુંદના ફૂલ જેવી એની કુંવરીને જોઈ શેરશાહે ત્રાડ મારીઃ
“આ ઠાકરના વંશનું જડાબીટ કાઢી નાખો ! એના ત્રણે છોકરાઓને હીજડા બના, છોકરીને નાચનારી બનાવો ! રજપૂતો સમજી લે કે શેરશાહ સામે બાકરી બાંધનારની કેવી દશા થાય છે.'
પણ જહાંપનાહ, આ કામ આપણી નીતિથી વિરુદ્ધ છે!” કેટલાક વૃદ્ધ અફઘાન સિપાહીઓ ડરતાં ડરતાં બોલી ઊઠયા.
કોણ છે એ નીતિનું નામ લેનાર! શેખ સાદી સાહેબ ફરમાવે છે કે જેની બુનિયાદ ખરાબ હોય તેની તમામ બુનિયાદ અને તેના આખા વંશને કાપી નાખવો વધારે સારું છે, કારણ કે આતશને હેલવી નાખ ને ચિનગારી જલતી રાખવી; સાપને મારી નાખ અને બચ્ચાંને પાળવું એ અકલમંદનું કામ નથી. શેરશાહના ભયંકર પડકારથી આ કૃત્ય વિરુદ્ધ ફરિયાદ કરનાર ડાઘણા શાણું અફઘાન સિનિકેની જબાન સિવાઈ ગઈ. શેરશાહે પોતાની ક્રોધાવાલાને શાંત કરે તેવું કૃત્ય કર્યું કે છોકરીને નાચનારી બનાવી ગણિકાને ભેટ કરી; છોકરાઓને હીજડા બનાવ્યા.
એણે રજપૂતોનાં કાળજાં ફફડી ઊઠે એવું કૃત્ય કરી બતાવ્યું. -- રાયસેનના કિલામાં જ્યારે નિર્જીવ પથ્થર જ બાકી રહ્યા, ત્યારે એ દિલ્હી પાછો ફર્યો. આ અત્યાચારની ગાથાઓ આખા હિંદુસ્થાનમાં પ્રસરી વળી. શહેનશાહ શેરશાહની છાયા પણ સ્વપ્નમાં સહુને ડરાવવા લાગી.
છતાંય અન્ય રજપૂત રાજાઓએ નિરાંતે પોતાના દુર્ગના બુરજ પરથી તટસ્થ ભાવે આ નીરખ્યા કર્યું. રામાયણ ને મહાભારતના એ
+ “આ છોકરી એ જ મશહૂર ગણિકા ચિતામણિ : એક માન્યતા.
૨૧૮ : રજપૂતાઈના રજકણે
Page #236
--------------------------------------------------------------------------
________________
પૂજારીઓને હૈયે યુદ્ધનાં રણશિંગાં ફૂંકી શત્રુને સમજી લેવાનું ન વસ્યું. તેઓએ નિર્જીવ રામલીલામાં વાલવધ તે રાવણુસંહાર નીરખ્યા કર્યા; દશેરાના ઘેાડા ને દિવાળીના દીવાએ સદા પેટાવ્યા કર્યાં; જન્માષ્ટમી ઊજવી ક ંસ તે કૃષ્ણનાં ચરિત્ર સાંભળ્યાં, પણ કુસ પી હૈયામાં કશી ચમક ન આવી. જાણે આખા એમને સંસાર જડભરતાના બન્યા હતેા. જાતિ, કુળ ને ધર્માંથી એક, પણ અંદરના ભેદાભેદોથી ખૂબ ખૂબ દૂર આ રજપૂતાઈ મુસદ્દીવટ વીસરી ચૂકી હતી. એમની મૂÈાના વળ ઊતરતા જ નહોતા. એમની મેટાઈનાં ગાણાં કદી બંધ જ થતાં નહોતાં.
ભલે એ બધા પેાતાનાં ઘર સંભાળી એસી ગયા હાય, પણ શેરશાહ એમ નિરાંતે બેસી રહે તેમ નહતેા. એણે એક પ્રબળ શત્રુને ઠાર કર્યાં હતા. બીજા પ્રબળ શત્રુ તરફ એની ગરુડષ્ટિ ચોંટેલી જ હતી. પણ કાચું કાપે એવા એ ઉતાવિળયેા પણ નહેાતે. સાપ અને શત્રુને છંછેડયા પછી, એને નાશ કર્યાં વગર ન જપવાના નિયમમાં એ માનનારે હતેા. એના સેનાપતિએ મુલતાન તે સક્કર જીતતા હતા. એનું ભૌગોલિક જ્ઞાન કહેતું હતું કે મુલતાન તે સક્કર જિતાય તે। બાકી રહેલે એક માત્ર અળિયા રજપૂત રાજા માલદેવ ત્રણ તરફથી ઘેરાઈ જાય.
દિલ્હીશ્વર શેરશાહની સેનાના પગલે પગલે વિજય ઘેરાયા હતા. રાજાએ એ કાળ હતા, પણ પ્રજાતા તે! એ તારણહાર હતા. મુલતાન તે સક્કરને વિજય કરીને પાછી ફરેલી એની સેના દિલ્હીમાં પ્રવેશી. એના પછી થેાડા દિવસે શહેનશાહે સૂચને ઢોલ પીટયો.
એ કૂચ મરુભૂમિના શેષ રજકણા તરફ હતી, મારવાડના રાળ માલદેવ પર હતી. રાયસેનની કતલ શાંતચિત્તે નીરખનાર રાજા માલદેવ રેતીના અનન્ત રજકણા વચ્ચે શત્રુના ધે!ર પડછાયા નીરખી રહ્યો.
રજપૂતાઈના રજકણા : ૨૧૯
Page #237
--------------------------------------------------------------------------
________________
મૃત્યુની કળાના પરમ જ્ઞાતા આ રજપૂત વીરે જીવન જીવવાની કળા વીસરી ગયા હતા. મૃત્યુની અમરતાની કળાના તેઓ જાણકાર હતા. તેઓએ આવી પડેલી લડાઈ આરંભી. હમેશના નિયમ મુજબ લડનારાઓના શૌર્યનો પાર નહોતો. પણ એકલા શૌર્યથી–તલવારની પટાબાજી કર્યો–કંઈ રણમેદાન પર ફતેહ થડી હાંસલ થાય છે ? ત્યાં તો વિચક્ષણતા જોઈએ, મુસદ્દીવટ જઈએ. રજપૂતોના પક્ષમાં એની મોટી ખામી હતી.
શહેનશાહ શેરશાહે એ અજમાવી.
એક દહાડો અચાનકરાજ માલદેવના તંબૂમાંથી કેટલાક કાગળો મળી આવ્યા. ખૂબ અગત્યના એ કાગળો હતા. તાબડતોબ રાજા માલદેવ પાસે એ રજૂ કરવામાં આવ્યા. કાગળો શેરશાહ તરફથી રાજા માલદેવના સરદારો પર લખાયેલા હતા. ચાલતી લડાઈએ રાજાને પકડી દિલ્હીશ્વર સમક્ષ રજૂ કરવાના તેઓના નિર્ણય બદલ દિલ્હીશ્વરનો હર્ષ એમાં પ્રગટ કરવામાં આવ્યો હતો, ને યુદ્ધની પૂર્ણ હુતિ બાદ ઉદાર હાથે જાગીરની બક્ષિસ કરવાની એમાં યાદ આપવામાં આવી હતી.
આ વાંચી રાજા માલદેવ ગભરાઈ ઊડ્યો. અરે, શું પાણીમાં આગ ઊઠી ? મારા સરદારો જ ફૂટેલા? અને હું પકડાઈ જાઉં તો શેરશાહ શું જુલમ ન ગુજારે ? રાજા માદેવની નજર સામે રાયસેનની કલેઆમને નકશે ખેંચાઈ ગયે. શું મારા અંતઃપુરની એ દશા થશે? શું મારા પ્યારાં બચ્ચાંની એ કરુણુ હાલત થશે?
રાજા મૂંઝાઈ ગયા. એના સામર્થનું લેહી પાણી થઈને વહી ગયું. સરદારે સમજાવવા ગયા તે એ વધુ વહેમાયો. વહેલી પ્રભાતે પોતાના વિશ્વાસુ સેવકો સાથે જોધપુરનો કિલ્લે સૂતો મૂકી એ ચાલ્યો ગ. ગૌ બ્રાહ્મણ પ્રતિપાળને આમ ફરજમાંથી નાસી છૂટતાં લેશ માત્ર શરમ ન આવી.
૨૨૦ : રજપૂતાઈના રજકણે
Page #238
--------------------------------------------------------------------------
________________
હેમરાજના પેલા શબ્દ પગલે પગલે સાચા પડતા હતા કે તલવારથી કદાચ સે બસને હરાવી શકાય, પણ હિકમતથી– ચાલાકીથી આખ સૈન્યને હંફાવી શકાય.
જોધપુરનો ગઢ રાજાવિહોણે બન્યો. દિહીશ્વરે હલ્લો કરી દીધો. કિલે હાથવેંતમાં સમજી શાહી સેના આગળ વધતી હતી. અચાનક મારવાડને સરદાર રાણે કુંભે બાર હજારની સેના સાથે મેદાને પડવ્યો. એંશી હજાર સામે શરા બાર હજારે જુદ્ધ જમાવ્યું.
બારે હજાર જીવતાં પાછા ફરવાની આશા મૂકીને આવ્યા હતા; એ તો ખડિયામાં ખાંપણ નાખીને નીકળ્યા હતા. કેવળ રજપૂતીનું નામ રાખવાની તમન્નાએ, હિંદુઓની વીરપરંપરાની યાદ આપવા સહુને તેગ ઉઠાવી હતી.
તુમુલ યુદ્ધ જામ્યું. શ્રી રજપૂતાઈને પચે ફરી એક વાર શાહને મળે. દિલ્હીને શાહ વિચારમાં પડી ગયા.
' અરે, મૂઠીભર બાજરો મેળવવાના લોભમાં એને માટે રાજ ખવાનો પ્રસંગ આવ્યો.
મોટી સંખ્યા સાથે લડતા મૂઠીભર રજપૂતો હવે થાક્યા હતા. યુદ્ધના અવિરત શ્રમથી શ્રમિત થયેલા તેમને કોઈ નવી મદદ મોકલે તેમ ન હતું. શેરશાહનું અનામત લશ્કર છેડવામાં આવ્યું. એક એક રજપૂત ત્યાં મેદાન પર કપાઈ મૂઓ. કોઈએ પીઠ ન બતાવી.
કાળખંજરી બજાવતી રાત્રિ રણમેદાન પર આવી, ત્યારે બધા રજપૂત યોદ્ધાઓ ચિરનિદ્રામાં પોઢી ગયા હતા. ને દૂર દૂર અસ્થિપિંજર જેવા ઊંચા શાલ્મલી વૃક્ષ પર બેઠે બેઠે ઘુવડ ઊંચે સાદે એમને જગાડવા યત્ન કરી રહ્યો હતો.
શૂરા સેનિકોની સેવાબદાસ્ત કરવા નીકળેલ શહેનશાહ અંધારી રાતે યમદૂત જેવો લાગતો હતો. પાછળ ફરતા અનુચર મહાદેવના ગણ જેવા ચિત્રવિચિત્ર ભાસતા હતા.
રજપૂતાઈના રજકણો : ૨૨૧
Page #239
--------------------------------------------------------------------------
________________
જહાંપનાહ, અજમેર, આછુ જહાજપુરના સત્તાધીશ એ આપની સત્તાને સરાચશ્મ સ્વીકારી છે. ચિતાડના રાણાઓ પણ લડવા તૈયાર નથી.'
'
ખવાસખાન, હું તમારા દેશબસ્ત કબૂલ રાખું છું. રાજપૂતાના પર મારે રાજ્ય કરવું નથી. કેવળ અજમેર જેવાં નામાં બજે રાખી લે!! આ રાજ્યા એક થઈ શાહી સત્તા સામે બળવા ન ઉઠાવે તેટલું જ જોવાતુ છે. દુશ્મનને દૂબળા ને લાચાર કદી ન ગણવા. મે' ઘણી વાર જોયું છે, કે નાના ઝરણાનું પાણી જ્યારે વધી જાય છે, ત્યારે ઊંટને પણ તાણી જાય છે. ખવાસ ખાન, હું ખરેખર આફરીન છુ, આ રજપૂત જવામદે પર ! અલ્લાએ શું જવાંમર્દી અક્ષી છે ! '
*
બધી ટાળી મસ્તક નમાવીને સાંભળી રહી.
૮ ખવાસખાન, અહી બિનભરાસાને કાર્ય આદમી તેા નથી ને ?” ‘ના, ગરીબપરવર ! ’
:
'
‘ જુએ, શેરશાહના સમ્રાજ્યની સીમા કંદહાર, કાઝુલ ને કાશ્મીરતી સીમાએથી કુચબિહારની સીમાને સ્પર્શી છે. પૂર્વાં માલવાની ફતેહથી ગઢકંટક સુધી આપણા કાનિશાન ગડગડે છે. પણ એક બીજી દિશામાં રાહતાસ ને માલવાની વચ્ચે—ચદ્રની વચ્ચે રહેલા કલકની જેમ~~. દેલખંડ નડે છે; એને વિજય એ મારી મુરાદ છે.’ મારા માલિક, બુંદેલખડના કિલ્લો કલિંજર દુનિયાના મેનમૂન કિલ્લે છે. કલિંજર તેા કાલજ્વર જેવા છે.’
“ શેરશાહે અને શેરશાહની સેનાએ વિજય કે મૃત્યુ એ એ સિવાય કંઈ જાણ્યું નથી. લિંજર હોય કે કાલજ્વર હાય, એણે શાહી તખ્તને તામે થવુ પડશે.’
શેરશાહના શબ્દોના પ્રતિધેાષ પાડતા હોય તેમ, જોધપુરના કિલ્લા પરથી એક મેાટા વટાળિયેા ઊઠી આવ્યા. આકાશના સિતારાઓ સ્તબ્ધ નયને એ નીરખી રહ્યા.
૨૨૨ : રજપૂતાઈના રજકણા
Page #240
--------------------------------------------------------------------------
________________
બેવફાઇ ! એક હસીન, જવાન, હસરતભરી આરત
સાથે એવફાઈ ! શેરશાહ, સલ્તનતના માલિક થયે એટલે શું થયું? સેાનાનું સિંહાસન અને રત્નજડયો તાજ મળ્યા એટલે ખુદાએ આપેલ દર્દભર્યું દિલ તે ખાઈ દીધું ! જોબનની દાલતનું દાન કરનાર તારી પ્રિયતમાને શું સાવ ભૂલી ગયે ?
બુલબુલનું રુદન ૨૦
શેરશાહ, જે નિસરણીએ તું ઉપર ચઢવો, એ નિસરણીને જ કામ સયુ· એટલે ઉઠાવીને અલગ ફેંક દીધી ? શું ઇન્સાનિયત આવી હશે? ઈશ્કની આલમમાં શેરશાહ, તેં ભયંકર ભૂલ કરી. ખુદાના દરબારમાં તે ઍજવાબ મુતે પેશ કર્યાં! તારા હીરા-માણેક એને ઢાંકી નહીં શકે! દુનિયાના આગ કે પાણી એને ઓછાં નહીં કરી શકે ! કયામતના દિવસે તું ખુદાને શા જવાબ આપીશ ?
થાકયાં—તારી પ્રાણપ્રિયતમા મલિકાનાં નયના હવે રાહ જોઈ જોઈ ને થાકયાં. ઋતુ ઋતુના દાહ
૨૨૩
Page #241
--------------------------------------------------------------------------
________________
એના દેહને ખાઈ ગયા. હૂંફાળે શિયાળો આવ્યો; મલયાનિલ લાવતો ઉનાળો આવ્યો; રૂમઝૂમ વરસતી વર્ષા આવી; આમ્રને કરી આવી; મોગરાને ફૂલ આવ્ય; સુકાયેલાં જળચરોમાં નવા પ્રાણ આવ્યા, તોય રસિયો ન આવ્યું તે ન આવે. એ બિચારી રસની મરુકું જેમાં મૃગજળ જોતી બેસી રહી!
કેટલી રાતો ને કેટલા દિવસે તારી વ્યાકુળતામાં વિતાવ્યા? દિવસને ભૂલેલે રાત્રે ઘેર આવશે એ આશાએ આ આંખનાં કેડિયાં હેલવાતાં ચાલ્યાં. રાત આવે છે ને ગગનતારાઓ સાથે હેડ બાંધી બેસે છે. એકાએક ઝાડની ડાળી બીજી ડાળી સાથે અથડાય છે, ને એને લાગે છે કે મારો સાહ્યબે આવી પહોંચ્યો. અંધારામાં આંખો ફાડતી એ જોઈ રહે છે, કે ક્યાંય દેખાય છે એ અલબેલો અશ્વ ને ક્યાંય દેખાય છે મારા મનને સ્વામી! પણ અભાગી નારી આંસુ સિવાય કંઈ પામતી નથી.
અંધારામાં પવન દ્વાર ખખડાવે છે ને બારણું ઉઘાડવા એ ઉતાવળે દોડે છે, દાસીઓ મશ્કરી કરે છે. ઉઘાડાં દ્વાર પણ એની મશ્કરી કરતાં પાછી એમ ને એમ બિડાય છે.
કોઈ કોઈ વાર દૂરદૂર દીવા દેખાય છે, ઘેડાના દાબલા ગાજે છે. કોઈ રૂપાળા અસવારને પ્રવેશ કરતો નિહાળે છે, પણ અભાગિનીનું એ દિવાસ્વપ્ન લાંબો સમય ટકતું નથી.
જિંદગીમાંથી જાણે નૂર કેાઈ લઈ ગયું અને રોઈ રોઈને આ રીતે કમોતે મરવું ? આ દેહનો અણુએ અણુ છૂટો પાડીને મરવું ? વાહ રે મહારાણી, વાહ રે ચક્રવતનું રત્ન ! મોત પણ મેળવતાં આવડતું નથી !
અલકલટોને સમારતી, વર્ષોથી વિયોગના તાપમાં જીવતી શેકાતી, ચુનારગઢની લાડુ મલિકા એક ક્ષણ વિચારમાં ઊતરી ગઈ. અચાનક જાણે કાંઈ સૂઝી આવ્યું, ને હસતી હસતી એ પાસેના ખંડમાં ચાલી ૨૨૪ : બુલબુલનું રુદન
,
Page #242
--------------------------------------------------------------------------
________________
ગઈ. પણ જેવી ગઈ તેવી પાછી આવી. એના કોમળ હાથમાં એક મજબૂત સુવર્ણમંજૂષા હતી. કીંમતી વસ્તુઓ એમાં સચવાયેલી હેય એમ ચારે તરફથી એ મજબૂત રીતે બંધ કરેલી હતી.
મંજૂષાને ચંદનની ઘડી પર મૂકતાં મલિકાએ એક વાર અટ્ટહાસ્ય કર્યું. આ હાસ્યમાં ઘેલછાની છાયા સ્પષ્ટ દેખાતી હતી.
મલિકા હસતી હસતી કંઈક બબડી રહી હતી.
આજે રજપૂતાણુઓના જોહરને પણ ઝાંખું પાડે તેવું કામ હું કરી બતાવીશ–હિન્દુઓની આત્મહત્યા, મુસલમાનની ખુદકશી ! આગમાં એક વાર ઝંપલાવી દેવું રમત છે, પણ આમ જીવતા જાગતા મોત સાથે રમવું સહેલ નથી !
મલિકાએ ધીરેથી મંજૂષાનો એક ભાગ ઢીલ કર્યા. અંદર કોઈને સળવળાટ સંભળાય. મલિકાએ મંજૂષા પર જોરથી હાથ માર્યો. કૂ..... અંદરથી ભયંકર ફૂંફાડ સંભળાયો.
ઓ મલયગિરિના મહારાજ, જાગી જાઓ ! વર્ષો પછી તમારે જાગવાની વેળા આવી છે. આજ એક સુંદર શિકાર તમારે હાથ આવ્યો છે. યાદ છે તમારી કહાણી ચંદનવૃક્ષ નીચેની તમારી પ્રિયતમા સાથે તમને આવ્યાને વર્ષો વીતી ગયાં. અને ચુનારગઢના અંતઃપુરમાં કેટલાય લાચાર ગુનેગાર કે બિનગુનેગાર તમારા હસ્તે સ્વધામ સિધાવ્યા. ચુનારગઢનું અંતઃપુર હમેશાં ભેદભરમનો અખાડો હતો. જેનું જોર ચાલતું એ તમારી પાસે પિતાના હરીફને મેકલતુ, અને તમે એનો ન્યાય તરત ચુકાવતા. યાદ છે ને, સિપાહી જ્યારે કોઈ આદમીનો હાથ જબરદસ્તી તમારી મંજૂષામાં મુકાવતો, ત્યારે એ લાચાર જીવની ખા કેવી ટગર ટગર ચારે તરફ જોતી ?”
મલિકા મંજૂષાની અંદર ફેણ માંડીને ટટાર થયેલ ભોરિંગરાજની આંખે સાથે તારામૈત્રી કરી રહી. લીલી લીલી આંખ સામે પીળી
બુલબુલનું રુદન : ૨૨૫
Page #243
--------------------------------------------------------------------------
________________
પીળી આંખાનું તેજ કઈ એન્ડ્રુ નહોતું. એ તેજમાંથી કયું વધુ ધાયલ કરનારું હતું તેની વિચારણા થાય તેમ હતી.
*
અને ગિરિવાસી દેવતા, રાજકાજમાં પડેલાંનાં પાપમાં ભાગીદારી નાંધાવવાના તમારા પાપે, તમે પણ વિધુર બન્યા. એક બળવાખેાર રજપૂતને કરડવા જતાં તમારાં નાગ-રાણીએ સ્વયં પ્રાણત્યાગ કર્યાં. રાણી પણ હતાં એ જ લાગનાં. સહુથી પહેલાં એ જ ઝપટ મારે. પેલા બળવાખાર રજપૂત તા પાકા અફીણુચી ! એનું વિષ તમારાં રાણીને વ્યાપી ગયું. તમે એકલા થયા ને પછી તે! મારે અધિકાર આવ્યેા. મારા પછી શેરશાહ આવ્યો. અમારા એના વખતમાં તમારું કામ બંધ પડયું. જે તમારી મજૂષા બતાવી ભલભલી માનુનીનાં માન મુકાવાતાં, અનેક લાવણ્યવતીઓનાં રૂપ, અનેક ઈમાનદારાનાં ઈમાન વેચાતાં, એ જ મંજૂષા મારે કારણે સૂની પડી. મિણરાજ, મેં તમારા મેટા ગુનેા કર્યાં; આજ એનું પ્રાયશ્ચિત્ત કરીશ. જોજો શર્મ ન રાખતા; ખૂબ જોરથી ડ ખ દેજો ! '
લિકા આગળ વધી. એણે આગળનુ ઢાંકણું દૂર કરી નાખ્યુ. નાની ઝીણી જાળી પાછળ ભેારિ`ગરાજની લીલી આંખે તકતકી રહી. સાક્ષાત યમદેવ જાણે માનવીને તેડવા આવ્યા ન હોય !
મલિકાએ હેમની દીવી જેવા એને રૂપાળેા હાથ લંબાવ્યા. કાળા ભમ્મર વાદળાંને સ્પવા જાણે વિદ્યુતરેખા આગળ વધતી હતી ત્યાં અચાનક કાઈ એ આખી ઘેાડીને ધક્કો માર્યાં. મેટા અવાજ સાથે મંજૂષા નીચે પડી.
*
• સિપાહી, આ મંજૂષાને સાવધાનીપૂર્વક અહીંથી દૂર કરા, તે આ પુરાણા પાપીને યમસદનના માર્ગ બતાવા !' રાશન બૂમોબૂમ કરતી ખેલી રહી હતી.
મલિકા, આજે આ શુ થવા માંડયું છે?'
"
૨૨૬ : બુલબુલનું રુદન
Page #244
--------------------------------------------------------------------------
________________
“જિંદગીને બેજ હવે જીરવાત નથી. રોશન, મારી ભૂલનું પ્રાયશ્ચિત્ત મને કરી લેવા દે !”
મલિકા, તમારી ભૂલ એ અમારી ભૂલ ! એક જ નાવમાં બેઠાં છીએ. તમે માલિક છે. પહેલાં અમારે નિકાલ કરો !' સિપાહી મંજૂષા ઉઠાવી ગયા. મલિકા વિચારશન્ય બની હતી.
રોશન, મારે જીવવું જ પડશે? તે ભલા હું જીવી શકે તેવું તું કંઈ ન કરી શકે? મારા આ અંધારર દિલમાં એકાદ દીવડો તું ન પ્રગટાવી શકે ?
“ સિતારા, મારા ખૂનનું શરબત પણ ન બની શકે ? એ શરબતના પયાલાથી મારા પ્યારાની રાજતૃષાને ન બુઝાવી શકે ?
અને રેશન, આમ આવ ! પેલા પુરાણું પાડીને તે મુક્ત કર્યો, તો વર્ષોથી તે આ બુલબુલને શા માટે બંદીવાન બનાવીને રાખી છે ? મારા બાગમાં વસંત આવશે, ત્યારે ટહુકવા એની જરૂર પડશે, એ માટે? પગલી, ખોટી વાતમાં વર્ષો વિતાવી દીધાં. બિચારા બુલબુલને એના મારાથી વિયાગ કરાવ્યો. છોડી મૂકો એ તમામ સુહાગણોને ?”
મલિકાએ ધીરે હાથે સુવર્ણપિંજરનાં દ્વાર ખોલી નાખ્યાં. બહાર નીકળવા તલસી રહેલી એ પંખિણીઓ ચૂપચાપ ઊડી ગઈ. એકાએક મલિકા ઊભી થઈ ગઈ, ને સુવર્ણના પિંજરને પૃથ્વી પર પટકતાં ચિત્કાર કરી ઊઠી :
ઓ બેવફા બુલબુલે ! શું મારી હાલત પર આંસુનું એક બિંદુ પણ પાડ્યા વગર ઊડી ગઈ હમદર્દીને એક ટહુકાર પણ કર્યા વગર નાસી ગઈ !”
મહાલયના સુશોભિત ખંડમાં રત્નજડિત ઝુમ્મરોમાં છત્ર છાંટયા તેલથી દીપક બળી રહ્યા હતા. સોનાના ભાદાનોમાંથી કપૂરની ગોટી
બુલબુલનું રુદન : ૨૨૭
Page #245
--------------------------------------------------------------------------
________________
એના સુગંધી પ્રકાશ વેરાઈ રહ્યો હતા. ધૂપદાનીએમાં શેરી લેખાનની છૂટતી ભભક આખા વાતાવરણને મધમધાવી રહી હતી. સિતારા, તું આ શેરી લેાખાનની ગ ંધ તે કપૂરની બત્તીઓને પ્રકાશ કેમ બંધ કરી દેતી નથી ? શું તું એમ માને છે કે આ ગધે ગધે અને આ પ્રકાશે પ્રકાશે મારા પ્યારા આવશે ? પગલી તેમાં. બિચારા શાયરા ચેાખ્ખું કહી ગયા છે, કે કાઈ ખુદાનેા આદમી જો અડધી રેાટી ખાય છે, તેા બીજી અડધી રાટી દરવેશ–કારને દાન કરે છે. પણ અગર કેાઈ બાદશાહ નવખંડ પૃથ્વીના માલિક બને છે, તા પણ તે ખીન્ન ખંડની ક્રિકરમાં રહ્યા કરે છે. એને નસીબે તે સદાય ફિકર ને ફિકર !’
"
મલિકા ધેલી બની શમાદાનામાં જલતી કપૂરની બત્તીને હાલવવા ધસી ગઈ. ખત્તીને મુઝાવતાં મુઝાવતાં એની રૂપેરી કલમ જેવી આંગળી દાઝી ગઈ.
મલિકા, શાણાં થઈ તે દીવાનાં કેમ થાઓ છે ?” રાશન ગળગળા સાદે મેલી.
·
• હું દીવાની ? સિતારા, રાશન કહે છે હું દીવાની !' તે એક સુંદર નકશીવાળા થાંભલાને અઢેલીને એ ઊભી રહી. એનાં હરીની ધાર જેવાં નયનામાંથી આંસુની ધાર વહી નીકળી.
*
‘ હું મરી જાઉં, મારી મલિકા, આમ રડવાના શા અ ? રડવાના શો અર્થ ? સિતારા, અલબુલના રડવામાં તું શું
.
સમજે?
( કુદર
બુલબુલ કે રામકી અરે, ઔર કચા જાને !!
સિતારા, તને કોઈ દિલદાર મળ્યા નથી, એટલે તું મારા રડવાને
અ શું જાણે ? આ નદી રસ્તે
જતી રાજા કરે છે; તું જાણે
૨૨૮ : ખુલબુલનું રુદન
Page #246
--------------------------------------------------------------------------
________________
છે કે એ શા માટે ? આ વહેતી હવા ઝીણું ઝીણું આક્રંદ કરે છે; તને ખબર છે કે એકેના માટે? આ સૂરજમુખી ઊંચી ડાક રાખીને કેાની રાહ જોયા કરે છે? ખબર છે તને ? નદીને દરિયાની, હવાને આકાશની તે સૂરજમુખીને સૂરજની રાહ છે. અરે, બિચારા આશકાના જીવનમાં રડવું એ તેા આશીર્વાદ સમાન છે. પણ રાશન, આ શરીર, શરીરમાં વળી દિલ, દિલમાં વળી આ બધું શી રીતે પેદા થયું હશે ? આ આદમી તે આરત કરી ખુદાએ જન્માવ્યાં હશે ? અને વળી એમને સંસાર કેમ રચાયા હશે ? તું તે મેાટી વિદુષી છે. કંઈ કહે ને?”
!
કેમ
‘ એક જ ભૂલથી,’ રાશને વ્યંગમાં કહ્યું. એને લાગતું કે મલિકાને ખીજા વિચારેામાં ખેંચી જવી જરૂરી છે.
• એક જ ભૂલ! ખરેખર એક જ ભૂલ ! પણ રાશન, જે ભૂલ ન કરે એને આદમી કાણુ કહે ? મારી ભૂલ માટે મને હું ઠપકા આપે છે ?' મલિકા પણ ખળતા જીવને શાન્ત કરવા વાતે વળગવા
ઇચ્છતી હતી.
"
ના, મારી પ્યારી મલિકા, હું તમને ઠપકા આપતી નથી. હું આખી આદમજાતની ભૂલ માટે કહું છું. ખા, વર્ષાં પહેલાંની વાત કહું છું, એ વેળા આ માણસજાતનાં મા ને બાપ-બાબા આદમ ને ખીખી હવા—સ્વર્ગમાં રહેતાં હતાં. ખુદાએ પેાતાના સુંદર બાગમાં તેમને હરવા-ફરવાની રજા આપેલી; પણ કહેલુ કે પેલા ઝાડનાંક ફળ ખાવાં નહીં! આ, બન્ને નગ્ન કરે; ન ત્યાં એમાં લાજ તે ન એમાં શરમ ! સ્વની મજા તે કેવી ! પણ એક દહાડે આ મે જણાંએ ભૂલ કરી! તેઓએ વિચાયુ કે ખુદાએ ફળ ખાવા ના પાડી માટે જરૂર એમાં કંઈક એર લિજ્જત હશે. મેાટાની આદત હંમેશાં નાનાને ક્રમ દેવાની હોય છે. ચાલે! ચાખી તે જોઈ એ. × મુસલમાને ધઉં' માને છે.
બુલબુલનું રુદન : ૨૨૯
Page #247
--------------------------------------------------------------------------
________________
એમ સમજીને એ ફળ બંને ખાઈ ગયાં. અને ખાતાંની સાથે એ બંનેમાં અજબ ફેરફાર થવા માંડ્યો. બંનેની આંખો કટાક્ષ કરવા લાગી, દિલ ફડકવા લાગ્યું. એકબીજા તરફ કદી ન અનુભવેલી એવી લાગણીઓ થવા લાગી. એકબીજાએ એકબીજાના દેહ સામે જોયું તે બન્ને શરમાયાં, ને પાસે પાંદડા પડયાં હતાં, એ લઈને પોતાની લજજા ઢાંકી. ખુદાને એ વાતની ખબર પડી. એમના ક્રોધનો પાર ન રહ્યો. બા, આદમ તો તેમને પ્રિયમાં પ્રિય ! અરે, એ ખાતર તો એમણે એક ફિરસ્તાને સ્વર્ગમાંથી કાઢી મૂકેલે.”
દેવતા કરતાં આદમ ખુદાને વધુ યાર ? રોશન ! તું ખૂબ ખૂબ જાણકાર લાગે છે. તારા દેહ જેવું તારું દિલ પણ રૂપાળું છે."
બા, એ દેવતા તે શયતાની વાત એવી છે, કે ખુદાએ હજરત આદમને બનાવ્યા, ત્યારે તમામ ફિરસ્તાઓને તેમની સિજદા --પ્રાર્થના કરવા હુકમ આપે. ખુદાઈ હુકમને કણ શિર ન નમાવે ? તમામે તેમ કર્યું, પણ એક દેવતાએ ના પાડી. એણે કહ્યું : “હું તો આગથી બનેલો છું ને આદમ તો માટીનો છે.” પણ ભલા ખુદાના હુકમ આગળ શું આગ ને શું માટી! એ મગરૂર ફિસ્તા પર ખુદા નારાજ થયા, ને એને “શેતાન ” નામ આપી સ્વર્ગમાંથી તગડી મૂક્યો. મલિકા, હજરત આદમ તો આટલા બધા પ્યારા
ખુદાને ! પણ એમના હુકમનો ભંગ કર્યો એટલે બંનેને સ્વર્ગમાંથી રજા મળી. બાબા આદમ ને બીબી હવા આ દુનિયા પર આવ્યાં. બાબા આદમને અરબસ્તાનના જ દો બંદરે ને બીબી હવાને ઘોઘા બંદર પાસે નાખ્યાં. બંનેએ ખુદાની પ્રાર્થના કરી, એટલે મક્કા શરીરમાં ભેગા કર્યા, ને એમાંથી માનવજાત પેદા થઈ.”
રોશન, તે સુંદર વાત કહી. લંકાની લાડી ને ઘોઘાનો વર તે આનું નામ. મને લાગ્યા કરતું હતું કે આદમીને પાક–નાપાક પણ કેમ પ્યારું લાગતું હશે ? આખરમાં શેતાન પણ એક ફિરસ્તો
૨૩૦ : બુલબુલનું રુદન
Page #248
--------------------------------------------------------------------------
________________
જ છે તે! રાશન, પશુ ભલા, દુનિયામાં ખુદાએ શેતાનને જીવતા જ ન રાખ્યા હોત તે! ? આટલાં દુઃખ, દર્દી, ગ્લાનિ, ગમગીની ઊભાં તેા ન થાત !,
.
શા માટે ન રાખે ? મલિકા, મગરૂર? એ જ એને ગુને. બાકી એણે ખુદાની લાખાવ સુધી બંદગી કરી હતી, એટલે કયામતના દિવસ સુધી એને જિંદગી આપી. પણ ભલા, ખુદ્દાનું નામ હોય ત્યાં શેતાનના શેડર ? એમણે દરેક જમાનામાં અને દરેક દેશમાં માણસાને સત્યને માગે દેરવા તે પ્રેરવા પેાતાના પયગમ્બરે મેકલ્યા જ છે. ખુદાઈ માતા આપણને ખ્યાલ હોય, પછી શેતાનના શેા ડર ? આપણને ભરાસે હોય કે આ રાત પછી દિવસ ઊગવાના જ છે, તે કેવી નિરાંતે આપણે ઊંઘીએ છીએ. મલિકા, શેતાન દુનિયામાં ભલે તાફાન મચાવતે રહ્યો, પણ ખુદ્દાના ન્યાય બહુ ઉદાર છે. એમણે માણસનાં રાજનાં સારાંનરસાં કામેાની તેાંધ કરનાર રકીબ તે અતીઃ નામના દેવદૂતને ફરમાન કર્યું છે કે રકીબે માણસના જમણા ખભા ઉપર મેસી એનાં સારૂં કામની દશગણી નોંધ કરવી તે અતીદે ડાબા ખભા પર બેસી મૂરાં કામની એકગણી નાંધ કરવી ! શેતાન ભૂલ કરાવીને પણ કેટલી કરાવશે ?’
રેશનની વાતામાં લાડુ મલિકા કંઇક આશ્વાસન પામી રહી હતી. ઉન્મત્ત બનેલું એનું દિલ શાન્તિ મેળવી રહ્યું હતું. એ ધીરેથી ઊભી થઈ, તે મહાલયની આગળ આવેલા ઉદ્યાનમાં અને સખીઓ સાથે કરવા નીકળી. દિવસેાથી એનું સ્વાસ્થ્ય સારું નહતું; એ વાતવાતમાં ચીડે બળતી, ક્ષક્ષણમાં ઉશ્કેરાઈ જતી. એની પુરાણી લાલી આજે નહાતી રહી, તે જૂની સુરખી હવે ભૂંસાઈ ગઈ હતી. કૃષ્ણપક્ષના ચાંદની જેમ એની ખૂબસૂરતી ધીરે ધીરે હણાતી જતી હતી. છતાં ચાંદ આખરમાં તે ચાંદ જ હતા ને! આજ પણ વર્ષોથી બિટ્ટુડેલેા બાલમ આવી મળે તા બળી જતા ખાગનું આ સરૂનું ઝાડ કાલે
ખુલબુલનુ રુદન : ૨૩૧
Page #249
--------------------------------------------------------------------------
________________
પ્રફુલ્લિત બની જાય.
નીરવ રાત્રિ હતી. ચંદ્ર આકાશમાં ઝગતો હતો. બગીચાના મધ્ય ભાગમાં આવેલ આરસના હેજમાં કમલિની હમણું ખીલી હતી. સોનેરી રૂપેરી માછલીઓ હજીય રમત રમી રહી હતી.
રોશન, આ બદામના ઝાડ પર એક નાની વેલ ચઢી હતી, એ ક્યાં ગઈ?”
બગીચાના માળીએ કાપી નાખી.”
“શા માટે ? એક વેલીને એના દ્વારા વૃક્ષથી અલગ કરવાને મૂખ બાગબાનને શો અધિકાર ?”
બેગમસાહેબા, બાગબાન કહેતો હતો કે ઊગતા ઝાડને વેલી કે વદે વળગે તો એ વધી ન શકે.”
“વેલી વળગે તો...અને મલિકા પાછી આવેશમાં આવતી લાગી. વેલી વળગે તો વૃક્ષ વધી ન શકે ? બાગબાન આ વાત સાચી કહેતો હશે? દુનિયાનાં બધાં વૃક્ષ શું આ માટે વેલીને જુદી કરતાં હશે ? સિતારા, માળીએ દુનિયાનું અદ્ભુત સત્ય કહ્યું : જેને આગળ વધવું હોય એને ઓરત નકામી. રોશન, મારા શેરે એ ખાતર તો મને તજી નહીં હોય ?”
રોશન ચૂપ હતી. સિતારા શે જવાબ આપો એની મૂંઝવણમાં હતી. મલિકા ફરીથી ભાવાવેશમાં આવતી હતી.
વૃક્ષ વેલીને છોડી દે? વેલીને છોડી દેવા સિવાય કોઈ ઉપયોગ નહીં ! ધરતીની છાતી ચીરી, વાલામુખી જેવા હિમ ને તાપ સહન કરનારી વેલીની કંઈ કિંમત નહીં? પણ એનું કારણ છે ! કારણ કે અત્યાર સુધીની વેલીની પાછળ વૃક્ષ ઘેલાં હતાં. અરબ સુંદરી લયલાની પાછળ પાગલ બનનાર કેયાસક્ત હતો; ઈરાનની અત્યંત રૂપવતી
* મજનૂ ઉપનામ છે. એનું મૂળ નામ કેસ-કયાસ હતું. ૨૩૨ : બુલબુલનું રુદન
Page #250
--------------------------------------------------------------------------
________________
શિલ્પકાર
ફરહાદ હતા.
શીરીન પાછળ પાગલ બનનાર ચીની વેલીની ખાતર વૃક્ષ કરમાઈ ગયાં, પણ હું તેા વૃક્ષને ખાતર કરમાનાર વેલી છું. મારી જોડ રેાશન, તું કૃષ્ણદીવાની રાધાથી જ શેાધી શકીશ. રાશન, પેલુ” તારું ગીત ! '
,
‘સાંવરા અજહું ન આયે। ! એજ ને? મલિકા, એનાથીય એક સુંદર ગીત કહું. પેલી ગેારી ગારી રાધા બિચારી રાહ જોતી થાકેલી ને પછી ગાતી હતી—
દરશન બિન દુખન લાગે નૈન, જસે તુમ મિઠ્ઠુરે મેરે પ્રભુજી, કહું ન પાચેા ચૈન...દર્શન... હુમરી ઉરિયાં હોરી ખેલનકી,
સિતારાએ સુંદર સ્વરથી એ ગીતપંક્તિ ઉપાડી. શાંત રાત્રિમાં ગાનારના કંઠની મીઠાશે આર મીઠાશ પૂરી. એણે ગાયન પૂરું કરતાં કહ્યુઃ
.
પિય માસે મિલિકે બિછુરી ગયા હૈા; પિય હુમરે હમ પિયકી પ્યારી,
પિય ીથ અંતર પરી ગયા રી. દર્શન ખિન દુખન લાગે તેન,
મલિકા, રાધાના પ્રેમ અજોડ હતા. એણે તેા વિયેાગને પેાતાના બનાવ્યા હતા. એ તેા કહેતી, કે સ્ત્રી તૈા સ`સારમાં બાંધવા તે બંધાવા આવે છે. કાઈ ને બાંધી ન શકે તેા છેવટે એ પેાતે તે અધનમાં બંધાવાની જ છે. ધન એ જ એનું આભૂષણુ ! ખીજા આભૂષણ તે શાભાનાં.’
<
રાશન, આડી વાત મૂકી દે! મને મારા શેરના ક સમાચાર આપ ! '
ખુલબુલનું રુદન : ૨૩૩
Page #251
--------------------------------------------------------------------------
________________
શેર આજે તો કલિંજર પર ઘેરો ઘાલીને પડયો છે. એને તો રણભૂમિ સિવાય કંઈ ગમતું નથી ! રણભૂમિ જ એની માકા, છે. પણ બા, કલિંજર તો જગજૂનો કિલ્લો છે. તોપના ગોળા ને તીરોનો મારો નકામો નીવડ્યો છે. આ એક કિલો જિતાય તો તમારા શેરનું સ્વપ્ન પૂરું થાય.”
“બસ, કલિંજર જિતાય તો એનું સ્વપ્ન પૂરું થાય ? રેશન, તો પછી મારો સાહ્યબો એની પ્રિયતમાને યાદ કરશે? એ અહીં આવશે?
જરૂર! એ જરૂર આવશે.'
પણ સિતારા, એ કઈ રીતે આવશે? શહેનશાહની શાનથી આવશે કે સિપાહીની અદાથી?”
તમે ચાહશે તે રીતે આવશે.'
હું તો ચુનારગઢમાં મને ભેટેલા ભેળા સિપાહી જેવો એને જોવા ચાહું છું–જે મારે થઈને રહે!”
એમ જ બનશે.' અને તો જ જીવતર જિવાશે. સિતારા ફરીથી કહે :
“દરશન બિન દુખન લાગે નન ! હમરી ઉમરિયાં હેરી ખેલન કી... પિય માસે મિલકે બિછુરી ગ રી.
૨૩૪ : બુલબુલનું રુદન
Page #252
--------------------------------------------------------------------------
________________
ચિતામણિ ૨૧.
ઉનાળાના આકાશમાં કોકવાર ફૂલવાદળી વરસવા ઊમટી આવે છે; આગ્રા નગરીના સૌદર્ય. બજારમાં આજ એક રૂપવાદળી વરસવાની હતી.
એ રૂપ–વાદળીનું નામ ચિંતામણિ. આગ્રાની અનેક વારાંગનાઓમાં ચિંતામણિ ખરેખર મણિની જેમ દીપતી હતી, પણ એ મણિ શેષનાગના માથાને હતો. શેષનાગના મણિનાં મૂલ થાય તો ચિંતામણિનાં મૂલ થાય. બીજી વારાંગનાઓની જેમ એ સહજપ્રાય નહતી.
ગણ્યાગાંઠયા મહિનાઓ પહેલાં જ એકાએક ચિંતામણિ આ બજારમાં દેખાણી હતી. એનું અપરૂપ સૌદર્ય, ઘનશ્યામ કેશકલાપ, બિફળ જેવા નાના અધરોષ્ઠ, છલે છલ રૂપલાવણ્ય જેનારની સ્વસ્થતાને હરી લેતાં. એ ગાતી, નાચતી, હાસ્ય કરતી અને સહુ પર વશીકરણ કરતી. યુવાની તો હજી દ્વાર પર ડોકિયાં કરી રહી હતી. કામદેવના બાગને હજી ફૂલ જ આવ્યાં હતાં ને ચિંતામણિ આગ્રા નગરીની અધીશ્વરી બની ગઈ
૨૩૫
Page #253
--------------------------------------------------------------------------
________________
શાપિત અસરાની કિંવદન્તી એની પાછળ જોડાઈ હતી. અસરા ને માનવદેહને સંગ અશક્ય! ચિંતામણિ હજી બધાની ચિંતાને મણિ હતી. દુષ્મા ! દુઃસાય ! એ કહેતી કે મારા દેહનાં રૂપભર્યા દર્શનની કિંમત કરોડો સુવર્ણ મુદ્રાઓ છે, મારા હાસ્યની કિંમત અનેક મણિમુક્તાઓ છે, ને મારા સ્પર્શની કિંમત એક સામ્રાજ્ય બરાબર છે.
છતાંય શહેનશાહ શેરશાહના વફાદાર ઉમરાવો, સિપેહસાકારો ને સૈનિકગણો માટે એણે એક મહેફિલનું આમંત્રણ સ્વીકાર્યું હતું. અનેક શાહ સોદાગરો ને શ્રીમંતોને નિરાશ કરનાર ચિંતામણિ આ માથાના ગેડીદડે રમવા જનારા મરજીવાઓના આમંત્રણનો ઇન્કાર કરી શકી નહોતી.
અનેક ચાતકોની આ ચકોરીએ આજ લીલા વર્ણનું એક ઉત્તરીય ઓઢયું હતું, ને એના ગૌર વક્ષસ્થળ પર લાલ રંગની મખમલી પટી કસીને બાંધી હતી. એ ચાલતી ને જાણે એ મખમલી પટી ફાટ ફાટ થવા લાગતી. એણે વાળના ગુચ્છા ઊભા હોળી એમાં મોતી પરોવ્યાં હતાં ને ગૌર સ્તન પર હિંદુસ્તાનના બાદશાહના ગળામાં હોય તેવો કંઠે પહેર્યો હતો. સુકોમળ અર્ધખુલ્લા પગોમાં કમળનાં નુપૂર હતાં ને અસરાના જેવા મનોરમ અવયવો પર ચંદન, કપૂર ને કેસરનો લેપ મઘમઘતો હતો.
આંખમાં આંજેલું કાજળ છલકાતું હતું ને સ્નિગ્ધ ગાલ પરનું છુંદણું કપલપ્રદેશના ચદન–કેસરની આડ સાથે હરીફાઈ કરતું હતું. આછા દીપકેના પ્રકાશમાં એ મંદમંદ હસતી હતી. એના હાસ્યમાંય માદકતા હતી. એના કોમળ પગની પાનીનો રંગ ઘાયલેના દિલનો હતો.
વાજિત્રાએ સૂર છેડ્યા, અને ધીરા મૃદુ શંખરવર સાથે એ છમકતી છમકતી આવી. એના ગતિડલનથી અંબોડામાંથી મંદારપુષ્પ વર્ષો, શિરડોલનથી સુવર્ણકમળ નીચે પડ્યાં, ને સૂર ઘૂંટતાં જાણે ૨૩૬ : ચિંતામણિ
Page #254
--------------------------------------------------------------------------
________________
વક્ષસ્થળ પરથી મોતીસર હાર તૂટ્યા.
મિલ જા, અબ મત કર લાચાર,
રે મમ પ્રીતમ પ્રાણાધાર.” મૃદુ મૃદુ સ્વરો હવાની લહરી સાથે વહેતા મુકાયા. શ્રોતાવર્ગ મેં વિકસિત કરીને આ કિન્નરીને નીરખી રહ્યો હતો. શું લાવણ્ય, શી દેહછટા ! શું સ્વરમાધુર્ય ! દિવસેના ક્ષુધાતુરને જાણે એક સાથે બત્રીસ પકવાન પીરસાયાં. કયું પહેલું આરિવાજવું ને કહ્યું પછી ?
ચિંતામણિ જાણે વિરહઘેલી ગોપી બનીને આવી હતી. ગોપી જેમ કૃષ્ણને યાચના કરે એમ યાચી રહી હતી ?
નિર્ગુણ, નિર્ભય, નિત્ય, નિરંજન,
અસુર નિકંદન જનમનરંજન; અશરણશરણ, સકલદુઃખભંજન, અવિરલ અવિચલ, અગમ અપારઃ
રે મમ પ્રીતમ પ્રાણધાર, ને જાણે પ્રિયતમાની પુકાર સાંભળી આકાશમાં વાદળીઓની કેર ઉપર બેસીને બંસી બજાવતો કૃષ્ણ કનૈયે આવી રહ્યો દેખા. બંસીના સ્વર નેપથ્યમાંથી વહેવા લાગ્યા, મયૂરના ટહુકા સંભળાવા લાગ્યા.
શ્રોતાઓએ ઊંચે ઊંચે મયૂરને જોવા નજર માંડી, ત્યાં તો નિમિષ માત્રમાં ચિંતામણિ અલેપ થઈ, પણ અલોપ થઈ તેવી પાછી આવતી દેખાઈ
અરે, આ તો પેલી ગોકુળ મથુરાની મહી વેચનારી ગોપીને બદલે કઈ છલકતા સૌંદર્યવાળી ઈરાની સુંદરી આવી રહી હતી. લીલી ઈજાર, લાલ લાલ કુરતું ને મેઘધનુષ્યના રંગનું ઓઢણું; ધેળા ધોળા પગ પર મોટા મખમલી જેડા ને પીઠ પર પડેલે મોટો લાંબો પાદચુંબન કરતો કેશકલાપ ! હોઠ પરને વાદળી ઝખમ ને ગાલ પરનો
ચિંતામણિ : ૨૩૭
Page #255
--------------------------------------------------------------------------
________________
સમરકંદ ને મુખારાના કરતાં પશુ વધુ કીમતી શ્યામ તલ 1 । હુમ કલીસા રતમ્,
જીસાને આહ હરજા જીતમ્ લેજા ખમચુ' હરા ગતમ્
બિન્દે નિષ્ઠાનત્ એ દિલદાર ! મિલ જા અમ મત કર દેર, રે મમ પ્રીતમ પ્રાણાધાર્!
આમેળ ઇરાની સુંદરીની હતી ! લાંખી લાંબી પલક મારતી, અનંત મરુભૂમિને વટાવીને આવતા પ્રીતમને જોવા જાણે હાથનું તેજી રચતી હતી. દૂર દૂર આંધીને વીંધીને જાણે એક ઊંટસવાર દેડવો આવતા હતા.
લયલા તે મજનૂ ! શ્રેાતાએમાંથી વાહવાહના પેાકાર ઊઠયા. શું આ એ જ નયનપ્રિય ચિંતામણિ છે ! શ્રાતા આશ્ચર્યમાં પડયા હતા ત્યાં તે ઢોલકના અવાજ સંભળાયા. ર્ગની પિચકારીએ ઊડવા લાગી, ચૂડાના ખડખડાટ સંભળાયા, પગનું ઝાંઝર ઝમકવા લાગ્યાં. મરુભૂમિની કાઈ મસ્ત માતુની આવતી નજરે પડી. એના જબર ઘેરદાર ચણીએ લહેરાં ખાતા હતા. એની કસીને બાંધેલી કંચુકી ફાટફાટ થતી હતી. ઘેરા જાંબુડિયા રંગના સાળુ મેઘધનુષ્યના ટુકડા જેવા દીપતા હતા. દાખીને બાંધેલા કેશપાશમાં હીરનુ ભરત હતું. તે વિશાળ કપાળમાં નંગથી જડેલું મેટું એર ચાલનારની ગતિ સાથે નૃત્ય રતું હતું. એ કામળ હસ્ત હાથીદાંતના ચૂડાના ખણુખણાટથી અપૂર્વ સંગીત પેદા કરતા હતા.
C
હું થાકર થાય,
તુ ઠાકર, લાગે મને છે ઘણુંા પ્યારા; મેડા પાર લગાજો મ્હારા, થારે ખિણ કુણ હુસી લાર.
૨૩૮ : ચિંતામણિ
Page #256
--------------------------------------------------------------------------
________________
રે મમ પ્રીતમ પ્રાણધાર ! ઢમાક–ઢમાક ધમ, માક ધમ ઢાલક બાજવા માંડયું. પગના ઘૂઘરાએ પણ સ્વર મિલાવ્યા. શું અજબ નૃત્ય ! વાહ રે ઢોલા મારૂની બહુરાણી !
ધીરે ધીરે ઢેલનો અવાજ ઠંડો પડતો ચાલ્યા ને વિશાળ ઉદ્યાનમાં જાણે બપૈયે, કોયલ, બુલબુલ ટહુકવા લાગ્યાં; સાથે સાથે ગીતના લય છૂટવ્યા :
ખાવન ધાય જગ બલાઇયાં,
દુઃખ દિયા ગલ બિથ પઇયાં ફાઇયાં; છેતી એનું કટ સાંઈયાં
તું સબદા દુ:ખ કણહાર, ગોરા ગેારા હાથમાં કાળાં કાળાં કંકણ સાથે પંજાબનું પ્રચંડ રૂ૫ આવતું હતું. રેશમનું લાંબી બાંયનું કુરતું એની કાયાને ઢાંકતું હતું ને દશા હાથની સાડી છૂટા કેશલાપ પર પડી હતી. કંકમવિહેણું એનું ભાલ રૂપની એક નવી પેત પેદા કરતું હતું. અરે, શશિપુન્હની પુરાણી યાદ તાજી થઈ!
અને એ જ બપૈયા આકાશની વાદળીઓ જોઈ વધુ ટહુકારવા લાગ્યા. પરદેશ ગયેલા પ્રીતમની યાદમાં પૂરબી નારી પાગલ થઈ ઊઠી. એણે માથે સિંદૂરની મોટી આડ કરી, કાનમાં કર્ણફૂલ નાખ્યાં, નાકમાં નકવેસર નાખી, પગનાં આંગળાંમાં બિછવા નાખ્યા, મેંમાં તંબુલ નાંખ્યું, દાંતે મિસી ઘસી અને છમાછમ...છમાછમ... ઘૂઘરા છમકી રહ્યા.
આવ ગુસૈયા મોર મંદિરવા,
તેર બિન મોર લગે ન જિયરવા બેગ ખખરિયા લેવ પિયરવા, કાહે મોકો દિલ્ડ બિસાર;
ચિંતામણિ : ૨૩૯
Page #257
--------------------------------------------------------------------------
________________
અપૂર્વ સ્વરમાધુરી પ્રસરી રહી. શ્રેતાઓનાં મન, કર્યું તે હૃદય પરવશ બની ગયાં હતાં. બંગાળી, ગુજરાતી એવા એવા કઈ કઈ નૃત્યાભિનય રચાયા.
મમ પ્રીતમ પ્રાણાધાર ! મિલ જા અમ મત કર દેર !*
મોંત્રમુગ્ધ જેમ આખી સભા એડી હતી, ત્યાં અચનાક એ સ્વા હવા સાથે મળી મળીને વિલીન થવા ગયા. એ વિલીન થયા પણ એના ઝંકાર હજી આખી સભાના કણ પર કાબૂ જમાવી રહ્યા હતા. સહુ જાણે હજી નૃત્યભિનય જોઈ રહ્યા હોય એમ એઠા રહ્યા.
રંગભૂમિ વિસ ન થઈ, દીવાઓ મુઝાવા લાગ્યા ત્યારે શ્રેાતાએ સ્વપ્નમાંથી જાગતા હોય તેમ જાગ્યા. એમને દિવસ ધન્ય બની ગયેા હતેા.
પણ રે, આટલું મેહું મેડું આ આકર્ષણુ ! કાલ સવારે તે લડાઈની કૂચ આરંભાવાની હતી. જગપ્રસિદ્ધ કલિ ંજરને માથે બાદશાહ શેરશાહે ઘેરા ષાઢ્યા હતા. એક વારનેા હલ્લે નિષ્ફળ નીવડયો હતા; ખીજા હુલ્લાની તૈયારીમાં તેને જોડાવાનું હતું. રણુજ ગમાં ગયેલાને પાછા આવવાને શે। ભરેસે! અને એવી છેલ્લી રાતે આ સ્વદર્શન !
(
ચિંતામણિ, આજ છેલ્લી રાતે તે કમાલ કરી ! ' ખાનબહાદુરે અંદર પ્રવેä કરતાં કહ્યું. આવતી કાલની આગ્રાની સેનાની ફ્રેંચ એના અધ્યક્ષપણા નીચે જવાની હતી.
ચિંતામણિ તાજી સ્નાન કરીને ગખંડમાંથી આવતી હતી. એના લાંબા વાળ છૂટા હતા ને શ્વેત મેઘમાળ જેવું પારદર્શક વસ્ત્ર વીટીને એ આવી રહી હતી. સેાનાની ધૂપદાનીમાંથી વેરાતી
× એક વમાન કવિની કૃતિ.
૨૪૦ : ચિંતામણિ
Page #258
--------------------------------------------------------------------------
________________
સુગંધમાં એ કેશને સુકવી રહી હતી. એની ધળી માછલી જેવી આંખો જેનાર પર જાદુ વરસાવતી હતી. ખાનબહાદુરને અવાજ સાંભળી કંઈક વિચારમાં પડી ગયેલી ચિંતામણિ સાવધ થઈ
નૃત્ય, ગાન ને સ્વરમાધુરી, ખાદ્ય, પય ને મહેફિલેની ધમાલ વાળી એની જિંદગીમાં આવી વિચારની પળે એાછી આવતી, પણ જ્યારે આવતી ત્યારે સ્તબ્ધ બનેલી ચિંતામણિ સંગેમરમરની પ્રતિમાશી નયનસુંદર બની જતી. અર્ધકુસુમિત એનાં નયન કંઈ અકળ વેદનાના ભારથી લચી પડતાં, પણ આ તે કવચિત કવચિત બનતું. બાકી તો ચિંતામણિ ગાતી, નાચતી ને હસતી. શેકને સંભાર આ નાનકડી અસરાના દેહમાં છુપાયેલો હશે, એ કલ્પવું જ અશકય હતું.
ખાનસાહેબ, આ તો કંઈ નથી. કમાલના દિવસે તો કલિંજરના વિજય પછી આવશે. એ વેળા તમે જોશો કે હું સ્વયં રાગમૂર્તિ જ છું: મારામાંથી જ રાગ જન્મે છે, વૈભવ પ્રગટે છે ને વિલાસ અવતાર લે છે. મારા સરદાર, પર્જ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ઘેવત ને નિષાદ મારા દેહ પર જ બિરાજમાન છે. આજની રાત ને આજની મહેફિલ માગ્યાં મૂલ આપવા જેવી છે.”
શાં મૂલ છે, સુંદરી !' લડવે ઉદાર બની ગયો.
એ મૂલ મેધાં છે, ખાનબહાદુર. સ્વયં રાગમૂર્તિનું મનોરંજન સહેલ નથી. તલવારથી એ ભરી શકે, મળી ન શકે. મારી આ સાડીને પાલવ જે ? ષડૂજરાગને રંગ એ, લાલ કમળના પત્ર જે છે. લીલી છાંટવાળી પીતવણું ફાટફાટ થતી આ કંચૂકી જોઈ? એ ઋષભ રાગનો રંગ છે. મારી સોનલાવરણ કાયાને તમે નીરખે ને તમને ગાંધારરાગ સદેહ થશે. મારી સફેદ કુંદપુષ્પ જેવી મુખમુદ્રા જોઈ? મધ્યમ રાગનો એ રંગ છે, અને કેાઈ નવયૌવનાને ઘનશ્યામ કેશકલાપ કદી ગૂંચે ? એના જે પંચમને રંગ છે. નિષાદને
ચિંતામણિ : ૨૪૧
Page #259
--------------------------------------------------------------------------
________________
તો કઈ રંગ નથી, ને પૈવતને રંગ મારા અંબોડામાં મૂકેલ પીળા પુપનો રંગ છે. રાગ અને રાગિણી સ્વયં મને જ ક૯પી લે !
કઈ દિવ્ય તત્ત્વની બની હેય એવી ચિંતામણિ નાની શી ફૂલવાદળીની જેમ આમતેમ ફરતી, ને એમ લાગતું કે પૃથ્વીને રૂપરાશિ અહીં ઊભરાઈ રહ્યો છે. ઉંમર તો હજી ઊગતી જ હતી, પણું જાણે પ્રતિભાની જીવંત મૂર્તિ હતી. એના કમળદંડ જેવા હસ્ત સહેજ હલનચલન કરતા ને જાણે નવનવી સમસ્યાઓ રચાતી. આગ્રાના સૌંદર્યબજારનાં મૂલ ચિંતામણિના આવ્યા પછી અનેકગણું વધી ગયાં હતાં. હજાર પંડિત, મુલ્લાઓ, વેદપાઠી સ્વર્ગની પરી કે જન્નતની દૂરનું વર્ણન કરતા પહેલાં એક વાર આ સજીવ અપ્સરાને જોવા જરૂર આવતા. કામશાસ્ત્રના રચયિતાઓ દિવસ સુધી આ ગલીઓની ધૂળ ફાકતા ફરતા, ત્યારે કોક વખત સ્વયં રતિનો અવતાર ચિંતામણિ એમની ચિંતા દૂર કરતી. ખાનબહાદુરે દેશદેશ જોઈ નાખ્યા હતા, પણ ચિંતામણિ જેવી પરી ક્યાંય નીરખી નહતી.
ચિંતામણિ! આ સુંદર રાત તો જો! બાગનાં નરગીસ ને ગુલાબ તો જો! સંગેમરમરના હેજમાં તરતાં પેલા સારસ ને સારસી તો જે ! આ બધું જોઈ સમજીને એક વાર તો મારે સ્વીકાર કર !”
“તમારે સ્વીકાર ? અમીર સાહેબ, ચિંતામણિ દ્રવ્યથી ખરીદાતી હેય એમ માનતા હે તે તમારી ભૂલ છે. મારી કલા તમે નીરખી. મેં તમને વશ કર્યા. હવે તમારો વારો. તમારે મને વશ કરવી ઘટે. સ્ત્રીને વશ કરવા માટે પુરુષે પિતાની કલા પણ દેખાડવી જોઈએ.”
મારી કલા ? સુંદરી, મારી કળા તો શમશેર છે ને સમરાંગણ વિના તે કેવી રીતે દેખાડી શકાય?”
શમશેરની કલા, જગતની અદ્દભુત કલા છે. અમે સુંદરીઓ ૨૪ર : ચિંતામણિ
Page #260
--------------------------------------------------------------------------
________________
તો એવા શમશેરબહાદુરો પર મરી પડીએ છીએ. શાસ્ત્રો કહે છે કે યોદ્ધાઓનાં યુદ્ધ જેવા સ્વર્ગની અસરાઓ આવે છે; એ અપ્સરાઓ તે અમે ! અમને તો એવા નરવીરાના ભુજ પાશમાં કચડાવાનું ખૂબ ખૂબ ગમે ! હું તમારી એ કળા નજરે નીરખવા ચાહું છું.”
ચિંતામણિ પાસે પડેલા એક ફૂલના ગજરાને પોતાના સોનેરી ગાલ સાથે ઘસી રહી હતી. ગમે તેવા પુરુષની પ્રતિજ્ઞાને ચળાવે એવી એ સ્ત્રી હતી.
સમરાંગણમાં સ્ત્રી કેમ આવી શકે? ચિંતામણિ!તું શહેનશાહ શેરશાહને ઓળખે છે ?
“વારી જાઉં એ મારા શાહ પર સુંદરીના બદલે સતનતને એ શોખીન છે; નહિ તો ન જાણે કેટલી અસરાઓ એને વરવા મરી પડતી હેત ! અને ખાનબહાદુર, દુનિયામાં સાહસ વિના કોઈ વસ્તુ મળતી નથી. યુદ્ધમાં પુરુષ હોય તો કંઈ હરક્ત
પુરુષ હોય તો શી હરકત ? પણ ચિંતામણિ, તું કઈ પુરુષ છે?” શમશેરબહાદુર મૂઝાતો હતો. એણે જિંદગીમાં આજે પહેલી જ વાર આવી અજબ ઓરત દેખી હતી.
હા હા..' ને ચિંતામણિ મસ્તક પરથી ઉત્તરીય સરકાવતી ખંડમાં ચાલી ગઈ. એના પગની લાલ પાની સાથે સ્પર્શતે કેશકલાપ અજબ જાદુ વેરી રહ્યો હતો. આવી સ્ત્રીને વશ કરવી-પ્રિયતમા બનાવવી–એ ખાનબહાદુરને મન સમરાંગણ જીતવાથીય અધિક કામ લાગ્યું.
આવું છું, મારા ખાનસાહેબ? તકલીફ માફ !”
ને ખંડને મખમલી પડદો ઊંચો કરતી ચિંતામણિ બહાર આવી. અરે આ તે ચિંતામણિ કે કેાઈ બીજું ! એણે મરદાના લેબાસ ધારણ કર્યો હતો. મોટો પહેળો પાયજામે, ઢીલું મોટું બદન ને માથે
ચિંતામણિ : ૨૪૩
Page #261
--------------------------------------------------------------------------
________________
પઠાણી પાધ મૂકી હતી. બદન પર પેાસ્તીનના કાટ ચડાવી ચામડાની સુંદર પટામાં ત્રણ-ચાર કટારે! બાલી હતી. ખભા પર ધનુષ્ય બાણુ, હતાં, તે હાથમાં હિલેાળા લેતી બંદૂક હતી.
સ્ત્રીનુ શરીર ન જાણે કથાં ચાલ્યુ. ગયું હતું ! જાણે કઈ શાપમુક્ત અાન સૈનિક ત્યાં ઊભેા હતેા.
ખાનસાહેબ ! તમારી કળા જોવા માટે ચિંતામણિ મર્દ બનવા પણ તૈયાર છે.
>
"
*
પણ બિલાડીના અવાજથી ડરનારી તેપના ધડાકા સામે ઊભી રહી શકશે ખરી ? પુરુષના વેશ પહેરવાથી સ્ત્રીનું દિલ કંઈ ચેાડુ પલટાઈ જવાનુ છે ?
· સ્ત્રીનું દિલ ? અરે, ખાનસાહેબ, અહીં આવા !' ચિંતામણ્ણિ નયનનન કરતી નજીક સરી, પેાતાના કામળ હસ્તથી ખાનબહાદુરના હાથ પકડયો. જાણે દેહમાં વીજળીના સંચાર થયા! શરીરમાં વહેતુ લેાહી જાણે બહાર ધસી આવવા ઉછાળા મારવા લાગ્યું !
મૂકેા મારી છાતી પર તમારા હાથ ને તપાસેા એના ધબકારા !' હાથ ખેંચીને ચિંતામણિએ છાતી સરસે દાબ્વેા. કાઈ પણ પુરુષ ભાન ભૂલે તેવી એ ક્ષણ હતી. મધુરસ અને મદિરાની પ્યાલીએ જાણે ખાલી થઈ થઈને ભરાતી હતી. દુનિયામાં મેહેશી પ્રસરતી હતી. ખાનબહાદુર, પુરુષ ચિતાણને તમે સ્પી શકે. શ્રી ચિંતામણિતા એક એક અંગ૫ રાહેનશાહના તખ્તનું મૂલ્ય માગે છે.”
.
<
પુરુષ કંઈ ન સમજ્યેા. ન સમજી શકાય તેવી ક્ષણ હતી. ચિંતામણિ શું ખેલી એનું અને કઈ ભાન નહતુ.
<
"
છે કબૂલ ?'
કબૂલ. ચિંતામણિ, કાલે વહેલી સવારે રવાના થવાનુ છે.
૨૪૪ : ચિ’તામણિ
Page #262
--------------------------------------------------------------------------
________________
મારી કલા એક વાર ભલે તું પણ નજરોનજર જોઈ લે, પણ પછી...”
અધૂરા શબ્દો તોડતાં ચિંતામણિએ કહ્યું :
પછી હું તમારી, મારા ખાન !' અને એણે છાતી પર મુકાવેલે હાથ અળગો કર્યો. રાત્રિ ઓગળતી હતી. ખાનબહાદુર ન છૂટકે જવા રવાના થયા. કર્તવ્યપાલનને દેવતા એમને હાકલ દે ન હોત તો સંસારની કઈ ધનદોલતની લાલચે આ નાનું શું સ્વર્ગ છોડવા એ રાજી ન થાત !
ચિંતામણિએ શેષ રાત્રિ એમ ને એમ વિતાવી. એ ઘડીમાં વિચારમાં પડી જતી, ઘડીમાં જાણે ફરીથી આ ઘરમાં આવવાનું જ નથી, એમ સમજી પાળેલાં મેનાપોપટને રમાડી લેતી, ફુવારાની જ પેલી માછલીઓને ઉઠાડી ખેલાવી લેતી.
શી ખબર આ રૂપરૂપના અંબાર દેહમાં વિધાતાએ કેવું દિલ મૂકયું હશે ! ઊંડા સાગરની અચળ માછલી જેવું, ન કળાય તેવું, ન હાથ લાધે તેવું ! ચિંતામણિના આગ્રાના આગમનને ઇતિહાસ જેમ રહસ્યભર્યો હતો, એમ એનું દિલ પણ રહસ્યભર્યું હતું. કોઈને સરિતા જેવી સહજપ્રાપ્ય લાગતી, કોઈને એ હિમાલયના ઉત્તુંગ શિખર જેવી દુષ્કાય લાગતી, કોઈને સાગર જેવા ઊંડા મનવાળી લાગતી તો કોઈને વાદળીના જેવી ચંચળ ભાસતી. છતાંય સહુ કહેતા કે એના જીવનઈતિહાસમાં હજારે એને નમ્યા હતા; એણે હજી કેઈને નમતું આપ્યું નહોતું. ને આ જ કારણે નિરાશા પામેલા વિદ્વાન સ્ત્રીચરિત્રની અગમ્યતાને વર્ણવતા હતા.
સંસાર ગમે તે કહે, ચિંતામણિ મકમ રીતે પોતાના કોઈ અકળ પણ નિશ્ચિત રાહ પર જઈ રહી હતી. હજી પરોઢને પ્રકાશ પીગળતો હતો, ત્યાં એના દ્વાર પર એક અસવાર ઘોડા સાથે આવીને ઊભો રહ્યો !
ચિંતામણિ : ૨૪૫
Page #263
--------------------------------------------------------------------------
________________
અસ્સલામો અલયકુમ !” ચિંતામણિએ અફઘાન સૈનિકના વેષમાં ઘોડા પર આરૂઢ થતાં કહ્યું.*
અસવારે સામેથી એ જ પુનરુચ્ચાર કરતાં મસ્તક નમાવ્યું. એ આ નવા અફઘાન સૈનિકની જવાનીથી ખુશ ખુશ થઈ ગયો હતો. શું ખુદાએ ખૂબસૂરતી બક્ષી છે!
થોડી વારમાં આગ્રાના શાહી દરવાજામાંથી નીકળતી સેના સાથે તેઓ મળી ગયા. અશ્વારોહીઓ કલિંજર પહોંચવા પવનવેગે જઈ રહ્યા હતા, કારણ કે કલિંજર પર બીજ મરચાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો.
(
• કુરાને શરીફનું ખાસ ફરમાન છે કે જે માણસ તમને “અસ્સલામે અલયકુમ” કહી સલામ કરે તેને એમ કહેતા નહિ કે તે મુસલમાન નથી.
૨૪૬ઃ ચિંતામણિ
Page #264
--------------------------------------------------------------------------
________________
શેર ગયા ૨૨
‘હું એવે! માણસ નથી કે જગને દિવસે તમે મારી પીઠે જીએ; હું તે એવે! માણસ છું કે લેાહી અને ધૂળમાં તમે મારું માથુ જોશે. જે માણસ લડવા આવે છે, તે પેાતાના ખૂનથી ખાજી ખેલે છે, જે યુદ્ધને દિવસે ભાગી જાય છે તે લશ્કરના ખૂનથી ખાજી ખેલે છે.’
—શેખ સાદી કાળજ્વર જેવા કલિ જરના કિલ્લાને ઘેરા ઘાલીને પડેલા શહેનશાહ આજ ખીજા મેારચાને આગેવાન બનીને ધેાડે ચડજો હતા. છેલ્લે છેલ્લા એના સુલેહના દૂત હમણાં જ પાછે ફર્યાં હતા. યુદ્ધપ્રપ`ચેાના પૂરેપૂરા જાણકાર શહેનશાહતા વિશ્વાસ કરી કમેાતે મરવાની લિંજરના રજપૂત રાજાએ સાક્સાક્ ના ભણી હતી.
એ ‘ ના’ ના જવાબ વાળવા, પેાતાના સુલેહના લખાવેલા હાથનેા ઇન્કાર ભણવાની ભૂલનું ભયંકર પ્રાયશ્ચિત્ત રજપૂતાને કરાવવા સમરજંગ શહેનશાહ પેાતે રણે ચઢળ્યો હતેા. તે જ્યાં શેરશાહ જેવા વીર, યુદ્ધનીતિનિપુણુ આગેવાન હોય ત્યાં ફતેહ માટે લેશમાત્ર
૨૪૭
Page #265
--------------------------------------------------------------------------
________________
શંકા ન રહે. દિવસેાથી સુર`ગા ખેાદાતી હતી, ઊંચા ઊંચા મિનારા રચવામાં આવતા હતા, જેથી ઉપર ચઢીને હુક્કા*-આગિયા માંખ શહેર માં નાખી શકાય. નવી મદદ માટે તમામ રસ્તાઓ બંધ કરાવવામાં આવ્યા હતા. કલિંજરના રજપૂતા પણુ છેલ્લી પળ માટે સાવધ હતા. એમના ક્ષત્રિય લેાહીમાં નમવાના ગુણુ નહેાતાતૂટી જવાના ગુણુ હતા.
આજે શહેનશાહ નવા ચેલા મિનારા પર ચઢીને રની નમાજ પઢવાના હતા. આસમાન પર પૂર્વમાં સાનેરી ચ ંદરવા બંધાવા શરૂ થયે! કે જયજયનાદ કરતા અફધાન સૈનિકા કિલ્લાની ચારે તરફ આવીને ઊભા રહી ગયા. શહેનશાહ શેરશાહે મિનારાના પર્શથયે પગ મૂકો તે સૈનિકાએ અલ્લાહો અકબર ' ના નાદથી આસમાનના ગુંબજ થથરાવી નાખ્યા.
<
ગંભીર શાન્તિ વચ્ચે નમાજ પઢવામાં આવી. નમાજ પઢીને શહેનશાહે ચારે દિશામાં નજર ફેરવી. દિશાએ સ્વચ્છ હતી. મંદ મંદ પવન વાતેા હતેા. નવા ઊભા કરેલા મિનારાએ પરથી લિંજરના કિલ્લાના અંદરના ભાગ સાફ દેખાતેા હતેા. શહેનશાહે પેાતાની ભરાવદાર દાઢી પર હાથ ફેરવી, અલ્લાહનું ક્ષણવાર સ્મરણ કર્યું; અને પછી સહેજ આગળ આવી પાસેની ટાપલીમાં પડેલા આગિયા આંબ (હુક્કો)લઈ કિલ્લાના અ ંદરના ભાગમાં જોરથી ફેંકયો. કિલ્લાના અંતર ભાગમાં આવેલ એક મકાન પર એ પડયો ને ભભૂકી ઊઠયો. જોતજોતામાં આગથી મકાન ઘેરાઈ ગયુ`. હલ્લા શરૂ કરવા નિશાની થઈ ગઈ.
શહેનશાહનું અનુકરણ બીજા સૈનિકાએ કર્યું. થોડી વારમાં આગિયા ઍબ, નકથાથી ભરેલાં તીર, સળગતા ભાટિયાને વરસાદ શરૂ થયું. આજે જગબહાદુર માલિક રણમેદાનમાં હતા. સૈનિકાને વગર કહ્યે શૂરાતન ચઢી રહ્યું હતું. કલિ જરના કિલ્લા ઠેર ઠેર લાગેલી + હુક્કા હાથમાં લઈ ને ફેંકાતા એક પ્રકારના ગેાળા, જે જ્યાં પડતા ત્યાં અગ્નિ ફેલાવતા.
૨૪૮ : શેર ગયા
Page #266
--------------------------------------------------------------------------
________________
આગથી વ્યાપ્ત થતા હતા, પણ રમૃત્યુને જીવનની અમૂલખ ક્ષણુ માનનારા રજપૂતા સાવધ હતા, અને દીવાલાની એથે એથે મેરચે આંધીને સામને ચાલુ રાખી રહ્યા હતા. દરવાજ સખત રીતે ભિડાયેલા હતા. મુરજ પર તીરકમાનવાળા સૈનિકો અજબ લેાહીતૃષા સાથે સજ્જ હતા.
બાદશાહે જોહની× નમાજ પઢી લીધી, ત્યાં તે દૂર દૂર આકાશમાં ધૂળની ડમરી ચઢતી દેખાઈ. આગ્રાની કુમક આવી રહી હતી.
‘ આગ્રાથી બહાદુરખાન વખતસર આવી પહોંચ્યું. સધળા બળથી એક હલ્લા સખત બનાવેા. આજે દુનિયા આસમાની બુરખા આઢે તે પહેલાં કિલ્લા તાખે થવે! જોઈ એ. શેરશાહના એ નિર્ણય છે. વાહ, મારા બહાદુર સિપાહીએ ! શહેનશાહ તમારી બહાદુરી પર મુસ્તાક છે.'
આગ્રા બહાદુરખાન પવનવેગે આવા હતેા. એ જોતજોતામાં આવી પહોંચ્યા. એના સેના જુદા જુદા ભાગમાં વહેંચાઈ ગઈ. બહાદુરખાન પેાતાના ચુનંદા સિપાહીએ સાથે શહેનશાહની પાસેના મિનારા પર આવ્યે ને હુકમ માગ્યા. શહેનશાહ તા ઇંતેનરીમાં જ હતા. હુકમ અપાયે। તે બહાદુરખાને અલ્લાહના પાક નામ સાથે એક આગિયા ભેખ હાથમાં લઈ જોરથી ફેંકયો. સેનાએ પેાતાના ઉપરીનું અનુકરણ કર્યું. ધમસાણુ યુદ્ધ મચી રહ્યું.
બહાદુરખાન તાકી તાકીને આગિયા એબ ફેંકયે જતા હતા. પાસે ઊભેલા રૂપાળા અશ્ર્વાન યુવક વાહવાહના પડકારથી એના વીરત્વને ઉત્તેજી રહ્યો હતેા. અને જેમ પડકારા થતેા તેમ બહાદુરખાનનું બદન પેારસથી ફાટફાટ થતું હતુ. શેરશાહ પણ પેાતાના આ યેદ્દાની કુશળતા પર આફ્રીન પે।કારવા લાગ્યા. કલિંજરના કિલ્લાનું એકએક ધર આગના ભડકાથી ઘેરાઈ ગયુ હતુ..
× ખપેાર પછીની નમાજ.
શેર ગયા : ૨૪૯
Page #267
--------------------------------------------------------------------------
________________
.
જો, પેલી કાઈ સ્ત્રી છાપરે ચઢી. લેતી જા ! આટલી વાર.’ અને બહાદુરખાને હાથમાં ભેખ લીધા. હાથને હવામાં તાન્યેા.
· હાં, હાં, સ્ત્રી પર મેખ ?’
'
· સશસ્ત્ર છે. શત્રુના મુકાબલે આવી છે! કાળી નાગણુ અને છ છેડાયેલી રજપૂતાણી સરખી ! જો, આ એક જ ધા ને આટલી વાર?' નહી, એમ ન હોય ! મર્દાઈ તે એ ન છાજે,' તે પેલા રૂપાળા અફધાન યુવકે વચ્ચે હાથ નાખ્યા. હાથેાહાથ જોરથી અફળાયા. હુક્કો હાથમાંથી છટકો, સુરૂરૂ કરતા સળગતે નીચે ગયેા. એ કયાં. પડ્યો તે જોવાની કે જાણવાની કાઈ તે ફુરસદ નહેાતી.
કલિંજરના કિલ્લામાં દેખાતી એક રજપૂતાણીની પાછળ અનેક રજપૂતાણીમાં ખડી હતી. સહુના હાથમાં જુદાં જુદાં શસ્ત્ર હતાં. રણચંડી બનીને એ સૌ આવી હતી. બહાદુરખાને પેાતાની બંદૂક સમાલી. તાકી તાકીને એ તેમ લેવા લાગ્યા. રૂપાળા અધાન યુવકઃ સહેજ દૂર ગયા હતા. એની નજર નીચે ગયેલા હુક્કા તરફ હતી. દારૂ સળગવાની ઉગ્ર ગધ તેને આવતી હતી.
સિપાહી, જાએ, કિલ્લા પર હાથીઓને છેડી મૂકે ! ’ તે શહેનશાહના હુકમ સાથે મિનારા પરના સિપાહીએ નીચે ઊતરી કિલ્લાના દરવાજા તરફ દોડવા. પેલા રૂપાળા અશ્ર્વાન યુવક પણુ. તેમાં હતા.
'
ગંધની પાછળ પાછળ હવે ધુમાડાના ગોટેગેટા ઉપર ઊઠતા આવતા હતા. લડાઈ સખત બની હતી. શેરશાહ દારવણી આપવામાં મશગૂલ હતા. સેનાનું લક્ષ કિલ્લા તરફ હતુ. બહાદુરખાન તેા બહાદુરીના બહાદુર બન્યા હતા.
એકદમ ભયંકર ધડાકા થયેા. ધરતીક પમાં પૃથ્વી ધ્રુજી ઊઠે. તેમ મિનારાએ કંપી ઊઠયા. ક્ષણુ પછી બીજા ધડાકા થવા લાગ્યા.
૨૫૦ : શેર ગયા
Page #268
--------------------------------------------------------------------------
________________
માટીનાં રચેલાં ધરની જેમ મિનારાના પથ્થરો ઊડવા લાગ્યા, તે ભયંકર કાન ફ્રાડી નાખે તેવા અવાજોથી વાતાવરણુ ભરાઈ ગયું. અરે, આ તે બાદશાહી દારૂખાનું સળગી ઊઠયુ'! અનામત રાખેલી સુરંગ આપે।આપ ફૂટતી હતી. ધવાયેલાઓના હાથ-પગ તે મિનારાના પથ્થરો હવામાં રૂના પેાલની જેમ ઊડતા હતા.
.
અરે, શું કાઈ દુગા?' યુદ્ધ કરતી તમામ સેના એકાએક થંભી ગઈ.
ત્યાં ગયા શહેનશાહ? કર્યાં છે સિપેહસાલાર ખવાસખાન ? કયાં છે બહાદુરખાન? કાં છે શાહજાદા ?’
પ્રલયમૂતિ બનેલા સિપાહીએમાંથી જાણે પેાતાના બાદશાહની ગેરહાજરીએ શદૂર હણી નાખ્યુ. સેના નિરાશ બની. તેઓ પેાતાના નાયકાને શોધવા લાગ્યા. દારૂખાનું હજી સળગી રહ્યું હતું. એના ભડાકા કાન ફાડી નાખતા હતા. શરીરના જુદા જુદા ભાગ જ્યાં ત્યાં વહેંચાયેલા પડયા હતા. કાક ઠેકાણે લેાહી નીંગળતા પડવા હતા, કેટલેય સ્થળે એકલાં તરફડતાં ધડ હતાં, તે ક્યાંક કાળુ ભડથું બનીને માથું પડેલાં હતાં.
હાથ
‘ શહેનશાહ કર્યાં છે ?’ સિપાહીએએ પેાકાર પાડયો. મહાસાગર સમી સેના ક્ષણુવારમાં અસ્તવ્યસ્ત બની જાય તેમ હતી. છતની આજી સદાને માટે હારમાં પલટાય એવી ઘડી હતી; ત્યાં તે ધુમાડાના ગેટાઓને વીધીને કાઈ ના ભયંકર અવાજ સંભળાયેા :
.
હું સલામત છું. લડાઈ શા માટે થંભી ? જોઈએ.
સાંજ પહેલાં ફતેહ આપણી થવી જ ફેરવશેા. તમારા બાદશાહ સલામત છે.'
દર્દ ભર્યાં પહાડી અવાજ ધીરેધીરે બહાર આવ્યા. આગમાં બળીને ભડથું થયેલા એ દેહ હતા. સ્મશાનમાં જાગેલ કાઈ કાળભૈરવ સમે
શેર ગયા : ૨૫૧
હલેા ચાલુ રાખે. બહાદુરા, પીઠ ન
Page #269
--------------------------------------------------------------------------
________________
એ દેખાતો હતો. એ મહામહેનતે પગલાં ભરતો હતો, ને તૂટી પડવાની છેલ્લી ક્ષણને અજોડ નૈતિક હિંમતથી દૂર દૂર હડસેલી રહ્યો હતો. એ હિંદનો પ્યારે બાદશાહ શેરશાહ હતો, એને આખો દેહ કાળી શાહી જે બની ગયો હતો. માથાના વાળ બળી ગયા હતા. શરીરના કેટલાય ભાગમાં માંસના લોચા બહાર આવીને લબડી રહ્યા હતા. આંગળાં ખરી ગયાં હતાં, ને કદરૂપ બનેલા ચહેરામાં ઝંખવાયેલી આંખો એને શહેનશાહ તરીકે ઓળખાવતી હતી.
હિંદુ અને મુસલમાન, તુર્ક ને પઠાણ સૈનિકે પોતાના પ્યારા બાદશાહની આ કસણ હાલત ન નીરખી શકયા. તેઓ નાઉમેદ બનતા ચાલ્યા. હલ્લો બંધ કરવાની મસલતો થવા લાગી. પણ બળેલાઝળેલા શેરે ફરી ત્રાડ દીધીઃ
“ખબરદાર, હલે થંભાવશો મા ! ગણતરીના કલાકમાં કિલ્લાનાં દ્વાર ઊઘડવાં જ જોઈએ. મને કંઈ થયું નથી. બહાદુરે, આગળ વધે ! આજનો બદલો તમારી પ્યાસી શમશેરથી ચુકાવો !”
બાદશાહે પોતાની તલવાર ટેકવી ઊભા રહેવા યત્ન કર્યો, પણ વ્યર્થ ગ. શેરની સાથે બાખડનાર વીર નર, માઇલના માઇલે પગપાળા દોડનાર વીર પુરુષ ફસકી ગયેલી ગાંસડીની જેમ નીચે પડયો. પણ હલ્લો શરૂ થઈ ગયો. સિપાહીઓમાં પોતાના પ્યારા બાદશાહની દુર્દશાએ વેરની ભયંકર વાલા પેટાવી હતી, શાહી હકીમ નીચા મએ ઉપચાર કરી રહ્યો હતો, પણ દર્દ વધતું જતું હતું, છતાં મેંમાંથી વેદનાનો એક ઉચ્ચાર બહાર પડતો નહતો. કરવતથી અંગ વહેરાતાં હોય, જીવતું માનવી મૂંજાતું હોય એટલી કારમી વેદના થતી હતી; પણ વારે વારે હોઠ દાબીને એ વેદનાની પ્યાલીઓ શેરશાહ પી રહ્યો હતો. મર્દાનગીને અવતાર બનેલ બાદશાહ ઘડીએ ઘડીએ એક જ પ્રશ્ન કરતો : , “કિલ્લો ફતેહ થયો?” ૨પર શેર ગયે
Page #270
--------------------------------------------------------------------------
________________
“જહાંપનાહ, કિલ્લાના દરવાજાને હાથીઓ ભટકાઈ રહ્યા છે. આખે કુલિંજર બળીને સ્મશાન થતો ચાલે છે.'
બપિર નમતા હતા. બાદશાહ પાસે બેઠેલા દરબારીઓને પોતાની સાથે ઘવાયેલાઓની શુશ્રુષા ને મરેલાના દફનની વ્યવસ્થા કરવા સૂચના આપી રહ્યો હતો.
ખવાસખાન ને શાહજાદાઓ સલામત છે. શું આગ્રાનો બહાદુરખાન ગયે ? અરે, એના નિશાનમાં જ ભૂલ થઈ. એક સળગતો હુક્કો એના હાથમાંથી છટકી ગયે ને અમે હલામાં મશગૂલ હતા. હશે, ખુદાને જે મંજુર હતું તે થયું.' ને બાદશાહ જાણે પોતાના ભવિષ્યને પારખી ગયા હોય તેમ શાતિ ધારણ કરતો બધી હકીકત કહેતો હતો. ખુદાના પાક નામને એણે જાપ શરૂ કર્યો હતો. વધી. રહેલી વેદના અને પિતાના ભવિષ્યનું સૂચન કરી રહી હતી.
હકીમજી, તમારો મરહમ નકામે છે; ખુદાઈ મરહમ વિના હવે આ દર્દ નહીં મટે !” બાદશાહ મહામહેનતે હસવાનો પ્રયત્ન કરતો હતો, પણ દર્દની કાળી લાહ્ય એને બેચેન બનાવી રહી હતી. જલી ગયેલા હેઠ પરનું હાસ્ય ભયંકર હતું.
કિલ્લો સર થયો ?” બાદશાહે ફરી ઇંતેજારીથી પ્રશ્ન કર્યો. ને કંઈક સ્વરથતા બતાવવા નિષ્ફળ યત્ન કર્યો.
હા, માલિક, દરવાજા તૂટવા લાગે છે. લશ્કરો અંદર ઘૂરયા છે. છેલ્લી હાથે હાથની સફાઈ ચાલે છે.”
રજપૂતો સાથે સાવધાનીથી કામ લેવાનું છે. કાં તો રજપૂતાઈને જેર કરી નાખો યા તો તમારી બના; એ બે સિવાય આપણા માટે ત્રીજો માર્ગ નથી. હકીમ, મારા શરા સરદારોને કદાચ હું ન મળી શકું તો...”
શા માટે ન મળી શકે, મારા શિરતાજ !” હકીમે આશ્વાસન દેવા પ્રયત્ન કર્યો.
શેર ગયે : ર૫૩.
Page #271
--------------------------------------------------------------------------
________________
“ હકીમજી, દરેક ઇચ્છા ને દરેક બીના મનુષ્યના હાથની વાત નથી. એક સિપાહી જિંદગીભર મર્દ બની રહ્યો. એક મર્દ સિપાહી તરીકે વર્યો. અદલ ઈન્સાફમાં પુત્રને કે પિતાને, હિંદુ કે મુસલમાનને નાત-જાત, ભેદાદ કંઈ ન લખ્યાં; સહુને એકસરખા માન્યા છે. હવે આજ ખુદાને બીજું કંઈ મંજૂર હોય તો હું એક મર્દ સિપાહી તરીકે એ માટે તૈયાર છું. મત એક દહાડે સહુના નસીબમાં છે, પછી મોતથી ડર શાને ?'
પાસે બેઠેલા દરબારીઓની આંખમાં આંસુ ઊભરાતાં હતાં.
“તમે બધા રડે છે ? તમારી ઈચ્છા ખુદાની મરજીની ખિલાફ છે? સાચા મુસલમાનની જિંદગી ને મેત ખુદાને હાથ હેય છે. એના માટે આંસુ કે ગામ નિરર્થક છે. બહાદુરો, શેરશાહે સદા માઁથી હાથ મિલાવ્યો છે. સાંભળે. મારી પાછળ આદિલને ગાદીએ બેસાડજે. જરૂર પડે તો ઝવેરી હેમરાજને મળજે; એ મારો વફાદાર સ્ત છે. કામ પડે મારું નામ આપજે. મને સાસારામના મારા મકબરામાં દફન.”
મારે બાદશાહ, હવે વધુ ન બોલશો. આ દિલ ફાટી જશે તો પછી સાંધનારું કાઈ નહિ મળે !'
મર્દ બાદશાહે આસમાન તરફ આંગળી ઊંચી કરીને ઇશારે કર્યો. દર્દ વધતું જતું હતું, એ એના મુખ પરના ભાવોમાંથી જણાઈ આવતું હતું.
હકીમજી, દર્દ વધતું જાય છે. શું હજી ફતેહ હાંસલ થઈ નથી? મારા અનામત લશ્કરને હલે કરવાનું કહી દે ! રાત પડે તે મશાલનો બંદોબસ્ત રાખજે, પણ લડાઈ ન થોભે. મારે ફતેહ જોઈને જવું છે. યા ખુદા, પરવરદિગાર ! ભાઈઓ, જલદી કરો! સુરજ આથમતો જતો લાગે છે!” ૨૫૪ : શેર ગયે
Page #272
--------------------------------------------------------------------------
________________
ખરેખર, સુરજ અસ્તાચળ તરફ સરકતા જતેા હતેા.
- હકીમજી, સૂરજ આથમે એ પહેલાં મને અસરની નમાજ પઢાવા. મારા લાખડ જેવા સ્નાયુએ અને પેાલાદની નાડીએ હવે કહ્યું કરતી નથી.'
અસરની નમાજ પૂરી થઈ. સૂરજ હવે સ્પષ્ટ રીતે મેર એસતે। જતા હતા, કિલ્લામાં ધમસાણ યુદ્ધ ચાલતું હતું, તે કાન પર આવતી ભયંકર હાહા પરથી કલ્પી શકાતું હતું.
મૌલવી સાહેબ, તમે આવ્યા? મને અલ્લાહની રહેમના પાઠ સંભળાવા; અરે, એક મુસલમાનને શાલતા માતનેા બધા ઠાઠ રચાવે! મારી તાકત હણાતી જાય છે. કિલ્લા ફતેહ થયા કે નહી?”
<
• તેહ ! ફતેહ! જહાંપનાહ, રજપૂતાને ધાસની જેમ કાપી નાખ્યા છે. કિલ્લા હાથમાં આવી ચૂકયો છે.’
આમીન, આમીન, આમીન, યા અલ્લાહ!' તે શહેનશાહે જીમતી શાલ માં પર એઢી લીધી. જલી રહેલી ખેાના દીપક હાલવાઈ ગયા.
'
'
· અલ્લાહ અકબર ! બાદશાહે શેરશાહની કુંતેહ !'
સિપાહીએ પેાતાના પ્યારા શહેનશાહને જોવા ઉત્સુક
હતા.
એમણે ખભેખભા મિલાવી ખાદશાહ સાથે સંગ્રામ ખેલ્યા હતા. સેનાપતિ ખવાસખાન ને શાહજાદા ધસ્યા આવતા હતા.
બાદશાહ ખામેાશ કેમ ?”
k
ભાઈ, સદા માટે ખામેાશ, અલ્લાહતાલાની એવી મરજી !' શું શેર ગયા? જાણે આકાશમાંથી વીજળી પડી, દિશાઓમાંથી તુજારા અધી ઊડતી આવી, દુનિયાની બલાએ એમના મસ્તક પર ઘૂમવા લાગી. વિલાપ, રુદન, હાયહાય !
શેર ગયેા : ૨૫૫
'
Page #273
--------------------------------------------------------------------------
________________
પણ ના, દીનદાર મુસલમાનનું દિલ ભલે રડે, એની આંખોમાં શ્રાવણ-ભાદરવો ભલે વરસવા તોળાઈ રહે; પણ આંસુનું એક બુંદ. પણ બહાર કેવું !
શેર ગયો! અલાહની મરજી એવી હશે. મુસલમાનોનો નૌશેરવાન બાદશાહ ગયો. હિંદુઓને રાજા ભેજ ગયો. કુદરતને જે મંજૂર હતું તે થયું. મર્દોના મોત પાછળ મરસિયા શા?
|
રપ૬ : શેર ગયો
Page #274
--------------------------------------------------------------------------
________________
પો
દીવા પાછળનું અંધારું
૨૩
* સહસરામના ઉદ્યાનમહેલમાં, બુલબુલ ને કોકિલાના સોદિત ગાન વચ્ચે, ગુલશનનાં ગુલના અભુત પમરાટ વચ્ચે, મહેલ ફરતી જળપરીધાની તરંગાવલિઓ વચ્ચે શહેનશાહનો દેહ કબ્રસ્તાનની શાંતિને પામે, એ પહેલાં શાહના પુત્રોમાં, અમીર-ઉમ રાવવર્ગમાં અશાન્તિની એક ચિનગારી જલી ઊઠી. દીપક બુઝાતાંની સાથે જ એની નીચે છુપાઈ બેઠેલું રાતનું અંધારું બહાર ધસી આવ્યું.
શેરના સામ્રાજ્યને માલિક કણ બને ? આ પ્રને મતભેદનું મોટું જાળું ઊભું કર્યું. શેરના એક શબ્દ પાછળ જાન ન્યોછાવર કરનાર સેનાપતિઓ, સિપેહસાલારો, અમીર ઉમરાવોમાં કે જાણે ક્યાંથી મતભિન્નતા ભભૂકી ઊઠી. અનંત પુષ્પોની માળા જાણે એક દેર ખેંચાઈ જતાં ભિન્ન ભિન્ન દેખાવા લાગી.
- સિપેહસાલાર ખવાસ ખાન શેરશાહની અંતિમ ઈચ્છા મુજબ વડા શાહજાદા આદિલ ખાનને તાજ પહેરાવવા ઇચ્છતા હતા.
૨૫૭
૧૭
Page #275
--------------------------------------------------------------------------
________________
ઉમરાને પક્ષ નાના શાહજાદા જલાલખાનને ગાદી આપવા માગતો હતો. બંને પક્ષ પોતપોતાની રીતે સાચા હતા. વારતવિક રીતે જોતાં જલાલખાન બાહોશ, બાપના જેવો ન્યાયપ્રેમી ને શરીર હતો. આદિલ ખાન આવી પડેલ ફરજ ખાતર જ લડનારે, પણ સ્વભાવે ખુદાની બંદગીમાં વધુ મસ્ત રહેનારો હતો ! એને દુન્યવી ઠાઠમાઠ ક ભપકાની લેશમાત્ર ખેવના નહોતી. શેરશાહની શરવીરતા ને ધર્મપ્રિયતાના નમૂના જેવા આ બંને પુત્રો સહુને પ્રિય હતા, છતાં જલાલખાનને ગાદી આપવાના મતમાં વધુ ને વધુ ઉમરાવો મળતા જતા હતા.
જલાલખાનને આ વાતની માહિતી આપવામાં આવી પણ એણે મોટા ભાઈના મનની ઈચ્છા જાણ્યા સિવાય તત સ્વીકારવા ના પાડી. હાથમાં તરબી લઈને આવેલા આદિલખાને મીઠાશથી ભાઈને કહ્યું:
જલાલ, મારી મરજી ખુદાની બંદગી કરવાની છે. તલવાર અને તબી, એ બેમાંથી મેં તસ્બી પસંદ કરી છે. વળી પિતાજીની ગેરહાજરીને લાભ લેવા કદાચ મેગલે હિંમત કરે, તો તે વેળા તારી જરૂર પડશે. મેગલ બાદશાહ બાબરની ચડાઈઓને તે પિતાજી સાથે જ અનુભવ લીધો છે.”
હું આપના કદમમાં જ છું. આપ ગાદી શોભાવો. જરૂર પડે હુકમ કરજે તો આ શમશેર તૈયાર જ છે,” જલાલખાને પોતાની નમ્રતા બતાવી.
જલાલ, અફઘાન કેમની બુલંદીનું અધૂરું સ્વમ પૂરું કરવાની મારી તાકાત નથી. સાચી તાકાત તો આ અમીર-ઉમરાવે છે; પણ એ તાતને ઉપયોગ કરી શકે તેવું મારું દિલ પણ નથી. જલાલ, પિતાજીએ તો પોતાની પાછળ પોતાના વંશજો ન ઝઘડે તે માટે મને તાજ પહેરાવવાનું કહ્યું, પણ હું ખુશીથી મારે હક છોડું છું. અફઘાન શહેનશાહી રોજ-બ-રોજ તપતી રહે એ જ મારી ખ્વાહિશ છે.” ૨૫૮ : દીવા પાછળનું અંધારું
Page #276
--------------------------------------------------------------------------
________________
તે આપ કયું પદ શોભાવશે ?”
એક પણ નહિ ! શહેનશાહત માટે કે શહેનશાહ માટે ખુદા પાસે દુઆ માગવાનું કામ હું સ્વીકારીશ. રાજપૂતાનામાં બિયાનાની જાગીરમાં સાંઈઓલિયાઓના સહવાસમાં હું મારી જિંદગી ખતમ કરવા ઈચ્છું છું.”
આ દરબાર આદિલશાહની વર્તણૂક પર આફરીને પોકારવા લાગ્યો. સિપહાલાર ખવાસ ખાનની મોટી આંખમાં આંસુ ઊભરાતી આવ્યાં. તાજ માટે ભાઈભાઈની કતલ કરનાર, બાપ બેટાની કતલ કરનાર સિંહાસનના વારસદારો ક્યાં ને જ્યાં આ સમ્રાટ શેરશાહના વારસદાર ! કેટલી મહેમ્બત, કેટલી ચાહના, કેટલી દિલદિલાવરી ! સેનાપતિ ખવાસખાને પોતાની સમશેર મ્યાન બહાર કરી ભરતકે અડાડી આદિલશાહને પગે મૂકી.
મારા શહેનશાહ, જરૂર પડે ત્યારે આ બંદાને યાદ ફરમાવજે! આ તલવાર ને તલવારનો માલિક બંને આપનાં જ છે.”
બહાદુર આદમી, ખુદાના આદમીએ તલવારના બદલે તરબી પર ભરોસે રાખવો વધુ સારે. તલવાર પર ભરોસો રાખનાર ઘણી વાર પિતાની જાત પર પણ ભરોસો રાખી શકતો નથી. તખ્ત અને તાજ માણસને ગુમરાહ બનાવે છે, માટે હંમેશાં અલાહની મરજીને આધીન રહેજે !”
કલિંજરના બુરજે જલાલખાનની તાજપોશીની ખુશીમાં દીપકથી ઝળહળી ઊઠયા. શાહી તોપે નવા શહેનશાહના સન્માનમાં ગરવ કરવા લાગી. એક તરફથી દબદબાભર્યો શહેનશાહને જનાજે સહસરામ તરફ રવાના થયો; બીજી તરફ તાજપોશીને સમારંભ શરૂ થયો. સિંહાસન તે સદા સુહાગી મનાયું છે. એને સ્વામી જોઈએ, જોઈએ ને જોઈ એ જ !
દવા પાછળનું અંધારું ઃ ૨૫૯
Page #277
--------------------------------------------------------------------------
________________
એના હવામી તરીકે જલાલખાન “સલીમશાહ' નું નવું બિસ્ત ધરીને આવતો હતો. એણે તખ્ત સંભાળતાં જ કહ્યું :
“મરહૂમ શહેનશાહના જ રાહના રાહગીર તરીકે હું તખ્ત પર બેસું છું, એટલે પ્રજાએ કોઈ પણ જાતની ચિંતા, ભય કે ઉદ્વેગ સેવવાની જરૂર નથી. હિન્દુ-મુસ્લિમો મારા રાજ્યની બે આંખે છે ને રહેશે. જેમ એક તાબેદાર બેટે બાપના પગલે ચાલે તેમ વાવવા, નદીનવાણુ, રસ્તા ને ધર્મશાળા, જમીન મહેસૂલને રાજ્યની આબાદી અમારા તરફથી એ જ ધોરણે ચાલુ રહેશે. મને ભરોસે છે, કે સહુ સરદાર, ઉમરાવ-અમીરો, સિપાહીઓ પહેલાંની માફક મને સાથ આપશે. પરવરદિગારની આપણે સહુ બંદગી કરીએ કે મહાન શેરે સર્જેલું સામ્રાજ્ય ચાંદતારાની જેમ આપણે અવિચળ રાખી શકીએ.”
શહેનશાહ સલીમશાહના નામના ખેતબા મજિદોમાં પઢવામાં આવ્યા, ને મંદિરોમાં ઘંટનાદ થયા. મૂર્તિપૂજકે કે મૂર્તિ ભંજક બંનેને બાદશાહ સમાન પ્રિય હતો.
આદિલશાહ એક દહાડો હાથીની સવારીએ ચડી, સહુની રજા લઈ બિયાનાની જાગીરમાં જઈ રહ્યા. શેરશાહના દિલના એક ખૂણામાં વસી રહેલી ફકીરી આજ એના વડા પુત્રમાં રૂપ પામી રહી હતી. અલંકાર એના દેહ પરથી ઊતરી ગયા હતા; મોટાઈ ને શાહી રિવાજેનો અંચળો એણે ફગાવી દીધો હતો. હાથમાં તબી, મુખમાં અલાહનું નામ ને સદા પાક કિતાબનું વાચન ! વાહ રે ! ઓલિયા, ફકીરી તે આનું નામ ! શું એની દયામાયા ! શું એની રહેણીકરણ ! સલીમશાહના રાજતંત્ર કરતાં આદિલશાહના ધર્મતંત્ર તરફ પ્રજાને ચાહ વધતો ચાલ્યો. સિપેહસાલાર ખવાસ ખાન તો ત્યાં જ પડયો પાથર્યો રહેતો. પિતાના પ્યારા માલિક શેરના ગુજર્યા પછી એને પણ બંદગીની આ જિંદગી પ્રિય લાગી હતી. અમીર-ઉમરાવો પણ બિયાનાની જાગીરમાં દીનદુખિયાંઓની વહારે ધાતા આદિલશાહના ૨૬૦ : દીવા પાછળનું અંધારું
Page #278
--------------------------------------------------------------------------
________________
દર્શને આવતા. રૈયત આ બેતાજ બાદશાહના નામ પર ફૂલ ચડાવતી. સલીમશાહની તાજપોશીની તપે ને જલસા કરતાં સહુને આદિલશાહમાં વધુ રસ હતે.
આવો જ રસ નવા બાદશાહ સલીમશાહને પણ હતો. પણ રાજનીતિના પ્યાલામાં પડેલ ક રસ કુરસ થયા વગર રહ્યો છે, કે આ રહે! એ વાસણમાં પડેલું દૂધ મીઠાશને બદલે ખટાશ ધારણ કરી રહેતું. રામરાજ્યના અમૃતપાત્રમાં મંથરાએ રસને બદલે ખટરસ પીરસ્યો. ને મહાભારતના યુદ્ધમાં શકુનિએ શેરડીને બદલે છોતરાં જ પીરસ્યાં. એમ સલીમશાહના રાજદરબારમાં સદાને વગોવાયેલો શેઠનો સાળો” મુબારિઝખાન અમૃતરસને વિષમય બનાવવા વિષકટરી લઈ આગળ આવ્યો. એણે પોતાની બહેન બીબીબાઈને ભડકાવી : તારા સ્વામી ને તારા પુત્રના ભલા ખાતર આદિલશાહને છૂટો ન મૂકે ! દોલત જોઈને કોનું દિલ ફરી ગયું નથી ? સલીમશાહનું કેણ છે? ખવાસખાન તમારે નથી, અમીર-ઉમરા તમારા નથી. આદિલશાહના નામનો અજબ જાદુ ઊભે થયો છે. પાણી આવવાનું જ છે; આવ્યાં પહેલાં પાળ બાંધે. મારી તો એટલી સલાહ છે, કે આફત આવે તે પહેલાં ચેતી જાઓ તો સારું !'
સલીમશાહની બેગમ આ સાંભળી વિચાર કરી રહેતી. ઓરતના દિલમાં સ્વામી ને પુત્રના હિતની આગળ બીજા કોઈનફા–નુકસાનની ગણતરી નથી. કાળી નાગણ જેવી સ્ત્રી પણ પુત્ર ને પતિના નામ પાસે નરમ થઈ જાય છે. દેલત જોઈને કેનું દિલ ફર્યું છે, એની ખાતરી કરવાની વિવેકશક્તિ એ ગુમાવી બેઠી.
બીબીબાઈએ પોતાના ભલા ખાવિંદને વાત કરી. ખાવિંદે હસી કાઢી:
‘છેવટે ઓરતના પિતાજી કહેતા હતા કે સ્ત્રીના વાળ લાંબા હોય છે, પણ બુદ્ધિ ટૂંકી હોય છે. મોટાભાઈ આલિયા છે. એને જે
દીવા પાછળનું અંધારું ઃ ૨૬૧
Page #279
--------------------------------------------------------------------------
________________
દેલત પર દિલ હોત તે તખ્ત ઉપર બેસી ન જાત ! અને ખવાસખાન? એ તો બાપુને પુરાણે સેવક છે. લોકે એને પૂજે છે.”
તમે જાણો ને તમારું કામ જાણે! મારી ફરજ મેં અદા કરી.”
સલીમશાહે એને કંઈ જવાબ ન વાળ્યો. લીલા પથ્થર પરથી જળબિંદુ સરી જાય તેમ એના મન પરથી એ વાત ઉતરી ગઈછતાં સાપ ચાલ્યા જાય તોય તેના પડેલા લીસોટા સાપની યાદ આપે છે.
કાબુલ તરફનો એક ગુપ્તચર આવ્યો હતો. એની પાસે મહત્ત્વના સમાચાર હતા. એ અંગે ખાસ મંત્રણા કરવાની હતી. આજે એકાએક એને ખવાસખાનની હાજરીની જરૂર જણાઈ
સેવકે ખબર આપ્યા કે તેઓ આદિલશાહ પાસે ગયા છે, અકવાડિયા પછી પાછા ફરશે. સાથે સાથે એ મુબારિઝખાનને તેડી લાવ્યો. મુબારિઝખાન શિર ઝુકાવી ઊભે રહ્યો.
“રાજનાં કાજ કરવાનાં છે કે હવે સહુને ફકીરી લેવાની છે? દરબારમાં કોઈની પૂરી હાજરી જ જોવાતી નથી.'
જહાંપનાહ, ગુસ્તાખી માફ ! મારી પણ એ જ ફરિયાદ છે. સાંભળ્યું છે કે કાબુલન શાહ ફેણ માંડી રહ્યો છે. ઈરાનમાં તો કોનું જોર છે, તે આપ જાણે જ છે. હિંદ બહાર રખડતો મોગલ બાદશાહ કંઈ ઊંધતો નથી. એ પણ લશ્કરની જમાવટ કરી રહ્યો છે. ને જેર કરી નાખેલા રજપૂતો તો મારા શાહ, મસાણમાંથી બેઠા થાય તેમ છે. મેટા શાહ કે સેનાપતિ સાહેબ ફકીરી લે કે ન લે, પણ સતનને તો ફકીરી લેવી પડે તેવી જ હાલત છે.” મુબારિઝખાનના શબ્દોમાં વખતને યોગ્ય આતશ હતો. એ આતશ કામ કરી ગયો.
મુબારિઝખાન, મેટાઓએ ઘણું વર્ષો સુધી ગાડું ખેંચ્યું, હવે એમને આરામ આપવો ઘટે! બહુ દહાડા જહેમત ઉઠાવીને તેઓ ૨૬૨ ઃ દીવા પાછળનું અંધારું”
Page #280
--------------------------------------------------------------------------
________________
થાકયા હશે, આપણે તેમનું કામ કરી લઇએ. મારી ઇચ્છા છે, કે સિપેહસાલાર ખાંસખાનની ગેરહાજરીમાં તેમનુ કામ તમે જ કરે. ધ્યાન રાખશે! કે સલ્તનતનું કામકાજ બરાબર ચાલવું જ જોઈ એ, એમાં કાઈ બહાનાં ન ચાલે.'
સાચી વાત છે, જહાંપનાહ ! માણસ આવે કે જાય, રાજનું કામકાજ ચાલવું જ જોઈએ. નવાએએ પણ જૂનાનુ કામ શીખી લેવું જોઈ એ. જૂનુ જાય તે નવું આવે; એ તે કુદરતના ખેલ છે. મરહૂમ શાહ ગયા, આપ આવ્યા. તખ્તને રાજ ચલાવનારની જરૂર છે, પછી ગમે તે હિંમતવાત તે અકલમંદ એ ચલાવે, એની સાથે અને નિસ્બત નથી.
<
સલીમશાહને મુબારિઝખાન યેાગ્ય ને લાયક આદમી લાગ્યા. પેાતાના વિશ્વાસુ ને શૂરવીર લશ્કરને કાબૂ ખવાસખાનની ગેરહાજરીમાં અને સોંપ્યા. મુબારિઝખાન સાચું કહેતા હતા, કે માણસ તે। આવે કે જાય, પણ સલ્તનતનું કામ ચાલવું જ જોઇ એ.
સલ્તનતનું કામ બરાબર ચાલવા લાગ્યું. મુબારિઝખાન ચાલાક ને હોશિયાર આદી હતા. રાજ લશ્કરની કવાયતે!, રાજ કઈ નવા નવા ફતવા, કંઈ ધમાલ ચાલુ જ હતી. ધીરે ધીરે લશ્કરી કાબૂ એના હાથમાં આવતા ગયા. આ પ્રવૃત્તિના સમાચાર બિયાનાની જાગીરમાં પહોંચતા ચાલ્યા તે ખવાસખાનની ગેરહાજરી વધતી ચાલી. આદિલશાહ તે તે આજુબાજુનાં ગામડાંના રાગી-દુઃખીની સેવામાં, ચેારાચબૂતરાની વૃદ્ધિમાં વધુ રસ લેતા ચાલ્યા. અલાહના દરબારના એ અમારા સલીમશાહના રાજને પણુ ભૂલતા ચાલ્યા. આ વર્ષેની સાલિંગરહમાં પણ તે ગેરહાજર રહ્યા. અમીર-ઉમરાવે! પણ ક ંઈ
દરકાર વગર હાજરી આપવા લાગ્યા.
<
મારા શાહ, બિયાનાની જાગીરમાં અલ્લાહની બંદગીના બહાને
દીવા પાછળનું અંધારુ : ૨૬૩
Page #281
--------------------------------------------------------------------------
________________
સલીમશાહના વિરોધીઓ એકઠા થતા લાગે છે.” મુબારિઝખાને તક જોઈને શાહને ચેતવ્યો.
મને પણ એમ લાગે છે. હું વિચાર કરી રહ્યો છું.'
એમાં વિચાર કરવા જેવો વખત નથી. માલિક, મારું માનો તે મેટા શાહને દિલ્હીના કેઈ ઉદ્યાન મહેલમાં જ બંદગી કરવાની સગવડ કરી આપીએ. ખુદાના બંદાઓને તો શું બિયાના કે શું દિલ્હી ! શું જંગલ કે શું મહેલ ! બધું સરખું.”
“બરાબર છે. મેટા ભાઈને જણાવો કે તેઓ દિલ્હી આવીને રહે; તેમને અહીં તમામ સગવડ મળશે. મુબારિઝખાન, તમે પોતે જ જાઓ, ને મોટા ભાઈને સમજાવી લાવો.”
પણું દિલ્હી આવવાની નારાજી બતાવે તો ?” “શાહી રુક્કો લેતા જાઓ.”
એ રુકકો ન માને તો ? શાહી આજ્ઞા પણ લોપે તો ? કહેશે કે ફકીરને વળી શાહ કણ ને સાંઈ કોણ?”
“શાહી ફરમાનના ઉલ્લંઘન આગળ હું કેઈનું નહીં સાંખું; સાંખી લઉં તો સલતનત ન ચાલે. ઘણા દિવસ સહન કર્યું. મોટા ભાઈએ જ પહેલું પગલું ભર્યું છે. ત્યાં રાજદરબારીઓને ડાયરો ભરવાની શી જરૂર હતી ?”
“જહાંપનાહ, કહ્યું છે ને કે લાવાના સળગતા પહાડનું મેં તો લીલીછમ હરિયાળીથી ઢંકાયેલું હોય છે. વખત આવે હરિયાળી ચાલી જાય છે, ને અગ્નિ ભડભડી ઊઠે છે.”
એ અગ્નિ કેમ શાંત કરે તે હું જાણું છું. જાઓ, મુબારિઝખાન, તમે જ જાઓ ! શાહી ફરમાન સાથે લેતા જાઓ. હા પાડે તો શાહી હાકેમનું માન આપજે. ના પાડે તો સોનાની બેડીમાં ૨૬૪: દીવા પાછળનું અંધારું
Page #282
--------------------------------------------------------------------------
________________
જકડી લાવજો ! રાજના કામકાજમાં પિતાજી પણ પુત્રની કે કોઈની શરમ નહેતા રાખતા. હું પણ કોઈનું નહીં સાંભળુ’
મુબારિઝખાને જોયું કે જે આતશ જલાવવાના હતા તે જલી ઊઠયો છે. એ અગ્નિમાં વધુ આહુતિ કેમ આપવી તે પેાતાના મનની મુરાદને માર્ગોં સાફ ક્રમ કરવા, તે હવે તેના હાથની વાત હતી.
પણ આ તે! આગમાં હાથ નાખવાને હતે. સામે યુદ્ધકળાકુશળ સિપેહસાલાર ખવાસખાન હતેા. આદિલશાહ પાસેથી એને ખસેડવાને પેતરા રચ્યા. કાબુલનાશાહની ચળવળ તપાસવા જવાનુ ફરમાન એને માટે છૂટયું. ફરમાન મુજબ ખવાસખાન એ તરફ ગયા કે મુબારિઝખાન પેાતાના સિપાહીએ સાથે આદિલશાહના દરવાજા ઉપર જઈ ઊભા રહ્યો.
કુર્નિશ બજાવી એણે શાહી ફરમાન રજૂ કર્યું. અદબ ભીડી, સર નમાવી એ ઊભેા રહ્યો.
‘ કાણુ મુબારિઝખાન ? ભલા, બિયાનાની શાંતિ દિલ્હીમાં કાંથી મળશે ? ગમે તેમ ાય એ તેા પાટનગર; કઈકની કંઈક ધમાલ તે। . ચાલુ હાય જ. વળી મારા જીવ અહીં આરામ અનુભવે છે.’ દેનવાજ, ગુસ્તાખી માફ. બંદાને હુકમ છે કે આપને દિલ્હી લઈ ચાલવા.’
C
શાહને કહેજે કે એ કાઈ રીતે નહીં બને. જે કામ માટે મેં તખ્ત છેડવુ, એ કામ છેાડીને કર્યા આવું ? હું તે। શાહના શાહના બદા બન્યા છું.'
'
“તે। આપ શાહી ફરમાનના ભોંગ કરે છે.'
(
કદાચ કાઈ ભલા કામ માટે લંગ થતા હોય તેા થવા દે !' આદિલખાન કંઈક સ્મિત સાથે મેલો.
* પણું હુકમ ભંગ કરનારને સલ્તનત તખ્તને ગુનેગાર ગણે
દીવા પાછળનું અંધારુ : ૨૬૫
Page #283
--------------------------------------------------------------------------
________________
છે.” બિલાડી ધીરે ધીરે પિતાના નહેર બહાર કાઢતી હતી.
અલ્લાહને ગુનેગાર ન બને એટલી જ ચાહના છે.”
“ગુનેગારને પકડીને હાજર કરવાનું મને ફરમાન છે, બંદેનવાજી મુબારિઝખાને બીજું શાહી ફરમાન સામે ધર્યું.
મુબારિઝ, સેનાની બેડી હો કે રૂપાની બેડી, દિલગીર છું કે હું મારો નિર્ણય બદલી શકતો નથી.”
બદલવો પડશે. મોટા શાહ, મારે જબરદસ્તી વાપરવી ન પડે. તેનું ધ્યાન રાખશે.”
જબરદસ્તી?” “હા, ન છૂટકે જબરદસ્તી? આપના પર રાજદ્રોહનું તહેમત છે.”
મારા પર તહેમત ! એક કબૂતર પર બાજને માર્યાનું તહેમત ? મુબારિઝ, અલ્લાહનો ડર હોય તો ચૂપચાપ ચાલ્યો જા ! હું નહીં આવી શકું.”
આવવું જરૂરી છે. ગુનેગારને છૂટ મૂકે ફલેલાફાલેલા બગીચામાં સાંઢને છૂટ મૂકવા બરાબર છે.”
મુબારિઝ, જબાન સંભાળ ! કયામતને વિચાર કર !” સિપાહીઓ, પકડી લે મોટા શાહને ” સિપાહીઓએ આદિલશાહને ઘેરી લીધા. લઈ ચાલે એમને દિલ્હી, મુબારિઝખાને હુકમ કર્યો.
એમ નહીં બને. આદિલસાહના બન્ને હાથમાં બેડીઓ પણ નાખે. ખુદા તો તમારે ઇન્સાફ જોશે, પણ તૈયતને પણ જોઈ લેવા દો!'
“ ખુદા જશે એ પહેલાં તો અમે મોટા શાહ પર હાથ ઉઠાવનારને જોઈ લઈશું.' પાસે બેઠેલા અમીરએ શમશેર ઉઠાવી. ૨૬૬ : દીવા પાછળનું અંધારું
Page #284
--------------------------------------------------------------------------
________________
મુબારિઝ પૂરી તાકત સાથે ત્યાં ગયો હતો. સામે શમશેર ચમકી ઊઠી. એક નાનું મારામારીનું છમકલું થઈ જવાની તૈયારીમાં હતું, ત્યાં આદિલખાને વચ્ચે પડી કહ્યું:
- “સબૂર, દોસ્તો, તલતાર મૂકી દે ! તલવારને જે ભરોસો કરવો હોત તો પછી આ તસ્બી હાથમાં ન લેત. અફઘાન સત્તાના અફઘાનની શમશેરોથી મારે ભાગલા નથી થવા દેવા. મારો ભરોસે તરબીમાં છે. આદિલખાને પોતાના પ્રેમી ભક્તોને વચ્ચે પડવાની ના પાડી. આ પહેલાં તો મુબારિઝે તેમને ગિરફતાર કરી લીધા હતા.
સિપાહીઓ, સોનાની બેડી પહેરાવી દો, ને જલદી પાછા ફરે.”
રાજસત્તાને ભૂખે મુબારિઝ આદિલશાહને પકડી, હાથમાં સેનાની બેડીઓ નાખી પાછા ચાલી નીકળ્યો. કુટુંબપ્રેમ ખાતર સર્વસ્વ ન્યોછાવર કરનાર શેરશાહના શૂરા સરદારની આંખ ભીની થઈ ગઈ. દિલ્હીની પ્રજા એ સેનાની બેડીઓ ન જોઈ શકી. એક શાહી ફકીરની આ દુર્દશા!
પણ એ શાહી ફકીરને કોઈ દુઃખદર્દ નહતાં. એણે તે અલ્લાહની મરજી પર જિંદગીની કિસ્તી છોડી દીધી હતી; જેવી એની ઈચ્છા હોય તેમ થાય! સ્વસ્થતાથી, ખુમારીથી, ફકીરને શોભે તેવી અદાથી એ દિહીના રાજમાર્ગો વટાવી, આગ્રાના કારાગારમાં પ્રવેશ્યો. પણ જે શાન્તિ એ રાખી શક્યો એ શાન્તિ સિપેહસાકાર વાવૃદ્ધ ખવાસખાન ન રાખી શક્યો.
એણે બદલે લેવા હાકલ કરી. વેરની છાયા એને ઘેરી બેઠી. લાંબા વખતથી ધૂંધવાઈ રહેલા અગ્નિ જ્વાલા સ્વરૂપે ફાટી નીકળ્યો. એણે સન્યને જમાવ કરવા માંડ્યો. અફઘાન સત્તારૂપી સરિતાનાં પાણી નાના વિભાગોમાં વહેંચાવા લાગ્યાં. અફઘાન એજ્યમાં માનનારા અમીર-ઉમરાવો પણ અંદરખાનેથી પુનઃ સત્તાલોભી બનવા
દીવા પાછળનું અંધારું : ૨૬૭
Page #285
--------------------------------------------------------------------------
________________
લાગ્યા. બહાદુર ખવાસખાના મુકાબલેા કરવા એ રમત વાત નહેાતી. મરહૂમ શહેનશાહ શેરશાહની તમામ અભેદ્ય વ્યૂહકળાઓને એ જાણીતા હતા. અફધાન સેના, રજપૂત સેના એના પર ફુલ મૂકતી હતી. બકસરિયા બંદૂકચીએમાં પણ એ ભાગ હતા.
શમશેરબહાદૂર સલીમશાહુ એક વાર મૂઝવણમાં પડી ગયે. એને રાજ્યમાં પેાતાનુ કાણુ તે પારકુ કાણુ, એના જ વિચાર થવા લાગ્યા. મુબારિઝખાન, જે આજે સેનાનેા અધિપતિ હતા એના જ રંગઢંગ અજબ હતા. ખુદ મુબારિઝ મેધારી નીતિથી રમતા હતા. ઘડીકમાં એ નિરાશાભરી વાત કરતે!, ઘડીકમાં મેટાં બણગાં ફૂંકતા.
મૂંઝાઈ રહેલે. સલીમશાહ રાતેાની રાતે ઊધ્યા વગર પસાર કરતા. એ કિલ્લાના બુરજ પર પણ જઈ ન શકતા. છેલ્લા દિવસેામાં દગા ફટકાની ગંધ એને આવી રહી હતી. અચાનક એક પરદાનશીન આરતે અંદર પ્રવેશ કર્યાં. એના હાથમાં એક લિફાફા હતા. સલીમશાહે લિફાફા હાથમાંથી લઈ લીધેા, ફાડયો ને વાંચવા લાગ્યા.
કાગળ કહેતેા હતેાશમશેરબહાદુર ખવાસખાનને, એના લખનાર મુબારિઝખાનની વતીઃ અડધું રાજ્ય આપવાની શરત આપે તે દિલ્હી તમારે હવાલે કરુ. ખરે વખતે મેદાનમાં મારું લશ્કર નહીં લડે.
વાંચતાં વાંચતાં એ પાગલ બની ઊઠયો. એણે એ હાથે વાળ ખેંચ્યા. કાગળ બનાવટી જ છે. આદિલખાનના પૂજારી કાઈ સેનાપતિનુ કાવતરું! મને જ ભરમાવવાની ચાલબાજી! પિતાજીએ મારવાડના રાજા માલદેવને ભરમાવ્યા હતા તેમ!
દગાખાર આરતાં સલીમશાહ રાજશેતર ંજ પૂરી રીતે રમી જાણું છે. આમાં તારા સ્વા? તને કાંઈ હાંસલ ??
<
મારા ખાવિંદની સલામતી!' આવનાર આરતે મુરખે હઠાવી નાખ્યા.
૨૬૮ : દીવા પાછળનું અંધારું
'
Page #286
--------------------------------------------------------------------------
________________
કે બીબીબાઈ?' સલીમશાહ આશ્ચર્યાવિત બની ગયો.
“ઓળખી? હા. સલીમશાહની પ્યારી બેગમ બીબીબાઈ! મારક પિતાના સગાભાઈનું કાવતરું ફેડવા આવી છું.”
“યારી, શું સાચું છે ? શું એક બહેન પોતાના ભાઈના માથે ભયંકર તહેમત લઈને આવી છે?”
ન આવે તો શું કરે છે એક ફિરસ્તાએ રચેલ આ સતનતને શું નાશ પામવા દે?”
શાબાશ, મારી! આનું ઇનામ?” મારા ભાઈની જિંદગી...”
“જિંદગી બક્ષવી મુશ્કેલ છે. દરમાં સાપ બેઠે છે, એ જાણ્યા પછી પણ એને દૂધ પાવું? એને રમાડવો?
મારા શાહ, એક બહેન ભાઈને જ્યારે ઉઘાડો પાડવા આવી હશે, ત્યારે દિલમાં કંઈ અરમાન કે ભરોસાને તો લેતી આવી હશે ને ?”
વારુ, પણ પ્યારી બેગમ! કદાચ તું મારામાં ભરોસે રાખતી હઈશ, પણ આજે હું કોનો ભરોસો કરું? યુદ્ધનીતિનિપુણ ખવાસખાન કાલે દિલ્હીને દાટ વાળી નાખશે. પિતાજીએ જમાવેલું રાજ જોતજોતામાં નાશ પામશે, અને અમે ખાનદાન બાપના કુકમ બેટા કહેવાઈશું. અફઘાનો અમારું નામ લેવામાં પાપ સમજશે. આજે રાજ્યને કેમ બચાવવું તેની જ ફિકરમાં છું.”
ખવાસખાનની સામે બીજે ખવાસખાન નામે ! લોઢાને લેઢાથી કાપે !”
બી ખવાસ ખાન આજે તો નથી. પણ હા.સલીમશાહ આકાશના દૂર દૂરના તારા તરફ જોઈ રહ્યો. એને જાણે કંઈ યાદ આવી રહ્યું હતું. થોડી વારે એ બોલ્યાઃ “બીબીબાઈ, ખવાસખાનના
દીવા પાછળનું અંધારું : ૨૬૯
Page #287
--------------------------------------------------------------------------
________________
મુકાબલાને એક આદમી જરૂર છે, જે આવે તો.”
“કોણ?” “ઝવેરી હેમરાજ !'
પેલો પિતાજીનો માનીતો બનિયો ! જાઓ, આજે જ જાએ. ગમે તે રીતે પિતાજીના નામે પણ એને મનાવીને લાવો.”
જાઉં છું.'
સલીમશાહ ધીરેથી નીચે ઊતર્યા. એક ઘોડેસવાર સાથે એ જ રાતે એમણે દિલહી છોડવું.
દૂરદૂરના આકાશમાં ભગ્ન હૃદયની આશા જેવા તારલિયા ચમકી રહ્યા હતા.
૨૭૦ : દીવા પાછળનું અંધારું
Page #288
--------------------------------------------------------------------------
________________
રાજકીય ક્ષેત્રમાં
રાત્રિ નિઃસ્તબ્ધ હતી. આકાશ નીરવ હતું. એ મધરાતે નવલખ તારાઓની તારકમિત્રી વચ્ચે બે ઘોડેસવારે રેવાડી ગામના ઝાંપે આવી ઊભા હતા. બંનેનું રાજવંશીપણું ને કદાવરપણું અંધારામાં પકડી શકાય તેવાં હતાં. અને ગામના લોકો અંધારામાં કે અજવાળામાં આવા રાજવંશી આવનાર-જનારાઓથી છેલ્લા કેટલાક સમયથી સુપરિચિત હતા. તેઓ પૂછનાર પૂછે તે પહેલાં શ્રેષ્ઠી રાજપાલજીની ઊંચી હવેલી બતાવી દેતા.
ભૂમિનાં પણ પુણ્ય હોય છે. માનવજીવનની જેમ એનો પણ ઉકર્ષ–અપકર્ષનોધાયેલ હોય છે. રજપૂતાનામાં આવેલા રેવાડી ગામનાં પુણ્ય છેલ્લા કેટલાક સમયથી જાગ્યાં હતાં. સાધુ-સંતો, શાહસોદાગર ને રાજમુસદીઓ, સિપાહીઓ ને સૈનિકે અવારનવાર અહીં આવતા, દિવસ સુધી રહેતા ને પછી વિદાય થતા.
રેવાડી ગામના પશ્ચિમ ભાગમાં શ્રેષ્ઠી રાજપાલજીની હવેલી આવેલી હતી. આ હવેલીની ચારે બાજુ મજબૂત દીવાલ ખડી કરી નાનો એવો ગઢ રચ્યો હતો, ને ચારે
૨૭૧
Page #289
--------------------------------------------------------------------------
________________
તરફ સુંદર લતામંડપ, ફુવારાઓ ને વિરામસ્થાન રચી વચ્ચે લાલ પથ્થરને મહાલય ખડે કર્યો હતો. મહાલયની નકશી અભુત હતી. ભરૂભૂમિના વાવંટોળને શાંત કરતાં ઊંચાં વૃક્ષો ગઢની દીવાલથી બહાર ડોકિયાં કરતાં દેખાતાં હતાં, ને મહાલયનાં વાતાનયનોમાં સુગંધી વાળાના પડદાઓ લટકતા હતા. એક તરફ પશુશાળા આવેલી હતી. એમાં હાથી, ઘોડા, ગાય વગેરે જાનવરે બંધાતાં, બીજી તરફ નોકરોને રહેવાના નાના ખંડ હતા.
આજે આખો દિવસ ગરમ પવન ફૂંકાયા કર્યો હતો, ને ધૂળના ગોટેગોટા આકાશને આંધળું બનાવી રહ્યા હતા. વસંત ઋતુ પૂરી થતી હતી, ને કર્કવૃત્ત પર સૂર્યને લઈ આવેલી ગ્રીષ્મ ઋતુ અકળાવી નાખતી હતી. મહાલયનાં વસનારી આખો દિવસ અંદર જ ગોંધાઈ રહ્યાં હતાં, તે મોડી મોડી રાતે ઠંડી બનતી જતી હવાને આસ્વાદવા બહાર ઉદ્યાનમાં આવી બેઠાં હતાં.
આકાશના તારાઓ સાથે હરીફાઈ કરતાં જાણે પૃથ્વીના તારા ન હોય તેવા ડેલરનાં ફૂલ મંદમંદ સુગંધ છેડી રહ્યાં હતાં. ને એ ગંધ પવનની પાંખે ચઢી દૂર દૂર સુધી વાતાવરણને મુદિત કરતી હતી.
ભાઈ, આ ડેલરની ગંધે ગંધે ચાલ્યા જજો ! ઊંચી ઊંચી હવેલી આવે તે શ્રેણી હેમરાજજીની સમજજે !' હેમરાજજીની હવેલી પૂછતા ઘોડેસવારોને લોકોએ રસ્તો બતાવ્યો.
બંને જણ એની ગંધે ગંધે ચાલ્યા. થોડીવારમાં અંધકારઘેરી હવેલીના ઝરૂખામાં બળતા રંગબેરંગી દીપકો નજરે પડ્યા. તેઓ
જ્યારે ગઢના દરવાજે પહોંચ્યા ત્યારે શ્રેણી હેમરાજજી ને શ્રેષ્ઠી રાજપાલજી એક ઊંડી ચર્ચામાં ઊતરી પડ્યા હતા. ચર્ચાનું નિમિત્તે આજે બપોરે આવેલા જતિજી હતા.
પિતાજી, જતિજી મહારાજે એક નવી કલ્પનાને જન્મ આપ્યો
૨૭૨ : રાજકીય ક્ષેત્રમાં
Page #290
--------------------------------------------------------------------------
________________
છે. જે કોઈ ધર્મસમયના બંધને આ પ્રજાને એક ન થઈ શકે, ધર્મ જ જે વિખવાદનું કારણ બન્યું રહે તો, એક નવ રાષ્ટ્રદેવની સ્થાપનાની વાત કરે છે.'
આટલા દેવ ઓછા હશે કે એક નવા દેવનો ઉમેરે કરવો છે?
નવાને ઉમેરે નથી, જૂનું નામ નવી રીતે આપવાનું છે. પિતાજી, એ વિના દેશી ને પરદેશી પ્રજાનું ઐક્ય, સહુસહુના ધર્મની સ્વતંત્રતા, સંઘબળથી કામ કરવાની તમન્ના પેદા નહી થાય. વર્ષો જશે તેમ વેરઝેર વધતાં જશે.”
પરલોકમાં જ શ્રદ્ધા રાખનારા આ દેવપૂજકોને તમે દેવતાઓના ચકકરમાં નાખશો તો અંધશ્રદ્ધા વધુ ને વધુ ઊમટી આવશે. એક બંધનના બદલે બીજું બંધન આવી પડશે.”
જીવતા દેવની પૂજા તો કોણ જાણે કેમ, પણ આપણે સમાજ કરી શકશે જ નહીં ! રાજાને, સાધુને, માતાપિતાને સહુને દેવસ્વરૂપ બનાવ્યા સિવાય આપણે કદી માન આપી શક્યા છીએ ?'
હેમરાજ, મારી તો દઢ શ્રદ્ધા છે, કે માનવીએ રાજકારણથી અળગા રહેવું. રાજસુધારણું કરતાં કસુધારણાની પ્રથમ જરૂર છે. થડને નહીં, મૂળને પકડો. રાજાઓ બૂઝે કે ન બૂઝે, તેની પરવા ન કરો. નિપ્રાણ આમાં પ્રાણ પૂરવાની યોજના ઘડે. સો બકરાં પર એક સિંહ રાજ કરી શકે, પણ એક સિંહ પર કોઈ રાજ કરી શકશે ? સાધુ-સંતોએ ગામડાંઓને સચેતન કરવાં, રાજવંશ આવે કે જાય, સામ્રાજ્ય જન્મ કે મરે, સત્તાના કેન્દ્રો હરે કે ફરે, પણ જે આપણી પાઠશાળાઓ સાબૂત છે, આપણે ધર્મશાળા કે તળાવોના શેખીન છીએ, આપણું ધર્મમંડપમાં શાસ્ત્રોના પાઠ થાય છે, કીર્તન ના શબ્દ ચાલુ જ છે. જો દાન, દશેરા ને દિવાળીને આપણે રસિયા છીએ, શાસ્ત્રીએ ઉપદેશ આપવાના રસિયા છે; આપણા પર્વતો વરસાદ લાવે છે, નદીઓ બગીચાને પ્રફુલ્લાવે છે, ખેતરોમાં ખેડૂતો
રાજકીય ક્ષેત્રમાં ર૭૩
૧૮
Page #291
--------------------------------------------------------------------------
________________
કામ કરતા રહે છે, વાણિયાએ સમાન શ્રમની વહેંચણી કરતા રહે છે, તેા આ દેશ કદી ભ્રષ્ટ નહીં થાય.’
'
પણ પિતાજી, દેશના આંગણે યુદ્ધ હાય, ઉત્તમ રાજા ન હોય, અદ્દલ ઇન્સાફ ન હાય, તે પછી વ્યવસ્થા કેમ રહી શકે?'
'
જો ગામડાંઓ સજીવન હશે તેા રાજકર્તાએ આપેઆપ આવીને નમશે. દેશના ઉદ્ધારની ઇચ્છાવાળાએ, ધર્મના ઉદ્યોતની ભાવનાવાળાએ રાજસેવાને બદલે લેાકસેવાને રાહ લેવે.’
પિતા–પુત્રની ચર્ચા કયારે પૂરી થાત. એ કહી શકાય તેમ નહોતું ત્યાં ચાકરે આવીને ખબર આપી કે બહાર કાઈ એ ઘેાડેસવારા ઊભા છે, તે પ્રવેશની આજ્ઞા માંગે છે.
પ્રિય મિત્રના મૃત્યુ બાદ રાજર્ગ ખૂબ ખૂબ બદલાતા જતા હતા. મિત્રશાકના અનેક દિવસે બાદ શ્રેષ્ઠી હેમરાજજીએ અંતરથી જ રાજકારણ તરફ ઉદાસીનતા સેવી હતી.
શ્રેષ્ઠીરાજે બંનેને અંદર પ્રવેશ કરાવવાની અનુજ્ઞા આપી. આકાશના તારાએ સિવાય, એ પુરુષા સિવાય, મહાલયના ખંડમાં જાગતી એક જોબનવંતી સિવાય કાઈ જાગતુ નહાતુ . અંધારામાં આવનારા અપરિચિતની જેમ ચારે તરફ નજર નાખતા આવતા હતા.
'
કાણુ શહેનશાહ ? મારા દોસ્ત? શું મિત્રને મધરાતે મળવા આવ્યા ?” ગધમંડપમાંથી અવાજ આવ્યું.
શ્રેષ્ઠીરાજ, હું સલીમશાહ છું.' પિતાના જેવી નખશિખ આકૃતિવાળા સલીમશાહે શ્રેષ્ઠીરાજતે જવાબ આપ્યા ને હાથ જોડવા.
6
'
કાણુ સલીમશાહ ? વાહ, શું જુવાન બન્યા છે! મારા શેર જુવાનીમાં આવા જ હતેા. આવેા જ એના પગનેા અવાજ ! આવું' જ એનું ગર્વાન્નત શિર ! આવુ જ એનું ગંભીર માં ! સલીમશાહ, જાણે મારા શેરની અદ્ આવૃત્તિ ! શેર, શેર ! ” શ્રેષ્ઠીરાજનું દિલ ૨૭૪ : રાજકીય ક્ષેત્રમાં
Page #292
--------------------------------------------------------------------------
________________
બેલતાં બોલતાં ભારે થઈ ગયું. મિત્રના ભુલાયેલા મૃત્યુની યાદ એને એચેન બનાવવા લાગી.
મારે શેર ! સલીમશાહ, તમે તે શું જાણો અમારી બાલપણની પ્રીત ! અમે એક માંથી હસતા, એક આંખથી રોતા, અરે અમારું સ્વપ્ન, શેર ગયો ને ચૂંથાઈ ગયું. કલિંજરની ફતેહ વખતની એની દિલાવરી, મોતને એણે હસતાં હસતાં કરેલે મુકાબલે; એ યાદ કરું છું ત્યારે એ મૃત્યુંજ્ય શેરને મારું મસ્તક નમી પડે છે.”
શ્રેષ્ઠીરાજ, એ જ મારા શિરછત્રના છેલા શબ્દોની યાદ આપવા આવ્યો છું.”
“શું હતા એ છેલ્લા શબ્દ?”
જરૂર પડે હેમરાજ ઝવેરીને–મારા વફાદાર દોસ્તને યાદ કરજે. શ્રેષ્ઠીરાજ, આજ જરૂર પડી છે, એટલે તમને યાદ કરવા વિકટ પંથ ખેડીને આવ્યો છું. શેરનું સામ્રાજ્ય ભાંગીને બે કકડા થવાની અણુ પર છે. એના બે હાથ જેવા બે દીકરા વેરના મેદાનમાં આવીને ખડા છે. ઓછું હતું તે સિપેહસાલાર ખવાસખાન મેદાને પડ્યો છે. મેં જેના પર ભરોસો રાખ્યો હતો એ મુબારિઝખાને મને દગો દીધે. આજે લશ્કર પર કાબૂ રાખી શકે તેવું કઈ મારી પાસે નથી.”
“અરે, આ તે શેર ગયો ને શિયાળિયાં મેદાનમાં આવ્યાં.”
શ્રેષ્ઠીરાજ, એ શિયાળિયાં નથી. શિયાળિયાં હોત તો હું અહી ન આવત. આ તો સિંહોની સાઠમારી જામી છે.”
“પણ હું શું કરી શકું? સલીમશાહ, રાજકાજથી તો હું અલગ થતો જાઉં છું, ને પિતાજીની પણ અનિચ્છા છે.”
શ્રેષ્ઠી રાજપાળજી પડખે ઊભા હતા, જાણે અંધારામાં કઈ અણનમ તાડનું વૃક્ષ ખડું હતું. હેમરાજજીએ તેમના તરફ ઈશારો કર્યો. આપના પિતાજી એ મારા તે બુઝર્ગ ! શેરના સિંહાસનના
રાજકીય ક્ષેત્રમાં ઃ ૨૭૫
Page #293
--------------------------------------------------------------------------
________________
આજે કકડા થવા બેઠા છે. મારી ભૂલ થઈ કે મુબારિઝખાનની વાતોમાં હું ફસાયે ! હું એ કબૂલ કરું છું. પણ શું કેઈની ભૂલ થતી જ નહીં હોય ? ને ભૂલ થતી હશે તો માફ થતી નહીં હોય ? પિતાજી, મેં પિતા ખાયા છે, મારું શિરછત્ર ગયું છે. આજ શહેનશાહ ગણો તો શહેનશાહ, એક ભિખારી ગણે તો ભિખારી, પણ ભીખ માગવા આવ્યો છું કે મને એક શિરછત્ર આપ !”
સલીમશાહ, રાજકાજ તો જવાલામુખી જેવાં ગણાય. એમાં જે ગયા એ ગયા. અને જનારાઓ એકલા જતા હોત તો ઠીક, પણ એનાં સારાં-માઠાં ફળ આખા કુટુંબને, એનાં સંતાનોને વેઠવાં પડે છે. મેં પણ સૂબાઓને ત્યાં ચાકરી કરી આ અનુભવ કર્યો છે. હેમરાજને કૃપા કરીને ઝવેરી રહેવા દો !”
ના કહેશો તો મારું જોર નથી, પણ શ્રેષ્ઠીરાજ ! આ તો મિત્રના છેલા શબ્દોની યાદ આપવા આવ્યો છું. સલીમશાહ પણ શેરનું સંતાન છે. મરતાં તો એને આવડશે જ. સલીમશાહના શબ્દોમાં વ્યાકુળતા હતી, દર્દ હતું. એણે આગળ ચલાવ્યું :
“મરી જનાર તો શ્રેષ્ઠીરાજ! બધી ચિંતાઓથી પર થઈ જાય છે. પણ એ વેળા જીવતા રહેલા તમારા જેવાઓને ફરજને બે ભારે પડશે. એ ભસ્મના ઢગલા ફોરવા મને કમને તમારું મિત્રહૃદય તમને પ્રેરશે. અને એ વખતે બનાવેલી બધી બાજી બગડી ગયેલી હશે.”
શ્રેષ્ઠી રાજપાળજી આ જુવાન શહેનશાહની વાગ્ધારા પાસે કંઈક નરમ બન્યા હતા. હેમરાજજીના દિલમાં તે ન જાણે કંઈકનું કંઈ તોફાન જાગ્યું હતું. પિતાના મિત્રની યાદ, પિતાના આદર્શ મુજબ સરજાયેલા રાજ્યની યાદ એમને સતાવતી હતી.
સલીમશાહે વાત જારી રાખી ઃ “આ તોફાન, આવી પડેલી આ આંધી ચાલી જવા દો, પછી તો શ્રેષ્ઠીઓને હું બજાર દારાગાના પદે
૨૭૬ : રાજકીય ક્ષેત્રમાં
Page #294
--------------------------------------------------------------------------
________________
મૂકીશ. એમની નજર, એમની સલાહ, એમની પ્રેરણું મારા પ્રાણુમાં પ્રાણ પૂરશે. બાબા, જૂના સંબંધને ન વિસારે!”
“ભાવિભાવ!” શ્રેષ્ઠી રાજપાળજીએ ધીરેથી કહ્યું, “હેમરાજ, સલીમશાહની ઈચ્છાને માન આપો. વિધિનું વિધાન જ કંઈ ઓર લાગે છે. જે વસ્તુથી હું દૂર થવા માંગું છું એ જ પાસે આવે છે. વિધિને કેણુ છતી શકયું છે ? પણ મને મારી સુલક્ષણી વહુનો વિચાર આવે છે, ત્યારે મારું મન બળી જાય છે.”
પિતાજી, જુવાનજોધ દીકરે ફાટી પડે તો માબાપ શું કરે ? જોબનવંતો પતિ પરલોક સિધાવી જાય તો પત્ની શું કરે ? એ તો જેને જેટલે ત્રણાનુબંધ!” હેમરાજજીએ વચ્ચે વાત ઉપાડી લીધી, “પિતાજી, માથે આવેલી ફરજનો બોજ જે વેઠતો નથી, એને બેજ પૃથ્વીને પણ ભારે લાગે છે. શાન્તિ, શાન્તિ અને નરી શાતિની ભાવનાથી આ ભારતવર્ષ દરિદ્ર બન્યું. અશાન્તિ જ આપણે આરામ હે ! સલીમશાહ, મિત્રની છેલ્લી ઈચ્છા પૂરી કરવા આવતી કાલે હું રવાના થઈશ. આજે ઘરના પિંજરામાં પોપટ થઈને પુરાઈ રહેવાનું નથી. કાલે રણમેદાન ગાજશે. સુખેથી પધારે ને જાહેર કરી દો, કે હિમરાજ લશ્કરને સેનાપતિ બનશે અને ખવાસખાન કે મુબારિઝખાન જે હોય તેને, શેરના સામ્રાજ્યની સામે થવાની જે હિંમત કરશે એને રણમાં રોળી નખાશે.”
અલ્લાહના શુકર, મારી મુરાદ ફળી. શ્રેષ્ઠીરાજ, હું અત્યારે જ પાછો ફરવા ઈચ્છું છું.”
“ડો આરામ કરીને...”
ના, આરામ તે જ્યારે નસીબમાં હશે ત્યારે. સલામી કાલે રવાના થશે?”
જરૂર.”
રાજકીય ક્ષેત્રમાં ૯ ૨૭૭
Page #295
--------------------------------------------------------------------------
________________
પિતાજી નમસ્કાર !” સલીમશાહે શ્રેષ્ઠી રાજપાળજીને હિંદુ તમે પ્રણામ કર્યાં.
•
નમસ્કાર. ખુશ રહેા ભાઈ! છુટ્ટાના આશીર્વાદ છે.'
થાકેલા પાકેલા અને ફ બ્યભારથી દબાયેલા અને અસવારે ફરીથી ઘેાડા પર સવાર થયા, ને જેવા આવ્યા હતા તેવા નવલખ તારાઓથી ભરેલી રાતે જ પાછા ફરી ગયા.
"
રાજવંશી મહેમાનાને વળેટાવીને પાછા ફરતા પિતાપુત્રના હૈયામાં અજબ મનેામંથન ચાલતું હતું, છતાં પણ બન્ને જણુ ક પશુ ખેલ્યા વગર પે।તપેાતાના શયનગૃહ તરફ ચાલ્યા ગયા.
શ્રેષ્ઠી હેમરાજજી શયનગૃહમાં પ્રવેશ્યા ત્યારે કુનદેવી હીરના ચંદરવા ભરી રહ્યા હતા. એક જ ઉત્તરીયમાં વીટાયેલો આખે ફૂલગુલાબી દેહ સૌના ભંડાર બન્યા હતા. શ્રેષ્ઠી હેમરાજજી સમાચાર આપતાં અચકાતા હતા. આ સમાચાર સાંભળી ન જાણે કુંદનદેવી શું શું કહેશે? પણ તેઓ કંઈ કહે તે પહેલાં જ એ મેલી ઊઠી :
<
મારા નાથ, મેં બધું જાણ્યુ` છે, ને કાનેાકાન સાંભળ્યુ છે. મિત્ર મિત્રના ખપમાં ન આવે તે મિત્ર શા કામના ? સુખેથી સિધાવા. હું રજપૂતાણી બનીશ. વિધાતાની ક ંઈ એવી જ મરજી હરો. ધરખૂણે પડી પડી આ કાયા ધરડી થઈ જાય, એના કરતાં સૌંસારનાં સુખેદુઃખે ઘરડી થાય તે। શું ખાટુ ! સુખે સિધાવેા મારા નાથ !” શ્રેષ્ઠી હેમરાજ હૈયાના હેતને ન ખાળી શકયા. જ બાકી હતી.
રસત થેડી
૨૭૮ : રાજકીય ક્ષેત્રમાં
Page #296
--------------------------------------------------------------------------
________________
યુદ્ધદેવતા
૨૫
વાડી ગામના પાદર પર માનવમેદની ઊમટી પડી હતી. શ્રેષ્ઠીવર્ય હેમરાજ આજ લડાઈના મેદાન તરફ કૂચ કરીને જતા હતા. સુપ્રસિદ્ધ ઝવેરીને યોદ્ધાના સ્વાંગમાં જોવાનું જેમને મળ્યું હતું, તેઓ પોતાની જાતને બડભાગી માનતા હતા. ઘરેઘરની બારીઓ, બજારની દુકાનને અગ્ર ભાગ ને ખુલ્લા મેદાને સ્ત્રી, પુરુષ ને બાળકોથી હેકડેઠઠ ભરાયેલાં હતાં.
અફઘાન ઘોડેસવારની એક ટુકડી પાદર પર શ્રેણીરાજના આવી પહોંચવાની રાહમાં વિદાય થવા સજજ થઈને પડી હતી. સવારનો શીળો પ્રકાશ ચોતરફ ફેલાઈ રહ્યો હતો, ને જળ ભરીને આવતી મદભર પનિહારીએના સુવર્ણ ચૂડાઓ પર પ્રભાતી કિરણો પ્રતિબિંબ પામી રહ્યાં હતાં.
શ્રેષ્ઠી હેમરાજ લગભગ તૈયાર થઈ ચૂક્યા હતા. એમણે સુરત સુરવાલ ને જોધપુરી જેડા ઉપર લાંબો કીમતી જામો ચડાવ્યો હતો. એ ઉપર ભેટ બાંધી પાંચ
૨૭૯
WWW.jainelibrary.org
Page #297
--------------------------------------------------------------------------
________________
કટાર તે એક સમશેર લટકાવી હતી. આખા દેહપર લેાઢાનું બખ્તર ચડાવ્યું હતુ ં તે માથા ઉપર ‘ દુબલગઢ ’ નામની પેાલાદના અસ્તરવાળી પાધડી મૂકી હતી. કુંદદેવીએ એક રજપૂતાણીને જેબ આપે એ રીતે આગળ વધી તેમના કપાળમાં કુંકુમનું તિલક કર્યું, અક્ષત ચાડવા તે માંમાં ગાળની કાંકરી આપી. ડેમની દીવી જેવા ઘાટીલા હાથમાં રહેલા સુવણું થાળમાંથી હેમરાજજીએ ગાળની કાંકરી લઈ કુનદેવીના મોંમાં આપી. પતિપત્નીનાં શૂરાં હૈયાં થનગની ઊઠાં, આંખે નાચી રહી.
શ્રેષ્ઠી રાજપાળજી વહેલી સવારથી કંઈક ચિંતામાં તે કંઈક ઉત્સાહમાં પુત્રને વિદાય આપવાની તૈયારી કરી રહ્યા હતા. વિધાતાના સકેતને માન આપીને એમણે પુત્ર જે રસ્તે જાય એ રસ્તે જવા દેવાના નિય કર્યાં હતા. ભાવિ જ— —અદૃષ્ટ જ—એ તરફ ખેંચતું હાય તે। પછી બ યત્ન શા માટે ? તેઓના પેાતાને વિચાર હવે આ ગામની બહાર જવાના નહાતા; અહીં જ શાન્તિથી ધર્મ ધ્યાન કરતાં અંતિમ અવસ્થા ગાળવાની ઇચ્છા હતી.
ચેદ્દાના વેશમાં ધરબહાર નીકળતા હેમરાજજીએ પિતાજીને પ્રણામ કર્યાં.
બેટા, તારું કલ્યાણુ થાએ !' આશીર્વાદ આપતા પિતાના દિલમાં કાંઈક આછી આછી કપારી ભરી હતી. પુત્રને ઘરની બહાર મેાકલતાં હૈયું ક પનાર પિતાને એને રણવાટે વળાવતાં ન જાણે દિલમાં શી શી વ્યથાઓ થઈ હશે. પણ જ્યારે સાગરનાં પૂર ઊળી ઊછળીને પેલે પાર જવા મથતાં ડ્રાય ત્યારે આંધેલા બંધ હટાવી દેવામાં જ ડહાપણ હતું.
•
હેમરાજજીએ ફરીવાર પ્રણામ કર્યાં તે ચરણરજ માથે ચડાવી. પેાતે થાડા આગળ વધ્યા હશે, ત્યાં સામે જ પેાતાની પ્રતિમૂતિ સમે પુત્ર યુગરાજ યાદ્દાના વેશમાં ખડા દેખાયે.
૨૮૦ : યુદ્ધદેવતા
Page #298
--------------------------------------------------------------------------
________________
“યુગરાજ, તું પણ આવે છે?”
હા, પિતાજી. માતાજીની આજ્ઞા છે. રણમેદાનના મામલા છે. હું તમારી સાથે નહિ રહું તે કેણ રહેશે?”
“ના, યુગરાજ, તું રહેવા દે! પિતાજીનું મન દુખાશે.”
“હેમરાજ, યુગરાજને સાથે જ લેતો જા! વહુરાણું સાચું કહે છે. રણમેદાન ને રાજરંગમાં પોતીકી માણસોની ખાસ જરૂર રહે છે.”
યુગરાજે પિતાજીને નમસ્કાર કર્યા. વૃદ્ધ પિતાજીની રજા લઈ પિતાપુત્ર ગઢના દરવાજે આવ્યા. “હવા ” સજજ થઈને માલિકની સહ જેતે સુંઢ આમથી તેમ ઉછાળતો હતો. એના ગંડસ્થલ પર, સંઢ પર, પીઠ પર ને પગ ઉપર લોખંડી જાળીનાં બખ્તર નાખ્યાં હતાં. એના ઉપર મંડાયેલી સોનેરી અંબાડીથી એ મૂંગું પ્રાણી સમજી ગયું હતું કે આજે રણમેદાન તરફ પ્રયાણ છે; અને એથી વર્ષોના ખાઉધરા જીવનથી કંટાળેલે એ આજે જરા ગેલમાં આવી ગયે હતો. એણે બાપબેટાની બહાર આવતી ત્રિપુટીને નીરખી હર્ષની ઝીણી કિકિયારી કરી, સંઢ ઊંચી કરીને સલામ કરી.
હેમરાજ ! તું, હવા ને યુગરાજ : ત્રણે એક જ લેહ તત્વના ઘડાયા લાગે છે, પણ મારા દેવરાજને તો હું શુદ્ધ શ્રાવક બનાવીશ.”
તદ્દન અહિંસક. બિલાડીથી બીને નકારવાળી ગણવા બેસી જાય તેવો !' યુગરાજજીએ વચ્ચે ભંગ કર્યો.
પિતાજી, દેવરાજને તો ન જયે?” હેમરાજે કહ્યું. “ ક્યાંક રમત હશે !'
“હા જ તે, દાદાજી જેવા દાદાજી બેઠા હોય ત્યાં મારો કે યુગરાજનો ભાવ કોણ પૂછે ?' હેમરાજે પિતાના અંતરને વહાલસે યું કરવા કહ્યું. * યુગરાજને પુત્ર.
યુદ્ધદેવતા : ૨૮૧
Page #299
--------------------------------------------------------------------------
________________
બૂઢા ને બાળક સરખા. તમે બધા મોટી મોટી વાતો કરનારા અમારે બેને સરખો મેળ જામે.”
ધર્મલાભ!” હાથીની અંબાડી પર બેસવા જતા હેમરાજજીને પાછળથી કઈ મધુર ને સ્વસ્થ અવાજ સંભળાય. જતિજી આવી. રહ્યા હતા.
મથુએણું વંદામિ, મહારાજ !”
હેમરાજજી, ફરીથી સંદેશ લઈને આવ્યો છું. અફઘાન સત્તાના આથમતા રંગ છે. મોગલ સત્તા મરણાસન છે. આ સંધિકાળે કેઈ આર્યવીર જાગે છે ભારત સ્વતંત્રતાનાં દર્શન કરે.”
મહારાજ, હવે આજે તે વખત નથી. મિત્રની ભીડ ભાંગવા જાઉં છું. તમારા જોષ શું કહે છે ?”
“ધર્મના કામ સિવાય અમારી વિદ્યાનો ઉપયોગ હેય નહિ. હેમરાજજી, હું તો દિલ્હી–આગ્રાની બજારોમાં બીજો વિક્રમાદિત્ય કરતો મારી જ્ઞાનચક્ષુથી નિહાળી રહ્યો છું.”
મહારાજ, રસ્તો તો એવો ખરો, પણ વિક્રમાદિત્ય થવાની લાલસા નથી. કંઈક કેકનું ભલું થાય તેય ઘણું.
વિક્રમાદિય થાઓ તો ધર્મને ભૂલશે મા ! ધર્મ છે તે બધું છે. હેમરાજ, વર્ષોના અનુભવે મને રાજકારણનું અનેરું નવનીત આપ્યું છે. પણ આજે તો તમે સમરાંગણ પ્રતિ ચાલ્યા છે, નહિ તો આખા રાષ્ટ્રના ઉદ્ધાનું સ્વપ્ન લઈ તમારી પાસે આવ્યો હતો.'
“મહારાજ, એક સ્વપ્નનો રચનારો તો કબ્રસ્તાનમાં સૂતો. દુનિયા તો નાટકશાળા છે. સહુ સહુના વેષ ને સહુસહુના ખેલ સહુએ ભજવવા પડશે. કાલે વળી પાછા આવ્યા તે એય વેગ ભજવીશું. બાકી તો યુદ્ધસેવી ના ભરોસા ઓછા! પિતાજીને તમારો સત્સંગ ઠીક રહેશે.”
૨૮૨ ઃ યુદ્ધદેવતા
Page #300
--------------------------------------------------------------------------
________________
હું તો વિક્રમાદિત્ય નજરે નિહાળું છું. ધર્મ જાળવજે. ધર્મ જાળવે તો બધું જાળવ્યું, એ મારી શિખામણું છે, શ્રેષ્ઠીરાજ !”
હેમરાજજી વિલંબ થતો હોવાથી છેલ્લા પ્રણામ કરી આગળ વધ્યા.
સૂરજ ઊગી ચૂક્યો હતો. હેમરાજજીએ નાની એવી નિસરણથી હદ્દામાં પ્રવેશ કર્યો. હોદ્દાના એક ખૂણામાં બે સાંગ, બે પ્રચંડ ભાલા ને સુંદર નકશીવાળી લાંબી લાંબી ત્રણ ત્રણ બંદૂકો મૂકેલી. હતી. શેરશાહના વખતના વફાદાર ઉમરાવ શાદીખાને હેમરાજજીની પાછળ જગા લીધી.
હવા એક સુસવાટા સાથે ઊભો થયો. સામેથી માથે પાણીની મહીની મટુકીઓ લઈને આવતી પાંચ પનિહારીઓના શુકન થયા, અને ગજઘંટા વગાડતો હવા શેરીઓ, બજારે વીંધતો ચાલી નીકળ્યો. એને ગજઘંટા પ્રચંડ ઘેષ કરતો હતો.
હેમરાજજીની છબી આજ અદ્દભુત બની હતી. પ્રચંડ-કદાવર કાયા, મૂછના મોટા મોટા કાતરા, દૂર દૂરથી પણ સળગતા દીવા જેવી લાગતી આંખો સહુને યુદ્ધદેવતાની યાદ આપતી. પૌરુષભર્યા હાથ પરની સુવર્ણમુદ્રિકાઓની સાથે લેહબખ્તર અજબ સંગમ સાધતું હતું. ઉન્નત ગિરિશ્ચંગ જેવું મસ્તક માનવીના અડગ હૈયાની પ્રતીતિ કરાવતું હતું.
શુભ શુકને આ યોદ્ધામંડળી આગળ વધી. સ્નેહીજનોનાં હૈયાં શ્રાવણ-ભાદરવાની વાદળીઓ જેમ શોકભારથી ઝૂમી રહ્યાં હતાં, પણ જનારને રોકાય તેમ નહોતું. ભારતવર્ષના ઈતિહાસનાં એ કુંકુમ પગલાં હતાં. બગડેલી બાજી સુધારવાની એ ઝુંબેશ હતી.
થોડેક દૂર આ સવારી પહોંચી હશે ત્યાં સમાચાર લઈને કાસદ આવી પહોંચે. એની પાસે ટૂંકાક્ષરી રૂક્યો હતો. રુક્કો કહેતે હતો :
યુદ્ધદેવતા : ૨૮૩
Page #301
--------------------------------------------------------------------------
________________
આદિલખાનને અકળ રીતે કાઈ ઉપાડી ગયું છે. ખવાસખાનની સાથે એ રણમેદાન પર છે.’
વાસ્તુ, સમાચાર જાણ્યા, ' હેમરાજજીના ચહેરા પર આ સમાચારથી કાઈ જાતની ચિંતાની રેખા પથરાણી નહોતી. હુંમેશની ઠંડી તાકતથી એમણે આગળ વધવુ જારી રાખ્યું.
'
・
થાતુ એક આગળ વધ્યા હશે, ત્યાં બીજો કાસદ આવતા જણાયે. સલીમશાહ પેાતાના નવા સિપેડસાલાને બધી વાતથી વાકેફ રાખવા ચાહતા હતા.
:
* મુબારિઝખાનની ટુકડીએ હજી મેરચાથી દૂર છે. સલીમશાહ મામાં આપની પ્રતીક્ષામાં ઊભા છે.'
'
સારું, અમે જલદી આવી મળીએ છીએ. મુબારિઝખાનની ટુકડીઓ જ્યાં હોય ત્યાં થેભવાનું શાહી ફરમાન તાકીદે લખી મેાકલેા,’ હેમરાજજીએ ‘હુવા ’ ને વેગ વધારતાં કાસદને જવાબ આપ્યા. વળી બીજો કાસદ આવતા જાયા. પળ પળની ખબરથી હેમરાજજીને વાકેફ્ રાખવાના હતા. મહારાજ, કાંગડાના કિલ્લાનાં એ જૈન મંદિરાના ખવાસખાતે નાશ કરીને શ્રીગણેશ કર્યાં છે.'
.
અરે, વિનાશકાળે વિપરીત બુદ્ધિ ! બહાદુર પુરુષનું આટલું પતન ઘણું' સારુ’
રાત તે દિવસ : એમની ઝડપી કૂચને આઠે પહેાર સરખા હતા. પા-અડધા કલાકના વિશ્રામમાં બધું પતાવીને સહુ એકદમ આગળ કૂચ કરતા, થાક, વિશ્રામ, નિદ્રાને જાણે સહુ વીસરી ગયા હતા. થાડા જ દિવસેામાં શેરશાહના ઉન્નત ઝંડા દેખાયા. સલીમશાહ હાથી પર ચઢીને સહુની પ્રતીક્ષામાં ઊભા હતા. મળતાંની સાથે સહુએ સાથે જ આગળ કૂચ ચાલુ કરી.
ન જોયાં કાઈ એ રાત કે દિવસ ! ન જોઈ કોઈ એ ક્ષુધા કે
<
૨૮૪: યુદ્ધદેવતા
Page #302
--------------------------------------------------------------------------
________________
તૃષા ! રાતના તારલિયા ઝબૂકી ઊઠે તે પહેલાં તેઓ મુબારિઝખાનની ટુકડીને પહોંચી વળ્યા. મુબારિઝ ભવિષ્યનાં સોનેરી સ્વપ્નોમાં મશગૂલ પડ્યો પડ્યો બે ઈરાની સુંદરીઓના લાવણ્યને ચૂંથી રહ્યો હતો. ખડખડાટ હાસ્ય ને શરાબના જામના ઝણકારથી શાહી તંબૂ ગાજી ઊઠળ્યો હતો. સલીમશાહને આવતાં હજી બે દિવસ લાગે એ એની કલ્પના હતી, ને હેમરાજનું આગમન એણે સ્વપનમાં પણ કયું નહતું. અને એ બે દિવસમાં તો પોતે પાદશાહી હાંસલ કરશે. કાળી ટીપકીઓવાળું એક માત્ર નામ પૂરતું વસ્ત્ર ઓઢીને ફરતી આ સુંદરીઓ મુબારિઝને સૌદર્યના કેફમાં બેહોશ બનાવી રહી હતી. શરાબના નશામાં મસ્ત બનેલાં આ લયલા મજનૂ તંબૂમાં એકબીજાને પકડવાની સંતાકૂકડી રમતાં હતાં.
મુબારિઝખાન ક્યાં છે?” તંબૂની બહાર કેઈ ને અવાજ સંભળાયો. અવાજમાં સત્તાવાહીપણું હતું. પહેરેગીર મશાલ લઈને આગળ આવ્યો. એ કંઈ પૂછે તે પહેલાં જવાબ આવ્યો.
મુબારિઝ જન્નતમાં છે. દરોની સાથે મિજલસમાં છે. અત્યારે એ ખુદાને પણ નહીં મળી શકે. શરાબના નશામાં ચકચૂર મુબારિઝે અંદરથી ઊંચે સાદે જવાબ વાળ્યો.
ખાનસાહેબ તકલીફ નહીં લઈ શકે તો અમે લઈશું.” અને પહેરેગીર કંઈ સવાલ–જવાબ કરે તે પહેલાં આગંતુક અંદર પ્રવેશ્યો. એણે સાદા સૈનિકનાં વસ્ત્રો પહેર્યા હતાં, છતાંય તેનું તેજ છૂપું રહી શકતું નહોતું. ખપ પૂરતાં હથિયાર એની પાસે હતાં જ, પણ એની મુખમુદ્રા એટલી કરડી હતી કે શસ્ત્રથી વધુ કામ તો એ મુખમુદ્રા કરતી. વૃષ્ટ સુંદરીઓ આ પુરૂષની પ્રતિભાથી એકદમ ઝંખવાણું પડી ગઈ મુબારિઝખાનના હાથમાંથી મહામહેનતે પોતાની જાતને છોડાવતી, પોતાની નગ્ન કાયાને જેમતેમ ઢાંકતી એ બહાર નીકળી ગઈ કઈ મંત્રવેત્તાની જેમ આવનાર પુરુષની નજર કેવળ મુબારિઝખાન
યુદ્ધદેવતા : ૨૮
WWW.jainelibrary.org
Page #303
--------------------------------------------------------------------------
________________
પર જ નેધાયેલી હતી.
શું જોઈએ છે, એ બૂતે કાફિર ? લે, આ શરાબ લે! તું પણું પી ને જન્નતની મજા લે !' મુબારિઝખાને હાથમાંનું બિલેરી કાચનું પ્યાલું આવનાર પર જોરથી ફેક્તાં કહ્યું.
આગંતુકે ચપળતાથી એ શરાબના પ્યાલાને ઝીલી લીધો ને આગળ વધતાં કહ્યું: “ ખાનસાહેબ, એ પ્યાલાની મારે જરૂર નથી. મારે તો ખુદ સિપેહસાલાર મુક્ઝિખાનની જરૂર છે.”
સિપેહસાલાર નહીં, શહેનશાહ આલમ કહે.” શરાબની મસ્તી જામી હતી.
“શહેનશાહ આલમ ! આપ જલદી બહાર પધારો. આપની ખાસ જરૂર છે. સલીમશાહ તથા તમામ સેના આપની રાહ જોતી પડી છે.” આવનાર પાસે જઈને ખાનનું કાંડું પકડયું, અને બેસી રહેવા ઈચ્છતા ખાનને હળવેથી ખેંચે.
મારે બહાર નથી આવવું. ખાનને નશો કંઈક ધીમે પડતો હતો. એના મોટા કાંડા પર કોઈ સાપ જાણે ભરડે લેતે હતો.
આવવું પડશે, ખાનસાહેબ!' આવનાર ઠંડી તાકાતથી વાત કરતો હતો.
છેડી દે! મને હુકમ કરનાર તું કોણ?” ખાને કમર પર રહેલી કાર પર હાથ મૂક્યો.
આપનો નાચીજ બંદો! એ લોઢું બતાવવું છોડી દે. સંઘરી રાખે, ખાનસાહેબ ! એ તો કેક વેળા મરથી મારવાના કામમાં આવશે. ઊઠે ! ચાલે!” ને હાથની પકડ મજબૂત બની. વાતવાતમાં કમર પરની કટાર ખેંચાઈ ગઈ. ખાનબહાદુરનું કાંડું જાણે કે ઈ મગરને જડબામાં ફસાયું હતું. મુબારિઝ સમજી ગયો કે આ બળિયા પાસે બળ વાપરવામાં સાર નથી. એનું કડું લોઢાની ૨૮૬ઃ યુદ્ધદેવતા
Page #304
--------------------------------------------------------------------------
________________
ચક્કી વચ્ચે પિસાતું હોય તેમ પિસાઈ રહ્યું હતું. એ ચૂપચાપ પાછળ પાછળ ચાલે.
“ પહેરેગીર, સલીમશાહને તેડી લાવ! સેનાનાયક શાદીખાનને કહે કે રણશીંગું વગાડી સન્યને એકત્ર કરે,
કાણુ સલીમશાહ? કયું રણશીંગું ?” મુબારિઝખાન ભડકો ચાલ્યો. એણે પેલાના હાથમાંથી છૂટવા ખૂબ મહેનત કરી, પણ નકામી નીવડી. જાણે કોઈએ પિલાદની બેડીથી હાથ જકડડ્યા હતા.
ખોટી તકલીફ લેશે મા, ખાનસાહેબ!'
પહેરેગીર, પિલી બે સુંદરીઓને પણ ઈનામ આપ્યા વગર જવા દઈશ મા ! શહેનશાહ જેવા શહેનશાહને રીઝવ્યાનું ઈનામ તો આપવું જ પડશે ને ?”
પહેરેગીર સુંદરીઓને લઈ આવ્યો. ત્યાં તો મશાલના પ્રકાશ વચ્ચે સલીમશાહ એ તરફ આવતો દેખાશે. મુબારિઝના હોશકોશ ઊડી ગયા. એ વગર વાંકે મરવા પડેલી છે જે ઢીલ બની ગયે. આ કેણું ને સલીમશાહ એકદમ અત્યારે અહીં ક્યાંથી ? હજી એ પૂરે વિચાર કરી લે ત્યાં તો સૈનિકોને સજજ થવા માટેનું રણશીંગું ગાજતું સંભળાયું. મધરાતની નિદ્રામાં પણ પવનસંચારથી જાગી જનાર સૈનિકે એકદમ સજજ થઈ બહાર નીકળી આવ્યા. જોતજોતામાં મેદાન ભરચકક થઈ ગયું.
પેલે આગંતુક આગળ આવ્યો. એણે ધીરેથી બોલવું શરૂ કર્યું
બહાદુર સૈનિક! મને પિછાણ્યો ? બીજો કોઈ નહી, તમારો જૂન દોસ્ત હેમરાજ ! શહેનશાહના હુકમથી ને શરાબ અને સુંદરીમાં પડેલા સિપેહસાલાર મુબારિઝખાનની સલાહથી હું તમારી પડખે યુદ્ધના મેદાનમાં લડવા આવ્યો છું.”
શરાબ ને સુંદરી?” સૈનિકોએ પિકાર કર્યો.
યુદ્ધદેવતા; ૨૮૭
Page #305
--------------------------------------------------------------------------
________________
ન
‘હા, મરમ શાહુ શેરશાહે જેની, મા જિંદગીમાં ન જાણી. એ શરાબ મુબારિઝખાનને ખૂબ પસંદ છે. અત્યારે પણ તે તેમાં જ મહેાશ છે, તે શરાબ હોય ત્યાં સુંદરીએ વગર ચાલે ? જુએ પણે ઊભી પેલી બિચારી મહેનતાણાની રાહમાં મહોબ્બતના જામ પિવરાવનારી ! પણ દિલેર સિપાહીએ, તમે જાણીને ખુશ થશે। કે બાદશાહ સલીમશાહે ને ખાનસાહેબે મને આ લડતની રાહેબરી સોંપી છે. દિલેરાની દસ્તી મેદાનમાં તે કબ્રસ્તાનમાં સરખી હોય છે. મેલે આપને કબૂલ છે? ' જરૂર. અમે ખુશીથી તૈયાર છીએ. ખેલા સલીમશાહની ફતે હે! ! સરદાર હેમુજીની તેહ હૈ !'
<
બહાદુર, સિપાહીઓની દોસ્તી અજબ ઢાય છે. સાચી દેસ્તી દુનિયામાં સિપાહી જ નભાવે છે. તમે જાણા છે, કે મરહૂમ શાહની શહેનશાહતમાં આજે ધરાધરની આગ ચાંપાણી છે. એ આગ તમારે તે માટે પોતપોતાના ખૂનથી બુઝાવવાની છે.'
C
અમે તૈયાર છીએ.’
મુબારિઝખાન નીચું માં કરીતે, નાથેલા સાપની જેમ આંખે તકતકાવી રહ્યો હતે. એ શરમના માર્યાં અક્ષર પણ મેાલી શકયો નહિ. સલીમશાહે આગળ આવી સહુને ધન્યવાદ આપતાં કહ્યુંઃ
'
મારા વાલિદના દાસ્ત હેમુજી આપણા બુઝર્ગ છે. એમની તાકાત તમે પિછાણા છે. આજે એવા બકા નરની સરદારી નીચે લડવામાં તમારે મગરૂરી લેવી ઘટે.’
સિપાહીઓએ હના પાકાર કર્યાં. ત્યાં તે વળી હેમરાજજીએ ઊભા થઈ તે ફરી કહ્યું :
• બડ઼ાદુરા, તમને આશ્ર' થશે, તકલીફ પડશે, પણ આપણે અત્યારે જ કૂચ કરવાની છે. દુશ્મનનાં આંખ-કાન ગફલતની નિદ્રાને આધીન હોય ત્યાં જ તેને પરાસ્ત કરવાના છે. આજે તમે દુશ્મન
૨૮૮ : યુદ્ધદેવતા
Page #306
--------------------------------------------------------------------------
________________
ક્રાણુ છે, એ ન વિચારશેા. ખવાસખાન હાય, આદિલખાન હોય કે હેમરાજ હાય, જે મરહૂમ શાહના તખ્તની સામે તલવાર તાણે તે આપણું। દુશ્મન. સિપાહીએ! સેાનાની કટારી ભેટમાં નખાય, પણ કઈ પેટમાં ભરાય છે? ટૂંક સમયમાં જ આપણે કૂચ કરી, રાત પૂરી ન થાય તે પહેલાં, શત્રુને દાબી દેવાને છે. એને જરા પણ વખત ન મળવા જોઈ એ. હું સજ્જ થઈને બહાર ખડે। છું. સલીમશાહ પણ તૈયાર છે.’
સિપાહીએ એકદમ વીખરાઈ ગયા, તે થોડી વારમાં એક મેાટી નગરી જાણે અલેપ થઈ ગઈ. તાપણાં મુઝાઈ ગયું. દીવા ગુલ થઈ ગયા. તંબૂ ઊપડી ગયા. જનસમૂહથી વ્યાકુળ સ્થળ એકદમ વેરાન બની ગયુ. થાડાએક શરાબના શીશા, ઘેાડીએક વેશ્યાએ સિવાય ત્યાં કાઈ નહાતું.
અંધારી રાતનુ પેઢાળ ફાડતી સેના દડમજલ આગળ વધતી ચાલી. સહુથી આગળના શાહી હાથીમાં મુબારિઝખાન બેઠા હતા. શાહી ઝડા એના માથા પર હવામાં ફરફરી રહ્યો હતા. મશાલાનુ અજવાળું એના ચહેરા પર પથરાતુ હતું. પણ એ દેખાતે સેનાનાયક બિનદેખાતી રીતે કેંદી હતેા. એને આડુ અવળુ જોવાની પણ મના હતી. નવા સિપેહસાલાર હેમરાજજીની ખાસ આજ્ઞા હતી કે, જો જરા પણ હાલવા ચાલવાની કેાશિશ કરી તેા પાછળના હાથી પર ખાસ તેને માટે નિયુક્ત કરવામાં આવેલ યુગરાજની બંદૂક એની સગી નહી થાય.
અંધારી રાતે હવે શત્રુની છાવણી સ્પષ્ટ દેખાતી હતી. વીર યાહો ખવાસખાન ને અલ્લાહનેક પ્યારેા આદિલખાન આ જ ઠેકાણે શમશેરનાં તારણુ આંધી વૈરદેવીના યજ્ઞ પ્રજવલિત કરી રહ્યા હતા. સામેથી આવતી સેના તેએએ નીરખી લીધી, સૈનિકા સજ્જ થઈ ગયા, પણ ખવાસખાતે આગળ હાથીની અંબાડીમાં મુબારિઝખાનને જોઈ શાંત
યુદ્ધદેવતા : ૨૮૯
૧૯
Page #307
--------------------------------------------------------------------------
________________
રહેવાની આજ્ઞા કરી. વ્યૂહકળાના નિષ્ણાતાનું યુદ્ધ આજે જામ્યુ હતુ. સેનાની આગળ હાથી પર બેસીને મુબારિઝખાન આવતા હતા. એની સાથે તે! ખવાસખાને ગુપ્ત સધિ કરી હતી. એણે માન્યું કે પૂ` સ ંકેત મુજબ, ચડાઈના બહાને, એ સૈન્ય સાથે પેાતાનામાં ભળી જવા આવતેા હતેા. સ્વસ્થ. શાંત ને ગંભીર રીતે બેઠેલા મુબારિઝને નીરખી ખવાસખાનના દિલમાં કઈનું કંઈ થઈ ગયું. અરે, બેવફાઈમાંય આટલી બહાદુરી હશે !
મુબારિઝખાનના હાથી શત્રુસેનાની કિલ્લેબંદીમાં પ્રવેશ્યા. ધરખેલી તેપે। ચૂપ રહી. શમશેરની ભેાએ એક પણ્ લપકારા ન કર્યાં. એક ચકલાએ પણ ચીંચીં ન કર્યું. મુબારિઝખાન સ્વસ્થ બેઠે હતા. સેના હાથી પર, ઊંટ પર, ઘેાડા પર ને પાયદળ પાણીના રેલાની જેમ વહી આવતી હતી.
મુબારિઝખાનના હાથી સેનાની મધ્યમાં આવેલ ખવાસખાનના તથ્યને વીંધીને પણ આગળ વધી ગયેા. ત્યાં તે માળામાં સૂતેલાં પક્ષીઓનાં કલેજાં ચીરી નાખતું સામા પક્ષનું રણશીગુ ફૂંકાયું. મંત્રમુગ્ધ પૂતળાની જેમ મેઠેલા મુબારિઝાનની સેના નાની નાની ટાળીઓમાં વહે'ચાઈ ગઈ. વટાળિયાની ઝડપે નાની નાની ટાળીએ ખવાસખાનના તંબૂઓને વીંટળાઈ વળી.
ફરીથી રણશીંગું ફૂં કાયું તે સંકેત થયેા. સ`કેતની સાથે કાળમુખી તાપા ગઈ ઊઠી. શેરશાહ ને સલીમશાહના નામના જયનાથી આકાશ ગાજી ઊઠેર્યું. કાળાં વાદળામાંથી વીજ ઝબૂકી ઊઠે એમ શમશેર બહાર નીકળી આવી; ભયંકર યુદ્ધ મચ્યું. ખવાસખાનના સૈનિકે બિચારા શમશેર મ્યાન બહાર ખેંચે ત્યાં તેા ઘેરાઈ જતા તે યમસદન પહેાંચી જતા. ઘેાડી વારમાં અકસરિયા બંદૂકસીએએ પેાતાનું કામ શરૂ કર્યું. મુબારિઝખાનને હાથી ને એની પાછળના હાથી હજી આગળ ર૯૦ : યુદ્ધદેવતા
Page #308
--------------------------------------------------------------------------
________________
ને આગળ ચાલ્યા જતા હતા. રણશીંગાના સાંકેતિક અવાજ સાથે સેના કામ કરતી હતી. ખવાસ ખાન આ પરિસ્થિતિ સમજે એ પહેલાં તે ઘેરાઈ ગયે. એ બહાદુરે પોતાની બંદૂક સમાલી. એ પહાડના જેવો અડગ થઈને ઊભો રહ્યો; એકલે સો સૈનિકોની જવાંમદ દાખવી રહ્યો.
“ભાગ, આદિલખાન નાસી છૂટયા છે,' સન્યમાં બૂમ પડી.
એક પછી એક પડકારા વધતા ચાલ્યા. અચાનક હુમલાથી નાહિંમત બનેલા સિપાહીઓ નાસવા લાગ્યા. અને યુદ્ધમાં તો એક નાસે એટલે બધા નાસવા માંડે. મેદાન જોતજોતામાં ખાલી થવા લાગ્યું.
અરે, આદિલખાન અહીં ઊભો છું,' એક વ્યક્તિ બૂમો પાડતી હતી. પણ એનું સાંભળે કોણ? આખરે એ વ્યક્તિ પણ -નાસનારાઓની ભેગી અદશ્ય થઈ
જીવ પર આવીને લડતો ખવાસખાન બહાદુરીની સીમા દાખવી રહ્યો હતો; પણ એણે જોયું કે પોતાના સિપાહીઓ ઘટતા ચાલ્યા છે, રિપુદળ ઊભરાઈ રહ્યું છે, એણે પણ પલાયન થવામાં શ્રેય સમજ્યુ.
મરેલાનાં મડદાં સિવાય મેદાન ખાલી થઈ ગયું. નાસનારાઓનો પીછો કરવાની મનાઈ હતી; શરણે આવેલાનું સન્માન કરવાનું હતું, કારણ કે આખરે તો તેઓ સહુ મરહૂમ શાહના જ સિપાહીઓ - હતા ને!
શેરશાહના સામ્રાજ્ય પર આવેલી કાળી વાદળી વરસું–વરસે થતી થતી અલોપ થઈ ગઈ. વિજેતાઓ હાથીને હેદ્દે ચઢીને પાછા ફરતા હતા, ત્યારે પૂર્વમાં ઘોર અંધકારને પરાસ્ત કરતો પ્રભાકર ઊગી રહ્યો હતો.
ચુદ્ધદેવતા : ૨૯૧
Page #309
--------------------------------------------------------------------------
________________
લાયક પિતાને લાયક પુત્ર
દિહી
અજીબાઈ ને
ઢિહીના રાજમહાલયના શાહી દબદબાથી. સંપૂર્ણ ખંડમાં એક મોટા મખમલી વિરામાસન પર સલીમશાહ ને તેની પ્યારી બેગમ બીબીબાઈ બેઠાં હતાં. ગ્રીષ્મને વાયુ શીતળ થયો હતો, ને જેઠનું તપતું આકાશ કદી કદી નાના નાના મેધખંડેથી છલકાઈ જતું હતું. ઝરમર ઝરમર વર્ષોથી પૃથ્વીને તપેલે પ્યા આ પાણી પીને વધુ પ્યાસ બનતો હતો.
યારી, હજી પણ મારું કહ્યું માની જા ! મુબા-- રિઝને કલ કરવાની મને મંજૂરી આપ!”
ના, મારા પ્યારા શાહ, આખરમાં તો હું એની બહેન છું. ન જાણે દુનિયાની કેટલીય બહેને ભાઈ માટે ચાતકની જેમ તલસે છે. ઇન્સાન ભૂલ કરે. મુબારિઝ એની ભૂલે માટે માફી માગે છે, રોવે છે, મારા પગ પકડે છે. મને એની કટાર આપી કહે છે : બહેન, મારી છાતીમાં એ હુલાવી દે તો મારા પાપ ઓછી થાય.”
એ સાચું, પણ પાપને દેવ-શેતાન ફરી ન જાગે, ફરી ભૂલ ન થાય એની શી ખાતરી ?”
૨૯૨
Page #310
--------------------------------------------------------------------------
________________
“આદમી વારેવારે ભૂલ ન કરે. કહ્યું છે કે, સૂખ રૂહ લેતા હૈ ઇન્સાં, ઠેકરે ખાને કે બાદ; રંગ લાતી હૈ હીના, પથ્થર પિસ જાને કે બાદ,
બીબીબાઈ, હું જીવતો હઈશ ત્યાં સુધી તે એ કાળા નાગને ડર નથી, પણ પિતાજી સાથે કલિંજરના કિલ્લામાં દારૂગોળાના અકસ્માતમાં સપડાયા પછી કેટલીક વાર હૃદયમાં દુખાવો ઊપડી આવે છે, અંગમાં કળતર રહ્યા કરે છે. મારી પછીને વિચાર આવે છે, અને એટલે જ દગાખોર મુબારિઝને જીવતો રાખવો ઠીક નથી લાગતો.”
પછીના વિચાર અલ્લાહના હાથમાં. એ સહુ સારાં વાનાં કરશે. પ્યારા, ઓરતને પતિ પહેલો ભલે હોય, પણ ભાઈનુંય એના જીવનમાં મોટું સ્થાન છે. એણે મારા પગ પકડી માફી માંગી છે.”
“બહુ સારું બીબીબાઈ, તમને આપેલા કોલથી હું નહીં કરું, છતાં મારા શબ્દો પર વિચાર કરજે. તમારી મહેરબાની કાળા નાગને ફરીથી ફેણ ઊચક્તા ન શીખવે તે જોજો !”
માર શાહ એવા નામનો ગારુડી છે.”
ભલા શાહની ભલી બીબી માર્ગમાં પડેલ કાંટો ઇતી શક્તિએ કાઢવાની સદા અનિચ્છા ધરાવતાં રહ્યાં. મરહૂમ શાહ શેરશાહના આ લાયક બેટાએ બાપની બનાવેલી સરાઈમાં ઠેર ઠેર બબે સરાઈ વચ્ચે એક નવી સરાઈ ને ધર્મશાળા બનાવવાને હુકમ આપ્યો. ડાકચેકીને વધુ વ્યવસ્થિત બનાવી. સદાવ્રતો, ખેરાતો ચાલુ જ રાખી. પોતાના બાપના એકએક બેલને એ પવિત્ર ફરમાન સમજી વર્તતે હતો. પ્રજા આ નવા શાહની અદલઇન્સાફી પાસે, ઉદારતા
ઠોકર ખાધે માણસ શાણે થાય છે, જેમકે મેંદી પિસાયા પછી જ રંગ પકડે છે.
લાયક પિતાનો લાયક પુત્ર : ૨૩
Page #311
--------------------------------------------------------------------------
________________
પાસે, હિંદુ-મુસ્લિમ પ્રત્યેની સમદષ્ટિ પાસે મરહૂમ શેરશાહને ભૂલી રહી હતી. મરહૂમ શાહના જૂના મિત્રોને, જૂના અધિકારીઓને એણે અપનાવ્યા હતા. લાહોરના ખત્રી ટોડરમલને મહેસૂલી પ્રધાન નીમ્યા હતો. આ વિચક્ષણ પુરુષે રાજા અને પ્રજાના હિતને લક્ષમાં રાખી બંનેને સુખી કર્યા હતાં. રાજભંડાર છલકાતો હતો, ને પ્રજાની તિજોરીઓ પણ ભરપૂર હતી. રણભરવ હેમરાજને પોતે એવા આકર્ષ્યા હતા, કે એ મહાન સેનાનીએ રાજના ભલા માટે “બજારદરોગા ” નું પદ લઈને દિલ્હીમાં વસવાનું કબૂલ્યું હતું.
અને હેમુછથી તો કોણ ધ્રુજતું નહોતું? મોગલો તો હિંદનાં નાક સામે જોઈ શકતા ન હતા. કેઈ પરદેશી હિંદની સેનામાં ભરતી થઈ એ રણભૈરવની સામે લડવા તૈયાર નહતો.
બીબીબાઈ વધુ ન થઈ શકે તે કંઈ નહીં, વાલિદસાહેબે (પિતાએ) વાવેલી વાડી ઉછેરી શકું તોય ઘણું માનીશ.”
યારા, એમાં કઈ વાતે કમી નહીં આવે. આજે તો રૈયત જૂના શાહને બદલે નવા શાહને યાદ કરી રહી છે.” રાત વધતી જતી હતી. ઠંડા બનતા પવનની લહરીએ આ સુખી-શાણું પતિ પત્ની કંઈ ઝોલે ચડતાં હતાં. પણ દેહમાં થતા કળતરથી શાહ વારે વારે જાગી જતો હતો. ત્યાં તાર હૂંડીએ આવીને કુર્નિશ બજાવતાં કહ્યું
જહાંપનાહ, ગુસ્તાખી માફ. બજારદરોગાજી પધાર્યા છે.” કેણ હેમુજી?” “હા, માલિક, તેઓ જરૂરના કામે આવ્યા છે.'
ચાલો, હું દીવાનખાનામાં આવું છું. કંઈ ખાસ કામ હશે; તે વિના તેઓ ન આવે.”
શાહી મહેલના એક મોટા ખંડમાં દીવાનખાનું આવેલું હતું. નકશીકામ, મીનાકામ ને શિલ્પની જાણે અહીં આછી પ્રદર્શની ૨૯૪ : લાયક પિતાને લાયક પુત્ર
Page #312
--------------------------------------------------------------------------
________________
રચાઈ હતી. હેમરાજજીએ અત્યારે ચીનમાં બનેલા ઉત્તમ રેશમનું એક કૂરતું પહેર્યું હતું, ને સોનાની સળીવાળી પાઘડી માથે મૂકી હતી. નીચે સફેદ સાટીનની સુરવાલ હતી. રાજરંગમાં ફરતા માણસને રક્ષણ માટે રાખવી પડે તેટલી સાવચેતીઓ તેમના વરમાં છુપાયેલી હતી.
પધારે મારા શાહ, તબિયત કેવી છે?”
“ઠીક છે. શરીર બરાબર રહેતું નથી. દિલમાં જલન ને આતશ રહ્યા જ કરે છે. આટલી રાતે તકલીફ લેવાનું કારણ?”
“કાબુલના શાહે પંજાબમાં પ્રવેશ કર્યો છે, એને તાકીદે રોકવો જોઈએ.”
“તૈયાર છું. આપ કહે ત્યારે કૂચ કરીએ.” “કાલે સવારે જ. પણ આપની તબિયત ?”
ઘણી સારી. તબિયતને પ્રશ્ન રાજકાજની પછીન. હેમુજી, તબિયત તો કદાચ સારી ન પણ થાય તો શું રાજકાજ ત્યાં સુધી પડ્યાં રહે.”
રાજા ને મંત્રી થોડી વાર મંત્રણા ચલાવી છૂટા પડ્યા. વખત વખતનું કામ કરતા હતા.
અસ્વસ્થ સલીમશાહ બીજી સવારે યુદ્ધમેદાનનો સ્વાંગ સજીને બહાર આવ્યા. કૂચ કરવાની જ હતી. થોડું મોડું, કદાચ સદાનું મોડું થાય એની ભીતિ તેમને હૈયે હતી.
પણ મહારાજ, તોપે લઈ શકાય તેમ નથી, ચરવા ગયેલા બળદ હજી હાથ આવ્યા નથી.”
બળદ ન આવે તો માણસ. અત્યારે ઘડીનેય વિલંબ પોસાય તેમ નથી. માણસોને ખૂબ ઇનામ આપીશ. કૂચ અત્યારે જ ચાલુ થવી ઘટે. બળદ લાવનારાઓને પાછળ આવવાનું કહે !”
લાયક પિતાને લાયક પુત્ર ઃ ૨૯૫
Page #313
--------------------------------------------------------------------------
________________
હું કાનિશાન ગડગડી ઊઠયા. ફ્રીથી ૫ નખની ભૂમિ પર સલીમશાહ અને બજારદરાગા હેમુજીની તલવાર ખેંચાણી. અજબ એવી વીરતા ત્યાં દેખાઇ આવી. તેાપા તાપાને ઠેકાણે રહી ને કામુલનેા શાહ ચુËરંગ જામવાની રાહ જોતા ઊભેા હતેા, ત્યાં તે। લડાઈ ખતમ થઈ. સિપાહીએ નાસતા હતા, તેાપે! પડી હતી, તે પાછળ સલીમશાહના ગાંડા હાથીએ પરની ગજનાલા તેાા મેાત વરસાવતી હતી. દુશ્મા એવી સજ્જડ હાર ખાઈને પાછા ફર્યા કે ફરીથી કેઈ એ માથુ ન ઊંચકયુ. ગમે તેવા સરદાર, અમીર, ઉમરાવ સલીમશાહ અને હેમુજીના નામે ધ્રૂજી ઊઠતા. સિપાહીઓ પર એવા દાબ એસી ગયા કે તેએ આ એનું નામ સાંભળી થરથરી જતા.
શત્રુઓથી મુક્ત થઈ તે રણમેદાનમાંથી અને શાંતિથી પેાતાના આવાસે પાછા ફર્યાં. સલીમશાહ તખ્ત પર બેસીને અદલ ઇન્સાફ તેાળી રહ્યા હતા. પ્રજાનાં સુખ, આબાદી, વૃદ્ધિ માટે અહેનિશ ચિંતા કર્યાં કરતા. કાંક વાવતળાવ, કાંક ધર્મશાળા-સરાઈ, કાંક નવાનવા આગબગીચા અનાવતા હતા. સહસરામનેા ઉદ્યાનમહેલ તે અદ્ભુત બની ગયા હતા. દેશદેશના યાત્રાળુ આ રાજાના દર્શને આવતા. સલીમશાહે પેાતાના કાજે સલીમગઢ નામે સુંદર નાના ગઢ દિલ્હીમાં ચાવવે શરૂ કર્યાં હતેા. ટાડરમલ એની નિગેભાની કરતા હતા. કલા-સ્થાપત્યનાં પૂર ફરીથી ઊભરાતાં હતાં. શેરશાહના જમાનામાં દેશદેશાવરથી આવેલા શિલ્પીઓને એક જિંદગીના ભાથા જેટલી રાજગારી સાંપડી ગઈ હતી. શું એના ગાખઝરૂખા ! શું એના મહેરાબ–મિનારા !
અજારદરાગા હેમુજી ( એમનું શ્રાવક તરીકેનું નામ હેમરાજજી ભુલાતું જતું હતું) ના પરાક્રમની, વ્યૂહકળાની, અજબ કુનેહથી વાતા દેશદેશમાં થતી. ચમકારા તે કઈ કઈ આખ્યાયિકાઓ તેમના નામ સાથે જોડાતી. હુમાયુ જેવા મેાગલાને હંફાવનાર, ખવાસખાન જેવા
૨૯૬ : લાયક પિતાના લાયક પુત્ર
Page #314
--------------------------------------------------------------------------
________________
વીરને ભૂલથાપ આપી સદાનેા રઝળુ બનાવનાર, કામુલના ચાહને સામે માંએ તમાચેા મારનાર હેમુજી જ્યાં હૈાય ત્યાં અશાન્તિ, ધાંધલ જાણે અદૃશ્ય થઈ જતાં. શેરે અફધાનના સામ્રાજ્ય સામે જોવાની કેાઈની હિંમત ન ચાલતી. અલબત્ત, બહારના દેખાવમાં હેમુજી સત્તાના પરિધથી દૂર દેખાતા, પણ રાજકારભારની કુનેહવાળા સમજતા હતા કે સત્તા જ એમની પાછળ વીંટાતી હતી. તેએ હુમાં શાંતિનાથજીનું મંદિર સર્જી રહ્યા હતા અને આ માટે ચંપાના ફૂલ જેવી કેસરવણી જયપુરી આરસની શિલાઓ, આમુની ખાણાને ચાંદની જેવા ઉજ્જવલ પથ્થર, ગુલાબી રંગની શિલાએ આણી હતી. તેઓ જૈન મ`દિર, જૈન શિલ્પ, જૈન ગભારા, રંગમાંડપ ને પૂતળીઓના આદર્શો ઉતરાવવાની ડેાંશમાં હતા.
વર્ષાં વીતતાં ચાલ્યાં, રાજ્ય સમૃદ્ધ થતુ ચાલ્યું. પણ સલીમશાહની તબિયત હવે ખળભળતી હતી. એક દુહાડા સમાચાર મળ્યા કે મેાટાભાઇ પાટણ તરફ નાસતા જોવાયા. પછી ગુજરાતમાં કાંય અદૃશ્ય થયા, તેને કઈ પત્તો મળતે નથી,
જોનાર માટાભાઇની અવદશાનું વર્ણન આપતા હતેા : ન સાથે સિપાહી કે ન સાથે બબરચી; ન ખાવાનું ઠેકાણું કે ન પીવાનું. જ્યાં જાય ત્યાં સહુ કોઈ એમને જાકારા આપે. અલ્લાહના આ આદમી મળે તે। ખાય, નહિ તેા ચટાઈ પર બેઠા ખેઠા તસ્બી ફેરવ્યા કરે. એના પાક દિલમાં તેા ન દુઃખ, ન શાક, ન સંતાપ ! કોઈ કાંઈ પૂછે તે આંખમાં આંસુ લાવે તે અલ્લાહ અલ્લાહ કરે.
વહાલસાયા શહેનશાહનું દિલ મેટા ભાઈની અવજ્ઞા કર્યાંના ભારે સદા સંતપ્ત રહેતું હતું. ત્યાં ખબર મળ્યા કે અંબરના સરદારે ઘણા દહાડા સુધી ખવાસખાનને આશ્રય આપ્યા પછી એકાએક એનુ ખૂન કરી નાખ્યુ! છેલ્લા દિવસેામાં તેા ખવાસખાન દરવેશ બન્યા હતા. સાંઈ કાર જેવી એની જિંદગી હતી. પણ અચાનક કાઈ એ એને
લાયક પિતાના લાયક પુત્ર : ૨૯૭
Page #315
--------------------------------------------------------------------------
________________
આશ્રય આપનાર તાજખાનને કહ્યું : “સલીમશાહ ને હેમુજી તારા. ઉપર ચઢી આવે છે. કમજોર સરદાર તાજખાને એ સૂતેલા સિંહના કલેજામાં છૂરી હુલાવી દીધી.
અરેરે, સાપ ન કરડે તોય એના કુંફાડા માનવીના જાન લે અફઘાન સત્તાના સ્તંભ આવી રીતે કમેતે મરે ! હે ખુદા, તારી અમારા પર રહેમ હશે !
મર્દોની તો કબર પણ પૂજાવી જોઈએ. સલીમશાહ ને હેમુજી હાથીએ ચડી નીકળ્યા. અંબરના સરદારને ફરમાન મોકલ્યું કે શાનદાર જનાજે રચે. એક સુંદર આંબાવાડિયામાં એમની કબર ચણો. મરજીવાઓને તો વળી મત શાં !
પ્રજા આ દિલેર મહામાનવોને નીરખી રહી. એ દહાડે ખવાસખાનની કબર પવિત્ર બની ! પ્રજાએ એના પર ફૂલ ચઢાવ્યાં. પણ સલીમશાહના અસ્વસ્થ દિલને આ પ્રસંગે વધુ અસ્વસ્થ બનાવ્યું કેવાં કેવાં કારમાં મોત ? દારૂગોળાના ભંડાર વચ્ચે પિતાજીનું ! ભૂખમરાના રઝળપાટમાં મોટા ભાઈનું ! ખૂની છરીના સપાટામાં વીર નર ખવાસ ખાનનું ! મોતને રાહ એમને સ્પષ્ટ દેખાવા લાગ્યા.
નવ નવ વર્ષના રામરાજ્ય પછી એક દહાડો આ સુખી રાજ સદાને માટે પોઢી ગયો. પાછળ બાર વર્ષના બાળકુંવર ફિરોજશાહને ગાદી પર મૂકતો ગયો.
TIMES
(111
*
*
છે
ને
૨૯૮ : લાયક પિતાને લાયક પુત્ર
Page #316
--------------------------------------------------------------------------
________________
‘નાયિકા !”
કામશાસ્ત્ર કે નાટયશાસ્ત્રની નહીં, પણ રાજશાસ્ત્રની નાયિકા દેવી ચિંતામણિ, આમ કહેવું એ જ નિખાલસ સત્ય છે. એક ઐશ્વશાલિની સુંદરીનું એ સિવાય ખીજા શબ્દોથી વર્ણન કરવું એ સૌંદય ના દેવનું અપમાન કરવા બરેાબર છે. દેવી ચિંતામણિના ઝગઝગિત કપેલ પ્રદેશના તિલકના ચંદ્ર તે એની ધૂપછાંવ રંગની સાડીના તારા, મુબારિઝખાન ! એ તમારા શાહી ઝંડાના ચંદ્રતારા! ફરી ફરીને કહું છું કે ચિંતામણિના એક એક અંગને સ્પર્શાવાનું મૂલ્ય એક એક બાદશાહી તખ્ત જેટલુ છે.’
'
'
એક બાદશાહી તખ્ત જેટલું એટલે ?' · એટલે એ જ કે ચિંતામણિને પેાતાની બનાવનારે એ વગર એને જાળવી ન શકે! મૃગમદ તે કપૂરથી મહેકી રહેલી આ કાયાને આલિગનારા જગતની ઈર્ષ્યાને ભાગી બનશે; એને કચડી નાખવા સહુ ધસી આવશે, એ વેળા શાહી ફાજ જોઈશે. નાગપાશ શે। આ કેશ
નાયિકા
૨૭
૨૯૯
Page #317
--------------------------------------------------------------------------
________________
કલાપ જે જોશે એ પોતાને ભૂલી જશે, ને મારી તરફ દેડી આવશે. કમળદંડ શા આ હસ્ત પર રહેલાં કેયૂર ને કંકણનું ઝણઝણાટ ભલભલાને ભુલાવી દેશે. સહુ આ ઝગારા મારતા સૌંદર્ય માટે મરી ફીટવા તૈયાર થશે. એ વેળા જે બળિયો હશે એ બે ભાગ લઈ જશે. ચિંતામણિ વિલાસમૂર્તિ છે, વૈભવસ્વરૂપિણું છે, એશ્વર્યશાલિની છે. એની ભિક્ષાનું પાત્ર માત્ર ચક્રવર્તી રાજા જ ભરી શકે. ચિંતામણિને હૃદયેશ્વરી બનાવનારની પાસે એને સંતોષવા ખજાને જોઈ એ, એને તૃપ્ત કરવા શાહી મહેલ ને શાહી વિરામગૃહે જોઈએ. એ ન થઈ શકે, તો પછી આગ્રાના સૌદર્ય બજારની અધીશ્વરી ચિંતામણિ ભલે અહીં જ રહી.'
ચિંતામણિ, હું તને મારી હદયની મલિકા બનાવીશ.”
“ ચિંતામણિને હૃદયેશ્વરી બનાવવા કોણ નથી ઈચ્છતું ? પણ એમ કરીને નિરર્થક વિપદમાં ફસાશો નહીં. ચિંતામણિના તો અનેક ઉમેદવાર છે. અરે મારા ખાનસાહેબ ! ચિંતામણિને હૃદયેશ્વરી બનાવવા બહાદુરખાન કલિંજરની લડાઈમાં શહીદ થયે. છે એટલી તાકાત, હિંમત ને હોશ ! ચિંતામણિના આ નાગપાશ સમા કેશકલાપને ગૂંથવા માટે તો કેટલાય શ્રીમંતો ફકીર થવા તૈયાર છે. અરે, મારા સૌદર્યના દર્શન માટે તો વર્ષોથી કેટલાય પિતા પુત્રને કે સુતદારને તજીને મારા પડછાયા પાછળ ભમે છે. અહેનિશ તેઓ મારી પૂજા. ધ્યાન ને સ્મરણ કરે છે. રાજાને એક કૃપાકટાક્ષ ને ચિંતામણિને એક નેત્રકટાક્ષ સરખા મૂલ્યના છે.”
ક્રીડાગૃહમાં હીંડોળાખાટ પર બેઠેલી ચિંતામણિ પાળેલા ગૃહમયૂરનાં પીંછાંને પંપાળતી હતી, ને એની વૈદૂર્યમાળા જેવી લાંબી ગ્રીવાને પોતાની પદ્મના મૃણાલ જેવી ડોકની આસપાસ નાખી રહી હતી. સામે જ ઠંડા પાણીને હેજ ઇત્રભર્યા જલથી છલકાતો હતો ને કમળરજથી મહેકતો હતો. ચિંતામણિની કમર પર ને નિતંબ પર
૩૦૦ : નાયિકા
Page #318
--------------------------------------------------------------------------
________________
એક ઘેરા લીલા રંગનું સોનેરી ટપકીઓવાળું વસ્ત્ર કાવ્યની સુંદર પંક્તિ જેવું શોભતું હતું. ઘૂંટણ સુધીના પગ ને બંને લાંબા મુલાયમ ગૌર હાથ તદ્દન ખુલ્લા હતા. પરિચારિકા એના કેશકલાપને હમણું જ છૂટો કરી ગઈ હતી.
કામદેવના બાગ સમી ચિંતામણિ આવી સ્થિતિમાં ભાગ્યે જ કોઈને મળતી, કારણ કે એવી અવસ્થામાં એના લાવણ્યને પીનારો બેહેશ બની જતો. છતાંય કઈ કોઈના નસીબમાં આવી મુલાકાતોના મહાભાગ્ય જાગી ઊઠતાં. સલીમશાહનો સાળા, સિપેહસાલાર મુબારિઝખાન આ મહાભાગ્યને પામ્યો હતો.
છતાંય જેનારા કહેતા કે આ ચિંતામણિ પહેલાંની ચિંતામણિ નહતી. થોડા વખતથી એના કપાળ પર એક પટ્ટી બંધાયેલી રહેતી. કાઈ જખમથી એ પીડાતી હતી, પણ કપાળ પરની પટ્ટી એના લાવણ્યમાં એક અજબ ખુમારીનો વધારો કરતી હતી. આ ઉપરાંત વારંવાર બેચેન થઈ જતી ચિંતામણિને લાગતું કે એના અંગમાં કોઈ ભયંકર કળતર થતું હતું. કોઈ અપૂર્વ દાહ એને બાળતો ને એ પિતાના કામદેવની કામઠી જેવા નાનાશા હોઠ પીસતી. આશકે કહેતા કે આ તો સૌંદર્યનું ઝરણું ફૂટવું. વગર કટારે અમને કલ કર્યા. પણું ચિંતામણિની સ્થિતિ જુદી હતી. એનું અંગેઅંગ આછી આછી વેદનામાં જલતું, આલસ્ય દેહ પર છવાઈ રહેતું, ને એ અંગમરોડ લેતી, ઊને શ્વાસ નાખતી અને સૌંદર્ય–બજારમાં કામશાસ્ત્રનાં પ્રકરણેમાં એક નવા સ્ત્રીલાવણ્યની રચના થતી.
હેજનાં પાણી છલકાતાં હતાં. મયૂરને બાજુએ મૂકી ચિંતામણિ સ્નાન કરવા આગળ વધી. વિરામાસન પર બેઠેલ મુબારિઝખાન ઊભું થયી. તો મલિકા મારે રાજા થવું જ જોઈએ ?”
નાયિકા : ૩૦૧
Page #319
--------------------------------------------------------------------------
________________
‘હા, મારા ખાન ! અગર ચિંતામણિને તમારી બનાવવી હોય તે’ ચિંતામણિ અંગનૃત્ય રચતાં બેલી. “મારા શાહી ઉમેદવારીય કંઈ ઓછા નથી, જે વહેલા તે પહેલો.”
ચિંતામણિ આવાં હલકાં વચનો કેમ બોલે છે?'
ખાનસાહેબ, ચિંતામણિ સૌદર્યરાણી છે, ગૃહરાજ્ઞી નથી. સંસારમાં એને કુળ ભલે ન હોય, પણ એનું મૂલ્ય અવશ્ય છે.” ચિંતામણિ છેલા શબ્દ બોલતાં કંઈક અન્યમનસ્ક બની ગઈ ક્ષણવાર વિહવળ બની આમતેમ નીરખી રહી. એક દાસી ઉતાવળી આવતી હતી.
બા, દિહીશ્વર સલીમશાહ ગુજરી ગયા.”
કેણ, સલીમશાહ ગુજરી ગયા?” મુબારિઝખાન બોલી ઊઠડ્યો. “ચિંતામણિ, હું જાઉં છું. તકદીરની જ કોઈ તાસીર લાગે છે. તારા અરમાન પૂરા કરીશ. તને તેડવા જલદી શાહી પાલખી આવશે. તૈયાર રહેજે.”
પણ ચિંતામણિ તો હેજના પાણીમાં ડૂબકી મારી ગઈ હતી. એના અંગનું લીલું સોનેરી વસ્ત્ર પાણી પર તરતું હતું ને સોનેરી માછલી જેવાં એનાં રમણીય અંગે પાણી ઉપર આવી આવીને અદશ્ય થતાં હતાં.
મુબારિઝખાન વિદાય થયો હતો. ચિંતામણિ કેટલીયવાર પાણીમાં છબછબિયાં બોલાવતી પડી રહી. સંધ્યા આવી, ત્યાં સુધી એ ક્રીડાગૃહમાં જ રહી. કદીક હીંડોળે હીંચી, કદી ઝૂલે ચઢી, કદી ઉદ્યાનવૃક્ષોને પંપાળતી ફરી. મયૂર, મેના, પોપટ સહુનાં પિંજર પાસે જઈને ઘેલી નારી કાલું કાલું બેલી હસી; જાણે ભેળી મુગ્ધા!
કિન્નરકંઠી પરિચારિકા ધીરે સ્વરે ગાતી ગાતી પાછળ પાછળ કરતી હતી. કદી એ અંબેડ ગૂંથતી ને ઢીલાં થતાં પુષ્પોને ફરીથી ૩૦૨ : નાયિકા
Page #320
--------------------------------------------------------------------------
________________
મજબૂત કરતી. કદી સરી જતા ઉત્તરીયને ઊંચકીને કધ પર નાખતી, ભ્રમરાની જેમ ગણગણુતી પાછળ ફરતી હતી.
થાલા સખી દેખન જઈએ, વિહરત સિધદુવારા, સુની મન હરખી સાકમિય લગી કરન સિંગારા; નીલ વસન તન સાડી, લહેંગા લાલ સુરગા, ૐ'ચુકી લલિત કુથન પર, માના લિજ્જત અનગા.
ચકેારી, આજ મારું મન આનંદમાં છે. કેટલી ખુશીના સમાચાર! આગળ કહે.' ચિંતામણિ વસ્ત્રો સજતી મેલી.
સાંધે સીસ સરસ કરી, વેણી સરસ સ“ભારી; માના નકખંભ લગી, ઝૂમત પન્નગ નારી!’
પન્નગ નારી સેાનાના સ્થંભ પર ઝૂમતી ! અરે, કાળી નાગણી કહે! ચકારી, બહુ જ સુંદર! આગળ ચલાવ.’
*
શીસ ફૂલ રચી તિલક ભ્રકુટિ, મિથ થઢન રાખ્યા, માના શાસન સાજી ખાન, મન્મથ મન કય્યા; વદન માંગન મધિ અતિ રાજક થયુ હારે, માના રોષ શીસ પર ટાડા અક્ષત ડારે.
· ચકારી, સ્ત્રીનુ થિયાર સૌંદર્યાં. મન્મથ-કામદેવનું ખાણુ મારવામાં એ અતિકુશળ. એનુ માર્યું કાઈ ન જીવે.'
નેન કુરંગ, શ્રવણયુગા, ચાર ઢ વિરાજે, માનહું શિશ અવિન પર, દેખવત વિશ્ર્વ સાથે નખશિખ લેાં જીવતી અન ગઈ સમ્મુ સિધવારા, હુમા ફેબ્રુવા દેહ માહુન નંદકુમારા. રાતના દીવા પેટાતા જતા હતા. ચિંતાણુ આજ ફરી ધેલામાં ઊતરતી જતી હતી. ચકારી આગળ ગાતી હતી :
નાયિકા : ૩૦૩
Page #321
--------------------------------------------------------------------------
________________
આશા:
ફવા કે મિસ જૂના, હરિદર્શનકી ટ્રુખના ય તરસત, લાયન ભરત પિયાસા,
આ
ચકેારી હવે આગળ ગાવુ બંધ કર. તે ખરુ કર્યું. વાહ રે કવિ, તેંય મારા મનની વાત કહી દીધી. ચુવા કે મિસ જૂઠે ——આ તા બધાં બનાવટી બહાનાં. આ નાચ ને નખરાં, આ સૌ દ તે આ દેહછબી : બધુંય જૂઠ્ઠું; અરે, માત્ર એક બહાનું જ ! ભસ્માચ્છાદિત અંગાર બળવા તે બાળવા સરજાયા છે. ચિંતામણિની કાંચનવી કાયા સ ંસારને વસુખ જેવી લાગે છે, જ્યારે ચિંતામણુિને એને અવતાર જ ભારરૂપ લાગે છે. ન જાણે આજની દુનિયાની અધીશ્વરી વર્ષો પહેલાં જીભ કચડી મરી ગઈ હોત, જો...’ ચિંતામણિ વ્યાકુળ બની ઊડી. એના હૃદયાકાશમાં પુરાણા રંગે પુરાતા હતા. કાઈ પુરાતન સ્મૃતિ એને ધ્રુજાવી રહી. એ પાગલની જેમ કૂદવા ને નાચવા લાગી.
'
ચકેરી ! કવિ ખરું કહે છે. આ તે એક માત્ર બહાનું છે!' તે ઉન્મત્ત ચિંતામણિ પેાતાના શયનખ'ડમાં દોડી ગઈ. ચકેારીને બહારથી ખડ બંધ કરી દેવાનું સૂચવી એ આખી રાત ત્યાં જ પડી રહી. એ વારે વારે ઉન્માદમાં આવી જાય; કઈક ગાય, નાચે તે વળી પલંગ પર ચત્તી પાટ થઈ તે દીવાઓ સામે એકીટશે જોયા કરે!
*
* દીપકા—એક દીપક નહી' પણ અનંત દીપકે-હૃદયમાં પેટથી છે, પણુ રખે માનતા કે એ દિવાળીના દીપકે છે. અરે, એમાંથી સલક્ષી હોળીની જ્વાલા ફાટશે. એ જ્વાલામાં આ આકાશ, આ પાતાળ, આ પૃથ્વી ન જાણે શું શું સ્વાહા થઈ જશે ! પિતાજી, માતાજી...' ચિંતામણિ છેલ્લા શબ્દે ખેલતાં એકદમ ગંભીર બની ગઈ. એણે અસ્તવ્યસ્ત વસ્ત્રો ઠીક કરી લીધાં. વીખરાયેલા કેશકલાપ બાંધી લીધા. જાણે અચાનક એની વિવેકશક્તિને કાઈ એ જાગ્રત કરી. એ પલ’ગ પરથી ધીરેથી ઊઠી. એક ખુણામાં રહેલી ચંદનમ જાષા ૩૦૪ : નાયિકા
Page #322
--------------------------------------------------------------------------
________________
પાસે ગઈ. કોઈ ભક્ત મંદિરનાં દ્વાર જે ભાવથી ઉધાડે એ ભાવથી એણે એ પેટીનું ઢાંકણું ઉઘાડયું. અંદર કાંઈ નહતું. એક ખૂણામાં બહુ જતનથી રાખેલી સેનાની દાબડી હતી, તે બહાર કાઢી. ગાંડી, ઘેલી ચિંતામણિ અત્યારે શાંત ને સ્વસ્થ બની ગઈ હતી; યુવતીમાંથી જાણે પ્રૌઢા બની ગઈ હતી.
હળવે હાથે એણે દાબડી ઉઘાડી. દાબડી ભસ્મથી ભરેલી હતી. મહાકાળની પવિત્ર ભસ્મની જેમ ચિંતામણિએ પોતાની આંગળીથી. થોડી ભસ્મ લઈ તિલક કર્યું. એ કંઈક બોલી રહી. વિયેગી ભક્તની એ વેદનાપુકાર હતી.
પૂજનીય પિતાજી, પૂજનીય માતાજી રત્નાવલી, તમારી ભસ્મ મને સદા મારા કર્તવ્યમાર્ગ પર રાખે ! એક ફૂલ, ફેંકી દેવાયેલું, કચડાયેલું ફૂલ, પોતાની અંદર ઝેરી ભ્રમરને કાતિલ ઠંખ લઈને દેવતાઓની માળાઓમાં પ્રવેણ્યું છે. એની વૈજ્વાલાને જાગ્રત રાખજે! એના પાપી જીવનને માફ કરજે! સમરવી ને શમશેરબહાદુરે, તમારા ક્ષત્રિયે ને શરા સરદારે જ્યારે વેર લેવા નાહિંમત બન્યા, ત્યારે તારી એક કોમળ બાળકી ફૂલના કરંડિયામાં પેસીને વેરની આગ સંતોષી રહી છે. માઁનાં મૂછનાં પાણી ઊતરી ગયાં, ત્યારે ચકલીએ બાજને હંફાવવાનું પણ લીધું છે. ગયા,તને કમોતે મારનાર ગયો; એનો પુત્ર પણ ગયે. બાકીનાઓના ઘાટ હું ઘડી રહી છું. શક્તિ દેજે, સામર્થ દેજે !'
ખંજરની ધાર જેવાં ચિંતામણિનાં નેત્રોમાંથી અશ્રનાં મોતી ટપકી રહ્યાં હતાં. ન જાણે એ ક્યાં સુધી ઘૂંટણીએ પડી રહી, ને કંઈકનું કંઈ બકતી રહી. અચાનક બહારથી કઈ દ્વાર ખખડાવતું જણાયું. ચિંતામણિ ઊભી થઈ. મંજૂષા બંધ કરીને દ્વાર ખોલ્યું. એ ધીરેથી ગણગણતી હતી ?
નાયિકા , ૩૦૫
૨૦
Page #323
--------------------------------------------------------------------------
________________
ગુવા કે મિસ જૂઠે...હરિદરશનકી આશા.’
<
બ, દિલ્હીથી કાસદ આવ્યેા છે. ’
.
(
શું સમાચાર લાવ્યા છે ?' બેપરવાઈથી ચિતાણુએ પ્રશ્ન કર્યા.
અજબ સમાચાર લાવ્યા છે. કહે છે કે મુબારિઝખાન દિલ્હીની ગાદીએ ખેડા, શહેનશાહ બન્યા.
>
• ગાંડી, એ તે મશ્કરી, મે' મુબારિઝને કહ્યું હતું કે ચિંતામણિને મેળવવાનું મૂલ્ય એક બાદશાહી તખ્ત; મને મેળવવી હોય તે! રાજા અનીને આવ ! '
<
૬ ખા, એ ખરેખર રાજા બન્યા છે, એમના નામની દુહાઈએ, એમના નામના સિક્કા, એમના નામના જયજયકાર થાય છે.’
• અરે દીવાની, સલીમશાહને ફિરાઝશાહ નામના પુત્ર છે. ગાદી તા એને મળે.'
‘ બા, હું જાણું છું. પણ સાંભળ્યુ છે કે મુબારિઝખાને જનાનખાનામાંથી ક્રિરાજશાહને પેાતાની પાસે ખેલાવ્યા, પેાતાની પાસે ગાદી પર બેસાડી શરબત પાયું ને પાનનું બીડું આપ્યું.' ચકેારી, ખરાબર છે. મુબારિઝખાન તે એને મામા થાય; ભાણેજને લાડ કેમ ન લડાવે?'
.
"
બા, રાજકાજમાં બાપ-બેટાની સગાઈ નહીં તેા મામાભાણેજનું શું? સંસારમાં મામાભાણેજને તે વળી કયે દિવસે બન્યું છે ? મામા શનિની વાત તે સાંભળી હશે. મામે કંસ તા જાણીતા છે ! આ મામાએ ભાણેજને ખૂબ આદરમાન દઈ વિદાય કર્યાં તે એની પીડ કરી કે મેટું ખ ́જર્ એની પીઠની આરપાર હુલાવી દીધું. માતા સામેથી આવતી હતી. બાર વર્ષોંના કલેયેાકુંવર દેાડીને માને વળગી પડયો, પણ પેલેા પિશાચ...' ચકારી મેલતાં ખેલતાં ખેાલી ગઈ, પણ એને લાગ્યું કે એનાથી આવેશમાં જરા વધારે પડતું મેાલાઈ ૩૦૬ : નાયિકા
Page #324
--------------------------------------------------------------------------
________________
ગયું. મુબારિઝખાન તા દેવી ચિંતામણિના દિલદાર. પોતાની ભૂલ સુધારતી હોય તેમ પુનઃ એલી :
બા, માફ કરજો. ભૂલથી મેં ખાનસાહેબ માટે કડક શબ્દ વાપરી દીધા. રાજકાજમાં તો ખંજર ને છૂરી ચાલે જ.'
‘માફ. ચકારી, આગળ ચલાવ !' ચિંતામણિ માં મલકાવતી મેલી. મુબારિઝખાતે માળામાંથી ૫ખી લે એમ ફિરાજને માતાના ખેાળામાંથી ખેચ્યા તે રડતી, છાતી ફૂટતી મેનની નજર સામે જ ત્યાં ને ત્યાં તેનું મસ્તક ધડથી અલગ કર્યુ..?
.
*
આ ા મામા કંસે ભાણેજને માર્યાં. ખાનને આમ કરતાં રેકે તેવું કાઈ નહાતુ ?'
<
· કાઈ નહેતું. જે હતા તેએને ખાનસાહેબે લાલચે આપી રાખી હતી : કોઈને રાજની, કોઈ ને દોલતની, કેાઈ ને સૂબેદારીની. વિરાધ કરી શકે તેવા હતા એક માત્ર બજારદરાગા હેમુજી !' ‘એ દરેાગાજીએ શું ધાડ મારી ?'
."
બા, એ ત્યાં નહોતા. એમને સમાચાર મળ્યા કે તરત તે રાજદેવડીએ આવી પહેાંચ્યા. રાજદેવડીની આસપાસ ખાનના ફાડેલા સિપાહીઓને! પહેરા હતા. હેમુજીએ આ મેાટી ઇમારતને ફરીથી ગૃહકલેશમાં સળગતી નીરખી. એમણે પંજાબના સૂક્ષ્મદાર સિ કદરશાહ સૂરને, બંગાળના સૂબેદાર મહમદશાહ સૂરને તે સિપેહસાલાર ઇબ્રાહિમ સૂરને એકઠા કર્યાં. એમણે ચોખ્ખું કહ્યું કે શેતાન સાથે મૈત્રી કરવી એ ઈશ્વર સાથે દ્વેષ કરવા બરાબર છે. મુબારિઝને શિક્ષા થવી જોઈ એ.
· સિ’કદશાહ ને ઇબ્રાહિમ તેા અને મુબારિઝખાનના સગા. તેઓએ હેમુજીની કાઈ વાતને ટેકા ન આપ્યા. બા, કરી ન કરી શકે એવા એ એક જ વીર નર્ હતા, પણ બધું વાળુ` બદલાયેલુ
નાયિકા : ૩૦૭
Page #325
--------------------------------------------------------------------------
________________
લાગ્યું, એટલે પેાતે તા રાજત્યાગ કરીને ચાલ્યા ગયા. એ કેતે માટે લડે ? શેરશાહને કાર્ય વંશજ તે ત્યાં હતા કાને ગાદી આપે ?’
નહી. પછી લડીને
<
તેા ગાદી મુબારિઝખાનને મળી ?
હા, બા! ખૂબ ખુશીના સમાચાર,' ચકારી ચિંતામણિને ખુશ કરવા માલતી હતી. એનું અંતર તેા જલી રહ્યું હતું.
:
>
ખુબ ખુશીના સમાચાર, ચારી ! મુવા કે મિસ જૂઠ, હરિદરશનકી આશા. ખૂબ ખુશીના સમાચાર ! ' ચિંતામણુિં બ્ય ગાં મેલી. ભેાળી દાસી કશુ ન સમજી શકી. એણે આગળ ચલાવ્યું : ખા, મુબારિઝખાન હવે મુખારિઝખાન નથી રહ્યા. તેમણે પેાતાનું નામ મહમદશાહ રાખ્યું છે, તે ‘ આદિલશાહ ’ ખિતામ ધારણ કર્યાં છે.’
.
આદિલશાહ ! વાહ રે બાદશાહ નૌશેરવાનના* નમૂના !' બા, થાડા દિવસેામાં પાલખી આવી સમજો !'
C
<
જરૂર. પણ જા, ખીજા જેટલા સમાચાર મળે તેટલા લાવ. આજ મારી ખુશીને પાર નથી. ચિંતામણિ તને માં માગ્યું ઇનામ આપશે. અરે ચદ્રા, મારી વીણા લાવ ! '
<
ચિંતામણિ આજ ગાંધ કન્યા બની હતી. એના આનંદને પાર નહાતા. એ ધીરે ધીરે ગાવા લાગી :
૬ ગુવા કૈ। મિસ જાટા, હરિદર્શન કી આશા; દેખન કા જીય તત, લાચન ભરત પિયાસા. સિન મન હરખ શાતિ, ઉનકા આસન દીના, કુકુમ જલસાં ધારી, સમન સુખમજન કીના; એક ન્યાયપ્રિય મુસ્લિમ રાજકર્તા,
૩૦૮ : નાયિકા
Page #326
--------------------------------------------------------------------------
________________
ગાન કરત, મન હરત, મુદિત મન દેત અસીસા; તુમ કુંવર યશામતિ, છએ કેડી વરીસા.
આનંદ મંગલના દિવસો આમ ગાતાં–બજાવતાં વીતતા ચાલ્યા. ચિંતામણિ કહેતી : “હાશ, કેટલાય વખતનું દુઃખી દિલ આજ શાંત થયું. ભગવાને મારી ઈચ્છા પૂર્ણ કરી.'
બા, આદિલશાહ તો બડે રંગીલો રાજા છે, દેશદેશાવરની રામજણીઓ, ગણિકાઓ, પાતરો, કંચનીઓ આગ્રા જાય છે. કહે છે કે એક જ રાતનું શાહી આમંત્રણ મળે તો જિંદગી ન્યાલ થઈ જાય. બધે એનચેન ને વિલાસની બંસી બજે છે. ગૌરાંગ સાકીઓના હાથે શરાબના પ્યાલા નોશ કરવાની જાણે મોસમ ખૂલી છે. અનેક ચંદ્રમુખીઓ ન્યાલ થઈ ગઈ. બા, આપણી પાલખી ક્યારે આવશે ભલા ?”
આવશે, ચંદ્રા, શું ચિંતામણિને તે આ બધી સ્ત્રીઓના સરખી માની ?”
“ના રે ના. ક્યાં રાત ને ક્યાં દિવસ!”
રાત ને દિવસ. ચોરે ને ચૌટે કંઈ કંઈ ચર્ચા ચાલે. વળી એક દહાડા ચકારી કંઈ નિરાશવદને આવી સામે ઊભી રહી.
“બા, અમંગળ સમાચાર છે.” “શું ?” “આદિલશાહના સાળા ઈબ્રાહિમખાને દિલ્હી–આગ્રા કબજે કર્યા.”
બધા સાળાઓને ધંધે જ આ લાગે છે. સલીમશાહના સાળા મુબારિઝખાને પહેલાં રાજ્ય હડપ કર્યું. હવે મુબારિઝખાનના સાળા ઈબ્રાહિમને વારે આવ્યો. શાબાશ ! હવે ઇબ્રાહિમખાનને કઈ સાળે છે કે નહીં ?' ચિંતામણિ હસતી હતી. મુબારિઝખાનની ગાદી ગયાનો જાણે એને લેશમાત્ર સંતાપ નહોતો.
ચકોરી કંઈ સમજી નહીં. એ આગળ બોલવા લાગી :
નાયિકા : ૩૦૯
Page #327
--------------------------------------------------------------------------
________________
· પણ બા, આદિલશાહ સહીસલામત છે. ઇબ્રાહિમખાન અહીંના રાજા બન્યા તે તે ચુનારગઢમાં જઈને ત્યાં પૂર્વમાં રાજ ચલાવે છે. પણ બીજા સમાચાર એવા છે, કે પામના સૂબા સિકંદરશાહે પેાતાને સ્વતંત્ર સુલતાન જાહેર કર્યાં છે, તે ઇબ્રાહિમખાન પર ચઢી આવે છે. બીજી તરફ બંગાળના સૂક્ષ્મ મહમશાહ સૂર પણ આઝાદ થવાની આકાંક્ષાએ મેદાને જંગમાં આવે છે.'
· ત્યારે તે! અફધાના અધાનાથી ભરાશે, ઘરના દીવા ઘરને બાળશે. '
• ખા, એક નવા સમાચાર પણ છે : મોગલ બાદશાહ હુમાયુ પણ હિંદમાં આવી રહ્યો છે. એણે ખરી તક સાધી છે. હવે શું થશે ? પાલખી તે ન આવી !'
· ચકારી, પાલખી ન આવી ! મણિને તું શું ધારે છે? અરે, એ
હરિદરશકી આશા !'
૩૧૦ : નાયિકા
અને આવી હોત તે ? ચિંતા
તે
ગુવા કે મિસ જૂઠે,
અને ચિંતામણિ કાઈ મનમાજી ગરુડરાજની પાંખ પર ચઢી ભૂતકાળની સૃષ્ટિમાં સરી ગઈ. એના લાવણ્યભર્યાં મેં પર હાસ્ય, રૌદ્ર, શૃગાર વિધવિધ રસની જાણે રાવટીએ તણાતી હતી.
'
Page #328
--------------------------------------------------------------------------
________________
પંદર વર્ષનો વનવાસી
ભાગ્યની શી અજબ રચના ! રે કિસ્મત, શી તારી બલિહારી! રાયના રંકને રંકને રાય કરતાં તેને કેટલી વાર ! આજે છત્રચામરથી શોભતા શહેનશાહને કાલ ગલી ગલીએ ભટકતો ભિખારી બનાવતાં તને શી લાજ! અને સંસાર ! તું તો પરણનારનાં ગીત ગાવાના સ્વભાવવાળો ! ચાલતી ગાડીએ બેસનારો ! નમતા પલ્લાને જ નમનારો !
લાહોરના રણમેદાન પર અફઘાન અને મેગલે વચ્ચે ચકમક ઝર્યાના સમાચાર ઠેર ઠેર પ્રસરી રહ્યા હતા. વર્ષોથી હિંદુસ્થાનમાં મોગલ નહેતા. વીર નગર શેરશાહની કિલ્લેબંધીમાં મોગલ તો શું, એ દેશનું પંખીડું પણ પ્રવેશ પામી શકતું નહીં, કારણ કે એ તો મેંગલોને મહાકાળ હતો ! પણ આ નવા સમાચારે એક ભુલાયેલી યાદ જગાડી હતી; વર્ષો પહેલાંના ભુલાયેલા એક આદમીનું નામ સહુની જબાન પર રમતું હતું.
અપ્રતિરથ વિજેતા જંઘીસખાન, યુદ્ધ દેવતાના અવતાર તૈમૂરશાહ (લંગ) ને મોગલકુલ કેસરી બાદશાહ
Page #329
--------------------------------------------------------------------------
________________
બાબરને વંશજ, બાદશાહ હુમાયુ આજ ફરી હિંદની સરહદ પર પિતાની અજબ કિસ્મત લડાવી રહ્યો હતો. પંદર પંદર વર્ષનાં વહાણું વાઈ ગયાં–આજે કિસ્મત સાથે લડતાં!
વાહ રે કિરમત ! અજબ તારી કહાણી ! આ એ જ લાહેર છે, જ્યાં કમનસીબ બાદશાહ હુમાયુ આશ્રય માટે ઠેર ઠેર રખડતો ! પણ જ્યાં જતો ત્યાં લેકે એનાથી મેં સંતાડતા. કહેતાઃ “મહારાજ નાસી છૂટો ! શેરશાહનો કોઈ સિપાહી જેઈ ગયે તો અમને અને તમને બેને હાથીના પગ તળે કચડશે, કે તોપના મોઢે બાંધશે, શાહી આજ્ઞા તો સાંભળી છે ને ! શાહી મંજૂરી વગર કોઈએ પણ મોગલને આશ્રય ન આપવો ! નાનાં નાનાં રાજ્યોમાં ગયો તો ત્યાંના રાજાઓ તો ચોખ્ખું ચટ સંભળાવી દેતાઃ “મીરા સાહેબ, નાસે, તમારે દહાડો આથમી ગયે.”
બાદશાહ પોતાનું અપમાન માટે મને ખમી ખાતો ને ત્યાંથી આગળ વધતો. આખરે એનું કઈ ન દેખાયું એટલે એણે લાહારનો ત્યાગ કર્યો.
સિંધ ચાલે ! વાલિદ સાહેબ તૈમૂરશાહને જીતેલ એ દેશ છે. કંઈક મદદ મળશે. ”બાદશાહ પોતાના રસાલા સાથે એ તરફ ચાલ્યો. હુસેન અર્ધન નામને આદમી સિંધ પર સત્તા ચલાવતો હતો. રણકુશળ સરદાર તારદીબેગ ને બીજો મોટો કાફ સાથે હતો. દુઃખના દિવસે ને વિપત્તિની રાતો જેમ જેમ આવતી ગઈ તેમ તેમ પાનખર ઋતુમાં ઝાડ પરથી પાંદડાં ચાલ્યાં જાય તેમ સહુ ચાલ્યા જતા હતા.
છતાંય ન દુઃખ, ન ગ્લાનિ ! આ જ્યોતિષી બાદશાહ રાતની રાત આકાશના તારા ગણવામાં ને જ્યોતિષના અભ્યાસમાં કાઢી નાખતો. દુઃખમય એ હસતો ને બોલી ઊઠતોઃ “પથ્થર પર લકીર ૩૧૨ : પંદર વર્ષને વનવાસી
Page #330
--------------------------------------------------------------------------
________________
મારીને વિશ્વાસ આપી શકું છું કે ક્રીથી હું હિન્દુસ્થાનને બાદશાહ થઈશ. મુકદ્દરના લેખ કાઈથી મિથ્યા ન થાય. '
શૂરા ને વિશ્વાસુ સરદારા આ ધેલા રાજા પર હુસતા.
સિંધ જતાં માર્ગોમાં હિંદાલની માતાએ દુઃખી બાદશાહતે એ દિવસની મહેમાનગતીએ તેડયો અને સુંદર મહેમાનગતી કરી. આ વેળા ધનધાર વાદળામાંથી જેમ ચાંદ ચમકી ઊઠે, એમ ખાદશાહ હુમાયુની નજર એક પંદર વર્ષની કન્યા પર પડી. શમા પર પરવાના મુગ્ધ થઈ જાય તેવી સ્થિતિ બાદશાહ હુમાયુની બની રહી. વસંત જેવા ચહેરા, કસ્તૂરી મૃગ જેવી કમર, રૂપેરી ગરદન, ખામનાં એ નરગીસ ફૂલ જેવી આંખા, તરાઝ શહેરમાં બનેલી કમાન જેવાં ભવાં, કાગડાથીય કાળી પાંપણા, નખશિખ હાથીદાંત જેવી એ યુવતી એના દિલમાં કાતરાઈ ગઈ. માથા પર ઝઝૂમતી આફત પાછળ પાછળ આવતું માત, અફધાનેાની પ્રચ’ડ વેરહાક : બધુંય એ ભૂલી ગયેા. એણે પેલી યુવતી વિષે શેાધ આદરી
એ દિલહારિણીનું નામ હમીદાબાનુ, પ્રતિષ્ઠિત સૈયદ ખાનદાનની એ યુવતી. એના પિતાનું નામ શેખઅલીં ! શેખઅલી ! મીરજા હિંદાલતે ગુરુ !
મીરજા હિંદાલ આ મેજાર બાદશાહ પર ગુસ્સે થઈ ગયા. ‘એ ન બની શકે ! મારા ગુરુને માઠું' લાગે !' પણુ કાણુ માને ? હુમાયુએ એ યુવતી સાથેના પેાતાના ગ્રહયાગ ગણી જોયા. શુ` અજબ ગ્રહયાગ ! સુંદર જોડી જામે ! બસ, પરવું તેા એને જ! વાત વધી પડી. આખરે હિંદાલની માતાએ સહુના મનનું સમાધાન કર્યું તે હમીદાઆનુને બાદશાહ હુમાયુ સાથે પરણાવી.
દુલ્હારાજા પેાતાની પ્રિય દુલ્હનને લઈ આગળ વધ્યા કે સિંધના હુસેને તડતડતા ખેપિયા માકલ્યા અને તાકીથી કહેરાવ્યુ કે સિધ
પદર વર્ષના વનવાસી : ૩૧૩
Page #331
--------------------------------------------------------------------------
________________
છેડીને નાસી જાઓ. શેરશાહ જેવા દુશ્મન સાથે બગાડવામાં અમને કઈ હાસલ નથી. જો તાકીદે સિધ નહી. ખેડા તા કેદ કરી દિલ્હી મેાકલીશ. વાહ રે કિસ્મત!
કઈ પરવા નહીં ! ચાલેલા જોધપુર ! જોધપુરનરેશ માલદેવ મારા મિત્ર છે; જરૂર આશ્રય આપશે. બિકાનેર-જેસલમેરનાં ભયંકર રેતાળ રણુ એ ખૂંદવા લાગ્યા. ન મળે પાણી. ન મળે ઝાડપાન ! ખાવાનું તે કાંથી હાય. જાનવરેા તે સિપાહીએ મરતા ચાલ્યા.
છતાં ધીરજના અખૂટ ઝરા જેવા બાદશાહ નાહિંમત ન બન્યા એ આગળ વધતા ચાલ્યે!, પશુ એનું બદનસીબ પણ આગળ તે આગળ જ હતુ. વા વાતા લાગ્યેા કે માલદેવ રાજા હુમાયુને પકડવા સૈનિકાને રવાના કરે છે. દૂંગા ! ભૂરા વખતમાં કાણુ કેાનું સગુંવહાલું !
બાદશાહ હુમાયુ પાછે . ધોમધખતું અનંત રણુ વિકરાળ મેમાં ફાડીને આ રાજવંશીએને ભરખી જવા તૈયાર હતુ. રાજા માલદેવના માણુસાએ અન્ન-પાણીનાં નાકાં બંધ કર્યાં હતાં.
પાણી ! પાણી! પાણી કરતાં બહાદુર મેાગલ અસવારા જમીન પર પડવા લાગ્યા બાદશાહને ઘેાડા પણ તરસ ને થાકથી જમીન પર પડયો ને થોડી વાર તરફડી મરી ગયેા. ઉપર સળગતું આકાશ, નીચે જ્વાલા ફેંકતી ધરતી.
તારદીમેગ, તમારા ઘેાડે સિપેહસાલાર તારદીબેગ પાસે ઘેાડે
*
"
સહુની જાન સરખી છે, બાદશાહ ! ' તારીખેગે માં ચઢાવીને ચાલવા માંડ્યું. ભૂખ, તરસ, થાક, ધગધગતી અગ્નિ જેવી રેતી : આ બધાં વચ્ચે મા દીકરાને ભૂલી જાય તેવી સ્થિતિ હતી. ઉદારદિલ બાદશાહે એક ઊંટ પર સવારી કરી; પણ એક વાદાર માગલ સિપાહીનુ દિલ પીગળી ગયુ. આખરમાં તે બાદશાહ ને! પેાતાની
૩૧૪ : પંદર વર્ષના વનવાસી
આપશે કે ? બાદશાહે પેાતાના માગ્યેા.
Page #332
--------------------------------------------------------------------------
________________
માતાને ઘોડેથી ઉતારી એ ઘોડો એણે હુમાયુને આપો. પણ ત્યાં તે પાછળ શત્રુસેનાના દાબલા ગાજ્યા.
“ચાલો, હવે તો મારીને મરીશું!' બાદશાહ હુમાયુએ શમશેર ખેંચી સામનાની તૈયારી કરી. પણ રજપૂત સેનિકોના દિલમાં ક્ષાત્રત્વનું લેહી વહેતું હતું. તેઓએ આ ઉચ્ચ ખાનદાનના નબીરાને આ સ્થિતિમાં જોઈ લડવાનું મેકૂફ ર્યું, ને તરસે મરતા કાફલાને પાણીને કૂવે બતાવ્યો.
પાણી! પાણી! પાગલ અસવારો એ તરફ દોડવા. તૃષાએ તેમનાં વિવેકચક્ષુ બંધ કર્યા હતાં. કેટલાક અડધે રસ્તે મર્યા. કેટલાક પાણી પીતાં પહેલાં મર્યા. કેટલાક કણ પહેલું પીએ તેમાં લડીને મર્યા. કેટલાક પાણું પીને મર્યા. હુમાયુ દુઃખથી પાગલ બનનારે નહોતો. એનું જ્યોતિષ કહેતું હતું કે તું એક દિવસ હિદુસ્થાનનો શહેનશાહ બનીશ. અને જ્યોતિષ બોલતું હોય પછી દુનિયાની ગમે તેટલી બલાઓથી બાદશાહ ડરે એમ નહોતો.
“પાણું...બાદશાહ પાણી ! એક શાહુકાર બૂમ મારતો હતો.. તરસથી એને જીવ નીકળી જવાની તૈયારીમાં હતો. બાદશાહ દોડીને કૂવા પરથી મશક ભરી લાવ્યો, પણ આ વિલક્ષણ બાદશાહને વળી કંઈ ન તુક્કો સકળ્યો. આ શાહુકારના દ્રવ્યથી જ એણે દુઃખના દહાડા કાઢયા હતા. માથે એનું કરજ મેટું હતું. એ કરજથી એક પાક મુસલમાને મુક્ત થવું જ જોઈએ. એણે પેલા શાહુકારને કહ્યું:
શેઠજી, મને તમારા ઋણમાંથી મુક્ત કરે તો તમને જોઈએ તેટલું પાણું આપું.”
આપની દરખાસ્ત મંજૂર છે. અત્યારે એક પ્યાલા પાણીની કિંમત પૃથ્વીના તમામ ધનથી વધારે છે,” શાહુકારે જવાબ આપે.
બાદશાહ હસી પડવો, ને આગળ વધેઃ પણ એણે પાછળ
પંદર વર્ષને વનવાસી ઃ ૩૧૫
Page #333
--------------------------------------------------------------------------
________________
જોયું તેા પેાતાની મહાન સેનામાં કેવળ સાત સૈનિકા જ જીવતા
આકી હતા.
આ મહાન સેના સાથે બાદશાહ અમરકાટ પહોંચ્યા. અહી સાંડા વંશનેા રાણાપ્રસાદ અમલ ચલાવતા હતેા. એણે વિપત્તિનાં વાદળામાં ઘેરાયેલા બાદશાહનું સન્માન કર્યું, ખૂબ ખાતરબરદાસ્ત કરી. બાદશાહે લગ્ન કર્યાં પછી નિરાંતની પહેલી રાત અહીં ગાળી.
આસેડા રાજાએ બાદશાહને ક્રીથી કિસ્મત અજમાવી જોવાની તક આપી અને સિંધ પર ચઢાઈ કરવા માટે પાંચેક હજારનું લશ્કર સોંપ્યું. બાદશાહ અમરકોટથી વીસેક ગાઉ દૂર પહોંચ્યા હશે કે પાછળ દોડતા અસવારે આવ્યા. તેમની પાસે સમાચાર હતા—હુમીદાબાનુએ પુત્રને જન્મ આપ્યાના.
પુત્રજન્મ ! બાદશાહ હથી પાગલ થઈ ગયા. પણ સમાચાર લાવનારને શું ઇનામ આપે! પેાતાની ઝોળી ખાલી હતી. પણ હા, કરતૂરીને એક ગોટા અંદર પડયો હતા; બાદશાહે સહુને એ વહે’ચી આપ્યા. પછી મેસી ગયા એ જન્મકુંડળી કાઢવા.
‘શમેયકશમ્બા વ પંચ જીબ અસ્ત, હિજરી સન ૯૪૯.' બરાબર, ગ્રહયાગ એટલે જબરદસ્ત છે કે બાળક ખીજો તૈમૂરશાહ થશે, પ્રતાપી થશે, મેાગલકુળ ઉન્નળશે. ને પાગલ થયેલેા બાદશાહ નાચવા લાગ્યા.
આ આનંદ સાથે આગળ વધતા બાદશાહે રાણાપ્રસાદે આપેલી સેનાથી હિન્દના કઈ કેટલા પ્રાન્ત સર કરવાની આશા સેવેલી; પણ નસીમૃ એ ડગલાં આગળ ને આગળ. સિંધ પરની ચડાઈ માં ઉદ્ધૃત મેાગલાએ રાણાપ્રસાદનું અપમાન કર્યુ તે બાજી બગડી ગઈ. બાદશાહ જીવ લઈને નાઠે. આ વેળા વીર નર બહેરામખાન આવી મળ્યો. હુમાયુ એને જોઈ ગળગળા થઈ ગયા.
.
ચાલે, હવે હિંદમાંથી વિદાય લઈ એ, મા—Àામમાં જઈ ભાગ્યની પરીક્ષા કરીએ.’
૩૧૬ : પંદર વર્ષના વનવાસી
:
Page #334
--------------------------------------------------------------------------
________________
મારા બાદશાહ, મા-ભોમમાં શું છે તે લેશે ? જ્યાંથી મરહૂમ બાબરશાહે કંઈ હાંસલ ન કર્યું, ત્યાંથી તમને શું મળશે ? એના કરતાં ઈરાનમાં પધારો! આપના બધા પૂર્વજોને ત્યાંથી શુભ શુકન સાંપડયા છે. વળી એ મારી માતૃભૂમિ છે.”
સારું, ચાલો, બોલનઘાટથી જતાં વચ્ચે કંદહાર આવે છે. મારો ભાઈ અસ્કરી ત્યાં છે. એનેય ભાઈ પર––ભાઈનાં બીબીબચ્ચાં પર–દયા નહીં આવે ?”
પણ સ્વાર્થની રાજરીમાં વળી ભાઈ કે? કંદહારમાંથી ખબર મળી કે અસ્કરી ભાઈને કેદ કરવા ચારે પગે થઈ રહ્યો છે. એક બહાદુર સેવકે મોત સાથે ખેલી બાદશાહને આ ખબર આપ્યા. બાદશાહ બધું મૂકીને નાઠો. પાછળથી બીજા આવી મળ્યા. આવી દોડાદેડીમાં મહામહેનતે હમીદાબાનુ બાદશાહને પહોંચી શકી, પણ એક વર્ષનો બાળક અકબર કાકા અસ્કરીના હાથમાં આવ્યું. કાકાએ એને તેના બીજા કાકા કામરાન પાસે કાબૂલ મોકલી આપે. બાદશાહ મારતે ઘોડે બહેરામખાન સાથે ઈરાનમાં આવ્યો, પણ દુર્દવ સદા સાથે હોય છે. ઈરાનના શાહે માન સન્માન આપ્યું, પણ મુલાકાત ન આપી. હુમાયુ ભેદ જાણી ગયા. એ પોતે સુન્ની હતો, ઈરાનના શાહ શિયા હતા. એક દહાડે ભેદ ખુલ્લે થયે. ઈરાનના શાહે લાકડાને એક ભારો મોકલતાં કહેવરાવ્યું: “જો તમે શિયાપંથ નહીં સ્વીકાર તે આ જ લાકડાં તમારી ચિતા માટે કામ લાગશે.”
નિરૂપાયે બાદશાહે તેનું મન મનાવ્યું.
એક દહાડાની વાત છે. બંને શાહ શિકારે નીકળેલા. શિકાર કરતાં બંને જણે એક સ્થળે આરામ લેવાને ઊતર્યા. સાથેના સરદારે ઈરાનના શાહ માટે આઠ પડવાળે ગાલીચે પાથર્યો, પણ હુમાયુ માટે શું ? તરત સાથે રહેલા મેગલ સરદારે પોતાના ભાથાનો ગલેફ કાપીને હુમાયુ માટે બિછાવી દીધો.
પંદર વર્ષને વનવાસી : ૩૧૭
Page #335
--------------------------------------------------------------------------
________________
શાબાશ!' ઈરાનનો શાહ મોગલ સરદારની વફાદારી પર ખુશ થઈ ગયો. ને એણે હુમાયુ તરફ ફરતાં કહ્યું: ‘તમારી પાસે આવા નિમકહલાલ ને જાન ન્યોછાવર કરનાર સરદાર હોવા છતાં હિન્દ તમારા હાથમાંથી કેમ ચાલ્યું ગયું?”
ભાઈઓની શત્રુવટ ને ઈષરીથી.” હિંદના લોકોએ શું તમારી સાથે સહકાર ન કર્યો ?
તે લોકે વિધર્મી છે.'
“ભૂલો છે. હિંદમાં બે કોમના લેક ઘણું છે. એક અફઘાન ને બીજા રજપૂત. ઈશ્વરકૃપાથી ફરી ત્યાં પહોંચો તો અફધાનોને વેપારમાં નાખજો ને રજપૂતને આશ્વાસન ને પ્રેમપૂર્વક તમારી સ્થિતિમાં ભાગીદાર બનાવજે.”
બસ, ગુરુમંત્ર મળી ગયા. બીજે દિવસે ચૌદ હજાર સૈનિકોનું લશ્કર ઈરાનના શાહે આપ્યું, ને હુમાયુ કંદહાર જીતવા નીકળ્યો. છ મહિના મીરજા અસ્કરીએ સામનો કર્યો, પણ છેલ્લે એ હાર્યો ને કેદ પકડાયો.
હુમાયુએ હવે પિતાની જેહાદ આગળ વધારી. છ મહિના પછી એણે કાબુલના સજા કામરાન પર ચઢાઈ કરી. ભાગ્યદેવી હવે પ્રસન્ન થતી જતી ઠતી. હુમાયુને ભાઈ હિન્દાલ, જે ગજનીના સૂબા તરીકે કામ કરતો હતો, તે પણ બીજા અમીર-ઉમરાવો સાથે મદદ આવી પહોંચ્યો.
કાબુલ ફતેહ થયું. કામરાન નાસી છૂટયો. કાબુલની પછી હુમાયુ બદષ્ણ પર ચડ્યો, ત્યાં તે લુચ્ચે કામરાન આવીને કાબુલની ગાદી પર બેસી ગયો. હુમાયુ, હિંદાલ ને બહેરામખાન પાછા આવ્યા, ને તરત જ ઘેરો ઘાલ્યો. શાહજાદે અકબર કાકા કામરાનના હાથમાં હતો. લડાઈ ચાલુ થતાં એણે એક કિલાની ભીંત પર પોણા પાંચ
૩૧૮ : પંદર વર્ષને વનવાસી
Page #336
--------------------------------------------------------------------------
________________
વર્ષને અકબરને બેસાડ્યો. પણ સાથે રહેલી ધાવ બાળકને ખોળામાં લઈ પોતાની પીઠ તપ તરફ કરીને બેઠી. પહેલાં પોતે મરે, પછી શાહજાદે. પણ આશ્ચર્ય ! તોપના ગોળા જ ન ફૂટ્યો. કાબુલ જિતાયું. કામરાન બદષ્ણાંમાં જઈ ભરાયો. ત્યાંથી પણ તગડ્યો. અરે, આ જ પાપાત્માએ પોતાના ભાઈ હિંદાલને દગાથી કતલ કરાવ્યું.
પણ જ્યારે કેદી કામરાનને બાદશાહ હુમાયુની સમક્ષ રજૂ કરવામાં આવ્યું, ત્યારે બાદશાહનું દિલ બંધુ પ્રેમથી દ્રવી ઊઠયું. મોગલ સરદારોએ એ વિશ્વાસઘાતી માટે દેહાંતદંડની સજા માગી, પણ હુમાયુ બોલી ઊઠયો: “ના, હું કોણ? કયા બાપનો બેટો ? મારા બાપને હુકમ જાણો છો ? ભાઈ આખરમાં ભાઈ છે.” છતાં સરદારોએ માગણું જારી રાખી એટલે ન છૂટકે ભવિષ્યની સલામતી માટે બે આંખે ફેડવાની મંજૂરી આપવી પડી. ને તે પછી આ દયાળુ બાદશાહે એને મક્કા જવા છૂટ આપી. મક્કા જતાં રસ્તામાં એ મરણ પામ્યો. મીરજા અસ્કરી પણ મક્કા જઈને રહ્યો.
બાદશાહ હુમાયુનું જ્યોતિષ હવે જગ્યું હતું. હિંદુસ્તાનમાં થી કંઈ કંઈ સમાચાર આવતા હતા. શેરશાહ ગયો, સલીમશાહ ગયા, ફિરોજશાહ કતલ થયો. બાકીના અફઘાન રાજવીઓમાં કુસંપની હોળી સળગી છે. પ્રજા હવે પાછી આ રાજકર્તાઓથી ત્રાસી છે. હિંદુસ્થાનમાં કોઈ હિન્દુ રાજ સામનો કરી શકે તેમ નથી. સુખેથી પધારો!
બાદશાહ બધું સાંભળતો, વિચારતો, ગ્રહયોગ મેળવતો, ને પછી ના પાડતો. આમ ને આમ કાબુલમાં પડયા પડયા સાત વર્ષ વીતી ગયાં, આખરે એક દિવસ બાદશાહે પિતાના સરદારને હુકમ કર્યો કે જાઓ, પહેલાં જે મળે તે ત્રણ માણસનાં નામ જાણી લાવો. સરદાર ડી વારમાં પાછો આવ્યો. એણે ત્રણ નામ કહ્યાં.
પંદર વર્ષને વનવાસી ઃ ૩૧૯
Page #337
--------------------------------------------------------------------------
________________
પહેલાનું નામ દાલતખાન (ધનસંપત્તિ) હતું. બીજનું નામ મુરાદબેગ (સદ્દભાગ્ય) હતું. ત્રીજાનું નામ સાદતઅલી (અષ્ટપ્રાપ્તિ) હતું.
બરાબર, સાચા શુકન થયા. દેલત, મુરાદ ને સઆદત ! કૂચ કરવાની ઘડી આવી પહોંચી. ચાલો, હિંદ તરફ પ્રયાણ કરીએ. પંદર હજારની સેના સાથે એ કાબુલથી નીકળ્યો. સાથે સાડાબાર વર્ષને અકબર ને વફાદાર વજીર બહેરામખાન હતા. પ્રારબ્ધન પૂજારીએ બરાબર શસ્ત્રા સજ્યાં હતાં.
પ્રથમ લાહોર ને રોહતાસના કિલ્લા કબજે કર્યા. દિલ્હીપતિ બની બેઠેલા સિકંદરશાહે પોતાના સેનાપતિ તાતારખાનને સૈન્ય આપી સરહિંદ પાસે જાલંધર મુકામે મૂઠભેડ કરવા મોકલ્યો. બાદશાહ હુમાયુએ વજીર બહેરામખાનને મોકલ્યો. એને સિતારો પાંસરે હતો. બહેરામખાને વિજય હાંસલ કર્યો, ને દિલ્હીની આસપાસનો પ્રદેશ જીતી લીધો. હવે દિલ્હીપતિ સિકંદરશાહ સૂર ૮૦ હજાર અફધાનને લઈ મેદાને પડવો.
બાદશાહ હુમાયુ, શાહજાદે અકબર ને વજીર બહેરામખાંએ સામને શરૂ કર્યો. સિકંદરશાહ હાર્યો, નાઠે, ને અફઘાન વંશની એકઠી થયેલી દોલત, રાજસત્તા પંદર વર્ષે બાદશાહ હુમાયુને પાછી મળી; ફરીથી દિલ્હીની ગાદી હાથ આવી.
intry
diIIIIIII
૩૨૦ : પંદર વર્ષને વનવાસી
Page #338
--------------------------------------------------------------------------
________________
એક દ્રૌપદીના પાંચ પતિ ૨૯
શાંત સાગરમાં એક મેટા પથ્થર પડતાં જેમ વર્તુલાની હારમાળા રચાય, એમ ભારતવષઁના સ્થિર થયેલા રાજકરણમાં કરીથી પ્રવૃત્તિનાં વર્તુ`લા રચાવા લાગ્યાં હતાં. રાજકાજનાં આ વતુ લેાથી દૂર રહેવાને નિષ્ણુય કરીને આવેલા હેમરાજીએ ‘ રેવાડી ’ ગામના વાસી બની જવાના નિર્ધાર કર્યાં હતા. વૃદ્ધ પિતા રાજી થયા હતા. હેમરાજીની સાથે કુંદન પણ આવી હતી. યુગરાજ પણ આવ્યા હતા. શૂન્ય લાગતું ધર ફરી કિલ્લેાલ કરતુ. હતું. ફરીથી ગામમાં નવનવા આદમી આવવા શરૂ થયા હતા. કંઈ ને ક ંઈ નવાજૂની ચાલ્યા કરતી.
પણ આ કિલ્લેાલ કુદરતને મંજૂર નહોતા. આસાયેશભરી ઘેાડીએક રાત્રિએ વીતી હશે કે, એક દહાડા એક સુવર્ણ પાલખી શ્રેષ્ઠીજીના ગોખ સમક્ષ આવીને ઊભી રહી. એમાંથી પડદેનશીન આરા ઊતરતી હતી. દ્વારપાળે અંદર ખબર પહોંચાડયા. કુંદનદેવી સહુના સ્વાગત માટે બહાર આવ્યાં.
૩૨૧
૨૧
Page #339
--------------------------------------------------------------------------
________________
પિશાક ને દેહછટાથી સ્ત્રીઓ રાજવંશી દેખાતી હતી. કુંદનદેવીએ પરખી લીધી : “બીબીબાઈ, સલીમશાહનાં વિધવા રાણી!”
“બહેન, હેમરાજજી કક્યાં છે? એમને બોલાવો.” હેમરાજજીની સમક્ષ કદી ખુલ્લા મેં એ વાત ન કરનાર બીબીબાઈને આમ બોલતી સાંભળી કુંદનદેવીને આશ્ચર્ય થયું.
ક્ષણવારમાં હેમરાજજી અંદર આવ્યાં. બીબીબાઈ એ લેશ પણ પડદે ર્યા વગર અદબથી કહ્યું
હેમરાજજી, તમને બુઝર્ગ માની પડદો દૂર કરું છું. આજ તમારી પાસે ભિક્ષા યાચવા આવી છું—એક દહાડો મારા ખાવિંદ આવ્યા હતા તેમ.”
કેણુ સલીમશાહ ? માનવંતા બાનું, એ તે મારા લાયક દોસ્તનું ફરજંદ હતા. હું તે એને કર રહ્યો.”
જે કહે છે, પણ એ જ સંબંધે આજે ફરી આવી છું. તમારા દેતે લેહી પાણી એક કરીને ખડી કરેલી અફઘાન સલતનતને ફરી તમારી જરૂર પડી છે.”
“કોને જરૂર પડી છે? બીબીબાઈ, અફઘાને એમની કળા, એમનું ઈમાન વીસરી ગયા. એવા રાજદરબારમાં મારું બેસણું ન હેય. આજે મને ત્યાં જવાનું તમે આમંત્રણ આપવા આવ્યાં છો? ને કેના વતી ભલા?”
મુબારિઝખાન વતી.”
જેણે મહોબ્બતની આંખ બેશરમીના પાણીથી ધોઈ નાખી, એ મુબારિઝની વતી ? તમારા એકલતા બેટાના હત્યારાની વતી ? રાણી પાગલ તો નથી થયાં ને !”
પાગલ તો જરૂર થઈ છું, પણ હત્યાની વાત યાદ કરશે મા !” બીબીબાઈએ ઊંડે દર્દભર્યો નિશ્વાસ નાખે. કલેજામાં જાણે
૩રર : એક દ્રૌપદીના પાંચ પતિ
Page #340
--------------------------------------------------------------------------
________________
રી ચાલતી હોય તેટલું દર્દ તેના મોં પર ઊભરાઈ આવ્યું. થોડી -વારે એ બોલીઃ “હેમુજી, અલાહે મને એની બેન બનાવી છે. એણે મારી માફી માગી છે, મેં એને માફી બક્ષી છે.”
આવા કામની માફી હોઈ શકે ખરી ?”
જરૂર! ખુદા આપણી કેવી કેવી ભૂલો માફ કરે છે ! આપણે એકબીજાને માફ કરતાં શીખીએ. હેમરાજજી તમે તો શાણું છો. વીંછી ડંખ દે છે એ એના સ્વભાવથી; કંઈ વેર લેવા માટે નહીં. મુબારિઝને સ્વભાવ હું જાણું છું. થવાનું હતું તે થઈ ગયું. આજ હું એનું લેહી પી જાઉં તોય આ અફઘાન સત્તા બચી શકે ખરી ?
અસંભવ! માનવંતા રાણી, જે રાજા કર્મધર્મ ચૂક્યા એનું રાજ જરૂર જવાનું. આજે તે હિન્દુઓમાં કોઈ દૂરંદેશ નથી, નહિ તે તેઓ તમને ચપટી વારમાં ઉખેડી નાખત. એક શક્તિ વિભાજિત થઈ એટલે એને નાશ કરતાં કંઈ વાર નહિ. હું તો જોઈ રહ્યો છું કે હિન્દુઓ જે નથી કરી શક્તા, એ મોગલ કરશે.'
મોગલ કરશે ? ઘઉંમાંથી કાંકરાની જેમ વણી લે એવા તમે બેઠા હો, ને મેગલો રાજ કરશે ? અરે, તમે જ એક દિવસે મોગલેને હિંદ બહાર તગડી મૂક્યા હતા. આજે પંદર વર્ષે બિચારા હિંદનું મેં ભાળે છે! એ વખતના એ જ તમે છે કે બીજા?”
“એ નથી. આજે તે હું પાંખ ને પગ કપાયેલ બાજ પંખી છું. બીબીબાઈ દિલમાં દૈવત જગાડે એવા શેરશાહ ક્યાં છે, ખવાસ ખાન
ક્યાં છે, સલીમશાહ કયાં છે? હું જીવતો હોઉં ને શાહીહત્યારે રાજ કરી જાય એ જન્મજન્માંતરમાં પણ ન બને ! રાણી પધારો ! અબ રાજસેવા કરી. હવે તે નિવૃત્તિ લીધી છે.' “હેમરાજજી, હુમાયુ આગળ વધે છે. શું તમે અમને માફ
એક દ્રૌપદીના પાંચ પતિ ઃ ૩૨૩
Page #341
--------------------------------------------------------------------------
________________
કરી નહિ શકે? મુબારિઝ પણ મારી સાથે છે. દાસી, જા તેડ લાવ! એ તમારી માફી માગશે, તોય નહિ આવો?”
- દાસી મુબારિઝને તેડવા ગઈ. થોડી વારમાં તો આદિલશાહ હાજર થયો. એનું મેં શરમથી નીચું નમેલું હતું. કયા મેએ એ બોલે? એની આંખમાંથી આંસુ સરતાં હતાં.
“આદિલશાહ, મઈની આંખોમાં આંસુ ?
“હા, હેમરાજજી ! જ્યારે કોઈ પિતાનું ન હોય ત્યારે રડવા સિવાય શું થાય? આજ મારા પાપના કારણે જીવતા દેહે કયામતનો દંડ ભેગવી રહ્યો છું.”
“આદિલશાહ, સંસારમાં કોઈને ન હોય એવી બહેન તમને મળી છે. સંસારમાં પાપ કરતાં પુણ્યનું થોડું એક મેં જોયું હશે.”
એ બહેનના બળે તો અહીં આવ્યો છું. હેમરાજજી, તમે કહે તેમ કરું. હું તો ક્યાંય ન રહ્યો. ચુનારગઢના અફઘાન સૈનિકો પણ ઉન્મત્ત થઈ ઊડ્યા છે. શું અમારાં પાપથી મરહૂમ શેરશાહની સરજેલી સ્વર્ગીય દુનિયા નષ્ટભ્રષ્ટ થશે ?
હેમરાજજી વિચારમાં પડી ગયા. એમને જતિજીના શબ્દો યાદ આવવા લાગ્યા; પિતાનું ભાવિ વધુ ને વધુ રાજકારણ તરફ ખેંચાય જતું હતું.
“હેમરાજજી, એમાં કંઈ વિચાર કરવાનો નથી. એક બહેન બનીને મદદ માગવા આવી છું; ખાલી હાથે જવા દેશે? એમાં તમારી શભા રહેશે ? કુંદનદેવી, કેમ તમે કંઈ કહેતાં નથી ?'
“શું કહું બહેન ? પિતાજી આજ્ઞા આપે તો મારી ના નથી. જ્યાં એ ત્યાં હું. સંસારમાં સહુ સહુના ધર્મ સહુએ અદા કરવા રહ્યા.' કુંદનદેવી જે સદા રાજકારણથી ડરતી રહેતી હતી અને હવે રસ જાગ્યો હતો. આડકતરી રીતે એણે પ્રોત્સાહન આપ્યું.
૩૨૪ : એક દ્રૌપદીના પાંચ પતિ
Page #342
--------------------------------------------------------------------------
________________
“પિતાજીની આજ્ઞા? બેગમસાહેબ, એમને તો વર્ષોથી વિરોધ છે, પણ એમને મનાવી લઈશું. આદિલશાહ, તમે ચુનારગઢ પહેરો, ત્યાંથી સેનાપતિ શાદીખાનને ચેડા સત્ય સાથે અહીં મોકલે. સ્થળે સ્થળે જાહેર કરો કે હેમરાજજી આવે છે, ભલે બિચારો હુમાયુ ફરી પાછો વનવાસી બને ! જેવાં એનાં ભાગ્ય !'
જુગ જુગ જી હેમરાજજી! મારું અંતર આજે ઠંડું થયું. કાલની કેને ખબર છે ?”
“બહેન, મરદનાં કાંડાં સાથે મોત બાંધ્યાં હોય છે. આજે તો જાણે છે, કે હિંદની ધરતી પર સિંહાસન સુંદરીએ સ્વયંવર માંડ્યો છે. પાંચ પાંચ મુરતિયા મેદાને પડયા છે. ઇબ્રાહિમખાન સૂરને શહેનશાહ બનવું છે. સિકંદરશાહને તો વળી બીજા સિકંદર થવું છે. મહમદશાહ સૂરે સૂબેદારી કરતાં સિંહાસન પસંદ કર્યું છે, ને હુમાયુને તો જીવે કે મૂએ હિંદમાં જ રહેવું છે. ચાર મુરતિયા આ ને પાંચમા આદિલશાહ! વળી અમારા જતિજીના જેશ તો કંઈ ઓર વાત કહે છે. જોઈએ કોને વરમાળા આરોપાય છે.”
શ્રેણી હેમરાજજી ચાહશે તેને. હેમુજી, તમારાં પરાક્રમ, બહાદુરી ને દિલાવરીથી કોણ અજાણ્યું છે ? મોગલે તમારું નામ સાંભળે છે ને ધ્રુજે છે. તમારા નામથી ડરીને મેગલોનાં ઘેડાં હિમાલયની ઘાટી ઓળંગતાં નથી.'
બહેન લડવૈયો તે પુરુષાર્થ કરી જાણે, પ્રારબ્ધના વિધાનની કોને ખબર છે?”
આ પછી મોડી રાત સુધી એકબીજાં દિલની વાતો કરતાં રહ્યાં. વહેલી સવારે આદિલશાહ ચુનારગઢ તરફ રવાના થયા. બીબીબાઈ શ્રેછીજીની મહેમાનગતી માણવા રોકાયાં. આ વખતની તૈયારીઓ અપૂર્વ હતી. શ્રેષ્ઠી રાજપાળજીને જતિ
એક દ્રૌપદીના પાંચ પતિઃ ૩૨૫
Page #343
--------------------------------------------------------------------------
________________
જીના શબ્દો કાનમાં ગુંજી રહ્યા હતા. પુત્રના પરિયાણ આજ એવાં જ હતાં. સ્વયંવરમાં હિદવાણુને વરવા આવેલા ઉમેદવારોમાંથી એકેયમાં સલ્તનત સાચવવાનું શર નહેતું દેખાતું. પુત્રને હરવખત કરતાં આ વેળા વધુ કપરાં ને નિર્ણયાત્મક યુદ્ધો ખેલવાનાં હતાં; ગૃહયુદ્ધ ને રણુયુદ્ધ બંનેના ખેલાડી થવાનું હતું.
પિતાજી, આજ તો હવે મધ કરીને આવવાનો નિર્ણય કર્યો છે. દ્રૌપદીના પાંચ વર વચ્ચે હિણાયેલી ધરતીને ઉદ્ધાર્થે જ છૂટકે છે.”
“બેટા, ગોર પરણાવી દેશે, ઘરસંસાર તો નહિ ચલાવી આપે ને ! આજે જીતેલું કાલે ફેક કરે એવા આ રાજાઓને ભરોસે છે ?”
“ગોર પણ ચેતી ગયો છે. હવે તે શેષનાગને માથે ખીલી ઠોકવી છે, એટલે વારે વારે ધરતી ધ્રુજી ન ઊઠે! હિંદુસ્તાન ગમે - તેનું પણ એકનું; એની ભૂમિ માથે ખંડ ખંડનું રાજ્ય ન જોઈએ. પિતાજી, આશીર્વાદ આપે, કે મારા ધ્યેયને હું સિદ્ધ કરું.”
“આશીર્વાદ છે બેટા! આજે તારો માર્ગ નહીં રોકું. મેં જુવાનીમાં ઘણું રણુજંગ જોયેલા, ઘણું ઘણું સ્વપ્ન માણેલાં, પણ મને રણરંગ કરતાં ધર્મરંગ વધુ ચડી ગયે. મારાં અધૂરાં રવનની ભૂમિ સરજવામેં જ તને નાનપણથી કઠેર જીવનને હિમાયતી બનાવ્યો, શિયાળાની કડકડતી રાતે જંગલમાં ભટકાવ્યો, ઉનાળાની લૂમાં કોઈ ને કોઈ બહાને યોજનના યજન રખડાવ્યો. ડર, ભય, મૃત્યુ, એ કશું તારા મનને સ્પર્શવા દીધું નહિ. ગઢ પરથી ભુકા ભારત કે ગંગાજમનાના પૂરમાં તરતો તને જે ત્યારે મારું હૈયું ભય નહોતું અનુભવતું; હર્ષ અનુભવતું હતું.' પિતાના દિલમાં પુરાણું તવારીખ સજીવન બની હતી. એમણે આગળ ચલાવ્યું.
આજ હું તને ના કહું, પણ વનના વાઘને શિકાર કરતાં શિખવનાર તો હું જ હતો ને? જોનપુરમાં મેં જ તને લણવા ૩૨૬ : એક દ્રૌપદીના પાંચ પતિ
ન મ
લ
, શિયાળ જ તને ન ચડી ગએ,
Page #344
--------------------------------------------------------------------------
________________
મૂકેલો. બીજા અમીર-ઉમરાવોના છોકરાઓ સાથે બાકરી બાંધતાં મેં જ શીખવેલ. તે મારી મુરાદ પૂરી કરી. તે મારી શિક્ષાને સેએ સે ટકા સંપૂર્ણ કરી. પુત્રત શિષ્યાત્ છત પરાજયમા એ પરાજયે જ મને ડરાવ્યો. મેં તને વાર્યો. હિન્દુસ્તાનના રાજરંગ વિચિત્ર બનતો ચાલ્યો. ક્ષત્રિયોની શૌર્ય જ્યોત દિનદિન બુઝાતી ભાળી. ખંજર, જૂરો, કટારીની એ દુનિયાથી તે તું ડરતાં શીખ્યો નહોતો, પણ તારી નિર્ભયતાએ જ મારા મનમાં ભય પેદા કર્યો. કદાચ કોઈ કાતિલની છૂરી...' દિલમાં આ શબ્દ બોલતાં ધ્રુજારી આવી ગઈ
પિતાજી, છૂરી ને ખંજર શું કરી શકે ? માણસને કદાચ મારી શકે, માણસના તેજને, તમન્નાને ન મારી શકે. મરવું તે છે જ, પણ મૃત્યુને ઉત્સવ ઊજવાય એવું મૃત્યુ માણવું છે. પિતાજી સાચે જૈન કે સાચો હિન્દુ તો કદી મોતથી ન ડરે. એને માટે તો પુનર્જન્મ છે, છે ને છે જ. મોત કરતાં અપકીર્તિ, અપમાન, કાયરતા માણસને જલદી મારી નાખે છે. અત્યાર સુધી રણે ચડતે, તે કેવળ મિત્રધર્મ અદા કરવા. આજ હિંદદેશના એક સપૂત તરીકને ધર્મ અદા કરવા મેદાને ચડું છું. પિતાજી, હવે આપનાં ચરણ, આ ઘર કે આ રેવાડી ગામ, ડોલતી ભૂમિને સ્થિર ન કરું ત્યાં સુધી જેવાને નથી.”
બેટા મારું નામ ઉજાળને! ધર્મને જાળવજે!”
“દ્ધિાને તો અઘોર વાવેતર કરવાનાં હોય છે. ન જાણે પિતાજી એની શી સજા હશે ? શાસ્ત્રમાંય મગધરાજ, મહારાજ ચેટક અને બીજા ઘણું ઘણું યોદ્ધાઓ થઈ ગયા છે. શાસ્ત્રમાં એમને શો ઈન્સાફ તોળા હશે? હશે પિતાજી, એ વળી કઈ વેળા નિવૃત્તિ મળશે તો જતિજીને પૂછી જોઈશું.”
“ બેટા હેમ, જતિજી તો એક જ રઢ લઈને બેઠા છે. કહે છે કે મેં જન્મકુંડળી, યોગ, ગ્રહ બધું ગયું. મને તો બીજો વિક્રમાદિત્ય નજરે પડે છે.”
એક દ્રૌપદીના પાંચ પતિ : ૩૨૭
Page #345
--------------------------------------------------------------------------
________________
વિક્રમાદિત્ય ! જતિજીની જિહવામાં અમૃત છે, પિતાજી!' ને દૂર દૂર આકાશમાં ઝળહળી રહેલ ધ્રુવના તારા સામે હેમરાજજી જોઈ રહ્યા.
ધીરે ધીરે બાપ-બેટે જુદા પડવા. રાતને કાળે અંતરપટ વધુ કાળો બન્યો હતો.
પY
ya
IT -
S
I
૩૨૮: એક દ્રૌપદીના પાંચ પતિ
Page #346
--------------------------------------------------------------------------
________________
આ, હેતુ આવ્યા રે ! R! ૩૦
યુદ્ધને ઉત્તેજિત કરે એવી રણભેરીએ અજી રહી હતી. અશ્વોનાં થનગનાટભર્યાં પગલાંથી દિશાએ કપાય. માન થતી હતી. મહેશ બનેલા હાથીઓના પ્રચંડ ચિત્કારાથી જં ગલા આનાદ કરી ઊઠર્યાં હતાં. ધૂળ તે ધુમાડાની ડમરીએથી આકાશ આંધળુ થઈ રહ્યું હતું. હન્મત્ત સૈનિકાના ખુશીના પાકારથી આકાશના ગુંબજ ફાટ ફાટ થયેા હતેા.
અધાન સલ્તનતના ઊકળતા ચરુને શાંત કરવા મહારથી હેમુજી દડમજલ પંથ કાપતા આવતા હતા. દુશ્મનેાનું દલન કરવા આજે આ અજિત ગાંડીવધન્વા મેદાને પડયો હતેા. એના હાથે ચડયો એ શત્રુ આજ નહી ખચે ! અજબ તૈયારી હતી આજની. શૌય મૂર્તિ, વીરત્વની પ્રતિમા અનેલ હેમુજીની આંખામાં ત્રિનેત્રને જાણે અગ્નિ પ્રગટયો હતા. અફધાન, મેાગલ, ન જાણે કંઈ કેટલા રિપુદમનને પગલે પળ્યા હતા. એમના હુંકારે ભલભલા પહાડ જેવા ખારાસાની યાદ્દાઓનાં દિલ ગળી જતાં. એક ધનુષ્ય કાર સાથે ઝનૂની વાઘ જેવા વિદ્રોહી અફધાન યાદ્દાએ ન જાણે કાંના કર્યાં સંતાઈ જતા.
૩૨૯
Page #347
--------------------------------------------------------------------------
________________
કંદમ કમ પર એ વિદ્રોહીઓ પર હવે માત વરસાવશે. હિંદની ધરતી માથેથી દુશ્મન માત્રનું જડાબીટ કાઢવા કાર્તિકેયને અવતાર અનીને એ ધસ્યા આવતા હતા.
ઊંચા ઊંચા હૈ।દ્દામાં, માથે કેસરી પાધ ને ઊંચી કલગી પહે રીતે, સાનેરસ્યું બખતર ચડાવીને, હાથમાં વીરક કણુ પહેરીને, રત્નજડિત શમશેર ભેટમાં દાખીને, મીનાકારી નકશીવાળી એ ગજ લાંબી બંદૂક લઈ તે એ રણુદેવતા આજે યુદ્દે નીકળ્યા હતા. રેતીના તેા એ રાજવી હતા. એક ક્ષણમાં ડુંગરમાળને કિલ્લા બનાવી શકતા, રેતીના કણને દારૂથીય દુય બનાવી શકતા, નદીનાં જળને અમૃતમાંથી વિષ બનાવી શકતા. પ્રાચીન ઋષિઓ જેવી ખાણુવિદ્યા એ જાણુતા. એ એક તીરથી આગ વર્ષાવી શકતા, આંધી ઉપજાવી શકતા, નદીમાં પૂર વાળી શકતા. આ યુદ્ધદેવતાની અચિંત્ય શક્તિ શ્રદ્ધાની ખીના હતી; પારખું કરનારનું પૌરુષ ત્યાં આથમી જતુ.
એનું સૈન્ય સાગરના વડવાનલ સમું હતું. વાધ સાથે કુસ્તી કરે એવા અહ્વાના એની સાથે હતા. પહાડ જેવા ખેારાસાની તેની સાથે હતા. પડવા મેલને વધનાર પુરબિયા હતા. કાપે તે રુદ્રજેવા ભયંકર રાહિલા હતા. હવા જેવા અકસરિયા એની સાથે હતા. કહેા તે એક ખજરમાત્રથી શત્રુસૈન્યને ધ્રુજાવી દે તેવા રજપૂત, જાટા ને મારવાડીએ હતા. કાળભૈરવ સમા મેવાતી પણ હતા. કાઈ શમશેરબાજ, કાઈ પટાબાજ, કાઈ ભુરકા મારનારા, કાઈ એકદસ્ત ( એકલા હાથે લડનારા ), કાઈ લકડાઇત ( લાકડાથી લડનારા ), કાર્ફ ચેરવા ( નાની ઢાલ રાખીને લડનારા ), કેાઈ ધેાલી ( વાંકીમૂઠવાળી તલવારવાળા ), કાઈ પહેરાતા ( મેાટી ઢાલવાળા ) તે કાઈ ગાણિયા હતા. કયે વખતે કયા લડવૈયા કામ કાઢી શકશે, તેનુ અપૂર્વ જ્ઞાન હેમુજને હતું. અને ડેમુજીના હાથ નીચે લડતાં આ કે યવન ચેાહ્નો જાતભેદનુ ભાન ભૂલી એકરસ થઈ જતેા. ભાગ્યશાળ
૩૩૦ : આ, હેતુ આવ્યે રે!
Page #348
--------------------------------------------------------------------------
________________
વૈદ્ધાને જ આવો યુદ્ધપતિ સાંપડે.
ચુનારગઢના સિંહાસનેથી આદિલશાહે જાહેરાત કરી હતીઃ “હેમુજી આવી રહ્યા છે. એ વજીરેઆઝમ ને સિપેહસાલારની જગા સંભાળશે.'
કોણ હેમુ ?” મદોન્મત્ત વકરી ઊઠેલા અફઘાને હુંકાર કરી ઊઠતા; જાણે હેમુજીને સાવ ભૂલી ગયા. પાછું કંઈ યાદ આવતું હોય તેમ કૃત્રિમ અવાજે બોલતા : “પેલો બકાલ, અરે એ આપણો સેનાપતિ થશે ? શું અફઘાને બધા મરી પરવાય? નહિ નહિ, અમારે અફઘાન સેનાપતિ જોઈએ; અમને આ મંજૂર નથી.”
જરૂર, આપણને અફઘાન સેનાપતિ જોઈએ.” બીજાઓએ સૂર પુરાવ્યો.
“બકાલ ન જોઈએ, હરગિજ ન જોઈએ.” અફઘાન સિપાહીએમાં બળવો પ્રસરતો ચાલે, ખરેખર તેઓને હેમુછ પસંદ નહોતા. તેઓ જાણતા હતા કે સિપાહી તરીકે અજબ શિસ્તનો એ પૂજારી છે. એ આવે તો ફરીથી શેરશાહના વખતનું નિયમન ઊભું થાય, અને સિપાહીઓની સ્વતંત્રતા પર જબરો કાપ મુકાય; એમનાથી આઝાદીપૂર્વક ન હરાય, ન કરાય, ન લૂંટાય કે ન મોજમજા ઉડાવાય. રણમેદાનમાં હાથી કે ઘોડા સિવાય કોઈથી દારૂ ન પિવાય, ન કેઈની. મિલક્તને હાથ અડાડી શકાય. ન કોઈ સુંદર સ્ત્રીને સ્પર્શી શકાય. ઘણા વખતથી ઢીલી નીતિના પૂજારી બનેલા અફઘાન સિપાહીઓએ વિદ્રોહની જ્વાળા સળગાવી. એમાં ઈધન એરાતાં ગયાં. અને આખરે ભડકો થયો
એ ચુનારગઢ જ ન ભાળે એવી તદબીર રચે !' સિપાહીઓએ અંદર ને અંદર નિર્ણય કરી નાખે. હેમરાજજીને ગંગાના કોતરોમાં જ દફનાવી દેવાના ઇરાદાથી તેઓએ રાતોરાત જના ઘડી લીધી. આ બધી અવ્યવસ્થાને નિમિત્ત બનેલ, હૈયાની હામ વગરને આદિલ
ઓ, હેમુ આવ્યા રે !: ૩૩૧
Page #349
--------------------------------------------------------------------------
________________
શાહ મનમાં ને મનમાં મૂંઝાતા હતા, પળેપળ હેમુજીના આગમનની પ્રતીક્ષામાં કાઢતા હતા.
મહારથી હેમુજીની સેના કદમ-બ-કદમ આગળ ચાલી આવતી હતી. એ સેનાનાં પગલાંથી ધરતી ધ્રૂજી ઊઠી હતી. ગામેગામથી ચેદ્દાઓ ભળતા આવતા હતા. હાથીએના ચિત્કાર, ઘેાડાઓના હ્રહ્માટ ને સૈન્યના હાકારાઓથી દિશાએ વ્યાકુળ બની ઊઠી હતી. ગામેાગામના સમાયારા, શહેરેશહેરના વમાન મેળવતી એ સવારી આવતી હતી. ધીરેધીરે જામતી જતી આ પ્રચંડ સેનાના જયજયનાદથી હવે આકાશ ગાજી રહ્યું હતું.
આદિલશાહે પળેપળની ઈંતેજારીમાં હતા. સેના ચુનારગઢથી દશેક ચેાજન દૂર હતી, ત્યાં અચાનક નાનું એવું ધીંગાણું થયાના સમાચાર મળ્યા. સેના નિશ્ચિંતતાથી આગળ વધતી હતી, ત્યાં એકાએક એ બાજુથી તીરેતેા વરસાદ વરસી રહ્યો. જોતજોતામાં કેટલાક સૈનિકો ત્યાં ને ત્યાં વીંધાઈ ને નીચે પડવા,
એક જ ક્ષણુ, ને બીજી ક્ષણે રણુશીંગુ ફૂંકાયું. અવાજના સંકેતથી ચાલનારી સેના જાણે છિન્નભિન્ન થઈ ગઈ. હલેા કરનારા ઉત્સાહિત થઈ ગયા. તેઓ છિન્નભિન્ન સેનાને નાશ કરવા બખાલામાંથી બહાર ધસી આવ્યા, ઘેાડાએક વીર સિપાઈ આ મેાતને હથેળીમાં લઈ ટક્કર લેવા સામે મેએ ખડા હતા. તુમુલ યુદ્ધ મચી રહ્યું. બાજી જીતની જોઈ બખેાલેઃમાંથી છુપાયેલા વિદ્રોહીઓ તીડનાં ટાળાંની જેમ એકદમ બહાર પડવા લાગ્યા. ત્યાં તેા કરીથી રશીંગાને અવાજ સંભળાયા. રણુશીગુ' સાંભળીને ભાગવુ` સૈન્ય થંભી ગયું, ને પાછું કર્યું.
વિદ્રોહીએ જીત હાથવેંતમાં સમજતા હતા, ત્યાં તે। તીડનાં ટાળાંની જેમ ભાગેલું લશ્કર તેઓને વીંટળાઈ વળ્યું. વિદ્રોહીએ લડતાં ચાકળ્યા હતા, શસ્ત્રો છૂટાં હતાં. ત્યાં ગાણાના ધમધમાટ ખેલવા લાગ્યા. બંગાલી સૈનિકાએ કચ્ચરધાણુ એલાવ્યેા. એક એક મેવાતી ૩૩૨ : આ, હેમુ આવ્યે ૨!
Page #350
--------------------------------------------------------------------------
________________
દ્વાએ બળે અફધાનોને ઉઠાવી ફેંકી દીધા. અધૂરામાં બાકી હતું તે હેમુછની અનામત અફઘાન સેના તૂટી પડી. વિદ્રોહીઓ ઘાસની જેમ વઢાઈ ગયા. બચી શક્યા તે જીવ લઈને નાસવા માંડ્યા.
ખબરદાર, જે કોઈ પણ નાસવાની કેશિશ કરશે તો તેને વીંધી નાખવામાં અદવશે.” હાથીના હોદ્દા પરથી ગર્જારવ થતો હેય તેવો અવાજ ગાજે. “સિપાહીઓ, એ મગતરાંઓને મારશો નહી. બધાનાં હથિયારે આંચકી લે, સહુને રસીથી મુશ્કેટોટ બાંધે ને ઘેડાને પગે કરે ! ભલે ધસડાતા ચાલ્યા આવે.”
ડી વારમાં હાથી ને ઘોડાઓની પાછળ વિદ્રોહીઓને બાંધી દેવામાં આવ્યા. કૂચ જારી થઈ કેટકેટલા ખાડાખડિયા, કેટકેટલાં ઝાઝાંખરાં ! વિદ્રોહીઓ બિચારા અધમૂઆ બની ગયા.
ચુનારગઢનો વાદળથી વાતો કરતો ઊંચો કિલ્લો દેખાયો. મૂળ પર લીંબુ ઠેરવનાર વિદ્રોહીઓ શરમથી ભરી જતા હતા. તેઓ વિચારી રહ્યા હતા, કે યુદ્ધમાં કતલ થઈ ગયા હોત તો આ શરમભર્યું મેં તો બતાવવું ન પડત.
શાદીખાન ! યુગરાજ ! જાઓ, આખા નગરમાં ઘૂમી વળો. જ્યાં જ્યાંથી વિદ્રોહી મળે ત્યાં ત્યાંથી લાવી અહીં હાજર કરો! કીડીના દરમાંથી, ચકલાના માળામાંથી, જાનવરની બોડમાંથી કોઈ શ્વાસ લેતું પ્રાણી વિદ્રોહી લાગે તે તેને પણ હાજર કરો. આજે મારા દોસ્તનું તર્પણ એ રીતે કરીશ.”
સિપાહીઓ બધે ફરી વળ્યા. ખૂણેખાંચરેથી વિદ્રોહીઓને પકડી પકડીને હાજર કર્યા.
“જાઓ, આ શેતાનને કિલ્લાના બુરજ પર બાંધીને ઘંટની જેમ નીચે લટકાવો ત્રણ દિવસ સુધી આ રીતે ભૂખે મારીને પછી તોપના મેએ બાંધીને ઉડાવી દેજે !”
ઓ, હેમુ આવ્ય રે! : ૩૩૩
Page #351
--------------------------------------------------------------------------
________________
સાંભળનારાએ કમકમી ઊઠ્યા. આટલી ભયંકર સજા ! સુરજ પર ઊંધે માથે લટકતા પહેલવાન સિપાહીઓને જોઈ ભલભલાના મા છૂટી ગયા; જલ્લાદનુ હૈયું પણ થરથરી ઊઠયુ. કેટલા પાકૅપાક મૂકતા હતા, કેટલા સાનભાન ગુમાવી બેઠા હતા. કેાઈ જીવતદાનની માગણી કરતા હતા, કાઈ તાબા પાકારતા હતા અને કાઈ અલ્લાહને યાદ કરતા હતા. પણ આજે ઉપર કે નીચે એમનુ કાઈ નહાતું.
આદિલશાહ તે મહારથી હેમુજી સામે ઊભા ઊભા ખડખડાટ હસતા હતા. એ હાસ્યમાં શત્રુનુ કલેજું તેાડી નાખવાની તાકાત ભરી હતી. તેાફાને ચઢેલા સાગરનાં વિકરાળ મેાાને જલદેવતાની છડી સ્પર્શી જાય, ને જેમ શાંત બની જાય, એમ જોતજોતામાં ચુનારગઢ આખા શાન્ત બની ગયા. ક્રીથી વ્યવસ્થા સ્થપાઈ ગઈ. નવેસર સન્યરચના રચાઈ ગઈ, ને એક વાર સહુ કરી એકલેાહિયા બની ગયા.
·
t
આદિલશાહ, દૂરના દિવસે યાદ આવે છે, ત્યારે આ વજીનુ દિલ માત્રુ બની જાય છે. આ જ સ્થળે, એક વાર સાંઈના વે હું આવેલા—સાયેલા દાસ્તને મદદ કરવા. આજે સાંઈ ને ખલે સેનાપતિ બનીને આવ્યા છું. શું શ્વરના ખેલ છે ! કાણુ જાણે આ રંગભૂમિ પર કઈ કેટલા વેશ કરાવવા ધાર્યાં હશે.' મહારથી હેમુજી ક્ષણવાર મિત્રની યાદમાં વ્યાકુળ બની ગયા. શાહુ નીરખી રહ્યો હતા –વજ્ર જેવા આદમીની અંદર છુપાયેલા દિલને! શું હિ ંમત ! શું દિલાવરી ! અલ્લાહે કૈવા મુજબ મ સરજ્યેા છે!'
શાહ, આવતી કાલે જ હું કૂચ કરીશ. સાંભળ્યુ છે, કે ઇબ્રાહિમખાન પાસેથી સિકંદરખાને દિલ્હી લીધું. સિક ંદરખાન પાસેથી હુમાયુએ લીધું. પશુ મેાગલાના સહુથી છેલ્લા વારા. પહેલાં ધર વાળીઝૂડીને ચોખ્ખું કરી કાઢીએ, સિકદર તેા મેાગલાથી ડરીને પંજાબના ડુંગરાઓમાં જતા રહ્યો છે. ઇબ્રાહિમ ક્રીથી સજજ થઈ ૩૩૪ : એ, હેમુ આવ્યે ૨!
Page #352
--------------------------------------------------------------------------
________________
દિલ્હી જાય છે, બને તો એને રસ્તામાં જ ભેટી જાઉં.'
આગને અવતાર બનીને આવેલ, પ્રલયને પયંગબર થઈને આવેલ મહારથી હેમુજીએ એક રાત ને એક દિવસ ચુનારગઢમાં નવી નવી વ્યવસ્થા, બંદોબસ્ત ને યોજનાઓમાં ગાળ્યાં. બીજે દિવસે મધરાતે એમની સેના કુચ કરી ગઈ, આકાશના તારલિયાઓમાં જાણે ભળી ગઈ. ક્યારે આવી ને ક્યારે ગઈ, એય ખબર ન પડી.
થોડાક દિવસ વીત્યા હશે કે ચિત્તાની કુનેહથી રસ્તો કાપતા હેમુજીએ એકાએક ઇબ્રાહિમખાનની સેનાને આંતરી લીધી. બંને સેના બેરંભેટા થઈ ગઈ દુશ્મનની બુદ્ધિને વિચાર કરવા પળવાર આપે કે શમશેર ખેંચવા જેટલો સમય આપે, એમાંના હેમુછ નહતા. ભયંકર વરુઓના ટોળાની જેમ એમણે ઇબ્રાહિમખાનને ખૂહથી આંતરી લીધો. યુદ્ધ જામ્યું. ઇબ્રાહિમખાને દિલ્હીની હારની દાઝ કાઢવા માંડી. પણ હેમુછના પ્રચંડ લશ્કર તથા પ્રબળ લશ્કરી કુનેહ આગળ એ ટકી ન શક્યો. ઈબ્રાહિમખાનની સેના ઘાસની જેમ કપાઈ ગઈ. ઈબ્રાહિમખાન મેદાન છોડી નાઠે.
એ ઇબ્રાહિમ જાય. જવા ન દેશે! પકડી લે !” પ્રચંડ અવાજ ગાજી રહ્યો, પણ ઇબ્રાહિમખાન તો નાસતો જ હતો.
મહારાજ, જીવતો પકડાવો અસંભવ !” ને શાદીખાને બંદૂકનું નિશાન લીધું.
“ખામોશી' હેમરાજજીએ શાદીખાનને અટકાવ્યો. “રણમેદાનમાંથી પીઠ બતાવી નાસતા રાજાને ભારેલો અધર્મ છે. હું એનો માર્ગ કાઢું છું ! એમણે વીજળીવેગે પોતાના મોટા ધનુષ્ય પર તીર ચઢાવ્યું ને કાન સુધી પણછ ખેંચી ટંકાર કર્યો. હવાની સાથે અદશ્ય થયેલું તીર ઇબ્રાહિમખાનના પગ ને ઘોડાના પેટને વીધી તીરછી રીતે અંદર પેસી ગયું. તીરનું ફણું વિષ પાયેલું હતું. ઘોડે નીચે પડયો, સાથે સાથે નીચે પડેલ ઇબ્રાહિમખાન પગની
એ, હેમુ આ રે! : ૩૩૫
Page #353
--------------------------------------------------------------------------
________________
ઈજાને લીધે દેાડી ન શકયો. આખી સેના પેાતાના ઉપરીની બહાદુરી પર આફરીન પેાકારવા લાગી. જોતજોતામાં ઇબ્રાહિમખાનના હાથમાં ને પગમાં લેઢાની જજીરા જડાઈ ગઈ.
‘ શાદીખાન, પૂરતા બંદોબસ્ત સાથે ઇબ્રાહિમખાનને ખિયાનાની જેલમાં મેાકલી આપે; એનચેનથી રાખજો, માનસન્માન જાળવજો, એ શાહી કેદી છે.'
ઇબ્રાહિમખાન ભાગ્યને અભિશાપ આપતા બિયાનાના કિલ્લામાં જીવતા દફ્નાવા ચાલી નીકળ્યા, ત્યારે ચુનારગઢના કાસદ વળી નવા વર્તમાન લઈને આવતા હતેા. રણવાધા તે હજી અણુઊતર્યાં હતા; દિવસેાના થાકોડા દેહના મ`કાર્ડમકાડાને તાડી નાખતા હતા. કાસદ કહેતા હતા :
સૂક્ષ્મદારમાંથી સ્વયં સુલતાન અનેલા બંગાળના મહંમદશાહ સૂરે ચુનારગઢ પર હલ્લા કર્યાં છે. આદિલશાહ આપને તાકીદે કુમકે મેલાવે છે.'
•
મહંમદશાહે સૂર-બંગાળના સમ્મેદાર માત્ર ! આજ સિંહની ગેરહાજરીમાં શિયાળ પણ સિંહુ બન્યાં. ભલે! રણમેદાન લીધું છે, તે લઈ જાવું. ન થાક, ન આરામ, નોઁધ !
લેાહીના કીચડમાંથી, લીલા નાળિયેરનાં વનમાંથી સેના વટાળિયાના વેગથી પાછી ફરી.
અંગાળના સુલતાન મહંમદશાહે કમર કસી હતી. હાથીએના કાલાહલથી, ઘેાડાઓના દાખડાથી, તેાપ, તલવાર ને તીરેાની વર્ષાથી જાણે દિશાઓ ગરવ કરવા લાગી. નિવી આદિલશાહ હેમુજીની માળા જપતા માત્ર ચાવ કરી રહ્યો હતા. એણે કિલ્લાનાં દ્વાર ભીડી દીધાં હતાં. પાંજરાનુ ખુલપુલ પાંખ ફફડાવતું ને એ ગભરાઈ ને જાગી ઊઠતા. આજ તા એને શરામે ગમતા નહેાતે ને સુંદરીય
૩૩૬ : એ, હેતુ આવ્યે રે!
Page #354
--------------------------------------------------------------------------
________________
ગમતી નહતી. એ તો વિચારતો હતો–બસ, જ્યારે હેમુજી આવી પહોંચે ! . ચુનારગઢના વીર સિપાહીઓ પોતાના શાહની નિર્માલ્યતા જોઈ બળી જતા હતા. સિપાહીને તો બહાદુરીથી જિવાય નહીં, તો બહાદુરીથી ભરવાની જ મહત્ત્વાકાંક્ષા હોય ! રણભીરુ આદિલશાહના પારેવા જેવા હૈયાને જોઈને તેઓ વ્યાકુળ બની જતા. ન છૂટથી લડવાની રજા,ન શત્રુને પાણી બતાવવાની પરવાનગી મેતની કોઈ બિસાત નહોતી.
શત્રુ તો આગળ વધતો જ હતો. ચુનારગઢના તોતિંગ દરવાજાની આડે હવે ઊંટ ગોઠવાતાં હતાં. ક્ષણેક્ષણ લાખેણું જતી હતી. મહમદશાહ સૂર વિજયને હાથવેંતમાં જોઈ પડકાર કરી રહ્યો હતો. એણે વિજય ઝડપી બનાવવા પોતાની બાકી રહેલી સેનાએ પણ યુદ્ધમાં ઉતારી દીધી હતી. એના સૈનિકો ઉન્નત મસ્તકે આગળ ને આગળ વધતા હતા.
એટલામાં આકાશમાં ધૂળની જબર ડમરી ચઢી આવી. એ ડમરીમાંથી પડકારા સંભળાવા લાગ્યા :
એ, હેમુ આવ્યો રે!'
શું હેમુ આવ્યો ? માર્યા મારા બાપ !” બંગાળની સેનામાં વાત પ્રસરતાં જ નિરુત્સાહની લાગણી પ્રસરી રહી. બંગાળના સુલતાનની ગણતરી હતી કે આટલા ટૂંકા સમયમાં હેમુ અહીં આવી ન શકે.
પણ હેમુ આવ્યાના સમાચાર, એ જેમ ઇન્કાર કરતો ગયો તેમ વધુ જલદી-તક્ષણ સૈન્યમાં પ્રસરી ગયા.
અરે, રણગંજને અજબ જાદુગર આવ્યો. તમે જુઓ, આંખ મીંચશે ને ઉઘાડશે, ત્યાં અજબ કરામતથી આપણું ફતેહને હમણાં હારમાં પલટાવી નાખશે. એની જબાનમાં જાદુ છે, એનાં તીર–તલવારમાં જાદુ છે. ભાગો મારા બાપ!”
ઓ, હેમુ આવ્યે રે! : ૩૩૭
૨૨
Page #355
--------------------------------------------------------------------------
________________
સિપાહીએ નાહિંમત બનતા ચાયા, પણુ અહમદશાહ સુર જોરથી આગળ વધતે સહુને પાને ચઢાવતા હતા. કિલ્લાનાં દ્વાર તાડવા હાથીએ દારૂ પીને માથાં લટકાડતા હતા. દરવાજા ઊધડવા એટલે શા ભાર છે હેમુના !
ધૂળની ડમરી પાસે તે પાસે આવતી હતી. કિલ્લાના ક્ષુરજ પર બેઠેલા સિપાહીઓએ આવતા સેનાનાયકને પરખી લીધેા. એમના ગયેલા પ્રાણમાં પ્રાણ આવ્યેા. એકદમ આકાશ વીંધતી ગના ઊઠી : ‘ મહારથી હેમુને જય હો !'
જયના પડધા વાતાવરણમાં શમ્યા ન શમ્યા તે લશ્કરે ભેટી ગયાં. પ્રચંડ યુદ્ધ જામી ગયું. મહમદશાહ સૂરના ચુનંદા યાદ્દાઓ હેમુને ખાળવા આગળ મા` રોકીને ઊભા હતા. મહમદશાહ કિલ્લાના દ્વાર પાસે ખડેા હતા. ક્ષણેક્ષણુ કીમતી જતી હતી. યુદ્ધ ગંભીર બનતું જતુ ં હતું. મહમદશાહ સૂરને વ્યૂહ સુંદર હતા.
મહારથી હેમુજીએ ગંભીર પળ પારખી. દરવાજા તૂટી જાય તે પેાતાનું લશ્કર અહીં જ રોકાઈ રહે તે ? ખેલ ખલાસ. શાદીખાનને ત્યાંની સરદારી સોંપી, પેાતાના અનામત લશ્કરને ધીરેથી બાજુમાં તારવ્યું. ક્ષણેાના જ સવાલ હતા. ‘ હવા ’ અગ્રેસર થયેા. ગજસેના આડરસ્તે આગળ નીકળી ગઈ.
*
‘ બહાદુરા, જલદી કરેા ! બકાલ આવી પહેાંચ્યા છે.” પણુ . • હવા ' અગ્રણી હતા. આખી ગજસેના છૂટી હતી. ખુદ હેમરાજજીએ અંદૂક સમાલી હતી, હવાને કૂચ કરવાને હુકમ અપાયા હતા. હેમરાજજીના હુકમ એટલે હવા સળગતી ખાઈમાં ચાહ્યા જાય! ચેડી વારમાં સામેથી નાગી તરવારી સાથે શત્રુએ દોડી આવ્યા, કામળ એવી સઢને મે[ાં ધાલી હવા આગળ ધર્યે જતા હતા, પાછળ પાછળ ગજસેના ધસતી આવતી હતી.
કડડ...કડડ, દરવાજો કડેડાટ કરવા લાગ્યા. ઊંટના મૃત્યુસર તે
૩૩૮ : આ, હૅનુ આવ્યે ૨
Page #356
--------------------------------------------------------------------------
________________
દિલ ધ્રુજાવનારી બૂમોમાંથી દરવાજાનો કિચૂડાટ કાને પડતો હતો. કટોકટીની ક્ષણ આવી પહોંચી હેમરાજજીએ હેદ્દામાંથી બે નાગી તલવારો જમીન પર ફેંકી. ક્ષણની અંદર હવાએ તે ઉપાડી લીધી ને સૂંઢમાં પકડી ઘુમાવવા માંડી. જે વચ્ચે આવ્યું તે સાફ ! બીજા હાથીએ અર્ધચંદ્રકાર ભૂહમાં આગળ વધતા હતા ને સત્યાનાશ વાળતા જતા હતા.
ધાણી ફૂટે એમ બંદૂકો ફૂટતી હતી. મહમદશાહ હેમુછને તાકીને જ બંદૂક ચલાવતા હતા. હેમુજી પણ યંત્રની ઝડપથી ગોળીબાર કરી રહ્યા હતા.
આખરે હવાએ માર્ગ કર્યો. “ શાબાશ બેટા!” હેમુજીએ ભયંકર પડકાર કર્યો. “જરા આગે. ઔર આગે ! શાબાશ બેટા !” ને હેમુજીએ પિતાની પ્રચંડ બંદૂકમાં ગોળી ધરબી; બંગાળના સુલતાનનું નિશાન લીધું.
એક-બે...
દરવાજે મૂળથી ઉખડેલા વૃક્ષની જેમ ડોલતો હતો, ત્યાં તે ત્રીજી ગોળીએ કામ ખલાસ કર્યું. મહમદશાહ સરના કપાળને ભેદી એ આરપાર નીકળી ગઈ. સુલતાન જમીન પર પડ્યો. સાથે એનું લશ્કર નાસવા માંડયું. અલ્લાહ અકબર ને હેમુછના જયજય નાદથી સમરાંગણ ગાજી ઊઠયું.
બે ક્ષણ બાદ હેમુજી વિજયી બનીને ખડા હતા. બંગાળના સુલતાનનું શબ કીમતી દુશાલાથી ઢંકાયેલું ચુનારગઢના દરવાજામાં લેહતરબોળ પડયું હતું.
આખી સેના મહારથી હેમુછના જયજયકાર બોલાવી રહી હતી, આદિલશાહ એક ખૂણામાં ઊભો ઊભે હેમુજીને ધ્વનિ પિકારી રહ્યો હતો, એના રૂદિયામાં ઊડી ગયેલા રામ પાછા આવ્યા હતા.
એ, હેસ આ
રે?? ૩૩૯
Page #357
--------------------------------------------------------------------------
________________
આગ્રા–દિલ્હી ઝડપાયાં ૩૧
આષાઢવીતી ગયા. શ્રાવણની વાદળીએ આકાશમાં રમતી હતી, ગાજતી હતી, અમૂક ઝબૂક કરતી હતી, પણ વરસતી નહાતી ! આકાશે પેાતાનાં દ્વાર બંધ કરી પૃથ્વીના અમૃતને ખાળી રાખ્યું હતું. ઊંચી ડાળે ચઢેલા મયૂરાની ને ઊંચે માળે ચઢેલા ખેડૂતાની ડાક રાહ જોઈ જોઈ તે દુખવા આવી હતી, નદીનવાણુસુકાયાં હતાં. ખેતરે મરુભૂમિ જેવાં ખાવા ધાતાં હતાં. ગૌચરા, ખીણા ને ટેકરીએ જાણે નગ્ન થઈ ને કંકાલશાં ખડાં હતાં. ભૂખ્યાં તરસ્યાં જાનવરેશન! અસ્થિપિંજરાના જ્યાં ત્યાં ગંજ ખડકાયેા હતેા. બકરીને ખાવા આકડે પણ ન રહ્યો ન હતા, તે ઊંટની ઊંચી ડેાક એક લીલું પાંદડુ પણ પામતી નહોતી.
આકાશની ખીજી ખલા જેવાં વિજેતાઓનાં લશ્કરે ખાઉં ખાઉં કરતાં ધસ્યાં આવતાં હતાં. આજ માગલે આવતા, અધાને આવતા, કાલે રાહિલા ને પરમ દિવસે મેવાતી આવતા. અજગરના જેવી ક્ષુધાથી આ લશ્કા વાણિયાની દુકાના ને ખેડૂતે ના કાઠારા ચટ કરી.
૩૪૦
Page #358
--------------------------------------------------------------------------
________________
જતાં હતાં. રણમેદાન, રણમેદાન તે રણુમેદાન ! જાણે યેદ્દાના શુષ્ક હૃદય જેવુ... આકાશનું હૈયું પણ શુષ્ક બની ગયું. લાકા પ્રાથના કરતા, એ તનિયમ રાખતી, પણ દેવ જાણે કંઈ માનતા જ નહોતા. નવરાત્રિના તહેવારા ઊજવતી સુંદરીઓ ચિંતાભર્યા સૂરે
ગાતી હતી :
""
વા વાયે તે વાદળ ઊમટયાં,
ગોકુળીએ ખેલ્યા મેર,
રમવા આવે! સુંદિરવર શામળીઆ !”
પણ સુંદરીઓ જૂઠું ગાતી હતી, ભૂખ્યા દિલને છેતરી રહી હતી. વા વાતા નહાતા, વાદળા જ પી ગયાં હતાં; તે ગેાકુળેા તે ગેાકુળના માર તેા બિચારા મરવા પડયાં હતાં. આવી ભૂમિ પર ક્રાણુ રમવા આવે ?
છતાંય આશાભરી સુંદરીએ રાસડા લેતી રહી. આજે નહી ને કાલે પેલે ધનશ્યામ વાદળા પર સવારી કરી, ગુજારવના શંખ ફૂંકતા, વીજ અમુકાવતા, જલ વર્ષાવતે આવી પહોંચશે ! દિવસેા સુધી રાહુ જોઈ, છતાં એ આવી પહેાંચ્યા નહિ, ત્યાં એક દહાડા જમનાના કાંઠે બૂમ પડીઃ
<
એ આવ્યા. '
“ કાણુ આર્વ્યા ? મેધ ? ’
.
ના, હેમુ આવ્યે . જીવતા જમદૂત આવ્યા. ભાગા, નાસા. આ તા મહાકાળ આવ્યે ! ’
જમનાનાં જળમાં નાહતી સ્ત્રીએ જલદી ધરભેગી થઈ ગઈ. પુરુષા બારણાં બંધ કરી જમીનના પડમાં છુપાઈ ગયા. બજારા બધ થઈ ગઈ. આગ્રા નગરી જોતજોતામાં નિર્જન બની ગઈ. સિપાહીઓનાં ટાળાં ચારે ને ચૌટ એકઠાં થઈ વાતા કરવા લાગ્યાં.
આગ્રા-દિલ્હી ઝડપાયાં : ૩૪૧
Page #359
--------------------------------------------------------------------------
________________
“કોણ હેમુ ? આદિલશાહને વછરેઆઝમ ! પેલે બકાલ, બનિયે, દૂસર !” બેલનાર દિલની દાઝ કાઢતો હતો.
હા, હા, બકાલ, બનિયો, તૂસર ! અરે, વાતવાતમાં ત્રણ ત્રણ તાજધારીઓને ખુદ એણે કાઢી નાખે છે. ગ્વાલિયર કબજે કરીને, મંગલેને મૃત્યુદૂત બનીને, આવતો એ દૂસર જોયો છે ? એ ભાઈ, બીજા જંઘીસખાન જેવા હેમુને કદી ખ્યાબમાં પણ નિહાળ્યા છે? મીરઝા સાહેબ, એ મારા તમારા જેવો માટી–પાણીનો બનેલો. નથી, પથ્થર ને પોલાદને બનેલું છે. એના પંજા ને દાંત વરુના જેવા કાતિલ ને ફાડી ખાનારા છે. એની તલવાર વિજળી જેવી ઝડપી છે ને બંદૂકની ગોળી મતના દૂત જેવી છે. એ ધારે ત્યાં જઈને બેસે છે, એને ભાલે પહાડની છાતી વધે છે, ને એના મિાનદાર હાથીની ગજેનાથી ધરતી હાલી ઊઠે છે. અને એનું લશ્કર જોયું છે ? આગમાં પડવું સારું, પણ એના હાથમાં પડવું ભૂંડું, એ જાલિમ છે.”
ભાગ, બાપરે હેમુ આવે ! અરે, કાળ આવ્યો.” આગ્રાના કિલ્લામાંથી સિપાહીઓ ઝડપથી બહાર નીકળી નાસતા હતા.
હેમને સેનાપતિ શાદીખાન શેડા જોજન પર જ છે. તેને પાછળ હેમુ વીજળીઓ ચમકાવતે આવી રહ્યો છે. ત્રીસ હજારની સેના સાથે છે,” કહેનાર વાત પૂરી કરતો ન કરતો ને ઘોડે દેડાવી મૂકો.
પણ અરે સુબેદાર સિકંદરખાં ઉઝબેગ ક્યાં ?'
અરે, મૂખ તમે છે, સિકંદરખાં નથી. નાહક કપાઈ મર્યો શો ફાયદો? એ તો લશ્કર સાથે આગ્રા સૂનું મૂકીને ચાલી ગયા.” ને આ વાત સાંભળી મહામહેનતે હિંમત બાંધીને ઊભેલા પણ ભાગ્યા.
આગ્રાના બુરજ નિર્દેશ હતા. તોપોએ અમારિનું વ્રત લીધું હતું. કિલ્લે તો પિતાના હૃદયનાં દ્વાર ખુલ્લા મૂકી સ્વાગત કરવા ખડો હતો ૩૪૨ ઃ આગ્રા-દિલ્હી ઝડપાયાં
Page #360
--------------------------------------------------------------------------
________________
ખાઈનાં પાણી શાંત લહરીઓ જગાવતાં સંગીત છેડી રહ્યાં હતાં. આગ્રા કઈ શાપિત નગરી બની ગઈ હતી.
હેમુજીના સેનાપતિ શાદીખાનના ઘોડાઓ શહેરમાં પ્રવેશ્યા ત્યારે ત્યાં સામને કરનાર કોઈ નહોતું. નાગરિક પ્રજા સ્વાગત કરવા ખડી હતી, કારણ કે તેને યુદ્ધ જોઈતું નહતું, અન્ન જોઈતું હતું ! તે લશ્કરોએ સફાચટ કરેલા ભંડાર ભરવા માગતી હતી. થોડીવારમાં અફઘાન સેનાએ કિલ્લાનો કબજો લઈ લીધો. સૂરવંશી વાવટો આકાશમાં ફડાકા બોલાવવા લાગ્યો.
મહારથી હેમુજી પોતાની ગજસેના ને ચુનંદા લશ્કર સાથે ધીરે ધીરે પાછળ આવી રહ્યા હતા. એમના જાસૂસો હિંદભરના સમાચાર લાવીને ઢગલો કરતા જતા હતા. કાસદો ઉપરાઉપરી છૂટતા હતા. અચાનક એક કાસદે આવી ખબર આપ્યા :
માલિક, ભલા મેગલ બાદશાહ હુમાયુના આત્માનું પંખી, ઈશ્વરના તેડાને માન આપી, વર્ગના માળા તરફ ઊડી ગયું.”
કણ, મોગલ બાદશાહ હુમાયુ ગુજરી ગયા ?”
“હા, મારા માલિક, સાતમી રબ્બીઉલ અવ્વલના દિને બાદશાહ હુમાયુ દિલ્હીમાં દૌલતખાના પાસેની મરિજદની અગાસીમાં બેઠો બેઠે કિતાબ પઢતો હતો. સંધ્યાકાળનાં અંધારાં ઊતરી રહ્યાં હતાં. નમાજ પઢવા માટે દાદર પર ઊતરતાં અઝાન (બાંગ)ના શબ્દ સંભળાયા. આ શબ્દોને આદર દેવા ખાતર, ચુસ્ત ઇસ્લામી તરીકે એ જ્યાં હતો ત્યાં–દાદર પર જ બેસી ગયા. અઝાન પૂરી થઈને નીચે ઊતરવા ગયા ત્યાં તેના હાથની લાકડીનો છેડો શરીરનાં વસ્ત્રોમાં ભરાયે, ને શરીરના ભારથી પગ ખરો. દાદર પથરનો હતો. કાનની નીચેના ભાગમાં દાદરનો ખૂણે વાગ્યે. લોહીનાં થોડાં ટીપાં નીકળ્યાં, ને એ • હિજરી સનને ત્રીજો મહિનો.
આગ્રા-દિલહી ઝડપાયાં ૨ ૩૪૩
Page #361
--------------------------------------------------------------------------
________________
બેશુદ્ધ થયો. સહુ એને ઉઠાવીને દૌલત ખાનામાં લઈ ગયા. મહારાજ, સિપેહસાલાર તારદીબેગ ત્યાં હતા. એમણે શહેનશાહને ગુપ્ત ખંડમાં રાખ્યા, ને તેના સમાચાર બહેરામખાન તથા શાહજાદા અકબરને કહેવરાવ્યા.”
“કાણુ અકબર? બહેરામ ખાન સાથે પંજાબના પહાડોમાં સિંકદરખાં સૂર સાથે લડતો ફરે છે તે, પેલે હુમાયુને છોકરો ?”
“હા મહારાજ ! છેક હેશિયાર છે.”
“ જરૂર, મોટા માણસના છોકરા કદી નાના ને બિનહશિયર હતા જ નથી. એ તો જન્મે ત્યારથી મહાન ને કંઈ કંઈ હેય છે. હ, પછી શું થયું?” હેમુજીના શબ્દોમાં વ્યંગ ને બેદરકારી તરવરતાં હતાં.
“સિપેહસાલાર તારદીબેગ ખૂબ હેશિયાર ! એમણે બાદશાહને ચાર દિવસ સુધી જીવતા જાહેર કર્યા, મુખાકૃતિમાં બરાબર મળતા આવતા “શકેલી' નામના રાજકવિને હુમાયુનાં વસ્ત્રો પહેરાવી અગાસીમાંથી ને દીવાને આમમાંથી પ્રજાની સલામી લેવરાવી. બંડ જાગી જાય તેમ હતું, પણ એણે અજબ સિફતથી કામ લીધું. બીજી તરફ બહેરામખાને પંજાબના કલાકૂર ગામના ગોંદરે બાળક અકબરને માથે તૈમૂરી તાજ પહેરાવી હિંદને બાદશાહ જાહેર કર્યો. બસ! આ સમાચારની જ વાર હતી. આ સમાચાર દિલ્હી પહોંચ્યા ને બાદશાહના મૃત્યુના સમાચાર જાહેર થયા.”
“બિચારો હુમાયુ ! અરે, ગરીબનું નસીબ પણ ગરીબ ! જિંદગીભર આંટાફેરા મારતો રહ્યો, ને સુખની ઘડીઓ આવતી લાગી ત્યારે આ દશા !' હેમરાજજીએ થોડી વાર આકાશ સામે નજર નાખી. જાણે ત્યાં રહેલી અદશ્ય ભાગ્યપોથીના પાનાં વાંચવા ઈચ્છતા હતા.
ભલે આદમી હતો. એક પણ હતો. બિચારે બંધુ પ્રેમમાં ૩૪૪ ઃ આગ્રા-દિલ્હી ઝડપાયાં
Page #362
--------------------------------------------------------------------------
________________
ખુવાર થયા. ઈશ્વર એના મહાન આત્માને શાન્તિ બક્ષો ! હેમરાજજી કંઈક શાંત બન્યા હતા. આકાશના ભૂરા લાલ રંગ પાછળથી જાણે પ્રિય મિત્ર શેરશાહ, શૂરવીર સલીમશાહ, બાદશાહ હુમાયુ, કંઈ કેટલા તરી આવતા હતા. મહત્વાકાંક્ષી ગરુડરાજ જેવા એ બધા આજે ન જાણે ક્યાં ને ક્યાં ચાલ્યા ગયા હતા. અલખને એ પડદે ! અગમ્યતાની એ ભૂમિ !ન યુદ્ધ, ન સિંહાસન, ન છૂરી કટારી! શાન્તમ શાન્તમ્ ! આકાશ સામે દૃષ્ટિ મંડાયેલી હતી, ત્યાં અચાનક આકાશમાં ડમરી ચઢતી જોઈ.
કાસદ, તપાસ કરે. કોઈ સેના આવતી લાગે છે !'
તીરના વેગે ગયેલ કાસદ વીજળીવેગે પાછો આવ્યો : “મહારાજ, આગ્રાનો સિકંદરખાં સેના લઈને જાય છે.”
તો શાદીખાન ક્યાં ? આગ્રા હજી જિતાયું નથી ?” ને હેમરાજજીએ “હવા ને વેગ વધાર્યો. જેરથી રણશીંગુ ફૂંકાયું. શકટયૂહથી સેના આગળ વધી. સિકંદરખાં નિરાંતે આગળ વધતો હતો, અચાનક કાળભૈરવ જેવો હેમુ દેખાયો. એ છટકી જવા માગત હતો, પણ બૃહના સાણસામાં સપડાઈ ચૂક્યો હતો. છટકવાની બારી રહી નહોતી. પાછળ જમુના નદી પ્રચંડ પૂર ઉછાળતી ગળી જવા તૈયાર જ હતી. આગળ સાક્ષાત્ મૃત્યુદેવ બનીને આવેલ હેમુ હતો.
તો ચાઇ રૂતતરી આંખના પલકારામાં હેમુજીનું પ્રચંડ લશ્કર તૂટી પડયું. સિંકદરખાંએ આ વાઘના મેમાં જવા કરતાં નદીના મુખમાં જવું શ્રેયસ્કર માન્યું. નદીના પાણીમાં પડેલાઓ માટે બબ્બે ને ચચ્ચાર શેરના પથ્થરો લઈને ઊભેલા સૈનિકોની ગોફણે વછૂટવા લાગી. પાણીની સપાટી પર કોઈએ માથું ઊંચકર્યું કે પથ્થરનો જીવલેણ ગોળે ખેપરીનાં કાચાં ઉડાડતો આવ્યો જ છે. બીજાનું જે થયું તે ખરું. સિંકદરખાં ઉઝબેગ જીવ લઈને નાઠો. અનાથ બનેલી સેનાએ હથિયાર હેઠા મૂકથા.
આગ્રા-દિલી ઝડપાયાં : ૩૪૫
Page #363
--------------------------------------------------------------------------
________________
મેાગલસેનામાં ધમસાણુ મચાવી મહારથી હેમુજી આગળ વધ્યા. આગ્રાને કિલ્લે ફતેહ કરીને સેનાપતિ શાદીખાન સમાચાર આપવા સામે પગલે આવતા હતા. હેમુજીએ એમની પીઠ થાબડતાં કહ્યું શાદીખાન, થાક ઉતારી લેા, એટલે દિલ્હી ઝડપી લઈ એ. કયા કયા મીર્ઝા સાહેબે ત્યાં છે! '
C
સિપેહસાલાર તારદીક્ષેગ, તાજા આવેલા સમશેરજંગ મુલ્લા પીરમહંમદ, આખરશાહ ને હુમાયુશાહના વખતના ચુનંદા યાદ્દાઓ.’
.
“ ખૂબ મેજ આવશે. મોંની સાથે મહેાબ્બતમાં કે વેરમાં એર લિજ્જત આવે છે. ખાનસાહેબ, કાઈ સામી છાતીને! લડવૈયે ભેટ તે। દિલનાં અરમાન નીકળે ને ! જ્યાં જાઉં છું ત્યાં બધા બિચારા મારી વ્યૂહકળામાં જ ફસાઈ જાય છે. વ્યૂહ ભેદીને સામસામા લડવાને અવસર જ મળતે નથી, એકવાર દૂ-કુસ્તી, એકવાર પટાબાજી, એકવાર બકર દાજી, એકવાર ગાલ દાજી થાય તેા ખબર પડે કે ભણેલુ ભુલાયુ છે કે તાજી છે.' હેમુજી મેાજમાં હતા.
મહારાજ, મારનાં ઈંડાંને ચીતરવાં પડતાં નથી.
t
સેનાપતિ શાદીખાન આટલું મેલી ચૂપ રહ્યા. મેાલવા કરતાં કરવામાં માનનાર એ નમ્ર વિવેકી યાદ્દો હતા. હેમુજીના વિશ્વાસુ તે ભરેાસાના આદમી હતા. સહુએ સાથે મળી આગ્રા ભણી સૂચ આરંભી. માર્ગોમાં વાતવાતમાં સેનાપતિ શાદીખાને વાત ઉચ્ચારી : માલિક, આપણે વિજય તે ખૂબ હાંસલ કર્યાં, હજી પણુ કરશું; પણ શું એ બધા આકાશી રંગ જેવા ક્ષણુવી નીવડશે ? આટઆટલા દેશ જીતીને પછી સાચવશે કાણું ?'
• આદિલશાહ.’
'
મહારાજ, માફ કરો. હું શેરશાહને તાબેદાર બંદા છું, પણ ખાટી ખુશામત જાણુતા નથી. આદિલશાહ ચુનારગઢ જાળવે તાજ
૩૪૬ : આગ્રા-દિલ્હી ઝડપાયાં
6
Page #364
--------------------------------------------------------------------------
________________
હ્યું છે. એ શેાડું ખાનારી ને ચેડુ દૂધ આપનારી ગાય છે. એને વધુ ખવરાવશું તે દૂધ તે જશે એ જશે, પણ ગાય પશુ હાથથી જશે. મારા બહાદુર અધાન સૈનિકે છેલ્લી મહમદ સૂર સાથેની લડાઈના વખતથી તેમના તરફ નારાજ છે. તેઓ તેા ચાહે છે, કે આપ તાજ સ્વીકારા, શેરશાહી સિતારે। ફરી ચમકાવા. અમે અધાને એકીઅવાજે આપની પાછળ છીએ.'
શાદીખાન, આ કૌતક કત્યાંથી સૂઝી આવ્યું? મને તાવી જોવા છે?
મહારાજ, જો આ વાત કરતાં, મારા કે મારા સૈનિકાના દિલમાં ૫૬૫ હાય તે। અલ્લાહના અમે ગુનેગાર ઠરીએ. અફધાન બચ્ચા ઝનૂની હશે, ઉતાવળિયા હશે, કદાચ દૂર દેશ નહી હૈાય; પણ ખેલેલું પાળવામાં એક્કો છે. મહારાજ, લઈ લેા સિંહાસન. જોઈ લેા કે અધાને આપના શબ્દ પાછળ જાન ન્યાાવર કરવા તૈયાર છે કે હિ ? મરહૂમ શાહ શેરશાહનું સ્વપ્ન પૂરું પાડનાર આજે ખીજે સાડીન્નયેા કાંય નજરે પડતા નથી.’
'
•
*
‘ પશુ
દ્દિલશાહને અભિપ્રાય પણ જાણવા જોઈએ તે ?
‘ એ પણ સંમત છે. એમને તે ચુનારગઢ આપે, શરાબ આપે, સાકી આપે।; પછી ચક્રવતી પદ મળવું હેાય તેા પણુ અને નથી જોઈતું. એ તેા કહે છે કે આપ મૂએ પિલ્કુ ડૂબ ગઈ દુનિયા. પૃથ્વીના પડમાં સૂતેલે બોરિ ંગ છંછેડવામાં એને રસ નથી. એનામાં દૂર નથી. શેાખ નથી. આપણે ઘણા ભારિંગ છંછેડવા છે. આદિલશાહ કહે છે કે જેણે છંછેડવા એ જાળવી જાણે.'
સારું શાદીખાન! પહેલાં હિી તે તી લઈ એ.’
· હુકમની વાર છે, માલિક. ગઈ કાલે ગ્વાલિયર ડ્યુ. આજે આગ્રા જિતાયું, કાલે લ્હિી જતીશું'. પચાસ હજાર વીર પઠાણા,
આગ્રા-દિલ્હી ઝડપાયાં : ૩૪૭
"
Page #365
--------------------------------------------------------------------------
________________
કેટલાય હજાર વીર રજપૂતો ને મેવાતીઓ, એક હજાર હાથી, પંદર કિલ્લા તોડનારી તોપો, પાંચસો ઘોડેસવારો ને ઊંટ અત્યારે મારી પાસે તૈયાર છે, હુકમ આપો એટલી વાર.”
‘શાદીખાન, હિન્દુઓ કહે છે કે શુભસ્ય શીઘ્રમ્ ! સારું કામ જલદી કરવું. આજથી જ આપણું મુરાદ જાહેર કરી દે. શત્રુઓ પણ સાવધ થઈ જાય.”
રણશીંગાઓ જોરજોરથી દૂકાયાં. આગ્રાનાં દુકાળિયઓ સેનાની પાછળ વલખાં મારવા લાગ્યાં. માતા પોતાના બાળકને ખાય એવો ભૂખમરો પ્રવર્તતો હતો. મરેલાં ઢોર ને પક્ષીઓ પર માણસો ગીધડાંની જેમ ઊલટતાં હતાં.
અરેરે ! યુદ્ધોનાં આ પાપ ! અછતના અન્નને દાણો કીડિયારાં જેવાં લશ્કરો ભરખી જતાં હોય, ત્યાં લોકો બિચારા શું પામે ?” હેમરાજજીનું ક્ષત્રિય દિલ ઘડીવાર શ્રાવકનું દિલ બની ગયું. આ લડાઈએ નહીં અટકે? મોટો સાપ નાના સાપને ગળે, મોટું માછલું નાના માછલાને ગળે ? શું સંસારમાં પણ એ જ ન્યાય ચાલ્યા કરવાનો? હિંસા જ મોટી શક્તિ, વિનાશ મોટો વિજ્ય ને સંહાર મોટું ક્ષત્રિયત્નઃ આ ભ્રમણુઓ ક્યારે દૂર થશે ? યુગરાજ !” હેમુજીએ વિચાર કરતાં એકદમ બૂમ મારી.
જી પિતાજી!”
અમે તો દિલ્હી જઈશું. તું આગ્રાને કિલ્લે જાળવજે ને આ દુકાળિયાંને કંઈ ઉપાય બની શકે તો કરજે. આપણું પાપનો પહાડ એ રીતે કંઈ હળવો થાય તો કરવા જેવો છે. થોડાંઘણું નદીનવાણું કરાવજે, બાંધકામ કાજે, જોઈએ એમને શાહી ચાકરી આપજે. મરતા જીવ બચી શકે તે બચાવવા જેવા છે.”
આગ્રાના કિલ્લામાં વિજેતા બનીને પ્રવેશ કરતા શ્રાવક નરે આવી
૩૪૮ : આગ્રા-દિલ્હી ઝડપાયાં
Page #366
--------------------------------------------------------------------------
________________
આભલેાચના સાથે પ્રવેશ કર્યાં, ને સહુએ આરામ લેવા માટે દેડ લખાવ્યા ત્યાં તે દિલ્હી ઉપર ચઢાઈના વમાન વાયુવેગે પ્રસરી ગયા. મેદાનમાં હેમુજીના નામના સિક્કા પડતા હતા. ખબર સાંભળી વાધ જેવા તારદીભેગ થરથરી ઊઠ્યો. એણે અકબરની સેવામાં પત્ર માકલ્યે. આજુબાજુથી નામીચા સરદારાને ધડીનાય વિલંબ વિના કુમકે આવતા કાગળા લખ્યા. આ તરફ હેમુની સેનાના, એના હયસવારેાના, એના પદાતિના શમાંચક સમાચાર આવવા લાગ્યા. તારદીભેગ એક પછી એક મંત્રણાસભા ભરવા લાગ્યા, પણ આ પ્રચંડ શત્રુથી સહુ એવા ગભરાઈ ઊઠવ્યા હતા કે કઈ નિણૅય પર આવી ન શકળ્યા.
થાડા દિવસે તે રાત્રિએ વીતી. સમાચાર આવ્યા હતા, કે સરદાર ખાનજમાં અલીકુલીખાં લશ્કર સાથે મેરઠ સુધી આવી પહે[ચ્યા છે, જમના નજીક આવી પહોંચવાની તૈયારીમાં છે. મદદે તા મેટી આવતી હતી. તારદીખેગ દિલ્હીના દરવાજા બંધ કરી સંભલથી આવતા મહાન યાહા અલીકુલીખાંની રાહ જોવા લાગ્યા. પણ અલીકુલીખાં અડધે રહ્યો ને હેમુની સેનાનાં ડંકાનિશાન ગડગડી ઊઠયાં. આવતા શત્રુને રાકવા જ જોઈ એ. શૂરા તારદીક્ષેગે પેાતાની સેનાને સજ્જ કરી, તેાપખાનાં પાડયાં ને દિલ્હીથી દશ કાશ દૂર આવેલા તુગલકાબાદ આગળ મેરયા ગેાઠવ્યા. આ વયેવૃદ્ધ તે કામેલ સેનાનીએ અજબ વ્યૂહરચના કરી. બાદશાહ બાબરની વ્યૂહકળાઓ એ જાણકાર હતા.
પ્રચંડ કાળમુખી તેાપા સાંકળેાથી બાંધીને વચ્ચેાવચ ગેાઠવવામાં આવી, તે તારદીમેગે એની આગેવાની લીધી. તેાપેાની બે બાજુ એ પાંખમાં ધાડેસવારા ગેાઠવાયા, તે તાપાની પાછળ પૈગ્નલ સિપાહીઓ સજ્જ થઈને ખડા રહ્યા. શમશેરજ’ગ મુલ્લાં પીરમહમદ જમણી બાજુની પાંખમાં આગેવાની લઈ તે ખડા હતા. વ્યૂહ અભેદ્ય રચાયા હતેા. મારમાર કરતી હેમુજીની સેના સામે આવીને ગે।ઠવાઈ ગઈ.
આગ્રા-દિલ્હી ઝડપાયાં : ૩૪૯
Page #367
--------------------------------------------------------------------------
________________
સેનાપતિ શાદીખાન આગેવાન બનીને તપખાના પાસે ખડે હો. હેમુછ ત્રણ કુશળ હાથીઓ સાથે કે પોતાના અજેય લશ્કર સાથે યુદ્ધમેદાનથી દૂર હતા. આસમાનના કોજાને ધ્રુજાવતા તોપગોળાઓએ યુદ્ધને આરંભ કર્યો. આ ગરવ પછી વીજળી થવી આવશ્યક હતી. તોપોની પછી તીર, તલવાર ને બરછીઓએ પોતાનું કામ શરૂ કર્યું. મોગલ લશ્કર જમ્બર ઝનૂનથી લડી રહ્યું હતું. કુશળ તારદીબેગ બાજીને હાથમાં રાખી રહ્યો હતો.
- શાબાશ, મોગલ બહાદુરે ! રંગ છે તમારી જનેતાને ! અફઘાને પીછેહઠ કરીને ભાગતા હતા. ભાગે એ ભડને દીકરે એવો ઘાટ રચાયે હતો. મોગલેએ કમર કસીને પીછો કર્યો હતો. આજ તો બબે પેઢીનાં વેર સંતોષવાં હતાં. મહારથી હેમુછના હાથ પણ ઢીલા પડ્યા જોવાતા હતા. એ એક બાજુ મોટી મોટી મૂછો પર હાથ રાખીને સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. શું કરે ! આજ ધારેલી બાજી ધૂળમાં મળી હતી. અફઘાને મૂઠીઓ વાળીને ભાગતા હતા. મોગલ આડુંઅવળું જોયા વગર એમને વેગથી પીછો પકડી રહ્યા હતા.
દિલ્હી દૂર રહ્યું. હેડલ પલવલ નજીક ભેટેભેટા થવાની તૈયારી હતી. ત્યારે અચાનક નાસતી ભાગતી આ અફઘાન સેના ઊભી કેમ રહી ગઈ? એણે મોં કેમ પાછાં ફેરવ્યાં ? મોતના મેમાં પેઠેલા સસલાએ શીંગડાં માંડ્યાં ? પીઠ બતાવીને ભાગતી હેમુછની સેનાએ ધનુષ્યમાં તીર ચઢાવ્યા, બંદૂકમાં ગોળીઓ ધરબી ને ફરી પાછું યુદ્ધ જામી ગયું. તારદીબેગ ને રણમેદાન તો ક્યાંનાં ક્યાં રહ્યાં ને અહીં ઘમસાણ મચ્યું.
ફતેહની મગરૂરીમાં આવી ગયેલા મેગલે, સામેના દુશમને સાથે કામ પતાવી લે ત્યાં તો બાજુમાંથી તીરોની વર્ષો થવા લાગી. તેઓ પાછળ ફરવા જાય છે, તો અહીરાવણને મહીરાવણ જેવા અફઘાનો ને મેવાતીઓ ત્યાં પણ ખડા હતા. બિલાડીના ટોપની જેમ આ ક્યાંથી ૩૫૦ : આગ્રા-દિકહી ઝડપાયાં
Page #368
--------------------------------------------------------------------------
________________
ફૂટી નીકળ્યા ?
અને પાછળ દૂર દૂર કિકિયારી સંભળાણું. મહારથી હેમુજીએ પિતાના ગજદળ સાથે તારદીબેગના બાકી રહેલા લશ્કર પર હલે કરી દીધે હતો. ઊખડી ગયેલા પગપાળા અફઘાને મેલેની ઉપર દાંત પીસીને તૂટી પડયા. ચારે તરફની જીવતી કિલ્લેબંધીમાં સપડાયેલા મોગલ સૈનિકોને મત સિવાય છુટકારો નહોતો.
શત્રુની ચાલાકી સમજાણું. અચાનક બૂમ પડી: “ તારદીબેગ નાઠો છે. અલવરનો હાજીખાં અફઘાન હેમુજીની મદદે આવી પહોંચ્યો છે.” આ સમાચારે થાકેલા મોગલ સૈનિકોના પગ ઉખેડી નાખ્યા. મુલ્લા પીરમહમદ નાઠા. લાગ જોઈને તારદીબેગ નાઠે. વીર મેગલે મારીને મર્યા. કાયરે નાસી છૂટયા. મહારથી હેમુજીએ દિલ્હી સર કર્યું.
સિંહાસનની સુંદરીએ સ્વયંવરમાં પાંચ પાંચ રાજવંશીઓને રઝળતા મૂકી, એક બનિયાવીરને કંઠે વરમાળા આરોપી.
IS 'T 11titri,
RJilli
આગ્રા-દિલહી ઝડપાયાં : ૩૫૧
Page #369
--------------------------------------------------------------------------
________________
વિક્રમાદિત્ય
૩૨ પાંની પાટનગરી, તુવાર ને ચૌહાણની રાજનગરી દિલ્હી આજે ફરી એક વાર સૌભાગ્યનો શૃંગાર સજી રહી હતી. શેરીએ શેરી રણુતૂર, શરણાઈ ને રણભેરીના નાદથી ગુંજી રહી હતી. ગલીએ ગલી હર્ષના આવેશમાં ગીત, વાઘ ને નૃત્યથી ગુલજાર બની બેઠી હતી.
અપ્રતિથિવિજેતા, વિરકુલચૂડામણિ, મલિક મુઆઝિમ, અલી જહાં રાજરાજેશ્વર મહારાજાધિરાજ “હેમુ આજ “વિક્રમાદિત્ય'નું બિરુદ ધારણ કરી દિલ્હીના સિંહાસને બિરાજતા હતા. ભાટચારણોએ ગળાં વહેતાં મૂક્યાં હતાં. વૈતાલિકોએ વહેલી પરોઢથી સુંદર સરોદે ચોઘડિયાં શરૂ કરી પ્રજાને જાગ્રત કરી હતી મંગળ ગીત ગાતા બંદીજનો સિંધૂડા રાગમાં રાજરંગનો ઉત્કર્ષ આણતા હતા.
દિવસો સુધી તરસાવતી રહેલી આકાશની જલભરી વાદળીઓ આખી રાત વરસી હતી. મેરલાઓ ઊંચી ડાળે ને મહાલયના શિખરે બેસી ટહૂકા પાડતા નેકી
૩૫ર
Page #370
--------------------------------------------------------------------------
________________
પાકારતા હતા. મેધરાજના છાંટેલા રાજમાર્ગો ને શેરીઓ પર પુરકન્યાઓ ઇન્દ્રધનુ જેવાં પટકુલ પડેરી, હીરામેાતીની દામણીએ બાંધી, રંગાળી ને સાથિયા પૂરતી હતી, આસાપાલવનાં તારણા આંધતી હતી, ને પુષ્પાના હારતારાએ ગૂ ંથતી હતી.
નગરજને કેળના સ્તંભાથી તે ખજૂરીનાં પાનથી નાના નાના ગધમડપેા ઊભા કરી, હારતારાથી એની રચનામાં નૈપુણ્ય દાખવતા હતા. કુંકુમાયા માર્ગ પર કેંસરનાં છાંટણાં કરવામાં આવ્યાં હતાં. દુકાનામાં હીરાગળ, રેશમી, કસબી વઓની બિછાયત કરી મેાતીમાણેકથી દુકાના શણગારી હતી. કેસર, ચંદન ને સુગંધી ધૂપ-દીપથી મધમધતા જરિયાની મ`ડપેા રચવામાં આવ્યા હતા. જ્યાં કુસુમકી જેવી મુગ્ધાએ હાથમાં પુષ્પ, ને ચંદન લઈ માતી ને સુવર્ણ અક્ષતે હેમુજીને વધાવવા સજ્જ થઈ ઊભી હતી. ઊગતી ઉષાની લાલિમા શા એમના દેહ આપતા હતા.
આર્યાવત ના રાજવીએના ઇતિહાસમાં આ નવીન ઘટના હતી. વેદપઠન, યજનયાજન જેમ બ્રાહ્મણેા માટે નિશ્ચિત હતુ તેમ રાજ્યા ભિષેક તે રાજપદ ક્ષત્રિયા માટે સુરક્ષિત હતું. રાય પિથૌરા (રાજા પૃથ્વીરાજ ) પછી દિલ્હીના ભાગ્યાકાશમાંથી આથમેલા હિંદુ રાજાએ પછી, આજે આ વીર એક હિન્દુરાજા તરીકે આવતા હતા. પણુ વિક્ષેપ માત્ર એટલે જ હતા કે એ ક્ષત્રિય નહેાતા; એક શ્રાવક–જૈન અનિયેા હતેા. એક જૈન રાજા અને એ કેમ ચાલે ? ક્ષત્રિયા એની સેવા કેમ કરે? બ્રાહ્મણા એને જયધ્વનિ કેમ ઉચ્ચારે?
પશુ નિષ્ણાત વેદપાઠીઓએ આ ગૂંચ ઉકેલી નાખી હતી. તેઓએ હેમરાજજીની વશાલ શેાધી કાઢી. ઇંદા પડિહારાનું કુલ તે રાજા નાનુદેવજી સાથે સંબંધ સ્પષ્ટ કર્યાં હતેા.* રાઠોડ વંશના સાથે × છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક વખતે આ જાતના પ્રશ્ન ઊઠેલે ને આ રીતે સમાધાન કરવામાં આવેલું.
૨૩
વિક્રમાદ્વિત્ય : ૩૫૩
Page #371
--------------------------------------------------------------------------
________________
એમના ખાનદાનને મેળ મેળવી દીધો હતો. આમ કુળને લગતી એક મુશ્કેલી દૂર કરવામાં આવી હતી ને જ્યારે ધર્મો જૈન પણ કુળથી રાઠેડવંશી હેમરાજજીની રાજ્યાભિષેક–પત્રિકા દેશદેશાવરમાં પાઠવવામાં આવી ત્યારે મોટા મોટા ઋત્વિજે, વેદપાઠીઓ, અગ્નિહેત્રીઓ, સામવેદીએ દિલ્હીના આંગણે આવી ઊતર્યા હતા. રાજરજવાડાં, સગાંસંબંધી, પંડિત–ઉલેમા બધાથી જમનાનાં જળ જાગી ઊઠયાં હતાં.
શાસ્ત્રોક્ત પદ્ધતિથી રાજ્યાભિષેક ઊજવવાની આશા પત્રિકા બહાર પડી હતી. દિવસોથી હોમહવન, મંગળપાઠ ને શાંતિસ્નાત્રો ચાલુ હતાં. એને મન હિન્દુ-મુસ્લિમ ભેદ નહોતા. એને જૈન, વૈષ્ણવ કે વિ પ્રત્યે કદાગ્રહ નહોતો જ. સર્વધર્મ પ્રજ સંતુષ્ટ થાય એ રીતે રાજ્યાભિષેક ઊજવવાને હતો.
રાજમહાલયના પ્રાંગણમાં દેવદેવતાનાં પૂજન-અર્ચન ચાલુ હતાં. સદાવ્રતો ખૂલી ગયાં હતાં. બ્રહ્મભોજન ચાલી રહ્યાં હતાં ગરીબગરબાને ભેદભાવ વગર દાન–ખેરાત અપાઈ રહ્યાં હતાં. મંદિરને મરિજદ, એક જ ભાવે આરાધાઈ રહ્યાં હતાં.
અષ્ટાહિકા (આઠ દિવસને મહોત્સવ) ચાલુ થયો હતો. બે દિવસની વ્રતબંધવિધિ, એ પછી રજેરજની લુપ્તવિધિ, આનુષંગિક વિધિ, પુણ્યાહવાચન, યજ્ઞ ને શાંતિ ચાલતાં હતાં. જાતજાતના દેવને જાતજાતની સિદ્ધિ-ઋદ્ધિ માટે આમંત્રવામાં આવતા હતા. શક્તિ માટે સવિતા, કૌટુંબિક સુખ માટે અગ્નિ, વનરક્ષા ને બળ માટે સોમદેવ, સાજવહીવટી સામર્થ્ય માટે ઇદ્રદેવ, જનપદરક્ષા માટે રુદ્ર, સત્ય માટે મિત્ર ને ન્યાય માટે વરુણદેવનું પૂજન-અર્ચન ચાલતું હતું. વ્યાઘ્રચર્મ પર ઊભા રહી મહારાજ હેમરાજજી વ્રત લેતા હતા?
સત્યં સર્વ, સત્યે ધમઃ सत्यानृते वरुणः सत्य राजा ।
૩૫૪ : વિક્રમાદિત્ય
Page #372
--------------------------------------------------------------------------
________________
આમ અષ્ટાહિકા મહત્સવના દિવસે પૂરા થયા હતા. ને રાજ્યાભિષેકને દિવસ આવી પહોંચ્યો હતો. દિલ્હી નગરી આજે માનવપૂરથી વ્યાપ્ત બની ગાજી રહી હતી.
રાજ્યારોહણ અર્થે નગરપ્રવેશનું મુહૂર્ત જેમ જેમ નજીક આવી રહ્યું હતું, તેમ તેમ વાજિત્રેના નાદ વધતા જતા હતા. દિલ્હીની દુનિયા વિધવિધ જાતનાં વાજિંત્રોના નાદમાં ગાજી ઊઠી. હતી. કિલ્લાનો બુરજેબુરજ, દરવાજે દરવાજો અપૂર્વ શોભા ધરી બેઠો હતો. રાજ ભેજના જેવા શહેનશાહ શેરશાહના પ્રિય મિત્ર, વિરવર હેમરાજને કોણ જાણતું નહોતું ? કેણુ પિછાનતું નહતું ?
યથાસમયે નાબતો ગડગડી ઊઠી. કિલ્લાની દીવાલ પરની તોતિંગ તો ગર્જવા લાગી ને જયજયકારના વનિ સાથે નગરપ્રવેશ શરૂ થયો. શરણાઈ, રણુતૂર, ઢોલ, નગારાંની પાછળ અશ્વમેધ યજ્ઞના જેવા બે પંચકલ્યાણ અશ્વો થનગન થનગન નાચતા આવતા જેવાયા. એમની પહેલી મખમલી પીઠ પર કોઈ અસવાર નહોતો. ઝડા, નિશાન, સોનેરી વાવટા ને વિધવિધ શસ્ત્રોથી એ શણગારેલા હતા. એની પાછળ મોટી મોટી ખૂંધવાળા બળદેથી ખેંચાતું તોપખાનું હતું. એની પાછળ ઊંટસવાર હતા ને ઊંટ પર મુકાતી પચરંગી વાવટાઓથી શણગારેલી જંજાલે હતી. ઊંટસવારની પછી પાયદળ સૈનિકે ચાલતા હતા. પહાડ જેવા અફઘાન–પઠાણે, ઊંચા તાડ જેવા બલૂચી-ખોરાસાની, શિવગણ જેવા ભયંકર મેવાતી, રણદેવતા જેવા રજપૂતો ને મારવાડી યુદ્ધાએ શસ્ત્રસજજ ચાલતા હતા.
આ પછી પિતાના ખરીના પ્રહારથી ધરતી ધ્રુજાવતા કોતલ ઘેડાના અસવાર હતા. એમના ભાલા પર પચરંગી નેજા ફરફરતાં હતાં. એમના અબલખ ઘોડાઓ જાણે જુદ્ધે ચઢળ્યા હોય એમ નાટારંભ કરતા હતા. એમને રેશમી ને કીમતી સાજસરંજામ ને સિંહસમી કેશવાળી નયનાભિરામ હતાં.
વિક્રમાદિત્ય : ૩૫૫
Page #373
--------------------------------------------------------------------------
________________
ઘેાડેસવારેાની પછી ગજસવારે। હતા. મદઝરતા માતંગીની શ્રેણીઓ દુશ્મનદળને જોવા માત્રથી કપાવી નાખતી હતી. આ એક એક હાથી ગજયુદ્ધ-કલાકુશળ વિક્રમાદિત્ય મહારાજ હેમરાજના હાથે કેળવાયેલ હતેા. હાથી પરની મણિરત્નજડિત પાખરા-અંબાડીએ ઊગતા સૂર્યના પ્રકાશમાં નાહી રહી હતી. એમના ગંડસ્થળ પર સિ ંદૂરની અર્ચાએ હતી, તે ગળામાં ધાંટા ને ધૂધરમાળ ગાજતી હતી. પ્રત્યેક મહાવતે પેાતાના જીવનાધાર પ્રાણીને અનેકવિધ ચિત્ર વલિએથી અંકિત કર્યું. હતુ..
સહુ પ્રથમ યુદ્ધનીતિનિપુણ ગજરાજકેશરી ‘ હવા ' મદભર્યાં ચાલતા હતા. સેાનારૂપાની સાંકળા, કીમતી મણિમય રત્નજડિત અબાડી ને સુવણૅધટાથી એ શેાલતેા હતેા. એના પર મહારાજાધિરાજ વિક્રમાદિત્ય હેમરાજ બેઠા હતા. ગાખ તે ઝરૂખા, વાતાયને તે વિદ્વારા હજાર હજાર આંખે આ અદ્ભુત ચૈાહા તરફ જોઈ રહ્યાં. હતાં. જ’ગેમેદાનના જાદુગર, મહારથી કર્ણ જેવા આ શૂરવીર પુરુષને સગી આંખે નિહાળવા એ જીવનનુ ખરેખર સદ્ભાગ્ય હતું. હિંદુ કે મુસ્લિમ, જૈન કે શવ અઢારે વર્ણ એકસરખી આંખે આ યાદ્દાને નીરખી રહી હતી.
:
વીરવર હેમરાજજી રાજવ'શી ગૌરવથી ચારેતરફ ધીરી નજર નાખતા જયજયધ્વનિ સ્વીકારતા હતા. એમની આંખા જાં કરતી ત્યાં જાણે જાદુ થઈ જતું. આ જ ગેમ પુરુષ વિષે જાતજાતની, ભય'કર ચહેરામહારાની, પ્રેતપિચાશ જેવી કાયાની કલ્પના કરનારા નમણી, સુંદર, પ્રતાપી દેહછંખી નીરખી આશ્ચર્યાન્વિત બની જતા હતા. એમણે મસ્તક પર મણિરત્નજડથો સુવર્ણ મુકુટ મૂકયો હતેા. કાનમાં બહુમૂલ્ય કુંડળા ધારણ કર્યાં હતાં. એ હાથે કીમતી બાજુઅંધ અંધ્યા હતા. હાથની દશે આંગળીએ ન કલ્પી શકાય તેટલી કીમતની મુદ્રા ધારણ કરી હતી. હાથમાં શ્રેષ્ઠ વીરકોંકણુ પહેર્યાં
૩૫૬ : વિક્રમાદિત્ય
Page #374
--------------------------------------------------------------------------
________________
હતા ને વિશાળ લલાટ પર તિલક કરેલું હતું. કોઈ દુર્ગના દ્વારા જેવું વિશાળ વક્ષસ્થલ, મેટી પ્રચંડ ભુજાઓ ને સદા ટટાર રહેતું મસ્તક વીરરસની મૂર્તિમંત પ્રતિભાને પ્રત્યક્ષ કરતું હતું.
મહારાજ હેમરાજની પછી વીર સેનાપતિ શાદીખાનને હાથી હતો. શાદીખાનને કરડે ચહેરો જોવા માત્રથી સત્તા જમાવે તેવો લાગતો હતો. શાદીખાનની પછી યુગરાજજીનો હાથી હતો. નાને છેલછબીલે આ કુમાર સ્વર્ગના કેઈ દેવતાની યાદ આપતો હતો. આ પછી જુદા જુદા હાથી પર બેઠેલા પ્રચંડ યોદ્ધાઓ હતા. આ એકએક યોદ્ધો એકએક સૈન્ય એટલે હિંમતવાન, સાહસી ને ઘર નહતો.
ગજસેના પછી ત્રામજાળ, ડોળીઓ, સુખાસનો ને પાલખીઓ હતી. સવારી મંદમંદ ગતિએ આગળ વધી રહી હતી. સ્થળે સ્થળે શ્રેષ્ઠ ગોત્રીડાના કળશ ધારણ કરેલી કન્યાઓ સોના–મોતીના ફૂલડે વધાવતી હતી. દેશદેશમાંથી મંત્રીઓ, સામતે, નગરજનો આ રાજ્યારોહણું નીરખવા આવ્યા હતા. ભાટ–ચારણે દિલ્હીશ્વર બનનાર રાજવીઓની ગુણગાથા ગાતા ફરતા હતા. વર્ષો પછી એક હિંદુ રાજવી દિલ્હીના સિંહાસને આવતો હતો.
તેઓ કવિતા ગાતા ગાતા પુરાણો ઈતિહાસ સજીવન કરતા હતા.
ભાટચારણોની કવિત્વશક્તિ ખીલતી જતી હતી. વાજિંત્રોના નાદ તેમને ઉત્તેજિત કરી રહ્યા હતા. મહારાજ હેમરાજના હાથીની અંબાડી ફૂલહાર ને સુવર્ણ અક્ષત તથા મેતીથી ઊભરાતી જતી હતી. જયજયનાદથી દિશાઓ ગાજતી જતી હતી.
રાજ સવારી રાજપ્રાસાદમાં આવી પહોંચી હતી. રાજ્યાભિપેકની સર્વ સામગ્રી તૈયાર હતી. ગંગાજળ, પંચામૃત ને હેમહવન શિયાર હતાં. થોડીવારમાં મહારાજ હેમરાજ ને મહારાણી કુંદનદેવીની
| વિક્રમાદિત્ય : ૩૫૭
Page #375
--------------------------------------------------------------------------
________________
રાજ્યાભિષેક વિધિ શરૂ થઈ, પંડિત ને ઉલેમાઓએ મત્રાચ્ચાર તે દુ શરૂ કરી, મહાશાસ્ત્રી તે મુફ્તી ખુશખુશાલ દિલે વધાઈ આપવા લાગ્યા. રાજ્યાભિષેકની તાપે તે નાખતા એકધારી ગડગડી રહી.
રાજ્યાભિષેક અર્થ પવિત્ર ક્ષીરવૃક્ષના કાનુ સવા હાથ ઊંચું સિંહાસન ચૈાજવામાં આવ્યું હતું. મૃત્તિકાના ભેામાં મહાસાગર, મહાનદીએ તે મહાકુ ંડાનું. જળ ભરવામાં આવ્યું હતું. ક્ષીરકાષ્ઠના સિહાસનની પૂર્વ દિશાએ ધૃતપૂ સુવર્ણ કળશ, પશ્ચિમે દષિપૂર્ણ તા×કળશ, ઉત્તરે મધુપૂર્ણ કળશ તે દક્ષિણે દુગ્ધપૂર્ણ રોપ્ય કળશ મૂકવામાં આવ્યા હતા. ઉદિશાઓમાં પણ અગ્નિખૂણે ત્ર, નૈઋત્ય ખૂણે વ્યંજન, ઈશાન ખૂણે ચામર ને વાયવ્ય ખૂણે લેખનપાત્ર મૂકવામાં આવ્યાં હતાં.
મહારાજ હેમરાજજી મિત્રાવરુણની પીઠિકા પાસે જઈને ઊભા રહ્યા, એટલે મત્રાચ્ચારથી પવિત્ર થયેલ તીર્થંક આમ્રપત્રથી તેમના પર છાંટવામાં આવ્યું. આ અભિસિચનક્રિયા મંત્રી, પુરૈાહિત, સેનાપતિ અને તે પછી પ્રજાવના વૈશ્ય, બ્રાહ્મણુ ને શુદ્ર આગેવાનેએ પણ કરી. માચ્ચાર વેગપૂર્ણાંક ચાલુ થયે।.
રાજપુરેાહિત સેાનાની કથરાટ લઈ આગળ આવ્યા. મહારાજ વિક્રમાદિત્ય તેમાં ઊભા રહ્યા તે એકસે આઠ દ્ધિવાળી સુવ ઝારીથી તેમના પર અભિષેક શરૂ થયેા. પુરાહિત અભિષેક કરતા ખેલતા હતા :
• હું મહારાજ, સેામદેવની અપાર કીર્તિને હું તમારા પર અભિષેક કરું છું. અગ્નિદેવના પ્રચંડ તેજપુંજનેા તમારા પર અભિષેક કરું છું. ઇંદ્રદેવના સ્વામિત્વના—વસના—હું તમારા પર અભિષેક કરું છું. સપાલક શક્તિઓના તમે સાલૌમ રક્ષણકર્તા થા !' ૩૫૮ : વિક્રમાદિત્ય
Page #376
--------------------------------------------------------------------------
________________
મહારાજ હેમરાજે અભિષેક સ`પૂર્ણ થતાં ત્રણ ડગલાં ચાલી સિંહાસન પર પેાતાનું સ્થાન લીધું. આ સાથે આખા મંડપ શ્લોકમત્રાથી ગાજી ઊઠયો. સહુ ઉચ્ચ સ્વરે ગાતા હતાઃ
इयं ते राष्ट्रं यन्तासि यमनेा ध्रुवोऽसि धरुणः । ચૈવા ક્ષેમાય, વા હૈ, વા વેસાય વા
આ માચ્ચાર પૂરા થયા પછી વિધિપૂર્વક રાજદંડ અને મહારાજ હેમરાજને આપણુ કરવામાં આવ્યાં. ચારે દિશાએમાંથી ધન્યધન્યના અવાજો આવી રા હતા.
તલવાર
રાજ્યાભિષેકવિધિ સમાપ્ત થયા બાદ રાજદર ભરવામાં આન્ગેા. દિલ્હીના દરબારમાં ફરીથી નવી રાનક પ્રગટી હતી. પ્રારંભિક વિધિવિધાના બાદ નજરાણાં ને ગુજરાને વિધિ ચાલ્યા. મહારાજે પેાતાના પરાક્રમી વીરેશને ખાસ ખિલઅંત ( પેાશાક ), ઝવેરાત મનસબ તે ઇઝાફા ને બહાદુરીના ખેતાબ આપ્યા. સરદ્વારા તે અમીર ઉમરાવાએ દમમાસી કરી પેાતાની વફાદારી પ્રદર્શિત કરી. આ બધાં વિધિવિધાન પૂરાં થયા પછી સહુએ મહારાજ હેમરાજને • વિક્રમાદિત્ય ' નું બિરુદ આપ્યું, ને સભા ફરીથી જયજયકાર કરતી ગઈ ઊઠી.
મહારાજાધિરાજ વિક્રમાદિત્ય હેમરાજએ દૃષ્ટદેવ, પૂજનીય પુરુષો તે પૈારજાને નમસ્કાર કરતાં પેાતાનું વક્તવ્ય શરૂ કર્યું. તેમણે કહ્યુઃ
A
• આજે મારા મિત્ર શહેનશાહે શેરશાહની યાદ મને ફરી તાજી ચાય છે. સામ્રાજ્ય સ્થાપવાના અમે બંને સ્વપ્નદ્રષ્ટા હતા. એમનું
આ રાજ્ય તને સોંપવામાં આવે છે. તુ તેના અધિષ્ઠાતા ને શાસક છે. હું ધ્રુવ છે ને ધર્તા છે. કૃષિ માટે, ક્ષેમ માટે, આખાદી માટે, વૃદ્ધિ કરવા માટે તને રાજ સાંપ્પુ' છે.
~~~
સહિતા. ’
વિક્રમાદ્વિત્ય : ૩૫૯
Page #377
--------------------------------------------------------------------------
________________
અધૂરું સ્વપ્ન આજ પૂરું કરવાનું મારા નસીબે આવ્યું. મરહૂમ શહેનશાહનું પેલું પુરાણું વાક્ય મારે પણ કહેવું જોઈએ કે રાજ્યની અમરતા ને શાશ્વત સાર્વભૌમતા કોઈને પ્રાપ્ત થઈ નથી. હમેશ સુધીનું રાજ પદ અને સદા ટકે એવી બાદશાહી તો માત્ર ઈશ્વરની
?
મારા વહાલા પ્રજાજન, કાઈ ઈશ્વરી સંકેત જ હશે કે મારે આ રાજસત્ર ગ્રહણ કરવું. તમે બધા જાણે છે કે હું તો તમારા શહેરને એક ઝવેરી છું. આ જ શહેરનાં અન્ન-જળે મને સામ્રાજ્યનાં સ્વપ્ન આપ્યાં છે. આજે ઝવેરી બની જગસંધાન કરવા આવ્યો છું. હું તો છું હીરાપારખું! મારા હીરા તમે જોયો જ હશે.” મહારાજ હેમુજીએ પોતાની બંને બાજુ અદબથી ઊભેલા પોતાના દ્ધાએ સામે નજર નેધી.
પ્રજાજનો! અદલઇન્સાફ, આંતરિક શક્તિ ને આબાદી એ મારું ધ્યેય છે. હિંદુ ને મુસલમાન બંને મારા છે, જૈન, શિવ ને બ્રાહ્મણ મારા છે. હિન્દની ભૂમિને પિતાની માનનારા સહુ મારા છે. માણસ પોતાની બે આંખમાં કોને તરછોડે? ધનિકોનું ધન, સ્ત્રીઓનું શિયળ, ખેડૂતોની જમીન ને ગરીબનાં અન્નપાણઃ આટલું સચવાય તોય એક રાજવીએ ઘણું કર્યું લેખાય. બ્રાહ્મણનું અધ્યયન, વેપારીને વેપાર ને મુરિલમોનો ધર્મ: એનું રક્ષણ એ મારી ફરજ છે. હિન્દની સંસ્કૃતિના અનેક રંગ ને અનેક ખૂબીઓ છે. અનેક પંથ ને બહુવિધ મતભેદ છે. એ સાર્વજનિક સંધાન કરવાની મારી આજની આકાંક્ષા છે. વિશ્વાસ રાખશો કે જૈન, વૈષ્ણવ, શૈવ કે ઈસ્લામીના ભેદે રાજકારણે નહીં સ્પર્શે !
એ પણ યાદ રાખજો કે એક રાજાની ફરજ કેવળ દેશ છતી લીધે પૂર્ણ થતી નથી. વિજય એ એક વાત છે, ને જિતાયેલા દેશ પર ન્યાય ને ધર્મપૂર્વક રાજ્ય કરવું એ બીજી વાત છે. સંસારનું ૩૬૦ : વિક્રમાદિત્ય
Page #378
--------------------------------------------------------------------------
________________
કે રાજ્ય ન્યાય ને ધર્મ વિના ટકી શકયું નથી. નબળા પોચાને પીડનાર ને સબળોની પીઠ થાબડનાર પોતાના કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. ને ઇતિહાસ એને રાજા નહીં પણ કુરાજ કહે છે. પંચયનીય હિન્દુ રાજાને આદર્શ ખરેખર સુરાજ્ય સ્થાપવાને લાયક છે. એ રાજાને પ્રથમ યજ્ઞ દુષ્ટોનું દમન કરવું તે છે. બીજા યજ્ઞમાં સુજનોની સેવા–નરરત્નની પરીક્ષા કરવી તે છે. તૃતીય યજ્ઞમાં ન્યાયપૂર્વક રાજભંડારની વૃદ્ધિ કહી છે. ચોથા યજ્ઞમાં અપક્ષપાત-ભેદભેદ, મતમતાંતરથી દૂર રહેવું ને પંચમ યજ્ઞમાં દુશ્મનોથી રાષ્ટ્રની રક્ષા કહી છે. મને લાગે છે, કે પૃથ્વીના પડને કોઈ માનવી આવા રાજાને સ્વીકારવાની ના નહીં કહે. મારાં સ્વપ્ન મહાન છે, મારી સેના અવિજેય છે, મારા બહાદુર સરદારો ને સિપાહીઓનું અદભુત વીરત્વ ને મારી કુશળ રાજનીતિ સામે સંસારનું સામ્રાજ્ય સલામત નથી. એક મુસ્લિમ તવારીખકાર કહે છે, કે હિન્દી સામ્રાજ્ય ખોરાસાન પર્વતોથી ટિબેટ સુધી ફેલાયેલ હતું, ગજની ને કંદહાર ભારતવર્ષમાં હતાં. હેલમન્દ નદીનો પૂર્વ પ્રદેશ હિન્દુસ્તાન કહેવાતો. ગાંધારની (કંદહાર) રાજકન્યા દિહીશ્વર ધૃતરાષ્ટ્રને વરવા આવતી. સ્વપ્નાં મહાન છે, પણ સિદ્ધ થઈ શકે છે. એને સિદ્ધ કરવાનું કામ મારું ને તમારું છે, ને બહાદુરે, એમાં સિદ્ધિ અપાવવી ન અપાવવી એ કામ વિધાતાને હાથ છે. એ વિધાતાને આપણે નમસ્કાર હે. ૧ “છેલ્લે છેલ્લે આર્યરાજાઓની રાજપ્રતિજ્ઞાને એક સુંદર સ્લેક તમારી સમક્ષ કહીશ, કે જેમાં મારી સર્વ કલ્યાણકામનાને આવિર્ભાવ રહેલ છે. મહાભારતકાર એ પ્રતિજ્ઞા વર્ણવતાં કહે છે?
प्रतिज्ञाश्चाभिरोहस्व. मनसा कर्मणा गिरा । पालयिष्याम्यहं भौम, ब्रह्म इत्येव चासकृत् ॥ यश्चात्र धम्मों नीत्युक्तो दण्डनीतिव्यपाश्चयः । तमशंकः करिष्यामि स्ववशो न कदाचन ॥
વિક્રમાદિત્ય : ૩૬૧
Page #379
--------------------------------------------------------------------------
________________
C
રાજા, મનમાં મેલ રાખ્યા વગર ખુરા અંતઃકરણ, કમ અને વચનÑ પ્રતિજ્ઞા લે, કે
દેશને ઈશ્વરરૂપ માનીશ અને એની પ્રગતિ માટે સદોદિત
૮ માર્ગો ચિંતા કરીશ.
અહીં જે જે કાયદા ઉપલબ્ધ છે, નીતિ પ્રમાણે જે જે કરવા પડે, જે જે રાજક'થી વિરુદ્ધ ન હોય તેને કંઈ પણ આનાકાની વગર હું યાળીશ, ને સ્વેચ્છાચારી નહિ બનું,'
<
પ્રિય પ્રજાજના ! આ પ્રતિજ્ઞા મારી પ્રતિજ્ઞા હા! એનુ પાલન કરવાનું સામર્થ્ય મને હા! ફરીવાર હું આપ સહુને અભિવાદન કરું છું.'
'
મહારાજ વિક્રમાદિત્ય હેમરાજે પેાતાનું વક્તમ્ય સપૂર્ણ કર્યું. આખા દરબાર જયજયધ્વનિથી ગુંજી ઊઠયો. દરબાર વિસર્જન થયેા. એ આખા દિવસ મંદિશમાં પૂજા-આરતી થતી રહી, મસ્જિદોમાં દુઆઓ થતી રહી! કાંય નાટારંભ, કાંય ગીતવાદ્ય, એમ નગરી ગાજી ઊઠી.
સધ્યાકાળે રાજપ્રાસાદની આજુબાજુ એકઠી મળેલી મેદનીને મહારાજ વિક્રમાદિત્યે દન આપ્યું. નદીની રેતમાં હાથીઓની સાઠમારી, અશ્વોની હરીફાઈ વગેરે મેદાની રમતે થઈ, ત્યાં તે દેવ મદિરામાંથી સંધ્યા-આરતીના શંખ ને ઘંટ વાગી ઊઠવ્યા.
મહાવૈભવી રાત્રિ ધીરે ધીરે તારલિયાને શૃંગાર સજીને આવી. નગરમાં આતશબાજીને પ્રારંભ થયા. ગભારા આકાશને અજવાળવા લાગ્યા. ધરેલર દીપમાળાઓ તેજ વેરવા લાગી. મુરજ પર લટકર્તા ચીનાઈ ફાનસા પણ અનેરી શેાલા ધરી ખેઠાં. દારૂન ઝાડ સળગી ઊઠીને જાણે ફૂલ, કુળ તે પત્ર ધારણ કરતાં હતાં. દિલ્હીનું આકાશ સાનેરી પ્રકાશથી શેાભી ઊઠયું..
૩૬૨ : વિક્રમાદિત્ય
Page #380
--------------------------------------------------------------------------
________________
એષણાઓ મહારાજયની
૩૩ स्वधर्मचारी नृपतिः प्रजानां गत गत यौवनमानयन्ति ॥
“સ્વધર્મનિષ્ઠ રાજા પ્રજાનું ગયેલું યૌવન પુનઃ પાછું આણે છે, એવું શાસ્ત્રવચન છે, પણ મહારાજ, વાતો વિચિત્ર સંભળાય છે. શું કઈ સૂરવંશી શાહજાદી સાથે લગ્નના મનસૂબા સેવાય છે? મહારાજ, ખેટું ન લગાડશો. રાજકાજનાં અનિષ્ટ તો ઘેરી વળ્યાં નથી ને ? સ્નેહી સિવાય કંઈ સાચું કહેતું નથી.”
સાચું કહેવા માટે જ નેહી હેય છે. મુનિજી, તમે વાત સાંભળી છે. ખેટી હેય ને કદાચ સાચી હોય તોય શું ? ક્યાં સુધી લડશું? કાફર ને મલેરછની આ મિયાજાળમાં ક્યાં સુધી ભમ્યા કરીશું ? પારકા ને પરાયાના ચોકાની સીમાઓ ક્યાં સુધી અછૂતી રાખીશું? એક અભેદ્ય જંજીર રચા વગર આ સાગરે,
આ પહાડીઓ, આ પર્વતો ને આ પાટીઓ નહીં રક્ષાય !”
૩૬૩
Page #381
--------------------------------------------------------------------------
________________
“ શા માટે નહીં રક્ષાય? મહારાજ વિક્રમાદિત્ય જેવા સમય નરકેસરી બેઠાં કેમ નહી રક્ષાય?”
ધર્મશાસ્ત્રના અનુભવી, જીવનની ક્ષણભંગુરતાના પરમ ઉપાસક આપ કો ભૂલે છે કે એક માનવીનું આયખું કેટલું ? એક આયખામાં રોગ, શોક ને સંતાપ, રાજકાજ ને યુદ્ધને વખત કેટલો ? માનવી પર નિર્ભર રહેતું મહારાજ્ય જોતજોતામાં વિનાશ પામે છે. જે આવી કઈ સ્નેહસંબંધની જંજીરો નહીં બાંધીએ તે વંશે વંશે વીરપુરુષ જોઈશે. પગલે પગલે મારા-તારાની ભ્રમજાળો ભેદવી પડશે. ભરોસે, વિશ્વાસ ને વહાલપની દુનિયા બહુ નાની પડી જશે. મારી આંખે તો ચોખ્ખું ભાસે છે કે એક જ બગીચામાં ઊગી આવેલાં બે વૃક્ષોએ જીવવાનું ધોરણ સમાન કરવું પડશે.”
લીમડા ને આwતરુ કેમ સમાન બનશે? એક કડવો, એક મીઠે. હિંદુએ આજ આર્યાવર્ત આર્યનું કરવા ચાહે છે. તેઓ રાજા પૃથ્વીરાજને ફરીથી યાદ કરે છે.”
માફ કરશે મહારાજ ! સહુ સહુનો ધર્મ સહુ પાળે એ મને ગમે તેવી વસ્તુ છે, પણ આર્યોનું આર્યાવર્ત એટલે શું? એ રીતે મને મારા મિત્રે, વફાદાર સૈનિકોને દ્રોહી બનાવવા ઈચ્છતા હે તો એ અયોગ્ય થશે. રાજકાજમાં પડેલાનાં પાપ કંઈ ઓછી નથી. કેટલાંય વધ્યાં, પરોવ્ય, સંહાર્યા, ગૌચરને અગૌચર કર્યા, સધવાને વિધવા કરી, સનાથને અનાથ કર્યા, મૃત્યુનાં ઘર વાવેતર કર્યા. હવે આજની મારી એષણ અનેરી છે. ભારતભૂમિ કહે, આર્યાવર્ત કહે કે હિંદુસ્થાન કહે : એમાં જે આવ્યા, વસ્યા, વસીને એને માટે આત્મભોગ આપે એ સહુ એનાં. કેઈ વહાલાં કે દવલાં નહિ. હિમાદ્રિ સહુને નવનિધ આપે, ચંદ્ર સહુને અમૃત આપે, સૂર્ય સહુને તેજ આપે, ધેનુઓ સહુને ધૃત આપે, ક્ષેત્ર સહુને ધાન્ય આપે, રાજ સહુને રક્ષણ આપે, ધર્મ સહુને શાંતિ આપે.” ૩૬૪ : એષણાઓ મહારાજ્યની
Page #382
--------------------------------------------------------------------------
________________
આ સ્વપ્ન અશક્ય નથી લાગતાં ?”
મહારાજ, એક વાણિયો સ્વબળે વિક્રમાદિત્યની સમકક્ષ બને, આર્યાવર્તમાં એ વાણિયાની જોડ શોધી ન જડે, શું એ વાત અશકય નથી લાગતી ? અશક્યને પણ શક્ય કરી શકાય છે. અને કદાચ શકયતાના ખડક સાથે મહાન અશકયતા અથડાઈને નષ્ટ પામે, તોય મરજીવાને મન તો જીવન–મૃત્યુની એ જ માત્ર છે.”
હિન્દુઓ રાજા પૃથ્વીરાજનું સ્વપ્ન નીરખે છે.”
એ સ્વપ્ન સાચું થઈ શકશે, જતિજી મહારાજ, આર્યાવર્તની પરાધીનતામાં, ગોરી બાદશાહ જેવા વિજેતા પાસે હાર ખમી ખાવામાં. મહારાજ, અહિંસા તો મારો કુલધર્મ છે, પણ હું જોઉં છું કે દિવસે દિવસે વધતી જતી હિંસાથી મારો કુલધર્મ કેમ સચવાશે ? આ સનાં કીડિયારાં જે રોજ ઊભરાતાં રહ્યાં, તો અન્નને દાણે પ્રજા ક્યાંથી પામશે ? દુષ્કાળ તો એને લમણે લખાશે. કંગાલિયત એના દેહ પર ઊભરાશે, ને કંગાલ ક્યાં પાપ કરતો નથી ? વળી આટલા મોટા દેશની રક્ષા થડાએક ક્ષત્રિયોને શિર
ક્યાં સુધી રાખ્યા કરીશું ? મંદિરને પૂરી મંદિરનું સામાન્ય રક્ષણ ન કરી શકે, વેપાર કરનાર વ્યવહારિયે પોતાના જાનમાલની પ્રાથમિક સલામતી ન સાચવી શકે, વેદમંત્ર ભણતો વેદપાઠી પોતાના ધર્મને ન સંભાળી શકે, ને જીવનના સામાન્ય પ્રસંગોમાં પણ સહુને ગણ્યાગાંઠ્યા માણસના વિરત્વ પર ભરોસે રાખવો પડે, એ રાષ્ટ્ર કેમ જીવી શકે ? સ્વત્વની રક્ષા એ સરવશાળી પ્રજાની પ્રાથમિક ફરજ છે. મરઘી પોતાનાં બચ્ચાંને પિતાની તીણું ચાંચથી બચાવે છે, એ બીજા કોઈને શોધવા જતી નથી. બચાવતાં એ મૃત્યુ પામે એમાં પરાજય જરૂર છે, પણ સવહીનતા નથી. જય-પરાજય તો વિધાતાના હાથની વાત છે. સાચા સત્ત્વની પરાકાષ્ઠામાંથી જ અહિંસા જન્મશે.”
એષણાઓ મહારાજ્યની : ૩૬૫
Page #383
--------------------------------------------------------------------------
________________
જે વીરત્વને આદર્શ દરેક સ્વીકારશે, તો હિંસાને માર્ગ મોકળો થશે. શસ્ત્રોની ઝપાઝપી, ખૂન, મારકૂટ વધી જશે.”
એમ નથી. શસ્ત્રોની ઝપાઝપી એ તો દેખાવની છે. મૂળ તો અંદર સજીવન થયેલી મનની ઝપાઝપીની એ પારાશીશી છે. શસ્ત્રહીન સશસ્ત્ર સાથે લડવા કોઈ ત્રીજાને શોધશે, કારણ કે જે મન ઝપાઝપીમાં જ સંતુષ્ટ હશે તો તેનાથી બેસી નહીં રહેવાય, અને એ વખતે હિંસાનું વર્તુલ બે જણાથી વધી ત્રણ જણનું થશે, ને એમ એ આગળ વધશે. પોતે ખાધેલું પોતાની જઠરાશિથી જ પચાવી શકાય, બાહ્ય અગ્નિ એમાં મદદ ન કરી શકે. એમ કુદરતે જન્મ સાથે દરેકને સ્વરક્ષણની સંજ્ઞા આપી છે. એ સંજ્ઞાને વિકસાવવાની જરૂર છે. વીરતા વિનાના આદમીને, વીરતા વિનાના ધર્મને, ગમે ત્યારે ગમે તે રગદોળી શકે છે. વીર હશે એ જ ધીર બનશે. મહારાજ, મારા અનુભવનું સત્ય કહું? જે ધર્મના ઉપાસકે વીરવના તણખા હશે, તો એ ધર્મને કોઈ રાજ્યાશ્રયની પણ જરૂર નહીં રહે. ગમે તેવો રાજા એને ખુશ કરવામાં પોતાની સલામતી ભાનશે. એટલે જ આજે તો દુશ્મન ગણતા હે એની પાસેથી પણ ઘણું બોધપાઠ ગ્રહણ કરવા જેવા છે. તિરસ્કાર, મતભેદ કંઈ સારું પરિણામ નહીં લાવે.”
“અને એ રીતે હાથ મિલાપમાં મુસ્લિમે મજબૂત નહીં બને ?”
ભલે બને. આપણે મજબૂત ને સબળ હઈશું તો બીજા સબળની શી પરવા? પાણીમાં સહુ હાથ નાખી શકે, અગ્નિમાં કોઈ હાથ નાખે છે ? બને અગ્નિ સમા જાજ્વલ્યમાન હશે તો પછી કોને કોને ડર રહેશે? અને નિર્બળ હજાર પ્રયત્ન કરશે, તો પણ તેના પર સબળ હકૂમત કરવાને જ. મુનિજી, આપ તો સંસારધર્મોના પારગામી છે. ઇસ્લામના પૂજારીઓમાં જે એકદિલી છે એ આપણુમાં કેમ નથી ? શુરવીરતા તો આપણુમાં છે, પણ
૩૬૬ - એષણાઓ મહારાજ્યની
Page #384
--------------------------------------------------------------------------
________________
"
એમના જેવી કા સાધક શૂરવીરતા આપણામાં કેમ નથી? એમની જલવાગીરી, જાનફેસાની આપણા આગેવાનામાં કેમ દેખાતી નથી ? આપણે અનાદિ અનંતની વાતા કરનારા જૂનવાણી બની ગયા છીએ, જીણું બની ગયા છીએ. શુ` આપણને આપણાં દેવાલયેાની જેમ જÎવ્હારની જરૂર નથી ? રાજરાજ નૃત્યોવિમેષિ મૂિત ! ' ની અહાલેક પાકારનારા આપણે ખરેખર મૃત્યુથી શું કાયર નથી થયા ? વેદ, શાસ્ત્ર, આગમ, દન તે પુરાણુ હેાવા છતાં હિન્દુએ ગુલામ કેમ બનતા ચાયા ? જન્મ-પુનર્જન્મના માનનારાની તલવારનાં પાણી તે આત્માનાં તેજ કર્યાં ગયું ? આપણે જીવનના રાહ તેા ભૂલ્યા નથી ને? આપણેા પ્રવાસ આડે માગે તે આગળ ધપતા નથી ને ?’ આટલું મેલી મહારાજ વિક્રમાદિત્ય થાડીવાર શાંત બની ગયા. કિલ્લાના શાહી સુરજને વીધી કુતુબમિનાર પર એમની દૃષ્ટિ સડાઈ રહી.
*
પણ રાજાજી, હિન્દુપત પાદ્શાહીનું ગૌરવ અમારે સજીવન કરવું છે. પ્રચ’ડ મંદિરમાળ, સુંદર તી ક્ષેત્રા, અવ્યાબાધ યાત્રાએ પૂજા–આરતીના શંખધ્વનિએ જગે જગે ગુંજી ઊઠવા જોઈ એ.’
જતિજી મહારાજ, એ હું કબૂલ કરુ છું. હું હિન્દુ છું, જૈન છું, અરિહંતના ઉપાસક છું. મંદિશ, યાત્રા, તીથૅક્ષેત્રા મારે વંદનીય છે. પણુ એક પ્રાકૃત માણસ એમાં જેટલી સ્થિતિચુસ્તતા બતાવી શકે તેટલી એક રાજા ન બતાવી શકે. રાજાએ રાજ્યાસન તે રૈયત પ્રત્યે એક નજરથી નીરખવું ઘટે. રૈયતને આત્માના કલ્યાણુ અર્થે સ્વતંત્ર માર્ગે જવા દેવી જોઈ એ. એમાં કાઈ ભેદ ન રહે. જે રાજા ભેદ રાખે એની સલ્તનતની ભીત એટલી કાચી રહેવાની, રાજા તે પ્રજારૂપી ઈંટ અને ચૂના એટલાં એકાકાર નહિ બને. પણ જતિજી, હું તે પણે કુતુબમિનાર પાછળ આથમતી સંધ્યા નીરખી રહ્યો છું. લાલકોટના મસ્જિદના દાલાનમાં રહેલાં હિંદુ તે જૈન
એષાએ મહારાજ્યની : ૩૬૭
'
Page #385
--------------------------------------------------------------------------
________________
મંદિરના અવશેષો જોઉં છું. એ સુંદર સ્તંભ, આબુ–દેલવાડા જેવી સુંદર કૃતિઓ ને સુંદર ચિત્રાવલિઓ, મને લાગે છે, કે એને તો બાદશાહ કુતુબુદ્દીને સુંદર ઉપયોગ કર્યો. જગતબંઘ શિલ્પ એને સ્નેહાળ બનાવ્યા હશે; પણ કેવળ એક રાજાના રાજ્યકાળની તક લઈને ખડાં થનાર આવાં કાર્યો કેટલાં વર્ષ જીવે ? કોઈ રાજાના કીર્તિસ્તંભન કુતુબમિનાર બનેલ એ મિનારો કદાચ આવતી કાલો “હેમમંદિર' બને, પણ તેથી શું ? ઉંદર-બિલાડીના આ સુલક ખેલ ક્યારે બંધ થાય ? એકબીજાની હિણપતમાંથી મેટાઈ માણવાની વૃત્તિ ક્યારે એસરે ?'
હેમરાજજીની મોટી પાંપણે લંબાઈને ક્ષિતિજ માથે સ્થિર થઈ ગઈ હતી. આકાશ વધુ ને વધુ રક્તરંગી બનતું જતું હતું.
જતિજી મહારાજ, એક દહાડો વિક્રમાદિત્ય બનવાની પ્રેરણ તમે જ પાયેલી. જન્મને કોઈ વિધિલેખ મને એ તરફ ઘસડતો હતો જ. ઘણાને મારું રાજતિલક સ્વામિદ્રોહ સમું ભાસશે. પણ જીવનને કોઈ અદશ્ય નાદ મને હમેશાં ડેલાવતો રહેતો હતો. જેમ આજ રજપૂતાઈ રબાઈ ગઈ એમ અફઘાન તાજ પણ ઝંખવાણે છે. મેં આ કાર્ય ન કર્યું હોત તો સંસારમાં સદા બનતું આવ્યું છે તેમ બેની લડાઈમાં ત્રીજો ફાવી જાત. રાજકર્તાએની નાદાની મને પીડી રહી હતી. ઈચ્છા કર્યા કરતો, વિચારવમળમાં અટવાયા કરતો કે શું કરું તો આર્યાવર્તના ડગમગી ઊઠેલા પાયા ફરી સ્થિર થાય. તમારી નજરે મુસ્લિમો પરદેશી હશે, મેં એમને શક, હૂણ ને કુશાનની જેમ આપણામાં જ મળેલા કયા છે. નદીઓ ભલે ભિન્ન હોય, એને પોતાના ઉદરમાં સમાવી દેવા શક્તિમાન, મર્યાદાવાન સાગર તૈયાર હોય પછી શી આપદા કે કેટલી નદીઓનાં નીર એમાં આવે છે ? ધર્મે ભિન્ન, પણ દેશે એક એવા તેઓને મેં જીવનભુ આ ભૂમિમાં જ શરૂ કરતા ને સમાપ્ત કરતા ૩૬૮ : એષણાએ મહારાજ્યની
Page #386
--------------------------------------------------------------------------
________________
જોયા છે. આ ભૂમિનું ધન આ ભૂમિ પર રાખવાનું તેઓએ ઇચ્છયું છે. આ ભૂમિને તેઓએ શિલ્પરથાપત્યથી શોભાવી છે. અહીં જ પિતાનાં મહેલ, મકબરા ને મરિજદ બાંધવાં છે. કેટલાક તો લેહીસંબંધે બંધાયા છે. તેઓને ક્યાં સુધી નહીં અપનાવીએ ? લડાયક શક્તિ પરસ્પર ક્યાં સુધી બગાડશું? એક જ દેશના રહેનારાઓ પરસ્પર લડે, એ પરદેશી વિજેતાઓ માટે તે ખરેખર સુવર્ણસંધિ કહેવાય. બેય ક્ષીણ થશે. એકેનું કલ્યાણ નહીં થાય. એક નાવના પ્રવાસી થઈને મનમાં પાપ રાખશે તો એ નૌકા ડૂબવાની ને ત્રીજો લાભ લઈ જવાને.”
‘પણ આ મિલન અશકય નથી લાગતું ?'
“ના, મહારાજ ! દિવસો સુધી વિચાર કર્યો છે. મિલનની સાચી આકાંક્ષા હોય તો મેદાન ખૂબ જ મોકળું છે. ધર્મનું હાર્દ પરસ્પરનો પ્રેમ ને એકબીજાને સમજવાની વૃત્તિ ઃ એટલું હોય તો સાચો ધર્મ બીજા ધર્મથી હાથ મિલાવવાની કદી ના ભણશે નહીં. ના ભણે એ ધર્માભાસ, કારણ કે ધર્મની વૈજના માનવીના આત્મહિત માટે, સહૃદયતા ને સદ્દગુણો વિકસાવવા માટે જ છે. કયો ધમ એનો વિરોધ કરશે?”
રાજન ! પુરાણ ઇતિહાસ કેમ ભુલાશે ? કેટલાં મંદિર તૂટયાં? કેટલી મૂર્તિઓ નષ્ટ થઈ? કેટલાંને પરધર્મમાં વટલાવ્યાં ? કેટકેટલી આપત્તિઓ આવી?”
દરેક વિજેતા પિતાની સાથે એક યા બીજા રૂપમાં આપત્તિ લાવે છે. સબળ પોતાને સ્વાર્થે નિર્બળને કચરે છે. હું પણ મંદિર, તીર્થ ને મૂર્તિઓને પૂજારી છું. હું અંધશ્રદ્ધા ધરાવતો હોઉં તો પણ ધર્મઝનૂન પાગલ બનાવે, પણ હું તો ઇતિહાસને વાંચીને વિચારનારો છું. મહત્વાકાંક્ષી મુસલમાને હિંદમાં આવ્યા ત્યારે એકલા હતા. આ પારકી ભૂમિમાં એમનું પોતાનું કોણ? ને
એષણાઓ મહારાજ્યનીઃ ૩૬૯
૨૪
WWW.jainelibrary.org
Page #387
--------------------------------------------------------------------------
________________
જ્યાં પોતાનું કોઈ નહીં ત્યાં સ્થિર કેમ થવાય? આ માટે તેમની પાસે ધર્મમાત્ર સાધન હતું. એમણે નવમુસ્લિમે સર્યા ને પોતાની નાત વધારી, કારણ કે આ ભૂમિ એમના દિલને આર્કષી રહી હતી. અહીંનો વૈભવ, અહીંની વિશાળતા એમને ખુશ કરી રહી હતી. મંદિરો ને મૂર્તિઓ પર એમણે હાથ ઉગામ્યા, એનું કારણ પણ મારી નજરે તે સ્પષ્ટ છે. આપણે ત્યાં મંદિરમાં દ્રવ્યને, સુવર્ણરીખનો ઢગલો કરી મૂક્યો હતો. ને નવા વિજેતાઓ કંઈ ઘેરથી ગાંસડાં બાંધીને દ્રવ્ય સાથે લાવ્યા નહતા. એમણે આકડે મધ જેવું, એક પંથ ને દો કાજ જેવું લાગ્યું. ધર્મને ધર્મ ને સગવડની સગવડ. પણ આ આક્ષેપ એકલા આ લોકો માટે શા અર્થે કરે છે ? અન્યધમ વિજેતાએ આ કર્યું જ છે. ઈતિહાસ વાંચે. મહારાજ, હું તો ભૂત ને ભાવિના ઈતિહાસને દ્રષ્ટા છું.'
ને મહારાજ હેમરાજજીએ દૂર દૂર જોયું, જાણે ક્ષિતિજમાંથી નીકળીને કઈ શાહી કાસદ આવતો હતો. વિક્રમાદિત્ય મહારાજે પિતાની વાતને ઉપસંહાર કરતાં કહ્યું :
મહારાજ, પેલે કાસદ આવે છે. વળી કંઈ નવા સમાચાર હાય, નવા ઉત્પાત હોય! મારી છેલ્લી છેલ્લી વાત કહી દઉં. આપણે ત્યાં અહંતા પાપ લેખાયું, પણ હું એ પાપ ફરીથી પ્રજા પાસે આચરાવવા માગું છું. સુષુપ્ત અહંતાનું હું આવાહન કરવા માગું છું. એ અહંતાના રક્ષણ પાસે મૃત્યુની બિસાત ન ગણે તેવા પ્રજાજને ઊભા કરવા ઈચ્છું છું. દુર્જેય ગૌરવ, દુર્ધર્ષ પ્રતિભા, વિશાળ સંસ્કૃતિ ને સુંદર આત્મસમર્પણ ભારે સહુને શીખવવાં છે, પછી કહેશે તો ભારતવર્ષને રક્ષી રહેલા આ સાગરો ને આ હિમાલયને હુ ખસી જવાનું કહી દઈશ! પરદેશીઓ માટે ખુલ્લાં દ્વાર મૂકીશ, કહીશ કે આવો દેશદેશના મહાનદી, આ મહાસાગર તમારું સન્માન કરવા તૈયાર છે. અમારો પ્રેમ તમારું રક્ષણ કરશે, તમે ભક્ષણ માટે ૩૭૦ : એષણાઓ મહારાજ્યની
Page #388
--------------------------------------------------------------------------
________________
સજજ હશે તે અમારા કાપગ્નિમાંથી કદી છટકી શકશો નહીં! અમે એકલા પ્રેમાળ નથી, સાથે મહાકાળ પણ છીએ. અમારા દેવ શિવના પગલામાં મંગલ પણ છે ને પ્રલય પણ છે. મહારાજ, મારું સામ્રાજ્ય હશે ત્યાં સુધી, અથવા જેને ચિરકાળ રાજ્ય કરવું હશે તે કેાઈનાં મંદિર-માળિયાને નહીં સ્પશે. સહુ સુખે ધર્મધ્યાન કરે. અભયારે તે શાંતિ નથી, શાંતિ મળશે ત્યારે ધર્મવાણું સાંભળવા દિલ જરૂર ઉત્કંઠિત છે. વેળાએ વેળાએ જરૂર સાવધ કરવા પધારજો. ભારતના ભાગ્યનિર્માણના મારા મનસૂબાને પ્રેરણાનાં જળ તે જરૂર જોઈશે જ – આજે નહિ તે કાલે.”
મહારાજ હેમરાજજી જતિજીને નમ્યા, જતિજી મહારાજે પ્રેમપૂર્વક આશીર્વાદ આપે. ગગનમંડળમાં સંધ્યાના રંગ પુરાઈ રહ્યા હતા. મહારાજ વિક્રમાદિત્યે સામે આવીને ઊભેલા કાસદ તરફ નજર નાખી.
-- “જહાંપનાહ, મેગલરાજા અકબર કંઈક ચળવળ ચલાવી રહ્યો છે. એને સરદાર બહેરામખાન લશ્કર એકઠું કરી રહ્યો છે. સંભવ ખૂબ છે, કે ફરીથી પાણીપત જાગે.”
અવશ્ય જાગશે. સેનાપતિ શાદીખાનજીને કહેજે કે મરહૂમ બાદશાહ શેરશાહે એ જ પાણીપત પર મેગલને હિંદબહાર કરવાના શપથ લીધા હતા. આજ મહારાજ હેમરાજ પણ એ જ શપથ લે છે. અરે, હજી તો માનું દૂધ પણ માં ઉપરથી સુકાયું નથી એવા એ છોકરાના શા ભાર છે, કાળવિજયી મહારાજ હેમરાજ પાસે. બાદશાહ બાબર કેટલી રાત ને હુમાયુ કેટલા દિવસ હિંદમાં રહ્યા, કે તેઓને પુત્ર હવે વળી કંઈ વધુની આશા રાખે! કાસદ, સેનાપતિ શાદીખાનજીને મારો સંદેશો કહેજે કે યુદ્ધની પહેલી ટુકડી વીસ હજાર પઠાણે ને ભારે તોપખાનું તરત પાણીપત તરફ રવાના કરે.” “તૈયાર જ છે, માલિક!' કાસદે મુનિસ બજાવી, ને રવાના થયો.
એષણાઓ મહારાજ્યની : ૩૭૧
Page #389
--------------------------------------------------------------------------
________________
આકાશમાં સંધ્યાની લાલી આથમતી જતી હતી, તે પૂર્ણિમાના ચંદ્ર કૌમુદી રેલાવતા એને રૂપેરી રથ હાંકી રહ્યો હતા. દૂર દૂર જમુનાનાં નીર પણુ રૂપેરી બનતાં જતાં હતાં.
દૂર દૂર અંતરીક્ષની માગતામાં અદૃશ્ય થતા પ્રકાશ તરફ, નાની નાની નૌકા ને મીઠી મીઠી બંસીથી શાભાયમાન જમુના તર૬, ચાંદીના ગાળા જેવા ઊંચે ઊંચે ચઢતા પૂર્ણ ચંદ્ર તરફ જોઈ રહેલા મહારાજ વિક્રમાદિત્યે એ પૂર્ણ ચંદ્રમાંથી ઊતરીને આવતી કાઈ ચંદ્રાનના ભાળી.
પૂર્ણ ચંદ્રની કૌમુદી જાણે જીવન્ત સ્વરૂપે આવી રહી હતી. મહારાજ એ તરફ નિહાળી રહ્યા. રૂપના એ રાશિ નજીક આવી રહ્યો હતો.
* કાણુ, મહારાણી કુંદનદેવી ? ’ હા ચક્રવતી મહારાજ ! '
ચક્રવતી ? ' હેમરાજજી હસ્યા. અ એ પડધામાંય કાળને જીતવાના પુરુષા ગુંજતા હતા.
હાસ્યના પડધા પડયા.
· હા, હા, ચક્રવતી ! ચૌદ રત્ન જેની પાસે હાય એ ચક્રવતી ! ’
.
કર્યા ચૌદ રત્ને મારી પાસે છે?
"
નથી જાણુતા ? પહેલું સ્ત્રીરત્ન એ હું− દનદેવી, બીજી પુત્રરત્ન એ યુગરાજ, ત્રીજું સેનાપતિરત્ન એ શાદીખાનજી, ચેાથું વાધિકરત્ન એ ટાલરમલજી, પાંચમું ગજરત્ન એ · હુવા '. આ સંગ્રામજીવિની શમશેર એ છઠ્ઠું રત્ન.'
મહારાણી, ચક્રવતી બનવાને માટે તેા બધી તૈયારી ચાલી રહી છે. જો નીરખી લે, પેલી મારી અજેય સેના પાણીપત તરફ ચાલી!!
પતિપત્ની દૂર દૂર ક્ષિતિજ તરફ્ જોઈ રહ્યાં. આકાશમાં ચંદ્ર
૩૭૨ : એષણાએ મહારાજ્યની
Page #390
--------------------------------------------------------------------------
________________
કૌમુદી સાથે વિચારી રહ્યો હતો. દિલ્હી નગરીના બુરજ પર એવા જ એક બીજા ચંદ્રદેવ પોતાની કૌમુદી સાથે પ્રેમસંભાષણ કરી રહ્યા હતા.
ચાલે આપણે જુદા પડીએ !
આ પછી આગળ વધતી મરજીવાઓના મહાસંગ્રામની ભારતવર્ષના ભાગ્યવિધાનની, નિમજહબી શાસનની
વિખ્યાત સાક્ષર શ્રી. જયભિખુની
નવલકથાઓ ટૂંક સમયમાં જ પ્રગટ થશે,
એષણાઓ મહારાજ્યની : ૩૭૩
Page #391
--------------------------------------------------------------------------
________________
શ્રી. ભિખુ સાહિત્ય ટ્રસ્ટની
સંસ્કારી વાચનની વાર્ષિક લવાજમ યોજના
* માનવતાસભર સંસ્કારી વાચન *
* સસ્તી કિંમત *
* સુઘડ આકર્ષક છપાઈ * ૦ સરતી કિંમતે લાયબ્રેરી વસાવો. છે માત્ર દસ રૂ. માં ૧૫ થી વધુની કિમતનાં પુસ્તકો. ૦ બીજા વર્ષનો સંપૂર્ણ સેટ જૂન, ૧૯૭૩માં પ્રગટ થશે. આમાં
વિક્રમાદિત્ય હેમુ' નામની વિસ્તૃત નવલકથા, “આંખ નાની, આંસુ મોટું ' નામને સુંદર અને સચોટ વાર્તાસંગ્રહ, “ભગવાન મહાવીર' નામનું ૧૯ પ્લેટ અને બે ત્રિરંગી લેટવાળું અપૂર્વ ચાહના મેળવનારું ચરિત્ર તથા બાલ–સાહિત્યને એક સેટ આપ-- વામાં આવશે, જેમાં “બિરાદરી' નામની ભારત–સરકારનું પારિતોષિક મેળવનારી શ્રી. કુમારપાળ દેસાઈની કૃતિ આપવામાં
આવશે. - પ્રથમ વર્ષના તમામ સેટ ખપી ગયા છે. - ૦ અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર અને આણંદ
જેવાં સ્થળોએ ઘેર બેઠાં સેટ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં
આવી છે. અન્ય સ્થળે રહેનારે પોસ્ટેજ ખર્ચ આપવાનું રહેશે. ૦ તમે સભ્ય બન્યા છે ? તમારા મિત્રને સભ્ય બનાવી સંસ્કારી. વાચનની યોજનામાં સહાયરૂપ થશે.
-: વધુ વિગત માટે લખે : માનદ મંત્રી : શ્રી. જ્યભિખુ સાહિત્ય ટ્રસ્ટ, ચંદ્રનગર સોસાયટી, પંકજ સોસાયટી પાછળ, જયભિખુ માર્ગ ', આનંદનગર, અમદાવાદ–૭.
Page #392
--------------------------------------------------------------------------
________________
શ્રી. જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટનાં પ્રાણવાન પ્રકાશને
ભારતીય સ ંસ્કૃતિનાં પ્રતાપી પાત્રોની શાશ્વત મેધ અને રેશમાંચક શૈલીમાં લખાયેલી કથાઓ
લીલી લીલી વરિયાળી
લે. જયભિખ્ખુ
કિ. 3-40
કવિઓ, કલાકારે, સર્જક અને મહાનુભાવાના સર્જનની અનેાખી છબી રજૂ કરતા લેખસ ંગ્રહ દ્રષ્ટા અને ભ્રષ્ટા
લે. ડૉ. ધીરુભાઈ ઠાકર
ક. ૩–૫૦ [ અપ્રાપ્ય ]
પતિતપાવન તીર્થાધિરાજ શત્રુંજયની ધર્મ, શૌય, સેવા, રવાપણુ અને ઝિ ંદાદિલી પ્રગટ કરતી ઐતિહાસિક ધટનાઓને આલેખતા શાંચક વાર્તાસંગ્રહ વસહી અને પુત
લે. જયભિખ્ખુ
કથીરમાંથી કઇંચન પ્રગટાવતા પારસમણિ જેવા ગાંધીજીના વ્યક્તિત્વને પ્રગટ કરતા સરળ, વેધક અને ચિત્રાત્મક શૈલીમાં આલેખાયેલા અાખા પ્રસંગે
લેહ અને પારસ
લે. જયભિખ્ખુ
કિં.૩-૫૦ [અપ્રાપ્ય ]
જૈન-જૈનેતરામાં અપૂર્વ ચાહના પામેલુ ૧૯ આ પ્લેટ અને મે ત્રિરંગી ચિત્રાથી મઢેલું અપૂર્વ ચરિત્ર
ભગવાન મહાવીર
લે. જયભિખ્ખુ
કિ. ૩-૫૦
*
ક. ૪-૫૦
Page #393
--------------------------------------------------------------------------
________________
રસીલી અને ચેટદાર શૈલીમાં લખાયેલી હૃદયસ્પર્શી વાર્તાઓને સગ્રહ આંખ નાની આંસુ સૈફ'
લે. જયભિખ્ખુ
કિ. ૩૫૦
ભારત સરકાર તરફથી પારિતાષિક મેળવનારી કામી એકતા અને બિનસાંપ્રદાયિકતાના સદેશ આપતી અનેાખી કથાઓ બિરાદરી
કિ. ૧-૨૫
લે. કુમારપાળ દેસાઈ વિક્રમાદિત્ય હેમુ અને અકબરની શાહી શાસનની રામાંચક તવારીખ આલેખતી નવલકથા વિમાદિત્ય હેતુ
લે. જયભિખ્ખુ
*
-: પ્રાપ્તિસ્થાન :
શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, ચદ્રનગર સે।સાયટી, જયભિખ્ખુ મા, આનંદનગર, અમદાવાદ-૭.
શ્રી આદર્શ પ્રકાશન ઇટાલિયન એકરી આગળ, ભદ્ર, રાયખડ રોડ, અમદાવાદ-૧.
ક. ૭૦૫
વિક્રમાદિત્ય હેમુ : કુલ પૃષ્ઠ સંખ્યા ૩૭૬ + ૧૬ = ૩૨
1
Page #394
--------------------------------------------------------------------------
________________ 1. JK ( - ) વિક્રમાદિka ' યભિg WWW.jainelibrary.org