SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ' દીધા. જે સિંહાસન પર યુધિષ્ઠિર, અનંગપાલ કે પૃથ્વીરાજ હતા, એ ઇંદ્રપ્રસ્થ—દિલ્હીના સિંહાસનેથી છેલ્લે હિન્દુ રાજા ગારી ખાદશાહના હાથે ખત્મ થયેા; એટલું જ નહિ, પણ રાજા પૃથ્વીરાજ તે રાઠાડવીર જયચંદ તેના સ્વદેશવાસભ્યના કરુણ અંત પછી, ભારતવર્ષને ભાગ્યેાદય આથમ્યા. પ્રવેશદ્વાર સમા પંજાબમાં વસતા ક્ષત્રિય વીરે પણ રાજે રાજના યુદ્ધથી થાકયા તે સલામતી શેાધતા પીછેહઠ આદરી રજપૂતાનામાં આવી વસ્યા. એમણે પરદેશીએ માટે પ્રવેશદ્વાર ખુલ્લાં મૂકવ્યાં. શાહબુદ્દીન ગારી સામે મરણિયા જંગ ખેલનાર રાજા પૃથ્વીરાજ ને રાજા જયચંદ બને દેશભક્ત હતા. એકે રણુમાં આત્મસમર્પણ કર્યું, એકે ગંગાના અગાધ જળમાં સમાધિ લીધી. ગણેા તે બંને દેશભક્ત હતા, તે ન મા તે! ખ'ને દેશદ્રોહી હતા.× પ્રવેશદ્વાર પર જ્યારે દુશ્મનના ભય તેાળાઈ રહ્યો હતા ત્યારે બન્ને જણા ચક્રવતી પદની અસૂયામાં ચકચૂર પડવા હતા. ચૌહાણુકુલ સમ્રાટ બને કે રાઠોડકુલ એ જ કકાસે બંનેને એક ન કર્યાં, ને એમનું અનૈકષ ભારતવર્ષ પર ધા સમાન થયું. પછી તેા જાણે અગ્નિની જ્વાલા જેવા ક્ષત્રિયા તખા જેવા બન્યા. ન એ તણુખાથી તેજ વેરાયું કે ન આગ સળગી ! પાણીની પ્રચંડ રેલ સામે ક્ષણુસર ઝગીને મુઝાઈ ગયા. રાજા પૃથ્વીરાજની સાથે દિલ્હીની ગાદી પરથી હિન્દવી રાજા ગયેા. અરખી તેાખારા હિન્દની ભૂમિને વધુ ને વધુ દાબતા ચાલ્યા. હિંદુ ચક્રવતી પદ જાણે સદાને માટે મેધાચ્છાદિત બન્યું. દિલ્હીનુ સિંહાસન ખાલી પડયુ.. લાગવાના દાનવીર્ સુચરિત બાદશાહ " × ઇતિહાસકારા જયચંદ્રના દ્રોહને ને સંયુક્તાના પ્રેમપ્રસંગને કવિકલ્પના તરીકે સ્વીકારે છે. સેાળમી સદીમાં રચાયેલ “ પૃથ્વીરાજરાસા’ ના કર્તાએ કાવ્યરસ જમાવવા આ પાત્રોને ઉપયોગ કરેલ છે. રાઢાડવીર જયદે રાજસૂય યજ્ઞ કર્યાં હતા ને તેણે કદી પણ દેશદ્રોહ કર્યાં નહેાતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy