Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૮૫ ૩
૯૫ અઢારમી સદીના યુરોપમાં નવા અને જુના વિચારોનું યુદ્ધ
૧૯ સપ્ટેમ્બર, ૧૯૩૨ હવે આપણે યુરેપ તરફ વળીશું અને તેના બદલાતા જતા ભાગ્યચક્રનું અવેલેકન કરીશું. જગતના ઈતિહાસ ઉપર સટ અસર કરનાર પરિવર્તન થવાની અણી ઉપર તે આવીને ઊભું છે. આ પરિવર્તને સમજવાને ખાતર આપણે ઘટનાઓના ભીતરમાં નજર કરવી પડશે તથા જનતાના માનસમાં શા વ્યાપાર ચાલી રહ્યા હતા તે જાણવાની કોશિશ કરવી પડશે. કેમ કે આપણી નજરે પડતી કેઈપણ ક્રિયા એ સરવાળે વિચાર અને ભાવનાઓ, તથા પ્રબળ આવેગે, પૂર્વગ્રહ અને વહેમ તથા કામનાઓ અને ભયેના એકંદર પરિણામરૂપ હોય છે; અને જેને લઈને ક્રિયા ઉભવી તે કારણેની આપણે તપાસ ન કરીએ તે કેવળ ક્રિયાને સમજવી મુશ્કેલ થઈ પડે છે. પરંતુ આ કારણોની ખોજ કરવી સહેલ વાત નથી. અને ઈતિહાસની એ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ ઘડનાર કારણે અને બળે વિષે લખવાને હું સમર્થ હેત તે પણ આ પત્રે છે તેના કરતાં વધારે નીરસ અને ભારે બનાવવાનું હું ઉચિત ન માનત. કેટલીક વાર કોઈ એકાદ વિષય પરત્વેના મારા ઉત્સાહને. કારણે અથવા તે અમુક દૃષ્ટિ રજૂ કરવાને ખાતર હું જોઈએ તેના કરતાં વધારે ઊંડે ઊતરી જાઉં છું. પણ મને લાગે છે કે તારે એ ચલાવી લેવું પડશે. એથી કરીને આ ઘટનાઓના કારણેની બાબતમાં આપણે બહુ ઊંડાં તે ન ઊતરી શકીએ. પરંતુ એની સંપૂર્ણપણે અવગણના કરવી એ પણ ભારે મૂર્ખાઈ ગણાય અને ખરેખર જે આપણે એમ જ કરીએ તે તે ઈતિહાસનું આકર્ષણ તથા તેનું રહસ્ય આપણે ખોઈ બેસીએ.
સોળમી સદી તથા સત્તરમી સદીના પહેલા અડધા ભાગ દરમ્યાન યુરોપમાં જે ઊથલપાથલ થઈ તથા અવ્યવસ્થા વ્યાપી હતી તે આપણે