SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ જીના શબ્દો કાનમાં ગુંજી રહ્યા હતા. પુત્રના પરિયાણ આજ એવાં જ હતાં. સ્વયંવરમાં હિદવાણુને વરવા આવેલા ઉમેદવારોમાંથી એકેયમાં સલ્તનત સાચવવાનું શર નહેતું દેખાતું. પુત્રને હરવખત કરતાં આ વેળા વધુ કપરાં ને નિર્ણયાત્મક યુદ્ધો ખેલવાનાં હતાં; ગૃહયુદ્ધ ને રણુયુદ્ધ બંનેના ખેલાડી થવાનું હતું. પિતાજી, આજ તો હવે મધ કરીને આવવાનો નિર્ણય કર્યો છે. દ્રૌપદીના પાંચ વર વચ્ચે હિણાયેલી ધરતીને ઉદ્ધાર્થે જ છૂટકે છે.” “બેટા, ગોર પરણાવી દેશે, ઘરસંસાર તો નહિ ચલાવી આપે ને ! આજે જીતેલું કાલે ફેક કરે એવા આ રાજાઓને ભરોસે છે ?” “ગોર પણ ચેતી ગયો છે. હવે તે શેષનાગને માથે ખીલી ઠોકવી છે, એટલે વારે વારે ધરતી ધ્રુજી ન ઊઠે! હિંદુસ્તાન ગમે - તેનું પણ એકનું; એની ભૂમિ માથે ખંડ ખંડનું રાજ્ય ન જોઈએ. પિતાજી, આશીર્વાદ આપે, કે મારા ધ્યેયને હું સિદ્ધ કરું.” “આશીર્વાદ છે બેટા! આજે તારો માર્ગ નહીં રોકું. મેં જુવાનીમાં ઘણું રણુજંગ જોયેલા, ઘણું ઘણું સ્વપ્ન માણેલાં, પણ મને રણરંગ કરતાં ધર્મરંગ વધુ ચડી ગયે. મારાં અધૂરાં રવનની ભૂમિ સરજવામેં જ તને નાનપણથી કઠેર જીવનને હિમાયતી બનાવ્યો, શિયાળાની કડકડતી રાતે જંગલમાં ભટકાવ્યો, ઉનાળાની લૂમાં કોઈ ને કોઈ બહાને યોજનના યજન રખડાવ્યો. ડર, ભય, મૃત્યુ, એ કશું તારા મનને સ્પર્શવા દીધું નહિ. ગઢ પરથી ભુકા ભારત કે ગંગાજમનાના પૂરમાં તરતો તને જે ત્યારે મારું હૈયું ભય નહોતું અનુભવતું; હર્ષ અનુભવતું હતું.' પિતાના દિલમાં પુરાણું તવારીખ સજીવન બની હતી. એમણે આગળ ચલાવ્યું. આજ હું તને ના કહું, પણ વનના વાઘને શિકાર કરતાં શિખવનાર તો હું જ હતો ને? જોનપુરમાં મેં જ તને લણવા ૩૨૬ : એક દ્રૌપદીના પાંચ પતિ ન મ લ , શિયાળ જ તને ન ચડી ગએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy