Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૩
સરકારના રાહુ
૨૭ ઑકટોબર, ૧૯૪૩
એ અવાડિયાંથી મે તને પત્ર લખ્યા નથી. મને લાગે છે કે હું કઈક ઢીલા પડચો છું. મારી આ વાર્તાના છેવટના ભાગની પાસે પાસે હું આવી પહોંચ્યો છું એ વિચારથી હું કઈક પાછો પડુ છું. ૧૮મી સદીના અંત સુધી તો આપણે આવી પહેોંચ્યાં. ૧૯મી સદીનાં ૧૦૦ વરસાનું અવલોકન હવે આપણે કરવાનું છે અને પછી તે આજની ઘડી સુધી આવી પહેાંચવા માટે માત્ર ૩૨ વરસા બાકી રહે છે. પરંતુ આ બાકી રહેલાં ૧૩૨ વરસાને અંગે તો મારે ઘણું કહેવાનું ચશે, આપણી બહુ નજદીક હોવાને કારણે એ વરસે આપણને વધારે સ્પષ્ટપણે દેખાય છે અને આપણાં મન ભરી દે છે, તેમ જ એમા ખનેલા બનાવા પહેલાંના સમયના બનાવા કરતાં આપણને વધારે મહત્ત્વના લાગે છે. આજે આપણે આપણી આસપાસ જે બધું જોઈ એ છીએ તેમાંની ઘણીખરી વસ્તુઓ એ સમય દરમ્યાન ઉદ્ભવેલી છે, અને સાચે જ ગઈ સદી અને તે પછીનાં વરસેાની અસંખ્ય ઘટનામા અને બનાવાના તને પરિચય કરાવવા એ મારે માટે સહેલું નથી. સંભવ છે કે એ કારણથી જ હું એ કામ હાથ ધરતાં ખચકા હાં ! પરંતુ સાથે સાથે મને એમ પણ થાય છે કે આખરે જ્યારે હું આ માનવીના ઇતિહાસની વાતને ૧૯૩૨ની સાલ સુધી લાવી દઈશ અને ભૂતકાળ વમાનમાં લુપ્ત થઈ ભવિષ્યના અગમ્ય પડદા આગળ આવીને ઊભરશે ત્યારે હું શું કરીશ ? પ્યારી બેટી, ત્યાર પછી તને હું શું લખીશ વારું? એ પછી હાથમાં કલમ લઈ ને તારે વિષે વિચાર કરવા માટે અથવા તે જાણે તું મારી સમીપ ખેડી છે અને મને અનેક પ્રશ્નો પૂછી રહી છે, તથા હું તેના જવાએ આપવાને પ્રયાસ કરું છું, એવી કલ્પના સેવવા માટે મને શું નિમિત્ત મળી રહેશે?
ક્રાંસની ક્રાંતિને વિષે મે તને ત્રણ પત્ર લખ્યા છે— ફ્રાંસના લગભગ પાંચ વરસ જેટલા ટૂંકા સમયના ઇતિહાસ વિષેના એ ત્રણ