SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ વહી ગયાં, ને રાજા નાનુદેવજી પણ વચન વીસરી ગયા. સગા પેટની ઓલાદને સન્યાસ કેમ અપાય ? રાજા ને રાણી ચૂપ રહ્યાં. શ્રેષ્ઠી રાજપાળના પુત્ર, જેમતે જતિજી મળવા આવ્યા હતા, તે શ્રેષ્ઠી હેમરાજ! હેમરાજજી નેનપુરની પ્રસિદ્ધ શાળામાં ભગેલા તે નાની ઉંમરમાં સૂબાની કૃપા મેળવેલી. સૂબા તેમને પ્યારમાં હેમુજી કહીને ખેલાવતા. પિતાએ રાજકીય ખટપટાથી અળગા રાખવા પેાતાના આ પુત્રને ઝવેરીનેા ધેા શીખવ્યા, તે હેમરાજજીએ થાડા વખતમાં ભારે નાગના મેળવી. દિલ્હીમાં તેમની શાખ અજોડ હતી. નવાખે, સૂબાએ તે સુલતાનેા એમના પગથિયાં ધસતા. જતિજી રજપૂતાનાના આ રત્નની મદથી કંઈ કાર્ય સાધવાની ભાવના ધરાવતા હતા. દિલ્હીના રાનકદાર અારા વટાવી એક મેટા ચકલામાં આવીને જતિજી ઊભા રહ્યા ત્યારે રરતે જનારે તેમને આંગળી ચી ́ધીને હેમરાજજીનું મકાન બતાવી દીધું. બહારથી એ સાદી કોતરણીવાળું તે કેવળ સફેદીથી મઢેલું હતું. કેટલેક ઠેકાણે લાલરંગની ઈંટનુ ને સાદા આછા રંગનું ચિત્રકામ હતું. બહારથી જોનારને અંદરના વૈભવની યયા કલ્પના આવી શકે તેમ નહેાતી. મજબૂત દ્વારવાળી ને પિત્તળના ચાપડા જડેલી ખડકી વીધીને અંદર જનારને એક નાના સ્વચ્છ ચાક વીંધવે પડતા. આ ચાકની મધ્યમાં નાના એવા સંગેમરમરના હેાજ હતા, જેની મધ્યમાં ચાંદી ને સાનાના રસથી રસેલા નાજુક ફુવારા ઊડવા કરતા હતા. ચાકથી અંદર જવા માટે ખીજા એ સુશોભિત આરડા વીંધવા પડતા, જ્યાં સામાન્ય રીતે દાસદાસીએ કામ કરતાં નજરે પડતાં. તેએ આવનાર–જનારનું યથાયેગ્ય સન્માન કરતાં, અને આગન્તુકની ખબર અંદર આપતાં. આ મે એરડા પછી આવતા નાના ખુલ્લા ભાગ પછી, આગ દિલ્હીના ઝવેરી : ૩૩ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy