SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જે કોઈ ધર્મસમયના બંધને આ પ્રજાને એક ન થઈ શકે, ધર્મ જ જે વિખવાદનું કારણ બન્યું રહે તો, એક નવ રાષ્ટ્રદેવની સ્થાપનાની વાત કરે છે.' આટલા દેવ ઓછા હશે કે એક નવા દેવનો ઉમેરે કરવો છે? નવાને ઉમેરે નથી, જૂનું નામ નવી રીતે આપવાનું છે. પિતાજી, એ વિના દેશી ને પરદેશી પ્રજાનું ઐક્ય, સહુસહુના ધર્મની સ્વતંત્રતા, સંઘબળથી કામ કરવાની તમન્ના પેદા નહી થાય. વર્ષો જશે તેમ વેરઝેર વધતાં જશે.” પરલોકમાં જ શ્રદ્ધા રાખનારા આ દેવપૂજકોને તમે દેવતાઓના ચકકરમાં નાખશો તો અંધશ્રદ્ધા વધુ ને વધુ ઊમટી આવશે. એક બંધનના બદલે બીજું બંધન આવી પડશે.” જીવતા દેવની પૂજા તો કોણ જાણે કેમ, પણ આપણે સમાજ કરી શકશે જ નહીં ! રાજાને, સાધુને, માતાપિતાને સહુને દેવસ્વરૂપ બનાવ્યા સિવાય આપણે કદી માન આપી શક્યા છીએ ?' હેમરાજ, મારી તો દઢ શ્રદ્ધા છે, કે માનવીએ રાજકારણથી અળગા રહેવું. રાજસુધારણું કરતાં કસુધારણાની પ્રથમ જરૂર છે. થડને નહીં, મૂળને પકડો. રાજાઓ બૂઝે કે ન બૂઝે, તેની પરવા ન કરો. નિપ્રાણ આમાં પ્રાણ પૂરવાની યોજના ઘડે. સો બકરાં પર એક સિંહ રાજ કરી શકે, પણ એક સિંહ પર કોઈ રાજ કરી શકશે ? સાધુ-સંતોએ ગામડાંઓને સચેતન કરવાં, રાજવંશ આવે કે જાય, સામ્રાજ્ય જન્મ કે મરે, સત્તાના કેન્દ્રો હરે કે ફરે, પણ જે આપણી પાઠશાળાઓ સાબૂત છે, આપણે ધર્મશાળા કે તળાવોના શેખીન છીએ, આપણું ધર્મમંડપમાં શાસ્ત્રોના પાઠ થાય છે, કીર્તન ના શબ્દ ચાલુ જ છે. જો દાન, દશેરા ને દિવાળીને આપણે રસિયા છીએ, શાસ્ત્રીએ ઉપદેશ આપવાના રસિયા છે; આપણા પર્વતો વરસાદ લાવે છે, નદીઓ બગીચાને પ્રફુલ્લાવે છે, ખેતરોમાં ખેડૂતો રાજકીય ક્ષેત્રમાં ર૭૩ ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy