________________
论您欧四
વ્યાખ્યાન | સાહિત્યસંગ્રહ.
- ભાગ ૨
» લઈ જf - સતમ Ic
છે આ પુસ્તકના પ્રથમ ભાગમાં આવશ્યક અધિકારેવાળા છ પરિચ્છેદને છેટો સમાવેશ કરવામાં આવ્યું છે. એ પરિચ્છેદોને પૂર્વાપર સંબંધ પણ તે તે સ્થળે દેખાડવામાં આવ્યું છે તે પણ આ દ્વિતીયવિભાગને હાથમાં લેતી વખતે પ્રથમ વિભાગનું અનુસંધાન રહેવાને માટે સિંહાવલોકનની રીતે આપણે સંક્ષેપમાં યાદ કરી જઈશું કે કઈ પણ પ્રકારની કાર્યસિદ્ધિને માટે-કલ્યાણને માટે દેવસ્તુતિ કરવી એ પહેલું પગથીયું છે. ગુરૂ કલ્યાણકારક ઉપદેશ આપે છે પણ ગુરૂની પાસે જવાનું સૂજેજ નહિ તે પછી ગુરૂ ઉપદેશ ક્યાંથી આપે? દેવસ્તુતિ કરવાથી બુદ્ધિ નિર્મળ થાય છે અને તેને પરિણામે સદગુરૂનું શરણ લેવાનું સૂજે છે. તેથી પ્રથમવિભાગમાં પ્રથમ પરિછેદ દેવસ્તુતિરૂપ મંગલાચરણને લેવામાં આવ્યું છે. દેવકૃપાથી ગુરૂશરણરૂપ માર્ગ લેવાને તૈયાર થનારમાટે સારા ગુરૂ કોને સમજવા? પિતાના આચરણથી તથા ઉપદેશથી તરવાનું સામર્થ્ય કેનામાં છે એ જાણવાની જરૂર હેવાથી દ્વિતીય પરિચ્છેદમાં તે સંબંધી વર્ણન કરીને તૃતીય