________________
૩૪
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણેય પદ ગુણ સ્થાને છે.
પાંચેય ગુણી છે. ગુણ ગુણ વિનાને કદી હેત નથી. આ -પાંચેય સલ્લુણસાપન મહાત્મા છે. અહીં આ ગુણેથી સમગ્ર એવા દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપાદિ લેવાનાં છે. આ ગુણો ધર્મ સ્થાને છે.
એટલે નિશ્ચિત થાય છે કે આ મહામંત્રની ઉપાસના કરવી, એ દેવ-ગુરુ-ધર્મની ઉપાસના કરવા બરાબર છે.
નવકારમંત્ર શબ્દાર્થથી કેવી રીતે શાશ્વત છે ? નવકારમંત્ર શાશ્વત છે, એટલે શું?
શાશ્વતાપણું બે રીતે હોય છે. દ્રવ્યનું અને ગુણનું. એ જ રીતે શબ્દથી અને અર્થથી હોય છે. અહીં આ શબ્દાર્થ પૂરતો જ વિચાર કરવાનું છે. પ્રસ્તુત નવકાર શબ્દ, અર્થ કે શબ્દાર્થ એ ત્રણેયમાં શાથી શાશ્વત છે? એને જવાબ એક જ છે કે તે શબ્દાર્થથી શાશ્વત છે અર્થાત તે શબ્દ અને અર્થ ઉભયથી શાશ્વત છે.
શબ્દથી શાશ્વતાપણું એને કહેવાય કે જે વણે, જે રીતે હેય તે વણે, તે જ રીતે ત્રણેય કાળમાં વિદ્યમાન રહે. નવકારમંત્રના અક્ષરે માટે એમ જ છે. જેમ કે...નમો અરિહંતાણું” આમાં નકારત્તર અકાર, અકારોત્તર કાર, મકારોત્તર કાર એટલે “નમો” પદ નિષ્પન્ન થયું. પછી અકારેત્તર રકાર, રકારોત્તર કાર, એમ “ણું” સુધી વિચારવું. આ જાતની અક્ષરાનુપૂવી અનાદિકાલ પહેલાં હતી, આજે છે અને ભવિષ્યમાં અનંતકાળ પછી પણ આજ રીતે રહેશે અને અર્થ તે શાશ્વતો છે જ.
અહીંયા અગત્યની વાત સમજવાની એક જ છે કે અર્થથી શાશ્વત અનેક બાબત છે. દાખલા તરીકે દ્વાદશાંગશ્રુત (જૈનાગમશાસ્ત્રો) અર્થથી સદાય શાશ્વતું રહેવાનું છે, પણું શબ્દથી નહીં, શબ્દો બદલાયા કરે, જેમ કે–પાણી, જલ, વારિ, અર્થથી જોઈએ તે