Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
પર જગતના ઇતિહાસનું રેખાદર્શન ઔદ્યોગિક વિકાસમાં બહુ પછાત રહ્યો એટલે ત્યાં આગળ એવો કશે ફેરફાર થયા નહિ.
ચીન તેમજ હિંદુસ્તાનમાં પણ એ સમયે સંખ્યાબંધ કારીગરો તથા શિલ્પીઓ હતા તેમજ તેમનાં મંડળે પણ હતાં. ઉત્તરઉદ્યોગે પણ પશ્ચિમ યુરોપ જેટલા જ અથવા વધારે વિકસેલા હતા. પરંતુ એ બંને * દેશમાં એ કાળે યુરોપની પેઠે વિજ્ઞાનને વિકાસ તથા તેના જેવી પ્રજાકીયા સ્વતંત્રતાની ધગશ આપણા જેવામાં આવતાં નથી. ઉભય દેશમાં ધાર્મિક વાતંત્ર્ય તેમજ ગામ, શહેર કે મંડળમાં સ્થાનિક સ્વાતંયની પરંપરા ચાલુ હતી. પિતાની સ્થાનિક બાબતમાં કશી દખલ ન થાય ત્યાં સુધી લેકને રાજાની સત્તા તથા તેની આપખુદીની ઝાઝી પરવા નહોતી. એ બંને દેશોની સમાજવ્યવસ્થા યુરોપની કઈ પણ વસ્તુ કરતાં વધારે સ્થિર હતી અને તે ઘણુ લાંબા કાળ સુધી ટકી હતી, પરંતુ એ વ્યવસ્થાની રિથરતા અને અચળતાએ જ વિકાસને રૂંધ્યું હોય એ બનવાજોગ છે. હિંદની ફાટફૂટ તથા અર્ધગતિને કારણે મોગલ બાબરે ઉત્તર હિંદુસ્તાન જીતી લીધું હતું એ આપણે આગળ જોઈ ગયાં છીએ. પ્રજા સ્વાતંત્ર્ય પ્રાચીન આર્ય ખ્યાલે સંપૂર્ણપણે ભૂલી ગઈ હોય અને ગમે તેવા શાસકને ચલાવી લેવા જેટલી પરવશ અને કંગાળ બની ગઈ હોય એમ જણાય છે. દેશને નવચેતન અર્પનાર મુસલમાને પણ બીજાઓની જેમ નમાલા અને પરવશ બની ગયા હોય એમ લાગે છે.
પૂર્વની પુરાણી સંસ્કૃતિમાં જેને અભાવ દીસતે હતો તે ચેતન અને શક્તિથી તરવરતું યુરોપ ધીમે ધીમે તેમની આગળ નીકળી ગયું. તેના પુત્રે દુનિયાના દૂર દૂરના ખૂણાઓ સુધી પહોંચે છે. સંપત્તિ રમને વેપારની લાલસાથી તેના વહાણવટીઓ અમેરિકા તથા આંશિયા તરફ આકર્ષાયા. અગ્નિ એશિયામાં ફિરંગી લેતાએ મલાકાના અરબ સામ્રાજ્યને અંત આણે એ આપણે આગળ જોઈ ગયાં હિંદના દરિયા કિનારા ઉપર તેમજ પૂર્વ તરફના સમુદ્રોમાં બધે તેમણે પિતાનાં થાણું નાખ્યાં હતાં. પરંતુ થોડા જ વખતમાં તેજાનાના વેપાર તેમના ઈજારા ઉપર હેલેંડ અને તરાપ મારી. એ બંને દોરા ઉપર સત્તા જમાવનાર નવાં રાજ્ય હતાં. પર્ટુગાલને પૂર્વના દેશોમાંથી હાંકી કાઢવામાં આવ્યું અને તેમના પૂર્વ વેપાર તથા સામ્રાજ્યને અંત આવે છે. પગાલનું સ્થાન કંઈક અંશે ડચ અથવા વલંદાઓએ લીધું અને પૂર્વના ઘણાખરા ટાપુઓને તેમણે કબજે લીધે. ૧૬૦ની