Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૦૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન કર્યો ત્યારે તે જાપાનને રાજધર્મ થયો. શાક તૈશી નામને એ કુટુંબને એક આગેવાન જાપાનના ઈતિહાસને એક મહાપુરુષ છે. તે ભાવિક બ્રાદ્ધ અને સમર્થ કળાકાર હતા. તેણે ચીનના કોફ્યુશિયસના ગ્રંથમાંથી પ્રેરણા મેળવી અને રાજતંત્ર કેવળ સત્તાના પાયા ઉપર નહિ પણ નૈતિક પાયા ઉપર રચવા કોશિશ કરી. તે સમયે જાપાનમાં અનેક કુળો હતાં અને તેમના આગેવાને એકબીજાથી લગભગ સ્વતંત્ર હતા. તેઓ માંહોમાંહે લડતા અને કોઈની પણ આણ સ્વીકારતા નહિ. ભારે પદવી ધારણ કરતા હોવા છતાં સમ્રાટ પોતે પણ એક મેટા કુળને સરદાર કે આગેવાન જ હતે. શેતુકુ તૈશીએ આ સ્થિતિ બદલવા તથા મધ્યસ્થ રાજતંત્રને બળવાન બનાવવા કશિશ શરૂ કરી. તેણે બધાં કુટુંબ અથવા કુળના આગેવાન કે વડાઓને અને અમીરેને સામંત એટલે કે સમ્રાટના ખંડિયા બનાવ્યા. આ ૬૦૦ની સાલના અરસામાં બન્યું હતું.
પરંતુ શેતુક તૈશીના મરણ પછી સેગા કુટુંબને દૂર કરવામાં આવ્યું. એ બાદ થોડા વખત પછી જાપાનના ઇતિહાસમાં અતિશય પ્રખ્યાત એક બીજો પુરુષ બહાર આવ્યો. તેનું નામ “કાકાતમી ને કામાતેરી” હતું. તેણે રાજ્યતંત્રમાં અનેક પ્રકારના ફેરફાર કર્યા અને ઘણી બાબતમાં ચીનની શાસનપદ્ધતિનું અનુકરણ કર્યું. પરંતુ પરીક્ષા લઈને સરકારી અમલદારે નીમવાની ચીનની ખાસ પ્રથાનું તેણે અનુકરણ ન કર્યું. હવે પછી સમ્રાટ કેવળ એક કુળના આગેવાન કરતાં ઘણે વધારે સત્તાધીશ બન્યા અને મધ્યસ્થ રાજ્યતંત્ર બળવાન બન્યું.
આ સમય દરમ્યાન નારા જાપાનની રાજધાની બન્યું. પરંતુ તે થોડા સમય માટે જ રાજધાની તરીકે રહ્યું. ૭૯૪ ની સાલમાં
ને રાજધાની બનાવવામાં આવી અને લગભગ ૧૧૦૦ વરસ સુધી તે જાપાનની રાજધાની રહી. હમણાં થોડા જ વખત ઉપર ટાકિયાએ તેની જગ્યા લીધી છે. ટેકિયે એ એક બહુ વિશાળ આધુનિક શહેર છે. પરંતુ જાપાનના આત્માનું દર્શન તે આપણને કોર્ટમાં જ થાય છે અને તેની આસપાસ એક હજાર વર્ષનાં સ્મરણે સંકળાયેલાં છે.
કાકાતમી ને કામારી ફૂછવારા કુળને સ્થાપક હતા. એ કુળે જાપાનના ઇતિહાસમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. જાપાન ઉપર એ કુળે ૨૦૦ વરસ સુધી હકૂમત ચલાવી. તેણે સમ્રાટોને સાવ પૂતળા જેવા બનાવી મૂક્યા તથા ઘણી વાર તેમને પોતાના કુળની કન્યાને