Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૫૪૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન : હતું અને ત્યાં તે પિતાને ભવ્ય દરબાર ભરતો હતે. પરંતુ મહાન મેગલના એશ્વર્ય આગળ એ રાજસૂર્યને ભપકે નિસ્તેજ થઈ જતે. ઘણું કરીને આ મેગલ સમ્રાટે દુનિયાના તે સમયના બધા રાજાઓમાં સૌથી વધારે શ્રીમંત હતા. આમ છતાંયે દેશમાં કઈ કઈ વાર દુકાળ પડતા, રોગચાળો અને મહામારી ફાટી નીકળતાં અને તેને લીધે અસંખ્ય માણસના પ્રાણ જતા. પરંતુ સમ્રાટના દરબાર ઉપર એની કશી અસર નહતી થતી; તેના વૈભવવિલાસે તે એમ છતાં પણ ચાલુ જ રહેતા.
અકબરના અમલની ધાર્મિક સહિષ્ણુતા તેના પુત્ર જહાંગીરના શાસન દરમ્યાન પણ ચાલુ રહી. પરંતુ હવે તે શિથિલ થતી જતી હતી અને ખ્રિસ્તી તથા હિંદુઓનું કંઈક અંશે દમન શરૂ થયું હતું. એ પછી ઔરંગઝેબના અમલમાં તે તેમનાં મંદિરને નાશ કરીને તથા તેમના ઉપર તિરસ્કૃત જજિયારે ફરીથી નાખીને હિંદુઓનું દમન કરવાના ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવ્યું. આમ અકબરે ભારે જહેમત ઉઠાવીને રેપલા સામ્રાજ્યના પાયાના સ્તંભે એક પછી એક ઉખેડી નાખવામાં આવ્યા. પરિણામે સામ્રાજ્યની ઇમારત એકાએક ડામાડોળ થવા લાગી અને આખરે તે જમીનદોસ્ત થઈ ગઈ
અકબર પછી તેની રજપૂત પત્નીથી થયેલે પુત્ર જહાંગીર ગાદીએ આવ્યું. તેણે કંઈક અંશે પિતાના પિતાની પ્રણાલી ચાલુ રાખી પરંતુ રાજ્યવહીવટ કરતાં તેને કળા, ચિત્ર, બાગબગીચા અને કુલે ઈત્યાદિને વધારે રસ હતો. તેની પાસે સુંદર ચિત્રસંગ્રહ હતા. તે દર વરસે કાશ્મીર જતો અને મને લાગે છે કે શાલામાર અને નિશાત નામના ત્યાંના વિખ્યાત બગીચાઓની યેજના તેણે કરી હતી. ખૂબસૂરત નૂરજહાન તેની પત્ની હતી અથવા ખરી રીતે તેની અનેક પત્નીઓમાંની એક હતી. રાજ્યની સાચી સત્તા તેના હાથમાં હતી. ઈતમદ-ઉદ-દોલાની કબર જેમાં છે તે રમણીય ઈમારત જહાંગીરના અમલ દરમ્યાન બંધાઈ હતી. હું જ્યારે જ્યારે આગ્રા જાઉં છું ત્યારે ત્યારે સ્થાપત્યના રત્ન રૂપ આ ઈમારતની મુલાકાત લઉં છું અને તેના સંદર્યથી મારી આંખોને તૃપ્ત કરું છું.
જહાંગીર પછી તેને પુત્ર શાહજહાન ગાદીએ આવ્યું. તેણે ૧૬૨૮ની સાલથી ૧૬૫૮ સુધી એમ ૩૦ વરસ રાજ્ય કર્યુંતેના અમલ દરમ્યાન તે ફ્રાંસના ૧૪મા લૂઈને સમકાલીન હત–મોગલેની