SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા નાનુદેવજી એ જ શ્રેષ્ઠી રાજપાળજીના ને શ્રેણી હેમરાજજીના પૂર્વજ ! એક વેળા અચાનક શ્રી જિનવલ્લભસૂરિ નામના એક જૈન સાધુ ત્યાં કરતા ફરતા આવ્યા. ‘ ગણુધર સાર્ધશતક' જેવા ગ્રંથના એ વિદ્વાન રચયિતા હતા તે બાવન ગેાત્રોને જૈન બનાવનારા હતા. શું પ્રભાવી તે શું ચમત્કારી ! કાઈ એ રાળ નાનુદેવજીને આ સૂરિજીના આગમનની વાત કરી. તેઓ તે એવા જોગી જોગંદરની રાહમાં હતા જ. તરત ત્યાં ગયા તે ગુરુચરણે પડથા, ને આશીર્વાદ યાચ્યા. આશીર્વાદ યાચાં ગળગળા થઈ ગયા. કરુણાના અવતારનું દિલ પીગળી ગયું. ‘રાજા એક નહી. ચાર પુત્ર થાય, પણ એક શરત પાળીશ ?” સૂરિજીએ થાડી વાર શાંત રહી દયા હ્રદયે કહ્યું. જરૂર પાળીશ, પ્રભુ !' રાજાના હૃદયમાં છૂપા આનાદ હતા. પ્રભુ શાખે ?’ < ‘પ્રભુ શાખે.’ પહેલે પુત્ર મને ભેખ માટે અણુ કરીશ ?” “અવશ્ય.' રાજાના મેલમાં છૂપી કંપારી હતી. " < વિદ્વાન તે તપેાબળવાળા સૂરિજીએ રાજા તે રાણી તેના મસ્તક પર વાસક્ષેપ નાખ્યું. કુદરતનું કરવું તે જોગ ંદરના મેલે જાદુ કર્યું. રાજા નાનુદેવજીને ત્યાં ચાર ચાર પારણાં હીરાદારીએ હીંચવા લાગ્યાં. વાહ ગુરુ ! વાહુ કરામત ! આવા પ્રતાપી ગુરુ શ્રી જિનવલ્લભસૂરિજી વિ. સં. ૧૧૮૦માં પરલેાક પધાર્યાં, ને તેમની પાટે મહાપ્રભાવવત તે અચિંત્ય શક્તિધારક શ્રી. જિનદત્તસૂરિજી× આવ્યા. કાળનાં વહેણુ * સુગધી પદાર્થ, જે આજે પણ મત્ર ભણીને નાખવામાં આવે છે. × દાદાસાહેબના નામથી પ્રખ્યાત સૂરિરાજ. આજે ગુજરાતમાં અને ખીજે ઘણાં ગામેામાં તેમનાં પગલાં દેરીઓમાં પધરાવેલાં જોવાય છે. ૩૨ : દિલ્હીના ઝવેરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy