SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ગુનાની માફી હું સમજ્યેા નથી. ગુનાની સજા એવી ભયંકર થશે કે ગુનેગાર નામ સાંભળીને કાંપી ઊઠશે. સર્જાના વિધાનમાં મને મારા ઉલેમાએ તે શેખ, માફ કરે કે મેં શરીઅતનાં બંધનાથી મારી રાજકાજની કિતાબને મુક્ત કરી છે. રન્નુમાર્કનાં નવાં ધારણે મેં કાનૂન અને આઈન બનાવ્યાં છે. કારણ સ્પષ્ટ છે. મારી નજરે અદ્દલ ઇન્સાફ એ જ રાજરક્ષાના ઉત્તમ ઉપાય છે. નિર્દોષ, નબળાં–પેાાંત પીડીતે તથા અત્યાચારી સબળેાની પીઠ થાબડી હું કદી પણ ન્યાયભ્રષ્ટ નહિ થા. ‘મારું તમામ રાજ્ય જુદાં જુદાં પરગણાંએમાં (ખાએમાં) વહેંચી નાખવાને મેં ઇરાદા ર્યાં છે. દરેક પરગણામાં (પ્રાંતમાં ) એ અમલદાર રહેશે. આ અમલદારેાને માથે એમના પરગણાના વહીવટનેા ભાર રહેશે. દીવાની મામલાએ મુન્સફ પતાવશે, ફે।જદારી મામલા શિકદાર પતાવશે. ગામડાંની પંચાયતાને કાયમ રાખવામાં આવે છે. તેએ તેમનુ ધરમેળે પતાવટનું કામ કર્યાં કરે. આવાં અનેક પરગણાંની એક સરકાર બનશે. આ સરકારમાં વડા શિકદાર ને વડા મુન્સ રહેશે. આ બધા અમલદારાએ રાજા અને પ્રજા વચ્ચેના સબધા સારા અને એખલાસભર્યાં કરવાના રહેશે. આ બધા અમલદારાની એ એ વર્ષે બદલી થશે. તેમણે રૈયતની ખબરગીરી, અનાથ-અપંગ વિધવાઓની મદદ, વિદ્વાનને ઉત્તેજન આપવાનાં કામ પણ કરવાનાં રહેશે. આ દુનિયામાં ભલું નામ અને પેલી દુનિયામાં સવાબ ને સારા બદલે મળે એવું કૃત્ય તેમણે તેમના માટે ને તેમના સુલતાન માટે કરવાનું છે. મહેસૂલ તે માલગુજારીમાં હું ચાક્કસ નિયમન મૂકવા માગું *શરીઅત અર્થાત્ કુરાને શરીફમાં રાજકાજની બતાવવામાં આવેલ પદ્ધતિ. આ શરીઅતથી વિરુદ્ધ જનાર તરીકે શેરશાહ આગળ પડતા ગણાય છે, પણ તેના પહેલાં અલ્લાઉદ્દીન ખીલજીએ પણ શરીઅતથી છૂટ લીધી હતી, એમ ઇતિહાસ કહે છે. ( Jain Education International રાજા ભાજની યાદ : ૧૬૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy