SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ વીરને ભૂલથાપ આપી સદાનેા રઝળુ બનાવનાર, કામુલના ચાહને સામે માંએ તમાચેા મારનાર હેમુજી જ્યાં હૈાય ત્યાં અશાન્તિ, ધાંધલ જાણે અદૃશ્ય થઈ જતાં. શેરે અફધાનના સામ્રાજ્ય સામે જોવાની કેાઈની હિંમત ન ચાલતી. અલબત્ત, બહારના દેખાવમાં હેમુજી સત્તાના પરિધથી દૂર દેખાતા, પણ રાજકારભારની કુનેહવાળા સમજતા હતા કે સત્તા જ એમની પાછળ વીંટાતી હતી. તેએ હુમાં શાંતિનાથજીનું મંદિર સર્જી રહ્યા હતા અને આ માટે ચંપાના ફૂલ જેવી કેસરવણી જયપુરી આરસની શિલાઓ, આમુની ખાણાને ચાંદની જેવા ઉજ્જવલ પથ્થર, ગુલાબી રંગની શિલાએ આણી હતી. તેઓ જૈન મ`દિર, જૈન શિલ્પ, જૈન ગભારા, રંગમાંડપ ને પૂતળીઓના આદર્શો ઉતરાવવાની ડેાંશમાં હતા. વર્ષાં વીતતાં ચાલ્યાં, રાજ્ય સમૃદ્ધ થતુ ચાલ્યું. પણ સલીમશાહની તબિયત હવે ખળભળતી હતી. એક દુહાડા સમાચાર મળ્યા કે મેાટાભાઇ પાટણ તરફ નાસતા જોવાયા. પછી ગુજરાતમાં કાંય અદૃશ્ય થયા, તેને કઈ પત્તો મળતે નથી, જોનાર માટાભાઇની અવદશાનું વર્ણન આપતા હતેા : ન સાથે સિપાહી કે ન સાથે બબરચી; ન ખાવાનું ઠેકાણું કે ન પીવાનું. જ્યાં જાય ત્યાં સહુ કોઈ એમને જાકારા આપે. અલ્લાહના આ આદમી મળે તે। ખાય, નહિ તેા ચટાઈ પર બેઠા ખેઠા તસ્બી ફેરવ્યા કરે. એના પાક દિલમાં તેા ન દુઃખ, ન શાક, ન સંતાપ ! કોઈ કાંઈ પૂછે તે આંખમાં આંસુ લાવે તે અલ્લાહ અલ્લાહ કરે. વહાલસાયા શહેનશાહનું દિલ મેટા ભાઈની અવજ્ઞા કર્યાંના ભારે સદા સંતપ્ત રહેતું હતું. ત્યાં ખબર મળ્યા કે અંબરના સરદારે ઘણા દહાડા સુધી ખવાસખાનને આશ્રય આપ્યા પછી એકાએક એનુ ખૂન કરી નાખ્યુ! છેલ્લા દિવસેામાં તેા ખવાસખાન દરવેશ બન્યા હતા. સાંઈ કાર જેવી એની જિંદગી હતી. પણ અચાનક કાઈ એ એને લાયક પિતાના લાયક પુત્ર : ૨૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy