Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ખાસ્તિયનું પતન
૨૫
આપણે આ કંગાળિયત, ગરીબાઈ, યાતનાઓ તથા હાડમારીઓના વિચાર કરીએ છીએ ત્યારે અનિવાય રીતે આપણી નજર સમક્ષ હિંદનો ચિતાર ખડા થાય છે !
ખેડૂતવ ને કેવળ ખારકની જ નહિ પણ જમીનનીયે તગાશ હતી. ક્યૂડલ વ્યવસ્થાને લઈ ને ઉમરાવા જમીનના માલિકા હતા અને તેની ઊપજના ઘણાખરા ભાગ તેમની પાસે જતો. ખેડૂતામાં કાઈ પણ પ્રકારના સ્પષ્ટ વિચારો કે કંઈ નિશ્ચિત ધ્યેય નહોતું. પરંતુ જેના ઉપર તે મજૂરી કરતા હતા તે જમીનની માલિકી તેમને જોઈતી હતી. વળી તેમને કચરી રહેલી ક્યૂલ પ્રથાને તેમ જ અમીરઉમરાવા અને પાદરીઓને તે ધિક્કારતા હતા. તે મીઠા ઉપરના કરને ( વળી પાછું હિંદુનું સ્મરણ કર !) પણ ધિક્કારતા હતા કેમ કે એથી ખાસ કરીને ગરીબ વર્ગોને ખૂબ સાસવું પડતું હતું.
*
એ સમયે ખેડૂતોની આવી દશા હતી અને છતાંયે રાજા અને રાણી તે નાણાંને માટે ખુમરાણ મચાવતાં હતાં. ખુદ સરકાર પાસે ખરચ કરવાનાં નાણાં નહેાતાં અને દેવું તે દિનપ્રતિદિન વધ્યે જ જતું હતું. મારી આંત્વાનેતને ‘ મૅડમ ડેફિસીટ ' એટલે કે શ્રીમતી ખાધ એવું ઉપનામ આપવામાં આવ્યું. હવે વધારે નાણાં ઊભાં કરવા માટે કાઈ પણ ઉપાય બાકી રહ્યો નહાતા. ૧૬મા લૂઈ એ આખરે ૧૭૮૯ની સાલના મે માસમાં નિરુપાયે ‘ સ્ટેટ્સ જનરલ ’ ( ફ્રાંસની પાલમેન્ટ )ની એક મેલાવી. આ રાજસભા ઉમરાવે, પાદરીએ તથા આમ પ્રજા વગેરે રાજ્યના ત્રણ વર્ષાં અથવા જેમને રાષ્ટ્રની ત્રણ ‘ ઍસ્ટેટ્સ ’ એટલે સમૃદ્ધિ ’ તરીકે લેખવામાં આવતા હતા, તેમના પ્રતિનિધિઓની બનેલી હતી. આમ એ રાજસભાની રચના, ઉમરાવા અને પાદરીઓની અનેલી ઉમરાવાની સભા' તથા · આમની સભા ' એવી એ સભાવાળી બ્રિટિશ પાર્લમેન્ટ કરતાં બહુ ભિન્ન નહેતી. પરંતુ બીજી રીતે એ બંને રાજસભામાં ભારે તફાવત હતા. બ્રિટિશ પાર્લમેન્ટની ખેડકા તે સદીઓ થયાં લગભગ નિયમિત રીતે મળતી હતી અને તેની પરંપરા, તેનાં ધારાધેારણા તથા કાર્ય કરવાની તેની પદ્ધતિ હવે રૂઢ થઈ ચૂકી હતી. ‘ સ્ટેટ્સ જનરલ 'ની એક તે જવલ્લે જ મળતી હતી અને તેની પોતાની કશી પરંપરા રૂઢ થવા પામી નહેાતી. એ અને રાજસભામાં ઉપલા વર્ગોનું પ્રતિનિધિત્વ હતું. બ્રિટનની આમની સભા તો સ્ટેટ્સ જનરલ ’ની આમની સભા કરતાંયે વિશેષે કરીને ઉપલા વર્ગની
6
<
૬-૪૦