Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
દરિયાઈ માર્ગોની શેાધ
૪૧૩
જૂની શૃંખલાઓ તૂટવાને કારણે વિજ્ઞાન, કળા, સાહિત્ય, સ્થાપત્ય તથા નવી નવી શોધખેાળા વગેરે અનેક દિશાઓમાં પ્રગતિ થઈ. મનુષ્યના આત્મા પોતાનાં બંધનો તોડી નાખે છે ત્યારે હમેશાં આમ તે છે.... ત્યારે તેના વિકાસ થાય છે અને તે વ્યાપક બને છે. એ જ રીતે જ્યારે આપણને સ્વતંત્રતા લાધશે ત્યારે આપણી પ્રજા તથા આપણી પ્રતિભાને વિકાસ થશે અને તે ચોતરફ ફેલાશે.
લોકમાનસ ઉપરના ચર્ચીને કાબૂ ક્ષીણુ અને શિથિલ થતો જાય છે તેમ તેમ લેાકા દેવળા અને મઠો બાંધવામાં આછા પૈસા ખરચતા થાય છે. અનેક ઠેકાણે સુંદર ઇમારતો ચણાય છે એ ખરું પણ તે મહાજનગૃહા અને ખીજી એવા પ્રકારની જ ઇમારતા હોય છે. સ્થાપત્યની ગાથિક પદ્ધતિ પણ હવે વિદાય થાય છે અને તેને ઠેકાણે નવી પદ્ધતિ વિકસે છે.
આ જ અરસામાં એટલે કે જ્યારે યુરોપ નવી શક્તિથી ઊભરાઈ રહ્યું હતું ત્યારે પૂમાંથી સુવર્ણનું આકર્ષણ આવ્યું. માર્કા પોલા તથા હિં અને ચીનમાં ગયેલા ખીજા પ્રવાસીઓનાં વણુતાએ યુરેપના લોકેાની કલ્પનાને બહુલાવી મૂકી અને પૂર્વની આ અઢળક દોલતની ઉત્તેજનાએ ઘણા લકાને દરિયા ખેડવા તરફ પ્રેર્યાં. એ જ ટાંકણે કૉન્સ્ટાન્ટિનોપલનું પણ પતન થયું. પૂર્વ તરફ જવાના જમીન તથા દરિયાઈ માર્યાંના કાબૂ તુર્કીના હાથમાં ગયો અને તે વેપારરોજગારને ઝાઝું ઉત્તેજન આપતા નહાતા. મોટા મોટા વેપારીએ અને સોદાગરે આથી અકળાયા તથા પૂર્વનું સોનું હાથ કરવા માગત સાહિસકાના નવા ઊભા થયેલા વર્ગ પણ એથી ચિડાયા. એથી કરીને પૂના સુવર્ણમય દેશોમાં પહેાંચવાના નવા માર્ગો ખાળી કાઢવાની તેમણે કાશિશ કરવા માંડી.
પૃથ્વી ગાળ છે અને તે સૂર્યની આસપાસ કરે છે એ તે આજે નિશાળે જતી નાનકડી બાળા પણ જાણે છે. આપણા બધાંને માટે આજે એ બિના બિલકુલ સ્પષ્ટ છે. પરંતુ જૂના કાળમાં એ વસ્તુ એટલી સ્પષ્ટ નહતી; અને જે લેકા એ માનવાની કે કહેવાની ધૃષ્ટતા કરતા તેઓ ચ તરફથી આફતમાં આવી પડતા. પરંતુ ચર્ચીના ધાકની ઉપરવટ થઈને પણ પૃથ્વી ગોળ છે એ હકીકત લેાકેા વધારે ને વધારે માનવા લાગ્યા. જો પૃથ્વી ગેાળ હાય તો પછી પશ્ચિમ તરફ આગળ ને આગળ જતાં ચીન તથા હિ ંદુસ્તાન પહોંચી શકાય. કેટલાક લેાકા આમ