Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
સર
જગતના ઇતિહાસનુ” રેખાદર્શીન
યુદ્ધો થયાં. પણ આ બધાં યુદ્ધોની વિશિષ્ટતા એ છે કે, ઈંગ્લેંડના હિતને ખાતર એ લડાયાં હોવા છતાં તેમના બધા ખરચ હિંદુસ્તાનને માથે પડ્યો. ઇંગ્લેંડ કે અંગ્રેજ લોકા ઉપર એને કશાયે ખાજો પડયો નહિ. તેમણે તે એને મફતને ફાયદો જ ઉદ્દાબ્યો.
• ઇસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપની — હિંદના રાજ કારભાર ચલાવતી હતી એ લક્ષમાં રાખજે. તેના ઉપર બ્રિટિશ પામેન્ટને અંકુશ વધતા જતા હતા એ ખરું, પરંતુ હિંદનું ભાવી પ્રધાનપણે તે અમુક વિશિષ્ટ પ્રકારના સાહસખાર વેપારીઓના હાથમાં હતું. રાજ્યવહીવટ અધિકાંશે વેપાર હતો અને વેપાર એ અધિકાંશે લૂંટ હતી. એ રાજવહીવટ, એ વેપાર અને એ લૂટ વચ્ચે નહિ જેવા જ ભેદ હતો. ક ંપની પોતાના શેર હાલ્ડરોને ૧૦૦, ૧૫૦ કે ૨૦૦ ટકા જેટલું ભારે ડિવિડંડ પ્રતિવર્ષ વહેંચતી. અને એ ઉપરાંત ક્લાઈવની બાબતમાં આપણે જોઈ ગયાં તેમ તેના એજટી સારી સરખી દોલત પોતાને માટે એકઠી કરતા હતા. વળી કંપનીના અધિકારી વેપારના ઇજારાઓ રાખતા હતા અને એ રીતે તે થોડા જ સમયમાં અઢળક દોલત એકઠી કરતા હતા. હિંદમાં ક ંપનીના જે અમલ કહેવાય છે તે આવા હતા !
પણું
ΟΥ
-