SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ આજ કાઈ ઢગ રચી દીવાલેા ખડી કરી શકે તેમ નહોતું. અલબત્ત, લશ્કરની કાઈ કાળે વણુઝારાની વણુઝારા, સેનાની સેનાને ભરખી જવાની ધરખમ તાકાત ધરાવનાર એ રજકણા પ્રલયનાં નાનાં નાનાં રૂપ હતાં. એ એકઠાં મળે તે ? એકસ`પની બત્તી ચેતાવે તે ? એ જિન્દાદિલી, એ પૌરુષ, એ સમર્પણ ભાવના એક અને તા? જગેમ શેરશાહના અનુભવ કહેતા હતા, કે તેા સંસારવિજયી સૈન્યાના છક્કા છૂટી જાય ! ગજનવી, ગારી કે બાબર જેવાને ભારે પડી જાય ! એક રજપૂત એક કિલ્લા જેવા બળવાન તે એક રજપૂતાણી આગના ભડકા જેટલી તાકાતવાન હતી. પણ આ રજકણાને ઢગ રચી શકાય ? છૂટા, સ્વચ્છ ંદ, મનસ્વી રીતે વતા આ રજકણામાં એકત્ર થઈ શકે તેવી સ્નિગ્ધતા આણી શકાય ? પણ એ પ્રશ્ન આજે વર્ષોથી બ્ય હતા. નહિ તે એ રેતીના કણસમૂહના ઢગ માત્ર રચાયા હોત તેાય દુશ્મનાના દારૂગાળા નિરક થાત ! એ વ્યર્થ લાગતા પ્રશ્ન શ ંકાનું સ્વરૂપ લઈ તે દૂરદેશ શહેનશાહના દિલમાં આવી વસ્યા હતા. એના વિશાળ સામ્રાજ્યના દક્ષિણ પાલવ પરનાં રજપૂતાના, માલવા, બુંદેલખંડ કાબૂ બહારનાં રાજ્ય હતાં. મારવાડના રાજા માલદેવ પશ્ચિમ હિંદની મહાન શક્તિ બનતા જતા હતા. ખીજી તરફ માળવાને રાજા પૂરણમલ શોના નમૂના તરીકે વખણાતા હતા. માળવાને રાજા પૂરણમલ ને મારવાડના રાજા માલદેવ; આ એ એકસપ થઈ એક અને તા? દૂરદેશી શેરશાહને લાગ્યું` કે એમ બને તેા, રાણા સાંગા અને રાજા મેદનીરાયને કિસ્સા ફરીથી ઊભા થાય, તે બાદશાહ બાબરની જેમ એ કિસ્સા ખતમ કરતાં તેવાં પાણી માથે ચઢે ! દુશ્મન તે દર્દ અને જાગતાં દાખ્યાં સારાં ! Jain Education International રજપૂતાઈના રજકણા : ૨૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy